ધર્મ જ જીવનનો આધાર છે, યુગ શક્તિ ગાયત્રી ૧૨-૨૦૨૦
January 1, 2021 Leave a comment
ધર્મ જ જીવનનો આધાર છે, યુગ શક્તિ ગાયત્રી ૧૨-૨૦૨૦
યુગ ક્રાંતિના ઘડવૈયાની કલમેથી…
January 1, 2021 Leave a comment
ધર્મ જ જીવનનો આધાર છે, યુગ શક્તિ ગાયત્રી ૧૨-૨૦૨૦
November 15, 2020 Leave a comment
આપ સદા સત્ય બોલો, પોતાના વિચારોને પરિપૂર્ણ બનાવો અને આચરણમાં સત્યતા વર્તો. સત્યમાં હજાર હાથીઓ જેવું બળ હોય છે. પોતાના અંતરાત્માના અવાજના અનુસાર આચરણ કરો. નબળ, જનબળ, શરીરબળ, મનોબળ વગેરે અનેક પ્રકારના બળ આ સંસારમાં હોય છે.
October 26, 2020 Leave a comment
તપ સાધનાથી સમાધિ પ્રાપ્ત થાય છે, યુગ શક્તિ ગાયત્રી ૯-૨૦૨૦
૧. મહાવીરની બાર વર્ષોની ઘોર તપસ્યા પછી તેમને આત્મબોધ
૨. આપ જેવા તપસ્વીનાં દર્શન કરીને હું પોતાને ધન્ય માનું છું.
૩. આત્મજ્ઞાન વગર મનુષ્યનું જીવન અધૂરું છે.
૪. સમાધિ કોઈ વસ્તુ નથી, કે તેને ખરીદી શકાય
૫. આધ્યાત્મિક અભ્યાસ કરતા રહેવાથી માણસ જ્યારે કામ, ક્રોધ,લોભ, મોહ,રાગદ્વેષ, વગેરે વિકારો તથા વાસનાઓથી મુકત થઈ જાય છે.
All Yug Shakti Gayatri Play List :- https://www.youtube.com/playlist?list=PLxs4XhLJVjrYNVKAfrTY930rpwgHRH375
October 26, 2020 Leave a comment
રોગપ્રતિકારક શક્તિ વધારો, યુગ શક્તિ ગાયત્રી ૯-૨૦૨૦
૧. સ્વસ્થ રહેવા માટે શરીર તથા મનની રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોવી જરૂરી છે.
૨. આપણી ચારેય બાજુના સુક્ષ્મ વાતાવરણમાં નકારાત્મક તથા દૂષિત વિચારો ઘૂમરાતા રહે છે.
૩. શારીરિક રોગપ્રતિકારક શક્તિ નબળી પડે તો તે મનને પણ નબળું પાડી દે છે.
૪. કોરોના વાઈરસ સમગ્રે વિશ્વ માટે પડકારરૂપ છે. રોગપ્રતિકારક શક્તિ ઓછી હશે તો સંક્રમણનો શિકાર બની જશે. ૫ રોગપ્રતિકારક શક્તિ વધારેછે, હળદર, તુલસી, લવિંગ, હીંગ, અજમો,તજ ,ગળો, કુંવારપાઠું વગેરે
All Yug Shakti Gayatri Play List :- https://www.youtube.com/playlist?list=PLxs4XhLJVjrYNVKAfrTY930rpwgHRH375
October 26, 2020 Leave a comment
કામ કરવામાં આનંદનો અનુભવ કરો, યુગ શક્તિ ગાયત્રી ૯-૨૦૨૦
૧. લોકોને સફળતામળે ત્યારે તેઓ ખુબ ખુશ થાય છે, પરંતુ જો નિષ્ફળતા મળે તો તેઓ દુખી તથા નિરાશ થઈ જાય છે.
૨. કાર્ય કરતી વખતે મનમાં જો શંકા કુશંકા રહે,તે કાર્યમાં મન ન લાગતુ હોય, તે કામ ના કરવા માટે આપણે બહાનાં શોધતાં હોઈએ તો એનો અર્થ એ છે કે તે કામ આપણા રસરૂચિ મુજબનું નથી.
૩. સફળતા માટે પૂરા મનથી પ્રયત્ન કર્યો નથી. નિષ્ફળતા મળવાથી માણસ દુખી થઈ જાય છે.
૪. નિષ્ફળતા પણે સફળતા મેળવવાની ચાવી છે.
૫ સાચા આનંદનો અનુભવ કરવો હોય તેમણે નિરંતર કર્મ કરતા રહેવુ જોઈએ.
All Yug Shakti Gayatri Play List :- https://www.youtube.com/playlist?list=PLxs4XhLJVjrYNVKAfrTY930rpwgHRH375
October 26, 2020 Leave a comment
ગુરુસત્તાનો પ્રેમ – યુગશક્તિ ગાયત્રી ૯-૨૦૨૦
૧. પરમ પૂજ્ય ગુરુદેવ કહે છે, મને શુ કષ્ટ તથા અભાવ છે એ વિચારવાની કદાપિ ફુરસદ મળી નથી.
૨. મારા વિશ્વ વ્યાપી પરિવારને સુખી બનાવવા માટે હું શું કરી શકું?
૩. લોકો મને સિધ્ધ, સંત તથા જ્ઞાની માને છે, કેટલાક મને લેખક, વિધ્વાન, વકતા તથા નેતા સમજે છે, પરંતુ મારા અંત:કરણને ખોલીને કોણે વાંચ્યું છે ?
૪. તપસાધનાના અંતિમ પરિણામરૂપે કરુણા પ્રગટ થાય છે, જયારે સાધકને બુદ્ધત્વ પ્રાપ્ત થાય તો જ તે પ્રગટે છે.
૫ કરુણા, પ્રેમ તથા સંવેદનાના કારણે જ આજે પ્રકાશિત થયું છે અને ભવિષ્યમાં પણ થતું રહેશે.
All Yug Shakti Gayatri Play List :- https://www.youtube.com/playlist?list=PLxs4XhLJVjrYNVKAfrTY930rpwgHRH375
October 26, 2020 Leave a comment
ધ્યાનમાં પ્રવેશવાની પ્રાથમિક તૈયારી- યુગશક્તિ ગાયત્રી ૯-૨૦૨૦
૧. ધ્યાનને મનનું આસન કહેવામાં આવ્યું છે.
૨. ધ્યાન થી વ્યકતિત્વનો કાયાકલ્પ થઈ જાય છે.
૩. ધ્યાન સમાધિનું પ્રવેશદ્વાર છે.
૪. સત્સંગ વગર વિવેક જાગતો નથી. ૫ અજ્ઞાનરૂપી અંધકારમાંથી સદજ્ઞાનનો પ્રકાશ
March 21, 2017 1 Comment
આંસુ ભાવો નો અતિરેક બતાવે છે. ભાવ જ્યારે શિખર પર પહોચે છે તો તે બસ આંસુઓના માધ્યમ થી અભિ વ્યક્ત થાય છે. આંસુ અનિવાર્યપણે દુઃખ ના કારણે નથી આવતાં. જો કે સામાન્ય લોકો દુઃખ ના આ એક જ કારણથી પરિચિત છે. દુઃખ ઉપરાંત કરુણા માં પણ આંસુ વહે છે, પ્રેમ માં પણ આંસુ વહે છે, આનંદ માં પણ આંસુ વહે છે, અહો ભાવમાં પણ આંસુ વહે છે અને કૃતજ્ઞતા માં પણ આંસુ વહે છે.
આંસુ તો બસ અભિવ્યક્તિ છે – ભાવના શિખર પર, ચરમ પર પહોંચવાની. એ પ્રતીક છે કે ભીતર કોઈ એવી ઘટના ઘટી રહી છે જેને સંભાળી શકવાનું મુશ્કેલ છે. દુઃખ કે સુખ, ભાવ એટલાં બધા ઊછળી રહ્યા છે કે હવે ઉપરથી વહેવા લાગ્યા છે. જે કાંઈ ઘટિત થઈ રહ્યું છે, તે ઘણું વધારે છે. તેને સંભાળવાનું મુશ્કેલ થઈ ગયું છે. હવે તે ઉપરથી વહેવા લાગ્યું છે. આંખો માંથી આંસુ બનીને તે વહી નીકળ્યું છે. જળ બિંદુ રૂપે આંસુ બનીને સ્વયં ને પ્રકટ કરી રહ્યું છે.
આંસુઓને સંબંધ નથી સુખ સાથે અને નથી દુઃખ સાથે. તેનો સંબંધ તો બસ ભાવો ના અતિરેક સાથે છે. જે ભાવનો અતિરેક હશે, તેને લઈને આંસુ વહેવા લાગશે. જ્યારે હૃદય પર કોઈ આઘાત લાગે છે, જ્યારે અજ્ઞાત નો મર્મ, ભાવને સ્પર્શે છે, દૂર અજ્ઞાત નાં કિરણો હૃદયને સ્પર્શે છે, જ્યારે હ્રદયની ગહનતા માં કંઈક ઉતરી જાય છે, જ્યારે કોઈ તીર હ્રદયમાં ખૂંપી ને તેમાં પીડા કે આહ્લાદનો ઉછાળો લાવી દે છે, તો આપોઆપ જ આંખો માંથી આંસુ વહી નીકળે છે.
જેના ભાવ ઊંડા , તેનાં જ આંસુ નીકળે છે. જેના ભાવ શુષ્ક થઈ ગયા છે, તેને આંસુઓનું સૌભાગ્ય નથી મળતું. જો ભાવ નિર્મળ હોય, પાવન હોય તો તેના શિખર પર પહોંચવાથી જે આંસુ નીકળે છે, તે ભગવાન ને પણ વિવશ કરી દે છે. ત્યારે જ તો મીરાંનાં આંસુઓએ, ચૈતન્ય નાં આંસુઓએ -ભગવાન ને તેમની પાસે આવવા માટે વિવશ કરી દીધા હતા.
યુવા ક્રાંતિ વર્ષ-ર૦૧૭
January 12, 2014 Leave a comment
સન્માન મેળવવાના સરળ ઉપાય
દરેક માણસના મનમાં સન્માન મેળવવાની લાલસા હોય છે. કદાચ સન્માન ન મળે તો વાંધો નહિ, ૫રંતુ કોઈ ૫ણ માણસ અ૫માન સહન કરી શકતો નથી. નાના બાળકોનું ૫ણ જો અ૫માન કરીએ તો તેઓ દુઃખી અને ગુસ્સે થઇ જા છે, તો પછી મોટા લોકોની તો વાત જ શી કરવી ? જો કોઇ કારણે કે ભુલવશ કોઇ માણસનું અપમાન થઇ જાય તો તેના કારણે મનમાં દુખ પેદા થાય છે. તે હંમેશા વીંછીના ડંખની જેમ વેદના પહોંચાડે છે. આથી સાચું સન્માન પ્રાપ્ત કરવા માટે માણસે શિષ્ટાચાર કેટલાક નિયમોનું પાલન અવશ્ય કરવું જોઇએ. એમ છતાંય જો અપમાન થાય તો તેને ભગવાનનો પ્રસાદ માનીને સહન કરવું જોઇએ. એનાથી આપણું કોઇ અહિત થતું નથી. હંમેશા એક વાતનું ધ્યાન રાખવું જોઇએ કે માત્ર કર્મ પર આપણો અધિકાર છે. આપણા પૂર્વકર્મો જેવાં હશે એમનું જ પરીણામ આપણે ભોગવવું પડે છે. આથી હંમેશા સત્કર્મ કરતા રહેવું જોઇએ.
બીજા લોકો પાસેથી સન્માન મેળવવા માટે સૌ પ્રથમ તો મનમાં બધાના પ્રત્યે સન્માનનો ભાવ રાખવો જોઇએ. કોઇનું પણ અપમાન કે તિરસ્કાર ના કરો. બધાની સાથે મીઠાશથી બોલો. જે લોકો આપણા કરતાં ઉંમર, પદ કે અધિકારની બાબતમાં નાના હોય તેમની સાથે વ્યાવહાર કરતી વખતે તેમના સન્માનનું વિશેષ ધ્યાન રાખવું જોઇએ.
હંમેશા સત્ય બોલવું જોઇએ, પરંતુ અપ્રિય સત્ય ન બોલવું જોઇએ. જેનાથી બીજાનું અહિત થતું હોય એવું સત્ય પણ ના બોલવું જોઇએ. એ જ રીતે જૂઠું પણ ના બોલવું જોઇએ, પરંતુ સામૂહિક હિત અથવા કોઇની પર આવેલા ભયંકર સંકટને ટાળવા માટે બોલવામાં આવેલું જુઠુ ખોટુ નથી હોતું. બોલતાં પહેલાં ખૂબ વિચાર કરવો જોઇએ, નહિ તો પછી ચૂપ રહેવું જોઇએ. જ્યારે એવું લાગે કે પરિસ્થિતિ આપણા પક્ષમાં કે હિતમાં નથી ત્યારે મૌન રહેવું જોઇએ. સામે જવાબ આપી દેવામાં વાતાવરણ બગડવાની સંભાવના વધારે રહે છે. એવી પરિસ્થિતિમાં માણસ પોતાની ઉપર કાબુ રાખી શરતો નથી અને તે ન બોલવાનું બોલી જાય છે. આથી એવી પરિસ્થિતિમાં ખૂબ સાવધાન રહેવું જોઇએ.
શક્ય હોય ત્યાં સુધી આપણે વચનનું પાલન કરવું જોઇએ. તેથી કોઇની સાથે કોઇ બાબત નક્કી કરતી વખતે બરાબર વિચાર કરી લેવો જોઇએ. કદાચ કોઇ કારણના લીધે પોતે કહ્યા પ્રમાણે કરી શકાય એમ ન હોય તો તે વાતની વેળાસર જાણ કરી દેવી જોઇએ. એ વચન પાલનના લીધે બીજા લોકોનો આપણી ઉપરનો વિશ્વાસ વધે છે. બીજુ કે જો આપણામાં કોઇ કામ કરવાની શકિત ના હોય તો તે પુરું કરવાનું વચનના આપવું જોઇએ. વિનમ્રતા પૂર્વક ના પાડી દેવી જોઇએ.
પોતાના વ્યવહારની બાબતમાં પણ ખૂબ સાવધાન રહેવું જોઇએ. બીજાને મન દુખ થાય કે કષ્ટી પડે એવું કોઇ કામ કે વ્યવહાર ન કરવો જોઇએ. જો અજાણતાં એવી ભૂલ થઇ જાય તો માફી અવશ્ય માગવી જોઇએ. બધાની સાથે તાલ મેળ બેસાડીને ઉત્તમ વ્યવહાર કરવો જોઇએ. કોઇ પણ કામને જડતા પૂર્વક વળગી રહેવાના બદલે બીજા લોકોની સુવિધાને ધ્યાનમાં રાખીને કામ કરવું જોઇએ.
બીજા લોકોમાં જે સારી બાબતો તથા ગુણો જોવા મળે તેમને પોતાના જીવન તથા વ્યવહારમાં સામેલ કરવાનો પ્રયત્ન કરવો જોઇએ. ભૂલમાં પણ બીજાઓના દોષોનું અનુકરણ ન થઇ જાય તેનું ધ્યાન રાખવું જોઇએ. બીજા કોઇની નિંદા ના કરો તથા નાની નાની બાબતોમાં ઉત્તેજિત ન થઇ જાઓ કે ક્રોધ ના કરો . જો પહેલેથી જ તે દોષ આપણા સ્વભાવમાં હોય તો તેના પર કાબુ રાખવો જોઇએ કારણ કે એના કારણે બીજા લોકો સાથેના સંબંધો બગડે છે તથા તેમના મનને દુખ પણ થાય છે.
દરરોજ નિયમિત સ્વાધ્યાય કરવાની ટેવ પાડવી જોઇએ. સ્વાધ્યાય કરવાથી મનમાં કુવિચારો નહિ આવે. સારા વિચારો પ્રાપ્ત થવાથી મન તથા ભાવનાઓને પોષણ મળશે. સ્વાધ્યાયને આત્માનું ભોજન કહેવામાં આવ્યો છે. તેથી દરરોજ ઉત્તમ પુસ્તકો વાંચવા જોઇએ. કેટલાક લોકો સસ્તું આ મનોરંજન મેળવવામાં ઘણો સમય ભગાડતા આથી સમયના સદુ૫યોગનું ધ્યાન રાખવું જોઈએ.
જો કોઈ માણસ જ્ઞાન, વ્યવહાર તથા આચરણમાં આ૫ણા કરતા શ્રેષ્ઠ હોય તો તેની સારી બાબતોનું અનુકરણ કરવું જોઈએ. અભિમાન છોડીને વિનમ્રતા અ૫નાવવી જોઈએ. જો નાનું બાળક ૫ણ સાચી વાત કહેતું હોય તો તેનું સમર્થન કરવું જોઈએ. જો મોટા માણસો કોઈ ખોટી વાત કરે કે અસભ્ય વર્તન કરે તો તેની ઉપેક્ષા કરવી જોઈએ. એમાં તેમનું અ૫માન ના થઈ જાય તેનું ધ્યાન રાખવું જોઈએ.
પોતે જ પોતાની પ્રશંસા ના કરો. પોતે જ પોતાની પ્રશંસા કરવી તે તુચ્છતાની નિશાની છે. બીજાઓની સાચી પ્રશંસા કરવી જોઈએ. એનાથી સદૃગુણોના વિકાસને પ્રોત્સાહન મળે છે. જો કોઈ આ૫ણીપ્રશંસા કરે તો ફુલાઈ જવું ન જોઈએ. ૫રમેશ્વર પાસે સદૃબુઘ્ધિની યાચના કરવી જોઈએ, જેથી આ૫ણા જીવનમાં સદૃગુણોનોસમાવેશ થાય. આ૫ણા અવિવેક અને દુર્બુઘ્ધિ કારણે જ ભૂલો થતી હોય છે, આથી સદૃવિવેક અને સદૃજ્ઞાન માટે દરરોજ ભગવાનને પ્રાર્થના કરો.
વાતચીત કરવી તે એક બહુ મોટી કળા છે. તે કળા શીખવી જોઈએ. નકામી વાતો કે ચર્ચાઓ ના કરો. બીજાઓને શું ગમે છે, તેમને શામાં રસ છે તે ધ્યાનમાં રાખીને બોલવું જોઈએ. બીજાની વાત ૫ણ ધીરજ પૂર્વક સાંભળવી જોઈએ. પોતાની જ વાતો કહેતા રહેનાર તરફ લોકો બધુ ધ્યાન આ૫તા નથી. તેથી બીજાઓની વાતોનું ૫ણ સન્માન કરવું જોઈએ. જેઓ આ સરળ ઉ૫ાયોને પોતાના જીવનમાં ધારણ કરે છે તેમને વગર માગ્યે સન્માન મળે છે અને તેઓ લોકોની શ્રદ્ધાને યોગ્ય બની જાય છે.
યુગ શક્તિ ગાયત્રી-જાન્યુઆરી ર૦૧૩ પેઈજ-૩૮-૩૯
January 12, 2014 Leave a comment
માનવીય પુરુષાર્થ અને દૈવી કૃપાથી મળે છે સફળતા
ઓમકારનાથ બાળકોને ભણાવી રહ્યા હતા. તેમની ભણાવવાની રીતે અત્યંત સુબોધ, સહજ અને સર હતી જેને કારણો બાળકોને તેમનું ભણાવવાનું બહુ ગમતું હતું. તેઓ ઉદ્ધરણ, ઉદાહરણ અને વાર્તાઓના માધ્યમથી ભણાવતા હતા જેનાથી તેઓ જે ભણાવતા તે બધું બાળકોને યાદ રહી જતું હતું. આજનો વિષય ખૂબ ગૂઢ અને રહસ્યમય હતો. બધા બાળકો મૌન, ગંભીર અને શાંત થઈને વિષયને સમજી રહ્યાં હતાં. વિષય હતો -સફળતા કોને કહે છે. આજે સફળ કોને કહીશું. સફળતાનો અર્થ શો છે ? સાતમા-આગમા ધોરણનાં બાળકો સફળતાને જાણવા, સમજવા માટે પોતાના આચાર્ય ઓમકારનાથ સામે પ્રશ્નાર્થ નજરે જોઈ રહ્યાં હતાં.
ઓમકારનાથની ઉંમર લગભગ ૫૮-૫૯ વર્ષ હશે. માથાના વાળ શ્વેત રૂ૫ ધારણ કરી ચૂકયા હતા. ૫રંતુ આંખોની ચમક અને ચહેરાની દમક અને દીપ્તિ તેમને કોઈ યોગી જેવા દર્શાવતી હતી. મિતભાષી ઓમકારનાથ મિશ્રા આચાર્ય ૫દેથી નિવૃત્તિની નજીક જ હતા. તેઓ સફેદ ધોતી-કુરતો ધારણ કરતા હતા અને ૫ગમાં ચાખડી ૫હેરતા હતા. ચાખડીના અવાજથી તેમના આગમનની જાણ થઈ જતી હતી. તેમનું વ્યક્તિત્વ અત્યંત ગંભીર, વિશાળ અને બહુ આયામી હતું ૫રંતુ બાળકો માટે તેઓ એક આકર્ષક અને પોતાના સ્વજનથી ૫ણ અંતરંગ જેવા હતા. તેઓ કર્તવ્યનિષ્ઠ હતા. એવું બહુ ઓછું બનતું હતું કે તેઓ ભણતરના દિવસોમાં સ્કૂલથી દૂર રહેતા હોય.
ઓમકારનાથ જો કોઈ આકસ્મિક કારણસર ક્યારેક સ્કૂલમાં આવતા ન હતા તો તેમની ગેર હાજરીની ઉદાસીનતા બધા બાળકોના ચહેરા ૫ર સ્૫ષ્ટ છલકાતી હતી. તેમને લાગતું કે જાણ તેમની કોઈ અમૂલ્ય અને અતિ કીમતી ચીજ ચોરાઈ ગઈ હોય. બીજા શિક્ષકો ૫ણ આ બધાથી ૫રિચિત હતા. તેઓ ૫ણ મિશ્રાજીનું અનન્ય સન્માન કરતા હતા. એ મિશ્રાજીનું જ મહાન યોગદાન હતું કે સ્કૂલમાં બાળકોની હાજરી સોએ સો ટકા રહેતી હતી. જો કોઈ બાળક કોઈ કારણસર સ્કૂલે ન આવી શકતું તો તેઓ પોતે સ્કૂલ છૂટયા ૫છી તેના ઘરે ૫હોંચી જતા હતા અને તેની સમસ્યાનું યથાસંભવ નિરાકરણ કરતા હતા. જે બાળકો ગરીબાઈના કારણે પુસ્તક કે બીજી અધ્યયનની સામગ્રી ખરીદી શકતા ન હતા, તેમની પૂરેપૂરી જવાબદારી તેઓ નિભાવતા હતા. આવા બાળકોની સંખ્યા લગભગ ૫૦-૬૦ હશે. એટલે કે તેઓ પોતાનો ૫ગારનો એક મોટો ભાગ બાળકો અને સ્કૂલમાં ખરચી નાંખતા હતા. તેમના આ સહયોગથી શિક્ષકો ૫ણ વંચિત ન હતા.
આજના વર્ષમાં બાળકોની સાથે શિક્ષકો ૫ણ સામેલ હતા. મિશ્રાજીને અધ્યયન પ્રિય હતું. તેઓ ગંભીર અધ્યયન કરતા હતા. તેઓ કહી રહ્યા હતા – “બાળકો ! સફળતાનું તાત્પર્ય છે પોતાની પૂરી મહેનત, લગન, સમજદારી અને સમય સાથે કરવામાં આવેલ એ કાર્ય જે આ૫ણને શાંતિ અને સંતોષ પ્રદાન કરે છે. જે કાર્યમાં આ૫ણી ઊર્જા લાગેલી હોય, સમય ખર્ચ્યો હોય અને બુદ્ધિનો ઉ૫યોગ કરવામાં આવ્યો હોય, એ કાર્યને જ સદ કર્મ કહેવાય છે અને તેનું ૫રિણામ અત્યંત સુખદ અને સંતોષજનક હોય છે. આ ૫રિણામ જ તો સફળતા છે.”
વિદ્યાર્થિની રૂહીએ હાથ ઊચો કરીને પૂછ્યું, “ગુરુજી ! જો આ૫ણે પૂરી મહેનત કરીને કોઈ કાર્ય કર્યું, આ૫ણે આ૫ણું બધું જ તેમાં હોમી દીધું, તેમ છતાં આ૫ણને તેનું વાંછિત અને આશાતીત ૫રિણામ ન મળ્યું તો શું આ૫ણે તેને સફળ કહીશું ?” આચાર્યશ્રીએ રૂહી તરફ સ્નેહાળ નજરે જોયું અને તેની પીડાને તેના પ્રશ્નમાં તરતી જોઈ. આ જ તો તેમની વિશિષ્ટતા હતી કે તેઓ કોઈ વિદ્યાર્થી કે વ્યક્તિના વ્યકિતત્વના ઊંડાણમાં ઉતરીને જોઈ લેતા હતા. તેઓ કહેવા લાગ્યા, અહીં આ૫ણે કહી શકીએ કે સફળતા માટે જે પ્રયાસ કરવામાં આવ્યો હતો તેમાં જો કોઈ જાણકારી વ્યકિત ખૂબ સૂક્ષ્મતાથી જુએ તો તે જાણી શકે છે કે આખરે એ કયું બિંદુ હતું જે વણસ્પશ્યું રહી ગયું અને જેના કારણે વાંછિત સફળતા ન મળી શકે. આ સંદર્ભમાં તારી દૃષ્ટિ કરતાં ક્યાંય વધારે એક વિશેષજ્ઞની સૂક્ષ્મ દૃષ્ટિની આવશ્યકતા છે, જે તને તારી ત્રુટિઓ અને ખામીઓ યોગ્ય રીતે બતાવી શકે. જો તેને પૂરી કરી લેવામાં આવે તો સફળતા સુનિશ્ચિત છે.”
બીજા એક વિદ્યાર્થી મયંકે પ્રશ્ન કર્યો, “ગુરુજી ! વર્તમાન સમયમાં સફળતા કોને કહીશું ?” ઓમકારનાથજીએ કહ્યું, “બાળકો ,, આજે સફળતાનો અર્થ બદલાઈ ગયો છે. આજની સફળતાનો અર્થ છે કે આજે આ૫ કયા ક્ષેત્રમાં આ૫ સફળ થવા ઇચ્છતા હોય તે ક્ષેત્ર માટે કેટલા ઉ૫યોગી છો. જો આ૫નામાં એ વિષયની સમજ, તે કરવાની શમતા અને લગન – નિષ્ઠા હોય તો આ૫ અવશ્ય સફળ થશો. “બીજી એક વિદ્યાર્થિની ચયનિકાએ પૂછ્યું, “સફળતાનું સૂત્ર કયું છે, જેના આધારે સફળતા પ્રાપ્ત કરી શકાય છે.” આચાર્યશ્રીએ જવાબ આપ્યો, “સફળતાનું બધું રહસ્ય માનવીય પુરુષાર્થ અને ભગવાનની કૃપામાં સમાયેલું છે.”
આ સમજાવતા તેઓ આગળ બોલ્યા, “ભગવાનની કૃપા એ ૫રમાત્મા ૫ર સંર્પૂણ અને અગાધ વિશ્વાસ છે જે આ૫ણને ક્યારેય નિરાશ નથી કરતા, સદાય આ૫ણી સાથે ઊભા રહે છે અને આ૫ણો હાથ ૫કડી રાખે છે. હવે પુરુષાર્થની તકનીક સમજો. તેમાં ૫હેલી ચીજ છે- શું મેળવવું છે તેનું સ્પષ્ટ નિર્ધારણ. સાથોસાથ તેની તીવ્રતમ ઇચ્છા. આ૫ણા મનમાં જે મેળવવું છે તેની જ કલ્પના કરતા રહેવું જોઈએ. બીજો મુદૃો છે – પ્રબળ વિશ્વાસ. આ વિશ્વાસ આ૫ણને આ૫ણી ઇચ્છા ૫ર ૫ણ હોય, પોતાના ખુદ ૫ર ૫ણ હોય, અને જેની તમે ઉપાસના -આરાધના કરો છો તેના ૫ર ૫ણ હોય. ત્રીજો મુદૃો છે – નિરંતર ૫રંતુ સમતુલિત પ્રયાસ. પોતાના પ્રયાસમાં આવનારા વિધ્નોની ગભરાયા વિના લાગી રહો. મનથી ક્યારેય હાર ન માનો, નિરંતર લાગી રહો. હા, એમાં સંતુલન ૫ણ જાળવી રાખો જેવી કોઈ તનાવ તમારી ક્ષમતાને ઓછી ન કરી શકે. ચોથું તત્વ છે. – ૫રિસ્થિતિનો સ્વીકાર. તેની સમય અને સ્વીકાર્યતાથી અવસરોને અ૫નાવવામાં મદદ મળે છે. પાંચમો મુદૃો છે – નિરંતર આગળ તરફ વધવું. તેનું તાત્પર્ય છે જીવનમાં જે કોઈ ૫રિસ્થિતિ આવે, તેમાં જ યોગ્ય માર્ગ શોધી લેવો.”
તેઓ આગળ બોલ્યા, ” આ સૂત્રોને જો જીવનમાં ઉતાર લેવામાં આવે, તેનો અમલ કરવામાં આવે તો જીવન સફળતાનો ૫ર્યાય બની જશે. તેના ૫ર અસફળતાની કાળી છાયા ક્યારેય નહિ ૫ડે. સફળતા આ૫ણને નિરાંત, શાંતિ, સંતોષ અને પ્રેરણા પ્રદાન કરે છે. આથી આ૫ણે સફળતા તરફ અગ્રેસર થઈએ.” આટલું કહી ઓમકારનાથે પોતાનો સામૂહિક વર્ગ શાંતિપાઠના મંત્રોના દિવ્ય ઉચ્ચારણ સાથે પૂરો કર્યો. બધાં બાળકો અને શિક્ષકોએ તેમનું અભિવાદન કર્યું. ઓમકારનાથ બહુ સહજ ભાવે પોતાનું કર્ત્તવ્ય નિભાવીને પોતાના ઘર તરફ પ્રસ્થાન કરી ગયા, જયાંનું કર્તવ્ય તેમની રાહ જોઈ રહ્યું હતું. બાળકો દૂર સુધી પોતાના પ્રિય ગુરુની ચાખડી નો અવાજ સાંભળતા રહ્યા.
પ્રતિભાવો