નારી પરિવારનો પ્રાણ છે, બોધવચન -૧૮

નારી પરિવારનો પ્રાણ છે, બોધવચન -૧૮

બોધ :નારી પરિવારની ધરી છે. એની ઉત્કૃષ્ટતા અને નિકૃષ્ટતા ઉપર જ ઘરના ઉત્થાન તથા પતનનો આધાર છે, એમાં સહેજેય સંદેહ નથી. પુરૂષ તો એનો સહાયક માત્ર છે. તે સાધનો ભેગાં કરે છે અને સહયોગ આપે છે. પ્રાત : કાળે પથારીમાંથી ઉઠવાથી માંડીને રાત્રે ઘરના સભ્યો સૂઈ જાય ત્યાં સુધીનાં બધાં જ કાર્યોમાં તે પ્રતિક્ષણ વ્યસ્ત રહે છે. નારી ગૃહલક્ષ્મી છે. તેને ઘરરૂપી દેવાલયમાં રહેલી પ્રત્યક્ષ દેવી માનવી જોઇએ. દરેક સગૃહસ્થનું પહેલું કર્તવ્ય છે કે માતા, ભગિની, પત્ની અને કન્યા ગમે તે રૂપે નારી રહે એને સ્વસ્થ, પ્રસન, શિક્ષિત, સ્વાવલંબી અને સુસંસ્કૃત તથા પ્રતિભાવાન બનાવવામાં સહેજ પણ કસર ના રાખે.

શાસ્ત્રોમાં નારીનું ગાન :

શાસ્ત્રોમાં નારીની મહત્તા અને એની ગરિમાનું વર્ણન કરતાં કહેવામાં આવ્યું છે કે નારી બ્રહ્મવિદ્યા છે, શ્રધ્ધા છે, શક્તિ છે, પવિત્રતા છે, કલા છે અને સંસારમાં જે કાંઈ સર્વશ્રેષ્ઠ સ્વરૂપે દષ્ટિગોચર થાય છે, તે બધું જ તે છે. નારીને પરિવારનો પ્રાણ અને હૃદય કહેવામાં આવે છે.

મનુસ્મૃતિમાં કહેવામાં આવ્યું છે કે ગૃહસ્વામિની સ્ત્રી પૂજાને યોગ્ય છે. એનામાં અને લક્ષ્મીમાં કોઈ તફાવત નથી. ’  દેવી ભાગવતમાં કહેવામાં આવ્યું છે કે – બધી સ્ત્રીઓ અને બધી વિદ્યાઓ દેવીરૂપ જ છે. નારીના અંતઃકરણમાં કોમળતા, કરૂણા, મમતા, સહૃદયતા તથા ઉદારતાની પાંચ દેવપ્રવૃત્તિઓ સહજરૂપે વધારે છે. આથી તેને દેવી શબ્દથી સન્માનિત કરવામાં આવે છે.

બ્રહ્મપુરાણમાં વ્યાસ – જાબાલિ રૂપે એક આખ્યાયિકા આવે છે. તેમાં વ્યાસજી જાબાલિને બતાવે છે કે – “ હે જાબાલિ ! પુત્ર માટે માતાનું સ્થાન પિતા કરતાં વધારે છે. કારણ કે તે જ એને પોતાના ગર્ભમાં ધારણ કરે છે. પોતાના રસ, રક્ત અને શરીરથી જ નહિ, પરંતુ ભાવનાઓ અને સંસ્કારોથી તેનું પાલનપોષણ કરે છે. આથી તે સર્વશ્રેષ્ઠ માર્ગદર્શક અને કલ્યાણકારક ગુરૂના સ્વરૂપે સ્થાપવા યોગ્ય છે. ”

‘ નાસ્તિ ભાર્યા સમ મિત્રમ્ ‘ માતા પછી બીજું સ્થાન પત્નીનું છે, આ સ્વરૂપમાં તેને સૌથી મહાન મિત્રની ઉપમા આપવામાં આવી છે. જીવનની મુશ્કેલ પરિસ્થિતિઓમાં જ્યારે બધા મિત્રો સાથ છોડી જાય છે. ધન – સંપત્તિનો વિનાશ થઈ જાય છે, શરીર રોગી અને નિર્બળ થઈ જાય છે, એવી સ્થિતિમાં પણ પત્ની જ પુરૂષને સાથ આપે છે. તેની દરેક મુશ્કેલીમાં કદાચ બીજું કંઈ ન બની શકે તો પણ પુરૂષનું મનોબળ, એની આશા અને સંવેદનશીલતાને બળ આપતી રહે છે.

‘ નાસ્તિ સ્વસા સમા માન્યા ” એટલે કે બહેન સમાન સન્માનીય કોઈ નથી. આ સ્વરૂપમાં નારીએ પુરૂષને જે સ્નેહ આપ્યો છે, એનાથી આપણા સામાજિક સબંધો અને જાતીય બંધનો સુર્દઢ બન્યા છે. ભારતીય વીરોને બુરાઇઓ સામે લડવાની પ્રેરણા આપનાર, એમના ગૌરવપૂર્ણ મસ્તક ઉપર તિલક કરનાર બહેનના સબંધ આજે પણ કેટલા મધુર છે, એનો અનુભવ દરેક ભારતીયને રક્ષાબંધનના દિવસે થાય છે.

‘ ગૃહપુ તનયા ભૂષા ‘ અર્થાત્ કન્યાના સ્વરૂપમાં નારી ઘરની શોભા છે. તે પોતાના આનંદપ્રમોદથી ગૃહસ્થજીવનમાં જે સરસતા લાવે છે, તેટલી પુત્ર પણ લાવી શકતો નથી. કન્યા પુત્ર કરતાં વધુ ભાવનાશીલ હોય છે. તેથી તેની પાસેથી મળતા સ્નેહનું મૂલ્ય અને મહત્વ ખૂબ છે.

પોતાનાં ઉપરોક્ત ચારેય સ્વરૂપો દ્વારા માતા, પત્ની, બહેન અને દીકરી ) નારીએ પુરૂષને જે સ્નેહ આપ્યો છે તેની તુલના કોઈપણ દૈવી સત્તાની સાથે સહર્ષ કરી શકાય છે. તેમાં નારીનું પલ્લું ભારે જ રહેશે. આથી તેને દેવી કહેવી તે પ્રત્યેક દૃષ્ટિએ ઉચિત અને ન્યાયપૂર્ણ છે. એના આ ગૌરવને પૂરતી પ્રતિષ્ઠા મળવી જોઇએ.

નારી તારાં પ્યારાં રૂપ ••

નારી તારાં ખારાં રૂપ, પ્યારના પ્યાલા પીવડાવ્યા ખૂબ, વિવિધ તારાં રૂપો વર્ણવતાં, આંખમાં અશ્રુ આવે ખૂબ.

માતા સમાન મૂર્તિ શોધવા, ઠેર ઠેર હું ભટક્યો ખૂબ, અને કરુણાની મૂર્તિ, દુઃખ વેઠી દિવ્ય પ્રેમ દીધો ખૂબ,

ભણાવી ગણાવીને મોટો કીધો, આશીર્વાદ પણ આપ્યા , ખૂબ, સંસારમાંથી તેણે વિદાય લીધી, ત્યારે પોકે પોકે રડ્યો ખૂબ.

બહેની થઈને મારી સાથે, બાળપણમાં રમવા આવી તું, વાળ ખેંચતો, મૂક્કા મારતો, તોપણ ભાઈ ભાઈ કહેતી તું,

રડતી રડતી વિદાય થઈ પણ, રાખડીથી રક્ષા કરતી તું, જ્યારે જ્યારે તું યાદ આવે છે, છાનો છાનો રડતો હૂં.

પત્ની થઇને સમર્પણ કીધું, ત્યાગને બલિદાન કીધાં ખૂબ, લક્ષ્મી બનીને મારે ઘેર પધારી, કામકાજ સંભાળ્યાં ખૂબ,

પરિવારની ઘણી સેવા કીધી, પ્રેમના અશ્રુ વહાવ્યાં ખૂબ, પ્રેમના જે પ્યાલા પીવડાવ્યા, અમૃત તેની આગળ તુચ્છ.

દીકરી થઇને મારે ત્યાં પધારી આનંદ કિલ્લોલ કર્યા ખૂબ, વાળ ખેંચતી, બચકાં ભરતી, લાડ પણ કરતી ખૂબ,

ડગલે પગલે જરૂર પડતાં સેવા મારી કરતી ખૂબ, સાસરે તેને વળાવીને, યાદ આવે ત્યારે રડતો ખૂબ.

માતા, બહેની, પત્નીને પુત્રીથી પ્રભુ ! જીદંગી તે ભરી દીધી,  વિવિધરૂપે સ્નેહની સરિતા વહે, તેવી વ્યવસ્થા કરી દીધી,

પ્રભુ ! જગત આજે શુષ્ક બન્યું છે, લાવો જલ્દી નારી સદી, પ્રેમનાં પીયુષ પી – પીને દુનિયા, થશે ફરીથી હરીભરી.

 ( ‘ યુગો ગાશે ગાથા ’ – માંથી )

અંધવિશ્વાસ કરો : બોધવચન -૧૭  

અંધવિશ્વાસ કરો : બોધવચન -૧૭  

બોધ : આજકાલ અંધવિશ્વાસ મોટા પ્રમાણમાં ફેલાયેલો છે . એની આડમાં ધૂર્ત લોકો ભોળા , ભાવુક લોકોને ઠગે છે . આ જંજાળમાંથી પોતે બચવું જોઈએ અને બીજાઓને બચાવવા જોઈએ . ભાગ્યવાદ , વિચિત્ર વિદત્તીઓ , દેવીદેવતાનું પ્રચલન , ભવિષ્યકથન , મુહૂર્ત વગેરે ભાત્તિઓમાં વિજ્ઞજનોએ ફસાવું ન જોઇએ . લોકમાનસ એટલું બધું ગબડ્યું છે કે એને જે તરફ વાળવામાં આવે તે તરફ વળી જાય છે . સમાજમાં ધર્મના નામે અનેક વિકૃતિઓ ફેલાઈ છે . સામાન્ય લોકોને ધર્મના સાચા સ્વરૂપની ખબર જ નથી .

ધર્મનું સાચું સ્વરૂપ :

શ્રાવસ્તીના સમ્રાટ ચંદ્રચૂડને જુદા જુદા ધર્મો અને તેમના પ્રવક્તાઓ પ્રત્યે ખૂબ આકર્ષણ હતું . રાજ્યનાં કાર્યોમાંથી નવરા પડે ત્યારે તેઓ ધર્મશાસ્ત્રો વાંચતા અથવા તો વક્તાઓને સાંભળતા . આ ક્રમ ઘણા દિવસો સુધી ચાલ્યો . તેઓ વિચારવા લાગ્યા કે જો ધર્મ શાશ્વત હોય તો એમની વચ્ચે મતભેદ અને ઝઘડા શાથી ?

સમાધાન માટે તેઓ ભગવાન બુધ્ધ પાસે ગયા અને તેમને પોતાની દ્વિધા કહી સંભળાવી . બુધ્ધ હસ્યા . એમણે ચંદ્રચૂડનો સત્કાર કરીને રાખ્યા અને બીજા દિવસે સવારે એમના મનનું સમાધાન કરવાનું વચન આપ્યું .

બુદ્ધે એક હાથી અને પાંચ જન્માંધ માણસોને ભેગા કર્યા . પ્રાત : કાળે સમ્રાટને લઈને તથાગત હાથી પાસે ગયા . તેમણે તેમાંના એકને કહ્યું કે તારી સામે જે છે તેને અડકીને કહે કે એનું સ્વરૂપ કેવું છે . વારાફરતી બધા આંધળાઓએ હાથીને અડકીને થાંભલા જેવો , દોરડા જેવો , સૂપડા જેવો વગેરે ગણાવ્યો .

તથાગતે કહ્યું કે રાજન ! પોતાની મર્યાદિત ક્ષમતાને કારણે લોકો ધર્મની એકાંગી વ્યાખ્યા કરે છે અને પોતાની માન્યતા જ સાચી છે એવી હઠ કરીને તેઓ ઝઘડે છે . સાચો ધર્મ તો એકતા , સહિષ્ણુતા , ઉદારતા અને સજ્જનતામાં છે .

જ્યોતિષીનું ભવિષ્ય :

ભાગ્યવાદ , શુકન , નડતર , જ્યોતિષ વગેરેના કારણે ધૂર્ત લોકોને લાભ લેવામાં સરળતા રહે છે .

એક જ્યોતિષી અવારનવાર ભવિષ્યવાણીઓ કરતો અને લોકોને જન્મ મરણની વાતો બતાવતો . એક રાજાને એણે કહ્યું કે એક જ વર્ષમાં તમારું મૃત્યુ થશે .

રાજાને એમાં વિશ્વાસ બેસી ગયો અને એ કારણે તે સૂકાઇને કાંટા જેવો થઇ ગયો . શત્રુઓને આ વાતની ખબર પડી , એટલે તેઓ આક્રમણની તૈયારી કરવા લાગ્યા . મંત્રીને ખૂબ ચિંતા થઇ . રાજાને સમજાવવાના પ્રયત્નો નિષ્ફળ ગયા . તેથી તેમણે એક નવી તરકીબ શોધી .

જ્યોતિષીને ફરી દરબારમાં બોલાવ્યા . જન્યૂ – મૃત્યુની વાતો શરૂ થઇ . કેટલાય દરબારીઓનાં ભવિષ્ય તેમણે બતાવ્યાં . મંત્રીએ એને એના જ મૃત્યુનો સમય પૂછયો . જ્યોતિષીએ કહ્યું કે ત્રીસ વર્ષ પછી હું મૃત્યુ પામીશ .

આ સાંભળીને મંત્રીએ તલવાર ખેંચી અને જ્યોતિષીનું માથું ધડથી જુદું કરી દીધું . પછી રાજાને એમણે કહ્યું કે જો આ જ્યોતિષીને તેમના પોતાના જ મૃત્યુની ખબર નહોતી , તો પછી તે આપના મૃત્યુ વિશે સાચી ભવિષ્યવાણી કઈ રીતે કરી શકે ? રાજાનો ખોટો ભ્રમ હતો તે દૂર થઇ ગયો અને ફરીથી પહેલાની જેમ રાજ્ય કરવા લાગ્યો .

રાજાની સમજણ પાછી આવીઃ

રાજજ્યોતિષીએ સમ્રાટ વસુસેનને જ્યોતિષમાં ખૂબ જ માનતા કરી દીધા હતા . તેઓ મુહૂર્ત પૂછયા વગર કોઇ કામ કરતા નહોતા . શત્રુઓને આ વાતની ખબર પડી . આથી જ્યારે કોઈ સારૂ મુહૂર્ત ન આવતું હોય તેવા સમયે જ આક્રમણ કરવાની તેમણે યોજના ઘડી કે જેથી રાજા પ્રતિકાર ન કરે અને તેને સહેલાઈથી હરાવી શકાય . રાજાના પ્રધાનો અને પ્રજાને પણ રાજાની આ ઘેલછાથી ચિંતા થઈ .

સંજોગવશાત્ રાજા એકવાર રાજ્યમાં પ્રજાની પરિસ્થિતિની તપાસમાં નીકળ્યો . સાથે રાજજ્યોતિષી પણ હતા . રસ્તામાં એક ખેડૂત મળ્યો . તે હળ અને બળદ લઇને ખેતર ખેડવા થઇ રહ્યો હતો .

રાજજ્યોતિષીએ તેને અટકાવીને કહ્યું , “ મૂર્ખ , તને ખબર નથી કે તું જે દિશામાં જાય છે એમાં દિકશૂળ છે ? એમ કરવાથી તારે ભયંકર નુકશાન સહન કરવું પડશે . ”

ખેડૂત દિશાશૂળની બાબતમાં કશું જાણતો નહોતો . એણે નમ્રતાપૂર્વક કહ્યું કે હું ત્રીસે ત્રીસ દિવસ આ જ દિશામાં જઉં છું . તેમાં દિશાશૂળવાળા દિવસો પણ આવતા હશે . જો તમારી વાત સાચી હોય તો ક્યારનોય મારો સર્વનાશ થઈ ગયો હોત .

જયોતિષીનું મોં સિવાઈ ગયું . પોતાનો ક્ષોભ દૂર કરવા તેઓ બોલ્યા , “ મને લાગે છે કે તારી કોઇક હસ્તરેખા પ્રબળ હોવી જોઇએ . બતાવ જો તારો હાથ . ”

ખેડૂતે હાથ તો ધર્યો . પરંતુ હથેળી નીચેની તરફ રાખી . આથી જ્યોતિષી ખૂબ ખિજાયા . તેમણે કહ્યું કે તમને એટલીય ખબર નથી કે હસ્તરેખા બતાવવા હથેળી ઉપરની તરફ રાખવી જોઇએ ?

ખેડૂત હસ્યો , તેણે કહ્યું , “ હથેળી તો એ માણસ ધરે જેને કાંઈક માગવું હોય . જે હાથથી કમાઈને હું ગુજરાન ચલાવું છું તે હાથ હું શા માટે કોઇની આગળ ધરૂ ? ”

આ જોઇને રાજા વિચાર કરતો થઈ ગયો અને જ્યોતિષીની ભ્રમજંજાળમાંથી મુક્ત થયો .

અન્ય નાની – મોટી ભ્રમણાઓઃ

કુંડળીમાં મંગળદોષનું કારણ બતાવી કેટલાય લોકોએ સુપાત્રો ગુમાવ્યાં છે . મંગળ કોઇનું અમંગળ કરતો નથી તેવા દાખલા દલીલો સાથે ભિન્ન ભિન્ન મથાળાં સાથે દૈનિક કે માસિક પત્રિકાઓમાં લેખો આવે છે . હવે તો લોકો પોતાને ત્યાં સંતાનનો જન્મ થાય ત્યારે કુંડળીમાં મંગળદોષ ન આવે તે રીતે સમય તથા તારીખ લખાવે તે બનવાજોગ છે . આવી ખોટી કુંડળીના ભોગ બનવા કરતાં મંગળ દર્શાવતી સાચી કુંડળીવાળા સજ્જન ક્યાંથી નડવાના ?

સમાચારપત્રોમાં , ટી.વી.માં તથા વિવિધ ચોપાનીયાં દ્વારા અધધ ! કેટલા પ્રકારના નડતરો અને મુશ્કેલીઓ દૂર કરનારા કેટલા બધા મદદકર્તાઓ હરીફાઈ કરતા હોય તેમ દેખાય છે . જો કે તેમની પોતાની કેટલી મુશ્કેલીઓ હશે અને કેટલી આર્થિક તંગી પણ હશે તેનો અંદાજ લગાવી શકાય . પરંતુ તેઓ પોતાના કરતાં બીજાની પરવાહ કરે છે .

કેટલાક જ્યોતિષીઓ તો કમિશનથી સર્વેયરો નીમે છે . જે હોટલ , ગલ્લે , નજીકની દુકાનેથી કોઇ કુટુંબની મુશ્કેલીઓ જાણી યેન કેન પ્રકારેણ ગ્રાહક ખેંચી લાવે છે .

હકીકતમાં પાકા અને સાચા જાણકાર જ્યોતિષીઓ બહુ જૂજ હોય છે , તેઓ ખોટી ભ્રમજંજાળ ફેલાવતા નથી . સાચો રસ્તો તો એ છે કે પુરૂષાર્થ વગર ભાગ્ય કોઇ બદલી શકતું નથી . ભગવાન જે કરતા હશે તે સારા માટે હશે તે વિશ્વાસ સાથે કર્મ કરતા રહેવું તે જ હિતાવહ છે . મનમાં શંકાનો કીડો ઘુસાડી કમાણી કરનારા પણ અનેક છે . શંકા ડાકણની જેમ ખાઈ જાય છે માટે , તેના જન્મદાતાથી દૂર રહેવામાં જ ડહાપણ છે .

વૈષ્ણવજન તો તેને કહીએ

વૈષ્ણવજન તો તેને કહીએ , જે પીડ પરાઈ જાણે રે ;

પરદુ:ખે ઉપકાર કરે તોયે , મન અભિમાન ન આણે રે . વૈષ્ણવ …

સકળ લોકમાં સહુને વંદે , નિંદા ન કરે એ કેની રે ;

વાચ , કાચ , મન નિશ્ચલ રાખે , ધન ધન જનની તેની રે . વૈષ્ણવ ..

સમદષ્ટિ ને તૃષ્ણ ત્યાગી , પરસ્ત્રી જેને માત રે ;

જીહ્વા થકી અસત્ય ન બોલે , પરધન નવ ઝાલે હાથ રે . વૈષ્ણવ ..

મોહ માયા વ્યાપે નહિ જેને , દૃઢ વૈરાગ્ય જેના મનમાં રે ;

રામનામ શું તાળી રે લાગી , સકળ તીરથ તેના તનમાં રે . વૈષ્ણવ ..

વણલોભી ને કપટ રહિત છે , કામ ક્રોધ નિવાર્યા રે ;

ભણે નરસૈયો તેનું દરશન કરતાં , કુળ ઈકોતેર તાર્યા રે . વૈષ્ણવ .. નોંધ : ઉપરોક્ત પ્રાર્થના ગાંધીબાપુ સાબરમતી આશ્રમમાં ગવડાવતા . તેમાં આધ્યાત્મિક જીવનનો સાર છે . દરેક સદ્દગૃહસ્થ સાયં સંધ્યા સમયે સહકુટુંબ ગાવાની ટેવ પાડવાથી મનને શાન્તિ તથા આત્મબળ મળશે . ઘરમાં જો બાળક હોય તો તે ગવડાવે , બાકીના ઝીલે તો અતિ સુંદર

ખોટા રિવાજો અને રૂઢિઓથી બચો : બોધવચન -૧૬  

ખોટા રિવાજો અને રૂઢિઓથી બચો : બોધવચન -૧૬  

બોધ : કુરિવાજોનું આક્રમણ લગભગ ગૃહસ્થજીવનમાં જ થાય છે . અવિકસિત બુધ્ધિવાળા લોકો પ્રચલનોને જ સર્વસ્વ માને છે તથા દુરાગ્રહને કારણે તેને છોડી શકતા નથી . વર્તમાન સમયમાં જે પ્રથાઓ બિનઉપયોગી છે તેમને પણ દેખાદેખીથી અપનાવે છે . લગ્નમાં પેટાજ્ઞાતિ તેમજ જ્ઞાતિઓનું બંધન દૂર કરવું જોઈએ . ધૂમધામ ભરેલા લગ્ન સમારંભો આજના સમયમાં યોગ્ય નથી . આજ રીતે મૃત્યુભોજન અને નવા સ્વરૂપે માથું ઉચકી રહેલ જીવનપર્વ ( જીવતીયું ) , ભિક્ષા વ્યવસાય , ઉચનીચના ભેદભાવ , પડદા પ્રથા વગેરે કુરિવાજોથી અનહદ નુકશાન થાય છે . લાંચ રૂશ્વત અને અનીતિનું મૂળ છે – ખોટા ખર્ચાઓ . સમાજહિત તથા રાષ્ટ્રહિતમાં સમજદાર લોકોએ આ બંધ કરવા જોઈએ . બાળલગ્નો બંધ , પરંતુ વિધવા તથા ત્યકતા તથા વ્યાજબી કારણોથી થતા છૂટાછેડાનો ભોગ બનેલ સ્ત્રીઓને ગૃહસ્થજીવનના પુન : સ્થાપનમાં મદદ કરવી જોઇએ .

વીર હમીરનું વિધવા સાથે લગ્ન :

રાજવી હઠીલા હમીરનું રાજસ્થાનના ઈતિહાસમાં આગવું સ્થાન છે . વિવેકબુદ્ધિથી એમને જે યોગ્ય લાગે તે કરતા અને લોકનિંદાથી ડરતા નહીં . તે જમાનામાં કે જ્યારે વિધવા વિવાહ ઉપર પ્રતિબંધ હતો , તે ગેરવ્યાજબી જણાતાં તેમણે વિધવા સાથે લગ્ન કરવાનું નક્કી કર્યુ . આ સાંભળીને પરિવારના સભ્યો ગુસ્સે થયા . એમ કરવામાં રાજવંશની આબરૂ નષ્ટ થઇ જાય એવું માનતા હતા . પંડિતો દ્વારા એમને કહેવડાવ્યું કે વિધવા અપશુકનિયાળ હોય છે . એની સાથે લગ્ન કરે તેનું અશુભ થાય છે .

હમીરસિંહે કોઈની પરવા ન કરી . પોતાના નિશ્ચયમાં તેઓ અડગ રહ્યા . કેટલાક સાથીઓ અને સૈનિકોને જાનમાં લઈ ગયા . લગ્ન કરીને આવ્યા ત્યારે પણ વિરોધ થયો .

હમીરસિંહ જ્યારે મેવાડના શાસક બન્યા ત્યારે વિરોધ કરનારા સહયોગી બની ગયા અને નિંદકો પ્રસંશા કરનારા બની ગયા . પંડિતોએ ઘોષણા કરી કે , વિધવા નાસ્તિ અમંગલમ્ ” અર્થાત્ વિધવાવિવાહમાં કોઈ દોષ નથી . આ જોઈને બીજા અનેક લોકોએ તેનું અનુકરણ કરી વિધવાઓનું જીવન પલ્લવિત કર્યું .

મહર્ષિ કર્વેએ પોતે જ ડગલું ભર્યુંઃ

મહર્ષિ કર્વેનારી ઉત્થાનની અનેક યોજનાઓ ઘડતા હતા , પણ નક્કર કામ થઈ શકતું નહોતું . વિધવા સાથે લગ્ન કરવાથી એમને નાત બહાર મૂકવામાં આવ્યા . ખરું – ખોટું સંભળાવનારાઓ સાથે એમને પોતાની વાત રજૂ કરવી પડી . આ રીતે લોકચર્ચાની તક મળી . રૂઢિચુસ્તોનાં મોં સિવાઈ ગયાં અને પ્રગતિશીલ લોકો તેમને સહકાર આપવા આગળ આવ્યા .

મહર્ષિ કર્વેએ નારીશિક્ષણ માટે વિદ્યાલય શરૂ કર્યું . એમાં સુધારાના સમર્થકોએ પોતાની છોકરીઓ મોકલવા માંડી . ગલીએ ગલીએ સમાજસુધારા માટે સભાઓ ભરાતી અને એમાં થતી ચર્ચાઓ નીતિ અને ન્યાયની કસોટીમાંથી પાર ઉતર્યા પછી વિચારશીલ લોકોએ સ્વીકારી .

જો વિચારમંથનનો આવો પ્રસંગ ઊભો ન કરવામાં આવ્યો હોત , તો સુધારણા થઇ શકી ન હોત .

રણચંડી દુર્ગાવતીઃ

દુર્ગાવતીનાં લગ્ન ગઢમંડલાના રાજા દલપતસિંહ સાથે થયાં . લગ્ન થયે બે વર્ષ પણ નહોતાં થયાં કે તેઓ વિધવા બન્યા . કુટુંબીઓ રાજ્ય પર . કબજો જમાવવા ઇચ્છતા હતા , તેથી તેઓ રાણીને સતી થવાની પ્રેરણા આપતા હતા . રાણીએ આ રીતે આત્મહત્યા કરવાનો ઈન્કાર કર્યો અને એમણે બુદ્ધિપૂર્વક રાજ્ય સંભાળ્યું . પડોશીઓ નાના રાજ્યને હડપ કરી જવા ઈચ્છતા હતા . તેથી અવારનવાર હુમલા કરતા હતા . રાણીએ એ બધાને એવા જડબાતોડ જવાબ આપ્યા કે તેમને પાછા વળી જવું પડ્યું .

એક વિશ્વાસઘાતી સરદાર દિલ્હીના બાદશાહને જઈને મળ્યો . એણે ખૂબ મોટી સેના સાથે આક્રમણ કર્યું . રાણી જાતે મોરચો લઈને ગયાં અને પોતાના કરતાં દસગણી મોટી સેનાના હાંજા ગગડાવી નાખ્યા . એ દરમિયાન શત્રુનું એક તીર આંખમાં અને બીજું ગરદનમાં વાગ્યું . બચવાની કોઈ આશા ના રહી ત્યારે રાણીએ દુશ્મનોના હાથે પકડાવું ન પડે એ માટે પેટમાં કટાર ભોંકીને જીવનનો અંત આણ્યો . સતી થવાની આ જ સાચી રીત છે .

જેમણે સ્ત્રી અને શુદ્રોની દૃઢતાથી વકીલાત કરી :

મલયાલમના ક્રાંતિદૂત કુમારન આશાનને માત્ર બે જ ભાવ ગ્રંથો લખ્યા છે . એક ‘ વિચારમગ્ન સીતા ‘ અને બીજો ‘ ચાંડાળ ભિક્ષણી ’ – આ બંને ગ્રંથોમાં ભારતની બે મુખ્ય સમસ્યાઓ પર તર્ક , ન્યાય , વ્યવહાર , પરિણામ , નિરાકરણ વગેરેની ચર્ચા કરી છે . તે સમસ્યાઓ પૈકી એક અડધી વસ્તી સ્ત્રીઓની છે અને બીજી તે ચોથા ભાગની અસ્પૃશ્યોની છે . એમને નાગરિક અધિકારોથી વંચિત રાખીને દેશ કઈ રીતે લકવાના દર્દીની જેમ નિષ્ક્રીય અને નિષ્ઠભ બની ગયો છે તેની ઉપર વેધક પ્રકાશ પાડ્યો છે . તેમણે સિધ્ધ કર્યું છે કે આ દૂષણો રહે તો ભારત દેશને ધાર્મિક , આધ્યાત્મિક , ન્યાયપ્રિય અને પ્રગતિશીલ કહી શકાય નહીં .

કુમારન આશાનનાં આ પુસ્તકોએ એમના જમાનામાં મલયાલમ સમાજમાં એક પ્રકારની હલચલ મચાવી દીધી હતી . એના પરિણામે અનેક વિચારશીલ લોકો એ દૂષણો દૂર કરવા આગળ આવ્યા હતા અને સારી સફળતા મેળવી હતી .

અછૂતોના ઉધ્ધારક ભીમરાવ આંબેડકર :

ડૉ . ભીમરાવ આંબેડકર ઇન્દોર ડીવીઝનના મરૂસ્થાનમાં જન્મ્યા હતા . પરદેશ જઈને તેઓ ડૉક્ટરેટ થયા . બેરીસ્ટર બનીને ભારત પાછા આવ્યા . એમની અધ્યયનશીલતા ગજબની હતી . એમની પોતાની લાયબ્રેરી જોઈને લોકો દંગ રહી જતા .

તેઓ મહાર ( અછૂત ) જાતિના હતા . અછૂતો પ્રત્યે સવર્ણોનો જે દુર્વ્યવહાર હતો , તે એમને ખટકતો હતો . મંદિર પ્રવેશ તથા કૂવામાંથી અથવા જળાશયમાંથી પાણી ભરવાના પ્રશ્ન તેમણે સત્યાગ્રહો પણ કર્યા હતા . એકવાર રોષને કારણે પોતાને બૌધ્ધ પણ જાહેર કર્યા , પરંતુ તેમની મનોવૃત્તિ અલગતાવાદી નહોતી . પ્રચલિત કુરિવાજોને તેઓ દૂર કરવા ઈચ્છતા હતા .

એમને ભારતીય બંધારણના ઘડવૈયા કહેવામાં આવે છે . તેઓ અર્થશાસ્ત્રના મહાન વિદ્વાન હતા . પાઉન્ડ , ડોલર અને રૂપિયાના વિનિયમના કારણે ભારતને જે માર ખાવો પડતો હતો તેનું રહસ્ય તેમણે છતું કર્યું અને દેશને એ ગોરખધંધામાંથી બચાવીને સાચી આર્થિક નીતિ અપનાવવાનું માર્ગદર્શન આપ્યું . આંબેડકરની દેશભક્તિમાં કોઈને ક્યારેય શંકા થઈ નથી .

સતીપ્રથાના કટ્ટર વિરોધી રાજા રામમોહનરાય :

રાજા રામમોહનરાયે પોતાની ભાભીને સતી થતાં જોયાં હતાં . એમને ખબર પડી ગઇ કે વિધવાના ભરણપોષણની જવાબદારીમાંથી બચવા તથા એમની સપત્તિ પડાવી લેવા માટે કુટુંબીઓએ તે દુખિયારીને સતી થવા માટે તૈયાર કરી હતી . ચિતા ઉપર ચઢતાં તેણી જ્યારે ભયભીત થઇ ત્યારે તેને એમાં ધકેલીને બાળી મૂકી હતી . બાળક રામમોહનરાયે પ્રતિજ્ઞા કરી કે તેઓ આ કુરિવાજો દૂર કરીને જ ઝંપશે . મોટા થઈને તેમણે પોતાની પ્રતિજ્ઞા પુરી કરવા માટે અથાક પ્રયત્નો કર્યા . આ કુરિવાજ વિરૂધ્ધ વાતાવરણ ઉભું કરવામાં તથા કાયદો પસાર કરાવવામાં એમણે પોતાની સંપૂર્ણ શક્તિ કામે લગાડી અને અંતે તે સફળ થયા .

માલવિયાજીની પરમાર્થવૃત્તિ :

પંડિત મદનમોહન માલવીયાજીએ કેટલાય ધનાઢ્યોના અંતરમાં સતપ્રવૃત્તિઓ માટે ઉદારતા જગાડી હતી . એક વખત રક્ષાબંધનના પવિત્ર પર્વ વખતે બિકાનેર નરેશનો દરબાર ભરાયો હતો . રાજકારે બ્રાહ્મણોની લાઇનમાં માલવિયાજી નાળીયેર લઇને ઉભા હતા . પ્રત્યેક બ્રાહ્મણ નરેશની પાસે જઈને રાખડી બાંધતો અને દક્ષિણાના રૂપમાં એક રૂપિયો પ્રાપ્ત કરીને ખુશ થઇ ઘેર પાછો ફરતો . માલવિયાજીનો નંબર આવ્યો . તેઓ પણ નરેશની પાસે ગયા . રાખડી બાંધીને નાળીયેર ભેટ આપ્યું તથા સંસ્કૃતમાં સ્વરચિત આશીર્વચનો કહ્યાં . જ્યારે નરેશને ખબર પડી કે આ માલવિયાજી છે ત્યારે તેઓ ખૂબ ખુશ થયા . માલવિયાજીએ વિશ્વવિદ્યાલયની રસીદબુક તેમની સામે મૂકી . નરેશે તત્કાળ એક હજાર મુદા લખીને સહી કરી દીધી . માલવિયાજીએ સમગ્ર વિશ્વવિદ્યાલયની રૂપરેખા નરેશ સામે મૂકી . એની પાછળ થનારો અંદાજી ખર્ચ તથા સમાજને મળનાર લાભ અંગે પણ ખ્યાલ આપ્યો . એ સાંભળી નરેશ મુગ્ધ થઈ ગયા અને વિચારવા લાગ્યા કે આટલા મોટા કાર્યમાં એક હજાર મુદાઓથી શું વિસાત ? એમણે પહેલાં લખેલી રકમ ઉપર બે મીંડાં ચઢાવી દીધાં અને સાથે સાથે પોતાના કોષાધ્યક્ષને એક લાખ મુદ્રાઓ આપવાનો આદેશ કર્યો .

શ્રમ અને સાદગી અપનાવો, બોધવચન -૧૫ 

શ્રમ અને સાદગી અપનાવો, બોધવચન -૧૫ 

બોધ : યુવાનીમાં દરેક જણે કમાવું પડે છે . પ્રત્યેક માણસ માટે એ યોગ્ય પણ છે અને આવશ્યક પણ છે . દરેકે શ્રમ કરીને કમાણી કરવી જોઈએ . કમાણીમાં ઈમાનદારી રાખવામાં આવે અને તેને બિનજરૂરી વેડફી નાખવી ન જોઈએ . ખોટા શૃંગાર , સજાવટ , અપવ્યય થાય તેવું પ્રદર્શન , આડંબર તથા વ્યસનોમાં મોટાઈ ન સમજવી જોઈએ . સાદગીમાં ઉત્કૃષ્ટ જીવન રહેલું છે . પ્રદર્શનપ્રિય અહંકારીઓ આર્થિક તંગી ભોગવે છે અને દેવાદાર બને છે .

સૌથી પહેલાં સ્વાવલંબન :

પુત્રે યુવાન થતાં જ માતાપિતાની જવાબદારી સંભાળી લેવી એ મોટામાં મોટું પુણ્ય છે . મહામાનવો પારિવારિક જવાબદારીઓ અદા કરવી તેને પરમાર્થનું જ કામ ગણે છે .

એન્ડ્રુ કાર્નેગી નામનો મજુર આખો દિવસ મહેનત કરીને માસિક રૂા .૧૫ કમાતો હતો અને તેની સ્ત્રી અમીરોનાં કપડાં ધોઈ થોડું કમાતી હતી . આવી સ્થિતિમાં પણ કુટુંબમાં ભારે પ્રેમ હતો . એકનો એક દીકરો પોતાની માતાને આશ્વાસન આપતો કે હું હજુ મોટો થઇ બહુ કમાઇશ અને તમારી આવી સ્થિતિ નહીં રહેવા દઉં . પરિશ્રમ અને સુઝ સમજણના આધારે એમણે બધાએ મળી સખત પરિશ્રમ કર્યો અને માસિક આવક પંદર હજાર સુધીની થઇ ગઇ .

માતાએ કરેલ શ્રમ અને વેઠેલ દુઃખ તેણે જોયાં હતાં . તેથી લગ્નનો પ્રશ્ન આવ્યો તો એણે સ્પષ્ટ ઈન્કાર કર્યો . માતાને અસીમ પ્રેમ કરનાર પાછળથી કરોડપતિ બનેલ તે દીકરાએ માતા જીવી ત્યાં સુધી લગ્ન ન કર્યું . માતાના અવસાન પછી ૫૨ વર્ષની ઉંમરે તેણે લગ્ન કર્યું .

શાસ્ત્રીજીનો કોટ :

રાષ્ટ્રમંડળના પ્રતિનિધિઓ ( પ્રધાનમંત્રીઓ ) ના સંમેલનમાં ભાગ લેવા વડાપ્રધાન શ્રી લાલબહાદુર શાસ્ત્રીને લંડન જવાનું હતું . એમની પાસે બે જ કોટ હતા . એમાંથી એકને તો મોટું કાણું પડી ગયું હતું . શાસ્ત્રીજીના નજીકના મિત્ર શ્રી વેંકટરમણે નવો કોટ સીવડાવી લેવાનો આગ્રહ કર્યો , પણ શાસ્ત્રીજીએ ઇન્કાર કરી દીધો . શાસ્ત્રીજી હસીને બોલ્યા , “ આ વખતે તો જૂના કોટને ઊંધો કરી દો . જો બરાબર નહીં લાગે તો બીજો સીવડાવીશ . જ્યારે તે કોટ દરજીને ત્યાંથી આવ્યો તો મરામત કરાવી છે એવી ખબર પણ ના પડે તેવો થઈ ગયો હતો . તેઓ એ જ કોટ પહેરીને લંડન સંમેલનમાં ગયા . આવી સાદગી શાસ્ત્રીજીમાં હતી .

ગાંધીજી તથા કાગળોની કતરણ :

ગાંધીજીની સામે ટપાલનો ઢગલો હતો . તેઓ આવેલા દરેક કાગળને ધ્યાનથી વાંચતા હતા અને જે ભાગ કોરો હોય તેને કાતરથી કાપી અલગ મૂકતા હતા . એક સજ્જન ત્યાં પાસે બેઠેલા હતા અને આ ક્રિયા જોતા હતા . એમણે આશ્ચર્યથી પૂછયું કે , “ તમે આ કતરણને એકબાજુ કેમ ભેગી કરો છો ? એનો શું ઉપયોગ છે ? ”

ગાંધીજીએ કહ્યું , “ મારે જ્યારે પત્રના જવાબ આપવાના હોય છે , ત્યારે આ કતરણનો ઉપયોગ કરૂ છું . જો એવું ન કરૂં તો આ કાગળ નકામા જશે અને એનાથી બે પ્રકારની હાનિ થશે . એક તો બિનજરૂરી ખર્ચમાં વૃદ્ધિ થાય અને બીજું રાષ્ટ્રીય સંપત્તિ નષ્ટ થશે . કોઇપણ દેશમાં જે વસ્તુઓ હોય તે રાષ્ટ્રની સંપત્તિ છે . આપણો દેશ ગરીબ છે એટલે આપણે કોઇપણ ચીજનો દુરૂપયોગ ન કરવો જોઇએ . ”

સાદગીમાં સુખઃ

હેનરી ફોર્ડ અમેરિકાના એક મહાન ધનાઢ્ય માણસ હતા . પરંતુ તેઓ ખૂબ સાદાઈથી રહેતા હતા . તેમનો એક કોટ જૂનો થઇ ગયો હતો અને ફાટવા લાગ્યો હતો . તેમના સચિવે કહ્યું કે નવો સૂટ સિવડાવવો જોઈએ . લોકો શું કહેશે ?

ફોર્ડ હસ્યા અને કહ્યું , “ હમણાં તો એને રીપેર કરાવી લેવાથી કામ ચાલશે . મને બધા ઓળખે છે કે હું ફોર્ડ છું , તેથી સૂટ બદલવાથી મારી સ્થિતિમાં કોઈ ફેર પડવાનો નથી . ”

આ વાતને ઘણો સમય થઇ ગયો . એ જૂના સૂટથી કામ ચાલતું રહ્યું . ઘણા દિવસો પછી ફોર્ડને ઈંગ્લેન્ડ જવાનું થયું , તેથી સેક્રેટરીએ ફરીથી એમને સૂટ બદલવાની વાત કરી . તેમણે કહ્યું કે બીજા દેશમાં જાઓ છો , તેથી પોશાક સુંદર હોવો જોઈએ .

ફોર્ડ ગંભીર થઇ ગયા અને બોલ્યા , “ એ દેશમાં મને કોણ ઓળખે છે કે જેથી તેમની પર વટ પાડવા હું નવો પોશાક સીવડાવું ? અજાણ્યા માણસના કપડાં તરફ કોણ ધ્યાન આપે છે ? ” સેક્રેટરી નિરુત્તર બની ગયા . ફોર્ડ એ સૂટ ધોવડાવીને જ ઇંગ્લેન્ડ ગયા .

આવી હોય છે મહાપુરૂષોની સાદાઈ . એમના આવા ગુણોને લીધે જ તેઓ શ્રધ્ધાસ્પદ અને વૈભવશાળી બને છે .

લગ્નના ખર્ચા મોંઘવારી વધવા સાથે , લગ્નોમાં થયા ફેરફાર , બે પાંચ દિવસને બદલે , હવે એક ટંકમાં લગ્ન થાય ,

બે નંબરના પૈસા ક્યાં નાખવા , ગરબાનો વધાર્યો ભાર , પાર્ટી , ખાણી – પીણીથી ખર્ચા , લગ્નને પણ આંબી જાય .

વરઘોડામાં છોકરા છોકરીઓ નાચે , બેન્ડ વાજાંની સાથ , ગુપ્ત નિશાનીઓ મુકેલી હોય છે , દારુ પીવા જાય ,

પેગ ઉપર પેગ લગાવે છે , નવા ટ્રેનીંગ લેતા જાય , પીવો હોય એટલો પીવો , મફતિયો મળ્યો માલ .

દારુડિયાઓ વધતા જાય છે , યુવાની બને છે બેહાલ , ધર્મના ટેકેદારો ચૂપ છે , સંઘર્ષના નથી હાલ હવાલ ,

ડાહી ડમરી વાતો થાયને , ઉપદેશોનો મારો થાય , મંજીરાને તબલાં મૂકી દો , સંઘર્ષથી અટકાવો સત્યાનાશ .

માત્ર સૂત્રો પોકારવાથી કે સરઘસોથી સુધારો ના થાય , રોગનાં મૂળ કાપો , જૂથે વરઘોડા બંધ કરાવવા જાવ ,

સમજાવવાથી ના સમજે તો , કાયદાનો કરો ઉપાય , સુધાર કરતાં બગાડ વધુ , આ એક માત્ર છે ઉપાય .

સવારમાં જાન આવે , સ્વાગત બાદ લગ્ન ગોઠવાય ,  બપોર પછી જાન વિદાય થાય ને , બધુ જ પતી જાય ,

બે નંબરીઓને શું કહેવું ? રીશેપ્શન ગોઠવતા જાય , હસ્ત મેળાપે રીશેપ્સન હતું કે એકશન ? કરો વિચાર .

 હિન્દુઓમાં બદી બહુ છે , સમાજ થતો જાય બેહાલ , ખ્રિસ્તી , મુસલમાનોમાં જોયા , આવા ખોટા ઠાઠ માઠ ?

સદ્બુધ્ધિને શરણે જઈને , ખોટા ખર્ચાઓનો કરો અંત , જો આ અંત નહી થાય તો , જરૂર થશે આપણો અંત .

( “ સત્યુગની વાણી ” માંથી )

સ્નેહ – સૌજન્ય વધારો, બોઘવચન -૧૪

સ્નેહ – સૌજન્ય વધારો, બોઘવચન -૧૪

બોધ : એકબીજાના સૌજન્યના સહારાથી બે સાથીઓ વચ્ચે જ મિત્રતા ટકે છે . જેઓ આજીવન એક બંધનમાં બંધાઈ ચૂક્યાં છે , તેમણે તો સહનશીલતાનો અભ્યાસ વધારે સારી રીતે કરવો જોઈએ . એકબીજા પ્રત્યે એકનિષ્ઠભાવથી સમર્પિત થઇ જીવન જીવે તો ગૃહસ્થ જીવન સ્વર્ગથી પણ વધારે મધુર બને છે . માત્ર પત્ની જ પતિપરાયણ હોય એવું નહીં , પતિએ પણ પત્ની પ્રત્યે એટલું જ કર્તવ્યનિષ્ઠ ચિંતન તથા વ્યવહાર રાખવા જોઈએ . તો જ બંનેનું સહજીવન સાર્થક થાય . સસંકલ્પનું આ વાકય – “ અમે પતિવ્રતા ધર્મ તથા પત્નીવ્રત ધર્મનું નિષ્ઠાથી પાલન કરીશું . ‘ તે જીવનમાં ઉતારવું જોઈએ ,

દરેક પરિસ્થિતિમાં હંમેશાં પ્રસન્ન :

પત્ની પોતાનાથી જુદા સ્વભાવની હોય તો શું થઇ ગયું ? સારી નીતિ અપનાવી સુખી જીવન જીવી શકાય છે . તેનું ઉદાહરણ નીચે મુજબ ત્રણ સંતોના જીવનમાંથી મળે છે .

સંત એકનાથ વિઠ્ઠલના મંદિરે દર્શન કરવા ગયા . તેમનાં ધર્મપત્ની ગુણવાન , સુયોગ્ય અને સત્કાર્યોમાં સહકાર આપતાં હતા . એમણે ભગવાનનો આભાર માનીને કહ્યું કે હે કૃપાલુ ભગવાન ! આપે મને સ્ત્રીસંગના નામે સત્સંગ કરે તેવી પત્ની આપી છે , તમે મારી ઉપર કેટલી બધી કૃપા કરી છે ?

સંત તુકારામની પત્ની કર્કશા હતી . સત્કાર્ય કરવામાં તેણીને જરાપણ રૂચિ નહોતી . હંમેશાં તુકારામને પરેશાન કરતી . એમણે ભગવાનને પ્રાર્થના કરી કે , “ હે ભગવાન , હે કરૂણાનિધાન , આપે મને ઘરની આસક્તિથી બચાવવા આવી પત્ની આપી છે કે જેથી મારૂ મન રાગ કે મોહમાં ફસાઈ ન જાય . તમે મારી ઉપર ઘણી કૃપા કરી છે . ”

નરસિંહ મહેતાનાં પત્ની નાની ઉંમરે મૃત્યુ પામ્યાં , ત્યારે નરસિંહ મહેતાએ ગાયું કે , “ ભલું થયું ભાંગી જંજાળ , સુખે ભજીશું શ્રી ગોપાળ . ” એટલે કે સારૂ થયું કે કુટુંબની આ ઝંજટ આપમેળે જ ટળી ગઈ . હવે મન દઈને શ્રીગોપાળનું ભજન કરી શકીશ .

સત્પુરૂષ ગમે તે પરિસ્થિતિમાં પોતાનું હિત સમાયેલું માને છે .

પરસ્પરના સહયોગનું ફળઃ

વિશ્વવિખ્યાત સંગીતના જાણકાર પાઠલોકાસાલ કહેતા કે દુનિયાને મૃત્યુથી બચાવવા માટે સંગીત સૌથી મોટું શસ્ત્ર બની શકે છે . માર્ટિન લ્યુથર કીંગનું આ કથન પણ ઘણું પ્રખ્યાત છે કે મનુષ્યજાતિને ભગવાને આપેલા વરદાનોમાં સૌથી ભવ્ય વરદાન સંગીત છે .

એવાં અનેક કથનોને જાપાનના એક સંગીતના વિદ્યાર્થી શિનીચી સુઝુકીએ પોતાનું જીવન દર્શન બનાવ્યું અને તેણે એની પાછળ જીવન સમર્પી દીધું . એણે માત્ર સંગીત વિદ્યાલય ખોલીને એ મહાવિજ્ઞાનનો આજીવન વિકાસ કર્યો , એટલું જ નહીં , પણ સામાન્ય લોકોને સંગીતથી પરિચિત કરાવવા માટે ઘેરઘેર જઈ સંગીતનો પ્રચાર કર્યો .

સુઝુકીએ પોતાની પત્ની પણ એવી શોધી કે જે એના મિશનમાં ખભેખભો મેળવી ઉત્સાહથી કામ કરી શકે . પિયાનોવાદનની જાણકાર બાસ્ટ્રાઈડની સાથે એણે એ શરતે લગ્ન કર્યું કે બંને મળીને સંગીતની સેવા કરશે . લગ્ન પછી ‘ ટેલેન્ટ એજ્યુકેશન ઈન્સ્ટીટ્યૂટ’ની સ્થાપના કરી અને તેણી એમાં મન દઈને કામ કરવા લાગી . આ સંસ્થાની ૭૦ શાખાઓ આખા જાપાનમાં ચાલે છે . આ વિદ્યાલયોએ આશરે દોઢ હજાર પ્રખ્યાત સંગીતકારોનું નિર્માણ કર્યું છે .

સુઝુકી કહે છે , “ શુધ્ધ સંગીત મનુષ્યમાં ભાવના અને સંવેદના જગાડે છે . અનુશાસન , સહિષ્ણુતા અને કોમળતાને જગાડે છે . હૃદયને ભાવના તથા સંવેદનાને પોષણ આપવામાં સંગીતની પોતાની ભૂમિકા છે . તેની પત્ની કહેતી કે અમારી ઈચ્છા છે કે જાપાનનું દરેક બાળક સહૃદય અને આદર્શવાદી ભાવનાઓથી સુસંપન્ન બને . પતિ – પત્નીએ સાથે મળીને કામ કર્યું તેનાથી અનેક લોકોને પ્રેરણા અને નવું જીવન મળ્યું . સહયોગનું પરિણામ હંમેશા મહાન હોય છે .

હું એના આત્માને રડાવીશ નહીં :

સંત ચ્યોગસુ ઉચ્ચ કોટિના દાર્શનિક હતા અને સાથે સાથે આદર્શ સદ્ગૃહસ્થ પણ હતા . એમના આનંદિત દામ્પત્યજીવનની બધા પ્રસંશા કરતા હતા . ઓગસુની પત્નીનું અવસાન થઇ ગયું . શોક પ્રગટ કરવા અને આશ્વાસન આપવા દેશમાંથી મોટા લોકો આવ્યા . ચીનના રાજા પણ આવ્યા હતા . રાજાએ જોયું તો ઓગસુ પત્નીની કબર નજીક બેસી સિતાર વગાડતા ગીત ગાવામાં મશગુલ હતા . આશ્ચર્યચકિત થઈને રાજાએ શોકના પ્રસંગે આવો આનંદ કરવાનું કારણ પૂછ્યું , તો સંતે જવાબ આપ્યો કે , “ જે સાથીને મેં આખું જીવન પ્રસન્નતાની વાતો સંભળાવી અને મેં પણ સાંભળી , એના મૃત્યુ પછી મારી વ્યથા સંભળાવી એના આત્માને રડાવવા માગતો નથી . ” આ છે સાચો …

નર અને નારી એકબીજાના પૂરક, બોધવચન -૧૩  

નર અને નારી એકબીજાના પૂરક, બોધવચન -૧૩  

બોધ : પતિ – પત્નીના બે દેહ હોવા છતાં એક પ્રાણ બનીને રહે , એકબીજાને સંપૂર્ણ સ્નેહ , સન્માન , સહયોગ તથા વિશ્વાસ આપે . હદયથી એકબીજાથી દૂર ન રહે . ભૂલોને ભૂલી જઈને સુધારતા રહે . બદલાની ભાવના ન રાખે . મતભેદોને વિચાર વિનિમયથી દૂર રહે . બંનેમાંથી કોઈ હઠ ન કરે , સાથીદારની મુશ્કેલી અને લાચારી પર સહાનુભૂતિપૂર્વક વિચાર કરે . પોતાની જરૂરિયાતો અને ઈચ્છાઓ પુરી ન થાય તો આક્રોશ ન કરે .

આદર્શ ગૃહસ્થ મેરી અને ટોમસ :

જ્યારે પતિ અને પત્ની એકબીજા સાથે હળીમળીને રહે છે , ત્યારે ઘર સ્વર્ગ બની જાય છે . પરિસ્થિતિઓ ગમે તેટલી વિષમ હોવા છતાં સર્વત્ર આનંદ આનંદ છવાઈ જાય છે .

મેરી અને ટોમસનું દામ્પત્ય જીવન અનંત પ્રેમથી ભરપૂર હતું . દર વર્ષે તેઓ લગ્નદિવસ ઉજવતાં અને એકબીજાને નાની મોટી ભેટો આપતાં તથા ગરીબીમાં પણ આનંદથી દિવસો ગુજારતાં . એ વર્ષે લગ્ન દિવસ આવ્યો . બંને એકબીજાને ભેટ આપવાની યોજના બનાવવા લાગ્યાં , પરંતુ ખિસ્સાં ખાલી હતાં .

ટોમસે પત્નીના સુંદર વાળમાં ખોસવા માટે એક સુંદર ક્લીપ ખરીદવાનો વિચાર કર્યો . તે જૂની ઘડિયાળ ખરીદનારની દુકાને ગયો અને ઘડિયાળ વેચીને એક સુંદર ક્લીપ ખરીદી લાવ્યો . એનો આનંદ સમાતો નહોતો .

મેરી વિચારતી હતી કે પતિની કાંડા ઘડિયાળ માટે સુંદર ચેઈન ખરીદું . તે સુંદર વાળ ખરીદનારની દુકાને ગઈ અને પોતાના સુંદર જૂલ્ફાં વેચીને એ પૈસામાંથી ઘડિયાળની ચેઈન ખરીદી લાવી . માથા ઉપર તેણે હેટ પહેરી લીધી .

ભેટ આપવાનો દિવસ આવ્યો . બંનેએ એકબીજા તરફ હાથ લંબાવ્યો . પરંતુ ક્લીપ ક્યાં લગાવે ? વાળ તો ગાયબ હતા . ચેઈન ક્યાં બાંધે ? ઘડિયાળ ગુમ હતી . પૂછવાથી વસ્તુ સ્થિતિની ખબર પડી . તેઓ ભેટોનો ઉપયોગ ન કરી શક્યાં , તેમ છતાં એ ભેટોએ બંનેનાં દિલ સદાયને માટે જીતી લીધાં . બંનેની આંખોમાં પ્રેમનાં આંસુ આવી ગયાં . આ રીતે ઉજવાયો તેમના લગ્ન દિવસ .

ઘનિષ્ઠતા હોય તો આવી હોજો :

દાંમ્પત્ય જીવનની ઘનિષ્ઠતા તથા પવિત્રતા સારસ જેવાં પક્ષીઓમાં જોવા મળે છે , પરંતુ ચકલા – ચકવીનું ઉદાહરણ તો અનુપમ છે . બંને સાથે જ રહે છે . બંનેમાંથી જો કોઈ એકનું મૃત્યુ થઈ જાય તો બીજું તડપી તડપીને પ્રાણનો ત્યાગ કરે છે . તે કદી બીજો સાથી શોધતું નથી .

આદર્શ દામ્પત્યપ્રેમ :

બ્રેનર એક કાપડની મિલમાં કામદાર હતો . બપોરની રજામાં તેની પત્ની ગરમ ખાવાનું લઈને નિયમિત ફેકટરીએ પહોંચી જતી . પચ્ચીસ વર્ષમાં એક જ વખત એવું બન્યું કે તે ખાવાનું લઈને જઈ ન શકી . બ્રેનર સમજ્યો કે જરૂર કોઇ ઉપાધિ હશે , તેથી એકદમ ઘેર જવા દોડ્યો અને મશીન બંધ કરવાનું ભૂલી ગયો . તેણે ઘેર જઇને જોયું તો પત્ની બિમાર પડી ગઇ હતી . તેણે તાત્કાલિક દવાનો પ્રબંધ કરી નોકરી ઉપર પાછો ફર્યો . મશીન બંધ કરવાનું ભૂલી ગયો હતો તે ઈન્સ્પેક્ટરે આવી મશીન બંધ કર્યું . તેની આ ભૂલ બદલ માલિકે ત્રણ મહિનાનો પગાર કાપી લીધો . પરંતુ આદર્શ દામ્પત્ય પ્રેમ માટે તેનું સન્માન કરીને એક હજાર ડોલરની ભેટ આપી . બધા કામદારોમાં બ્રેનર પ્રિય થઇ પડ્યો .

વિદ્યોત્તમાએ પતિને વિદ્વાન બનાવ્યો :

પત્નીના સહયોગથી વિદ્વાન બનેલા કાલિદાસનું નામ સાહિત્યકારોમાં ચિરસ્થાયી રહેશે . તેઓ અભણ તથા મંદબુધ્ધિના હતા . વિદુષી વિદ્યોત્તમા શાસ્ત્રાર્થ કરીને પોતાના જેવા વિદ્વાન સાથે મંદબુધ્ધિના હતા . વિદુષી વિદ્યોત્તમા શાસ્ત્રાર્થ કરીને પોતાના જેવા વિદ્વાન સાથે લગ્ન કરવા ઇચ્છતાં હતાં . ધૂર્ત પંડિતોએ ષડયંત્ર રચી એમનું લગ્ન કાલિદાસ સાથે કરાવી દીધું .

વિદ્યોત્તમાને વાસ્તવિક્તાની જાણ થતાં દુઃખ તો થયું , પણ પોતે કાલિદાસને ભણાવવાનું શરૂ કર્યું . વિદ્યોત્તમાએ કહ્યું કે તમને સાચા પતિ ત્યારે માનીશ કે જ્યારે તમે વિદ્વાન બનશો . કાલિદાસ સાચી લગનથી ભણવા લાગ્યા . એટલે સુધી કે તેઓ દેશના લોકપ્રિય વિદ્વાન અને રાજકવિ બની ગયા . એમની સંસ્કૃત રચનાઓ અત્યંત ભાવપૂર્ણ છે .

પત્નીઓ પણ પતિને સુયોગ્ય બનાવી શકે છે , એનું જીવતું જાગતું ઉદાહરણ કાલિદાસ છે .

અનેક ઋણ ચૂકવવાનું સાધન છે – ગૃહસ્થાશ્રમ બોઘવચન -૧૨

અનેક ઋણ ચૂકવવાનું સાધન છે – ગૃહસ્થાશ્રમ બોઘવચન -૧૨

બોધ : પરિવાર ઉપરાંત બીજાં પણ અનેક દેવઋણ ચૂકવવા યોગ્ય છે . દેશ , સમાજ , સંસ્કૃતિનાં અનેક અનુદાનોની મદદથી જ મનુષ્ય સુવિકસિત બની શકયો છે . માત્ર પરિવારના લોકો જ જીવનનિર્વાહની બધી વસ્તુઓ આપી શકતા નથી . આજીવિકા મેળવવી , વાગ્ન , શિક્ષણ , સંરક્ષણ વગેરે અસંખ્ય લોકોના અનુદાનથી જ પ્રાપ્ત થાય છે . આ બધું દેવઋણ અર્થાત્ સમાજ w ણ કહેવાય છે . શ્રેષ્ઠ પુરૂષોએ એને મહત્ત્વનું ઋણ કહ્યું છે . આ ઋણ ચૂકવવું એટલે કે સમાજને દરેક રીતે સમૃધ્ધ અને સુવિકસિત બનાવવો , તે દરેક વિચારશીલ મનુષ્યનું કર્તવ્ય છે . પોતાનાથી જેટલાં લોકોપયોગી કાર્ય થઇ શકે તે કરતા રહેવું જોઈએ .

જે સમાજ અને રાષ્ટ્રમાં આપણે જન્મ લીધો છે . એણે એક યા બીજી રીતે આપણને સંરક્ષણ અને સાધનો આપી ઉપકૃત કર્યા છે . દુનિયા પાસેથી પણ આપણે ઘણું મેળવ્યું છે , એ વાત સદૈવ યાદ રાખવી જોઇએ . મોટાભાગની જીવનોપયોગી વસ્તુઓ લોકોના પરિશ્રમથી બની છે . એમની બુદ્ધિ અને કુશળતાનો લાભ ઉઠાવીને જ આપણે આગળ આવ્યા છીએ . આ ઋણમાંથી મુકત થવાની સાચી રીત આ વિશ્વને સુખી અને સમુન્નત બનાવવું તે છે .

આદર્શવાદી ડૉક્ટર દંપતીઃ

દક્ષિણ ભારતમાં જન્મેલા ડૉક્ટર કૌસ્તુભ પાસ થયા પછી સરકારી ક્ષય ચિકિત્સાલયમાં નિયુક્ત થયા . એમણે જ્યોર્જ બનાર્ડ શૉની પેલી ઉક્તિ પોતાના ઓરડામાં લટકાવી રાખી હતી કે , “ રોગીને દવા કરતાં ડૉક્ટરની સહાનુભૂતિની વધારે જરૂર હોય છે . ” એમણે દર્દીઓ સાથે નમ્રતાપૂર્ણ વ્યવહાર રાખ્યો અને અસંખ્ય રોગીઓને સાજા કર્યા . એ હોસ્પીટલની એક નર્સ સાથે એમણે એ શરત સાથે લગ્ન કર્યા કે તેઓ સંતાન પેદા નહીં કરે , એના બદલે રોગીઓને જ પોતાનાં બાળકો માનશે . સેવાધર્મ બજાવતાં એ દંપતીને સમાજઋણ ચૂકવ્યાનો સંતોષ થતો હતો .

વૃધ્ધાવસ્થામાં તેઓ મસુરી ગયાં . ત્યાંની હોસ્પીટલમાં ચાર કલાક મફત સેવા કરતા . અસહાય લોકોની આર્થિક સેવા પણ કરતાં હતાં . આજે તે દંપતિ હયાત નથી પણ તેમનો આદર્શ લાંબા સમય સુધી અનેક લોકોને પ્રેરણા આપતો રહેશે .

ધનનો ઉપભોગ ન કરો , વહેંચી દોઃ

હજરત મોહમ્મદ એકવાર પોતાની પુત્રીને ત્યાં ગયા . ત્યાં તેમણે જોયું કે દરવાજા પર રેશમી પડદા લટકતા હતા . બધે ઠાઠમાઠ હતો . પુત્રીએ સોનાચાંદીના ઘરેણાં પહેર્યા હતાં . આ બધું જોઇને હજરત તરત ત્યાંથી પાછા વળી ગયા .

પુત્રી દુઃખી થઈ અને પિતાને આમ એકદમ પાછા વળી જવાનું કારણ પૂછયું . એમણે કહ્યું કે આપણે લોકોએ ગરીબોની જેમ રહેવું જોઇએ . આપણી પાસે જે હોય તે ભલાઈનાં કામોમાં વાપરવું જોઈએ . પુત્રીએ પોતાનાં ઘરેણાં અને દોલત એમને સોંપી દીધાં . હજરતે સંતોષ વ્યક્ત કર્યો અને ધન જરૂરિયાતવાળા લોકોને વહેંચી દીધું .

મહાનતા આને જ કહે છે . જ્યાં સમાજના સભ્યો પ્રત્યે કરૂણા અને દર્દ હોય ત્યાં હંમેશાં દેવત્વ હોય છે . સમાજના સભ્યોને સમાજનું ઋણ ચૂકવવાની પ્રેરણા મળે એ માટે અનુકરણીય ઉદાહરણ રજૂ કરનાર આવા મહામાનવો વિશ્વમાં સમય સમય પર જન્મતા રહે છે .

નોકરી નહીં , સેવા :

રામતીર્થ ફર્સ્ટ ક્લાસ સાથે એમ.એ. થયા . એ જમાનામાં તો આ બહુ મહાન બાબત હતી . પ્રિન્સીપાલે પોતાની કૉલેજમાં પ્રોફેસરની નોકરી અપાવવાની વાત કરી .

રામતીર્થે કહ્યું , “ મેં બંધનમાં બંધાવા માટે વિદ્યા પ્રાપ્ત કરી નથી . એ શ્રમ અને જ્ઞાનનો ઉપયોગ અસંખ્ય લોકોને વ્યામોહમાંથી છૂટકારો અપાવવાનો છે . ” નોકરી કરવાનો તેમણે સ્પષ્ટ ઈન્કાર કરી દીધો અને વિશ્વકલ્યાણ તથા પરમાર્થ માટે જીવન અર્પણ કરી દીધું . લગ્ન બંધનમાં ફસાયા નહીં . અલ્પાયુ જીવનમાં જ પોતાની પ્રતિભા અને સામર્થ્યનો લાભ સંસારને આપી ગયા .

બધી સંપત્તિ રાષ્ટ્રને સમર્પિત :

શેઠ જમનાલાલ બજાજનો જન્મ કરોડપતિ વચ્છરામને ત્યાં થયો હતો . એમને જે ધન મળ્યું તેનો મોટો ભાગ ગાંધીજીની રાષ્ટ્રીય જરૂરિયાતો પુરી કરવામાં વાપરી નાખ્યો . આને કહેવાય વારસાનો સદુપયોગ . પોતાના ઉદ્યોગોની કમાણીમાંથી તેમણે અનેક સંસ્થાઓ તથા લોકોને ઘણાં દાન કર્યા છે . સમાજઋણ અને રાષ્ટ્ર ઋણ ચૂકવવાની તેમનામાં અનોખી ભાવના હતી .

ગૃહસ્થ ધર્મ બોધવચન -૧૧

ગૃહસ્થ ધર્મ  બોધવચન -૧૧

બોધ : ગૃહરથાશ્રમમાં લોભ , મોહ અને વિલાસની દુષપ્રવૃત્તિઓ અપનાવવાથી કોઈપણ મનુષ્ય નિશ્ચિતરૂપે પતનની ખાઇમાં પડી જાય છે . આવા અવસરો ગૃહસ્થાશ્રમમાં ધાર્યા કરતાં વધારે રહે છે , પણ વિવેકી માણસ પોતાને આનાથી બચાવે છે . જેમને કર્તવ્યધર્મનું જ્ઞાન છે તેઓ ગૃહસ્થની મર્યાદાને સમજે છે અને તેનું પાલન કરે છે , એવાઓને માટે ગૃહસ્થીનું આચરણ આત્મક યાણા અને વિશ્વકલ્યાણનાં બંનેય પ્રયોજન પૂરાં કરવાનું નિમિત્તકારણ બને છે .

આશ્રમ નહીં , સ્વભાવ બદલો :

એક યુવકે ઘણા ઉધ્ધત સ્વભાવનો હતો . વાત વાતમાં ગુસ્સે થઇ જતો . તેને સમજાવવા જતાં સંન્યાસી થઇ જવાની ધમકી આપતો . ઘરવાળાં એ રોજની ખટપટથી કંટાળીને તેને સંન્યાસની છૂટ આપી દીધી .

પાસે જ નદી કિનારે એક આશ્રમ હતો તેની જાણ તે યુવકને હતી . તેથી તે સીધો ત્યાં પહોંચ્યો . તેના સંચાલકે પણ પહેલાંથી તેની ઉદ્ધતાઇ વિશે સાંભળ્યું હતું . તેને રસ્તા ઉપર લાવવાનો વિચાર કરીને વધારે નેહ બતાવતા પાસે બેસાડ્યો . તેણે સંન્યાસ દીક્ષાનો પ્રસ્તાવ મૂક્યો . તેને બીજે દિવસે સંન્યાસ આપવાનું નક્કી થયું .

દીક્ષાના વિધાનમાં પહેલું કામ એ હતું કે પાસેની નદીમાં દિવસ ઉગતા પહેલા સ્નાન કરી પાછા ફરવું . આળસુ પ્રકૃતિ અને ઠંડીથી ડરનાર યુવાનને આ કામ અઘરું લાગ્યું . તે કરી પણ શું શકે ? નિયમ પાળ્યા વગર છૂટકો નહોતો .

ખીંટી પર કપડાં ભરાવી યુવક નહાવા ગયો હતો . આશ્રમના સંચાલકે તેનાં કપડાં ફાડી ચીંથરાં – ચીંથરાં કરી દીધાં . યુવક ધ્રુજતો ધ્રુજતો નાહીને પાછો આવ્યો . ચીંથરાં પહેરવા પડ્યા તેથી તેનો ગુસ્સો વધી ગયો .

દીક્ષાનું મુહૂર્ત સાંજનું નીકળ્યું , ત્યાં સુધી કંઈક ફળાહાર કરવાનું યોગ્ય માન્યું . તેની થાળીમાં મીઠું ભરેલાં કડવા કારેલા મૂકવામાં આવ્યાં . તેથી ગળાની નીચે ન ઉતર્યા . વહેલા ઉઠવું , ઠંડીમાં નહાવું , કપડાં ફાટી જવા , કડવા કારેલા ખાવા , આ બધા કારણોથી તે ઉદ્વિગ્ન થઇ ગયો હતો . સંચાલકે તેને ફરી બોલાવ્યો અને કહ્યું , “ સંન્યાસમાં કાંઇ લગ્નમાં હોય તેવી મિજબાની નથી હોતી . એમાં પ્રવેશનારાઓને ડગલેને પગલે મનને મનાવી લેવું પડે છે . પરિસ્થિતિઓ સાથે મેળ બેસાડવો પડે છે , સંયમ રાખવો પડે છે અને શિસ્તનું પાલન કરવું પડે છે . આ અભ્યાસ માટે તો સંન્યાસ લેવો પડે છે . ”

મુહૂર્ત આવતાં સુધી યુવક પોતાના પ્રસ્તાવ પર પુનર્વિચાર કરતો રહ્યો . ત્રીજા પહોરે તે એવું કહીને ઘેર પાછો ફર્યો કે જો સંયમ , સાધના અને મનોનિગ્રહનું નામ જ સંન્યાસ હોય , તો ઘેર રહીને સુવિધાપૂર્વક તે કેમ ન પાળું ?

 યુવક બદલાયેલી મનઃસ્થિતિ લઇ ઘેર પાછો ફર્યો . સ્વભાવ બદલાયો . તેથી વાતાવરણ બદલાતાં વાર ન લાગી . પરિવારમાં જ તેણે તપોવન જેવું . વાતાવરણ બનાવી દીધું . ભ્રમ દૂર થયો તો સાચો રસ્તો પણ મળ્યો .

પત્નીની સેવા અને નિષ્ઠાને શ્રેષ્ઠતા :

ગૃહસ્થજીવન એક એવી પાઠશાળા છે જેમાં આત્મસંયમ , પારસ્પરિક સદ્ભાવ જેવી પ્રવૃત્તિઓનો અભ્યાસ કરવો શક્ય છે . જો પતિ – પત્ની બંનેમાંથી એક પક્ષ પણ એને માટે ડગલું ભરે , તો કોઈ જાતના મનોમાલિન્યનો પ્રશ્ન જ ઊભો થતો નથી .

એકવાર એક માણસ હજરત ઉમરને મળવા માટે તેમના ઘેર પહોંચ્યો . ત્યાં જઈને જોયું કે હજરતની પત્ની ખૂબ બડબડાટ કરી રહી છે , છતાં હજરત કશું બોલતા નથી અને મૌન છે . તે માણસે પૂછયું , “ તે આટલું બધું બોલી રહી છે , છતાં તમે મૌન કેમ છો ? ”

 હજરત ઉમર ગંભીરતાથી બોલ્યા , “ ભાઈ ! તે મારાં ગંદાં કપડાં ધુએ છે , મારા માટે ખાવાનું રાંધે છે , મારી સેવા કરે છે અને સૌથી વધુ તો મને પાપમાંથી બચાવે છે . તો શું હવે તેને એટલો પણ અધિકાર નથી કે કંઈક બોલે ? ” પેલો માણસ સાચો ગૃહસ્થધર્મ તે દિવસે સમજીને ખુશ થયો .

ગૃહસ્થજીવનની મર્યાદાઓ :

નારદજી સાથે વિચાર વિમર્શ કરીને સ્વયંભૂ મનુ પોતાની બીજી પુત્રી દેવહૂતિને કર્દમ ઋષિને અર્પિત કરવા માટે પહોંચ્યા . કર્દમ બોલ્યા , “ મારી શરત સાંભળી લો . મારે કામપત્ની નહીં , પણ ધર્મપત્ની જોઈએ . લાગ્યા . ” દામ્પત્ય વિકાર માટે નહીં , કામવાસનાને મર્યાદિત કરવા માટે હોય છે . હું એક સપુત્રની પ્રાપ્તિ પછી સંન્યાસધર્મનું પાલન કરીશ . આપની પુત્રીને આ સ્વીકાર્ય હોય તો જ સબંધ બાંધો . ”

મનુએ કહ્યું , “ બેટી , આ તો લગ્ન પહેલાં જ સંન્યાસની વાત કરવા પરંતુ દેવહૂતિ પણ ઓછી ન હતી . તે બોલી , “ કામાંધ બની સંસારસાગરમાં ડૂબવા માટે ગૃહસ્થાશ્રમ નથી . હું પણ કોઇ સંયમી જીતેન્દ્રિય પતિને જ ઇચ્છું છું . ”

બંનેનાં લગ્ન થઈ ગયાં . બંનેના તપસ્વી જીવનના ફળરૂપે “ કપિલજી ” ઉત્પન્ન થયા , જેમને ભગવાનના ૨૪ અવતારોમાં એક માનવામાં આવ્યા .

%d bloggers like this: