૭૪. વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૧૦/૫૭/૧,અથર્વવેદ ૧૩/૧/૫૯ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ

વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૧૦/૧૧૭/૬ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ

મા પ્રગામ પથો વયં મા યજ્ઞાદિન્દ્ર સોમિનઃ । માન્ત સ્થુર્નો અરાતયઃ ॥ (ઋગ્વેદ ૧૦/૫૭/૧,અથર્વવેદ ૧૩/૧/૫૯)

ભાવાર્થ : ધનથી મોટે ભાગે લોકોમાં પ્રમાદ આવી જાય છે અને તેનાથી લોકો કુમાર્ગગામી બની જાય છે. એટલે ધન તો મેળવો, પરંતુ તેનાથી અભિમાની બનવાના બદલે દાનવીર બનો.

સંદેશ : લોકો સન્માર્ગે ચાલે ત્યારે સમાજની પ્રગતિ થાય છે. અસત્ માર્ગ હંમેશાં વિનાશનું કારણ બને છે. સન્માર્ગ અપનાવવાથી સમાજમાં નૈતિકતા, પવિત્રતા અને શુદ્ધતા આવે છે. સમાજમાં જો અપવિત્રતા અને અનૈતિકતા હશે, તો તે દરેક માણસ સુધી પહોંચીને તેનામાં દોષો પેદા કરશે. તેથી ક્યારેય પણ અસત્ માર્ગને પ્રોત્સાહન આપવું જોઈએ નહિ.

સમાજના જે દુશ્મનો છે તેમની ગણતરી મોટે ભાગે શોષણખોર અને સ્વાર્થી વર્ગમાં જ થાય છે. આવાં તત્ત્વો સમાજને કમજોર બનાવી દે છે. સમાજના આવા દુશ્મનોને બને તેટલા જલદીથી બહાર કાઢી મૂકવા જોઈએ. સમાજમાં બધા મનુષ્યોએ ભગવાનના દિવ્ય ગુણોનો સ્વીકાર કરીને સન્માર્ગ પર ચાલવું જોઈએ અને યજ્ઞીય ભાવનાથી બધાની ઉપર ઉપકાર કરવા માટે પુરુષાર્થ કરતા રહેવું જોઈએ. દરેક મનુષ્ય નુકસાન કરનાર કે દુઃખ આપનાર પાપકર્મોથી પોતાની જાતને બચાવવી જોઈએ અને ધર્મપાલન તથા સંયમના સરળ અને લાભદાયક માર્ગે જ આગળ વધતા રહેવું જોઈએ.

આવા પુરુષાર્થી અને સંયમી જીવન દ્વારા જે સહાય અને વરદાનો પ્રાપ્ત થાય તેમને ઈશ્વરની કૃપા માનીને અહંકારથી બચવું જોઈએ. બધું જ પરમાત્માનું છે. આપણે માત્ર એના ચાકર છીએ. તેણે જે કાર્ય માટે આપણી પસંદગી કરી છે તે કાર્ય પૂરા મનોયોગ સાથે કરવું જોઈએ અર્થાત્ તેણે આપણને જે કંઈ આપ્યું છે તે બધું તેનું જ છે. જ્યારે આપણે એ ધનને આપણું માનવાની ભૂલ કરીએ છીએ ત્યારે મનમાં અહંકાર આવી જાય છે. તે હકીકતમાં આપણી ક્ષુદ્રતા જ પ્રગટ કરે છે.

આપણે જે કાંઈ કમાઈએ છીએ તેનો એક અંશ ધર્મ માટે દાનમાં આપવાનું વિધાન છે. ‘ધર્માય યશસેડર્થાય આત્મને સ્વજનાય ચ’ કમાણીને આ રીતે પાંચ ભાગમાં વહેંચી દેવી જોઈએ. દાન કરતી વખતે પાત્ર કે કુપાત્રનું ધ્યાન ચોક્કસ રાખવું જોઈએ. આપણે દાન આપીએ છીએ તેમાં કોઈની ઉપર ઉપકાર કરતા નથી, પરંતુ તે તો આપણી ઉપર જ ઉપકાર થાય છે. દાન કરતી વખતે આપણે કોઈ આકાંક્ષા રાખવાના બદલે નિરપેક્ષ ભાવ રાખવો જોઈએ. પ્રતિફળની આશાથી દાન ન કરવું જોઈએ. દાન આપ્યા પછી તેના ફળ સ્વરૂપે માનસન્માન મળે, પદ મળે, પ્રતિષ્ઠા મળે કે પછી આપણું નામ લોકોમાં પ્રખ્યાત થાય, ચારેબાજુ આપણી કીર્તિ ફેલાય, આવી બધી અભિલાષાઓ રાખવી સાવ નકામી છે.

દાન આપવા માટે ધીરજ અને આત્મવિશ્વાસ ખૂબ જ જરૂરી છે, જેને એવો વિશ્વાસ છે કે મારામાં પૂરતું કમાઈ લેવાની યોગ્યતા છે તેવા માણસો જ દાન આપી શકે છે. જેઓ અયોગ્ય અને સામર્થ્ય વગરના છે તેવા લોકો ધન પર કબજો જમાવીને બેસી જાય છે. દાન આપતી વખતે આપણા મનમાં સેવકનો ભાવ હોવો જોઈએ. હજાર માથાવાળા, હજારો હાથવાળા, હજારો પગવાળા સમાજપુરુષનું આપણે ‘પત્ર પુષ્પ ફલૂં તોયં’ પૂજન કરી રહ્યા છીએ એવો ભાવ અંતઃકરણમાં હોવો જોઈએ, કદાચ ઈશ્વરના અસ્તિત્વને કોઈ ન પણ માને, પરંતુ સમાજના અસ્તિત્વ અને મહત્ત્વને તો કોઈ ક્યારેય નકારી શકે નહિ. સમાજની પ્રગતિમાં જ આપણી પ્રગતિ રહેલી છે.ઈમાનદારીપૂર્ણ જીવન જીવવું પ્રચંડ ઇચ્છાશક્તિ દ્વારા જ શક્ય બને છે. આત્મબળ અને ઈમાનદારી સાત્ત્વિક  જીવનરથનાં બે પૈડાં છે. પ્રત્યેક માનવીએ પ્રગતિ માટે, જીવનમાં સુખ, શાંતિ અને કીર્તિ માટે આ માર્ગ પર ચાલવાનો પ્રયત્ન કરવો જોઈએ. પોતે પણ ઈમાનદારી, પુરુષાર્થ અને પરમાર્થનું પાલન કરીને અને બીજાઓત્તે પણ તે માર્ગે ચાલવા પ્રેરિત કરવા જોઈએ.

પ્રચંડ આત્મબળથી જ મનુષ્યમાં અનીતિની સામે સંધર્ષ કરવાનું સામર્થ્ય જાગે છે. અનીતિપૂર્વક ધન કમાવાના પ્રલોભનથી પોતાને મુકત રાખવામાં સફળતા મળે છે. બધા લોકો જાણે છે કે સારી બાબતો ક૨તાં ખરાબ બાબતોનું આકર્ષણ તીવ્ર હોય છે અને તે આક્રમણ ઘણી તેજ ગતિ અને દઢતાથી થાય છે. એકવાર તેની જાળમાં ફસાયા પછી તે કીચડમાંથી બહાર નીકળવું બહુ અઘરું થઈ જાય છે. જ્યારે મનુષ્ય પોતાના આત્મબળમાં વૃદ્ધિ કરતો રહીને દૈવી ગુણોને પોતાના આચરણમાં ઉતારી લે છે ત્યારે તેનામાં દેવાસુરસંગ્રામમાં રાક્ષસી શક્તિઓને કચડી નાખવાનું સામર્થ્ય આવે છે. ધીરજ અને માનસિક એકાગ્રતા રાખીને આપણે હંમેશાં આત્મનિરીક્ષણ કરવું જોઈએ અને પોતાની દુષ્પ્રવૃત્તિઓને દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ.

જીવનલક્ષ્યની પ્રાપ્તિનો આ જ રાજમાર્ગ છે.

૭૩. વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૧૦/૧૧૭/૬ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ

વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૧૦/૧૧૭/૬ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ

મોધમન્નં વિન્દતે અપ્રચેતાઃ સત્યં બ્રવીમિ વધ ઇત્સ તસ્ય । નાર્યમણં પુષ્યતિ નો સખાયં કેવલાધો ભવતિ કેવલાદી ।। (ઋગ્વેદ ૧૦/૧૧૭/૬)

ભાવાર્થઃ કુબુદ્ધિવાળા મનુષ્ય પાસે ધન ભેગું ન થવું જોઈએ. એનાથી તે પોતાના સાથીદારોનું હિત કરતો નથી. જે એકલો તેને ભોગવે છે તે ચોક્કસ ચોર જ છે અને પાપનો ભાગીદાર બને છે.

સંદેશ : ધનથી મનમાં લોભ,મોહ,મદ અને અહંકારની ભાવના પેદા થાય છે. ખૂબ જ બુદ્ધિશાળી લોકો પણ એની જાળમાં ફસાઈ જાય છે, તો પછી કુબુદ્ધિવાળા મનુષ્યોની તો વાત જ શી કરવી ? તેઓ તો ધન પ્રાપ્ત કરીને પાગલ બની જાય છે અને યોગ્ય-અયોગ્યનો વિચાર કર્યા વિના ભોગવિલાસમાં ડૂબી જાય છે. સંસારમાં ચારે બાજુ પાપી બુદ્ધિવાળા અનેક માણસો જોવા મળે છે કે જેમની પાસે અન્ન, ધન તથા બીજી અનેક પ્રકારની ભોગસામગ્રીનો ભંડાર ભરેલો હોય છે. પ્રત્યક્ષ રીતે જોઈએ તો તેઓ ખૂબ જ ધનવાન અને સુખી દેખાય છે, પરંતુ ખરેખર શું એવું હોય છે ખરું ? ના, એવું નથી. બધીય ભોગવસ્તુઓને તેઓ ભોગવી શકતા નથી, પરંતુ એ સામગ્રી જ તેમનો ભોગ લઈ લે છે. આ બધી જ ધનસંપત્તિ હકીકતમાં તો સુંદર અને મનમોહક રૂપધારણ કરીને આવેલા તેમના કાળ સમાન જ છે. પાપી અને કુબુદ્ધિવાળા માણસોની પાસે એકઠી થયેલી ભોગવિલાસની ચીજવસ્તુઓ તેમના મૃત્યુ સમાન છે.

આવો માનવી એ ધનનો સદુપયોગ કરવામાં હંમેશ અસફળ જ રહે છે. બધા જ ધનને તે ખાવાપીવામાં અને ભોગવિલાસમાં બરબાદ કરી નાખેછે. યજ્ઞીય ભાવનાની તેનામાં સંપૂર્ણ ખોટ વરતાય છે. આવો મનુષ્ય એ ધન દ્વારા સંસારના કોઈપણ પ્રાણીનું પોષણ કરતો નથી અને કોઈ પરમાર્થ કાર્ય માટે પણ તે ધનને વાપરી શકતો નથી.

જો આવો મનુષ્ય યજ્ઞ વગેરે કાર્યોમાં, સંસારનાં હિતકારી કાર્યોમાં પોતાના ધનનો ઉપયોગ કરે તો એ જ સંપત્તિ તેના માટે અમૃત સમાન પવિત્ર અને પુણ્યફળ આપનારી બની જાય છે. સમાજમાં ફેલાયેલી ખરાબ પ્રવૃત્તિઓ અને કુરિવાજોનો જન્મ પાપકર્મો દ્વારા કમાયેલા ધન દ્વારા જ થાય છે. એનાથી લોકોમાં ગુનાખોરીની પ્રવૃત્તિઓ પણ વધતી જાય છે. અનાચાર અને દુરાચારને પોષણ મળે છે તથા અરાજકતા ફેલાય છે.

એક્લો જભોગવનાર, બીજાઓને ખવડાવ્યા વગર માત્ર પોતે જ ખાનાર મનુષ્ય પાપનો ભાગીદાર બનેછે. જ્યારે ચારે બાજુએ અસંખ્ય માનવીઓને એક ટંકનું ભોજન પણ પૂરતું ન મળી શકતું હોય, ભૂખ્યા, કપડાં વગરના ઝૂંપડીમાં પડી રહીને પીડા ભોગવી રહ્યા હોય ત્યારે બીજી બાજુ શીરો પૂરીનાં મિષ્ટાન્ન ખાનાર અને ભોગવિલાસનું જીવન જીવનાર માણસથી વધારે મોટો પાપી બીજો કોણ હોઈ શકે? આવા મનુયોને બહારથી જોવામાં આવેતો ખૂબ જ સુખી અને મજામાં હોય તેવા લાગેછે, પરંતુ તેમને ધ્યાનપૂર્વક જોવામાં આવે તો તેઓ માત્ર પોતાનાં પાપોને જ ભોગવે છે અને માત્ર પાપના ભાગીદાર બનેછે. આવા મનુષ્યો પોતાનાં પાપોના પોટલાનો ભાર એકલા જ ઊંચકીને ફરે છે. સંસારમાં જ્યારે તેમને જરૂર પડે ત્યારે કોઈ જ મદદ કરતું નથી અને તે સમાજથી તરછોડાઈને એકાકી જીવન જીવે છે.

શરીર, મન અને આત્માને તૃપ્ત કરનાર સાચું ભોજન (ધન) અને ખૂબ જ ઝડપથી વિનાશ તરફ પહોંચાડી દેનારા પાપયુક્ત ભોજન(ધન) નો ભેદ પારખી શકવાની વિવેકબુદ્ધિ આપણામાં જાણવી જોઈએ. પાપથી પ્રાપ્ત કરેલ શીરોપૂરી ખાવા કરતાં લૂખોસૂકો રોટલો ખાવો કે પછી ભૂખ્યા રહેવું હજારગણું શ્રેષ્ઠ છે.

ધન મોત પણ બની શકે છે અને અમૃત પણ બની શકે છે.

૭૨. વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૧૦/૧૧૭/૧ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ

વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૧૦/૧૧૭/૧ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ

ન વા ઉ દેવાઃ ક્ષુધમિદ્વધં દદુરુતાશિતમુપ ગચ્છન્તિ મૃત્યવઃ । ઉતો રયિ: પૃણતો નોપ દસ્યત્થુતાપૃણન્મરર્ડિતારં ન વિન્દતે (ઋગ્વેદ ૧૦/૧૧૭/૧)

ભાવાર્થ : ધનની ઉપયોગિતા દુઃખીઓનો અભાવ દૂર ક૨વામાં છે. એટલા માટે તે કાર્ય હંમેશાં ચાલુ રાખવું જોઈએ. કૃપણ, કંજૂસ તથા સંગ્રહવૃત્તિવાળા મનુષ્યો હંમેશાં દુ:ખી થાય છે. ધનની સંઘરાખોરી ભય અને શંકા પેદા કરે છે. આથી પોતાની જરૂરિયાતોમાંથી બચેલું ધન સમાજને અર્પણ કરવું જોઈએ.

સંદેશ : ૫રમેશ્વરે મનુષ્યને ભૂખ નહિ, પરંતુ તેના રૂપમાં મોત જ આપી દીધું છે. દરેક પળે બસ ભૂખ, ભૂખ અને ભૂખ જ. ન જાણે કેટલાય પ્રકારની ભૂખ તેને સતાવે છે. માત્ર પેટ ભરવા માટે ભોજનની ભૂખ નહિ, પરંતુ ધનસંપત્તિની ભૂખ. પદ અને પ્રતિષ્ઠાની ભૂખ, ઇન્દ્રિયોની ભૂખ, અહંકારની ભૂખ, તેની આ બધી ભૂખ ક્યારેય તૃપ્ત થતી નથી. સંસારમાં જે કંઈ છે તેના પર એ પોતાનો કબજો જમાવવા માટે વ્યાકુળ ૨હે છે. આવી સંગ્રહની વૃત્તિ રાખનાર હંમેશાં કષ્ટ ભોગવે છે. ધન કમાવામાં, કમાયા પછી તેને વધારવામાં, ત્યાર બાદ તેનું રક્ષણ કરવામાં અને વાપરવામાં, તેનો નાશ કરવામાં અને ઉપભોગ કરવામાં મનુષ્યને ઘણો બધો પરિશ્રમ કરવો પડે છે. તેને દરેક પ્રકારનો ભય, ચિંતા અને ભ્રમ રહે છે. ધન કમાવામાં દુઃખ, કમાયા પછી સાચવવામાં દુઃખ, ધનનો નાશ થઈ જાય તો દુ:ખ, વળી ખર્ચાઈ જાય તો પણ દુઃખ, આમ દરેક રીતે એ દુઃખનું જ કારણ બને છે.

ધનની સાર્થકતા તેના સંગ્રહમાં નથી, પણ સદુપયોગમાં છે. પોતાની જરૂરિયાતો સંતોષાઈ જાય પછી બાકીનું ધન સમાજને સમર્પિત કરી દેવું  જોઈએ. ત્યાગ કરીને ભોગવવું એ વેદનો આદેશ છે. પહેલાં બીજાઓને ખવડાવી પછી પોતે ખાઓ. જેની પાસે છે તેમણે જરૂરિયાતવાળા લોકોને આપી દેવું જોઈએ. આપણે એકલા જ નથી, પરંતુ આપણું જીવન સમગ્ર જનસમુદાય સાથે જોડાયેલું છે. આપણી ઉ૫૨ સમાજનું અને રાષ્ટ્રનું ઋણ છે, જે આપણે ચૂકવવાનું છે. જો આપણે આ તત્ત્વને સમજી લઈશું તો પછી આપણા મનમાંથી એવો ભય દૂર થઈ જશે કે બીજાઓને દાન આપવાથી આપણું ધન ઓછું થઈ જાય છે. આપણે જે પાત્રને ધન આપીએ છીએ તે આપણો જ અંશ છે – આત્મવત્ સર્વભૂતેષુ. તે દાનથી જે જરૂરિયાત પૂરી થાય છે તેના દ્વારા આપણી પ્રગતિ થાય છે અને એ છેવટે આપણા વ્યક્તિગત સુખને વધારે છે તથા ધનની પણ વૃદ્ધિ કરે છે. જે મનુષ્ય બીજાઓને જરૂરિયાતના સમયે મદદ કરે છે તેને પણ જરૂર પડે ત્યારે ઉદારતાપૂર્વક ઈશ્વરીય મદદ મળે છે.

કૃપણ અને કંજૂસ મનુષ્યો હંમેશાં સમાજથી તરછોડાઈને એકાકી જીવન ગાળે છે. તેમનો ન તો કોઈ મિત્ર હોય છે કે ન કોઈ તેમને મદદ કરવા તૈયારી થાય છે. મનુષ્ય ધનના સંગ્રહથી લિપ્ત રહે છે, ધન જીવન માટે એટલું બધું જરૂરી નથી. વાસ્તવમાં જ્ઞાન, બળ, સુખ, પ્રેમ વગેરે વધારે જરૂરી છે. સંસારમાં ભૂખ્યા લોકોનું અને જેમનાં પેટ ભરેલાં છે તેમનું પણ સમય આવ્યે મૃત્યુ થાય છે જ. દાન આપનાર અને ન આપનાર બંનેનું મૃત્યુ થાય છે, પરંતુ તે બંને વચ્ચે તફાવત માત્ર એટલો જ છે કે દાન આપનારને અમૂલ્ય સંપત્તિ પ્રાપ્ત થાય છે. તેનું ધન ક્યારેય ઓછું થતું નથી. જ્યારે દાન ન આપનાર મનુષ્ય આ બધી જ બાબતોથી વંચિત રહીને દુઃખી અને જીવતા મડદા જેવું સંકુચિત જીવન જીવે છે.

દાન તેઓ જ આપી શકે છે કે જેમનામાં પવિત્ર આત્મબળ હોય છે.

૭૧. વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૭/૩૨/૧૮ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ

વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૭/૩૨/૧૮ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ

યદિન્દ્ર યાવતસ્ત્વમેતાવદહમીશીય । સ્તોતારમિદ્દિષિષેય રદાવરસો ન પાત્વાય રાસીય II (ઋગ્વેદ ૭/૩૨/૧૮)

ભાવાર્થ : યોગ્ય રીતે કમાયેલું ધન સત્કાર્યોમાં વાપરવાથી તે સદ્ગતિ અપાવે છે. જેઓ તેને પાપકર્મોમાં વાપરે છે તેમનો નાશ થાય છે.

સંદેશ : ધનનું મહત્ત્વ સર્વત્ર છે. રાજા-રંક, અમીર-ગરીબ, ભોગી-યોગી દરેકનું કાર્ય ધનના અભાવથી અટકી જાય છે. આ ધનપ્રિય જગતમાં બધા જ લોકો ધનદેવતાની ઉપાસનામાં વ્યસ્ત છે. ધન પ્રાપ્ત કરવા માટે પ્રયત્નો તો ક૨વા જ જોઈએ, પણ તે પ્રયત્નો એવા ન હોવા જોઈએ કે જેથી શ્રેષ્ઠ પુરુષો દ્વારા તેની નિંદા થાય અને અપયશ મળે. તે કમાણી શુદ્ધ હોવી જોઈએ.

સામાજિક વ્યવહાર નિભાવવા માટે તો ધન જરૂરી છે. એની ઉપેક્ષા કરવી અશક્ય છે. જેવી રીતે આપણા વાસ્તવિક ઉદ્દેશને પૂર્ણ કરવા માટે શરી૨નું રક્ષણ જરૂરી છે તેવી જ રીતે ધન પણ જરૂરી છે, પરંતુ માનવજીવનનું આ અંતિમ લક્ષ્ય નથી. આજની આપણી બધી જ મુશ્કેલીઓનું મુખ્ય કારણ એ છે કે આપણે માત્ર ધનને જ સર્વસ્વ માની લીધું છે. તેના સિવાય આપણને બીજું કંઈ જ દેખાતું નથી. બાપ બડા ન ભૈયા, સબસે બડા રૂપૈયા’ આ પંક્તિ સાચી પડી રહી છે. એટલું જ નહિ, ધનને તો હવે ભગવાનથી પણ મોટું માનવામાં આવે છે. લોકો ધન કમાવામાં ભગવાનને પણ ભૂલી ગયા છે, પરંતુ જ્યારે તેમના ધન કમાવાના કાર્યમાં કોઈ અવરોધ કે નુકસાન આવે તો તેઓ ભગવાનને ગાળો દે છે. એવું લાગે છે કે જાણે માનવીનાં અનૈતિક કાર્યોમાં સહયોગ આપવાની તથા તેના ધનની રક્ષા કરવાની જવાબદારી ભગવાનની છે. ધનને જ સર્વસ્વ માનનારા લોકો માત્ર ધનવાન બનવાની કલ્પનાઓ કરે છે, પરંતુ તેમની અયોગ્ય રીતથી સમાજને કેટલું નુકસાન થાય છે તેનો જરાપણ ખ્યાલ રાખતા નથી. તેમને તો માત્ર પોતાનો સ્વાર્થ જ દેખાય છે. તેવા લોકોને કોઈપણ રીતે વધારે ને વધારે ધન કમાવું છે અને સોનાની લંકા બનાવવી છે, પછી ભલેને તેમના અનૈતિક આચરણના ફળ સ્વરૂપે તેઓ પોતે જ તેમાં સ્વાહા થઈ જાય.

‘સર્વેગુણાઃ કાંચનમાશ્રયંતિ’ – સંસારના બધા જ ગુણો સોના (ધન)માં સમાયેલા છે, પરંતુ એની સાથે જ ધન દ્વારા કામ, ક્રોધ, લોભ, મોહ વગેરે અનેક પ્રકારના દુર્ગુણો જન્મ લે છે. જ્યારે ઈમાનદારીપૂર્વક ધન કમાવામાં આવે છે ત્યારે તે પરસેવાની કમાણીમાં એક પ્રકારની સુગંધ હોય છે અને એવા ધનને સત્કાર્યોમાં ખર્ચવાથી મનુષ્ય કીર્તિવાન બને છે. મહેનત દ્વારા કમાયેલું ધન માનવી ક્યારેય ખોટે રસ્તે વેડફી નાખતો નથી, પરંતુ અનીતિથી જે ધન આવે છે તે ધનને બરબાદ કરતાં તેને જરાયે દુઃખ થતું નથી. આવા માણસમાં ‘માલે મુફત, દિલે બેરહમ’ ની ભાવના પેદા થાય છે તથા જુગાર, દારૂ વગેરે અનેક પ્રકારનાં વ્યસનો તેને પોતાની જાળમાં ફસાવી દે છે. આવા ધનનો અત્યાચાર, પાપાચાર, દુરાચાર અને ભ્રષ્ટાચારમાં દુરુપયોગ થવા લાગે છે. પાપકર્મોની એવી સાંકળ બનતી જાય છે કે માનવી પોતે જ તેમાં બંધાતો જાય છે અને પછી તેમાંથી મુક્ત થવું ખૂબ જ મુશ્કેલ થઈ જાય છે. તમોગુણ અને રજોગુણ તેને ઘેરી લે છે અને તે આત્મકલ્યાણ કે લોકકલ્યાણ વિશે વિચારી પણ નથી શકતો.

ઈમાનદારીથી કમાયેલું ધન મનુષ્યની સાત્ત્વિક બુદ્ધિનો વિકાસ કરે છે અને તેને લોકસેવા માટે ધર્મ અનુસાર આચરણ કરવાની પ્રેરણા આપે છે.

૭૦. વેદોનો દિવ્ય સંદેશ – અથર્વવેદ ૩/૨૪/૫ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ

વેદોનો દિવ્ય સંદેશ – અથર્વવેદ ૩/૨૪/૫ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ

શતહસ્ત સમાહર સહસ્રહસ્ત સં કિર । કૃતસ્ય કાર્યસ્ય ચેહ સ્ફાતિ સમાવહ ॥ (અથર્વવેદ ૩/૨૪/૫)

ભાવાર્થ : હે મનુષ્યો ! તમે તમારા ઉચ્ચ વ્યવસાય તથા બીજાઓની સલાહ દ્વારા સેંકડો હાથથી ખૂબ જ ધન કમાઓ અને હજારો હાથ દ્વારા તે ધનને ઉત્તમ કાર્યો માટે વાપરતા રહો. તેનાથી હંમેશાં તમારી પ્રગતિ થશે.

સંદેશ : ધન કમાવાના મહત્ત્વનો સ્વીકાર વેદોએ પણ કર્યો છે. મનુષ્ય કમાવા માટે માત્ર પોતાના જ બે હાથનો ઉપયોગ ન કરે, પરંતુ સમાજના અન્ય વર્ગોનો પણ સહયોગ લઈને સેંકડો હાથ દ્વારા કમાય. તેણે પોતાની બધી જ પ્રતિભા, ક્ષમતા તથા પુરુષાર્થનો વધારેમાં વધારે ધન કમાવામાં ઉપયોગ કરવો જોઈએ.

પરંતુ આ બધું કોના માટે કરવામાં આવે? શું માત્ર આપણા વ્યક્તિગત ઉપભોગ માટે જ? ના, ક્યારેય નહિ, સંસારમાં જે ધનસંપત્તિ છે તે બધી જ પ્રજાપતિની છે, પરમપિતા પરમેશ્વરની છે. આપણા વ્યવસાય તથા પુરુષાર્થ દ્વારા જે કંઈ આપણને પ્રાપ્ત થાય છે તે ભગવાનનું જ છે. ભગવાને જ પોતાની કૃપા આપણી ઉપર વરસાવી છે અને આપણને ટ્રસ્ટી તરીકે નીમ્યા છે. આપણે જરૂરિયાત પૂરતું જ ધન પોતાને માટે લેવું જોઈએ. તેનાથી વધારે લેવાનો આપણને કોઈજ અધિકાર નથી. તે બધું ધન આપણે સમાજના ઉપયોગ માટે વાપરવું જોઈએ. હજાર હાથ દ્વારા તેને જનકલ્યાણનાં શ્રેષ્ઠ કાર્યોમાં વાપરી દેવું જોઈએ. કમાયેલું ધન આપણને માત્ર થોડા સમય માટે જ લાભ પહોંચાડે છે, પરંતુ તેનું દાન કરવાથી આપણને જે યશ કે કીર્તિ પ્રાપ્ત થાય છે તે જન્મજન્માંતરો સુધી આપણને સુખ આપે છે. જે રીતે ખેતરમાં વાવેલું એક બીજ હજાર દાણાના રૂપમાં આપણને પ્રાપ્ત થાય છે, તે જ રીતે શુભ કાર્ય માટે કરવામાં આવેલું દાન અનેકગણું વધીને કીર્તિ અને સૌભાગ્ય આપતું રહે છે.

શાસ્ત્રોમાં ધનનો ઉપયોગ કરવાની બાબતમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે “ધર્માય યશસેડર્થાય આત્મને સ્વજનાય ચ’” જે ધન ઈમાનદારીપૂર્વક કમાયા છીએ તેને પાંચ ભાગમાં વહેંચી દેવું જોઈએ. એક ભાગ ધર્મ માટે, બીજો ભાગ કીર્તિ માટે, ત્રીજો ભાગ સંપત્તિ પ્રાપ્ત કરવા ધંધાર્થે, ચોથો ભાગ પોતાના માટેતથા પાંચમો ભાગ સ્વજનોને સંસ્કારી અને સુયોગ્ય બનાવવા માટે અલગ રાખવો જરૂરી છે. ધર્મ માટે કરેલા દાનનો અર્થ છે ગુપ્ત- દાન. કોઈને એનો ખ્યાલ પણ ન આવે એ રીતે શુભ કાર્ય માટે કોઈ યોગ્ય પાત્રને એ આપી દેવું જોઈએ. પ્રતિષ્ઠા માટે દાન કરવું એનો અર્થ એ છે કે કોઈ હૉસ્પિટલ બનાવવી, ધર્મશાળા બનાવવી, વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવી, વૃક્ષોનો ઉછેર કરવો વગેરે શુભ હેતુઓ માટે ધનનું દાન કરવું. કોઈ દુર્ઘટના અથવા દૈવી પ્રકોપ સમયે સંપૂર્ણ મન લગાવી પૂર્ણ સહયોગ દ્વારા લોકોની સેવા સહાયતા કરવી જોઈએ. ત્રીજો ભાગ છે સંપત્તિ મેળવવા ધનનો ઉપયોગ કરવો અર્થાત્ એ સંપત્તિને પોતાના કામધંધામાં, વ્યાપારમાં અથવા તો પછી ખેતીવાડીમાં વાપરવી જોઈએ. ધનનો ચોથો ભાગ પોતાને માટે અને પાંચમો ભાગ આપણા સ્વજનો કે સગાસંબંધીઓ માટે વાપરવો જોઈએ. આ રીતે જ આપણે આપણાં ભોજન, કપડાં અને રહેઠાણની મૂળભૂત જરૂરિયાતો પૂરી કરીને સુખસુવિધાનાં સાધનો પણ પ્રાપ્ત કરીએ.

શાસ્ત્રોએ દાનને સૌથી વધારે મહત્ત્વ આપ્યું છે. એના દ્વારા જ પરમાત્માના આશીર્વાદ કે વરદાનની આપણી ઉપર સતત વર્ષા થતી રહે છે. દાનથી બધાં પ્રાણીઓ વશીભૂત થઈ જાય છે અને શત્રુતાનો પણ નાશ થાય છે. ધન, જ્ઞાન, શક્તિ, આનંદ, જે પણ શક્ય હોય તે બીજાઓને પણ વહેંચતા રહો.માનવીની પાસે આપવા જેવું કેટલું બધું છે ! તેની પાસે પ્રેમનો અગાધ સાગર છે, હાસ્યનાં પુષ્પો છે. એ બધું પણ વહેંચો, પોતે પ્રસન્ન થાઓ અને બીજાઓને પણ પ્રસન્ન કરતા જાઓ.

મનુષ્ય ઈમાનદારી અને પુરુષાર્થ દ્વારા શક્ય હોય એટલું કમાવું જોઈએ અને સત્કાર્યોમાં તેનો ઉપયોગ કરવો જોઈએ.

૬૯. વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૧/૧૮૯/૧  શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ

વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૧/૧૮૯/૧  શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ

અન્ને નય સુપથા રાયે અસ્માવિશ્વાનિ દેવ વયુનાનિ વિદ્વાન્ । યુયોધ્યસ્મજ્જુહુરાણમેનો ભૂયિષ્ઠાં તે નમઉક્તિ વિધેમ ॥ (ઋગ્વેદ ૧/૧૮૯/૧)

ભાવાર્થ: આપણે ખરાબ ટેવોનો સદંતર ત્યાગ કરી હંમેશાં સન્માર્ગે ચાલીને ધનધાન્યની કમાણી કરીએ.

સંદેશ : ‘શ્રેયશ્ચ પ્રેયશ્ચ મનુષ્યમેતસ્તતા’ સંસારમાં મનુષ્યની સામે શ્રેય માર્ગ અને પ્રેય માર્ગ બંને ખુલ્લા છે અને મનુષ્યે જ નિર્ણય કરવાનો છે કે તે કયા માર્ગને અનુસરે. કાં તો તે ઈમાનદારીના સત્યમાર્ગ ઉપર ચાલે, પછી ભલે તે માર્ગ મુશ્કેલીઓથી ભરેલો હોય અથવા તો તે પ્રથમ નજરે પ્રિય લાગનારો માર્ગ પસંદ કરે, પછી ભલે તે અધઃપતન તરફ દોરી જાય.ધન કમાવાની બાબતમાં આ નિર્ણય ક૨વાની ખાસ જરૂર છે. આજે પ્રત્યેક મનુષ્ય બીજા કરતાં વધારે ને વધારે ધન કમાવાની સ્પર્ધામાં લાગેલો છે. આજના ભ્રષ્ટાચારનું આ જ મુખ્ય કારણ છે અને તેને વધુ ને વધુ વેગ મળી રહ્યો છે.

આજે ભૌતિક ધનનો જે મોહ આપણી ઉપર સવાર થઈ ગયો છે તેનું મુખ્ય કારણ છે આપણી ઇચ્છાઓ, જરૂરિયાતો અને માંગ.ઇચ્છાઓની કોઈ મર્યાદા હોતી જ નથી. ઇચ્છા તીવ્ર થવાથી આપણી જરૂરિયાત પણ એની મેળે જ વધી જાય છે અને એના ફળ સ્વરૂપે બીજાનું પડાવી લેવાની વૃત્તિ, લૂંટફાટ વગેરે પરિસ્થિતિ વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે. આજનો માનવી પોતાની સુવિધાઓ, આસક્તિ, વિલાસિતા અને પ્રતિષ્ઠા માટે કંઈ પણ કરવા તૈયાર છે. બીજાઓને ભલે ગમે તેટલું નુકસાન થાય કે પછી રાષ્ટ્રને ગમે તેટલું નુકસાન થાય એની તેને જરાય પડી નથી. પોતાની જરૂરિયાત કરતાં વધારે ધનસંગ્રહ કરી મનુષ્ય ભોગવિલાસ તરફ દોટ મૂકે છે અને છેવટે અધોગતિની ઊંડી ખાઈમાં ધકેલાઈ જાય છે.

લોકોને એ બાબત સમજાવવામાં આવે કે જે સંપત્તિ કે ધનદોલતના પૂજારી બનીને તમે બેઠા છો તે સંપત્તિ જ તમને દુઃખી કરી રહી છે અને આગળ જતાં આનાથી પણ વધારે દુઃખી કરશે. જો વિવિધ પ્રકારનાં દુઃખ, ઝઘડાઓ અને મુશ્કેલીઓથી બચવું હોય તો મનુષ્ય સૌથી પહેલાં તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કરવું પડશે. તત્ત્વજ્ઞાન દ્વારા જ મનુષ્યમાં મનને કાબૂમાં રાખવાનું અને ઇન્દ્રિયોના સંયમ માટેનું આત્મબળ જાગૃત થાય છે. એનાથી જ મનુષ્ય પોતાની ઇચ્છાઓ, વાસનાઓ અને લાલચ ઉપર નિયંત્રણ રાખી શકશે.આ રીતે સાચા તત્ત્વજ્ઞાન દ્વારા મનુષ્ય યોગ્ય પુરુષાર્થ કરીને ઈમાનદારીથી જે ધન કમાય છે તે ધન શુભ ફળ આપનારું હોય છે. ‘પોષમેવ દિવે દિવે’ આ ધન પોષણ કરે છે અને આત્મશક્તિને વધારતું રહે છે. આવું ધન મનને સદાય પ્રસન્નતા આપે છે અને વ્યક્તિત્વનો વિકાસ કરે છે.

અગ્નિની જેમ આપણી પાપવૃત્તિઓને સળગાવી દેવી જોઈએ અને પ્રગતિના માર્ગે આગળ ને આગળ વધતા જવું જોઈએ તથા ધર્મમર્યાદાઓનું પાલન કરીને કમાયેલા ધનથી જ સંતોષ પ્રાપ્ત કરવો જોઈએ.અગ્નિની જ્યોત હંમેશાં ઉપર તરફ જ જાય છે. ગમે તેટલું ભયાનક તોફાન કે પ્રચંડ આંધી આવે, એમ છતાં તે નીચેની તરફ ઝૂકતી નથી, પછી ભલેને તેના અસ્તિત્વનો નાશ કેમ ન થાય. આવી જ રીતે દેઢ આત્મશક્તિ ધરાવનાર મનુષ્યને ભલે પોતાનું અસ્તિત્વ ગુમાવવું પડે, એમ છતાં તે અનીતિ સામે ક્યારેય ઝૂકતો નથી.કોઈપણ પ્રલોભન તેને ઈમાનદારીના માર્ગ પરથી ડગાવી શકતું નથી.

૬૮. વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૨/૧૩/૧૩ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ

વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૨/૧૩/૧૩ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ

અસ્મભ્યં તદ્વસો દાનાય રાધઃ સમર્થયસ્વ બહુ તે વસવ્યમ્ । તે ઇન્દ્ર યચ્ચિત્રં શ્રવસ્યા અનુ ઘૂબૃહદ્ધદેમ વિદથે સુવીરાઃ ॥ (ઋગ્વેદ ૨/૧૩/૧૩)

ભાવાર્થઃ ન્યાય અને શ્રમયુક્ત કમાણી જ મનુષ્યને સુખ આપે છે, તે નિરંતર વધતી જાય છે તથા મનને હંમેશાં પ્રસન્ન રાખે છે. એનાથી આત્મા નિર્મળ અને પવિત્ર રહે છે, તેના દ્વારા માનવીનું પૌરુષ વધે છે અને તેને સત્કર્મોની પ્રેરણા પ્રાપ્ત થાય છે. ચોરી, છળ અને કપટથી કમાયેલું ધન હંમેશાં દુ:ખ જ આપે છે.

સંદેશ : જીવનમાં ધનના મહત્ત્વને ક્યારેય અવગણી શકાય તેમ નથી. તે મનુષ્ય અને સમાજના વિકાસ માટે જરૂરી છે, પરંતુ તેની સીમા કે મર્યાદા તૂટી જવાના કારણે એ ધનથી અનર્થ થાય છે અને વિકાસ થવાને બદલે તે વિનાશ, શોષણ અને સંઘર્ષોનું કારણ બની જાય છે. જ્યાં સુધી ધન ધર્મની મર્યાદામાં રહે છે ત્યાં સુધી તેને અર્થના નામથી ઓળખવામાં આવે છે, પરંતુ જ્યારે તે અધર્મનાં કાર્યોમાં વપરાય ત્યારે તે અનર્થ બની જાય છે.

એ સાચું છે કે આજે આપણે ભૌતિક વિકાસના જે પગથિયા સુધી પહોંચ્યા છીએ તે અજોડ છે. એનું મુખ્ય કારણ અને આધાર ધન જ છે. આજે ધનનું જેટલું મહત્ત્વ છે તેટલું ભૂતકાળમાં ન હતું. પ્રાચીનકાળમાં અધ્યાત્મવાદનો પ્રથમ નંબર આવતો હતો અને ધનનો નંબર બીજો હતો. આજે તો બિલકુલ ઊંધું થઈ ગયું છે. લોકો ધન કમાવા પાછળ પાગલની જેમ દોડી રહ્યા છે અને અધ્યાત્મને બિલકુલ ભૂલી ગયા છે. એને આજે પૂજાપાઠનો ઢોંગ અથવા દેખાવ કરવાનો જ.સમય નથી, તો પછી સાચી ઉપાસના અને સાધનાની તો વાત જ શું કરવી ? આજે ભૌતિકવાદ જ સમાજજીવનનું એકમાત્ર તત્ત્વદર્શન બની ગયો છે.

અધ્યાત્મ અને ભૌતિકતા બંને સમાજ માટે જરૂરી છે, પણ એ બંનેમાં સંતુલન અને સમન્વય જળવાય તે જરૂરી છે. પ્રાચીનકાળમાં કેટલાક લોકો અધ્યાત્મને જ સર્વસ્વ માનતા હતા. અધ્યાત્મની એકપક્ષીય પ્રગતિથી સમાજને ક્યારેય નુકસાન થયું નથી. કદાચ મનુષ્ય કેટલીક ભૌતિક સુવિધાઓનો ઉપભોગ કરી શક્યો હોય, પરંતુ આજે ભૌતિકવાદની એકપક્ષીય પ્રગતિથી લોકોનું હિત થવાને બદલે વધારેને વધારે અહિત થતું જાય છે. સમાજમાં જે પણ અવ્યવસ્થા અને અરાજકતા ફેલાઈ છે તેના મૂળમાં આજનો ભૌતિકવાદી દૃષ્ટિકોણ જ કારણભૂત છે. ચોરી, લૂંટફાટ, બેઈમાની, જૂઠ, દગાબાજી વગેરે દ્વારા કમાયેલું ધન મનુષ્યને બધી જ રીતે બરબાદ કરી નાખે છે. સૌથી પહેલાં તો તેની માનસિક શાંતિનો જ નાશ થઈ જાય છે. અનીતિ તથા અન્યાય દ્વારા પ્રાપ્ત કરેલી લક્ષ્મી તેના જીવનનો રસ ચૂસીને તેને કમોર બનાવી દે છે.

આજની આ અર્થવ્યવસ્થા નીતિ અને અનીતિ વચ્ચે ભેદ પારખવા શક્તિમાન નથી તથા યોગ્ય કે અયોગ્ય કોઈપણ રીતે ધનનો સંગ્રહ કરવાની બાબતને જ વધારે મહત્ત્વ આપે છે. બધા જ પ્રકારની સાંસારિક વિપત્તિઓનું મૂળભૂત કારણ એ જ છે. ભૌતિક પ્રગતિની ઉપેક્ષા ન કરી શકાય અને સાથેસાથે આધ્યાત્મિકતાનો પણ ક્યારેય વિરોધ ન જ કરી શકાય.બંનેના સમન્વયથી એક સંતુલિત દૃષ્ટિકોણ પેદા કરવો પડશે. અયોગ્ય રીતે કમાયેલા ધનની નિંદા અને ઘૃણા કરવી પડશે તથા ન્યાયના માર્ગે કમાયેલા ધનની વધુ ને વધુ પ્રશંસા કરવી જોઈએ.

પરિશ્રમ દ્વારા મેળવેલું ધન મનુષ્યને સુખ, શાંતિ અને સંતોષ આપે છે, તેના આત્મબળને વધારે છે અને આત્માને શુદ્ધ, પવિત્ર તથા નિર્મળ બનાવે છે. એનાથી સમાજનું વાતાવરણ દિવ્ય બને છે.

૬૮. વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૨/૧૩/૧૩ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ

વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૨/૧૩/૧૩ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ

અસ્મભ્યં તદ્વસો દાનાય રાધઃ સમર્થયસ્વ બહુ તે વસવ્યમ્ । તે ઇન્દ્ર યચ્ચિત્રં શ્રવસ્યા અનુ ઘૂબૃહદ્ધદેમ વિદથે સુવીરાઃ ॥ (ઋગ્વેદ ૨/૧૩/૧૩)

ભાવાર્થઃ ન્યાય અને શ્રમયુક્ત કમાણી જ મનુષ્યને સુખ આપે છે, તે નિરંતર વધતી જાય છે તથા મનને હંમેશાં પ્રસન્ન રાખે છે. એનાથી આત્મા નિર્મળ અને પવિત્ર રહે છે, તેના દ્વારા માનવીનું પૌરુષ વધે છે અને તેને સત્કર્મોની પ્રેરણા પ્રાપ્ત થાય છે. ચોરી, છળ અને કપટથી કમાયેલું ધન હંમેશાં દુ:ખ જ આપે છે.

સંદેશ : જીવનમાં ધનના મહત્ત્વને ક્યારેય અવગણી શકાય તેમ નથી. તે મનુષ્ય અને સમાજના વિકાસ માટે જરૂરી છે, પરંતુ તેની સીમા કે મર્યાદા તૂટી જવાના કારણે એ ધનથી અનર્થ થાય છે અને વિકાસ થવાને બદલે તે વિનાશ, શોષણ અને સંઘર્ષોનું કારણ બની જાય છે. જ્યાં સુધી ધન ધર્મની મર્યાદામાં રહે છે ત્યાં સુધી તેને અર્થના નામથી ઓળખવામાં આવે છે, પરંતુ જ્યારે તે અધર્મનાં કાર્યોમાં વપરાય ત્યારે તે અનર્થ બની જાય છે.

એ સાચું છે કે આજે આપણે ભૌતિક વિકાસના જે પગથિયા સુધી પહોંચ્યા છીએ તે અજોડ છે. એનું મુખ્ય કારણ અને આધાર ધન જ છે. આજે ધનનું જેટલું મહત્ત્વ છે તેટલું ભૂતકાળમાં ન હતું. પ્રાચીનકાળમાં અધ્યાત્મવાદનો પ્રથમ નંબર આવતો હતો અને ધનનો નંબર બીજો હતો. આજે તો બિલકુલ ઊંધું થઈ ગયું છે. લોકો ધન કમાવા પાછળ પાગલની જેમ દોડી રહ્યા છે અને અધ્યાત્મને બિલકુલ ભૂલી ગયા છે. એને આજે પૂજાપાઠનો ઢોંગ અથવા દેખાવ કરવાનો જ.સમય નથી, તો પછી સાચી ઉપાસના અને સાધનાની તો વાત જ શું કરવી ? આજે ભૌતિકવાદ જ સમાજજીવનનું એકમાત્ર તત્ત્વદર્શન બની ગયો છે.

અધ્યાત્મ અને ભૌતિકતા બંને સમાજ માટે જરૂરી છે, પણ એ બંનેમાં સંતુલન અને સમન્વય જળવાય તે જરૂરી છે. પ્રાચીનકાળમાં કેટલાક લોકો અધ્યાત્મને જ સર્વસ્વ માનતા હતા. અધ્યાત્મની એકપક્ષીય પ્રગતિથી સમાજને ક્યારેય નુકસાન થયું નથી. કદાચ મનુષ્ય કેટલીક ભૌતિક સુવિધાઓનો ઉપભોગ કરી શક્યો હોય, પરંતુ આજે ભૌતિકવાદની એકપક્ષીય પ્રગતિથી લોકોનું હિત થવાને બદલે વધારેને વધારે અહિત થતું જાય છે. સમાજમાં જે પણ અવ્યવસ્થા અને અરાજકતા ફેલાઈ છે તેના મૂળમાં આજનો ભૌતિકવાદી દૃષ્ટિકોણ જ કારણભૂત છે. ચોરી, લૂંટફાટ, બેઈમાની, જૂઠ, દગાબાજી વગેરે દ્વારા કમાયેલું ધન મનુષ્યને બધી જ રીતે બરબાદ કરી નાખે છે. સૌથી પહેલાં તો તેની માનસિક શાંતિનો જ નાશ થઈ જાય છે. અનીતિ તથા અન્યાય દ્વારા પ્રાપ્ત કરેલી લક્ષ્મી તેના જીવનનો રસ ચૂસીને તેને કમોર બનાવી દે છે.

આજની આ અર્થવ્યવસ્થા નીતિ અને અનીતિ વચ્ચે ભેદ પારખવા શક્તિમાન નથી તથા યોગ્ય કે અયોગ્ય કોઈપણ રીતે ધનનો સંગ્રહ કરવાની બાબતને જ વધારે મહત્ત્વ આપે છે. બધા જ પ્રકારની સાંસારિક વિપત્તિઓનું મૂળભૂત કારણ એ જ છે. ભૌતિક પ્રગતિની ઉપેક્ષા ન કરી શકાય અને સાથેસાથે આધ્યાત્મિકતાનો પણ ક્યારેય વિરોધ ન જ કરી શકાય.બંનેના સમન્વયથી એક સંતુલિત દૃષ્ટિકોણ પેદા કરવો પડશે. અયોગ્ય રીતે કમાયેલા ધનની નિંદા અને ઘૃણા કરવી પડશે તથા ન્યાયના માર્ગે કમાયેલા ધનની વધુ ને વધુ પ્રશંસા કરવી જોઈએ.

પરિશ્રમ દ્વારા મેળવેલું ધન મનુષ્યને સુખ, શાંતિ અને સંતોષ આપે છે, તેના આત્મબળને વધારે છે અને આત્માને શુદ્ધ, પવિત્ર તથા નિર્મળ બનાવે છે. એનાથી સમાજનું વાતાવરણ દિવ્ય બને છે.

૬૭. વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૧/૧/૩  શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ

વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૧/૧/૩  શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ

અગ્ના રિયમશ્નવત પોષમેવ દિવેદિવે । યશસં વીરવત્તમમ્ II  (ઋગ્વેદ ૧/૧/૩)

ભાવાર્થ : આપણે ઈશ્વરે બનાવેલા નિયમો અનુસાર જ ધન કમાઈએ. બેઈમાનીપૂર્વક ધન કમાવાથી દૂર રહેવું જોઈએ. અયોગ્ય રીતે કમાયેલું ધન આપણે ન રાખીએ. ધર્મયુક્ત રીતે ધન કમાઓ અને ધર્મનાં કાર્યોમાં તેને વાપરો.

સંદેશ : વેદમાં મનુષ્યને લોભથી મુક્ત રહેવાનો ઉપદેશ આપવામાં આવ્યો છે, પરંતુ પ્રશ્ન એ છે કે આ લોભ છે શું ? લોભ એને કહેવામાં આવે છે કે મનુષ્ય પ્રચુર ધન કમાઈ લીધા પછી પણ સંતુષ્ટ થતો નથી. લોભનાં અનેક રૂપ છે. પોતાની તંદુરસ્તીનો સર્વનાશ કરીને ધન- પ્રાપ્તિમાં જ લાગેલા રહેવું એ પણ એક પ્રકા૨નો લોભ છે. કપટ કરીને, ચોરી કે ઘૂસણખોરી કરીને કે પછી કરચોરી કરીને અથવા ભ્રષ્ટાચાર વગેરે દ્વારા જે ધન કમાવામાં આવે છે તે પણ એક પ્રકારનો લોભ જ છે. દહેજપ્રથા પણ લોભનું જ એક રૂપ છે. ધન મેળવવાના આ બધા જ કીમિયા બેઈમાનીથી ખદબદે છે અને તે આપણા આત્માને પણ કલંકિત કરી દે છે. મનુષ્ય લોભ અને લાલચમાં પડીને પાપકર્મો દ્વારા જે ધન કમાય છે તે બધી જ રીતે નિંદનીય છે.

આ સંસારમાં સર્વત્ર ધનની જ બોલબાલા છે. જીવનમાં પ્રત્યેક કાર્ય કરવા માટે ધન જરૂરી છે. કોઈ નાનું કામ હોય કે પછી મોટું હોય, ધર્મ હોય કે પછી રાજનીતિ, સાધના હોય કે વ્રત કે અનુષ્ઠાન, બધાને માટે કે ધનની જરૂર પડે છે. એટલા માટે વેદોએ ધનના સંગ્રહને પણ એક જરૂરી કર્તવ્ય ગણ્યું છે અને માનવીની શક્ય એટલા વધુ પુરુષાર્થથી વધારે ને વધારે ધન કમાવવાની વૃત્તિને બિરદાવી પણ છે. તેના દ્વારા મનુષ્યને ઐશ્વર્ય તથા ધનવૃદ્ધિનું વરદાન પણ પ્રાપ્ત થાય છે. ધનની વૃદ્ધિ તથા એની સુવ્યવસ્થા માટે જ્ઞાન અને કૌશલ્ય હોવાં જરૂરી છે. જ્ઞાન દ્વારા માર્ગદર્શન કે પ્રેરણા મળે છે તથા કૌશલ્ય દ્વારા ધનની વૃદ્ધિ થતી રહે છે. કોઈ વિશિષ્ટ કાર્ય માટેની અનુભવયુક્ત હોશિયારીને કૌશલ્ય કહેવામાં આવે છે. આ કુશળતા જ સમૃદ્ધિ પ્રાપ્ત કરવાનો માર્ગ મોકળો બનાવે છે. મનુષ્યના જીવનમાં સૌથી પહેલું સ્થાન ઈશ્વરનું છે, તેના પછી ચારિત્ર્યનું અને ત્યારબાદ ધનનું સ્થાન છે.

પરંતુ મનુષ્ય ધનથી ક્યારેય તૃપ્ત થતો નથી. તેની આવી તૃષ્ણાને લોભ કહેવામાં આવે છે. આ એક ખૂબ જ મોટો વિકાર છે. લોભ મનુષ્યની સર્બુદ્ધિને અજ્ઞાનરૂપી અંધકારથી ઢાંકી દે છે અને તેની બુદ્ધિ જ્યારે અજ્ઞાનના આવરણથી ઢંકાઈ જાય છે ત્યારે તે અમાનવીય કર્મો કરવા લાગે છે. એવાં કર્મો કરતાં તેને સહેજ પણ શરમનો અનુભવ થતો નથી. નિર્લજ્જ બનીને તે પોતાના ધર્મને પણ નુકસાન પહોંચાડે છે. આવો મનુષ્ય પોતાનું ધન, ધર્મ અને સુખ ત્રણેયને નષ્ટ કરી નાંખે છે. લોભ અને લાંચ જેવાં અયોગ્ય કર્મો દ્વારા અનીતિપૂર્વક કમાયેલું ધન મનને અશાંત અને બેચેન બનાવી દે છે અને ખરાબ કાર્યોમાં જ તે ધનનો નાશ થઈ જાય છે. આવું ઘર કે કુટુંબ પણ ખરાબ કાર્યો કરીને બરબાદ થઈ જાય છે તથા મનુષ્યનું નૈતિક અધઃપતન થાય છે.

એટલા માટે જ વેદો દ્વારા નિર્દેશ આપવામાં આવ્યો છે કે મનુષ્ય ધર્મ અનુસાર આચરણ કરીને જ પ્રબળ પુરુષાર્થ દ્વારા વધારે ને વધારે ધન કમાવાનો પ્રયત્ન કરવો જોઈએ. આવું ધન જ પવિત્ર હોય છે. તેના દ્વારા મનુષ્યને સુખ, શાંતિ અને સંતોષ પ્રાપ્ત થાય છે. આ રીતે પ્રાપ્ત કરેલા ધનને મનુષ્ય સમાજના કલ્યાણ માટે વાપરી તેનો આનંદ પ્રાપ્ત કરે છે. આવા ધનથી દરેકનું કલ્યાણ થતું જોઈને તે મનોમન પ્રફુલ્લિત થઈ જાય છે. તે પવિત્ર ધન લોકોમાં સાત્ત્વિકતાનો વિકાસ કરે છે અને બધાને સત્ય આચરણ કરવાની પ્રેરણા આપે છે.

ઈમાનદારીની કમાણી જ શુભ ફળ આપે છે.

૬૬. વેદોનો દિવ્ય સંદેશ – યજુર્વેદ ૪૦/૧  શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ

વેદોનો દિવ્ય સંદેશ – યજુર્વેદ ૪૦/૧  શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ

ઈશાવાસ્યમિદં સર્વમ્ યત્કિંચ જગત્યાં જગત | તેન ત્યક્તેન ભુંજીથા મા ગૃધઃ કસ્ય સ્વિદ્ધનમ્ ॥ (યજુર્વેદ ૪૦/૧)

ભાવાર્થ : આ સંસારમાં સર્વત્ર પરમાત્માની સત્તા સમાયેલી છે. એવું માનીને જે બીજાઓના ધનને છીનવી લેતો નથી તેવો ધર્માત્મા પુરુષ આ લોકમાં સુખ અને પરલોકમાં મોક્ષ પ્રાપ્ત કરે છે.

સંદેશ : આ સમગ્ર સંસાર ઈશ્વરથી ભરેલો છે. પરમાત્મા દરેક જગ્યાએ કણેકણમાં સમાયેલો છે. બધાં જીવજંતુઓ તેની શક્તિ દ્વારા ગતિશીલ રહે છે. સંસારના તમામ ભોગવવાલાયક પદાર્થો, ધનધાન્ય તેની કૃપાથી જ ઉત્પન્ન થાય છે, પરંતુ એ આપણું દુર્ભાગ્ય છે કે મનુષ્ય આ વાસ્તવિકતાને સમજી શકતો જ નથી. સંસારમાં જે કંઈ છે તે બધું મારું જ છે, તેના ઉપર મારો જ અધિકાર છે એવું માનીને તે તેનો ઉપભોગ કરવામાં ડૂબેલો રહે છે. એ વાત સત્ય છે કે ભગવાને મનુષ્ય માટે જ આ બધી વસ્તુઓ પેદા કરી છે, પરંતુ સાથેસાથે એવો પણ નિર્દેશ કર્યો છે કે ભોગોને ત્યાગપૂર્વક ભોગવે. માત્ર પોતાની જરૂરિયાત જેટલું જ પોતાને માટે રાખો, બાકીનાનો બીજાં પ્રાણીઓ માટે ત્યાગ કરો. એમાં જ તમારું કલ્યાણ સમાયેલું છે.

‘કસ્ય સ્વિત્ ધનમ્’ આ ધન કોનું છે ? આપણે આ મૂળભૂત સવાલને જ ભૂલી જઈએ છીએ. આ તમામ પ્રકારનો વૈભવ, મકાનો, બંગલા, જમીન, ખેતરો, બાગબગીચા બીજા કોઈનાંયે નથી, પરંતુ એનો માલિક માત્ર એક જ છે કે જે પ્રજાનું પાલનપોષણ કરે છે. આ બધું સમાજનું, રાષ્ટ્રનું અને ઈશ્વરનું જ છે. તે અનંતકાળથી ઈશ્વરનું હતું, આજે પણ ઈશ્વરનું જ છે અને સદાને માટે ઈશ્વર જ તેનો માલિક રહેશે. આપણે તો થોડાક સમય માટે જ આ માનવયોનિમાં જન્મ ધારણ કરીને અહીંઆવ્યા છીએ અને સાંસારિક સુખો ભોગવીને આપણાં કર્મો પ્રમાણે આગળની

યાત્રા માટે ચાલ્યા જવાના છીએ. આ બધું આપણી સાથે આવ્યું ન હતું અને ભવિષ્યમાં પણ આવવાનું નથી, તો પછી લોભ અને લાલચની વૃત્તિ શા માટે ? બીજાઓનું ધન હડપ કરી જવાની યોજનાઓ શા માટે બનાવવામાં આવે છે ? સંસારની તમામ દોલત પર આપણો અધિકાર સ્થાપી દેવાની લાલચ શા માટે રાખવામાં આવે છે ? આ બધા સવાલોનો માત્ર એક જ જવાબ છે કે આપણે ‘આ બધું જ ધન મારું છે’ તેવું માનીએ છીએ. આપણે ખોટા ભ્રમની માયાજાળમાં છીએ. તેનો માલિક પરમપિતા પરમેશ્વર છે તે બાબતને આપણે ભૂલી જઈએ છીએ. હકીકતમાં તો એ ધનનો મર્યાદિત ઉપયોગ કરવાનો જ અધિકાર આપણને પ્રાપ્ત થયો છે.

એનો અર્થ એવો નથી કે મનુષ્ય ધન કમાવાનો પ્રયાસ જ ન કરવો. વેદ તો એ વાતનું સમર્થન કરે છે કે મનુષ્યે સખત તપ, શ્રમ અને પુરુષાર્થ કરીને ધન કમાવું જોઈએ, પરંતુ સાથે એ બાબતનો પણ ખ્યાલ રાખવો જોઈએ કે આ બધું જ ધન પરમપિતા પરમેશ્વરનુંછે અને તેણે જ આપણને આપ્યું છે. તેમાંથી બ્રાહ્મણને યોગ્ય જરૂરિયાતો પૂરી કર્યા પછી જે ધન વધેતે ધન સમાજના કલ્યાણ માટે વાપરી દેવું જોઈએ અર્થાત્ આપણને મળેલા ધનનો ત્યાગપૂર્વક ભોગ કરવો જોઈએ. સૌથી પહેલાં ત્યાગની વાત વિચારો, બીજાઓની ભલાઈની વાત વિચારો અને તેના પછી જ પોતાના ઉપભોગની વાત વિચારો. આપણે સાવ ઊંધું જ કરીએ છીએ. જે કંઈ છે તેને એકલા જ ભોગવવા માટેની યોજનાઓ બનાવતા રહીએ છીએ, બીજાનો વિચાર પણ આવતો નથી. આસંસારની બધી આપત્તિઓનું મૂળ કારણ આ જ છે. જેવ્યક્તિ આ હકીક્તને સમજી લે છે તેના માટે મોહ અને માયાનાં બંધન આપોઆપ જ તૂટી જાય છે. ‘આત્મવત્ સર્વભૂતેષુ’ની વિશાળ ભાવનાથી તે બધાં પ્રાણીઓમાં પોતાના જ આત્માનું દર્શન કરે છે.આવા લોકો બીજાઓના સુખ તથા ભલાઈનો સૌથી પહેલાં ખ્યાલ રાખે છે.

ધનના આ સ્વરૂપને સારી રીતે સમજી લેવાથી જ માનવજીવન સુખી અને શાંતિપૂર્ણ બની શકે છે.

%d bloggers like this: