પરમાર્થ અને સ્વાર્થની એકતા । GP-14. ‘પરમાર્થ અને સ્વાર્થનો સમન્વય’ | ગાયત્રી વિદ્યા

પરમાર્થ અને સ્વાર્થની એકતા । GP-14. ‘પરમાર્થ અને સ્વાર્થનો સમન્વય’ | ગાયત્રી વિદ્યા

સંભવ છે કે અહીં સુધીના વિવેચનથી અનેક વાચકો એવી મૂંઝવણમાં પડી ગયા હશે કે તે કોને સ્વાર્થ સમજે અને કોને ૫૨માર્થ ? જો કે મનુષ્યમાં સ્વાર્થની ભાવના પ્રાકૃતિક અને સ્વાભાવિક છે, તો શું ‘પરમાર્થ’ શબ્દ કોરી કલ્પના છે ? અમે પહેલાં જ બતાવી ગયા છીએ કે મનુષ્ય મુખ્યત્વે સ્વાર્થી જ છે અને એવું હોવું જરૂરી પણ છે. મનુષ્યમાં જો સ્વાર્થ,આત્મરક્ષા અને આત્મવિકાસની ભાવના ન હોય તો એનું અસ્તિત્વ ટકી શકવું મુશ્કેલ છે,પરંતુ સાથે સાથે એ પણ સ્વીકારવું જોઈએ કે ઉચ્ચ સભ્યતા અને સંસ્કૃતિની ગોદમાં ઊછરેલા મનુષ્યમાં પરમાર્થની ભાવના પણ વત્તેઓછે અંશે જરૂર મળી આવે છે. પુત્રપ્રેમ, પતિપ્રેમ, બંધુપ્રેમ, દેશપ્રેમ વગેરે શબ્દો કેવળ કલ્પના માત્ર નથી. કોઈ અજાણી દીન વ્યક્તિનાં કષ્ટ જોઈ અનેક માણસો દ્રવીભૂત થઈ જાય છે, તે કંઈ દેખાડા પૂરતી વાત નથી. આપણે નિઃસ્વાર્થભાવે જ એની સેવા કરીએ છીએ.

આપણા દેશના હજારો માણસો પરોપકાર માટે સર્વસ્વ ત્યાગી ચૂક્યા છે. ગરીબો અને અનાથોની સેવા માટે અનેક લોકો પોતાના ધનભંડાર ખાલી કરીને પોતે ગરીબ બની ચૂક્યા છે. અતિ પ્રાચીન કથાઓને જવા દઈએ, તો આજે પણ એવા માણસો થયા છે, જેમણે કરોડોની સંપત્તિ પોતાની મરજીથી દેશના ઉદ્ધાર માટે સમર્પિત કરી દીધી. અમે એ જ બતાવવા માગીએછીએ કે એવો સ્વાર્થ, જે આપણું પ્રત્યક્ષ નુકસાન કરીને પણ બીજાને લાભ પહોંચાડે તે પરમાર્થ કહેવાય છે. એવો સ્વાર્થ, જેનાથી અનેક લોકોનું હિત સાધી શકાય છે, બીજાને પણ શ્રેષ્ઠ કાર્ય કરવાનું પ્રોત્સાહન મળે છે અને કરનારને પોતાને પણ આત્મોન્નતિનો લાભ મળે છે, તે ખરેખર પરમાર્થ છે.

પરમાર્થનો માર્ગ અને તેના સહાયક । GP-14. પરમાર્થ અને સ્વાર્થનો સમન્વય |ગાયત્રી વિદ્યા

પરમાર્થનો માર્ગ અને તેના સહાયક । GP-14. પરમાર્થ અને સ્વાર્થનો સમન્વય |ગાયત્રી વિદ્યા

પરમાર્થનો માર્ગ પરોપકાર, દીન અને નિર્બળોની સેવા તથા આધ્યાત્મિક વિષયોની ઉન્નતિમાં છે. એની વૃદ્ધિ માટે આપણે સત્સંગ, આત્મનિરીક્ષણ, નિયમપાલન તથા દેઢ વિશ્વાસની પ્રવૃત્તિઓને વધારવી જોઈએ.

સત્સંગ, માનસિક ઉન્નતિનું સર્વપ્રથમ સાધન છે. સત્સંગથી જ મનુષ્યને ભલાબૂરા, લાભકારક કે નુકસાનકારક, ઉત્કૃષ્ટ અને નિકૃષ્ટની ઓળખ થાય છે. એટલા માટે સત્સંગના નિયમનો ભંગ ન કરવો જોઈએ. અમર, વિદ્વાન અને ત્યાગી પુરુષોનો સમાગમ દરરોજ ન થઈ શકે તો એવા મહાપુરુષોના વિચારોને એમણે રચેલા ગ્રંથોમાં વાંચવા જોઈએ. જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી એના માટે એક ચોક્કસ સમય નક્કી કરી લેવો જોઈએ અને એ સમયે વિશેષરૂપે પવિત્ર થઈ કોઈ ઉપદેશાત્મક ધર્મગ્રંથનું ધ્યાનપૂર્વક અધ્યયન કરવું જોઈએ. આ રીતે સ્વાધ્યાય કરવાથી મન પર દૃઢ પ્રભાવ પડે છે.

આત્મનિરીક્ષણ માટે બીજા લોકોના ગુણો પર વિશેષ ધ્યાન આપવું જરૂરી છે. સત્સંગ અને સ્વાધ્યાયથી આપણે આપણી ખામીઓને જાણી શકીએ છીએ. આપણામાં કેટલા અને કેવા દોષ છે તે પણ જાણી શકીએ છીએ. આપણે પણ બીજાના ગુણોને જોઈને એમનું અનુકરણ કરી શકીએ છીએ અને દોષોને છોડી તેમના સ્થાને ગુણો ગ્રહણ કરી શકીએ છીએ. આપણે એ વાત ઉપર પણ વિચાર કરવો જોઈએ કે આપણા દોષોના કારણે કોઈને નુકસાન તો નથી થઈ રહ્યુંને ? કોઈના હૃદયને આઘાત તો નથી લાગતો ને ? આ પ્રકારની ભાવનાથી આપણું કલ્યાણ થવાની સાથે સાથે બીજાનું હિત પણ થાય છે અને આપણે પરમાર્થના માર્ગેઆગળ વધી શકીશું. ગોસ્વામી તુલસીદાસ કહે છે કે,

ખલ અઘ અગુન સાધુ ગુનગાહા । ઉભય અપાર ઉદધિ અવગાહ॥ તેહિ તે ગુણ ઔર દોષ બખાને । સંગ્રહ ત્યાગ ન બિનુ પહિચાને॥

મનુષ્યનું કર્તવ્ય છે કે સત્સંગ કરી ગુણ અને દોષોને ઓળખે અને પ્રયત્નપૂર્વક ગુણોને ગ્રહણ કરે તથા અવગુણોને દૂર ફેંકી દે. પ્રાચીન અને અર્વાચીન બધા યુગના મહાન પુરુષો આ નીતિથી વિશ્વવંદ્ય પદવીને મેળવી શક્યા હતા. જે વાચકોએ મહાત્મા ગાંધીની આત્મકથા વાંચી છે તેઓ જાણે છે કે મહાત્માજી પોતાના આરંભિક જીવનથી જ દોષો અને પાપો તરફ કેટલા સજાગ અને જાગૃત રહેતા હતા અને કેવા પ્રયત્નોથી તેમણે પોતાની ખામીઓને દૂર કરી હતી. આ રીતે ગોસ્વામી તુલસીદાસજીની રચનાઓથી જણાય છે કે તેઓ અહંકાર અને મોહથી બચવા માટે હંમેશાં આત્મનિરીક્ષણ કરતા હતા. વળી, પોતાના દોષોની કડક આલોચના પણ કરતા હતા.

પોતાના નિયમ પર દૃઢ રહેવું તે પ્રત્યેક કાર્યની પૂર્ણતા માટે પરમ આવશ્યક છે. એનાથી શરીર અને મન નિયંત્રણમાં રહે છે અનેસહનશક્તિની વૃદ્ધિ થાય છે. મનુષ્યનું મન ઘણું જ ચંચળ છે. સત્સંગ અને આત્મનિરીક્ષણના પ્રભાવથી એટલો સમય સંયમિત થઈ જવા છતાં પણ હંમેશાં સુમાર્ગ પર ચાલશે કે નહિ તેની કોઈ જ ગેરંટી નથી. જેવું અનુકૂળ વાતાવ૨ણ મળી જાય કે તરત જ તે કૂદાકૂદ કરવા માંડે છે. એના પર નિયમપાલનનો પ્રતિબંધ એટલા માટે જ રાખવો જરૂરી છે. જ્યારે પણ પરિસ્થિતિવશ નિયમનો ભંગ થઈ જાય ત્યારે તેના બદલામાં કંઈક પ્રાયશ્ચિત્ત કરી લેવું પણ જરૂરી છે. આ રીતના નિરંતર અભ્યાસથી મન વશ થઈ પરમાર્થ પર ચાલવા લાગશે. જે લોકો થોડીક સાધના કરવાથી પોતાને પૂર્ણ માની લે છે તે ક્યારેય સફળ નથી થઈ શકતા. ગીતામાં કહ્યું છે કે

અજ્ઞાશ્ચાશ્રદ્ધાનશ્ચ સંશયાત્મા વિનશ્યતિ । નાયં લોકડસ્તિ ન પરો ન સુખં સંશયાત્મનઃ ॥

જે લોકો નિશ્ચલ, દૃઢ ભાવનાથી સાધના કરે છેતેમના જ મનોરથ સફળ થઈ શકે છે. જેનું મન સંશયમાં પડી રહે છે તે ક્યારેય પાર પહોંચી શકતો નથી, વચમાં જ ડૂબી જાય છે.

પરમાર્થના ઉદ્દેશ્યમાં પૂર્ણ વિશ્વાસ જ સાધકને આગળ વધારે છે. વિશ્વાસમાં કમી રહેવાના કારણે પણ સફળતા પ્રાપ્ત થવી અસંભવ લાગે છે. વિશ્વાસની દૃઢતાથી મન અને આત્માનું બળ વધે છે અને મનુષ્ય વિઘ્નો અને મુશ્કેલીઓનો સામનો કરી આગળ વધતો જાય છે. સંકટોથી તે ક્યારેય ભયભીત થતો નથી, જ્યાં સુધી લક્ષ્યને પ્રાપ્ત કરતો નથી ત્યાં સુધી તે પોતાની ગતિને ધીમી કરતો નથી.

સ્વાર્થ ત્યાગમાં અનંત આનંદ । GP-14. ‘પરમાર્થ અને સ્વાર્થનો સમન્વય’ | ગાયત્રી વિદ્યા

સ્વાર્થ ત્યાગમાં અનંત આનંદ । GP-14. ‘પરમાર્થ અને સ્વાર્થનો સમન્વય’ | ગાયત્રી વિદ્યા

સંસારમાં આનંદને મોટામાં મોટી વસ્તુ માનવામાં આવે છે. દુનિયામાં બધી જગાએ દેખાતી ભાગદોડ અને કરવામાં આવતા પ્રયત્નોનો અંતિમ ઉદ્દેશ્ય આનંદની પ્રાપ્તિ જ હોય છે, પરંતુ મોટા ભાગના લોકો એ સમજતા નથી કે આનંદ ભૌતિક પદાર્થોમાંથી કદીય મળી શકતો નથી. તે તો આત્માનો ગુણ છે અને એટલે જ એની પ્રાપ્તિ આધ્યાત્મિક પ્રયત્નોથી જ થઈ શકે છે.

જો મનુષ્ય વાસ્તવમાં આત્મિક સુખ ખરીદવા ઈચ્છે તો એના બદલામાં તેણે સમકક્ષ ચીજ આપવી જોઈએ. આપણે જો ખરેખર સંયમ, સહિષ્ણુતા, ધૈર્ય, સહાનુભૂતિ અને પ્રેમને આપણા હૃદયમાં ઉત્પન્ન કરવા ઈચ્છીએ, તો આપણે તેના બદલામાં આપણી મનોવૃત્તિની નિરંકુશતા, સ્વાર્થ, લંપટતા અને માનસિક ચંચળતાને વિદાય આપવી પડશે. લોભી મનુષ્યને દ્રવ્ય પ્રત્યે ગમે તેટલો પ્રેમ કેમ ન હોય, છતાં તે જો શારીરિક આરામ ઈચ્છતો હોય તો એણે પોતાનું દ્રવ્ય ખર્ચવું જ પડશે. આ રીતે સ્વાર્થત્યાગ કરવામાં આપણને કેટલુંય કષ્ટ કેમ ન થાય, છતાં તે છોડ્યા વિના આપણે આત્મિક ઉન્નતિ કરી શકીશું નહિ. ધનનો સાચો ઉપયોગ એ જ છે કે એનાથી મનુષ્યજાતિને સુખશાંતિ મેળવવામાં સરળતા રહે. એક કંજૂસ પોતાની પાસે લાખો સિક્કા હોવા છતાં પણ દ્રવ્યપ્રેમને કારણે જરૂરી સામગ્રી મેળવી શકતો નથી. ખરેખર તે દયાને પાત્ર છે. આ જ રીતે ચૈતન્ય જગતમાં જે વ્યક્તિ પોતાની માનસિક વૃત્તિઓના બદલામાં સાચું સુખ અને શાંતિ મેળવતાં ખચકાય છે તે મૂઢ બુદ્ધિવાળી છે. પ્રકૃતિએ મનુષ્યને હૃદયમાં ક્રોધની માત્રા એટલા માટે આપી છે કે તે એની પર વિજય મેળવી ક્ષમા કરે. સ્વાર્થને વશ થઈ મનુષ્ય બીજાની સુખસામગ્રીને ઝૂંટવી લઈ પોતાના સુખ માટે ભેગી કરે છે. બીજાની એને જરા પણ ચિંતા હોતી નથી. એટલે જ તે કંજૂસ મનુષ્યની માફક પોતાનું ધન પોતાની પાસે જ રાખવા ઈચ્છે છે, પરંતુ ધર્મનો સિદ્ધાંત આનાથી વિપરીત છે. ધર્મ ઈચ્છે છે કે મનુષ્ય પોતાના સુખનો ઉપભોગ પોતે તો કરે અને બીજાને સુખી કરવા પણ તત્પર રહે.

તે આત્મિક શક્તિઓ કઈ કઈ છે, જેમની વૃદ્ધિ માટે આપણે પ્રયત્ન કરવો જોઈએ ? દયાભાવ, મૈત્રીભાવ, સંવેદના, સંયમ, ધૈર્ય, સત્ય, શાંતિ અને વિશ્વવ્યાપી પ્રેમ. આ બધા ભાવ જે સમયે મનુષ્યના હૃદયમાં પૂર્ણરૂપે વિકસિત થઈ જાય છે એ સમયે એનો આત્મા વિસ્તૃત થતાં થતાં આખા વિશ્વમાં ફેલાઈ જાય છે. આ ભાવોની જો પ્રાપ્તિ ઈચ્છતા હો, તો અધીરાઈ, ક્રોધ, ધૃણા,નિર્દયતા અને સ્વાર્થ તથા પોતાની વૃત્તિઓનું દમન કરવાનું વ્રત લો. એની માત્રા જેમ જેમ હૃદયમાં ઘટતી જશે તેમ તેમ સુખ અને શાંતિની માત્રા વધતી જશે.

પરમાર્થ બધા સાથે પ્રેમભાવ રાખે છે । GP-14. ‘પરમાર્થ અને સ્વાર્થનો સમન્વય’ | ગાયત્રી વિદ્યા

પરમાર્થ બધા સાથે પ્રેમભાવ રાખે છે । GP-14. ‘પરમાર્થ અને સ્વાર્થનો સમન્વય’ | ગાયત્રી વિદ્યા

જેમ પરમાર્થનો અર્થ એ નથી કે આપણે સાંસારિક પદાર્થોનો સર્વ પ્રકારે ત્યાગ કરી સાવ નગ્ન ફર્યા કરીએ, એવી રીતે પરમાર્થ એ પણ નથી કહેતો કે આપણે અન્ય વ્યક્તિઓને પ્રેમ કરવો છોડી ઉદાસીન વૃત્તિથી જીવન વ્યતીત કરીએ. આનાથી ઊલટું પરમાર્થી વ્યક્તિના પ્રેમનું વર્તુળ એટલું મોટું થઈ જાય છે કે એમાં કેવળ પોતાનાં બાળકો, સ્ત્રી, ભાઈભાંડુ, મિત્ર તથા પરિવાર જ નહિ, પરંતુ સાવ અજાણી અને દૂરની વ્યક્તિઓ પણ આવી જાય છે.

જે વસ્તુને ‘પ્રેમ’ કહેવાય છે એનાં અનેકાનેક સ્વરૂપ સંસારમાં જોવા મળે છે. સ્ત્રીપ્રેમ, પુત્રપ્રેમ,ધનપ્રેમ, કીર્તિપ્રેમ તથા વ્યસનપ્રેમમાં વ્યસ્ત વ્યક્તિ પોતાને પ્રેમી સિદ્ધ કરે છે. પ્રેમનું આ ભૌતિક સ્વરૂપ છે. ભૌતિક પ્રેમમાં તત્કાલીન આકર્ષણ ઘણું હોય છે અને એની પ્રતિક્રિયામાં આનંદદાયક અનુભૂતિઓ પણ જણાઈ આવે છે. ઉપરોક્ત સ્ત્રી, ધન,કીર્તિ આદિના પ્રેમમાં મનુષ્યને એટલો બધો આનંદ આવે છે કે એને ભવબંધનકારક અને અંતે દુઃખદાયક સમજવા છતાં છોડતો નથી અને આખી જિંદગી એની પાછળ વ્યતીત કરી દે છે.

ભૌતિક પ્રેમ આધ્યાત્મિક પ્રેમની એક છાયા છે. એની નાની સ૨ખી છબી અથવા મૂર્તિ આ વિષયભોગમાં જોઈ શકાય છે. ભૌતિક પ્રેમનું અસ્તિત્વ એટલા માટે છે કે આપણે આ છબીના આધારે મૂળ વસ્તુને મેળવવામાં અને ઓળખવામાં સફળ થઈ શકીએ. પ્રકૃતિની દુનિયામાં આ નમૂનાની પડીકી વેચાઈ રહી છે અને બતાવવામાં આવે છે કે જુઓ એક નાના સરખા ટુકડામાં જેટલી મજા છે એવી જ મજાનો અક્ષયભંડાર તમને પસંદ હોય, તો એ અસલી વસ્તુને – આધ્યાત્મિક પ્રેમને મેળવો.આપણા પથદર્શક સોનાના ટુકડા દેખાડતાં બતાવે છે કે એવા જ સોનાની જો તમારે જરૂર હોય તો સામેની ખાણમાં જાઓ અને એમાંથી મન માને તેટલા પ્રમાણમાં ખોદી લાવો, પરંતુ હાય ! આપણે કેવા મંદ બુદ્ધિવાળા છીએ, જે આ નમૂનાની પડીકીઓ ચાટવા માટે એટલી બધી કૂદાકૂદ કરી મૂકીએ છીએ અને ખજાના તરફ નજર નાખીને જોતા પણ નથી.

પ્રેમનો ગુણ આનંદ છે. પ્રેમ કરવાથી આનંદ મળે છે. સ્ત્રી, ધન, કીર્તિ વગેરેને પ્રેમ કરવામાં આનંદ આવે છે અથવા આનંદના કારણે પ્રેમ કરીએ છીએ. આપણે પથ્થર, રાખ, ગંદકી અથવા કાગડા, સમડી, ગીધ વગેરેને પ્રેમ કરતા નથી, કેમ કે એમાં આનંદનો અનુભવ થતો નથી અથવા આનંદ અનુભવતા નથી. એટલા માટે પ્રેમ થતો નથી. પાડોશીના ખજાનામાં લાખો રૂપિયા ભરેલા હોવા છતાં આપણને એની કોઈ મમતા હોતી નથી. જો તે બધા રૂપિયા આજે જ નાશ પામે તો પણ આપણને કોઈ વેદના થતી નથી. એ જ રીતે અન્ય વ્યક્તિનાં સ્ત્રી,પુત્ર કે અન્ય પરિજન મરી જાય કે કોઈની કીર્તિને લાંછન લાગે તો બીજું કોઈ શા માટે ૫૨વા કરે ?

પાડોશીના રૂપિયા પણ એ જ ચાંદીના બન્યા છે, જેમાંથી આપણા બન્યા છે. પાડોશીનાં સ્ત્રી-પુત્રોનાં શરીર પણ તેવાં જ હોય છે, જેવાં કે આપણાં, પરંતુ આપણા રૂપિયા પ્રત્યે પ્રેમ છે, આપણા સ્ત્રી-પુત્રો પ્રત્યે પ્રેમ છે. એ જ વસ્તુઓ પાડોશી પાસે પણ છે, પરંતુ એના પ્રત્યે પ્રેમ નથી. અહીં પ્રેમનું અસલી કારણ સ્પષ્ટ થઈ જાય છે. જે વસ્તુ સાથે આપણે આત્મીયતા સ્થાપિત કરીએ છે, જેની સાથે મમત્વ જોડીએ છીએ તે જ પ્રિય લાગવા માંડે છે અને પ્રેમની સાથે જ આનંદનો ઉદય થાય છે. ખરેખર કોઈ જડ વસ્તુમાં સ્વયં પ્રેમાકર્ષણ નથી. સંસારની જે ભૌતિક વસ્તુઓને આપણે પ્રેમ કરીએ છીએ તે ન તો આપણા પ્રેમને સમજે છે અને ન તો બદલામાં પ્રેમ કરે છે. રૂપિયાને આપણે પ્રેમ કરીએ છીએ, પરંતુ રૂપિયા આપણા પ્રેમ કે દ્વેષથી જરા પણ પ્રભાવિત થતા નથી. પૈસા ખર્ચાઈ ગયા પછી આપણને એ પૈસાની ઘણી યાદ આવે છે, પરંતુ એ પૈસાને રતિભાર પણ પરવા નથી હોતી કે જે વ્યક્તિ આપણને આટલો પ્રેમ કરતી હતી તે જીવે છે કે મરી ગઈ છે. સાચી વાત એ છે કે સંસારના કોઈપણ પદાર્થમાં જરા પણ આકર્ષણ કે આનંદ નથી. જેની પર આત્માનાં કિરણો પડે છે તે જ વસ્તુ ચમકતી જણાય છે. જેની સાથે આત્મીયતા સ્થાપિત કરીએ છીએ તે આનંદદાયક, આકર્ષક તથા પ્રિયપાત્ર બની જાય છે. પ્રેમ અને આનંદ આત્માના પોતાના ગુણ છે, બહારના પદાર્થોમાં તો એની છાયા જ જોઈ શકાય છે.

જીવને આનંદ મેળવવાની તરસ હોય છે. જીવ તેને છિપાવવા અહીં તહીં ભટક્યા કરે છે, પરંતુ તૃપ્તિ થતી નથી. કૂતરો સૂકું હાડકું ચાવે છે અને પેઢાંના છોલાવાથી નીકળતા લોહીને પીને આનંદ મેળવે છે. આપણે ભૌતિક વસ્તુઓના પ્રેમમાં આનંદનો અનુભવ કરીએ છીએ, એનું કારણ અસલી આત્મીય પ્રેમ છે. જો આ આત્મીયતા દૂર કરવામાં આવે તો એ જ કાલની પ્યારી વસ્તુઓ આજે ધૃણાજનક કે અપ્રિય લાગવા માંડશે. સ્ત્રીનો દુરાચાર પ્રગટ થતાં તે પ્રાણપ્રિય નથી રહેતી, પરંતુ શત્રુ જેવી જણાય છે. પિતાપુત્રમાં, ભાઈભાઈમાં જ્યારે કલહ થાય છે અને આત્મીયતા રહેતી નથી ત્યારે કોઈવાર એકબીજાનો જીવ લેતા જોવા મળે છે. મકાન-મિલકત, ગાડી-વાડી જ્યારે આપણા હાથે વેચાઈને બીજા માલિકના હાથમાં ચાલી જાય છે ત્યારે તેની રક્ષા કે વ્યવસ્થાની પરવા રહેતી નથી, કારણ કે એના પ્રત્યેની આત્મીયતા છોડી દીધી છે. સ્વાદિષ્ટ ભોજન, નાચગાન તથા વિષયભોગોનો આનંદ પણ આપણી અંદર જ છે. પેટમાં જો અજીર્ણ હોય તો મધુર ભોજન કડવું લાગે છે. ગુપ્તરોગની પીડા હોય તો સ્ત્રીભોગ પીડાકારક લાગશે. આંખો દુઃખતી હોય તો નાચગાનમાં રુચિ રહેતી નથી. ઈન્દ્રિયભોગ જે આટલા મધુર જણાય છે તે ખરેખર પોતાની અંદર પ્રકાશતી અખંડ જ્યોતિના જ સ્ફુલિંગ છે. બિચારી ઈન્દ્રિયો ક્યાં આનંદદાયક હોઈ શકે છે!

પ્રેમ અને આનંદનું ઉદ્ભવસ્થાન આત્માની અંદર જ છે. એને પરમાત્માની સાથે જોડવાથી જ અસીમ અને સ્થાયી આનંદ પ્રાપ્ત થઈ શકે છે. સાંસારિક નાશવંત વસ્તુઓના ખભા પર જો આત્મીયતાનો ભાર લાદવામાં આવે તો, એ નાશવંત વસ્તુઓમાં પરિવર્તન થતાં અથવા નાશ પામતાં સહારો તૂટી જાય છે અને એના ખભા પર જે લાદ્યું હતું, તે તરત જ નીચે પડી જાય છે. પરિણામસ્વરૂપે ઘણો જ આઘાત લાગે છે અને આપણે ઘણા સમય સુધી તરફડીએ છીએ. ધનના નાશથી, પ્રિયજનના મૃત્યુથી તથા અપયશ મળતાં જ કેટલાક માણસો રોતા-કકળતા અને જીવન નષ્ટ કરતા જોવા મળે છે. રેતીનો મહેલ બનાવી એ અજરઅમર રહેવાનું સ્વપ્ન જોનારની જે દુર્દશા થાય છે તે જ સ્થિતિ હાહાકાર મચાવતા આ પ્રેમીઓની થાય છે. ભૌતિક પદાર્થનાશવંત છે. એટલે એની સાથે પ્રેમ કરવો તે એક અધૂરો અને લૂલો-લંગડો સહારો છે, જે ક્યારે તૂટી પડે તે કહેવાય નહિ અને તેના પડવાથી પ્રેમીના હૃદયને આઘાત પહોંચે છે. પ્રેમનો ગુણ તો આનંદમય છે. જે દુઃખદાયી પરિણામ આપે તે પ્રેમ કેવો? અધ્યાત્મતત્ત્વના આચાર્યોએ એટલે જ ભૌતિક પ્રેમને ‘મોહ’ વગેરે ધૃણાસ્પદ નામોથી સંબોધિત કર્યો છે.

પ્રેમનું આધ્યાત્મિક સ્વરૂપ એ છે કે આત્માનો આધાર પરમાત્માને બનાવવામાં આવે. ચૈતન્ય અને અજરઅમર આત્માનું અવલંબન સચ્ચિદાનંદ પરમાત્મા જ બની શકે છે. એટલા માટે જડ પદાર્થોની, ભૌતિકમાયા સંબંધિત વસ્તુઓમાંથી ચિત્તનેઠાવીને પરમાત્મામાં લગાવવામાં આવે. આત્માના પ્રેમનો પરમાત્મા ઉત્તર આપે છે અને આ બંને પ્રવાહના મિલનથી એક એવા આનંદનો ઉદ્ભવ થાય છે, જેનું વર્ણન થઈ શકતું નથી.

આત્માનું વિશુદ્ધ રૂપ જ પરમાત્મા છે. માણસની ઉચ્ચતમ, પરમ સાત્ત્વિક, પરમ આનંદમયી અવસ્થા જ બ્રાહ્મીસ્થિતિ છે. બ્રહ્મ અને બ્રાહ્મીસ્થિતિ એક જ વાત છે. આ પરમતત્ત્વની, આ કેન્દ્રની ચર્ચા, કીર્તન, જપ, સ્તુતિ, અનુનય, વિનય, પૂજા તથા આરાધના ભક્તિનો વાસ્તવિક ઉદ્દેશ્ય છે. ઈશ્વરને પ્રેમ કરવો જોઈએ. બ્રહ્માનંદમાં મગ્ન રહેવું જોઈએ. આત્માના વિશુદ્ધ સ્વરૂપ એવા પરમાત્માની ભક્તિ કરવી જોઈએ. સીધા શબ્દોમાં એનું તાત્પર્ય એ છે કે પરમ સાત્ત્વિક, નિર્દોષ તથા શુદ્ધ અવસ્થામાં પહોંચવા માટે હરહંમેશ વ્યાકુળ રહેવું જોઈએ. એક ક્ષણ માટે પણ તે આકાંક્ષાને ભૂલવી ના જોઈએ. આપણે સાચી ભક્તિની, સાચા પ્રેમની ઉપાસના કરવી જોઈએ. આત્માને, પરમાત્માને પ્રેમ કરવો જોઈએ. આપણે માનવતાની આદર્શ પ્રતિમા બનવા માટે નિરંતર વિચાર અને કાર્ય કરવું જોઈએ. આ જ સ્વાર્થ અને પરમાર્થ છે. પ્રેમનું સાચું આધ્યાત્મિક સ્વરૂપ પણ આ જ છે.

આત્મા પ્રેમનું કેન્દ્ર છે. વિશ્વવ્યાપી આત્મા, પરમાત્મા અર્થાત્ સમસ્ત પ્રાણીસમાજ આપણા પ્રેમનું કેન્દ્ર હોવો જોઈએ. ઘટઘટવાસી પરમાત્માને આપણે પ્રેમ કરીએ. પ્રત્યેક પ્રાણીના આત્માને ઊંચો ઉઠાવવા, વિકસિત કરવા અને સુખી બનાવવા માટે આપણે વધુમાં વધુ ઈમાનદારી, મહેનત અને દિલચસ્પી સાથે કામ કરીએ. પરમાત્મા સાથે પ્રેમ કરવાનો અને મુક્તિ અપાવનારા પરમાર્થનો આ જ સાચો રાહ છે.

પરમાર્થ જ સાચો વૈરાગ્ય છે । GP-14. ‘પરમાર્થ અને સ્વાર્થનો સમન્વય’ | ગાયત્રી વિદ્યા

પરમાર્થ જ સાચો વૈરાગ્ય છે । GP-14. ‘પરમાર્થ અને સ્વાર્થનો સમન્વય’ | ગાયત્રી વિદ્યા

આપણે ત્યાં વૈરાગ્યનો મહિમા મોટો છે. મનુષ્ય જ્યાં સુધી સંસાર અને સાંસારિક પદાર્થોના રાગ-મોહમાં ફસાયેલો રહે છે ત્યાં સુધી આત્મોત્કર્ષની સંભાવના હોતી નથી. આથી પ્રાચીનકાળના મહાપુરુષો સંપત્તિની આકાંક્ષા અને મમતાને પતનકારી બતાવી ગયા છે, પરંતુ અનેક લોકો એનો ખોટો અર્થ સમજી કેવળ લંગોટી પહેરી જંગલ અથવા પહાડ પર જઈ બેસવાને વૈરાગ્ય માનવા લાગ્યા છે. આવા પ્રકારના અજ્ઞાનજન્ય ત્યાગથી કોઈ વિશેષ લાભ મળતો નથી. ત્યાગ અને વૈરાગ્ય ફક્ત પદાર્થો છોડી દેવાથી સાર્થક થતાં નથી, પરંતુ એમનો સદુપયોગ કરીને બીજાને લાભ પહોંચાડવાનો જ તેનો મુખ્ય ઉદ્દેશ્ય છે.

સંસારની વસ્તુઓમાં માલિકીનોવિચાર રાખવાથી એનો દુરુપયોગ થાય છે અને સંસારના સમસ્ત પદાર્થોને ઈશ્વરની માલિકી સમજી એના ખજાનચી બની કાર્ય કરવાથી સામગ્રીનો ઉપયોગ ધર્મ, ન્યાય અનેસુખનાં કાર્યોમાં થાય છે. સાંસારિક વસ્તુઓ પ્રત્યે વૈરાગ્ય રાખવું એ એમનો યોગ્ય ઉપયોગ કરવાની કળા શીખવા માટે છે, પરંતુ આજે તો કર્તવ્યત્યાગીને જ વૈરાગી કહેવાની પ્રથા પડી ગઈ છે.

વૈરાગ્યનું સમગ્ર રહસ્ય નિષ્કામ કર્મયોગમાં છુપાયેલું છે. માનવજાતિનું મહાન દર્શનશાસ્ત્ર ગીતા નિષ્કામ કર્મયોગ પર જ વધુમાં વધુ ભાર મૂકે છે. સંસારમાં આપણે કેવા પ્રકારનો વ્યવહાર કરવો જોઈએ એનું જ્ઞાન મેળવવા માટે આપણે ગીતાકારનો ભાવાર્થ સારી રીતે સમજવાની કોશિશ કરવી જોઈએ. નિષ્કામકર્મ અને કર્મયોગ એ બે શબ્દ છે. નિષ્કામનો અર્થ અળગા રહેવું, ભળવું નહિ, નિર્લેપ રહેવું એવો છે. કર્મયોગનું તાત્પર્ય કર્તવ્યધર્મનું પાલન કરવા સંબંધી છે. જીવનો ધર્મ એ છે કે તે વિકાસના નિમિત્તે અહંભાવને ફેલાવે. પોતાની આત્મીયતા બીજા સુધી પહોંચાડે. પોતાના સ્વાર્થને બીજાના સ્વાર્થ સાથે જોડવાના કાર્યને વિસ્તારતો જાય. આ આધ્યાત્મિક ઉન્નતિ જો વાસ્તવિક હોય તો તે વ્યક્તિ પોતાની શક્તિનો વધુમાં વધુ અંશ બીજાની સેવામાં ખર્ચે છે અને ઓછામાં ઓછો પોતાના માટે રાખેછે. એટલે કે તે સેવાધર્મ અપનાવી લે છે અને પરોપકારમાં રત રહે છે. એનો દૃષ્ટિકોણ સંકુચિત સ્વાર્થ પૂરો કરવાનો નથી હોતો, પરંતુ ઉદારતા સહિત પરમાર્થ માટે હોય છે. જે જેટલો પરમાર્થચિંતક છે, તે તેટલો જ મોટો મહાત્મા કહેવાશે.

આપણા પૂર્વજ ઋષિમુનિઓને સારી રીતે સમજવામાં લોકો ઘણી ભૂલ કરે છે. એમની દૃષ્ટિ એટલી જ પહોંચે છે કે ઋષિમુનિઓ નગરોથી દૂર જંગલમાં રહેતા હતા અને ફળફૂલ ખાઈ, વલ્કલવસ્ત્ર પહેરી જીવન વ્યતીત કરતા હતા. આજકાલના નામધારી સાધુ તથા કહેવાતા વૈરાગીઓ પોતાની જરૂરિયાતો તો ઘટાડે છે, પરંતુ બચેલી શક્તિને પરમાર્થમાં વાપરતા નથી. તેઓ દંભ, આળસ, પ્રમાદ અને ધૂર્તતા અપનાવી લે છે. એટલે એમનું જીવન સામાન્ય ગૃહસ્થથી પણ નીચી કક્ષાનું બની જાય છે. આ જ કારણે સાધુના વેશમાં ભિખારીઓને ગલીઓમાં કૂતરાની જેમ ભટકતા આપણે જોઈએ છીએ. ઋષિમુનિઓના જીવન પર ગંભીરતાપૂર્વક દષ્ટિપાત કરવામાં આવે તો એમની સાચી આત્મોન્નતિનુંપ્રમાણ પ્રત્યક્ષ મળી રહે છે. જંગલમાં જઈને, લૂખુંપાખું ખાઈને, નાગાપૂંગા અજગરની જેમ પડી રહેતા નહોતા, પરંતુ ત્યાં જઈને જનસાધારણની સેવા માટે વધુમાં વધુ કામ કરતા હતા. યોગી દ્રોણાચાર્યે શસ્ત્રવિદ્યામાં સ્વયં પૂર્ણતા મેળવી અને યોગ્યતા ધરાવનાર અનેકને તે વિદ્યામાં પારંગત બનાવ્યા. યોગી ચરકે ચિકિત્સાશાસ્ત્રની ઉત્કૃષ્ટ શોધ કરી. યોગી સુશ્રુતે વાઢકાપ વિદ્યા (સર્જરી)ની શોધ કરી. પાણિનિએ વ્યાકરણશાસ્ત્ર રચ્યું, આર્યભટ્ટે ખગોળવિદ્યાના મર્મોની શોધ કરીને જ્યોતિષશાસ્ત્ર રચ્યું. યોગી વશિષ્ઠે પોતાના ઉપદેશોથી રામ જેવા રાજકુમારોને મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ બનાવી દીધા. યોગી પરશુરામે પોતાના પ્રચંડ બાહુબળથી પૃથ્વીને અત્યાચારીઓના રક્તથી રંગી દીધી. યોગી નારદનું પ્રચારકાર્ય એટલું પ્રબળ હતું કે તે એક ઘડી (૨૪ મિનિટ) કરતાં વધુ સમય એક સ્થાન પર રહેતા ન હતા. વિશ્વામિત્રે નવી જ સૃષ્ટિ વસાવી. યોગી વ્યાસે અઢાર મહાપુરાણ રચ્યાં, જેમાં ગીતા જેવાં અનેક રત્નો છુપાઈ રહેલાં છે. યોગીરાજ કૃષ્ણે મહાભારત જેવો સંગ્રામ રચ્યો. યોગીનું જીવન ક્યારેય એવું જણાયું નથી કે જે લોકસેવાના મહાન કાર્ય સાથે સંકળાયેલું ન હોય. આત્મશક્તિની ઉન્નતિ માટે તેઓ યોગાભ્યાસ પણ કરતા હતા, પરંતુ એ એવી રીતે કરતા કે જેમ પ્રાતઃકાળે વધુ કામ કરવાની શક્તિ મેળવવા માટે આપણે નિદ્રા લઈએ અથવા કુસ્તી લડવા માટે, બળ વધારવા માટે દૂધ પીએ છીએ. તેઓ ક્તિગત રહેણીકરણી એટલા માટે કરકસરવાળી રાખતા કે જેથી વ્યક્તિગત કાર્યો માટે ઓછો સમય પરિશ્રમ કરવો પડે અને અધિકાંશ શક્તિનો ઉપયોગ લોકસેવા અથવા પરમાર્થ નિમિત્તે થઈ શકે. આપણા ઋષિમહાત્માઓ સ્ત્રીપુરુષોનો ત્યાગ કરી દેતા હતા તે માન્યતા પણ ખોટી છે. સત્ય તો એ છે કે ભાગ્યે જ કોઈ ઋષિ એવા હશે કે જેમણે અવિવાહિત જીવન વિતાવ્યું હોય. પુરાણો સાક્ષી છે કે બધા જ ઋષિઓને પત્નીઓ અને બાળકો હતાં. શંકર જેવા યોગેશ્વરે બે વાર લગ્ન કર્યાં અને એમને સંતાનો પણ હતાં.

ઋષિઓના જીવન પર થોડો પ્રકાશ એટલા માટે પાડવામાં આવ્યો છે કે નક્લ કરનાર લોકો પૂરી વાત સમજે અને ત્યાર પછી એનું અનુકરણ કરે. બાળબચ્ચાંને ભટકતાં છોડી દઈ કાયરતાપૂર્વક ર્તવ્યધર્મની અવહેલના કરીને ઘરનો ત્યાગ કરી ભાગી જવું અને ભગવાનનુંભજન કરવાની જૂદી આત્મવંચનાનાબાનેભીખના ટુકડા ખાઈ અકર્મણ્યતાપૂર્વક જીવવું એ ન તો યોગ છે કે ન સંન્યાસ, ન તો સ્વાર્થ છે કે ન પરમાર્થ ! આ એક પ્રકારની આત્મહત્યા છે. અલ્પ શિક્ષિત વ્યક્તિ સ્વાર્થી ‘‘કાન ફૂંકનાર’” ગુરુઓના કહેવામાં આવી જઈ પોતાના બહુમૂલ્ય જીવનની આળસ અને પ્રમાદની વૃત્તિઓ દ્વારા નિર્દયતાપૂર્વક હત્યા કરી દેછે. આમ જોવા જઈએ તો આજે પણ થોડા ઘણા સાચા મહાત્મા આવા સાધુવેશધારીઓમાં મળી શકેછે, જેસ્વાર્થની સરખામણીમાં પરમાર્થને મહત્ત્વ આપેછે, જેઓ અહંકારના નશાના ચક્કરમાં ન પડતાં નમ્રતા અને સેવાનો પરિચય આપે છે. આવા મહાપુરુષોમાં કણાદ અને કપિલ જેવા પૂજનીય છે. અમારો વિરોધ તો એવા ભિખારીઓ માટેછે કેજે વૈરાગ્યના પવિત્ર નામને કલંકિત કરી પ્રમાદની ઉપાસના કરે છે અને જનસાધારણના મનમાં ખોટી ધારણા પેદા કરે છે કે વૈરાગી તે જ છે, જે ઘરબાર છોડી દિશાશૂન્ય બની ભટક્તા ફરેછે. આમ ભજનની જૂઠી આત્મવંચના કરતાં કરતાંસ્વાર્થી જીવન વિતાવે છે.

જીવનવિકાસ માટે અહંભાવ વિસ્તારવો જરૂરી છે. પરમાર્થમાં સ્વાર્થને જોડતાં, પોતાના માટે ઓછું અને બીજા માટે વધારેની ઉદાર વૃત્તિને અપનાવતા જવું એ જ બસ એક જીવનો ધર્મ છે. ધર્મનાં બધાં જ અંગઉપાંગ આ પરિભાષાની અંતર્ગત આવી જાય છે. ત્યાગ, સહાનુભૂતિ, પ્રેમ, દયા, ઉદારતા વગેરે સવૃત્તિઓ વિકાસધર્મનાં કિરણો છે. સંપૂર્ણ ધર્મશાસ્ત્ર આ એક જ બિંદુની આસપાસ એવી રીતે ઘૂમે છે કે જેમ ધ્રુવની ચારે તરફ અન્ય નક્ષત્રો ઘૂમે છે. આપ સંસારથી વિરક્ત રહો, પરંતુ પ્રાણીઓને આત્મતુલ્ય સમજી તેમની સેવાના માર્ગપર આગળ વધતા જાઓ. સ્ત્રી, પુત્ર તથા કુટુંબીઓના શરીરને નાશવંત સમજો, પરંતુ એમના જીવનની ઉન્નતિ માટે ભરપૂર સહાય કરો. એમની જરૂરી સગવડતાઓનું ધ્યાન એ રીતે રાખો, જે રીતે પોતાની સગવડતાઓનું રાખો છો. આ રીતે આત્મપ્રસારના વર્તુળને ક્રમશઃ વધારતા જાવ. જે સુખ મેળવવાની ઈચ્છા આપણા માટે કરીએ છીએ તેવી ઈચ્છા બીજા માટે પણ કરો. સહૃદય માતા ઘરમાં બનાવેલ ખીર, મિષ્ટાન્ન વગેરે પ્રથમ બાળકોને ખવડાવે છે. તે પછી જે વધેલું હોય તે પોતે ખાય છે. આપ જ્યારે વિકાસધર્મનું પાલન કરશો તો એવી જ ઉદાર અને સહૃદય માતા બની જશો. વિશ્વનાં અન્ય પ્રાણીઓ આપનાં બાળક હશે. આપનો બધો જ વૈભવ અલ્પ બુદ્ધિવાળાં, અલ્પ શક્તિવાળાં તથા અલ્પ વૈભવવાળાં પ્રાણીઓના કામમાં આવશે, ત્યાર પછી કંઈક બચેલું ભૌતિક સુખ આપ આપને માટે ઈચ્છશો. ખીર, મિષ્ટાન્ન વગેરે ખાઈને પ્રસન્ન થયેલાં બાળકોના પ્રફુલ્લ ચહેરા જોઈ માતાનું હૃદય આનંદથી ભરાઈ જાય છે. અશક્ત પ્રાણીઓની સેવામાં આપણા વૈભવનો ત્યાગ કરી દીધા પછી આપના અંતઃકરણમાં પણ આનંદની લહેરો ઊમટવા લાગશે.

નશ્વર સંસારનો ઉપદેશ છે કે વૈરાગી બનો. વૈરાગીનો અર્થ છે સંસારના પદાર્થોની નશ્વરતાને સમજીને એનો ઉપયોગ વિકાસધર્મની પૂર્તિને માટે પરમાર્થમાં કરવો. સ્વાર્થને, લોભને તથા તૃષ્ણાને ઓછાં કરીને પરમાર્થના વિચાર અને કાર્યોમાં નિરંતર લાગેલા રહેવું એ જ સાચો વૈરાગ્ય છે.

પરમાર્થ અને સેવાભાવના । GP-14. ‘પરમાર્થ અને સ્વાર્થનો સમન્વય’ | ગાયત્રી વિદ્યા

પરમાર્થ અને સેવાભાવના । GP-14. ‘પરમાર્થ અને સ્વાર્થનો સમન્વય’ | ગાયત્રી વિદ્યા

પરમાર્થનાં આમ તો અનેક રૂપ છે, પરંતુ એક સામાન્ય મનુષ્ય માટે એનું સુલભ રૂપ પરસેવા જ છે. દુઃખ કે અભાવથી ઘેરાયેલ વ્યક્તિને કોઈ પણ રૂપમાં સહાયતા કરવાથી એના સંકટનું નિવારણ થવાની સાથે જ આપણને આત્મસંતોષ પણ મળે છે. આથી આત્મિક બળની વૃદ્ધિ થાય છે અને મનુષ્ય વધુ અગત્યનાં કાર્યો કરવામાં સમર્થ બને છે.

લોકસેવાના ત્રણ પ્રકાર છે : (૧) પરોક્ષ સેવા (૨) પ્રત્યક્ષ સેવા (૩) સહ સેવા. પરોક્ષ સેવા તે છે, જે પોતાનો કાર્યક્રમ નિર્દોષ, નિષ્પાપ તથા લોકહિતકારી રાખતાં રાખતાં જીવન વ્યતીત કરે. પ્રત્યક્ષ સેવા એ કહેવાય છે, જેમાં જીવનનું મુખ્ય કાર્ય સાર્વજનિક કાર્યોમાં લાગેલા રહેવું તે છે. સહસેવા તે છે, જેમાં મનુષ્ય પોતાનો બચેલો સમય બીજાની સહાયતામાં લગાવે છે અથવા જરૂર પડતાં પોતાના દૈનિક કાર્યમાંથી પરહિત માટે સમય કાઢે છે.

જે વેપા૨ી અભક્ષ્ય, ભેળસેળિયા, નકલી, વાસી તથા હલકી ચીજો વેચતો નથી, પરંતુ ઉપયોગી વસ્તુ વેચી જનતાના અભાવની પૂર્તિ કરે છે, તોલમાપમાં પ્રમાણિકતા અને ભાવમાં ઈમાનદારી રાખે છે તે વ્યાપારી પરોક્ષ લોકસેવી છે. જો કે તે પોતાના વેપારને વ્યક્તિગત લાભની રીતે જ ચલાવે છે, પરંતુ એ પણ ધ્યાનમાં રાખે છે કે આ કાર્ય બીજાને પણ ઉપયોગી હોય. આવા વ્યવસાયથી વેપારી પોતે એટલો બધો લાભ મેળવી શકતો નથી, જેટલો બેઈમાન દુકાનદાર મેળવી લે છે, છતાં પણ ચોક્કસરૂપથી એની ઈમાનદારી એક પ્રકારની લોકસેવા જ છે. આ રીતે કોઈ પણ કિસાન, મજૂર, વકીલ, વૈદ્ય, સરકારી કર્મચારી, કારીગર, અધ્યાપક કે વૈજ્ઞાનિક ઈમાનદારીથી પોતાનું કર્તવ્યપાલન કરી અનીતિથી ધનસંચય કરવાનો લાભ ત્યાગી પરોક્ષ લોકસેવાના પુણ્યનો ભાગીદાર બની શકે છે.

વર્તમાન સમાજમાં પ્રત્યક્ષ સેવાની ઘણી જ જરૂર છે, કારણ કે વર્તમાન સામાજિક વ્યવસ્થામાં ઊંચનીચ, ધનવાન-નિર્ધન, શાસક-શાસિત, શિક્ષિત-અશિક્ષિત, કિસાન-જમીનદાર તથા શેઠ-મજૂર વચ્ચે ઘણી મોટી ખાઈ પડેલી છે. સરકારી તંત્ર પણ કમજોર છે, તેથી તે નિર્બળ તથા પછાત લોકો અને આપત્તિગ્રસ્તોની વધુ સહાયતા કરી શકતું નથી. આવી દશામાં કમજો૨ને મદદ કરી એની તકલીફ દૂર કરવા અને ઊંચા ઉઠાવવા માટે સાર્વજનિક કાર્યકર્તા ન હોય તો પીડિતોનાં કષ્ટોનું ઠેકાણું ના રહેત. કેટલાંય ઉદાહરણ છે કે દયાળુ, ભાવનાશીલ તથા સ્વાર્થત્યાગી મનુષ્યો પોતાનો આરામ અને લોભ ત્યાગી સાર્વજનિક આંદોલનો, સંસ્થાઓ તથા સેવાકેન્દ્રોનું સંચાલન કરતાં ગુજારા માટે અનાયાસે જે મળે છે તેમાં જીવનયાત્રા ચલાવતા રહે છે. આ વર્ગને લોકસેવક ન કહેતાં લોકસૈનિક કહેવા તે યોગ્ય છે. સૈનિક પોતાનો બધો જ સમય રાષ્ટ્રરક્ષામાં ગાળે છે અને પ્રાણત્યાગ કરવા માટે હરહંમેશ તૈયાર રહે છે. આવી સ્થિતિ લોકસૈનિકોની હોય છે.

ત્રીજો સહસેવક છે. તે પોતાનું કાર્ય ઈમાનદારી અને સમાજહિતનું ધ્યાન રાખતાં રાખતાં કરે છે. સાથે સાથે સાર્વજનિક કાર્યો માટે થોડોક સમય કાઢે છે. ઉપયોગી સંસ્થાઓના કાર્યમાં સાથ આપવો, સદ્ગુણોની વૃદ્ધિમાં સહાય કરવી. સત્કાર્યોમાં પ્રોત્સાહન આપવા પ્રયત્નશીલ રહેવું સહસેવકોને ઘણું જ ગમતું હોય છે. પોતાની જીવનચર્યા ચલાવવા માટેતે કમાય છે. સાથે સાથે સેવાના અવસરોને પણ હાથમાંથી જવા દેતો નથી. કોઈવિશેષ આવશ્યક સેવા ઊભી થઈ જાય તો પોતાનું કામ છોડીને પણ એને પૂરી કરે છે.

પરોક્ષ સેવક બનવાની દરેક નાગરિક પાસેથી આશા રાખવામાં આવે છે. જે બેઈમાની, બદમાશી અને અનીતિના આધારે કમાય છે તે કાયદાની પકડમાં અને જનતાની ધૃણાથી બચતો હોવા છતાં પણ પાપી અને લોકધાતી છે. એનો વૈભવ ગમે તેટલો હોય, ખુશામતખોરોથી તે ગમે તેટલો ઘેરાયેલો હોય, પણ તે આત્મહત્યારો તથા ધર્મદ્રોહી હોવાના કારણે ઈશ્વરના દરબારમાં અપરાધી જ ગણાશે. ધર્મનો, આત્માનો દરેક વ્યક્તિને પોકાર છે કે તે પુણ્યપથ પર આગેવાની ના લઈ શકે, તો ઓછામાં ઓછું ઈમાનદાર નાગરિક, ચારિત્ર્યવાન મનુષ્ય અને પરોક્ષ લોકસેવક તો અવશ્ય બને જ. આ મર્યાદાથી નીચે જતાં તો માણસાઈના ઉત્તરદાયિત્વથી પણ નીચે ઊતરી જાય છે.

લોકસૈનિકોએ પોતાનો કૌટુંબિક ભાર ઓછામાં ઓછો રાખવો જોઈએ. આથી વ્યક્તિ વિવાહિત હોય તો હવે સંતાન પેદા કરવાનું બંધ કરી દે. આશ્રિતો માટે કોઈ એવો આધાર બની શકે, જેનાથી તેઓ તેની સહાયતાની અપેક્ષા રાખે નહિ તો ઘણું સારું રહે. આશ્રિતોની આર્થિક જવાબદારીથી લદાયેલ મનુષ્ય મોટે ભાગે ઈમાનદારીથી, પૂરી શક્તિથી, પૂરી લગનથી સાર્વજનિક સેવા કરી શકતો નથી. પ્રાચીનકાળમાં વાનપ્રસ્થ અને સંન્યાસની વ્યવસ્થા એટલા માટે કરી હતી કે વ્યક્તિ એ સમય સુધી જરૂરી પ્રમાણમાં અનુભવ અને જ્ઞાન ભેગું કરી લે અને નાનાં બાળકોના ાલનપોષણના ભારથી નિવૃત્ત થઈ પોતાનો શેષ સમય સાર્વજનિક વામાં ગાળી શકે, પરંતુ હવે તો એ શૃંખલા પણ તૂટી ગઈ છે. ટલા માટે જ ગૃહસ્થોએ લોકસૈનિક, સાર્વજનિક કાર્યકર્તા બનવું ડે છે. આવી પરિસ્થિતિમાં તે કામચલાઉ વેતન લે તો તેમાં કંઈ ોટું નથી.

સહસેવકો માટે આકસ્મિક યા સ્વલ્પકાલીન સેવાઓ માટેનું તન લેવું નિષિદ્ધ છે. લોકો જો આવી નગણ્ય સેવાના બદલામાં તિફળની અપેક્ષા રાખવા લાગે તો આપ-લેની પ્રથા પડી જશે ને સેવાની ભાવના તથા પવિત્રતા પૂર્ણ રીતે નાશ પામશે.

કોઈને ત્યાં મૃત્યુ થતાં આડોશીપાડોશી કોઈ જ બદલો માગ્યા ાના મૃતકની અંત્યેષ્ટિ માટે સ્મશાને લઈ જાય છે. જો બદલો ઈ મડદાને લઈ જવાનો રિવાજ પડી જાય, તો આ જ અંત્યેષ્ટિ સ્કારમાં સહાયભૂત થવું એ પવિત્ર ધર્મકાર્ય છે તેવી ભાવના હેશે નહિ. લોકો મડદાંને લઈ જવાનો ધંધો કરવા લાગશે. આમ વાથી જેઓ પોતાના સ્વજનના મૃત્યુથી દુઃખી છે તેઓ વધુ શ્કેલીમાં મુકાશે. વિવાહ, લગ્ન, ખિન્નતા, મંદવાડ અને સીબતમાં લોકો કંઈ જ લીધા વિના એકબીજાની સહાયતા કરે . પર્વ, ઉત્સવ તથા મેળામાં આવનાર યાત્રિકોને માટે લોકો વાસમિતિઓ બનાવી પાણી વગેરેની વ્યવસ્થા કરે છે.પૂર,આગ ાગવી, ધરતીકંપ, દુષ્કાળ, મેળા વગેરેમાં સ્વયંસેવકો :ખીઓની સેવા કરે છે. સાર્વજનિક સંસ્થાના કાર્યકર્તાઓ મોટે ાગે માનદ્ જ હોય છે. ધાર્મિક કથા, કીર્તન, યજ્ઞ, પ્રચાર, રઘસ વગેરેમાં લોકો શ્રદ્ધાપૂર્વક પોતાનો સમય આપે છે. આ ધી બાબતો માટે જો વેતન, બદલો અથવા મજૂરી લેવાની પ્રથા ડી જાય તો એક સત્યાનાશી પરંપરા કાયમ થઈ જશે. પછી સેવા નામના પવિત્ર તત્ત્વને માટે માનવજીવનમાં કોઈ જ સ્થાન રહેશે નહિ.

આત્મિક સમૃદ્ધિઓમાં, દૈવી સંપદાઓમાં સેવા મોટામાં મોટી સંપદા છે. લોકો ભૌતિક ધન તથા ઐશ્વર્યને ભેગું કરવા દિનરાત ચિંતા અને પરિશ્રમ કરે છે, પરંતુ દુઃખની વાત છે કે આત્માની સાથે રહેનારી, જન્મજન્માંતરો સુધી સાથ આપનારી આત્મિક સંપત્તિ એવી સેવા તરફ ધ્યાન અપાતું નથી. જ્યાં સુધી સેવા ભાવનાનો જીવનમાં સમાવેશ કરવામાં નથી આવતો ત્યાં સુધી કોઈ વ્યક્તિ આત્મિક શક્તિ મેળવી શકતી નથી. પછી ભલે એ ગમે તેટલી ધનવાન અથવા હોદ્દેદાર કેમ ના હોય?

પરમાર્થ દ્વારા આત્મોન્નતિ । GP-14. ‘પરમાર્થ અને સ્વાર્થનો સમન્વય’ | ગાયત્રી વિદ્યા

પરમાર્થ દ્વારા આત્મોન્નતિ । GP-14. ‘પરમાર્થ અને સ્વાર્થનો સમન્વય’ | ગાયત્રી વિદ્યા

બુદ્ધિમાન પુરુષોએ ખરેખર જે સ્વાર્થની નિંદા કરી છે તે એવી જ નીચ કોટિનો સ્વાર્થ હોય છે. ઉચ્ચ કોટિનો સ્વાર્થ એ હોય છે, જેનાથી આપણું શરીર, મન અને આત્મા એ ત્રણેની ઉન્નતિ થાય છે. આવા જ સ્વાર્થને પરમાર્થ પણ કહી શકાય છે.

આત્માને સમુન્નત અને સુવિકસિત બનાવવો તે માનવજીવનનો મહત્ત્વપૂર્ણ ઉદ્દેશ્ય છે, કારણ એ છે કે નિરંતર સતાવતા વિવિધ પ્રકારના અભાવ, દુઃખ, શોક, પાપ,તાપ વગેરેને આત્માની ઉન્નતિ વિના દૂર કરી શકાતાં નથી. સાંસારિક અને માનસિક ક્ષેત્રે જો સુખશાંતિ મેળવવી હોય તો એક માત્ર ઉપાય એ છે કે આત્મજ્ઞાન અને આત્મબળની અભિવૃદ્ધિ કરવામાં આવે. મહાન બનવા માટે તેમ જ આનંદની ચરમ સીમાએ પહોંચવા માટે બીજો કોઈ માર્ગ નથી.

આત્મોન્નતિ એકાંગી નથી હોતી. કેવળ એક ઉપાયથી જ તે પૂરી થઈ શકતી નથી, પરંતુ તે સંબંધી બધાં જ સાધનો ભેગાં કરવાં પડે છે. પહેલવાન બનવા માગતો માણસ ફક્ત વ્યાયામ જ કર્યા કરે અને પૌષ્ટિક ભોજન, તેલમાલિશ, બ્રહ્મચર્ય, વિશ્રામ વગેરે પ્રત્યે ઉપેક્ષા સેવે તો તેનું સફળ થવું મુશ્કેલ છે. જો કોઈ માત્ર દીવાલ પરમાર્થ અને સ્વાર્થનો સમન્વય ચણતો જાય, પરંતુ કમાડ, છત, ફર્શ વગેરે બનાવવા પર ધ્યાન ના આપે, તો મકાન બની શકે નહિ. સફળ ડૉક્ટર બનવા ઈચ્છતો માણસ જો દિવસરાત દવા બનાવતો રહે અને નિદાન, પરિચર્યા, વાઢકાપ,પાટાપિંડી વગેરેને વ્યર્થ સમજી તેમનાથી દૂર રહે તો સફળ ડૉક્ટર થવું અશક્ય છે. આત્મોન્નતિનાં સુવ્યવસ્થિત સાધનોના સંબંધમાં અધ્યાત્મવિદ્યાના તત્ત્વદર્શી આચાર્યો હંમેશાં સાવધાન રહેછે. એમણે પોતાના શિષ્યોની સર્વાંગી ઉન્નતિનું હંમેશાં પૂરેપૂરું ધ્યાન રાખ્યુંછે. આ અંગેના નિયમો, પ્રતિબંધો અને ઉત્તરદાયિત્વનું શાસ્ત્રોમાં અનેક પ્રકારે વર્ણન કર્યું છે. વ્યાવહારિક જીવનમાં ઉદારતા, કૃતજ્ઞતા, પરોપકાર, લોકસેવા અને સ્વાર્થત્યાગ વગેરે આચરણોના વધારેમાં વધારે પ્રસંગો આવતાં તે પ્રસંગોએ પોતાનું ઉત્તરદાયિત્વ સફળતાપૂર્વક પૂરું કરવું તે દરેક સાધક માટે અત્યંત જરૂરી છે. આવા પ્રકારના આચરણને “ભૂમિ નિર્માણ” કહે છે. સારી ફળદ્રુપ, નરમ, બરાબર ખેડેલી જમીનમાં જ બીજ વાવવાથી સારી પેદાશ થાય છે. આવા પ્રકારના આચરણના વધારેમાં વધારે પ્રસંગો ઊભા કરવા અને એ સંબંધી પોતાની જવાબદારી દક્ષતા અને તત્પરતાથી પૂરી કરવી એ જ આત્મિક ભૂમિકાનું નિર્માણ છે. આવી ભૂમિમાં જ સાધનાનું બીજ ઊગે છે અને જીવનમુક્તિ અને પરમાનંદની કલ્યાણકારી ઉપજ ઉપજે છે.

સામાન્યતઃ મનુષ્યમાં દૈવી તત્ત્વોને બદલે પાશવિક તત્ત્વોની જ અધિકતા હોય છે. એટલા માટે જ પોતે બીજા પાસેથી વધારે લાભ મેળવવા અને બીજા માટે કશું જ ન કરવાની ઈચ્છા રાખે છે. આવા દૃષ્ટિકોણથી જ ઘણાં કાર્ય થાય છે. પોતાની મુશ્કેલીઓ દૂર કરવા અને સમૃદ્ધિ વધારવામાં તે દૈવી તત્ત્વોની સહાયતા માગે છે, પરંતુ તે તત્ત્વોના પોષણ માટે કંઈ જ કરવું પડતું નથી. આ પશુવૃત્તિની ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણે કડક શબ્દોમાં આલોચના કરી છે. ‘પ્રથમ આપો, પછી મળશે’ ના સિદ્ધાંતનું સમર્થન કરતાં ગીતામાં કહ્યું છે કે –

સહયજ્ઞા: પ્રજાઃ સૃષ્ટા પુરોવાચ પ્રજાપતિઃ । અનેન પ્રસવિષ્યધ્વમેષ વોડસ્ત્વિષ્ટ કામધુક્॥

દેવાન્ભાવયતાતેન તે દેવા ભાવયન્તુ વઃ | પરસ્પરં ભાવયન્તઃ શ્રેયઃ ૫૨મ વાપ્સ્યથ ॥ ઈષ્ટાન્ભોગાન્હિ વો દેવા દાસ્યન્તે યજ્ઞ ભાવિતાઃ । તૈર્દત્તાન પ્રદાયૈભ્યો યો ભુંક્તે સ્તેન એવ સઃ ॥ – ગીતા ૩/ ૧૦/૧૧/૧૨

અર્થાત્ ભગવાને મનુષ્યની સાથે સાથે દૈવી તત્ત્વોને પણ ઉત્પન્ન કર્યાં અને ઘોષણા પણ કરી કે આનાથી તમે લોકો ઉન્નતિ કરશો અને પોતાની બધી મનોકામનાઓને પૂર્ણ કરશો, પરંતુ યાદ રાખો કે આ દૈવી તત્ત્વની ઉન્નતિ તમારે પણ કરવાની છે, ત્યારે જ તે તમારી સહાયતા કરશે. પરોપકારના આધારે જ કલ્યાણ થઈ શકે છે. જ્યારે મનુષ્ય દેવત્વનું પોષણ કરશે ત્યારે જ તેના બદલામાં તે ઈષ્ટભોગ પ્રદાન કરશે. જે પરોપકારથી દૂર ભાગે છે અને દૈવી વરદાનની યાચના કરે છે તે પાકો ચોર છે.

ભગવાને આ સંબંધી આનાથી આગળના શ્લોકોમાં ઘણું જ સ્પષ્ટીકરણ કરેલું છે. તેઓ કહે છે કે જેમ યજ્ઞથી વર્ષા અને વર્ષોથી અન્ન ઉત્પન્ન થાય છે, અન્નથી પ્રાણીઓનું જીવન સ્થિર થાય છે, તેવી જ રીતે દૈવી તત્ત્વ(યજ્ઞ) ના ફળસ્વરૂપે જ આત્મકલ્યાણ થઈ શકેછે. પોતાની શક્તિઓ દેવત્વના પોષણ માટે વાપરો. બદલામાં જે મળે એમાં સંતોષ માનો તો જ તમે બધાં પાપોથી મુક્ત થશો. જેઓ એકલપેટા બને છે તેઓ તો પાપ જ ખાય છે. ભગવાનનાં ઉપરોક્ત શ્રેષ્ઠ વચનોમાં એ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે પ્રારંભ કઈ બાજુથી કરવો જોઈએ. ન તો મફતમાં લેવાની વ્યવસ્થા છે અને ન તો અમુક લાભ મળે તેનો બદલો ચૂકવવાની શરત છે. સિદ્ધ બાબાને ચરણસ્પર્શ માત્રથી પ્રસન્ન કરીને અષ્ટસિદ્ધિ તથા નવનિધિ મેળવવાની મફતિયા ઈચ્છા રાખતા અને “દીકરો થશે તો નારિયેળ ચઢાવીશ’ જેવી શરત મૂકનારા નફાખોરોને ગીતામાં કડક શબ્દોમાં ઠપકો આપ્યો છે. આવા લોકોને આધ્યાત્મિક ભાષામાં “અધિકારી’’ કહે છે. અનધિકારીનું તાત્પર્ય એ છે કે સ્વાર્થી, અનુદાર, અવિશ્વાસુ તથા અશ્રદ્ધાળુ. કદાચ દૈવીશક્તિ આવા લોકોના હાથમાં ચાલી જાય તો તેઓ તેના દ્વારા સંસારમાં કેવળ અનર્થ જ પેદા કરે. આથી અધિકારી લોકોના હાથમાં બ્રહ્મશક્તિ ચાલી ના જાય તે માટે સૃષ્ટિના આરંભથી જ સાવધાની રાખવામાં આવી છે.

આત્મોન્નતિનું શિક્ષણ આપવાની સાથેસાથે ઋષિઓએ એ બરાબર ધ્યાન રાખ્યું છે કે જેઓ અધિકારી બનતા જાય તેમની પાત્રતામાં અભિવૃદ્ધિ થતી જાય. પાત્રતા અને સાધનાનાં બે પૈડાંને બરાબર સાથે સાથે રાખવામાં ધૈર્ય અને સાવધાનીથી કામ લેતા રહ્યા છે. જેટલી પાત્રતા વધે એટલું જ સાધનાનું સ્તર ઊંચે ચડે છે. કુપાત્રોને અતિ ઊંચા સ્તરની સાધના બતાવીને આધ્યાત્મિક અસમતોલન ઉત્પન્ન કરવાનું પરિણામ કોઈને માટે સારું ન હોઈ શકે.

પ્રાચીન ઇતિહાસ ઉપર દૃષ્ટિપાત કરતાં એવું જણાય છે કે આત્મજ્ઞાનના શિક્ષકોએ પોતાના વિદ્યાર્થીઓને પરમ ઉપયોગી અમૃતમય શિક્ષણ આપવાની સાથે સાથે એમના સદ્ગુણોનો વિકાસ કરનાર કષ્ટસાધ્ય અવસરો ઊભા કરવામાં ક્યારેય પાછી પાની કરી નથી, કારણ કે દેવત્વનું પોષણ કરીને જ દિવ્ય લાભ મેળવવાની સનાતન નીતિનો આધાર લીધા વિના ક્યારેય તે સફળ થઈ શકતા નથી. એટલે તે કષ્ટો તેમને માટે જરૂરી હતાં. ઉદ્દાલક, ધૌમ્ય, આરુણિ, ઉપમન્યુ, કચ,શ્લીમુખ, જરત્કારુ, નચિકેતા, શૈણ, વિસેચન, જાબાલિ, સુમનસ, અમ્બરિષ વગેરે અનેક શિષ્યોની કથાઓ સર્વવિદિત છે. તેમણે તેમના ગુરુઓએ આપેલા આદેશો પ્રમાણે ભારે કષ્ટ સહન કરીને તેમણે બતાવેલાં કાર્યો પૂરાં કર્યાં હતાં. દશરથે પોતાનાં પ્રાણપ્રિય સંતાનો આપ્યાં, હરિશ્ચંદ્રે અત્યંત દુઃખ ભોગવ્યું, મોરધ્વજે અનોખો આદર્શ ઉપસ્થિત કરવો, તે ગુરુઓએ આપેલા આદેશો મુજબ બન્યું હતું. સ્થૂળ દૃષ્ટિથી જોતાં આ કાર્યો એમના ગુરુઓની હૃદયહીનતા જેવાં લાગે, પરંતુ સાચી વાત એ છે કે એ કષ્ટસાધ્ય પરીક્ષાએ જ તુચ્છ માનવોને આટલા મહાન બનાવ્યા હતા. આવાં કષ્ટોથી તેઓ માત્ર અવજ્ઞા કરીને સહેલાઈથી બચી શકતા હતા, પરંતુ તો તે એશઆરામમાં દિવસો ગુજારીને મરી જાત. અસંખ્ય કીટપતંગોની જેમ વિસ્મૃતિના અંધકારમાં લુપ્ત થઈ જાત અને ચોર્યાસીના ચક્કરમાં ઘૂમતા રહેત. આવા ગુરુઓની હૃદયહીનતામાં કેટલી અપાર દયા ભરેલી હતી તેનું અનુમાન કરવું મુશ્કેલ છે.

દિલીપ રાજાને સંતાન ન હતાં. ગુરુના આશ્રમમાં જઈને કહ્યું કે પ્રભુ, મારો વંશ ડૂબતો બચી જવો જોઈએ. વશિષ્ઠજીએ આજ્ઞા કરી કે દૈવી સહાયતા મેળવવા માટે દેવત્વના પોષણની જરૂરિયાત છે. મહારાણી સાથે અહીં આવીને રહો અને અમારી ગાયો ચરાવવા માટે ગોવાળનું કામ કરો. દિલીપ રાજા જાણતા હતા કે સ્વાર્થ – પરાયણતાની બનેલી સૂક્ષ્મ માનસિક ગ્રંથિઓ જ જીવનમાં અભાવ અને દુઃખ ઉત્પન્ન કરે છે. આ ગ્રંથિઓનું શમન ત્યાગ, ઉદારતા અને પરમાર્થનું આચરણ કરવાથી જ થઈ શકે છે. તેઓ ઋષિની આજ્ઞામાં પોતાનું કલ્યાણ સમજીને રાજપાટ છોડી ગાયો ચરાવવા લાગ્યા. એક દિવસ તો ગાયોને સિંહથી બચાવવા માટે પોતાનો પ્રાણ પણ આપવાનું સાહસ કરવું પડ્યું. આવાં જ સાહસોથી મનોગ્રંથિઓ તથા સંસ્કારપિંડ ફૂટે છે, જે સંતાન ન હોવા જેવા અભાવોનું મૂળ કારણ હોય છે.

રાજા દિલીપને ત્યાં યોગ્ય સમયે સંતાન જન્મ્યું. આજકાલનો કોઈ આધ્યાત્મિક સાધક હોત તો વશિષ્ઠજીની ખુશામત કરવામાં પોતાની બધી ચાલાકી વાપરી નાખત, પરંતુ ત્યાગના નામે એક કલાકનો સમય અથવા તો નવા પૈસાનું નુકસાન ઉઠાવવા પણ તૈયાર ન થાત. તે સીધી રીતે સ્વાર્થ ન સધાત તો ડરાવી, ધમકાવી યજમાન ન રહેવાનું જણાવત, નિંદા કરત અથવા ફરી એવી શરત મૂકત કે તેને પુત્ર થશે તો તેના વિવાહ સમયે આપને કંઈ ને કંઈ દક્ષિણા જરૂર આપીશ. આવા પ્રકારની વ્યક્તિ દૈવી સહાયતા દ્વારા કેટલી લાભાન્વિત થાય તે અંગે કંઈ કહી શકાય નહિ.

મનુષ્યમાં પશુતા, સ્વાર્થપરાયણતા વધુ હોવાના કારણે સદ્ગુરુ એ વાત માટે પ્રયત્નશીલ રહે છે કે શિષ્યને પરમાર્થ માટે પ્રેરિત કરવામાં પોતાના વ્યક્તિત્વના પ્રભાવનો ઉપયોગ કરવો. જેત્યાગ અને ઉદારતાનો નાનો સરખો ભાર પણ ઉઠાવવા ઈચ્છતો નથી તેને ધીરે ધીરે કંઈ ને કંઈ કરવા અવશ્ય તત્પર કરવામાં આવે. સૌ જાણે છે કે અપરિગ્રહી, બ્રહ્મપરાયણ અને પોતાની આત્મશક્તિથી સંસાર પર શાસન કરનાર ઋષિકલ્પ બ્રહ્મવેત્તાનું ભોજન એમની કુટિરમાં પહોંચી શકે છે, પરંતુ તેમને તે ગમતું નથી. તેઓ લોકોના ઘેર જઈ ભિક્ષા માગતા હતા, કેમ કે લોકોને પોતાની દાનવૃત્તિ સફળ કરવાનો અવસર મળે. ગુરુદક્ષિણાના નામે પણ લોકો વધારેમાં વધારે ત્યાગ કરતા હતા. નિર્લોભ ઋષિઓ માટે સોનું અને માટી બરાબર છે. તેઓ મળેલા ધનનો ઉપયોગ ચિકિત્સા, યજ્ઞ, વિદ્યાધ્યયન વગેરે લોકહિતનાં કાર્યોમાં જ કરતા હતા. એમની વ્યક્તિગત જરૂરિયાતો એટલી ઓછી હતી કે એમને કોઈના ધન કે દાનની જરૂર પડતી ન હતી. દાનનું ધન તો અમાનત છે, જેને સત્પુરુષ એક હાથે લઈ બીજા હાથે ખર્ચ કરી દે છે. આજે ભિક્ષાની પુણ્યપરંપરા અત્યંત દૂષિત થઈ ગઈ છે. કુપાત્ર અને હરામખોર લોકોએ એને પોતાનો ધંધો બનાવી દીધો છે. આવા લોકોને દાન આપતા પહેલાં ઘણો જ વિચાર કરવાની જરૂર છે, પરંતુ ભિક્ષાનો મૂળ ઉદ્દેશ્ય અત્યંત પવિત્ર હતો. જે સ્વેચ્છાથી આપવા ઈચ્છતો નથી, તેને કોઈ પ્રસંગ ઊભો કરી આપવા માટે તત્પર કરવો એ પણ આત્મોન્નતિની એક સાધના કરાવવાનો જ પ્રયત્ન છે.

રામ-લક્ષ્મણની જેમ જ દાન-પુણ્યની જોડી છે. હિંદુ ધર્મમાં કોઈ પણ શુભ કર્મ, ધાર્મિક કૃત્ય એવું નથી કે જેની સાથે સાથે પરમાર્થનું પ્રત્યક્ષ ઉદાહરણ ઊભું કરવું પડતું ન હોય. બ્રાહ્મણભોજન, ગાય, અન્ન, વસ્ત્ર, પુસ્તક વગેરેનું દાન, પ્રસાદ વિતરણ વગેરેમાં કોઈને કોઈ અંશે ત્યાગ કરવો અનિવાર્ય માનવામાં આવ્યો છે. કહેવાય છે કે દક્ષિણા વિનાનો યજ્ઞ નિષ્ફળ જાય છે, કારણ એ છે કે સાધનાઓનો આધ્યાત્મિક વ્યાયામ કરવાની સાથે સાથે પોતાની મનોભૂમિને ઉપજાઉ બનાવવા માટે, દેવત્વના પોષણ માટે, ઉદારતા અને પરમાર્થનો અભ્યાસ કરવા માટે કોઈ ક્રિયાત્મક કાર્ય પણ કરતા રહે. આવી કાર્યપ્રણાલીને અપનાવવાથી સાધનામાં બમણા વેગથી પ્રગતિ થાય છે. પાત્રતા ઝડપથી વધે છે. આપણી સાધના ઉભયપક્ષી ચાલવી જોઈએ. જપ, તપ, વ્રત, ઉપવાસ, ધ્યાન, પૂજા, અર્ચના, વંદના નિયમિત શ્રદ્ધા અને ભક્તિપૂર્વક કરીએ. સાથે જ આપણી ઉદારતા, કૃતજ્ઞતા, પરોપકાર, ત્યાગ, પરમાર્થ અને દેવત્વના પોષણની ભાવનાને સમુન્નત કરવા માટે કંઈને કંઈ અવશ્ય કરતા રહીએ.

સ્વાર્થનાં બે સ્વરૂપ । GP-14. ‘પરમાર્થ અને સ્વાર્થનો સમન્વય’ | ગાયત્રી વિદ્યા

સ્વાર્થનાં બે સ્વરૂપ । GP-14. ‘પરમાર્થ અને સ્વાર્થનો સમન્વય’ | ગાયત્રી વિદ્યા

સાધારણ રીતે ‘સ્વાર્થ’ શબ્દને સારા અર્થમાં સમજવામાં આવતો નથી. “સ્વાર્થી’’ કહેવું તેને એક પ્રકારની ગાળ કે નિંદા સમજવામાં આવે છે, પરંતુ થોડો વિચાર કરવાથી લોકોની આ ધારણા ખોટી જણાય છે. સ્વાર્થની પ્રવૃત્તિ મનુષ્ય સહિત જીવમાત્રમાં સ્વાભાવિક રીતે જણાઈ આવે છે. એને કોઈ પણ રીતે ખરાબ કહી શકાય નહિ. આ પ્રવૃત્તિ સિવાય આત્મરક્ષા સંભવ નથી. મનુષ્ય જો શરૂઆતથી જ “સ્વાર્થ” પર દૃષ્ટિ ન રાખે અને પોતાના શરીરની રક્ષા માટે યોગ્ય પ્રયત્ન ન કરે તો આ સૃષ્ટિનું સ્થિર રહી શકવું જ અસંભવ બની જાય. નાનામાં નાનું બાળક પણ ભૂખ લાગે એટલે રડે છે અને દૂધ પીવા તલપાપડ થાય છે, તે સ્વાર્થની પ્રવૃત્તિનું જ મૂળ રૂપ છે. આ પછી હંમેશ માટે પોતાનાં લાભહાનિનો વિચાર કરવો પડે છે. સાચું તો એ છે કે “સ્વાર્થ”ની એક એવી કીમતી કસોટી પરમાત્માએ આપણને આપી છે કે જેની પર કસીને આપણે કયું કામ ખરું કે ખોટું છે તે જાણી શકીએ છીએ. શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ ? સ્વાર્થ જીવનની એક સર્વોપરી જરૂરિયાત છે. યોગ્યરૂપમાં તેનું હંમેશાં ધ્યાન રાખવું જોઈએ.

વાચકોને અહીં એવો સંદેહ પેદા થઈ શકે છે કે જો સ્વાર્થ આટલી બધી ઉત્તમ વસ્તુ છે તો તેને ખરાબ કેમ કહે છે ? સ્વાર્થી પ્રત્યે ધૃણા કેમ થાય છે ? આપણે એ જાણવું જોઈએ કે વેદમાં જે સ્વાર્થની નિંદા કરી છે તેનો ખરો અર્થ ‘અનર્થ’ હોવો જોઈએ. પહેલાંના આચાર્યોએ વિશુદ્ધ સ્વાર્થને પરમાર્થના નામથી ઓળખાવ્યોછે. આ પરમાર્થજ સાચો સ્વાર્થ છે. અનર્થને સ્વાર્થ ગણવો એ ભૂલ છે, કેમ કે વાસ્તવિક અર્થમાં પરમાર્થથી જ સ્વાર્થની પૂર્તિ થાય છે. અનર્થને અપનાવવો એ તો આત્મઘાતક છે. એને કોઈ પણ રીતે સ્વાર્થ કહી શકાય નહિ.

સ્વાર્થના બે ભેદ પાડી શકાય છે : એક અનર્થ અને બીજો પરમાર્થ. એક ખેડૂત પરિશ્રમપૂર્વક ખેતર ખેડે છે, પૈસા ખર્ચી ઘઉં લાવે છે. આ ઘઉંને વાવી પણ દે છે. ત્યાર પછી કેટલીયવાર ખેતરમાં પાણી પાઈને સિંચાઈ કરે છે, રખેવાળી પણ કરે છે. સામાન્ય રીતે એક વર્ષ સુધી ખેતરમાં કંઈને કંઈ ખર્ચ કરવું પડેછે. ક્યારેક હળ ખરીદવું પડે, ક્યારેક પાવડો તો ક્યારેક બળદ, તો ક્યારેક ખેતીનાં કેટલાંય સાધન લાવવાં પડે છે. મહેનત-મજૂરી કરવી પડે છે. તેને સાચવવા ચિંતા કરવી પડે, તેનું ધ્યાન રાખવું પડે છે તે તો જુદું. આ ખેડૂત પરમાર્થી છે. તે જાણે છે કે આ સમયે હું જે ત્યાગ કરી રહ્યો છું તેનો બદલો કેટલાયગણો થઈને મને મળશે. ખરેખર તેની મહેનત કારણ સિવાય નકામી જતી નથી. ખેતરમાં એક દાણાને બદલે હજાર દાણા પેદા થાય છે. ખેડૂત પ્રસન્ન થાય છે અને પોતાની પરમાર્થ બુદ્ધિની પ્રશંસા કરે છે. એક બીજો ખેડૂત ૫૨માર્થ પસંદ નથી કરતો. તે વિચારે છે કે કાલ કોણે જોઈ છે ? આજનું ફળ આજે ન મળે તો ન પરિશ્રમ શું કામ કરવો ? તે અનાજને ખેતરમાં વાવતાં અનુભવ કરે છે કે આવતી કાલ ઉપર તેને વિશ્વાસ નથી. આજના અનાજની તે આજે જ રોટલી બનાવીને ખાઈ જાય છે. ખેતર ખાલી પડી રહે છે. પાક ઊગતો નથી. કાપણી વખતે પરમાર્થી ખેડૂત અનાજથી કોઠાર ભરે છે, જ્યારે પેલો ખેડૂત માથું પટકે છે, કારણ કે તે તો બિયારણને વાવવાના બદલે ખાઈ ગયો હતો. તેને હવે કંઈ જ મળવાનું નથી. હવે આપને સમજાયું હશે કે પરમાર્થનો અર્થ આવતી કાલની વાત વિચારીને આજનું કામ કરવું અને અનર્થનો અર્થ છે, આવતી કાલની ભલાઈ બૂરાઈનો વિચાર કર્યા વિના આજનું કામ કરવું.

વર્તમાન માટે ભવિષ્યને ભૂલી જવાની નીતિ અનર્થકારક છે. એક ખાવાનો શોખીન માણસ ભોજન સ્વાદિષ્ટ હોઈ જરૂર કરતાં વધુ ખાય છે. થોડા સમય પછી પેટમાં દુઃખે છે, ડૉક્ટરને બોલાવવા પડે છે, જેટલો લોભ કર્યો હતો તેનાથી ખર્ચ વધી જાય છે. એક કામી પુરુષ કોઈ યુવતી પર મુગ્ધ થઈ અમર્યાદિત ભોગ ભોગવે છે. કેટલાક સમય પછી તે વીર્યરોગી થઈ જાય છે. આના બદલે એક માણસ જીભ ઉપર સંયમ રાખે છે, ભવિષ્યનો વિચાર કરી આજના સ્વાદથી દૂર રહે છે,તેનું મર્યાદિત ભોજન સ્વસ્થ રહેવામાં અને દીર્ઘજીવનમાં સહાયક બને છે. આ જ રીતે એક બ્રહ્મચારી ગૃહસ્થ નિયત મર્યાદામાં રતિસંયોગ કરે છે. તે નીરોગી રહે છે, બળવાન સંતાન મેળવે છે અને પુરુષત્વને સંરક્ષિત રાખેછે. પહેલાંવાળી બેઅસંયમી વ્યક્તિઓ દુઃખી થાય છે, કેમ કે તેઓ આજના લોભમાં આવતી કાલની વાત ભૂલી જાય છે. આને બદલે પાછળની બે વ્યક્તિ આનંદમાં રહે છે, કારણ કે તેઓ આવતી કાલને માટે આજે કામ કરે છે.

“અમારે તો અમારા મતબલથી મતલબ” ની નીતિને અપનાવનારને સ્વાર્થી કહી ઘૃણાની દૃષ્ટિથી જોવામાં આવે છે. ખરેખર તેઓ સ્વાર્થી નહિ, અનર્થી છે, કારણ કે તેઓ વાસ્તવિક સ્વાર્થને ભૂલી ગયા છે અને સત્યાનાશી અનર્થને અપનાવી રાખ્યો છે. જે વ્યક્તિ પાડોશમાં કોલેરા થયો હોવા છતાં તેને રોકવા પ્રયત્ન નથી કરતી, જે માણસ સમાજમાં દુષ્ટતા ઉત્પન્ન થાય તો તેને રોક્વા ઊઠશે નહિ, જે માણસ ગામમાં લાગેલી આગ હોલવવા કોશિશ કરતો નથી, જે અસહાયોને સહાયતા કરતો નથી તે કેવળ અનર્થ કરે છે, કેમ કે મહોલ્લામાં થયેલો કોલેરા ઘરમાં આવી છોકરાનો જાન લઈ લેશે, વ્યાપેલી દુષ્ટતા એની ખુદની છાતી પર ચડી એક દિવસ તેનું રક્ત પીવા તૈયા૨ થઈ જશે, ગામમાં લાગેલી આગ થોડાક કલાકમાં પોતાના છાપરા સુધી આવી પહોંચશે. અસહાયોનો રોષ એક દિવસ રાક્ષસ રૂપ ધારણ કરીને પોતાની મુશ્કેલીઓના કારણે આપણને જોખમમાં મૂકશે. આ પ્રમાણે “અમારા મતલબથી મતલબ’’ રાખનારની ‘લાલાશાહી’ નીતિ યથાર્થમાં સ્વાર્થની નહિ, પણ અનર્થની નીતિ છે. આ અનર્થ એક દિવસ એનો વિનાશ કરીને જ રહેશે. લોટની ગોળીને જ જોનારી માછલી પોતાનો જાન ખોઈ બેસે છે.

પાપ, દુષ્કર્મ, લાલચ, લોભ વગરેમાં તરતનો જ કંઈક લાભ દેખાય છે, એટલે લોકો કબૂતરની જેમ દાણા મેળવવા માટે એની પાછળ દોડી જાય છે અને જાળમાં ફસાઈને દુઃખ સહે છે. પછી રડતા-કકળતા રહે છે, પરંતુ ધીરજવાન માણસ શુભકર્મોમાં પ્રવૃત્ત હોય છે અને ખેડૂતની જેમ આજે કષ્ટ સહન કરી કાલ માટે ફસલ તૈયાર કરે છે. હકીકતમાં પૂરો, પાકો સ્વાર્થી માણસ તે છે, જે દરેક કામને ભવિષ્યના પરિણામના આધારે તોલે છે અને ધીરજ તથા ગંભીરતાથી શ્રેષ્ઠ કર્મ કરતો આ લોક અને પરલોકને ઉજ્જવળ બનાવે છે. તેને જ પરમાર્થી કહેવાય છે. અવિવેકી અને મૂર્ખ તે છે, જે ક્ષણિક સુખની મૃગતૃષ્ણામાં ભટકતાં ભટકતાં આ લોકમાં નિંદા અને પરલોકમાં યાતના પ્રાપ્ત કરે છે. એ સ્વાર્થ નહિ, અનર્થ છે. આપણે દરેકે એ વાત સાચી રીતે આત્મસાત્ કરી લેવી જોઈએ કે સાચો સ્વાર્થ પરમાર્થમાં છે. અનર્થનો અર્થ તો આત્મહત્યા જ થઈ શકે. કૂતરો સૂકું હાડકું ચાવે છે. તેને ચાવવાથી એનાં પેઢાંમાંથી જે લોહી નીકળે છે તે પીને એમ સમજે છે કે હાડકામાંથી લોહી મળે છે. અનર્થની નીતિને અપનાવનાર પોતાના મોઢામાંથી રક્ત કાઢીને પીએ છે અને એમાં પ્રસન્નતાનો અનુભવ કરતો રહે છે.

ગાયત્રીનો તેરમો અક્ષર ‘સ્ય’ । GP-14. પરમાર્થ અને સ્વાર્થનો સમન્વય | ગાયત્રી વિદ્યા

ગાયત્રીનો તેરમો અક્ષર ‘સ્ય’ । GP-14. પરમાર્થ અને સ્વાર્થનો સમન્વય | ગાયત્રી વિદ્યા

ગાયત્રી મહામંત્રનો તેરમો અક્ષર ‘સ્ય’ આપણને સ્વાર્થ અને પરમાર્થના સાચા સ્વરૂપનું શિક્ષણ આપે છે –

સ્પંદનં પરમાર્થસ્ય પરાર્થો બુધૈર્મતઃ । યોડન્યાન્ સુખયતે વિદ્વાન્ તસ્ય દુઃખં વિનશ્યતિ ॥

એટલે કે ‘લોકહિતમાં જ આપણો પરમ સ્વાર્થ છુપાયેલો છે. જે બીજાના સુખનું આયોજન કરે છે એનાં દુઃખ આપોઆપ નષ્ટ થઈ જાય છે.’

સંસારમાં આપણે ઘણા માણસોને ત્રણ પ્રકારનો વ્યવહાર કરતા જોઈએ છીએ : (૧) અનર્થ – બીજાને નુકસાન કરીને જ પોતાના મતલબને સિદ્ધ કરવો. (૨) સ્વાર્થ- વેપારી દષ્ટિથી બંને બાજુથી સ્વાર્થનું જ ધ્યાન કરવું. (૩) પરમાર્થ – પોતે નુકસાન વેઠીને પણ બીજા લોકોના, જનતાના હિતની જ વાત કરવી. જો કે આમાંથી પરમાર્થને લોકો સ્વાર્થથી અલગ સમજે છે, પરંતુ ગૂઢ દૃષ્ટિથી વિચાર કરતાં પરમાર્થમાં જ પોતાનો પરમ સ્વાર્થ સમાયેલો જણાય છે.

જે માણસ અનર્થમૂલક સ્વાર્થમાં જ પ્રવૃત્ત છે એટલે કે બીજાના નુકસાનમાં જ પોતાનો લાભ જુએ છે તે અસુર કહેવાય છે. જે લોકો બીજાને નુકસાન કર્યા સિવાય પોતાના સ્વાર્થ પર દૃષ્ટિ રાખે છે તેમને પશુ જેવી પ્રવૃત્તિ કરનારા સમજી શકાય છે, પરંતુ જે મનુષ્ય બીજાના હિતનું પણ ધ્યાન રાખે છે અને જરૂર પડે તો એના માટે પોતાના સ્વાર્થને પણ છોડી દે છે તે જ મનુષ્ય કહેવાને લાયક છે. આવા માણસોને આપણે દેવતા પણ કહી શકીએ છીએ.

દેવ એને કહેવાય છે, જે બીજાને પોતાના સહયોગ અને સેવાથી સુખી બનાવે છે. દેવ સ્વભાવનું અવલંબન લેનાર વ્યક્તિ પોતાના જીવનમાં સ્વર્ગીય સુખશાંતિનો પ્રત્યક્ષ અનુભવ કરી શકે છે. બીજાઓને અભાવગ્રસ્ત, દુઃખી, નિર્બળ તથા આપત્તિમાં ફસાયેલા જોઈને જેનો અંતરાત્મા વ્યથિત થઈ જાય છે, જે બીજાઓને સુખી અને સમુન્નત જોઈને પ્રસન્ન થાય છે . એવા દેવ સ્વભાવના મનુષ્યોને પરમાર્થી કહેવાય છે. તેઓ પોતાની શક્તિ અને યોગ્યતાને પોતાના મોજશોખ માટે ન ખર્ચતાં બીજાની સહાય કરવામાં જ ન ખર્ચેછે. આમ કરવાના કારણે તે ભૌતિક રીતે ઓછેવત્તે અંશે અસીમ આનંદ મેળવતા રહે છે.

પવિત્રતામાં જ જીવનની સાર્થકતા છે । GP-13. ‘પવિત્ર જીવન’ | ગાયત્રી વિદ્યા

પવિત્રતામાં જ જીવનની સાર્થકતા છે । GP-13. ‘પવિત્ર જીવન’ | ગાયત્રી વિદ્યા

પવિત્રતા માનવજીવનની સાર્થકતા માટે અનિવાર્ય છે. માનવીનો વિકાસ અને ઉન્નતિ માત્ર જ્ઞાન અથવા ભક્તિની વાતોથી ન થાય.તેણે વ્યાવહારિક રીતે પોતાની ઉચ્ચતા અને શ્રેષ્ઠતા સાબિત કરવી પડે અને તે માટેનું મુખ્ય સાધન પવિત્રતા જ છે. જે વ્યક્તિ ગંદા વાતાવરણમાં રહે છે અથવા ગંદા વિચારો દર્શાવે છે તેની પાસે જવું કે રોકાવું કોઈને ગમતું નથી. આવી વ્યક્તિને બધાં તિરસ્કારે છે. સંજોગવશાત્ તેનું કામ પડે, તેની પાસે જવું પડે, છતાં પણ વહેલી તકે તેનાથી છુટકારો મેળવવાની ઈચ્છા થાય છે.

માનવીને માટે શરીર, મન, ચારિત્ર્ય, આચારવિચાર વગેરે બધા પ્રકારની પવિત્રતા જરૂરી છે. જો શારીરિક પવિત્રતાનું ધ્યાન ન રાખીએ તો ક્યારેય સ્વાસ્થ્ય સારું રહી શકે નહીં અને અસ્વસ્થ વ્યક્તિ કોઈ સારું કામ કરવામાં સમર્થ હોતી નથી. આ રીતે માનસિક પવિત્રતા વિના માનવીમાં સજ્જનતા, પ્રેમ તથા સર્વ્યવહાર ઉત્પન્ન થઈ શકે નહિ અને સંસારમાં તે કોઈનું ભલું કરી શકે નહીં. જે વ્યક્તિનું ચારિત્ર્ય અપવિત્ર હોય તે ક્યારેય સંસારમાં માન-પ્રતિષ્ઠા મેળવી શકે નહીં. તેની સામે નહીં, તો પીઠ પાછળ લોકો તેની નિંદા કરશે. આચારવિચારની પવિત્રતાએ હાલના સમયમાં ઢોંગનું સ્વરૂપ ધારણ કર્યું છે અને એટલે જ આધુનિક વિચારોવાળા તેને બિનજરૂરી સમજે છે, પણ હકીકતમાં માનવીની આધ્યાત્મિક ઉન્નતિનો ગાઢ સંબંધ આચારવિચારની પવિત્રતા સાથે છે. ખાનપાનમાં શુદ્ધતા અને પવિત્રતાનું ધ્યાન ન રાખવાથી માત્ર સ્વાસ્થ્ય જ ખરાબ થતું નથી, પણ માનસિક સંયમ પણ નાશ પામે છે અને જીભના ચટાકાની ખોટી ટેવ પણ પડી જાય છે. આ રીતે વિચારોમાં શુદ્ધતાનો ખ્યાલ ન રાખવાથી કામ, ક્રોધ, લોભ વગેરે ભાવનાઓ વધવાની શક્યતા છે.

એટલા માટે જો તમે તમારું કલ્યાણ ચાહતા હો તો તમારાં ભોજન, કપડાં, રહેઠાણ, શરીર, મન, આત્મા વગેરેની સ્વચ્છતા અને પવિત્રતાનું ધ્યાન રાખવું અત્યંત જરૂરી છે. આ બધાંની પવિત્રતાથી જ જીવનમાં તમે સાચા માનવી કહેવાવાને લાયક બની શકો તે માટે જરૂરી નિર્મળતા અને પ્રકાશનો ભાવ ઉત્પન્ન થઈ શકશે. માત્ર વ્યક્તિગત સ્વચ્છતાનું ધ્યાન રાખવું પૂરતું નથી, પણ આપની આસપાસ ક્યાંય ગંદકી, અસ્વચ્છતા દેખાવી ન જોઈએ કારણ કે મનુષ્ય સામાજિક પ્રાણી છે અને અન્યના સહયોગ વિના તેની એક ક્ષણ પણ વીતી શકે નહીં. જ્યારે સમગ્ર સમાજમાં પવિત્ર જીવનની ભાવના જાગૃત થાય તો જ આ શક્ય બને.

%d bloggers like this: