BD-1 : તેત્રીસ કોટિ દેવો શું છે ? – ૫ | કેટલાક ધાર્મિક પ્રશ્નોનું યોગ્ય સમાધાન

તેત્રીસ કોટિ દેવો શું છે ?  કેટલાક ધાર્મિક પ્રશ્નોનું યોગ્ય સમાધાન

હિન્દુ ધર્મમાં અનેક દેવી-દેવતાઓની માન્યતા છે. બ્રહ્મા, વિષ્ણુ મહેશ આ ત્રણ મુખ્ય દેવતાઓ છે. દુર્ગા, લક્ષ્મી, સરસ્વતી, પાર્વતી વગેરે દેવીઓ તેમજ ઈન્દ્ર ગણેશ, વરણ, વાયુ સૂર્ય, ચન્દ્ર, ભોમ. બુધ ગુરુ શુક્ર, શનિ, અગ્નિ, પ્રજાપતિ વગેરે દેવતાઓ છે. ગંગા, યમુના, સરસ્વતી વગેરે નદીઓ: ગોવર્ધન, ચિત્રકૂટ વિધ્યાચલ વગેરે પર્વતો: તુલસી, પીપળો વગેરે વૃક્ષ: ગાય. – બળદ વગેરે પશુ; ગરુડ મોર વગેરે પક્ષી સર્પ વગેરેને પણ દેવતા માનવામાં આવે છે. ભૂત પ્રેતો કરતાં ઊંચા કારના દેવતા ભૈરવ ત્રિપાલ, યક્ષ, બ્રહ્મરાક્ષસ, વેતાલ, વીર, પીર, અને ઓલિયા વગેરે છે. ગ્રામ્ય દેવતાઓ, ભૂત-પ્રેત, ડાકણ-ચૂડેલ વગેરે છે. રામ, કૃષ્ણ, નૃસિંહ વરાહ, વામન, વગેરે અવતારોને દેવતાઓની કેટીમાં ગણવામાં આવે છે.

આ દેવતાઓની સંખ્યા તેત્રીસ કરોડની માનવામાં આવે છે. કોટી શબ્દના બે અર્થ કરવામાં આવે છે. (૧) શ્રેણી (૨) કરોડ.  તેત્રીસ પ્રકારના, તેત્રીસ જાતિના આ દેવતાઓ છે. જાતિ, શ્રેણી કે કરોડ શબ્દ એ બહુવચનના અર્થમાં છે. આનાથી એમ સમજવામાં આવે છે કે દરેક કોટીમાં અનેક દેવ હશે અને તેત્રીસ કોટીઓ–શ્રેણીઓના બધા જ દેવ ભેગા કરીએ તો અનેક દેવો ભેગા થાય. કોટી શબ્દને બીજો અર્થ કરોડ થાય. તેનાથી તેત્રીસ કરોડ દેવતાઓના અસ્તિત્વનો ખ્યાલ આવે છે. હિંદુ ધર્મમાં દેવતાઓની સંખ્યા વધારે છે. આ બાબતો માનવી જ પડે વેદોમાં પણ ત્રીસથી વધારે દેવોનું વર્ણન છે.

દેવતાઓની આટલી મોટી સંખ્યા એક સત્યશોધકને મોટી મૂંઝવણમાં નાખી દે છે. તે વિચારે છે કે આટલા બધા દેવતાઓના અસ્તિત્વનું પ્રમાણ ક્યું છે? અને તેમનો ઉપયોગ શું? આ દેવતાઓમાં ઘણા બધા દેવતાઓ તો ઈશ્વર સમાન છે. આ પ્રમાણે બહુ “ દેવવાદ ” ઉત્પન્ન થાય છે. સંસારના બધા જ ધર્મો એક ઇશ્વરવાદ ને માને છે. હિંદુ ધર્મશાસ્ત્રોમાં પણ અનેક વચનો એક ઇશ્વર હોવાનું સમર્થન કરે છે. તો પછી આ અનેક ઈશ્વર કેવા ? ઈશ્વરની ઈશ્વરતામાં ભાગીદારી રાખવી એ કંઈ બુદ્ધિસંગત લાગતું નથી. અનેક દેવતાઓ પોતાની મરજી મુજબ મનુષ્યો ઉપર શાસન કરે શાપ કે વરદાન આપે સહાયતા કરે. વિઘ્ન ઊભું કરે આ એક પ્રકારની ઈશ્વરીય જગતની અરાજક્તા છે. કર્મફળના અવિચળ સિદ્ધાંતની પરવા કર્યા વગર ભેટપૂજા વડે પ્રસન્ન,અપ્રસન્ન થઈને શાપ કે વરદાન આપનાર દેવતાઓ એક રીતે તો ઈશ્વરીય શાસનયુક્ત જગતમાં ચોરી, ઘૂસણખોરી, ધાડ પાડવી તેમ જ અનાચાર ઉત્પન્ન કરે છે. આવી અનિચ્છનીય સ્થિતિને જોઈને કોઈપણ સત્યશોધકનું માથું ભમવા લાગે છે. તે સમજી શક્તો નથી કે ખરેખર આ બધો પ્રપંચ શું છે ?

દેવતાવાદ ઉપર સુક્ષ્મ રીતે વિચાર કરતા જણાય છે કે એક જ ઈશ્વરની અનેક શક્તિઓનાં અલગ અલગ નામ છે. જેમ સૂર્યનાં કિરણોમાં સાત રંગ છે. તે રંગ લીલો લાલ પીળો, વાદળી વગેરે અલગ અલગ તેનાં નામ છે. લીલાં કિરણો, અસ્ટ્રાવાયોલેટ કિરણો, એક્સ કિરણો, વિલ્ડન કિરણો વગેરે અનેક પ્રકારનાં કિરણો છે. તે દરેકનાં કાર્ય અને ગુણ જુદાં જુદાં હોવાથી તેમનાં નામ પણ જુદાં જુદાં છે. આમ છતાં તે બધાં સૂર્યનાં જ કિરણો છે. અનેક કિરણો હોવા છતાં સૂર્ય એક જ છે. તે જ રીતે એક જ ઈશ્વરની અનેક શક્તિઓને ગુણ અને કર્મ અનુસાર વિવિધ દેવતાઓના નામે ઓળખવામાં આવે છે. તેથી મૂલત: ઈશ્વર તો એક જ છે. એક માત્ર ઈશ્વર જ આ સૃષ્ટિના નિર્માતા, પાલનકર્તા અને નાશ કરનાર છે. તે ઈશ્વરની જે શક્તિ નિર્માણ અને ઉત્પાદન કરે છે તેને બ્રહ્મા, જે પાલન, વિકાસ અને શાસન કરે છે તે વિષ્ણું અને જે વિનાશ અને સંહાર કરે છે તેને શંકર છે છે. દુષ્ટોને દંડ આપનારી શક્તિ દુર્ગા, સિદ્ધિ આપનાર ગણેશ, દાન આપનાર સરસ્વતી, સમૃદ્ધિ આપનાર લક્ષ્મી, પાણી આપનાર ઈન્દ્ર ઉષ્ણતા આપનાર અગ્નિ, કર્મકળ આપનાર યમ, બળ આપનાર હનુમાન વગેરેને સમજવા જોઈએ. જેમ એક જ મનુષ્યનાં વિવિધ અંગોને હાથ, પગ, નાક કાન, આંખો એમ કહેવામાં આવે છે, તે જ પ્રમાણે ઇશ્વરીય સૂક્ષ્મ શક્તિઓનાં તેમના ગુણો પ્રમાણે નામ છે. આ જ તેત્રીસ કરોડ દેવતા છે.

કૈવાલ્યોપનિષદ્કાર ઋષિનું વિધાન છે કે-“સ બ્રહ્મા સ વિષ્ણુ: રુદ્રસ્સ શિવસ્સોક્ષરસ્સ પરમ સ્વરાટ ! સ ઇંદ્રસ્સ  કાલાગ્નિસ્સ ચન્દ્રમા: “

અર્થાત “તે ઈશ્વર જ બહ્મા, વિષ્ણુ જ શિવ, અક્ષર સ્વરાટ ઈન્દ્ર, કાલ, અગ્નિ અને ચંદ્રમા છે.” આ જ પ્રમાણે ઋગ્વેદ મંડલ-૧ સૂક્ત ૧૬૪ મંત્ર ૪૬માં કર્યું છે કે –

“ઇંદ્ર મિત્રં વરુણમગ્નિમાહસ્થો  દિવ્યસ્ય સુયર્ણૉ ગુરુત્માન ! એવં સ્દ્દ્વ્પાપ્તા બહુધા વદન્યગ્નિં  યમં  માતરિશ્વાન માહ: ||”

અર્થાત વિદ્વાનો ઇશ્વરને જ ઈન્દ્ર મિત્ર, વરુણ, અગ્નિ, ગુરુત્માન, દિવ્ય, સુપર્ણ, યમ, માતરિશ્તાના નામે બોલાવે છે. આ એક ઈશ્વરને જ અનેક નામોથી બોલાવવામાં આવે છે

આનાથી નક્કી થાય છે કે દેવતાઓનું અલગ અલગ અસ્તિત્વ નથી. ઇશ્વરનું તેના ગુણો અનુસાર દેવવાચક નામકરણ કરવામાં આવ્યું છે. જેમ અગ્નિ તેજસ્વી, પ્રજાપતિ-પ્રજાનું પાલન કરનાર, ઈન્દ્ર ઐશ્વર્યયુક્ત બ્રહ્મા– સર્જન કરનાર વિષ્ણુ-વ્યાપક, રુદ્ર-ભયંકર શિવકલ્યાણ કરનાર, માતારિશ્વા અત્યંત બળવાન, વાયુ–ગતિવાન, આદિત્ય-અવિનાશી, મિત્ર-મિત્રતા રાખનાર, વરુણ–ગ્રહણ કરવા યોગ્ય. અર્યમા-ન્યાય કરનાર સવિતા- ઉત્પન્ન કરનાર, કુબેર–વ્યાપક વસુ-બધામાં નિવાસ કરનાર, ચન્દ્ર આનંદ આપનાર, મંગલ-કલ્યાણકારી, બુધ-જ્ઞાન સ્વરૂપ બૃહસ્પતિ–સમસ્ત બ્રહ્માંડોનો સ્વામી. શુક્ર પવિત્ર, શનિ-સહજતાથી પ્રાપ્ત થનાર, રાહુ-નિર્લિપ્ત, કેતુ-નિર્દોષ, નિરંજન–કામના રહિત, ગણેશ–પ્રજાના સ્વામી. ધર્મરાજ-ધર્મના સ્વામી, યમ-ફળદાતા, કાળ–સમયરૂપ, શેષનાગ-ઉત્પત્તિ અને પ્રલય બાદ બચેલું, શંકર –કલ્યાણ કરનાર.

આ પ્રમાણે બીજા દેવોનાં નામોનો અર્થ પણ શોધવામાં આવે તો તેનાથી પરમાત્માનું જ જ્ઞાન થાય છે.

હવે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે આ બધા દેવતાઓની જુદી જુદી આકૃતિઓ- મૂર્તિઓ કેમ હોય છે? મૂર્તિઓની આવશ્યક્તા કોઈ બાબતની કલ્પના કરવા કે તેનું સ્મરણ કરવા માટે છે. કોઈ વાતનો વિચાર કરવા કે ધ્યાન કરવા માટે મગજમાં કઈ એક આકૃતિ બનાવવી પડે છે. જે કોઈ માણસ માનસિક રોગથી પીડાતો હોય તો તેના મગજમાં આકૃતિઓનું ચિંતન નથી કરી શક્તો માટે તે ચોક્કસ કોઇ જ પ્રકારનો વિચાર પણ નથી કરી શક્તો. કીડી–મકિડા આકૃતિઓની કલ્પના કરી શક્તાં નથી. માટે જ તેમના મનમાં કોઈ ભાવ ઉત્પન્ન થતો નથી. ઇશ્વર અને તેની શક્તિઓનો વિચાર કરવા માટે મનમાં પોતાની મેળે સહજ રીતે જ કોઈ આકૃતિ ઉત્પન્ન થાય છે. આવાં અદ્રશ્ય કારણો વડે ઉત્પન્ન થતી સૂક્ષ્મ આકૃતિઓનું દિવ્ય દ્રષ્ટિ વડે અવલોક્ન કરનાર યોગીઓએ આ ઈશ્વરીય શક્તિઓની, દેવી દેવતાઓની આકૃતિઓનું નિર્માણ કર્યું છે.

ચીન અને જાપાનના દેશોની ભાષા લિપિમાં જે અક્ષરે છે તે ઝાડ પશુ પક્ષી, નદી, વગેરેની આકૃતિઓ ઉપરથી બનાવ્યા છે. તે ભાષાઓના નિર્માતાઓનો ખ્યાલ એવો હતો કે જે વસ્તુને ઓળખવા માટે જે શબ્દનો પ્રયોગ કરવામાં આવે તે શબ્દને વસ્તુની આકૃતિ બનાવી દેવામાં આવે. આ પ્રણાલીનો ધીરે ધીરે વિકાસ કરીને એક વ્યવસ્થિત લિપિ બનાવવામાં આવી. દેવનાગરી લિપિના અક્ષરો શબ્દ વિજ્ઞાનની સૂક્ષ્મ આકૃતિઓ ઉપર આધારિત છે. તે આકૃતિને દિવ્યદ્રષ્ટિથી જોઇને યોગીજનોએ દેવનાગરી લિપિનું નિર્માણ કર્યું હતું. શરીરનાં મર્મસ્થાનોમાં જે સૂક્ષ્મ ગ્રંથિઓ છે તેનું અંદરનું રૂપ જોઈને ષટચક્રોનું વિજ્ઞાન બનાવ્યું છે. જે આધાર ચીની ભાષાની લિપિનો છે જે આધાર દેવનાગરી લિપિનો છે. જે આધાર ષટચક્રોની આકૃતિઓનો છે તે આધાર ઉપર જ દેવતાઓની આકૃતિઓ બનાવી છે. જે ઈશ્વરીય શક્તિના સ્પર્શથી માણસના અંતઃકરણમાં સંવેદનો ઉત્પન્ન થાય છે. સૂક્ષ્મ શરીરની જેવી મુદ્રા બને છે તેના આધાર ઉપર દેવતાઓની આકૃતિઓ બનાવવામાં આવી છે.

વિનાશ અને પતનને જેમ માણસના મનમાં વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. તેથી જ શંકર ભગવાનનું રૂપ વૈરાગી જેવું છે. કોઈ વસ્તુનું સર્જન થવાથી દરેક મનુષ્ય વૃદ્ધોની જેમ પોતાનું ઉત્તરદાયિત્વ સમજવા લાગે છે. તેથી બ્રહ્મા વૃદ્ધના રૂપમાં છે. ચાર વેદ અથવા ચાર દિશાઓ બ્રહ્માજીનાં ચાર મુખ છે. પ્રૌઢ અવસ્થામાં માણસ સ્વરૂપવાન, સશક્ત, પત્ની સાથે અને વિલાસ પ્રિય હોય છે. હજારો સર્પો સમાન વિપરીત પરિસ્થિતિઓ પણ તે પૌઢ માણસને અનુકૂળ બની જાય છે. શેષશય્યામાં પોઢેલા વિષ્ણુ ભગવાનની છબીમાં આપણે આ ભાવ અનુભવીએ છીએ. લક્ષ્મીજી ખૂબ જ સુંદર અને કમનીય લાગે છે. જ્ઞાન અને બુદ્ધિમાં સૌમ્યતા અને પવિત્રતા છે. સરસ્વતીની મૂર્તિમાં આ ભાવ છે. ક્રોધમાં આપણો અંતરાત્મા વિકરાળ રૂપ ધારણ કરે છે. તે વિકરાળ આકૃતિ દુર્ગા માતા છે. વિષય વાસનાઓને મધુર-અગ્નિથી સળગાવનાર દેવતા પુષ્પબાણધારી કામદેવ છે. જ્ઞાનના દેવતા ગણેશ હાથી જેવા ગંભીર છે. તેમને પેટ છીછરું નથી કે તેમાં કોઇ વાત ટકે જ નહીં, પરંતુ તેમના મોટા પેટમાં તો ઘણી બધી વાતો પહેલી હોય છે અને યોગ્ય અવસર આવે ત્યારે જ તે પ્રક્ટ થાય છે. જેની પાસે બુદ્ધિ હોય તે લાડુ ખાય. આ કહેવતને આપણે ગણેશ ભગવાનમાં ચરિતાર્થ થતી જોઈ શકીએ છીએ. તેમનું નાક લાંબુ છે અર્થાત તેમની પ્રતિષ્ઠા ઊંચી છે. ઈશ્વરની જ્ઞાનશક્તિનું મહત્વ દિવ્યદૃષ્ટિવાળા કવિઓએ ગણેશના રૂપમાં ચિત્રિત કર્યું છે. આ રીતે અનેક દેવોની આકૃતિઓ જુદાં જુદાં કારણોસર જુદા જુદા પ્રકારની બનાવવામાં આવી છે.

તેત્રીસ કરોડ દેવતાઓ માનવામાં આવે તો દરેક ક્ષેત્રમાં કામ કરનારી શક્તિઓ તેત્રીસ કરોડ હોઈ શકે છે. શારીરિક, માનસિક આત્મિક ધાર્મિક આર્થિક પારિવારિક વૈજ્ઞાનિક ભૌગોલિક વગેરે દરેક ક્ષેત્રોના દેવોની ગણતરી કરીએ તો તેમની સંખ્યા તેત્રીસ કરોડથી ઓછી ન થાય તે ક્ષેત્રોમાં પરમાત્માની વિવિધ શક્તિઓ જ કામ કરે છે તેથી તે પણ દેવ જ છે.

બીજું એ કે જ્યારે દેવવાદનો સિદ્ધાંત અસ્તિત્વમાં આવ્યો ત્યારે ભારતના લોકોની સંખ્યા તેત્રીસ કરોડની હતી. આ પવિત્ર ભારતભૂમિ ઉપર નિવાસ કરનાર બધા જ લોકોનું આચરણ અને વિચાર પવિત્ર હતાં. આખા વિશ્વમાં તેઓ પૃથ્વીના દેવતા તરીકે ઓળખાતા હતા. ત્રીજી વાત એ છે કે દરેક મનુષ્યના રહેનાર આત્મા એક પ્રકારે દેવતા જ છે. જેમ કોઈ બે રહેનાર માણસોનો દેખાવ એકસરખો નથી હોતો. તેમાં થોડો ઘણો તફાવત હોય છે. આ ભેદના કારણે દરેક મનુષ્યના વિચાર, વિશ્વાસ, શ્રદ્ધા તથા નિષ્ઠા દ્વારા બનેલા અંત:કરણરૂપી દેવતા અલગ અલગ હોય છે. આમ તેત્રીસ કરોડ માણસોના દેવતાઓ પણ તેત્રીસ કરોડ હોય છે.

દેવતાઓની આકૃતિઓને આપણે ચિત્રો અને મૂર્તિઓના રૂપમાં જોઈએ છીએ. કાગળ પર દોરેલાં ચિત્રો કાયમી હોતાં નથી, પરંતુ પથ્થર કે ધાતુમાંથી બનાવેલી મૂર્તિઓ ચિરંજીવ હોય છે. સાધના વિજ્ઞાનના આચાર્યો માને છે કે ઈશ્વરની જે શક્તિને આપણે મેળવવા માગતા હોઈએ તેનો વિચાર, ચિંતન, ધ્યાન અને ધારણા કરવાં જોઈએ. વિચાર શક્તિનું ચુંબકત્વ એ માણસ પાસેનું એવું સાધન છે કે જે અદ્રશ્ય લોકની સૂક્ષ્મ શક્તિઓને પોતાની પાસે ખેંચી લાવે છે. ધનવાન બનવા માટે ધનનું ચિંતન અને વિદ્વાન બનવા માટે વિદ્યાનું ચિંતન કરવું જરૂરી છે. વિશ્વનો કોઈપણ માનવી જે વિષયમાં આગળ વધ્યો છે. પારંગત બન્યો છે તેમાં તેણે એકાગ્રતા અને આસ્થા ઉત્પન્ન કરી છે. આનો એક આધ્યાત્મિક ઉપાય એ છે કે ઇશ્વરની તે શક્તિનું ચિંતન કરવું જોઈએ. ચિંતન માટે આકૃતિની જરૂર પડે છે. તે આકૃતિની મૂર્તિ કે ચિત્રના આધારે આપણી કલ્પના તેને સહેલાઈથી ગ્રહણ કરી શકે છે. આ સાધનની સુવિધા માટે મૂર્તિઓનો આવિર્ભાવ થયો.

ધનવાન બનવા માટે સૌથી પહેલાં ધન પ્રત્યે પ્રગાઢ પ્રેમભાવ હોવો જોઈએ. પ્રેમભાવ વગર ધનવાન બનવાની યોજના અધૂરી અને અસફળ રહે છે કારણ કે પૂરેપૂરી દિલચસ્પી અને રુચિ વગર કરેલું કોઈપણ કાર્ય સફળ થતું નથી. ધન પ્રત્યે પ્રગાઢ પ્રેમ, વિશ્વાસ, આશા અને આશ્વાસન મેળવવા માટે આધ્યાત્મિક શાસ્ત્રના મત મુજબ ઇશ્વરની ધનશક્તિ લક્ષ્મીજીને આપણા મનમાં મુખ્ય સ્થાન આપવું જોઈએ કારણ કે ઈશ્વરની ધનશક્તિનું સ્વરૂપ દિવ્ય દેષ્ટાઓએ લક્ષ્મીજી જેવું માન્યું છે. માટે લક્ષ્મીજીની આકૃતિ, ગુણ, કર્મ સ્વભાવથી યુક્ત એમની છાયા મનમાં ધારણ કરવામાં આવે છે. આ ધ્યાન સાધનામાં મૂર્તિ ખૂબ જ સહાયક બને છે. લક્ષ્મીજીની મૂર્તિની ઉપાસના કરવાથી મનમાં ધન મેળવવાને ભાવ ઉત્પન્ન થાય છે અને તે ભાવ જ ઈચ્છિત સફળતા સુધી લઈ જાય છે. આ પ્રકારે લક્ષ્મીજીની ઉપાસના કરવાથી ધનમાં વૃદ્ધિ થાય છે. આ જ બાબત ગણેશ, શિવ, વિષ્ણુ હનુમાન, દુર્ગા વગેરે દેવતાઓને પણ લાગુ પડે છે.

ઇષ્ટદેવ પસંદ કરવાનો ઉદ્દેશ પણ આ જ છે. જીવન લક્ષ્ય નિશ્ચિત કરવું તેને આધ્યાત્મિક ભાષામાં ઇષ્ટદેવની પસંદગી કરવી કહે છે. અખાડાઓ, વ્યાયામશાળાઓમાં હનુમાનની મૂર્તિઓ જોવા મળે છે. વેપારીઓ લક્ષ્મીજીની ઉપાસના કરે છે. સાધુ-સંન્યાસી શિવજીની ઉપાસના કરે છે. ગૃહસ્થો વિષ્ણુ ભગવાનને પૂજે છે. શક્તિ મેળવવા ઈચ્છુક લોકો દુર્ગાને પૂજે છે. સ્થૂળ દ્રષ્ટિએ જોતાં આ દેવતાઓની સંખ્યા વધારે જોવા મળે છે. ઉપાસકોની સાધનામાં અંતર જોવા મળે છે, પરંતુ વાસ્તવમાં આ કોઈ અંતર નથી. ધારો કે એક માતાને ઘણાં બાળકે છે. એક બાળક ખાવા માટે રસોડામાં બેઠું છે. બીજું બાળક ક૫ડાં માગે છે અને કપડાંની બેગ ઉપર બેઠું છે. ત્રીજું બાળક પૈસા લેવા માટે પાકીટ ફેંદે છે. ચોથું બાળક ખોળામાં બેસવા માટે પ્રયત્ન કરે છે. બાળકેની ઈચ્છાઓ જુદી જુદી છે. તેઓ માતાના તે ગુણ ઉપર પોતાનું બધું જ ધ્યાન કેન્દ્રિત કરીને બેઠું છે કે જેની તેમને આવશ્યક્તા છે. ખોળામાં બેસવા માટે પ્રયત્ન કરતા બાળકને મન માતા એક સુંવાળું ઘોડિયું કે સરસ ઘોડો છે. પૈસા માટે પ્રયત્ન કરનાર બાળકને મન માતા એક બેંક છે. ભોજન મેળવવા ઇચ્છુક બાળકને મન માતા કંદોઈ છે. કપડાં મેળવવા ઇચ્છુક બાળકને મન માતા એક દરજી કે ધોબી છે.ચારેય બાળકો પોતાની ઈચ્છા અનુસાર માતાને જુદી જુદી દષ્ટિથી જુએ છે. તેની પાસે જુદી જુદી આશાઓ વ્યક્ત કરે છે છતાં પણ માતા તો એક જ છે. આ જ વાત અલગ અલગ દેવતાઓને પૂજનાર માણસોના સંદર્ભમાં કહી શકાય છે. ખરેખર આ સંસારમાં એક જ સત્તા છે અને પરમાત્મા પણ એક જ છે. તેના સિવાય બીજું કોઈ નથી, છતાં પણ મનુષ્ય પોતાના વિચાર અને સાધનાની દ્રષ્ટીએ ઇશ્વરની શક્તિઓને જુદા જુદા દેવતાઓના રૂપે માને છે.

શ્રીમદ્દ ભગવદ્દ ગીતાના અધ્યાય-૯માં શ્લોક -ર૩ માં આ બાબતને સ્પષ્ટ કરવામાં આવી છે.  યેયન્યદેવતા ભક્તા યજન્તે  શ્રદ્ધયાવિતા : |  તેપિ મામેવ કૌન્તય યજન્ત્ય વિધિપૂર્વકમ્ ||

અર્થાત હે અર્જુન જે  ભક્તો, શ્રદ્ધાથી યુક્ત થઈને બીજા દેવતાઓને ભજે છે, તેઓ પણ આડકતરી રીતે તો મને જ પૂજે છે.

ગીતાના અધ્યાય-૧૧ શ્લોક-૩૯ માં અર્જુન કહે છે :

વાયુર્યમોગ્નિવર્રુણ: શશાંક: પ્રજાપતિસ્ત્વં પ્રપિતામહશ્ચ  | નમો નમસ્તેસ્તુ સહસકૃત્વ: પુનશ્ચ ભયોપિ નમો નમસ્તે !

અર્થાત “વાયુ યમ, અગ્નિ, વરુણ,ચંદ્ર પ્રજાપતિ વગરે તમે જ છે. તમને વારંવાર નમસ્કાર હો.”

જેમ બધી નદીઓનું પાણી સમુદ્રમાં જાય છે તેવી જ રીતે બધા દેવોને કરેલા નમસ્કાર કૃષ્ણ ભગવાનને જ મળે છે.

આ બધી બાબતો ઉપર વિચાર કર્યા પછી અખિલ વિશ્વ બ્રહ્માંડના એક જ દેવ પરમાત્મા છે. વિભિન્ન દેવતાઓ તેની જ શક્તિઓનાં જુદાં જુદાં નામ છે.આ દેવતાઓનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ નથી.

દેવતાઓની મૂર્તિ પરમાત્માની તે શક્તિઓનું સ્મરણ કરાવે છે. કાગળ ઉપર લખેલા અક્ષરો એ કોઈ વસ્તુ નથી, પણ તે વાંચવાથી વસ્તુનું સ્વરૂપે આપણી સમક્ષ ઉપસ્થિત થાય છે. જેમ કે ‘હાથી’ આ બે અક્ષરો જ્યાં લખ્યા હોય ત્યાં પશુ ભલે ન હોય, પરંતુ આ બે અક્ષરોને વાંચતાં જ વિશાળકાય હાથીનું ચિત્ર મગજમાં આવી જાય છે. ભક્તિરસથી ભરેલાં ભજનો ગાવાથી માણસનું હદય ભક્તિભાવમાં લીન બની જાય છે અને ગંદુ સાહિત્ય વાંચવાથી વિષયવાસના, વ્યભિચાર વગેરેથી દૂષિત ભાવ મનમાં દોડવા લાગે છે. અક્ષ્રરો એક પ્રકારનાં ચિત્રો છે. તે ચિત્રોથી મનમાં કોઈ આકૃતિઓ બને છે અને પછી તે આકૃતિઓ સાથે સંબંધિત ભાવ-કુભાવ મનમાં ઉત્પન્ન થાય છે. મહાપુરુષોનાં ચિત્રો કે મૂર્તિઓને જો આદરપૂર્વક શ્રદ્ધાંજલિ આપવામાં આવે તો સ્વાભાવિક રીતે જ તે મહાપુરુષોના ગુણોનો પ્રભાવ મન ઉપર અંક્તિ થઈ જાય છે. મૂર્તિઓ એક પ્રકારનાં પુસ્તકો છે. તે પોતાને લગતા વિષયોની ભાવનાઓને દર્શકના મનમાં પેદા કરે છે. મૂર્તિ પૂજાનું આ જ તાત્પર્ય છે.

મંદિરની સ્થાપના, ભગવાનને ચઢાવાતો પ્રસાદ, ભેટ દક્ષિણા આપવી વગેરે શા માટે છે ? તેની ચર્ચા અમે અમારા “ઇશ્વર કોણ છે? ક્યાં છે ? કેવો છે ?” એ પુસ્તકમાં સવિસ્તાર કરી છે. મંદિરનો આરંભ એક ધર્મસંસ્થાના રૂપે થયો હતો. મંદિરની સાથે સાથે શાળા, પુસ્તકાલય, દવાખાનું વ્યાયામશાળા, સંગીતશાળા, પ્રાર્થના ભવન, ઉપદેશ મંચ વગેરે અનેક સાર્વજનિક પ્રવૃત્તિઓ જોડાયેલી હતી. તે પ્રવૃત્તિઓનું સંચાલન કરવા માટે એક નિ:સ્પૃહ ત્યાગી, વિદ્વાન, પરોપકારી બ્રાહ્મણ ત્યાં રહેતો જેને ગુરુ, પુરોહિત, આચાર્ય કે પૂજારી કહેવામાં આવતો હતો. એ પુરોહિતના જીવનંનિર્વાહ માટે તેમજ મંદિર સાથે સંબંધિત પ્રવૃત્તિઓના આયોજન માટે લોકો સ્વેચ્છાએ ધર્મભાવપૂર્વક દાન આપતા. આ દાન મંદિરમાં ભગવાન સમક્ષ ભોગ, પ્રસાદ ભેટ દક્ષિણા વગેરે રૂપે ચઢાવવામાં આવતું. તે ધન વડે મંદિરરૂપી સાર્વજનિક સંસ્થા ચાલતી હતી અને લોકોને તે દાનના બદલામાં ઘણો બધો લાભ મળતો હતો.

આજના જમાનાની અસર અજ્ઞાન અને અંધશ્રદ્ધાના કારણે દેવવાદમાં ઘણા દોષો પેસી ગયા છે. દેવતાઓની સામે નિર્દોષ પશુઓનાં બલિદાન મંદિરમાં મળેલી ભેટનો ઉપયોગ લોકકલ્યાણનાં કાર્યોમાં ન કરવો. મંદિર સંબંધી સાર્વજનિક પ્રવૃત્તિઓ બંધ થઈ જવી, દેવતાઓને લાંચિયા, ક્રુર, પક્ષપાતી. શાસકો જેવા માનવા, દેવતાની કૃપાથી વગર પ્રયત્ને સંપત્તિ મેળવવાની આશા રાખવી, તેમનામાં અલૌકિક ચમત્કારો માનવા મંદિરનો ઉપયોગ વ્યક્તિગત તુચ્છ સ્વાર્થો માટે કરવો વગેરે અનેક દોષો આજે ‘દેવવાદ’ સાથે જોડાઈ ગયા છે. આનું સંશોધન અને નિરાકરણ થવું જરૂરી છે. આવા દોષોના કારણે લોકોને ઘણું નુકસાન પહોંચે છે અને આવા પવિત્ર અને મહત્ત્વપૂર્ણ તથ્યને કલંક્તિ થવું પડે છે.

હિન્દુ ધર્મ દેવતાઓની પૂજાનો સ્વીકાર કરે છે. ‘દેવ’ નો અર્થ છે ‘આપનાર’, લેવનો અર્થ છે ‘લેનાર’ દેવ તેઓ છે જે પરોપકાર, લોકસેવા, સદાચાર, સત્યનિષ્ઠ વિદ્ધતા જેવા સદગુણોથી પરિપૂર્ણ છે. આવા દેવતાઓની પૂજા, પ્રતિષ્ઠા, પ્રશંસા અને અર્થવ્યવસ્થા કરવી એ સર્વસાધારણ માણસનું પરમ કર્તવ્ય છે. એમના આદર્શો આપણને તેમજ આપણી ભાવિ પેઢીને પ્રકાશ આપતા રહે તે માટે દેવતાઓનાં સ્મારક સ્થાપિત કરવાં ઉચિત અને આવાયક છે.

પરમાત્માનો માટે મહિમા આપણા મનમાં ભરનાર તે મહાશક્તિઓ જે ચિત્ર મૂર્તિ, અક્ષર, વિચાર કે વિશ્વાસના રૂપમાં આપણી નજર સમક્ષ રહે તો તેનાથી લાભ થવાની આશા છે. આપણો દેવતાવાદ મિથ્યા ભ્રમ, અંધવિશ્વાસ અને નિર્મૂળ કલ્પનાઓ ઉપર અવલંબિત નથી, પરંતુ મનોવિજ્ઞાન, અધ્યાત્મ વિજ્ઞાન અને સૂક્ષ્મ શક્તિઓના વિજ્ઞાન ઉપર આધારિત છે. આપણે દેવત્વ ઉપર વિશ્વાસ રાખવો જોઈએ અને તેની ઉપાસના કરવી જોઈએ.

BD-1 : દાનમાં વિવેકની આવશ્યકતા – ૪ | કેટલાક ધાર્મિક પ્રશ્નોનું યોગ્ય સમાધાન

દાનમાં વિવેકની આવશ્યક્તા, કેટલાક ધાર્મિક પ્રશ્નોનું યોગ્ય સમાધાન

ભિક્ષાવૃત્તિ એક પ્રકારનું મહાન ઉત્તરદાયિત્વ છે. જેને ભાર ઉઠાવવાનું સાહસ વિરલ વ્યક્તિઓમાં જ હોય છે. શાસ્ત્રકારોએ ભિક્ષાને અગ્નિની ઉપમા આપી છે, જેમ અગ્નિને ખૂબ જ સાવધાનીપૂર્વક સ્પર્શ કરવાની, પૂર્ણ સતર્કતાથી ને યોગ્ય સ્થાને મુદ્દાની અને વિવેકપૂર્ણ રીતે તેનો ઉપયોગ કરવાની જરૂર પડે છે તેવી જ રીતે ભિક્ષા ગ્રહણ કરવામાં, ગ્રહણ કરીને તેને મૂકવામાં અને પછી તેને ફરીથી ઉપયોગમાં લેવામાં ખૂબ જ સાવધાની રાખવી પડે છે. જેમ થોડીક બેદરકારી રાખવાથી અગ્નિની એક નાની ચિનગારી પણ ભયંકર અને ધાતક પરિણામ લાવે છે, તેવું જ ભિક્ષામાં પણ બને છે. જો ભિક્ષાને ખોટો ઉપયોગ કરવામાં આવે તો મોટા પાયે ભયાનક અનિષ્ટ ઉત્પન્ન થયા વગર રહેતું નથી.

(૧) યજ્ઞ માટે અને (૨) વિપત્તિના નિવારણ માટે આ બે કાર્યો માટે ભિક્ષા માંગવી એવું શાસ્ત્રકારોએ કહ્યું છે. યજ્ઞનો અર્થ છે પુણ્ય પરોપકાર, સત્કાર્ય, લોક–લ્યાણ સુખશાંતિ અને સાત્વિક્તા. જે કાર્યોથી લોકોની ઉન્નતિ અને શ્રેયમાં વધારે થતો હોય તેવાં લોકોપયોગી કાર્યો માટે ભિક્ષા લેવી જોઈએ. શિક્ષણ, સ્વાસ્થ્ય, ઉધોગ, સહયોગ, સુખસગવડ વધારવાં વગેરે કાર્યો માટે જે પ્રયત્ન કરવામાં આવે છે તે તથા માનવીય સ્વભાવમાં સત તત્વને-પ્રેમ, ત્યાગ, ઉદારતા, ક્ષમા, વિવેક ધર્મપરાયણતા, ઈશ્વરભક્તિ, દયા, ઉત્સાહપ્રમ, સેવા, સંયમ વગેરે સદગુણોને વધારવા માટે પ્રયત્ન કરવામાં આવે છે. એ બંને પ્રકારનાં કાર્યોની શરૂઆતને યજ્ઞ કહેવામાં આવે છે. આજકાલ અનેક સંસ્થાઓ આવાં કાર્યો કરે છે. પ્રાચીન સમયમાં કેટલાક માણસો જીવંત સંસ્થાના રૂપમાં એક નિષ્ઠાથી આવાં કાર્યો કરતાં હતાં. શ્રી ગણેશચંદ્ર વિદ્યાર્થીના મૃત્યુ વખતે શ્રી મહાત્મા ગાંધીએ  હતું કે, “વિધાર્થીજી ખુદ એક સંસ્થા હતા.” જેમનું જીવન નિષ્ઠાપૂર્વક બધાં જ પ્રલોભનો અને ભયથી મુક્ત થઈને યથાર્થ લોક્સેવામાં જોડાયેલું રહે છે, તે વ્યક્તિ પણ સંસ્થા જ છે. પ્રાચીન સમયમાં આવી યજ્ઞરૂપ તથા બ્રહ્મપરાયણ વ્યક્તિઓને મુનિ, ઋષિ, પુરોહિત, આચાર્ય, યોગી, સંન્યાસી વગેરે નામથી બોલાવવામાં આવતી હતી. જેમાં સંસ્થાની સ્થાપના માટે આજકાલ ઓફિસો ખોલવામાં આવે છે અને એ ઓફિસોના મકાનનું ભાડું ખર્ચવું પડે છે, તે જ પ્રમાણે તે “સંસ્થા-રૂપી વ્યક્તિઓ ઋષિઓને રહેવા માટે શરીરરૂપી મકાનને ભાડા તરીકે ભોજન, વસ્ત્ર વગેરેને ખર્ચ કરવો પડતો હતો. જેમ મકાનના ભાડા માટે તેમ જ સંસ્થાનાં અન્ય કાર્યો માટે પૈસા એકઠા કરવા પડે છે, તે જ રીતે દાન, પુણ્ય ભિક્ષા વગેરે દ્વારા તે  ઋષિ સંસ્થાઓને પૈસા આપવામાં આવતા હતા. તે ઋષિઓનું વ્યક્તિત્વ એટલું બધું ઉચ્ચ હતું કે તેમના વિષે કોઈ પણ જાતની શંકાને સ્થાન ન હતું. તેથી લોકે તેમને પૈસા આપીને તે પૈસાના સદુપયોગ વિશે સંપૂર્ણ નિક્ષિત રહેતા હતા. તેમનો હિસાબ માંગવાની કોઈને જરૂર પડતી નહોતી. ઋષિઓ ભિક્ષામાં મળેલા ધનનો સદુપયોગ પોતાની મેળે જ કરતા હતાં.

દેવપૂજન, દાન, દક્ષિણા વગેરે નામે લોકો પોતાની મેળે જ યોગ્ય અવસરે કોઈને કોઈ બહાને સંસ્કાર, પર્વ, કથા, તીર્થ. પૂજા, અનુષ્ઠાન વ્રત વગેરે પર્વે નિમિત્તે બ્રાહ્મણને દાન આપતા. તે બ્રહ્મપરાયણ સંસ્થા એટલે કે બ્રાહ્મણો દ્વારા થતાં લોકોપયોગી કાયોથી જનતા ખૂબ જ પ્રભાવિત હતી અને તેમની આવશ્યક્તાઓને ધ્યાનમાં રાખીને જરૂરી સાધનો પૂરાં પાડવા માટે ધનની વ્યવસ્થા કરવામાં કોઈ જ કચાસ રાખતી નહોતી.

આ બ્રાહ્મણોની વ્યક્તિગત જરૂરિયાતો તો ખૂબ જ ઓછી હતી. પીપળાનાં નાનાં નાનાં ફળ ખાઈને જીવનનિર્વાહ કરનારા પિપ્પલાદ ઋષિ કહેવાતા. ખેતરમાંથી અનાજ લીધા પછી જે દાણા વેરાયેલા પડ્યા હોય તેને વીણીને તે દ્વારા તેઓ તેમનું ગુજરાન ચલાવતા. રહેવા માટે ઘાસની ઝૂંપડી, પહેરવા માટે કટિવસ્ત્ર, ભોજનમાં દમૂળ આટલી જરૂરિયાત માટે વધારે ખર્ચની જરૂર નહોતી. દાન–દક્ષિણામાં મળેલું ધન તે લોકે મોટે ભાગે લોકલ્યાણનાં કાર્યોમાં વાપરતા હતા. તક્ષશિલા જેવી યુનિવર્સિટીઓ કે જ્યાં ત્રીસહજાર વિધાર્થીઓ ભણતા હતા અને તેમને હજાર આચાર્યો ભણાવતા હતા, તેવી યુનિવર્સિટીઓ એક બે નહીં, પણ સેંકડોની સંખ્યામાં હતી કે જેમાં વિદ્યાર્થીઓ અને આચાર્યનો ભોજન ખર્ચ યુનિવર્સિટી ઉઠાવતી હતી. આ ધન, દાન દ્વારા જ પ્રાપ્ત થતું હતું. સર્જરી અને ચિકિત્સાનાં સર્વોત્તમ સાધનોથી સજજ હોસ્પિટલો આ ઋષિઓ ચલાવતા હતા. જયોતિષ, મનોવિજ્ઞાન, યોગ, ધર્મ, શિક્ષણ નીતિ, ખેતીવાડી, વાણિજ્ય, પશુપાલન, શિલ્પ, રાજનીતિ વગેરે વિષયોની ચર્ચા માટે ઋષિઓની વિચાર સભાઓ બેસતી અને મહત્વપૂર્ણ સંશોધન કરીને તેને લગતી શેધોને ગ્રંથો, ઉપદેશો તથા અનુભવ શાળાઓના રૂપમાં લોકો સમક્ષ રજૂ કરતા. વિમાન, વહાણ, રેડિયો શસ્ત્રો, રસાયણે, વગેરે દ્વારા વૈજ્ઞાનિક પ્રયોગો કરવા માટે ઋષિઓના આશ્રમમાં જ પ્રયોગશાળાઓ હતી. તેમાં હંમેશાં વૈજ્ઞાનિક શોધો થતી. આ પ્રકારનાં કાર્યો પાછળ થતો ખર્ચ દાનમાંથી જ નીકળતો હતો.

તે પ્રાતઃસ્મરણીય બ્રાહ્મણો માત્ર લોકોએ આપેલા દાન ઉપર જ આધાર નહોતા રાખતા, પરંતુ લોકોના ઘેર ઘેર જઈને તેઓ ભિક્ષા પણ માંગતા હતા. આ ભિક્ષાટનમાં મોટું રહસ્ય, મહત્વ અને લાભ રહેલાં છે. ભિક્ષા મેળવવા માટે તે ઋષિઓ એવા લોકોના ઘેર પણ જતા જેઓ સત્સંગ માટે ઋષિઓના આશ્રમમાં જવા માટેનો સમય કાઢી શક્તા નહોતા. લોકોના ઘેર જઈને તેઓ વધારેમાં વધારે પાંચ ગ્રાસ ભિક્ષા જે લેતા. આનાથી વધારે એટલા માટે નહોતા લેતા કે જેથી કોઈના ઉપર વધારે બોજ ન પડે તેની આર્થિક સ્થિતિને કોઈ ઠેસ ન પહોંચે. ભિક્ષા લીધા પછી તે ઋષિઓ ચાલ્યા જતા નહોતા, પણ ભિક્ષા આપનાર દાતાના ઘરની સ્થિતિ વિશે પૂછપરછ કરતા અને તેની મુશ્કેલી દૂર કરવા તેને માર્ગદર્શન આપતા. આ પ્રકારના ભિક્ષાટનથી એ લોકોનાં તો ભાગ્ય ખૂલી જતાં જેમના ઘેર આવા ભિક્ષુકો જતા હતા. બે-ચાર ગ્રાસ અન્ન આપવું કે લેવું એ મહત્વનું નહોતું પરંતુ એ બહાને થોડાક સમય માટે જે લોકોના ઘેર આવા મહાત્માઓ જતા તે લોકો તેમનો ઉપદેશ સાંભળીને ધન્ય થઈ જતા. ગૃહસ્થોને તેમનો સત્સંગ અચાનક જ બીમારી, ગરીબી, કલેશ કલહ અનીતિ, ભય, ભ્રાંતિ વગેરે અનેક દારુણ મુશ્કેલીઓથી દૂર લઈ જતો. આજે વકીલ, ડોકટર, યુનિયનનો નેતા, વૈજ્ઞાનિક, પ્રોફેસર, વગેરેની સલાહ લેવી હોય તો તેના બદલામાં તેમની ખુશામત કરીને તેમને પૈસા આપવા પડે છે, પરંતુ તે સમયે તો બધા જ ગુણોથી યુક્ત ઋષિઓ પાંચ ગ્રાસ ભિક્ષા માગવા માટે લોકોના ઘરે જતા હતા અને એ બહાને લોકોને પોતાની અમૂલ્ય સંપત્તિથી ઉપકૃત કરતા હતા.

આ સિવાય ભિક્ષાનાં બીજાં પણ બે પ્રયોજનો છે એક તો એ કે દાન આપવાથી દાન આપનારને ત્યાગ અને પરોપકારને તથા પુણ્ય કરવાને આત્મસંતોષ પ્રાપ્ત થાય છે અને બીજું એ કે તે ઋષિકલ્પ બ્રાહ્મણોને પોતાના અહંકાર અને અભિમાનને દૂર કરવાની તક મળતી હતી. ભીખ માગીને આજીવિકા ચલાવવાથી તેમનામાં વિનય, નમ્રતા, નિરભિમાન તથા કૃતજ્ઞતા પ્રગટતાં અને ઋણી હોવાનો ભાવ તેમના મનમાં જાગૃત થતો. તેઓ પોતે મનમાં લોકસેવક, પરોપકારી મહાત્મા છે તેવો અહંકાર ઉત્પન્ન ન થાય તે માટે ભિક્ષુક જેવી તુચ્છ સ્થિતિ ગ્રહણ કરતા. આવા ભિક્ષુકોને દાન આપતી વખતે દાન આપનાર પોતાને મહાન ગણતા અને દાન લેનાર ભિક્ષુકે પોતે નિરભિમાની બનતા હતા. આનાથી દાન આપનાર અને લેનારની વચ્ચે સદ્ભયતા ઉત્પન્ન થતી હતી. ભિક્ષા આપનાર કરતાં ભિક્ષા લેનારને વધારે લાભ થતો હતો. આ પરમાર્થ અને તેની પાછળની ભાવનાને કારણે બ્રહ્મજીવી મહાત્માઓ માટે ભિક્ષા લેવાનું વિધાન કરવામાં આવ્યું હતું.

આ પ્રમાણે યજ્ઞ માટે વપરાતી ભિક્ષા બ્રાહ્મણો દ્વારા ગ્રહણ કરવામાં આવતી અને આ પ્રાપ્ત થયેલ ભિક્ષારૂપી દાનને તેઓ લોકકલ્યાણ માટે જનતાની સુખ-સમૃદ્ધિ વધારવા માટે વાપરતા. પોતાનું શરીર અને મન તેમણે પરમાર્થ માટે અર્પણ કર્યું હતું. આ શરીરની ભૂખ-તરસ તથા ટાઢ કે તડકાના નિવારણ માટે થોડાક ધનનો ઉપયોગ થતો હતો. તે પણ યજ્ઞની આહુતિની જેમ ફળદાયક ગણાતો. બ્રાહ્મણોને દાન-દક્ષિણા અને ભિક્ષા આપવાનું આ જ વાસ્તવિક તાત્પર્ય હતું. આથી જ બ્રાહ્મણો ભિક્ષા દ્વારા જીવનનિર્વાહ કરતા હતા. જે વ્યક્તિ કે સંસ્થા લોકહિતના કાર્યો કરે તેને બ્રાહ્મણ કહેવાય. તેને ભિક્ષા માંગવાનો કે સ્વીકારવાનો અધિકાર છે. યજ્ઞાર્થ માટે લેવાતી ભિક્ષા યોગ્ય છે. શાસ્ત્રસંમત છે. બ્રહ્મ કાયો માટે અથવા બ્રહ્મજીવી વ્યક્તિઓ માટે સ્વીકારવામાં આવતી ભિક્ષા લેવી તે ધર્મસંમત.

આ સિવાય ભિક્ષાનું બીજું કારણ વિપત્તિનું નિવારણ છે. સંક્ટગ્રસ્તોનાં સંકટ દૂર કરવા, લેઈને સહાય કરવી એ માનનીય અંતઃકરણનો દિવ્ય સ્વભાવ છે. આ દેવી તત્વને સુરક્ષિત રાખવા અને વિકસિત કરવા માટે મનુષ્યમાં દયા ઉત્પન્ન થાય છે. દુઃખીઓનાં દુ:ખ જોઈને દરેક દયાળુ માણસનું હદય કરુણાથી ભરાઈ જાય છે અને તેની આંખોમાં આંસુ આવી જાય છે. આ દેવી પ્રેરણાથી તૃપ્ત થઈને જ માણસ પરમાત્માની નિષ્ટ પહોંચી શકે છે. બીજાનું દુઃખ જોઈને જે માણસ પથ્થર દિલ બની જાય છે, નિષ્ઠુર બની જાય છે, કઠોર અને સ્વાર્થી બનીને પોતાનામાં મગ્ન બની જાય છે એવા માણસો અસુરતાને પ્રાપ્ત કરી નરપિશાચ જેવું જીવન વ્યતીત કરે છે. પીડિતોની સેવા કરવી જોઇએ તથા દુખીઓનાં દુઃખ દૂર કરવાં જોઈએ. આ માટે શરીર બુદ્ધિ તથા ધન વડે શક્ય હોય તેટલી સહાયતા કરવી જોઈએ. મુશ્કેલીઓ દૂર કરવા માટે ભિક્ષા આપવી જોઇએ.

આગ લાગે. પૂર આવે, દુકાળ, ચોરી, આક્રમણ, અન્યાય તેમજ કમનસીબી વગેરે આકસ્મિક કારણસર જે લોકો નિરાધાર બની ગયા હોય, જેમની સંપત્તિ નાશ પામી હોય, જેઓ પોતાના પગ ઉપર ઊભા રહી શક્તા ન હોય તેમને સહાયતા કરવી જરૂરી છે. જેમનાં શરીર અને મગજની સર્જનશક્તિ નાશ પામી હોય તેમને સહાયતાની જરૂર છે. આ પ્રકારના માણસોને પૈસાની જરૂર વધારે હોય છે, પરંતુ બીજા કેટલાક પીડિતો કે જેમને પૈસાની નહી, પણ શરીર અને બુદ્ધિની સહાયતા જરૂરી છે. શોક, ચિંતા, ક્લેશ, ઉદ્વેગ, ક્લહ નિરાશા, ભય, ઇર્ષા, ક્રોધ, લોભ, તૃષ્ણા, અહંકાર, ભ્રમ, અજ્ઞાન વગેરે અનેક માનસિક મુશ્કેલીઓથી માણસો ઘેરાયેલા હોય છે. તેઓ આ મુસ્કેલીઓથી એટલા જ દુખી થાય છે, જેટલા શારીરિક રોગથી માણસ પીડાય છે. આવા લોકોને જે પૈસાની સહાયતા કરવામાં આવે તો તેનાથી તેમનું દુ:ખ દૂર થતું નથી. એમને તે બુદ્ધિ અને વિવેક દ્વારા જે સહાયતા આપવામાં આવે તે જ સાચી સહાયતા છે. જે લોકો સુખી છે, જેમની પાસે દવા કરાવવાના પૈસા છે તેમને મફત દવા આપવી નિરર્થક છે. તેમને ઉપયોગી ચિકિત્સા સ્થળ બતાવીને ત્યાં સુધી પહોંચવામાં ક્રિયાત્મક સહાયતા કરવી તેમના માટે પૂરતી છે. જો કોઈ અમીર વ્યક્તિને ક્ષયરોગ થયો હોય તો તેને મફત દવા આપવાની જરૂર નથી, પરંતુ તેને તે રોગ દૂર કરવાની વિધિ તેમજ યોગ્ય દવાખાનું બતાવવું જોઈએ. આ પ્રકારની સહાયતા કરવી અને તેને યોગ્ય સાધન મળે તેવી વ્યવસ્થા કરવી પૂરતી છે.

ગરીબ માણસને માત્ર પૈસા આપવાથી કમ નથી ચાલતું. તેની ગરીબી દૂર કરવા તેને કોઈ ધંધામાં લગાડી દેવો જોઇએ. ઘણા બધા ગરીબો એવા છે કે જે શારીરિક દ્રષ્ટિએ કામ કરવા યોગ્ય હોય છે. ઘણા બધા માણસો અપંગ, આંધળા તથા અસમર્થ હોય છે. જે તેમના બાકીનાં અંગોથી કામ કરીને પોતાની આજીવિકા રાખી શકે છે. જેમકે લંગડો માણસ પોતાના હાથ વડે કામ કરી શકે છે. આંધળા, બહેરા તથા બોબડા માણસો પણ હાથ વડે કામ કરી શકે છે. જે શારીરિક દૈષ્ટિએ અપંગ હોય તેમને જો ભણાવવામાં આવે છે તેઓ વાણી, વિચાર અને બુદ્ધિથી શિક્ષક વગેરે બની શકે છે. ગરીબ અને આસમર્થ વ્યક્તિઓને શરૂઆતમાં તાત્કાલિક સહાયતાની જરૂર પડે છે, પરંતુ તેમની સાચી સહાયતા તો એ છે કે તેમને સમજાવી પટાવીને કંઈક કામ કરવા, સ્વતંત્ર રીતે કોઈ ધંધો કરવા અને જરૂરી કામ શોધવાની વ્યવસ્થા કરવી. એ જ પ્રમાણે આગ લાગે પૂર, દુષ્કાળ, આક્રમણ, ચોરી વગેરેથી પીડિત વ્યક્તિઓને શરૂઆતમાં તાત્કાલિક મદદ કરીને પછી તેમને તેમના પગ ઉપર ઊભા રહેવામાં મદદ કરવી જોઈએ. વિપત્તિમાં સપડાયેલા માણસને શરૂઆતમાં પૈસાની જરૂર હોય છે, પરંતુ ખરેખર તે તેમને મુશ્કેલીઓમાંથી બહાર લાવવા માટે જરૂરી સાધન અને મનોબળની જરૂર છે.

કાયમ માટે એવા વિપતિગ્રસ્ત માણસોને ભિક્ષા ગ્રહણ કરવાનો અધિકાર છે કે જેઓ શરીર અને બુદ્ધિથી કામ કરવા તદ્દન અસમર્થ હોય. જેમને નજીના કુટુંબીઓ દ્વારા થોડીક પણ સહાયતા ન મળતી હોય એવા અનાથ ગરીબ, રોગી, બાળક પાગલ, અતિ વૃદ્ધ અપંગ, રક્તપિત્તિયા વગેરે અસ્પૃશ્ય રોગોવાળા લોકો કાયમ માટે દાનના અન્ન વડે પોતાનો નિર્વાહ ચલાવે છે. આવા લોકોના જીવનની રક્ષા માટે જીવનપયોગી અન્ન, વસ્ત્ર તેમજ મકાન વગેરેની વ્યવસ્થા કરવી સમાજનું કર્તવ્ય છે.

અહીંયાં સ્પષ્ટ રીતે સમજી લેવું જોઈએ કે મુશ્કેલીઓમાં ફસાયેલા માણસોએ બીજા લોકોની એવી મદદ જ સ્વીકારવી જોઈએ કે જે તેઓ પોતે પોતાની શક્તિ દ્વારા નથી મેળવી શક્તા. તે સહાયતા તેમણે એટલા જ પ્રમાણમાં અને એટલા જ સમય માટે સ્વીકારવી જોઇએ કે જ્યાં સુધી તેઓ પોતાના પગ ઉપર ઊભા ન રહી શકે. ત્યારબાદ જે સહાયતા તેઓ સ્વીકારે તેને દેવું સમજીને ગ્રહણ કરે અને મનમાં દઢ સંકલ્પ કરે કે સમય આવ્યે તે મદદ બીજા દુઃખી લોકોને વ્યાજ સાથે ચૂકવી દેશે. અસહાય અને અસમર્થ વ્યક્તિઓએ ભિક્ષાના બદલામાં લોકલ્યાણની શુભકામનાઓ. આશીર્વાદ પ્રાર્થનાત્મક સદભાવનાઓ આપતા રહેવું જોઈએ અને મનમાં યાદ રાખવું જોઈએ કે આ જન્મમાં અથવા આગલા જન્મમાં તે આ ઋણને ચૂકવી દેશે.

દાન લેનાર અને દાન આપનાર આ બન્નેના મનમાં આ પ્રશ્ન થવો જોઈએ કે આ ધનનો ઉપયોગ ૧) યજ્ઞ માટે (૨) વિપત્તિના નિવારણ માટે જ થાય છે ને ? આ બંને કાર્યો સિવાય ત્રીજા કોઈ કાર્યમાં તો નથી થતો ? આ પ્રશ્નનું સમાધાન થઈ જાય પછી જ દાન આપવું અને લેવું જોઈએ. વિશ્વમાં શારીરિક, માનસિક નૈતિક સામાજિક, આર્થિક તથા આધ્યાત્મિક વિભૂતિઓના સંવર્ધન માટે તેમજ પાપો અને તાપ દૂર કરવા માટે જે પ્રયત્ન કરવામાં આવે છે તેને યજ્ઞ કહે છે. અને વિપત્તિગ્રસ્ત માણસોને પોતાના પગ ઉપર ઊભા કરવામાં તેમજ અસમર્થોના જીવનની રક્ષા માટે જે કાર્યો કરવામાં આવે છે તે “વિપત્તિના નિવારણ” પ્રકારમાં આવે છે. આ કાર્યો માટે પૈસા, સમય, બળ, બુદ્ધિ અને જરૂર પડે તો પોતાના પ્રાણ પણ આપી દેવા જોઈએ. આ દાનની શાસ્ત્રીય મર્યાદા છે.

ઉપરોક્ત શાસ્ત્રોકત મર્યાદા સિવાય અન્ય હેતુઓ માટે જો દાન આપવા કે લેવામાં આવે તો તે સર્વ પ્રકારે અનિષ્ટકર ઘાતક, ભયંકર પરિણામ ઉત્પન્ન કરનાર તથા પાપ કર્મ છે. અશાસ્ત્રીય ભિક્ષા પાપ, અનાચાર, દુઃખ, દુર્ગુણ તેમજ નરક જેવી સૃષ્ટિ પેદા કરે છે. આવી ભિક્ષા ખરેખર એક શરમજનક વસ્તુ છે. બધી જગ્યાએ ભિક્ષા માગવાની સ્થિતિને મૃત્યુ સમાન ક્ટદાયક તથા અપમાનજનક ગણવામાં આવે છે. ખરેખર અશાસ્ત્રીય ભિક્ષા નિદનીય છે. તે નીચતા, હીનતા, નિર્જતા અને પશુતાને પ્રક્ટ છે છે.

આપણા દેશ અને ધર્મનું એ દુર્ભાગ્ય છે કે આજે અશાસ્ત્રીય ભિક્ષા ઉપર જીવનનિર્વાહ કરનાર મનુષ્યોની સંખ્યા લાખોની છે. છેલ્લી વસ્તી ગણતરી અનુસાર આખા ભારતમાં ભિખારીઓની સંખ્યા પ૬ લાખની છે. આમાંથી ભિક્ષાના ખરેખર અને સાચા અધિકારી આંગળીના વેઢે ગણાય તેટલા જ હશે. લોકલ્યાણ તથા લોક્સેવાનાં કાર્યોમાં તન, મન, ધનથી લાગેલા વિદ્વાન નિ:સ્પૃહી બ્રાહ્મણોની સંખ્યા ખૂબ જ ઓછી છે. પોતાનું સર્વસ્વ ત્યાગીને લોકોની સેવામાં લાગેલા સંન્યાસીઓને દીવો લઈને શોધવા નીકળવું પડે. આ પ૬ લાખ ભિખારીઓમાં પાંચ લાખ ભિખારીઓ પણ ભાગ્યે જ એવા નીકળશે જે ખરેખર શાસ્ત્રોક્ત ભિક્ષાના અધિકારી હોય. બાકીના સાડા પંચાવન લાખ ભિખારીઓ તો એવા મળશે કે જેમણે ભિક્ષાને એક લાભદાયક વ્યવસાય માની લીધો છે.

બ્રાહ્મણત્વના બધા જ ગુણો વિનાના માણસો પણ પોતાને એ આધાર ઉપર ભિક્ષાના અધિકારી માને છે કે પોતે બ્રાહ્મણોના વંશજ છે. આ ખોટો દાવો છે. બ્રાહ્મણત્વ એ કોઈ મિલક્ત નથી કે દરેક પેઢીને તે વારસામાં મળે. જે વ્યક્તિમાં બ્રાહ્મણત્વના ગુણો સ્વભાવથી જ હોય તેણે ભિક્ષા માંગવી જોઈએ. પરંતુ જો તેના પુત્રમાં તે ગુણો ન હોય તો તેને બ્રાહ્મણત્વના ગુણો દ્વારા મળતી ભિક્ષા ગ્રહણ કરવાનો  કોઈ અધિકાર નથી. આ જ પ્રમાણે જે લોકે સંસારને મુક્તિ અપાવવા પોતાની મુક્તિનો ત્યાગ કરે છે તે સંન્યાસી જ પોતાની આ સેવાના બદલામાં લોકો પાસેથી ભિક્ષા મેળવી શકે છે. જે માણસો માત્ર પોતાની મુક્તિ માટે પ્રયત્નશીલ રહે છે. દુનિયાને ખોટી કહે છે. લોકસેવાથી દૂર રહે છે તેઓ સ્વાર્થી છે. તેઓ માત્ર પોતાના લાભ માટે જ પ્રયત્નો કરે છે. તે લાભ પછી ધનનો હોય, સ્વર્ગને હોય કે મુક્તિનો હોય. જે રીતે ધન કમાવામાં રચ્યોપચ્યો રહેનાર વેપારી ભિક્ષાનો અધિકારી નથી તેવી જ રીતે માત્ર પોતાની મુક્તિ માટે પ્રયત્નશીલ રહેનાર સંન્યાસી પણ ભિક્ષાનો અધિકારી નથી. જે સંસાર જૂઠો હોય તો ભિક્ષા પણ જૂઠી છે. તે જ્યારે સંસારની સેવા કરવાના કાર્યની ઉપેક્ષા કરે છે, પોતાની જાતને તેનાથી અલગ માને છે તો પછી, ભિક્ષાથી પણ તેણે અલગ રહેવું જોઈએ. તેની પણ તેણે ઉપેક્ષા કરવી જોઈએ. ભગવાનનું ભજન કરવું એ એક વ્યક્તિગત નિત્યકર્મ છે. સ્નાન, ભોજન, વ્યાયામની જેમ ભજન પણ અત્યંત લાભદાયક નિત્યકર્મ છે. ભજન કરવું એટલે બીજા માણસ ઉપર ઉપકાર કરવો એવું નથી અને ભજન કરવાથી કોઈને ભિક્ષા મેળવવાનો અધિકાર પણ મળતો નથી

આજે જોવામાં આવે છે કે ધર્મના નામે કે ગરીબીના નામે જુદા જુદા આડંબરો કરીને ભિક્ષા મેળવવામાં આવે છે. આવા ઢોંગથી માણસોના પૈસા બરબાદ થાય છે અને સાથે સાથે તેમના મગજમાં અંધવિશ્વાસ, ભ્રમ, ભય, અજ્ઞાન અને અવિચાર વગેરે પણ પ્રવેશે છે. પુરુષાર્થ, પ્રયત્ન, કર્મ અને સાહસને છોડીને લોકો આકાશમાંથી દેવતાઓ સુવર્ણ, પુષ્પ વગેરે વરસાવે તેની રાહ જુએ છે. અનેક લોકો પોતાનાં કાર્યોમાં રહેલા દોષો જોવાને બદલે તેમાં દેવતાઓના કોપની કલ્પના કરીને નિરાશ બની જાય છે. ધર્મનો આડંબર કરીને જીવનનિર્વાહ ચલાવનાર માણસોમાં વિદ્યા, વિવેક, જ્ઞાન, અનુભવ, તપ વગેરે સદગુણો તો હોતા જ નથી અને આવા સદગુણો ન હોવાથી તે ખોટા આધારોને સ્વીકારે છે. પોતાને તેઓ દેવતાઓના પ્રતિનિધિ, કૃપાપાત્ર કે એજન્ટ ગણાવે છે, જેથી ભોળી પ્રજા દેવકૃપા પ્રાપ્ત કરવા માટે તેમનું પૂજન કરે. આવા ઢોંગ જનતામાં અંધવિશ્વાસ પેદા કરે છે. તેનાથી સંસારમાં ભયંકર અનિષ્ટ ઉત્પન્ન થાય છે. ગરીબીનો ઢોંગ કરીને ભિક્ષા માગનારા ઘણા બધા માણસો એવા હોય છે કે જેઓ મહેનત કરીને પોતાને જીવનનિર્વાહ ચલાવી શકે, પરંતુ તેમને તો મહેનત કર્યા વગર આસાનીથી જો ભિક્ષા મળતી હોય તો પછી તેઓ પરસેવો શા માટે પાડે? તેઓ ગરીબી, બીમારી કે મશ્કેલીનું બહાનું કાઢીને ભિક્ષા માગે છે. કેટલાક અત્યંત નીચ કોટીના ભિખારીએ તો વધારે પૈસા કમાવા માટે રૂંવાડાં ઊભાં કરી દે તેવાં કાર્યો કરે છે. તેઓ પોતાના શરીરમાં પોતાની મેળે જ ઘા પાડે છે. પોતાનાં બાળકોની આંખો, હાથ, પગ તોડી નાખે છે. આ ઘણિત કાર્ય તેઓ એટલા માટે કરે છે કે લોકો દયા ખાઈને તેમને વધારે પૈસા આપે. ગાયના વાછરડાને પાંચ પગવાળો અથવા વધારે અંગવાળો બનાવવા માટે કસાઈઓ દ્વારા અંગોનું પ્રત્યારોપણ કરવામાં આવે છે. એક વાછરડાનો પગ કાપીને એને બીજા વાછરડાની પીઠ ઉપરની ચામડી કાપીને એ કસાઈઓ સાંધી દે છે અને જ્યાં સુધી તે ઘા રૂઝાઈ ન જાય ત્યાં સુધી તે વાછરડાને બાંધી રાખવામાં આવે છે. જેથી તે જરા પણ હાલી ચાલી ન શકે. જ્યારે તે પગ જોડાઈ જાય છે ત્યારે તેને શિવજીનું વાહન નંદી બતાવીને ભિખારીઓ વધારે ભીખ માગે છે. ઘણાં બધાં વાછરડાંઓના પગની જગ્યાએ માંસના ટુકડા લગાવી દેવામાં આવે છે આ પ્રક્રિયામાં એક વાછડું તો શરૂઆતમાં જ મારી નાંખવામાં આવે છે અને બીજું જેના શરીરમાં એ વધારાનું અંગ લગાડવામાં આવે છે તે કાં તો મરી જાય છે અથવા ખૂબ જ મુશ્કેલીથી તે મૃત્યુ સમાન કષ્ટ સહન કરીને જીવે છે. આવાં નિર્દય હિસાપૂર્ણ કાર્યો કરતાં તેમને જરા પણ દયા નથી આવતી. ધર્મજીવી ભિખારીઓમાંથી ઘણા બધા આવા નિર્દય બની જાય છે. દેવીકાળભૈરવ પીર વગેરેના નામે બકરા, ભેંસ, ઘેટાં, મરઘાં વગેરે પશુઓનાં ગળાં કાપે છે અને બીજાને કપાવવામાં મદદ કરે છે.

અશાસ્ત્રીય ભિક્ષા પાપરૂપ છે. આવું અન્ન ખાનારાના રોમેરોમમાં દુર્ગણો પ્રવેશે છે. તે જૂઠું ખાનારાઓ ચોરી, પાખંડ આળસ, છળકપટ, વ્યભિચાર દારૂનું સેવન, ઢગ, હિસા, અસહિષ્ણુતા વગેરે અસંખ્ય દોષોથી ઘેરાઈ જાય છે. સ્વાભિમાન અને સ્વાવલંબન નષ્ટ થવાથી આત્માની દિવ્ય જ્યોતિ બુઝાઈ જાય છે. આનાથી સ્મશાનનાં ભૂતોની જેમ તેમના મનમાં પણ કુવિચારો નગ્ન નૃત્ય કરવા લાગે છે. અશાસ્ત્રીય ભિક્ષાનું અન સદ્દબુદ્ધિ ઉપર ખૂબ જ ઘાતક અસર કરે છે અને આવું અન્ન ખાનાર તરત જ ધૃણિત, દયનીય અને નારકીય પ્રાણી જેવો બની જાય છે. પ્રાણીઓમાં આવી બુદ્ધિ હોવી તે કોઈ પણ દેશ કે જાતિ માટે મોટો ખતરો છે કારણ કે તેવાં પ્રાણીઓ ચેપી રોગના કીટાણુઓની જેમ જ્યાં જાય છે ત્યાં અનિષ્ટ ઊભું કરે છે.

સાચા યજ્ઞાર્થી ભિક્ષુની સંખ્યામાં વધારો થાય તે કોઈ પણ સમાજ માટે ગૌરવરૂપ વાત છે. ત્યાગી, પરોપકારી, વિદ્વાન વિશેષજ્ઞ, પોતાના બધા જ સ્વાર્થોનો ત્યાગ કરીને જનકલ્યાણના કાર્યમાં જોડાઈ જાય તે ખૂબ ઊંચો આદર્શ છે. જ્યાં થોડી ઘણી યોગ્યતાવાળા માણસો પોતાની યોગ્યતાના આધારે ઘણું બધું ધન કમાઈને પૈસાદાર બની જાય છે ત્યાં મહાન તપ દ્વારા પ્રાપ્ત કરેલી સિદ્ધિઓ લોકોનાં ચરણોમાં સમર્પિત કરીને માત્ર ભિક્ષામાં મળેલા દાન દ્વારા જીવન નિર્વાહ કરનારનો ત્યાગ દૈવી ત્યાગ છે. આવા ત્યાગી માણસોની સંખ્યામાં વધારો થાય તે ગૌરવ લેવા જેવી બાબત છે, પરંતુ દુઃખની વાત તો એ છે કે આવા ત્યાગી મહાત્માઓ હવે ખૂબ જ ઓછા થતા જાય છે. હવે તે વ્યવસાયી લોકો આ યજ્ઞ સામગ્રીને ભિક્ષાને લૂંટી રહ્યા છે એ શરમની, કલંકની અને દુખની વાત છે.

ભિક્ષાવૃત્તિનો સદુપયોગ થાય, સાચા ભિક્ષુકોને તેમનો હક મળે, ચોર લૂંટારા ચોરી ન જાય તે માટે ભિક્ષા આપનારની જવાબદારી ખૂબ વધી જાય છે. તેમણે જેવું જોઈએ કે ભિક્ષા માગનાર યજ્ઞ માટે કે વિપતિના નિવારણ માટે ભિક્ષા માગે છે ? જો તે આ બે કાર્યો સિવાય ફક્ત મફતનો માલ મેળવવા માટે ભિક્ષા માગે તો તેને એક પૈસો પણ આપવો જોઈએ નહીં. અવિવેકપૂર્વક કુપાત્રોને આપેલું દાન તે ઘન આપનાર દાતાને નરકમાં લઈ જાય છે કારણ કે નીચ ભિખારીઓને આપેલા દાન વડે ફેલાતી અનૈતિક્તાની જવાબદારી તે અવિવેકી દાન આપનાર દાતા ઉપર આવી પડે છે. જો તેવા ભિખારીઓને ભિક્ષા ન મળે તો પોતાની મેળે જ સીધા રસ્તે આવવા માટે મજબૂર બનશે, પરંતુ જે અવિવેકી  દાતા તેમને દાન આપ્યા કરશે તો તેમને સુધારીને સીધા રસ્તા ઉપર લાવવાની ઈ જ આશા રાખી શકાય નહિ

દાનમાં વિવેક જરૂરી છે. જે ભિક્ષુકો દાનના અધિકારી છે તેમને છુટા હાથે દાન આપવું જોઈએ. વિશ્વમાં સાત્વિક્ત, સદભાવના, જ્ઞાન, વિવેક, તથા સુખશાંતિ વધારવા માટે તેમજ વિપતિગ્રસ્ત માણસોને સંકટમાંથી બચાવવા માટે એ લોકોને મદદ કરવી જોઈએ. શરીર, બુદ્ધિ, ધન અને શક્ય હોય તો પોતાના પ્રાણ આપીને પણ વિશ્વના લોકોનાં કષ્ટ દૂર કરવા તથા સુખશાંતિ વધારવા પ્રયત્ન કરવો જોઈએ. સાચા બ્રાહ્મણો, સાચા સાધુઓ, સાચા બ્રહ્મસાધકો તથા સંસ્થાઓને શોધીને તેમને ભિક્ષા આપવી જોઈએ. તેમને તૃપ્ત કરવાથી ધર્મ, વૈભવ તથા સુખશાંતિની પ્રાપ્તિ થાય છે. દુઃખી માણસોને છાતીએ લગાડવા જોઈએ. હંમેશાં તેમને સહાય કરવા તૈયાર રહેવું જોઈએ. પરંતુ સાવધાન ! ગાયનો કોળિયો શિયાળ છીનવી ન લે. ભિક્ષાનું દ્રવ્ય-શાકલ્ય યજ્ઞકુંડમાં પડવાના બદલે અપવિત્ર જગ્યાએ ન પડે તેનું ધ્યાન રાખવું જોઈએ. ધર્મ માટે અને વિપત્તિના નિવારણ માટે ન વપરાતાં ક્યાંક આપનું ઘન કોઈક કુપાત્રો વંટી ન લે તે માટે દાન આપવામાં વિવેની જરૂર પડે છે.

BD-1 : તીર્થોની ઉપયોગિતા – ૩ | કેટલાક ધાર્મિક પ્રશ્નોનું યોગ્ય સમાધાન

તીર્થોની ઉપયોગિતા, કેટલાક ધાર્મિક પ્રશ્નોનું યોગ્ય સમાધાન

તીર્થસ્થળોના મહાત્મ્યનું વર્ણન ધર્મશાસ્ત્રોમાં જોવા મળે છે. ચાર-ધામ, સાત પુરી, બાર જ્યોતિર્લિગ અને અનેક નદીઓ, સરોવરો વન, ઉપવનને તીર્થોની શ્રેણીમાં ગણવામાં આવે છે. એમનાં દર્શન, નિવાસ, સ્નાન, ભજન, પૂજન, અર્ચન કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે એવી દૃઢ માન્યતા હિદુઓમાં છે. આ તીર્થોમાં લાખો-કરોડો લોકો ધાર્મિક ભાવનાથી પ્રેરાઈને જાય છે. વિશેષ તહેવારો ઉપર તો ખૂબ જ ભીડ થાય છે. કરોડો રૂપિયાની આવા પ્રસંગે હેરફેર થાય છે. આધુનિક યુગ બુદ્ધિવાદી યુગ કહેવાય છે. આ યુગમાં દરેક બાબતને બુદ્ધિવાદના ત્રાજવામાં તોલવામાં આવે છે.

જ્યારે દરેક વિષયોમાં સંશોધનો થાય છે, ત્યારે ધાર્મિક પ્રથાઓના સંબંધમાં વિચાર કરવો જોઈએ. તીર્થોના વિષયમાં પણ નવી પેઢીની બુદ્ધિવાદી જનતા વિચારે કરે છે, પરંતુ એ નવવિકસિત બાળક બુદ્ધિ તેની વાસ્તવિક્તા અને ઉપયોગિતાને બરાબર સમજી શકતી નથી, તેથી તર્ક કરવા લાગે છે. તીર્થોની મુલાકાતને અનુપયોગી, હાનિકારક અને બિનજરૂરી પણ માનવામાં આવે છે. આવો આ પ્રશ્ન ઉપર એક વિવેચનાત્મક દ્રષ્ટી નાંખીએ.

તીર્થોની સ્થાપના દ્વારા આપણા પૂર્વજોએ તેમની તત્વદર્શી બુદ્ધિનો પરિચય કરાવ્યો છે. જે જગાએ તીર્થ સ્થળો બનાવ્યાં છે તે પાણી તેમજ વાયુની દષ્ટિએ ખૂબ જ ઉપયોગી છે. જે નદીઓનું પાણી વિશેષ શુદ્ધ, ઉપયોગી, હલકું અને સ્વાસ્થ્ય પ્રદ લાગ્યું છે, ત્યાં તીર્થની સ્થાપના કરી છે. ગંગા નદીના તટ ઉપર સૌથી વધારે તીર્થો છે, કારણ કે ગંગાનું પાણી સંસારની બધી જ નદીઓનાં પાણી કરતાં વધારે ઉપયોગી છે. આ પાણીમાંથી સુવર્ણ, પારો, ગંધક અને અબરખ જેવા ઉપયોગી ખનિજ પદાર્થો મળે છે. તેમના સંમિશ્રણથી ગંગાજળ એક દવા જેવું બની જાય છે. જેનાથી પેટના રોગ, ચામડીના રોગ તથા લોહીવિકાર આશ્ચર્યજનક રીતે દૂર થાય છે. કુષ્ઠ રોગ દૂર કરવાની ક્ષમતા પણ ગંગાજળમાં છે. આ જ પ્રમાણે અન્ય નદીઓનાં પાણીમાં પોતપોતાના ગુણ છે. આ ગુણોની ઉપયોગિતાનું તીર્થસ્થળોના નિર્માણમાં ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.

આજકાલ હવાફેર માટે લોકો પહાડ ઉપર જાય છે. રોગી અને દુર્બળ લોકોને ડોકટર હવાફેર માટે કોઈ સ્વાસ્થ્ય પ્રદ જગ્યાએ જવાનું કહે છે. આ જ દષ્ટિકોણ તીર્થો માટે પણ છે. ભૂમિ વનસ્પતિ, ઋતું વગેરેના આધારે જયાંની હવા સ્વાસ્થ્ય પ્રદ લાગી છે ત્યાં તીર્થો બનાવ્યાં છે. આ જગ્યાએ થોડોક સમય રહીને ત્યાંની હવાનું થોડોક સમય સેવન કરવાથી તીર્થ યાત્રીઓના સ્વાસ્થ્ય  ઉપર સારો પ્રભાવ પડે છે. તેથી આ કારણોસર આચાર્યોએ પ્રોત્સાહિત થઈને ત્યાં આગળ તીર્થોનું નિર્માણ કર્યું છે.  

તીર્થયાત્રામાં પગપાળા પ્રવાસ કરવાનું વધારે મહત્વ બતાવ્યું છે. ચાલવાથી શરીર સુગઠિત બને છે તથા નાડીઓ અને માંસપેશીઓ બળવાન બને છે. આયુર્વેદમાં મધુપ્રમેહ (ડાયાબીટીસ)માં સો યોજન અર્થાત ચારસો કોસ પગપાળા ચાલવાનો આદેશ આપ્યો છે. વધારે ચાલવાથી સાથળોની નાડીઓ અને માંસપેશીઓને સારો વ્યાયમ મળે છે અને તે પરિપુષ્ટ બને છે. ઢીલી નસો-નાડીઓની સંકુચન શક્તિ શિથિલ થઈ જવાથી વીર્ય જલદીથી સ્ત્રવિત થઈ જાય છે અને તેના કારણે સ્વપ્નદોષ, પ્રમેહ, પેશાબમાં ચીકણો પદાર્થ જવો, વીર્યનું શીધ્રપતન થવું વધારે વખત પેશાબ થવો જેવા રોગો થાય છે. આ રોગોથી મુક્તિ મેળવવા માટે કમર તથા સાથળની માંસપેશીઓ અને નાડીઓને મજબૂત કરવી પડે છે. આયુર્વેદની દૈષ્ટિએ આનો સારામાં સારો ઉપચાર નિયમિત પગપાળા ચાલવું તે છે. જેનાથી કમર, પેટ અને સાથળ મજબૂત થાય છે. તીર્થયાત્રાઓ આ ઉદેશ્યને સારી રીતે પૂરો કરે છે. પગપાળા ચાલવાથી શરીર એટલું સ્વસ્થ રહે છે કે ક્યારેય પ્રમેહ કે મૂત્રરોગની તક્લીફ થતી નથી અને એ રોગમાંથી વગર પૈસા ખર્ચ્યે અને કોઈપણ જાતની દવા લીધા વગર હંમેશને માટે મુક્તિ મળે છે.

જે લોકો લાંબી યાત્રા નથી કરી શક્તા અને દૂરનાં સ્થળોએ નથી જઈ શક્તા તેમના માટે કોઈ એક તીર્થની પરિક્રમા કરવાનું કહ્યું છે. પેટના સહારે દંડવત કરીને કોઈ એક તીર્થની પરિક્રમા કરવાથી આંતરડાના રોગ મટી શકે છે. બરોળ અને હૃદય પણ ચાલવાથી મજબૂત બને છે અને તેનાથી ઘણા બધા વિકારો પણ દૂર થાય છે. ઘણી જગ્યાએ પર્વતો ઉપર ખૂબ ઊંચે તીર્થો બનાવ્યાં છે. ઊંચે સુધી ચઢવાથી હાડકાંના સાંધા મજબૂત બને છે તથા સંધિવા થવાનો ભય રહેતો નથી. ફેફસાંને મજબૂત બનાવવા ઉપર-નીચે ચઢવું-ઊતરવું ખૂબ જ ઉપયોગી છે. પહાડી પ્રદેશોમાં રહેનાર માણસો જેઓ રોજ ઊંચે સુધી ચઢે ઊતરે છે. તેઓ પહોળી છાતીવાળા હોય છે અને તેમને ક્યારેય દમ જેવા ફેફસાના રોગો થતા નથી. ખભા ઉપર કાવડ મૂકીને શિવરાત્રીના તહેવારે યાત્રા કરવામાં આવે છે. આનાથી ખભાની નસો ઉપર દબાણ આવે છે. આ નસોનો મૂલાધાર ચક્રની ગુદાનાડીઓ સાથે સંબંધ છે. તેથી ગુદાસ્થાન ઉપર તેનો પ્રભાવ હોય છે અને તેથી જ હરસ (મસા) જેવા રોગો થવાની કોઈ જ સંભાવના રહેતી નથી.

સ્વાસ્થ્ય લાભના આપેલ દ્રષ્ટીકોણથી તીર્થયાત્રા મહત્વપૂર્ણ છે. આ સિવાય દેશાટનથી જ્ઞાન વૃદ્ધિનો જે લાભ થાય છે તે પણ કંઈ ઓછો ઉપયોગી નથી. જીવનના સર્વાગી વિકાસ માટે મનુષ્યજાતિના સ્વભાવ, આચાર, વિચાર, વ્યવહાર, રહેણીકરણી, રિવાજ, વિશ્વાસ, કાર્યક્રમ, પરંપરાઓ અર્થ નીતિ વગેરેનું અધ્યયન કરવાની ખૂબ જ જરૂર છે. દેશાટન કરવાથી મૂર્ખ માણસો પણ થોડા ઘણા બુદ્ધિશાળી બને છે તેમજ ઘરની બહાર પગ ન મૂકનારા દેડકાવૃત્તિવાળા માણસો ખૂબ જ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા છતાં અડધા મૂર્ખ હોય છે. દેશાટન માત્ર મનોરંજન નથી, પણ એક જાતનું શિક્ષણ છે. જેટલું જ્ઞાન માણસ બે વર્ષ દેશાટન કરવાથી મેળવે છે તેટલું બે વર્ષમાં પુસ્તકો વાંચીને નથી મેળવી શક્તો. ઉચ્ચ કક્ષાના વિદ્વાન માણસો દર વર્ષે પોતાનું આર્થિક, સામાજિક, બૌદ્ધિક અને શારીરિક જ્ઞાન વધારવા માટે સમય કાઢીને પણ દેશાટન માટે નીકળે છે. બેવકૂફ઼ લોકો વિચારે છે કે આ રીતે રખડવામાં સમય વાપરવો વ્યર્થ છે, પરંતુ સાચી વાત તો એ છે કે જો માણસ દસ ક્લાક પરિશ્રમ કરે તેના કરતાં એટલો સમય જો તે ફરવા નીકળે તો ઘણું બધું જ્ઞાન મેળવી શકે છે. દેશાટનથી અનેક સ્થળો જોવાનો, વિભિન્ન પ્રકારના મનુષ્યોને મળવાનો અને વિવિધ પ્રકારના સ્થળોની વિશેષતાઓને જાણવાનો અવસર મળે છે. રસ્તામાં અનેક પ્રકારની મુકેલીઓ ઉપરાંત દુષ્ટ ચોર, ઠગ, ધૂર્ત લોકોનો સામનો કરવો પડે છે. આ સંધર્ષમાં માણસની ચેતના, જાગરૂકતા, સતર્કતા અને વિવેચન શક્તિ વધે છે. યાત્રાના અનુભવો માણસનું બૌદ્ધિક સ્વાસ્થ્ય પણ વધારે છે અને તે શારીરિક સ્વાસ્થ્ય ટલું જ જરૂરી છે.

દેશના જુદાં જુદાં સ્થળોએ લોકો જ્યારે એક જ સમયે અને સ્થળે એક્ઠા થાય છે તે પ્રસંગ એ સુવર્ણ પ્રસંગ હોય છે. વેપારીઓ પોતાની વસ્તુઓ લોકોને વેચે છે. ગ્રાહકો પણ વેપારીઓ પાસેથી નવી નવી વસ્તુઓ ખરીદે છે અને જે વસ્તુઓ ખરેખર દુર્લભ હોય તે પણ ખરીદી લે છે. આનાથી દેશની વ્યાપારિક, ઔધોગિક અને આર્થિક સ્થિતિ મજબૂત બને છે. એકઠા થયેલા લોકો એક જ જગ્યાએથી વિવિધ પ્રદેશોમાંથી આવેલા લોકો પાસેથી નવું નવું જ્ઞાન પ્રાપ્ત કરે છે. એકબીજાનો પરિચય મેળવી શકે છે. જેમાં પ્રચારક આવાં તીર્થસ્થાનોમાં એક જગ્યાએ બેસીને પણ પોતાના વિચારોને અનેક વ્યક્તિઓ સુધી પહોંચાડી શકે છે. જનસંપર્કના આ સુંદર પ્રસંગથી આગંતુકને લાભ મળે તે હેતુથી તીર્થસ્થળોમાં આવાં આયોજનો થતાં હતાં. ક્લા, પ્રદર્શન, વકતવ્ય કીર્તન, પ્રવચન, સત્સંગ, સભા, સંમેલન, અભિનય, વગેરે દ્વારા આગંતુકોને ઉપયોગી જ્ઞાન મેળવવાની અહીયાં ખૂબ જ સગવડ રહે છે.

તીર્થસ્થળે પુરોહિત-બ્રાહ્મણો, તપસ્વી, વિદ્વાન, બુદ્ધિશાળી, માર્ગદર્શક, ઋષિકલ્પ તથા નિ:સ્પૃહ બ્રહ્મવેત્તાઓના આશ્રમમાં જઈને યાત્રીઓ રહેતા હતા. સ્થાવર અને જંગમ બંને પ્રકારનાં તીર્થસ્થળોમાં સ્નાન કરીને લોકો તન અને મનથી સ્વસ્થ પુષ્ટ ચૈતન્યશીલ અને પ્રફુલ્લિત બની જતા. પૃથ્વી ઉપર મંદિર, સરોવરો, વગેરેના સ્વરૂપમાં જે છે તેને સ્થાવર તીર્થ કહે છે અને ઋષિ, તપસ્વી તથા પરોપકારી ઉચ્ચ આત્માઓને જંગમ તીર્થ છે. શાસ્ત્રકારોએ સ્થાવર કરતાં જંગમ તીર્થોનું મહત્વ વધારે બતાવ્યું છે. તીર્થયાત્રામાં બને તીર્થોને સમાવેશ થાય છે તેથી શારીરિક અને બૌદ્ધિક બને દૃષ્ટિએ ત્યાં જનારા લોકોને ફાયદો થતો હતો.

જીવનની વ્યાવહારિક મુશ્કેલીઓને દૂર કરવામાં તીર્થના પુરોહિતો સારું માર્ગદર્શન આપતા હતા. તેમને વિવિધ સ્થળોની ઘણી બધી જાણકારી રહેતી હતી. પરિણામ-સ્વરૂપે છોકરા-છોકરીનાં લગ્ન, પાક, વ્યાપારિક સ્થિતિ, આજીવિકા, શિક્ષણ, ચિકિત્સા, વગેરે અનેક વિષયોની માહિતી આવાં તીર્થ સ્થળોએથી મળતી હતી અને આ માહિતીથી એટલા બધા લાભ થતા હતા કે જે યાત્રા દરમિયાન ખર્ચાયેલ સમય અને પૈસા કરતાં અનેકગણા મૂલ્યવાન કહી શકાય. યાત્રીઓને એટલા બધા ફાયદા થતા હતા કે વ્યાપારી અને, સાંસારિક દૈષ્ટિએ પણ યાત્રીને જ ફાયદો થતો હતો.

તીર્થસ્થળોનું ઐતિહાસિક મહત્વ પણ ઘણું બધું છે. તે જગ્યા સાથે આપણા પૂર્વજો, મહાપુરુષોનાં પવિત્ર ચરિત્રોનો સીધો સંબંધ છે. તે સ્થાન એ મહાપુરુષોના જીવનની મહત્વપૂર્ણ ઘટનાઓની યાદ અપાવે છે. તેનાથી દર્શકોને પ્રેરણા, પ્રોત્સાહન, જીવનબળ, સાહસ અને પ્રકાશની પ્રાપ્તિ થાય છે. ઈતિહાસ પોતે જીવનને નિર્માતા છે. ભૂતકાળના અનુભવો સાથે ભવિષ્યના નિર્માણને અત્યંત ઘનિષ્ટ સંબંધ છે. પુસ્તકોમાંથી વાંચેલા ઈતિહાસની અપેક્ષાએ જે તે સ્થળો સાથે સંબંધિત સ્મૃતિ ચિહનોના આધારે મળેલી માહિતી વધારે પ્રેરણાદાયક હોય છે તેમજ હદયને આનંદ આપનારી હોય છે.

તીર્થોની સ્થાપના એ પ્રમાણે કરવામાં આવી છે કે જેથી દેશના મહત્વપૂર્ણ ભાગોની યાત્રા ચાલુ જ રહે. ચારધામ (બદ્રીનાથ, જગન્નાથપુરી, રામેશ્વર, દ્વારકા) દેશના ચાર ખૂણાઓમાં આવેલાં છે. આ ચારધામની યાત્રા કરનાને આખા દેશની પરિક્રમા કરવી પડે અને ભારતની તમામ સંસ્કૃતિઓ, નીતિઓ, ભાષાઓ તથા ભાવનાઓના સંપર્કમાં આવવું પડે છે. જયોતિર્લિંગ, પુરીઓ, પવિત્ર નદીઓ તથા ક્ષેત્રોની યાત્રાનો ક્રમ પણ એવો જ છે કે તેમની યાત્રા કરતાં માર્ગમાં અનેક સામાજિક, રાજનૈતિક, આર્થિક અને બૌદ્ધિક ઉન્નતિ માટે ખૂબ જ ઉપયોગી સિદ્ધ થાય છે.

માનવીય વિધુત વિજ્ઞાનની દષ્ટિએ એ પણ સિદ્ધ થયું છે કે જે સ્થળોએ વિશિષ્ટ આત્મબળવાળા મહાપુરુષોએ નિવાસ કર્યો છે ત્યાંનું વાતાવરણ એમની આત્મ વિદ્યુત શક્તિથી ભરેલું છે. જ્યાં કોઈ અહિસાની સાધના કરનાર તેજસ્વી મહાત્માએ નિવાસ ર્યો છે ત્યાનું વાતાવરણ એટલું બધું શાંતિદાયક હોય છે કે ગાય અને સિહ નિર્ભય બનીને જોડે જોડે બેસે છે. તેઓ પોતાનું આપસનું વેર ભૂલી જાય છે. આ જ પ્રમાણે જ્યાં કોઈ અવતારી પુરુષો અને અલૌકિક આત્માઓએ નિવાસ કર્યો હોય ત્યાંનું વાતાવરણ એમના દિવ્ય તેજથી પરિપૂર્ણ હોય છે અને તે ઘણા લાંબા સમય સુધી રહે છે. તપસ્વીઓ પોતાની તપશ્ચયાં માટે એટલા માટે જ આવાં સ્થળોની પસંદગી કરે છે કે પહેલેથી જ તેમાં આત્મતેજ રહેલું હોય છે, કારણ કે આનાથી તેમને બળ પ્રાપ્ત થાય છે અને સાધનાના માર્ગમાં આવતાં વિઘ્નો પોતાની મેળે જ દૂર થઈ જાય છે. આ પરંપરા અનુસાર એવા સ્થાનો ઉપર એક પછી એક એમ અનેક મહાત્માઓનું આત્મતેજ રહેલું હોય છે. ત્યાંની ભૂમિ વાયુ પાણી તથા આકાશની અંદર તે દિવ્ય તેજ રહેલું હોય છે. યુગ-યુગાન્તરોથી અસંખ્ય મહાત્માઓ અને અવતારી પુરુષોનું સુદઢ આત્મતેજ જે સ્થાનમાં સ્થિર થયેલું છે, ત્યાં તત્વદર્શી મનીષીઓ દ્વારા તીર્થોની સ્થાપના થાય છે. ખરેખર તે સ્થાને ‘સિદ્ધપીઠ’ છે. ત્યાંના વાતાવરણમાં સરળતાથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે. તે તત્વોના પ્રભાવથી આધ્યાત્મિક માર્ગના પથિકોને અભૂતપૂર્વ સફળતા મળે છે. જેમ વૃક્ષના છાંયડામાં બેસવાથી બધા જ માણસોને શીતળતાને અનુભવ થાય છે તેવી જ રીતે સિદ્ધપીઠોની છાયામાં પ્રવેશ કરતા જ સુખ-શાંતિ મળે છે અને આપણી તક્લીફો દૂર થાય છે. ક્યારેક તો એવો આશ્ચયજનક લાભ લોકોને મળે છે કે તેને દેવીકૃપા તીર્થમહાત્મ્ય કે પછી પૂર્વજન્મનું ફળ કહેવું તેની જ ખબર પડતી નથી.

એ સાચું છે કે આજે તીર્થોની સ્થિતિ શરમજનક બની ગઈ છે. તીર્થસ્થાનોમાં અનાચાર, વ્યભિચાર, ઠગવૃત્તિ, ધૂર્તતા વગેરેની બોલબાલા વધી ગઈ છે. આ એક વાસ્તવિક્તા છે અને તેને કોઈ ઈન્કાર કરી શકતું નથી. સંસારમાં વ્યાપેલી અનૈતિક્તાથી તીર્થો પણ અળગાં રહી શક્યાં નથી. દરેક ક્ષેત્રમાં રહેલાં દૂષણો તીર્થોમાં પણ ઘૂસી ગયાં છે. ચોર, ઠગ, પાખંડી, ધૂર્ત, બેઈમાન, અપરહરણકારો, વ્યભિચારી, લોભી, નીચ, નિર્લજજ વ્યક્તિઓ ધર્મને અંચળો ઓઢીને આવી પવિત્ર જગ્યાએ રહેવા લાગ્યા છે. હત્યારાઓ. ડાકુ તથા ભયંકર અપરાધીઓ પણ પોતાની સુરક્ષા માટે તથા આજીવિકાની સુવિધા માટે સાધુ બની જાય છે. આ જ પ્રમાણે બ્રાહ્મણત્વ વગરના તથા પુરોહિતના ગુણ ન ધરાવતા હોય એવા માણસો પણ બ્રાહ્મણ બનીને જનતાને લૂંટે છે. સાચા બ્રાહ્મણ અને મહાત્માઓની અછત તથા ધૂર્ત અને ચોરોની સંખ્યા વધી જવાથી આજે તીર્થસ્થળો બદનામ થઈ ગયાં છે. તીર્થસ્થળોને આજે ધૂર્ત, બદમાશ અને ઢોંગીઓનું ઘર માનવામાં આવે છે. વર્તમાન પરિસ્થિતિને જોતાં લોકોની આ માન્યતા સાચી છે. આ બધું હોવા છતાં તીર્થોના અસ્તિત્વને આધાર તેમની ઉપયોગિતા ઉપર રહેલો છે અને તીર્થોનું મહત્વ સંપૂર્ણપણે નષ્ટ થઈ શકે એમ નથી.

ચંદનના વૃક્ષને ઝેરી સાપ વીટળાયેલા હોવાથી તેને ત્યાગ કરવામાં નથી આવતો. કાંટાળી ડાળી ઉપર રહેલું ગુલાબનું ફૂલ નિદનીય નથી હોતું. ગંગા નદીમાં અનેક ગંદી ગટરો ભળે છે, ક્યાં પણ તેનાથી તેનું મહત્વ ઘટી જતું નથી. તેવી રીતે સ્વાર્થી, ધૂર્ત તથા દુષ્ટ લોકોના રહેવાથી તીર્થોનું મહત્વ પણ ઘટી જતું નથી નુકસાન વિકારો ઉત્પન્ન થાય તો તે વિકારોને દૂર કરવા જોઈએ. તે વિકારોથી ગભરાઈને મૂળ વસ્તુને ત્યજી દેવામાં બુદ્ધિમત્તા નથી. જૂઓની બીકથી કોઈ કપડાં ફેકી દેતું નથી કે માથાનું મૂંડન પણ કરાવતું નથી. ખાટલામાં માંકણ હોય તો પણ કોઈ ખાટલામાં સૂવાનું છોડી દેતું નથી. તેથી થોડાક સ્વાર્થીઓની દુષ્ટતાને કારણે તીર્થોની ઉપયોગિતાનું મહત્વ ઓછું આંકી શકાય નહી કારણ કે એમનાથી થતા લાભ એટલા બધા મહાન હોય છે કે આવા તુચ્છ કારણોને લીધે તેમની ઉપેક્ષા કરી શકાય નહી.

તીર્થોમાં જે દૂષણો ઉત્પન્ન થયાં છે તેમને દૂર કરવાં જોઈએ.

(૧) દર્શનીય સ્થળોને સ્વચ્છ, સુંદર અને સ્વાસ્થ્ય પ્રદ બનાવવા જોઈએ.

(૨) ભીડમાં સ્ત્રીઓની છેડતી કરનાર, ખિસ્સા-કાતરુ, અપહરણકારો, ઠગ, પાખંડીઓને પકડવા જોઈએ.

(૩) મંદિરમાં આવનારી રકમનો મોટો ભાગ લોકલ્યાણનાં કાર્યોમાં વાપરવો જોઈએ.

(૪) નિ:સ્વાર્થ, સેવાભાવી, નિર્લોભી, વિદ્વાન, સત્યવક્તા, સદાચારી અને સદ્ભયી બ્રાહ્મણે જોડે સંપર્ક રાખવો જોઈએ.

(૫) દાન આપતી વખતે પાત્ર-કુપાત્રની પૂરેપૂરી ખાતરી કરી લેવી જોઇએ.

(૬) યાત્રીઓને અતિથિ સમજી તેમની સેવા કરવા માટે સમિતિઓ હોવી જોઈએ.

(૭) સત્યવક્તા વિદ્વાન બ્રાહ્મણોએ તીર્થોમાં એવા આશ્રમોની સ્થાપના કરવી જોઈએ કે જ્યાં જિજ્ઞાસુઓને પોતાની આધ્યાત્મિક ભૂખ સંતોષવા સાચું બૌદ્ધિક ભોજન મળી રહે.

(૮) દરેક તીર્થમાં ત્યાંનો પરિચય આપતી ચોપડીઓ સસ્તા ભાવે મળવી જોઈએ. તેમાં ત્યાંના ઐતિહાસિક તથ્યોનું તર્કસંગત વૈજ્ઞાનિક વિશ્લેષણ હોવું જોઇએ. આવાં પુસ્તકોથી લોકશિક્ષણ થઈ શકે છે.

(૯) દેવમંદિરોમાં વેજીટેબલ ધી, વિદેશી વસ્ત્રો, ચરબીયુક્ત મીણબત્તીઓ વગેરે અપવિત્ર પદાર્થોનો ઉપયોગ થવો જોઇએ નહી.

 (૧૦) યાત્રીઓને તીર્થસ્થળ દરેક દ્રષ્ટીએ ઉપયોગી બને તે માટે એવી વ્યવસ્થા કરનારી શાળાઓ અને સંસ્થાઓ ખોલવી જોઈએ.

(૧૧) પગપાળા તીર્થયાત્રા કરનારાઓને પ્રોત્સાહન મળવું જોઈએ.

આ પ્રકારની વ્યવસ્થા અને સુધારો થાય તો તીર્થોનું વાસ્તવિક મહત્વ ફરીથી ઉજજવલ બની શકે. જે દોષો દેખાય છે તેમને દૂર કરીને તીર્થોની ઉપયોગિતાનો આપણે બધાએ લાભ મેળવવો જોઈએ.

BD-1 : શ્રાદ્ધનું રહસ્ય – ૨ | કેટલાક ધાર્મિક પ્રશ્નોનું યોગ્ય સમાધાન

શ્રાદ્ધનું રહસ્ય, કેટલાક ધાર્મિક પ્રશ્નોનું યોગ્ય સમાધાન

શ્રદ્ધા પરથી શ્રાદ્ધ શબ્દ બન્યો છે. શ્રદ્ધાપૂર્વક કરેલા કાર્યને શ્રાદ્ધ કહે છે. સત્કાર્યો માટે, સજજનો તરફ આદર તથા કૃતજ્ઞતાની ભાવના રાખવી તેને શ્રાદ્ધ કહે છે. ઉપકારક અને સારી બાબતો પ્રત્યે આદર પ્રક્ટ કરવો, જેમના દ્વારા આપણને કંઈ લાભ થયો છે તેમના પ્રત્યે કૃતજ્ઞ હોવું એ શ્રદ્ધાળુનું પરમ કર્તવ્ય છે. આવી શ્રદ્ધા હિન્દુ ધર્મની કરોડરજજુ છે. આ શ્રદ્ધાને જો દૂર કરવામાં આવે તો હિન્દુ ધર્મની મહત્તા નાશ પામશે અને તે સત્વહીન બની જશે. શ્રદ્ધા હિન્દુ ધર્મનું એક અંગ છે. માટે શ્રાદ્ધ એ એનું ધાર્મિક કાર્ય છે.

માતા, પિતા અને ગુરુના પ્રયત્નથી બાળકને વિકાસ થાય છે. આ ત્રણને ઉપકાર મનુષ્ય ઉપર સૌથી વધારે છે. આ ઉપકારના બદલામાં આ ત્રણ વ્યક્તિઓ પ્રત્યે અખૂટ શ્રદ્ધા રાખવાનો શાસ્ત્રકારોએ આદેશ આપ્યો છે. “માતા દેવ છે, પિતા દેવ છે, આચાર્ય દેવ છે.” આ પંક્તિઓમાં તેમને મનુષ્ય દેહધારી દેવતા માનવા અને તેમના ઉપર શ્રદ્ધા રાખવા માટે કહ્યું છે. સ્મૃતિકોએ માતાને બ્રહ્મા, પિતાને વિષ્ણુ અને આચાર્યને શિવ માન્યા છે. આ કૃતજ્ઞતાની ભાવના હંમેશાં રહે તેના માટે ગુરુજીને ચરણ સ્પર્શ, તેમને નિત્ય વંદન કરવાનો, રોજનાં ધર્મકાર્યોમાં સમાવેશ કર્યો છે. આ કૃતજ્ઞતાની ભાવના સદૈવ મનમાં રહે તે ખૂબ જ જરૂરી છે. ગુરુજનોને સ્વર્ગવાસ થાય ત્યારે પણ મનુષ્યની આ શ્રદ્ધા રહેવી જોઈએ. માટે જ મૃત્યુ પછી પણ પિતૃઓના મૃત્યુની પુણ્ય તિથિના દિવસે શ્રાદ્ધ કરવાની વિધિ શ્રુતિ-સ્મૃતિ ગ્રંથોમાં જણાવવામાં આવી છે. નિત્ય સંધ્યાની સાથે તર્પણ જોડાયેલું છે. પાણીની એક અંજલિ ભરીને આપણે સ્વર્ગીય પિતૃઓને સમર્પિત કરીએ છીએ. એમનાં નિત્ય ચરણસ્પર્શ કરવાની વિધિ આ રીતે પૂરી થાય છે. જીવિત અને મૃત પિતૃઓ પ્રત્યે કૃતજ્ઞતા પ્રકટ કરવાનું આ ધર્મકાર્ય કોઈને કોઈ રૂપમાં મનુષ્ય પૂરું કરીને એક પ્રકારનો આત્મસંતોષ અનુભવે છે.

આવા વિશેષ પ્રસંગો ઉપર શ્રાદ્ધપર્વમાં આપણે આપણા પૂર્વજો માટે બ્રાહ્મણોને અન્ન, વસ્ત્ર, વાસણ, વગેરેનું દાન કરીએ છીએ અને એવી આશા રાખીએ છીએ કે આ વસ્તુઓ આપણા પૂર્વજોને પ્રાપ્ત થાય. આ સંબંધમાં આજે એક તર્ક ઉપસ્થિત થયો છે કે દાન કરેલી વસ્તુઓ પિતૃઓને પહોંચતી નથી. સ્થળ અને ભૌતિક દ્રષ્ટિકોણથી વિચારતાં આ તર્ક યોગ્ય છે. જે વસ્તુ શ્રાદ્ધમાં દાન કરવામાં આવે છે તે તેની પાસે જ રહે છે કે, જેને તે આપવામાં આવે છે. ખવડાવેલું ભોજન નિમંત્રિત વ્યક્તિના પેટમાં જાય છે. તેમજ અન્ન, વસ્ત્ર વગેરે તેના ઘરમાં જાય છે. આ વાત એટલી સ્પષ્ટ છે કે, તેના માટે કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો જ નથી. જે વ્યક્તિ શ્રાદ્ધ કરે છે તે પણ જાણે છે કે જે વસ્તુઓ દાનમાં આપી છે તે ક્યાંય નથી ગઈ, પણ જેને દાનમાં આપી છે તેના ઘરે ગઈ છે. આવી પ્રત્યક્ષ વાતમાં કોઈ તર્કની આવશ્યક્તા જ નથી.

હવે પ્રશ્ન દાનના ફળના સંબંધમાં છે. જો એમ કહેવામાં આવે કે, દાનના પુણ્યનું ફળ દાન આપનારને જ મળે છે. તો પણ આ દલીલથી શ્રાદ્ધ ઉપયોગી નથી, એવું સિદ્ધ ન થાય. લોભના કારણે દાન વગેરે સત્કર્મો કરવામાં મોટે ભાગે માણસને રુચિ થતી નથી. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને આચાયોએ કેટલાંક પર્વો તથા ઉત્સવો, સ્થળ અને કાળ નિશ્ચિત કર્યો છે અને તે સમયે કે સ્થળે દાન કરવા માટે લોકોને વિશેષ પ્રેરણા આપી છે. આ વિશિષ્ટ પર્વ અને અવસરોના દિવસે કરવાના દાનના વિવિધ પ્રકારો અને તેમનું મહાત્મ્ય વર્ણવવામાં આવ્યું છે. વિવેક બુદ્ધિને અનુસરવા કરતાં રુઢિને અનુસરવાનું વલણ માણસમાં વધુ અંશે જોવા મળે છે. તબિયત સારી ન હોવા છતાં તહેવારના દિવસે રુઢિ-રિવાજને કારણે લોકો મિષ્ટાન બનાવે છે અને ખાય છે. તે જ રીતે નિયત અવસરે અથવા પ્રસંગે લોકોને ઈચ્છા ન હોવા છતાં દાન વગેરે સત્કર્મ કરવાં પડે છે. સત્કર્મ ચાહે સ્વેચ્છાએ કર્યું હોય કે, અનિચ્છાએ અથવા કોઈ વિશેષ હેતુ માટે કર્યું હોય તો પણ ઉત્તમ કર્મોનું ફળ ઉત્તમ જ હોય છે. શ્રાદ્ધ નિમિતે જે દાનધર્મ કરવામાં આવે છે. તેનું ફળ તે સ્વર્ગીય વ્યક્તિને ભલે પ્રાપ્ત ન થતું હોય તો પણ દાન કરનાર વ્યક્તિ માટે તે કલ્યાણકારક છે જ. સત્કર્મ કદાપિ નકામું જતું નથી. શ્રાદ્ધની ઉપયોગિતા એટલા માટે સ્વીકારવી જોઈએ કે શ્રાદ્ધના રિવાજના કારણે અનિચ્છાએ પણ લોકો ધર્મ કાર્ય કરવા વિવશ થાય છે.

શ્રાદ્ધ દ્વારા શ્રદ્ધા જીવિત રહે છે. શ્રદ્ધાને પ્રક્ટ કરવા માટે જે પ્રદર્શન થાય છે, તેને શ્રાદ્ધ કહે છે. જીવિત પિતૃઓ અને ગુરુજનો પ્રત્યે શ્રદ્ધા પ્રક્ટ કરવા માટે એમની અનેક પ્રકારે સેવાપૂજા કરી તેમને સંતુષ્ટ કરવા જોઇએ, પરંતુ સ્વર્ગીય પિતૃઓ પ્રત્યે શ્રદ્ધા પ્રકટ કરવા, પોતાની કૃતજ્ઞતા પ્રક્ટ કરવા કોઈ નિમિત્તનું નિર્માણ કરવું પડે છે. આ નિમિત્ત એ શ્રાદ્ધ છે. સ્વર્ગીય ગુરુજનોનાં કાર્યો-ઉપકારો પ્રત્યે કૃતજ્ઞતા પ્રગટ કરવાથી છૂટી જવાતું નથી. આપણે અવતારો, દેવતાઓ, ઋષિઓ, મહાપુરુષો અને પૂજનીય પૂર્વજોની તિથિઓ ધામધૂમથી ઉજવીએ છીએ, એમના ગુણોનું વર્ણન કરીએ છીએ. એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ અને એમનાં ચરિત્રો અને વિચારોમાંથી પ્રેરણા મેળવીએ છીએ. જો એમ કહેવામાં આવે કે, મૃત્યુ પામેલી વ્યક્તિએ તો બીજી જગ્યાએ જન્મ પણ લઈ લીધો હશે, તો પછી તેમની તિથિ ઊજવવાનો શો અર્થ ? તો આ તર્ક ખોટો છે. મનુષ્ય માટીનું રમકડું નથી કે જે તૂટી જવાથી તેને કચરાના ઢગલામાં તિરસ્કારપૂર્વક ફેંકી દેવામાં આવે. તેમને યશરૂપી દેહ તો યુગો સુધી રહે છે અને તે એટલું જ કામ કરે છે, જેટલું જીવિત શરીર કરે છે. આજે મર્યાદા પુરુષોત્તમ રામ, યોગેશ્વર કૃષ્ણ, પ્રહલાદ, વીર હકીક્તરાય. બંદા વૈરાગી, સત્યવાદી હરિશ્ચંદ્ર, ધ્રુવ. દાનવીર કર્ણ, શિવાજી, રાણાપ્રતાપ, તપસ્વી તિલક, શંકરાચાર્ય, ગૌતમ બુદ્ધ, મહાવીર, નાનક, કબીર વગેરે જીવિત નથી, પરંતુ તેમનો યશોદેહ આજે પણ એટલું જ કામ કરે છે. જેટલું જીવિત શરીર કરતું હતું. કરોડો વ્યક્તિઓને તેમના જીવનમાંથી પ્રેરણા અને પ્રકાશ પ્રાપ્ત થાય છે.

મનુષ્ય ભાવનાપ્રધાન પ્રાણી છે. તે દરેક વસ્તુને વ્યાપારી દ્રષ્ટીકોણથી નથી જોતો. પરંતુ તે લગભગ બધાં જ કાર્યો પોતાની આંતરિક વૃત્તિઓને તૃપ્ત કરવા માટે કરે છે. વૃદ્ધ માણસોની સેવા, બાળકોના ભરણપોષણની તક્લીફ, પીડિતોની સહાયતા, પુણ્ય, પરોપકાર વગેરેમાં વ્યાપારી દ્રષ્ટિએ કોઈ ફાયદો નથી. જો કેવળ વ્યાપારી બુદ્ધિ જ મુખ્ય હોય તો માણસ પોતાનાં ઘરડાં મા-બાપને ખાવાનું શા માટે આપે ? બાળકોનું પાલન પોષણ કરવું, તેમને ભણાવવાં, લગ્ન કરવાં વગેરેની ઝંઝટમાં શા માટે પડે? દીન-દુ:ખીઓની સેવા કરવા સમય અને પૈસા શા માટે ખર્ચે ? જો આવું થાય તો આખી માનવજાતિ પિશાચોની સેના બની જાય, પરંતુ આપણું સૌભાગ્ય છે કે આવું નથી. મનુષ્ય ભાવનાશીલ પ્રાણી છે. તે પ્રત્યક્ષ લાભના બદલે હૃદયની ભાવનાઓ–લાગણીઓને પ્રધાનતા આપે છે. કૃતજ્ઞતા તેની શ્રેષ્ઠ વૃત્તિ છે. તે ભાવના તેમજ લાગણીઓને ફક્ત જીવિતો પ્રત્યે પ્રગટ કરવાથી સંતુષ્ટ નથી થતો. મૃતકોના ઉપકારા માટે શ્રાદ્ધ પણ કરવું પડે છે.

વિશ્વના બધા જ દેશોમાં, બધા ધર્મોમાં બધી જાતિઓમાં કોઈને કોઈ રૂપે મૃતકોનું શ્રાદ્ધ કરવામાં આવે છે. મૃતકોનાં સ્મારકો, કબરો, મકબરાઓ સંસારમાં જોવા મળે છે. પૂર્વજોના નામે નગર મહોલ્લા, સંસ્થાઓ, મકાન, કૂવા, તળાવો, મંદિર વગેરે બનાવી તેમના નામ અને યશને કાયમી સ્થાયી બનાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. એમની સ્મૃતિમાં ઉત્સવો અને પુણ્યતિથિઓનું આયોજન કરવામાં આવે છે. આ અલગ અલગ પ્રકારનાં શ્રાદ્ધ છે “ શું ફાયદો ” વાળો તર્ક માત્ર હિન્દુ શ્રાદ્ધમાં જ નહી, પરંતુ સમસ્ત સંસારની માનવપ્રવૃત્તિને પણ લાગુ પડે છે. સાચી વાત એ છે કે પ્રેમ, ઉપકાર, આત્મીયતા અને મહાનતા માટે મનુષ્ય સ્વભાવથી જ કૃતજ્ઞ હોય છે અને જ્યાં સુધી એ કૃતજ્ઞતાને પ્રક્ટ કરવા પ્રતિ ઉપકાર ન કરે ત્યાં સુધી તેને બેચેની રહ્યા કરે છે. આવી બેચેનીને તે શ્રાદ્ધ દ્વારા દૂર કરે છે. તાજમહાલ શું છે ? એક પત્નીનું એક પતિ દ્વારા કરેલું શ્રાદ્ધ છે. આ શ્રાદ્ધથી તે પતિને ફાયદો થયો તેની ખબર નથી, પરંતુ એટલું ચોક્કસ છે કે આનાથી પતિના અંતરાત્માને ખૂબ જ શાંતિ મળી હશે. 

શાહજહાને તેના પુત્ર ઔરંગઝેબે જેલમાં પૂરીને તે પોતે બાદશાહ બની ગયો હતો. જેલમાં સડતાં સડતાં શાહજહાં જ્યારે મરવા પડ્યો. ત્યારે તેની આંખમાં આંસુ આવી ગયાં. તેણે વિચાર્યું કે “ મારા ઇસ્લામ પરસ્ત પુત્ર કરતાં તો પેલા કાફર (હિન્દુ) સારા છે કે, જે પોતાના મરી પરવારેલા પિતૃઓને (શ્રાદ્ધ અને અંજલિ દ્વારા) તૃપ્ત કરે છે.” શ્રાદ્ધ અને તર્પણનો મૂળ હેતુ આપણી કૃતજ્ઞતા અને આત્મીયતાની સાત્વિક વૃત્તિઓને જાગૃત કરવાનો છે. આ પ્રવૃત્તિઓ જીવિત અને જાગૃત રહે તે જગતની સુખ-શાંતિ માટે અત્યંત આવશ્યક છે. આવી આવશ્યક વૃત્તિઓનું પોષણ કરનાર શ્રાદ્ધ જેવાં અનુષ્ઠાન પણ જરૂરી છે જ.

હિંદુ ધર્મનાં કર્મકાંડનો અડધાં કરતાં પણ વધુ ભાગ શ્રાદ્ધ વિધિથી ભરેલો છે. સૂર્ય, ચન્દ્ર ગ્રહ, નક્ષત્ર, પૃથ્વી, અગ્નિ પાણી, કૂવો. તળાવ, નદી, ખેતર, સ્મશાન, ખળું ભોજન, ઘંટી, ચૂલો, તલવાર, કલમ, ઘરેણાં, રૂપિયા, ઘડાં, પુસ્તક વગેરે નિર્જીવ પદાર્થોની લગ્ન પ્રસંગે અથવા તો કોઈ ખાસ પ્રસંગે પૂજા થાય છે. તુલસી, પીપળો, વડ, આંબલી વગેરે વૃક્ષ તથા ગાય, બળદ, ઘોડા, હાથી, પશુઓ પણ પૂજાય છે. આવી પૂજાથી તે જડ પદાર્થો અને પશુઓને કોઈ લાભ થતો નથી, પરંતુ પૂજા કરનારના “મનમાં શ્રદ્ધા અને કૃતજ્ઞતાનો ભાવ જરૂર પેદા થાય છે. જે જડ-ચેતન પદાર્થોથી આપણને લાભ થાય છે, તેમના પ્રત્યે આપણા મનમાં ઉપકૃત ભાવ હોવો જોઈએ અને તે કોઈને કોઈ રૂપમાં પ્રક્ટ થતો હોવો જોઈએ. આ એક પ્રકારનું શ્રાદ્ધ જ છે. મૃતકો જ નહીં, પરંતુ જીવિત, પરિચિતોનું પણ આપણે શ્રાદ્ધ કરીએ છીએ. આવા શ્રાદ્ધનો આપણાં શાસ્ત્રોમાં ઘણી જગ્યાએ ઉલ્લેખ થયેલો છે.

મૃત વ્યક્તિને શ્રાદ્ધ દ્વારા કંઈ લાભ થાય છે કે નહીં ? આ પ્રશ્નના જવાબમાં કહી શકાય કે હા, તેમને લાભ થાય છે. સંસાર એક સમુદ્ર જેવો છે. તેમાં પાણીના બિંદુની માફક દરેક જીવ હોય છે. વિશ્વ એક શીલા છે, તો માણસ તેને એક પરમાણુ છે. દરેક આત્મા જે આ સૃષ્ટિ ઉપર જીવિત કે મૃત સ્વરૂપે આ વિશ્વમાં હાજર છે તે અન્ય દરેક આત્મા સાથે સંબંધિત છે. દુનિયામાં ક્યાંય પણ જો યુદ્ધ, અનાચાર, અત્યાચાર, થાય છે તો દૂર બીજા દશમાં રહેલા લોકોના મનમાં પણ ઉદ્વેગ ઉત્પન્ન થાય છે. જ્યારે ઉનાળો આવે છે, ત્યારે દરેક વસ્તુનું ઉષ્ણતામાન વધી જાય છે. નાનો યજ્ઞ કરવામાં આવે તો પણ તેની દિવ્ય સુગંધ તથા દિવ્ય ભાવના આખા વિશ્વમાં ફેલાઈ જાય છે. આ જ પ્રમાણે કૃતજ્ઞતાની ભાવના પ્રકટ કરવા માટે કરેલું શ્રાદ્ધ બધાં જ પ્રાણીઓમાં શાંતિ અને સદ્દભાવ પેદા કરે છે. આ સૂક્ષ્મ ભાવની લહેરો પુષ્પની સુગંધની જેમ તૃપ્તિકારક, આનંદદાયક અને ઉલ્લાસવર્ધક હોય છે. સદ્ભાવનાની સુગંધ જીવિત અને મૃત દરેક આત્માને તૃપ્ત કરે છે. આ બધામાં આપણા સ્વર્ગીય પિતૃઓ પણ આવે છે. એમને પણ આ શ્રાદ્ધ યજ્ઞની દિવ્ય લહેરો-આત્મિક શાંતિ અર્પણ કરે છે.

મૃત્યુ પામ્યા પછી જીવ નાશ પામતો નથી. તેનો અંશ કોઈને કોઈ રૂપમાં આ સંસારમાં રહે જ છે. સ્વર્ગ, નરક, ગર્ભ સદેહ-વિદેહે વગેરે કોઈને કોઈ અવસ્થામાં તે આ સંસારમાં રહે છે. એના પ્રત્યે બીજાઓની સદભાવના તથા દુર્ભાવના ખૂબ જ સહેલાઈથી પહોંચે છે. સ્થૂળ વસ્તુઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ ખૂબ જ મુક્લીથી પહોચે છે. જ્યારે સૂક્ષ્મ તત્વોને આ મુશ્કેલી પડતી નથી. તેઓ ખૂબ સહેલાઈથી અહીયાથી ત્યાં પહોંચી શકે છે. હવા, ગરમી, પ્રકાશ, શબ્દ વગેરેને ગમે તેટલો મોટો રસ્તો કાપવામાં પણ મુશ્કેલી નથી પડતી. જયારે વિચાર અને ભાવ તો એનાથી પણ સૂક્ષ્મ છે. જે વ્યક્તિ માટે વિચાર કરવામાં આવે છે ત્યાં તે તરત જ પહોંચી જાય છે. દુખી વ્યક્તિના આત્માને જે દુખ પહોંચે છે તેનો શાપ શબ્દભેદી તીર કે એટમ બોમ્બની જેમ નિશ્ચિત સ્થાને જઈને પડે છે. સેવાથી સંતુષ્ટ ઉપકાર કરાયેલ, અહેસાનમંદ કષ્ટમાંથી બચાવેલી વ્યક્તિના વરદાન, આશીર્વાદ વગેરે પણ એ જ રીતે ઉપકાર કરનાર વ્યક્તિ પાસે પહોંચે છે. કોઈ વ્યક્તિ જીવિત હોય કે મૃત્યુ પામેલી એ જ્યાં રહે છે. ત્યાં લોકોનાં શાપ, વરદાન પહોંચે છે. તેને ખબર હોય કે ન હોય, તો પણ શાપ કે વરદાન તેના માટે સુખ કે દુઃખદાયક પરિણામો પેદા કરે છે. આ જ પ્રમાણે કૃતજ્ઞતા અને શ્રદ્ધાની ભાવના પણ તે વ્યક્તિ પાસે પહોચી જાય છે કે જેના માટે તે મોક્લવામાં આવી હોય. પછી તે વ્યક્તિ ભલેને ગમે તે યોનિ કે અવસ્થામાં હોય. શ્રાદ્ધ કરનારનો પ્રેમ, આત્મીયતા અને કૃતજ્ઞતા, પુણ્યયુક્ત સદ્દભાવના તેના પિતાના આત્મા પાસે પહોંચી જાય છે અને તેને આકસ્મિક અનાયાસ, અધિક સુખ, શાંતિ, પ્રસન્નતા, સ્વસ્થતા અને બળ આપે છે. ઘણી વાર કોઈ વ્યક્તિને અચાનક અકારણ આનંદ અને સંતોષનો અનુભવ થાય છે. ત્યારે સંભવ છે કે તેના પૂર્વજન્મના સંબંધીએ કરેલાં એ પરિણામ હોય.

શ્રદ્ધા-કૃતજ્ઞતા આપણા ધાર્મિક જીવનની કરોડરજજુ છે. જો આ શ્રદ્ધા નીકળી જાય તે બધી જ ધાર્મિક ક્રિયાઓ વ્યર્થ. નીરસ અને પ્રયોજન વગરની બની જાય. જે શ્રદ્ધા ન હોય તો યજ્ઞ કરવો અને ભઠ્ઠી સળગાવવી બંને એક જ છે. દેવોની મૂર્તિઓ અને બાળકેનાં રમકડાંઓમાં, શાસ્ત્રો સાંભળવામાં અને વાર્તા કહેવામાં પ્રવચનો કરવામાં અને ટેપરેકોર્ડર સાંભળવામાં કોઈ ફરક ન રહે. અશ્રદ્ધા એક દાવાનળ છે. અશ્રદ્ધાથી ઇશ્વર, પરલોક કર્મફળ, ધર્મ સદાચાર, દાન, પુણ્ય પરોપકાર, પ્રેમ અને સેવામાંથી વિશ્વાસ ઊઠી જાય છે અને અંતમાં અશ્રદ્ધાળુ વ્યક્તિ ખુદ પોતાની ઉપર પણ અવિશ્વાસ રાખે છે. ભૌતિક્વાદી નાસ્તિક દૃષ્ટિકોણ અને ધાર્મિક આસ્તિક દૈષ્ટિકોણમાં મુખ્ય તફાવત આ જ છે. ભૌતિકવાદી નીરસ, શુષ્ક, ક્ઠોર દષ્ટિકોણવાળો માણસ સ્થળ બુદ્ધિથી વિચારે છે. તે કહે છે કે, પિતા મૃત્યુ પામ્યા હવે મારે અને એમને શું સંબંધ ? જ્યાં હશે ત્યાં પોતાનાં કર્યા ભોગવતા હશે. એમના માટે હું શું કામ દુ:ખી થાઉ ? આનાથી બિલક્લ ઊલટું ધાર્મિક દૃષ્ટિવાળો માણસ સ્વર્ગીય પિતાના અગણિત ઉપકારોને યાદ કરીને કૃતજ્ઞતાના ભારથી નતમસ્તક બની જાય છે. તે ઉપકારમયી, સ્નેહમયી, દેવોપમ સ્વર્ગીય મૂર્તિના નિઃસ્વાર્થ પ્રેમ અને ત્યાગનું સ્મરણ કરતાં એનું હૃદય ભરાઈ જાય છે. એનું હૃદય પોકારે છે “હે સ્વર્ગીય પિતૃઓ, તમે સશરીર અહીયાં નથી, પરંતુ તમારો આત્મા આ લોકમાં ક્યાંક તો છે જ. તમારા ઋણથી દબાયેલો હું બાળક તમારાં ચરણોમાં શ્રદ્ધાની અંજલિ અર્પણ કરું છું” આ ભાવનાથી પ્રેરિત તે બાળક પાણીની એક અંજલિ ભરીને તર્પણ કરે છે.  

તર્પણ કરેલું તે પાણી પિતા પાસે ન પહોંચ્યું પરંતુ ત્યાં જ ક્યાંય પૃથ્વી ઉપર પડીને સુકાઈ ગયું. આ એક સત્ય છે. યજ્ઞમાં આપેલી આહુતિની સામગ્રી ત્યાં જ બળીને ભસ્મ થઈ ગઈ. આ પણ એક સત્ય છે, પરંતુ “આ યજ્ઞ કે તર્પણથી કોઈને કંઈ લાભ ન થયો તે અસત્ય છે. ધાર્મિક કર્મકાંડ સ્થૂળ રીતે તો કાંઈ ખૂબ મહત્વ ધરાવતાં નથી પરંતુ તે બધાની પાછળ જે ભાવનાઓ રહેલી છે તે જ મહત્ત્વની છે. મનુષ્ય ભાવનાશીલ પ્રાણી છે. દૂષિત, તમોગુણી, રાક્ષસ અને શેતાન બની શકે છે અને ઊંચી, સાત્વિક, પવિત્ર, ધર્મયુક્ત ભાવનાઓ ધારણ કરવાથી તે મહાપુરુષ, ઋષિ દેવતા બની જાય છે. આ ભાવનાઓ જ માણસને સુખી, સમૃદ્ધ સ્વસ્થ, સંપન્ન, વૈભવશાળી, યશસ્વી, પરાક્રમી અને મહાન બનાવે છે અને આ ભાવનાઓને કારણે તે દુ:ખી, રોગી, દીન, તિરસ્કૃત અને તુચ્છ બની જાય છે. શારીરિક દ્રષ્ટિએ તો બધા જ લગભગ એકસરખા છે, પણ તેમની વચ્ચે જે જમીન-આસમાનનો ફરક છે તે ભાવનાઓને છે. ધાર્મિક દૈષ્ટિકોણ, સદ્ભાવના, સાત્વિક્તા અને પારમાર્થિક વૃત્તિઓને ઊંચે લાવે છે. ધાર્મિક કર્મકાંડોનું આયોજન આ આધાર ઉપર જ થયું છે. ધર્મ હૃદયનું જ્ઞાન છે. અંતરાત્મામાં રહેલ સદ્ગુણોમાં તરલતા ઉત્પન્ન કરવી એ ધર્મ અને ધાર્મિક કર્મકાંડનું મુખ્ય પ્રયોજન છે. બધા જ કર્મકાંડોની રચનાનો આધાર આ જ છે. સ્થૂળ વ્યાપારિક બુદ્ધિ દ્વારા ધાર્મિક કાર્યો અને ભાવનાઓની ઉપયોગિતા કોઈની સમજમાં આવે કે ન આવે આ દષ્ટિએ તો તેનું અસાધારણ મહત્વ તો છે જ. આ કર્મકાંડ પાછળ થોડેક સમય અને ધન અવશ્ય ખર્ચાય છે, પરંતુ તેના પરિણામ સ્વરૂપ તે પરમ તત્વ પ્રાપ્ત થાય છે જે મનુષ્યના પ્રેરણા કેન્દ્રનું નિર્માણ કરે છે. તેના બાહ્ય અને આાંતર જગતને સુખ-શાંતિથી પૂર્ણ કરે છે.

બ્રાહ્મણત્વ વગરના, વિદ્યા, વિવેક, આચરણ, ત્યાગ અને તપસ્યા વિનાના માણસો શૂદ્રો જેવા છે, પરંતુ વંશપરંપરાને કારણે તે બ્રાહ્મણ કહેવાય છે. તેમને શ્રાદ્ધ કે બીજું કોઈ પણ દાન સ્વીકારવાનો કોઈ અધિકાર નથી. શ્રાદ્ધ નિમિત્તે કરેલું દાન કે ભોજન સાચા બ્રાહ્મણોને આપવું જોઈએ. જે ખરેખર તેના અધિકારી છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે બ્રાહ્મણો અગ્નિમુખ છે. તેમને આપેલું અન્ન દેવતાઓ અને પિતૃઓને પ્રાપ્ત થાય છે. એનાથી વિશ્વનું કલ્યાણ થાય છે, પરંતુ તે સાચા બ્રાહ્મણ હોવા જોઈએ. અગ્નિમુખ. એટલે શું? ત્યાગ, તપસ્યા, વિદ્યા અને વિવેકના યજ્ઞનો અગ્નિ જેના અંત:કરણમાં પ્રજવલિત છે તે હવન સામગ્રી જો અગ્નિના બદલે કીચડમાં નાંખવામાં આવે તો તેનાથી શું જ પુણ્ય મળતું નથી. તેવી જ રીતે અગ્નિમુખ બ્રાહ્મણો સિવાય બીજા કોઈને આપેલું દાન નિરર્થક બને છે. શાસ્ત્રમાં એવું વિધાન છે કે જો કુપાત્રને દાન આપવામાં આવે તો તે દાન આપનાર પણ નરકમાં જાય છે.

શ્રાદ્ધ જીવિત અને મૃત બન્નેનું કરવું જોઇએ. જે લોકોએ કોઈ સારું કાર્ય ક્યું હોય તેને વારંવાર પ્રક્ટ કરવું જોઈએ, કારણ કે આનાથી ઉપકાર કરનારાઓને સંતોષ અને પ્રોત્સાહન મળે છે. તેઓ અન્યને અધિક પ્રેમ કરે છે અને ઘનિષ્ટ બને છે. સાથે સાથે કોઈને અહેસાન સ્વીકારવાથી તેનામાં નમ્રતા અને મધુરતા વધે છે. ઉપકારનો બદલો ચૂક્વવા માટે હંમેશાં તૈયાર રહેવું જોઈએ. જેથી આપણી ઉપર રહેલો ઋણનો બોજો હલકો બને. જે ઉપકારી, પૂજનીય આત્માઓ સ્વર્ગે સિધાવ્યા છે એમના પ્રત્યે આપણે મનમાં કૃતજ્ઞતા રાખવી જોઈએ અને સમય આવ્યે કૃતજ્ઞતા પ્રક્ટ કરવી જોઈએ. પાણીની એક અંજલિ દીપક કે પુષ્પ દ્વારા પણ શ્રાદ્ધ કરી શકાય. શ્રાદ્ધમાં ભાવના મહત્ત્વની છે. શ્રદ્ધા અને ભાવનાનો આપણે ક્યારેય ત્યાગ ન કરવો જોઈએ. જો શ્રદ્ધાની પરંપરા નાશ પામશે તો પિતાને કેદ કરનાર ઔરંગઝેબ જ ચારે બાજુ દેખાવા લાગશે.

BD-1 : આદેશનું બીજું નામ – વિવેક – ૧ | કેટલાક ધાર્મિક પ્રશ્નોનું યોગ્ય સમાધાન

આદેશનું બીજું નામ વિવેક કેટલાક ધાર્મિક પ્રશ્નોનું યોગ્ય સમાધાન

સિદ્ધાંતોનું પરીક્ષણ કરવું જરૂરી છે, કારણ કે ચારે બાજુ પરસ્પર વિરોધી સિદ્ધાંતો જોવા મળે છે. એક બાજુ હિસા, બલિદન અથવા કુરબાનીને કેટલાક ધમોએ સમર્થન આપ્યું છે તો કેટલાક એવા પણ ધર્મો છે, જ્યાં જીવહત્યા તો દૂર રહી, પણ જીવોને દુખ પહોચાડવું એને પણ પાપ સમજવામાં આવે છે. આ જ રીતે ઈશ્વર પરલોક પુનર્જન્મ, અહિંસા, પવિત્ર ધર્મમાંથી અવતાર પૂજાવિધિ, કર્મકાંડ દેવતા વગેરે અનેક વિષયોની બાબતમાં ઘણા મતભેદે પ્રવર્તે છે. સામાજિક ક્ષેત્રે વર્ણભેદુ સ્ત્રીઅધિકાર, શિક્ષણ, રોટીબેટી વગેરે પ્રશ્નોની બાબતમાં અનેક પરસ્પર વિરોધી વિચારોનું બાહુલ્ય જોવા મળે છે. રાજ્ય પ્રણાલીમાં પણ પ્રજાતંત્ર, સામાજ્યવાદ પંજીવાદ, સરમુખત્યારશાહી, સમાજવાદ, સામ્યવાદ વગેરે એકબીજાથી પરસ્પર વિરોધી વિચારધારાઓ પ્રવર્તે છે. ઉપરોક્ત બધા જ પ્રકારની વિચારધારાઓ વારંવાર એકબીજા સાથે ટકરાયા કરે છે. દરેક વિચારધારાના સમર્થકો અને વિરોધીઓ પણ આની સાથે જોડાય છે અને વિશાળ સંખ્યા ઊભી થાય

જ્યારે સિદ્ધાંતોમાં આ પ્રકારના ભયંકર મતભેદો અસ્તિત્વ ધરાવે છે, ત્યારે એક નિષ્પક્ષ જિજ્ઞાસુ માટે–સત્યશોધક માટે તેનું પરીક્ષણ ખૂબ જ જરૂરી છે. જ્યાં સુધી આનો નિર્ણય કરવામાં ન આવે ત્યાં સુધી ક્યો પક્ષ સાચો અને ક્યો ખોટો ? કોની વાત સાચી અને તેની ખોટી ? તે કહેવું ખૂબ જ મુશ્કેલ છે અને જ્યાં સુધી ઉચિત-અનુચિતનો નિર્ણય ન કરી શકાય ત્યાં સુધી સત્ય સુધી પહોંચી શકાતું નથી. પરીક્ષા અને સમીક્ષાના આધાર વિના ઉપયોગી અને બિનઉપયોગીની પરખ કરી શકાય નહી.

“મહાજનો યે ન ગતો સ પન્થા’ ઉક્તિ મુજબ મહાપુરુષો-મોટા માણસોનું અનુસરણ કરવામાં આવે છે અને એ પ્રણાલી પણ છે. સામાન્ય રીતે લોકો સૈદ્ધાંતિક બાબતોમાં માથાકૂટ કરતા નથી. બીજાઓનું અનુકરણ કરવું વધારે સહેલું પડે છે. નાની મોટી વ્યક્તિ, આગળ પડતી વ્યક્તિ જે કહે તેને માની લેવામાં મસ્તિષ્કને વધારે શ્રમ કરવો પડતો નથી અને મોટા ભાગના લોકે આવું જ માનસ ધરાવે છે. પરંતુ આ પ્રણાલિકાથી સત્ય-અસત્યની સમસ્યા ઉકેલાતી નથી કારણ કે જેમને આપણે વડીલ માનીએ છીએ, તેઓ પણ કદાચ ભ્રમમાં રહ્યા હોય અને બીજા લોકો જેને મહાપુરુષ સમજે છે તેમની વાત કદાચ સાચી પણ હોય. જ્યારે કેટલીય વ્યક્તિઓ સમાન વિચારધારા ધરાવનાર મહાપુરુષની વાતને સ્વીકારીને ચાલે છે. એ જ રીતે બીજી વિચારધારા ધરાવનાર કેટલીય વ્યક્તિઓ બીજા મહાપુરુષના કથન મુજબ ચાલે છે અને જયારે આવું ચાલે છે ત્યારે એ કહેવું મુશ્કેલ થઈ જાય છે કે કોની વાત સાચી છે અને કોની ખોટી.

મહાપુરુષો બે રીતે પોતાના વિચારો વ્યક્ત કરતા હોય છે (૧) કલમ દ્વારા (૨) વાણી દ્વારા. વાણી દ્વારા વ્યક્ત કરેલા વિચારો ક્ષણિક હોય છે. આ ક્ષણિક વિચારોને ચિરસ્થાયી કરવા માટે લખીને છાપવામાં આવે છે. વિચારોને વ્યવસ્થિત ક્રમમાં લખીને, છાપીને પ્રગટ કરવામાં આવે છે, ત્યારે તેને પુસ્તક કે ગ્રંથ કહેવામાં આવે છે. જે પુસ્તકોમાં ધાર્મિક અથવા આધ્યાત્મિક વિચારોને ગ્રંથબદ્ધ કરવામાં આવે છે. તેમને શાસ્ત્ર કહેવામાં આવે છે. શાસ્ત્રોને લોકો એક સ્વતંત્ર સત્તાનું સ્થાન આપે છે. જેમ દેવતાઓને એક સ્વતંત્ર સતા સમજવામાં આવે છે, તેમ શાસ્ત્રો પણ સ્વતંત્ર સત્તા બનવા લાગ્યાં છે, પરંતુ વાસ્તવમાં તે સાચું નથી. જેમ મહાપુરુષો ભ્રાન્ત હોઈ શકે છે, તેમ શાસ્ત્રો પણ હોઈ શકે છે. એક શાસ્ત્ર દ્વારા બીજા શાસ્ત્રના મતનું ખંડન કરવું તે એ બતાવે છે કે પ્રાચીનકાળમાં પણ એક જ કક્ષાના મહાપુરુષો આ રીતે એક બીજાનો મતનું ખંડન કરતા. એકબીજાનો વિરોધ કરતા. આજે આપણા નેતાઓ પણ અનેક સમસ્યાઓ વિશે એક્બીજા સાથે મતભેદ ધરાવે છે.

આજે નેતાઓના વિરોધી વિચારો અને મતભેદોમાંથી જે આપણી બુદ્ધિને વધારે યોગ્ય અને વધારે જરૂરી લાગે તેને ગ્રહણ કરીએ છીએ. કોઇક નેતાના મતને આપણે સ્વીકારતા ન હોવા છતાં, તેના પ્રત્યે આદરભાવ રાખીએ છીએ. એ જ રીતે આપણા પ્રાચીન સ્વર્ગીય મહાપુરુષો દ્વારા રચિત ગ્રંથો અને વિચારોની બાબતમાં પણ હોવું જોઈએ. શાસ્ત્રનું આંધળુ અનુકરણ કરવું જોઈએ નહીં, પરંતુ તેના પ્રકાશમાં સત્યને શોધવું જોઈએ. આંધળું અનુકરણ કરવું પણ ન જોઈએ. કારણ કે એક જ શાસ્ત્રમાં કેટલીક વાર બે વિરોધી આદર્શો જોવા મળે છે. આપણાં શાસ્ત્રોમાં જીવતાં પ્રાણીઓને મારીને અગ્નિમાં હોમી દેવાનું વિધાન છે અને જીવમાત્ર પર દયા રાખવાનું પણ વિધાન છે. બંને આદેશ આપણા પવિત્ર ધર્મગ્રંથોમાં આપેલા છે. આ શાસ્ત્રો આપણા માટે ખૂબ જ પવિત્ર અને આદરણીય છે, છતાં આ બને આદેશોમાંથી આજે આપણે આપણી બુદ્ધિને વધારે ઉચિત અને વધુ તર્કસંગત લાગે તેનું જ આચરણ કરીએ છીએ.

હિંદુ ધર્મ કોઈ પણ વ્યક્તિના લખેલા વિચારોને વધારે મહત્વ આપતો નથી, પછી ભલેને તે વ્યક્તિ ગમે તેટલી મોટી સંત, ઋષિ, દેવદૂત કે મહાપુરુષ કેમ ન હોય ! હિંદુ ધર્મમાં સિદ્ધાંતોની સમીક્ષા અને તેના બુદ્ધિ-સંગત અંશોને ગ્રહણ કરવાની પરિપાટીને જ સમર્થન આપવામાં આવે છે. મોટામાં મોટા મહાપુરુષ કે ધર્મગ્રંથ સાથે મતભેદ કરવાની તથા સ્વીકાર–અસ્વીકાર કરવાની સંપૂર્ણ છૂટ છે, પણ કોઇની મહાનતાને હલકી પાડવાની આજ્ઞા નથી. મહાપુરુષો અને પવિત્ર ગ્રંથોનો સંપૂર્ણ આદર કરીને તેમની સંમતિમાંથી બુદ્ધિસંગત વિચારોને ગ્રહણ કરવાનો આદેશ છે. આજ આદેશના આધારે પ્રાચીન સમયમાં સાચા જિજ્ઞાસુઓએ સત્યની શોધ કરી હતી અને આજે પણ એ જ માર્ગ અપનાવવાનો હોય છે.

હિંદુ ધર્મમાં ભગવાન બુદ્ધને ઇશ્વરનો અવતાર માનવામાં આવે છે. દશ અવતારોમાં એમની ગણના થાય છે. એનાથી વધારે ઊંચો બીજે ક્યો આદરસત્કાર હોઈ શકે ? બીજા અવતારોની જેમ જ હિન્દુઓ માટે ભગવાન બુદ્ધ પૂજ્ય છે. એમના મહાન વ્યક્તિત્વ, ત્યાગ, તપ, સંયમ, જ્ઞાન અને સાધના આગળ સહજ રીતે દરેક વ્યક્તિનું મસ્તક ઝૂક્યા વિના રહેતું નથી. એમનાં ચરણોમાં હૃદયના ઊંડાણમાંથી ઊઠેલી, શ્રદ્ધાનાં ચઢાવીને આપણે આપણી જાતને ધન્ય માનીએ છીએ. આટલું હોવા છતાં હિંદુ ધર્મમાં ભગવાન બુદ્ધના વિચારોનો તો વિરોધ જ છે. જગદ્દગુરુ શંકરાચાર્ય તે એમના વિચારોનું પોતાની જાતને હોડમાં મૂકીને પણ ખંડન ક્યું છે. બૌદ્ધ વિચારો તથા તેમના સંપ્રદાયોને કોઈ હિ સ્વીકારવા તૈયાર નથી, છતાં તેમના વ્યક્તિત્વમાં દરેક હિદ ભગવાનનાં દર્શન કરે છે.

મુખ્ય વાત એ છે કે વ્યક્તિત્વ અને સિદ્ધાંત બંને  ભિન્ન બાબતો છે. કોઈ સિદ્ધાંતને અમુક મહાપુરુષે કે અમુક ગ્રંથ ફેલાવ્યો છે માટે તે માન્ય થઈ જતો નથી. એ જ રીતે જોઈ ધૃણિત અથવા વિરોધી વ્યક્તિના કહેવાથી કે તેનો વિરોધ કરવાથી કોઈ સિદ્ધાંત અમાન્ય પણ બની જતો નથી. જે કોઇ ચોર એમ કહે કે  “સાચું બોલવું જોઈએ” તો આ બાબતનો અસ્વીકાર માત્ર એટલા માટે જ ન કરી શકાય કે એવું ચોરે કહ્યું છે. ચોરનું વ્યક્તિત્વ એક બાબત છે અને “સત્ય બોલવાનો” સિદ્ધાંત એ બીજી બાબત છે. આ બંનેને ભેગાં કરવાથી એક મોટો અનર્થ પેદા થશે. જોકે ચોરે સત્ય બોલવાનો સિદ્ધાંત રજૂ કર્યો છે તેથી તે સિદ્ધાંત ખોટો સાબિત થતો નથી. આ જ રીતે કોઇ મોટા મહાત્મા બિનઉપયોગી વાતનો ઉપદેશ આપે તો તે સાચો મનાતો નથી. કોઇ અઘોરી સાધુ માંસાહાર કરે અને ઉગ્ર તપશ્વર્યા પણ કરે, છતાં કોઇ તેમના આચરણનું અનુકરણ કરતું  નથી. ખરેખર વ્યક્તિત્વ અલગ ચીજ છે અને સિદ્ધાંત અલગ ચીજ છે. મહાત્મા  કાર્લમાર્કસ, એજિલ લેનિન વગેરેનું ચરિત્ર ખૂબ જ ઊંચું હતું. તેઓ પોતપોતાના વિષ્યના વિદ્વાન હતા. તેમના ઉજજવળ વ્યક્તિત્વ આગળ દુનિયા માથું ઝુકાવે છે. પણ તેમનો અનિશ્વરવાદી અભિગમ યોગ્ય નથી.

પ્રાચીન સમયમાં પણ આજની જેમ પરસ્પર વિરોધી મતો પ્રચલિત હતા. જેવી રીતે આજે અનેક વિચારધારાઓના મતભેદ ઉપર સૂક્ષ્મ નિરીક્ષણ કરીને પછી તેનામાં રહેલા યોગ્ય તથ્યનો સ્વીકાર કરવામાં આવે છે. આવું પ્રાચીન સમયમાં પણ હતું. આધુનિક મહાપુરુષોના વિચારોમાંથી આપણને જીવનનિર્માણના કાર્યમાં મદદ મળે છે, તેવી જ રીતે પ્રાચીન સમયના સ્વર્ગીય મહાપુરુષોના વિચારો– ધર્મગ્રંથોમાંથી લાભ મેળવવો જોઈએ. પરંતુ કોઈના આંધળા ભક્ત ન બનવું જોઈએ. એ સાચું છે કે પ્રાચીનકાળ અને આજની સ્થિતિમાં ખૂબ જ ફરક પડી ગયો છે. તેથી તે વખતના વિચારો આજે ઉપયોગી ન પણ બને. એ પણ શક્ય છે કે એમણે કઈ બાબતને જે જે દ્રષ્ટિકોણથી જોઇ હોય એ જ બાબતને આજે અન્ય દષ્ટિકોણથી જોવામાં આવતી હોય. પહેલાં એવું માનવામાં આવતું હતું કે ચાતક નામનું પક્ષી સ્વાતિ નક્ષત્રનું જ પાણી પીએ છે. જ્યારે આજે પ્રાણીશાસ્ત્રના સમીક્ષકોએ ક્યું છે, કે ચાતક પક્ષી રોજ પાણી પીએ છે. હંસ મોતી ચરે છે કે દૂધ અને પાણીને અલગ કરે છે આવી બાબતોને આજે અવિશ્વસનીય માનવામાં આવે છે. આ પ્રમાણે બીજી પણ ઘણી બાબતોમાં પ્રાચીન સમયના સિદ્ધાંતો અને આજની શોધોમાં અંતર પડી ગયું છે. આ અંતરોના સંબંધમાં નિરીક્ષક બુદ્ધિથી આપણે કોઈ ચોક્કસ મત નક્કી કરવો પડે છે. આધુનિક કે પ્રાચીન હોવાથી શ્રેષ્ઠ સિદ્ધાંત સાચો કે ખોટે સાબિત થતો નથી. શાસ્ત્રકારોનો મત છે કે જો બાળકનાં વિધાનો પણ યુક્તિપૂર્વકનાં હોય તો તે સ્વીકારવાં જોઈએ. પરંતુ જે સ્વયં બ્રહ્માનાં વચનો યુક્તિપૂર્વકનાં ન હોય તો તેને પણ ઘાસની માફક તુચ્છ ગણી તેને ત્યાગ કરવો જોઈએ.

શાસ્ત્રો અને વિવેક્ના પ્રશ્નોને પણ આપણે આ રીતે જ ઉકેલવા જોઈએ. શાસ્ત્રોની સંખ્યા ખૂબ મોટી છે અને એમાં પસ્પર વિરોધી સિદ્ધાંતોની પર્યાપ્ત સામગ્રી ભરેલી છે. એમાંથી કોને સાચું માનવું અને કોને ખોટું ને આપણે આપણી વિવેકબુદ્ધિથી દેશ, કાળ, આજની પરિસ્થિતિ અને આવશ્યક્તાઓને જોઈને નક્કી કરવાનું છે.

%d bloggers like this: