સજલ શ્રદ્ધા – પ્રખર પ્રજ્ઞા દર્શન કરીએ
January 30, 2023 Leave a comment

સજલ શ્રદ્ધા – પ્રખર પ્રજ્ઞા દર્શન કરીએ
યુગ ક્રાંતિના ઘડવૈયાની કલમેથી…
January 30, 2023 Leave a comment
સજલ શ્રદ્ધા – પ્રખર પ્રજ્ઞા દર્શન કરીએ
October 1, 2022 Leave a comment
લોભથી જીવન નાશ પામે છે । GP-13. ‘પવિત્ર જીવન’ | ગાયત્રી વિદ્યા
સતત કંજૂસાઈ, સંકુચિતતા અને ધન ભેગું કરતા રહેવાના વિચાર મગજમાં આવે છે તો થોડા સમય બાદ તે ટેવનું રૂપ ધારણ કરી લે છે. બહુ સંપત્તિ એકઠી કરવી અને ખર્ચ વખતે બિનજરૂરી કંજૂસાઈ બતાવવી તેને લોભ કહે છે. લોભની વિચારધારા જ્યારે સુષુપ્ત મન પર અસર કરે છે ત્યારે સ્વાસ્થ્ય પર તેની ખરાબ અસર પડે છે. રૂપિયા, પૈસા હકીકતે એક ભોગવવાની ચીજ છે. જ્ઞાની પુરુષો તેને હાથનો મેલ ગણાવે છે. ધનનો સદુપયોગ એ ધનસંચયનો સાચો આશય છે. જેવી રીતે પાણી પીવાની વસ્તુ છે. પીવાનો ઉપયોગ કરવામાં જ આનંદ છે. જે બિનજરૂરી પાણી એકઠું કરે છે તે સારું કામ કરતો નથી. ભેગું કરેલું પાણી થોડા દિવસોમાં ગંધાશે અને ચારે બાજુએ ગંદકી પેદા કરશે. શરીર અને મનનો સ્વાભાવિક ધર્મ એ છે કે તે જે લે છે તેનો ત્યાગ પણ કરે છે. મનમાં એક પ્રકારના વિચારો આવે છે તો બીજા પ્રકારના વિચારો જાય છે.
મનમાં જુદા જુદા વિચારો પ્રત્યેક ઘડીએ આવતા રહેવાની યોજના પરમાત્માએ બહુ સમજી વિચારીને બનાવી છે. આમ થવાથી વહેતી નદીના પાણીની જેમ મન નિર્મળ રહે છે. જો એક જ પ્રકારના વિચારો કરવામાં આવે અને તે વિચારો હલકટ હોય તો માનવી ભયંકર આપત્તિમાં આવી શકે છે. આકર્ષણના વિશ્વવ્યાપી નિયમ પ્રમાણે એટલા બધા એક સરખા વિચારો માનવીના મનમાં એકઠા થતાં તે ડરી જાય છે, માંદો પડી જાય છે અથવા મરી જાય છે. લોભી માનવી હરહંમેશ ધનનું ચિંતન કર્યા કરે છે. વધુને વધુ પૈસા એકઠા કરવાની ચિંતા જ થયા કરે છે અને તે “હાથના મેલ ’” થી છુટકારો મેળવવાને બદલે તેનો સંચય કરવાનું કુદરત વિરુદ્ધનું કાર્ય કરવા પ્રેરાય છે.
આની અસર ગુપ્ત મન પર થાય છે. વાચકો એ તો જાણે જ છે કે શરીરની શ્વાસોચ્છવાસ, રુધિરાભિસરણ, પાચનતંત્ર,મળવિસર્જન વગેરે દૈનિક ક્રિયાઓ સુષુપ્ત મનથી થાય છે. આપણું ચેતન મગજ આ ક્રિયાઓમાં દખલ કરતું નથી, પણ સુષુપ્ત મનની સ્થિતિ અનુસાર ક્ષણભરમાં મહત્ત્વના ફેરફાર થઈ શકે છે. મનોવૈજ્ઞાનિકોએ શરીરની ક્રિયાઓ પર સુષુપ્ત મનનો સંપૂર્ણ કાબૂ જાણ્યા પછી તે મન પર પ્રભાવ પાડી બધી બીમારીઓને દૂર કરવામાં સફળતા મેળવે છે. આપણા સ્વભાવના દોષ અને ખરાબ આદતો પણ માનસિક ઈલાજથી સુધારી શકે છે.
August 25, 2022 Leave a comment
શિષ્ટાચાર, સહયોગ અને પરોપકાર | GP-9. શિષ્ટાચાર અને સહયોગ | ગાયત્રી વિદ્યા
આ રીતે વિચાર કરવામાં આવે તો શિષ્ટાચાર અને સહયોગની ભાવના મનુષ્યત્વનું એક અગત્યનું અંગ છે. જે મનુષ્ય તેના તત્ત્વને સમજી લે છે તે હંમેશાં બીજાઓનું સન્માન કરવા, તેમને બધી રીતની મદદ કરવા, તેમની સેવા તથા ઉપકાર કરવા તૈયાર રહે છે, કેમ કે જો આપણે બીજાઓની તરફ આ પ્રકારનો સર્વ્યવહાર કરવાની ભાવના નથી રાખતા, તો આપણે પણ બીજી વ્યક્તિઓ પાસેથી જરૂર પડતાં સહયોગ અને ઉપકારની આશા ન રાખવી જોઈએ. એટલા માટે શિષ્ટાચારનું પાલન કરનારાએ સેવા અને પરોપકારનું મહત્ત્વ પણ હંમેશાં ધ્યાનમાં રાખવું જોઈએ.
શિષ્ટાચારના આ સ્વરૂપને સમજનારી વ્યક્તિ આ પરિચિતોની સાથે પણ તેવો જ ઉત્તમ અને મધુર વ્યવહાર કરે છે કે જેવો પરિચિતો સાથે કરે છે કેમ કે એવી વ્યક્તિ બધાને પોતાના આત્મીય સમજે છે અને જરૂર પડ્યે નિઃસંકોચ ભાવથી પોતાની સેવાઓ આપવા તૈયાર રહે છે. જો ગંભીરતાપૂર્વક વિચાર કરવામાં આવે તો સેવાધર્મ શિષ્ટાચારનું સૌથી ઉત્તમ અને શ્રેષ્ઠ રૂપ છે. જ્યારે શિષ્ટાચાર અને સહયોગનો ભાવ આપણા અંતરાત્મામાં સમાઈ જાય છે ત્યારે આપણે કોઈ બીજો વિચાર કર્યા વગર બીજાઓને સુખ પહોંચાડવું, તેમની પ્રસન્નતામાં વૃદ્ધિ કરવી તેને પોતાનું કર્તવ્ય સમજીએ છીએ. તે સમયે આપણે શિષ્ટાચારને એક ભાર સ્વરૂપ અથવા દેખાડો નથી માનતા, પરંતુ તે આપણા અંતરમાંથી આપોઆપ જ સર્વત્ર ફેલાવા માંડે છે.
August 20, 2022 Leave a comment
વેદોનો દિવ્ય સંદેશ – યજુર્વેદ ૨૯/૪૯ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
ઋજીતે પરિ વૃડ્ંગ્ધિ નોશ્મા ભવતુ નસ્તનૂઃ । સોમો અધિ બ્રવીતુ નોદિતિ શર્મ યચ્છતુ ॥ (યજુર્વેદ ૨૯/૪૯)
ભાવાર્થ : જે રીતે મનુષ્ય પૃથ્વી પર પોતાનું ઘર બનાવીને નિવાસ કરે છે, તે જ રીતે શરીર પણ જીવાત્માનું ઘર છે. આથી એને બ્રહ્મચર્ય, સાત્ત્વિક ખોરાક અને સંયમ દ્વારા હંમેશાં સ્વસ્થ અને નીરોગી રાખીએ.
સંદેશ : માનવશરીરનું મહત્ત્વ એ જ વાતથી સમજાય છે કે ભગવાનને પણ સંસારનો ઉદ્ધાર કરવા માટે આ જ શરીરમાં અવતાર લેવો પડે છે. આમેય સમગ્ર જીવજંતુઓમાં મનુષ્યની રચના સર્વશ્રેષ્ઠ છે. પરમાત્માએ મનુષ્યને આ સર્વગુણયુક્ત શરીર આપ્યું છે તેનું પણ વિશેષ કારણ છે. ઈશ્વરે સૃષ્ટિની શાંતિ, સુવ્યવસ્થા, સમૃદ્ધિ, સુંદરતા અને પ્રગતિને માટે મનુષ્યને પોતાના સહાયક અને સહચરના રૂપમાં રચ્યો છે. પોતાની સંપૂર્ણ વિભૂતિઓ અને વિશેષતાઓ એનામાં ભરી દીધી છે, જેનાથી તે આ પવિત્ર લક્ષ્યોને સારી રીતે નિભાવી શકે. એટલું જ નહિ, ૫રમાત્મા સ્વયં પ્રત્યેક મનુષ્યના શરીરમાં જીવાત્માના રૂપમાં બિરાજમાન છે અને તેને માર્ગદર્શન આપતા રહે છે, છતાંય મનુષ્ય પોતાની મૂર્ખતાને લીધે પોતાના આત્માની ઉપેક્ષા અને અવગણના કરીને પોતે જ પોતાના પગ પર કુહાડી મારે છે.
આ શરીરને અર્થાત્ આત્માના નિવાસસ્થાનને સ્વચ્છ, પવિત્ર અને નીરોગી રાખવાની જવાબદારી મનુષ્યની છે. એનાથી તેને લાભ પણ થાય છે અને પ્રભુકૃપા પણ સરળતાથી પ્રાપ્ત થાય છે. સારું સ્વાસ્થ્ય અણમોલ સંપત્તિ છે. એનાથી કપાળ પર ગુલાબી છટા, ચહેરા પર આભા અને તેજ, આંખોમાં ચમક તથા ઇન્દ્રિયો, મન અને આત્મામાં પ્રસન્નતા રહે છે. જો શરીર સ્વસ્થ ના હોય તો ધન, ધાન્ય, ઐશ્વર્ય, વિદ્યા, બુદ્ધિ વગેરે શા કામનાં ? એક માણસ ધનધાન્યથી પૂર્ણ હોય, પરંતુ જો તેનું સ્વાસ્થ્ય ઠીક ન હોય તો તેનું જીવન બોજારૂપ બની જાય છે.લૌકિક ઉન્નતિ માટે તો સ્વાસ્થ્યની જરૂરિયાત હોય જ છે, પારલૌકિક ઉન્નતિ માટે પણ એનું મહત્ત્વ ઓછું નથી.
રોગી માણસ ઈશ્વરચિંતન પણ કરી શકતો નથી. સ્વાસ્થ્ય સારું ન હોય તો બંને લોક બગડી જાય છે અને જીવન કષ્ટમાં પસાર થાય છે. ઉત્તમ કર્મ ન કરવાથી નવો જન્મ પણ બગડી જાય છે. મનુષ્ય ન તો ઘરનો રહે છે કે ન ઘાટનો રહે છે. મનુષ્ય ખૂબ ઉન્નતિ કરે, ધન કમાય, વસ્તુઓનો સંગ્રહ કરે, પરંતુ તે સ્વાસ્થ્ય ન ગુમાવે તે જરૂરી છે. એવા શરીરથી શો લાભ કે આપણે પોતાનું ભોજન પણ ન પચાવી શકીએ ? સ્વસ્થ રહેવા માટે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ અને સાત્ત્વિક ભોજન લેવું જોઈએ. ઈંડાં, માંસ, માછલી, બીડી, દારૂ વગેરે નશીલી અને નુકસાનકારક વસ્તુઓનું સેવન તો કદી પણ ન કરવું. આ વસ્તુઓના સેવનથી મનુષ્ય જંગલી અને અશિષ્ટ બને છે. વ્યાયામને દિનચર્યાનું અંગ બનાવવું જોઈએ. મન અને વિચારોને પણ સદૈવ શુદ્ધ અને પવિત્ર રાખવાં જોઈએ તથા સદાચારનું પાલન દેઢતાપૂર્વક કરવું જોઈએ. સ્વસ્થ અને હૃષ્ટપુષ્ટ માણસ આકર્ષણનું કેન્દ્ર બની જાય છે અને તેના આત્માનો પ્રકાશ ચારે તરફ ફેલાઈ જઈને તેનાં યશ અને કીર્તિને વધારે છે.
August 16, 2022 Leave a comment
વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૧/૧૬૪/૩૮, અથર્વવેદ ૯/૧૦/૧૬ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
અપાઙ્પ્રાઙ્તિ સ્વધયા ગૃભીતોઽમત્ર્યો મત્ર્યેના સયોનિઃ । તા શશ્વન્તા વિષૂચીના વિયન્તાન્યન્યં ચિક્યુર્ન નિ ચિક્ચરન્યમ્ ॥ (ઋગ્વેદ ૧/૧૬૪/૩૮, અથર્વવેદ ૯/૧૦/૧૬)
ભાવાર્થ : જીવાત્મા અમર છે અને શરીર નાશવંત છે. આત્મા બધી જ શારીરિક ક્રિયાઓનો સ્વામી છે, કારણ કે જ્યાં સુધી શરી૨માં પ્રાણ રહે છે ત્યાં સુધી જ તે ક્રિયાશીલ રહે છે. આ આત્મા વિશે મોટા મોટા પંડિતો અને બુદ્ધિશાળી માણસો પણ જાણતા નથી. એને ઓળખવો તે માનવજીવનનું મુખ્ય લક્ષ્ય છે.
સંદેશ : આત્મા અને શરીર વચ્ચે જે ગૂઢ સંબંધ છે તેનાથી બધા માનવો હંમેશાં અજાણ છે અને ભ્રમમાં રહે છે. આ આત્મા કયાંથી આવે છે અને શરીરના મૃત્યુ પછી કયાં ચાલ્યો જાય છે તે કોઈ જાણી શક્યું નથી. ગીતામાં આત્માની અમરતા વિશે સ્પષ્ટ રૂપથી કહેવાયું છે કે આત્માને કોઈ શસ્ત્ર છેદી શકતું નથી, અગ્નિ બાળી શકતો નથી, પાણી ભીંજવી શકતું નથી અને વાયુ તેને સૂકવી શકતો નથી. આનાથી સ્પષ્ટ છે કે શરીરનો તો અંત થાય છે, પણ આત્માનો અંત થતો નથી. આત્મા તો અજરઅમર છે, નિત્ય છે અને શાશ્વત છે. શરીરનો નાશ થવા છતાંય આત્માનું અસ્તિત્વ યથાવત્ રહે છે.
આત્મા અને શરીર વિપરીત પ્રકૃતિનાં હોવા છતાંય સાથોસાથ રહે છે. ‘કઠોપનિષદ’ના ઋષિનું કથન છે, “શરીર એક રથ સમાન છે કે જેમાં ઘોડાઓ જોડેલા છે. ઘોડાની લગામ સારથિના હાથમાં હોય છે, જે તેમને ચલાવે છે, જો કે રથનો સ્વામી પાછળ બેઠેલો હોય છે. તેના હુકમ મુજબ સારથિ રથ ચલાવે છે. શરીર રથ છે, ઇન્દ્રિયો ઘોડા છે, મન લગામ છે અને બુદ્ધિ સારથિ છે. આત્મા આ રથનો સ્વામી છે.” આથી તે જ્યાં જવાનું કહે ત્યાં જ બુદ્ધિએ જવું જોઈએ. એના અનુસાર મન અને ઇન્દ્રિયોએ કાર્ય કરવું જોઈએ. જ્યાં સુધી આ ક્રમ ચાલશે ત્યાં સુધી જીવનરૂપી રથ તેના નિર્ધારિત સ્થાને પહોંચી જશે, નહિતર ખબર નથી કે તે કઈ કઈ યોનિઓમાં ભટકતો રહેશે.
આત્મા અને શરીરમાં અમરતા અને નાશવંતતાનો વિરોધાભાસ છે, છતાંય બંને વચ્ચે અતૂટ સંબંધ છે. શરીર જીવતું રહે ત્યાં સુધી આત્મા તેને છોડતો નથી, પછી ભલે મનુષ્ય આત્માની ગમે તેટલી અવગણના કેમ ન કરે. જીવનની વ્યાવહારિકતા માટે અધ્યાત્મવાદ અને સંસારવાદ (ભૌતિકવાદ) બંનેની જરૂર છે. ભૌતિક સુખસગવડો પણ જોઈએ, શરીર અને ઇન્દ્રિયોને યોગ્ય ખોરાક પણ જોઈએ અને સાથે જ આત્મશક્તિના વિકાસનો પણ પ્રયત્ન થવો જોઈએ. આપણે દરરોજ પોતાનાં કાર્યોની સમીક્ષા કરતા રહીને પોતાની ચિત્તવૃત્તિઓનું શુદ્ધિકરણ કરતા રહેવું જોઈએ. શારીરિક સ્વાસ્થ્યની સાથોસાથ માનસિક સ્વાસ્થ્યનું પણ પૂરતું ધ્યાન રાખવું જોઈએ. બંને સ્વસ્થ રહે તો જ આત્મામાં શુદ્ધ અને પવિત્ર વિચોરોનો જન્મ થાય છે.
આ સત્યને સારી રીતે હૃદયમાં ઉતારી લઈને પોતાના આચરણમાં લાવવું એ જ શરીરની ઉપયોગિતા છે.
October 26, 2019 Leave a comment
યુવાઓ તથા વિદ્યાર્થીઓ માટે સંદેશ
યુવાઓ , પોતાને ઓળખો
નવજવાનો , યાદ રાખો કે જે દિવસે તમને તમારા હાથ પર અને દિલ પર વિશ્વાસ આવી જશે તે દિવસે તમારો અંતરાત્મા કહેશે કે અવરોધોને કચડી નાખીને તું એકલો ચાલ , એકલો ચાલ , તારા માથાનો પરસેવો લૂછવા માટે હવામાં શીતળ પાલવ લહેરાઈ રહ્યો છે , જે વ્યક્તિઓ ઉપર તમે આશાઓનો વિશાળ મહેલ બનાવ્યો છે તેઓ કલ્પનાના આકાશમાં વિહાર કરવા સમાન અસ્થિર , સારહીન અને કમર છે . પોતાની આશાને બીજા લોકોના ભરોસે રાખવી તે પોતાની મૌલિકતાનો નાશ કરીને પોતાના સાહસને પાંગળું બનાવી દેવા સમાન છે , જે માણસ બીજાઓની મદદથી જીવનયાત્રા કરે છે તે એકલો પડી જાય છે . એકલા પડી જતાં તેને પોતાની મૂર્ખતાનું ભાન થાય છે .
– અખંડજ્યોતિ , ફેબ્રુઆરી ૧૯૫૩ , પૃ . ૧૪ , ૧૫
October 26, 2019 1 Comment
યુવાઓ તથા વિદ્યાર્થીઓ માટે સંદેશ
સંપૂર્ણ ક્રાંતિની સંજીવની યુવાવર્ગ
કોઈ એક અંગમાં પાક થયો હોય તો ચીરો મૂકીને પરુ કાઢી શકાય છે , પરંતુ આખું શરીર જે પાકી ગયું હોય તો સંપૂર્ણ કાયાકલ્પ માટેના અચૂક ઉપચારો કરવા પડશે . આજે દેશની જે દશા છે તેના માટે નાની મોટી ક્રાંતિઓથી કામ નહિ ચાલે . એના માટે તો સંપૂર્ણ ક્રાંતિ જ કરવી પડશે . આ મહાન સાહસ દેશની યુવાપેઢી જ કરી શકશે . યુવાપેઢી પાસે મને ઘણી આશાઓ છે , તેમને ધ્યાનમાં રાખીને મેં અનેક સપનાં સેવ્યાં છે . ખૂબ ગર્વ અને વિશ્વાસની સાથે કહી શકાય કે રાષ્ટ્રની યુવાચેતના જગી જશે તો ભારતમાતા ફરીથી યશસ્વિની બનશે . યુવાપેઢીની શક્તિ પર વિશ્વાસ રાખીને જયારે હું ભવિષ્યને જોઉં છું ત્યારે મારા મુખ પર ખુશી છવાઈ જાય છે . ભારતનું ભવિષ્ય ઉજજવળ છે , પરંતુ તેની વર્તમાન દુર્દશાથી મને ભયંકર દુખ થાય છે .
– અખંડજ્યોતિ , સપ્ટેમ્બર ૨૦૬ , પૃ . ૬૪
October 26, 2019 Leave a comment
યુવાઓ તથા વિદ્યાર્થીઓ માટે સંદેશ
ધ્વંસાત્મક નહિ , પરંતુ સર્જનાત્મક ક્રાંતિ કરો
સ્વતંત્ર ભારતના યુવકો આજે એવું કહી શકે છે કે તે વખતે સ્વાધીનતા માટે રાષ્ટ્રીય ક્રાંતિની જરૂરિયાત હતી , પરંતુ આજે તો ભારત સ્વતંત્ર છે . યુવાનોએ સમયની માગને અનુરૂપ ક્રાંતિના અર્થને સમજવો જોઈએ . સામાન્ય અર્થમાં ક્રાંતિ એટલે તોડફોડ , સત્તા – પલટો તથા વ્યવસ્થામાં પરિવર્તનની પ્રક્રિયા માનવામાં આવે છે , પરંતુ આજનો યુવાન તથા સમાજ જે સમસ્યાઓથી પીડાય છે તેમના સમાધાન તથા ઉપચાર માટે ગંભીર તથા વ્યાપક ઉપચારોની જરૂર છે . તેમના સ્વરૂપ તથા ઉદેશ્યને સમજવામાં ભૂલ ન કરવી જોઈએ .
આજે વ્યક્તિત્વના શુદ્ધીકરણ દ્વારા સમાજની એક ઉદાત્ત પરિકલ્પનાને સાકાર કરવા માટે ક્રાંતિની જરૂર છે . તે બૌદ્ધિક , નૈતિક તથા સામાજિક ક્રાંતિ હશે . આજના સમયની ક્રાંતિ કોઈ રાજનૈતિક , ધાર્મિક , સાંપ્રદાયિક કે જાતિગત સ્વાર્થ દ્વારા પ્રેરિત ન હોઈ શકે . તેનો મૂળભૂત ઉદ્દેશ્ય સર્જન કરવાનો છે , ધ્વંસ નહિ , નવું ભવન બનાવવા માટે જૂના ખંડેરને તોડવાના રૂપમાં કદાચ થોડોક ધ્વંસ કરવો પડે , પરિવર્તનના આ મહાન યુગમાં યુવાઓએ દુષ્પવૃત્તિઓના કુચક્રમાંથી બહાર નીકળીને સમગ્ર ક્રાંતિ માટે આગળ આવવું જોઈએ . સમયના આ પોકારને કોઈ પણ ભાવનાશીલ તથા વિચારશીલ યુવાન એક કાનથી સાંભળીને બીજા કાને કાઢી ના શકે . આ આદર્શ માટે તેમણે પોતાના સ્વાર્થનો ત્યાગ કરવો પડશે .
કોઈપણ મહાન કાર્ય ત્યાગ વગર થઈ ન શકે . યુવાઓએ હંમેશાં સમયના પોકારને સાંભળ્યો છે . ભલે પછી તે આધ્યાત્મિક કે સાંસ્કૃતિક ક્રાંતિ હોય અથવા તો રાજનૈતિક કે સામાજિક ક્રાંતિ હોય . દરેક વખતે યુવાપેઢી જ પોતાની સુખસુવિધાઓ , પદ , પ્રતિષ્ઠા કે કુટુંબના મોહનાં બંધનોને તોડીને સાહસપૂર્વક કૂદી પડી હતી . યુગની અવ્યવસ્થા , અસુરતા , અનીતિ તથા અત્યાચારને ધ્વસ્ત કરવા માટે તેઓ સગળતા દાવાનળમાં કૂદી પડે છે . ઐતિહાસિક પરિવર્તનના આ યુગમાં યુગનિર્માણ મિશને સમગ્ર ક્રાંતિ માટે ફરીથી યુવાઓને આહ્વાન કર્યું છે .
આજે અસુરતા પૂરેપૂરી શક્તિથી સર્વતોમુખી વિનાશ કરવા માટે તૈયાર થઈ ગઈ છે . તો બીજી બાજુ સર્જનની અસીમ સંભાવનાઓ પણ પોતાના દેવા પ્રયાસમાં સક્રિય છે , માવા સમયે યુવાનો પાસે એવી આશા રાખવામાં આવે છે કે તેમને પોતાની મૂછ , જડતા , સંકીર્થ સ્વાર્થ તથા અહંનો ત્યાગ કરીને યુગના અભૂતપૂર્વ સાંસ્કૃતિક દિગ્વિજય અભિયાન સાથે જોડાઈ જાય અને આપણા સમાજ , રાષ્ટ્ર તથા વિશ્વના ઉજ્જવળ ભવિષ્યને સાકાર કરવામાં ઐતિહાસિક ભૂમિકા નિભાવે ,
– અખંડજયોતિ , ઑગસ્ટ ૧૯૭ , પૃ . ૧૭
October 26, 2019 1 Comment
સાધુ બ્રાહ્મણો માટે સંદેશ
સાધુસમાજ ગામેગામ પ્રવ્રજ્યા કરે
સજ્જનો તથા સાચા સાધુઓએ વર્ગવાદના કાદવમાંથી બહાર નીકળીને સમાજસેવાના કામમાં લાગી જવું જોઈએ . તેમણે એક સ્થળે રહીને પૂજાપાઠ કરવાના બદલે ગામેગામ તથા ઘેરેઘેર ફરીને ધર્મના ઉદ્ધાર તથા સમાજ સુધારણાનો શંખ ફૂંકવો જોઈએ . આજના મુશ્કેલીઓ ભર્યા યુગમાં અભાવો વચ્ચે જીવતી જનતાની સહજ શ્રદ્ધાનું શોષણ કર્યા વગર અને સમાજ પર બોજ બન્યા વગર તેમણે સંજ્ઞાનના પ્રચાર પ્રસારનું કામ કરવું જોઈએ . તેમણે આજના કહેવાતા સાધુઓ પર લાગેલા કલંકને ધોઈ નાખવા માટે પ્રાચીન સાધુપરંપરાને સાચા અર્થમાં અગ્રત કરીને એ સાબિત કરવું જોઈએ કે ઋષિમુનિઓના સમયની સાધુતા મરી પરવારી નથી . પ્રાચીન કાળના સાચા સાધુઓના કારણે ભારતનો ધર્મ , તેની સભ્યતા , સંસ્કૃતિ તથા સમાજ આખા સંસારમાં સર્વશ્રેષ્ઠ હતાં . સાધુસમાજને કોઈ કૌટુંબિક જવાબદારીઓ નથી હોતી . એના લીધે તેમની પાસે ભરપુર સમય હોય છે . સાધુઓ પાસે પ્રાચીનકાળની બધી જ પરિસ્થિતિઓ આજે પણ હાજર છે . તેમનો યોગ્ય ઉપયોગ કરીને તેઓ લોક તથા પરલોક બંનેને સુધારી શકે છે . આ કામ તેમણે કરવું જોઈએ , નહિ તો સંસારમાં બુદ્ધિવાદ ખૂબ ઝડપથી વધી રહ્યો છે . જો તેઓ પોતાનું કર્તવ્ય નહિ નિભાવે તો તેમની કેવી દશા થશે તે તેઓ સારી રીતે સમજી શકે છે . .
– અખંડજ્યોતિ , એપ્રિલ ૧૯૬૭ , પૃ . ૨૪ –
October 26, 2019 Leave a comment
સાધુ બ્રાહ્મણો માટે સંદેશ
બ્રાહ્મણો ! સદ્દજ્ઞાનરૂપી અમૃત વહેંચો
શાસ્ત્ર કહે છે કે વિદ્યાવાન બ્રાહ્મણ સંસારના અજ્ઞાનને પોતાના તપ દ્વારા દૂર કરે . જે લોકોને વિઘા મળી છે , બુદ્ધિ મળી છે , જેમના હૃદયમાં દયા છે , જેમના ઉદયમાં બ્રાહ્મણો જેવી તપ તથા ત્યાગની ભાવના છે તેઓ જ સાચા અર્થમાં બ્રાહ્મણ છે , ભલે પછી તેઓ કોઈ પણ જાતિ કે વંશમાં પેદા થયા હોય , એવા બ્રાહ્મણોને ગાયત્રીનો પ્રથમ સંદેશ છે કે બુદ્ધિ આ સંસારનું સર્વશ્રેષ્ઠ તત્વ છે . તે તમને ઈશ્વરની એક અમાનતના રૂપમાં મળ્યું છે . તેને તમારી શક્તિ પ્રમાણે લોકોમાં વહેંચો . તુચ્છ સ્વાર્થ છોડો અને ઈશ્વરે તમને જે યોગ્યતા અને ઈમાનદારી વહેંચવાના પદ પર નિયુક્ત કર્યા છે તે બદલ ગૌરવનો અનુભવ કરો . તમારાં કર્તવ્યોનું પાલન કરો . અજ્ઞાન તથા દુખથી વ્યાકુળ જનતાને સુખી બનાવવા માટે સજ્ઞાનરૂપી અમૃત વહેંચો અને પોતે તપશ્ચર્યા તથા પરોપકારનું સ્વર્ગીય સુખ મેળવો . હૈ બ્રામણો ! એવું ના વિચારશો કે અમે જે પરમાર્થમાં જ રચ્યાપચ્યા રહીશું તો અમારો ખર્ચો કેવી રીતે નીકળશે ? ઈશ્વર પર વિશ્વાસ રાખો અને લોકોને સદજ્ઞાન વહેંચવા તથા તેનો ફેલાવો કરવા માટે આગળ વધો . તમારા ઉત્તમ જ્ઞાન અને ઉજજવળ ચરિત્રથી અંધકાર ભરેલાં હૃદયમાં પ્રકાશ પેદા કરો . તમને પૈસાની ખોટ નહિ પડે . મનુષ્યની સાચી જરૂરિયાતો તો બહુ થોડી હોય છે . એમાંય વળી બ્રાહ્મણની જરૂરિયાતો તો સાવ ઓછી હોય છે . બાળકના જન્મ પહેલાં જે ઈશ્વર દૂધના કટોરા ભરીને તૈયાર રાખે છે તે આ સૃષ્ટિમાં હજુ પણ છે , બ્રાહ્મણત્વ પ્રત્યે અપાર શ્રદ્ધાનો ભાવ હજુ આજે પણ ટકી રહ્યો છે . તેની પર વિશ્વાસ રાખો . કાંકરા ભેગા ના કરો , પરંતુ હીરાનો વેપાર કરો .શાસ્ત્ર કહે છે કે હે બુદ્ધિજીવીઓ ! લાલચમાં ના ફસાઓ . બ્રાહ્મણને યોગ્ય કામ કરો , સંસારમાં સદજ્ઞાનનો ફેલાવો કરો .
– અખંડજયોતિ , એપ્રિલ ૧૯૪૯ , પૃ . ૯
પ્રતિભાવો