GG-03 : ગાયત્રી ચિત્રાવલી પરિચય -ભૂમિકા
August 12, 2022 Leave a comment
GG-03 : ગાયત્રી ચિત્રાવલી પરિચય -ભૂમિકા
ગાયત્રીનો મહિમા અપાર છે. તે આ મર્ત્યલોકની કામધેનુ છે. ગતમાં કોઈ દુઃખ એવું નથી કે જે ગાયત્રી માતાની કૃપાથી દૂર ન થઈ શકે. જતમાં કોઈ એવી વસ્તુ નથી કે જે માતાની કૃપાથી પ્રાપ્ત ન થઈ શકે. અમે ગયાં ૧૪ વર્ષ દરમિયાન લગભગ ૨૦૦૦ આર્ય ધર્મગ્રંથોનું અન્વેષણ કર્યું છે. એ ગ્રંથો દ્વારા મોટું રહસ્ય એ મળ્યું છે કે ગાયત્રી કરતાં ચઢિયાતી શક્તિ સાધનાના ક્ષેત્રમાં બીજી કોઈ છે જ નહિ. આ ગાયત્રી જ ચારેય વેદોની માતા છે. ભારતેંય સંસ્કૃતિના સમગ્ર જ્ઞાન અને વિજ્ઞાનની આધારશિલા આ ગાયત્રી જ છે. રા જ્ઞાન ગંગામાં સ્નાન કરનાર આત્માનાં પાપતાપ નષ્ટ થઈ જાય છે.
આજ સુધી અમે ચોવીસ ચોવીસ લાખનાં ચોવીસ પુરશ્ચરણ કર્યા છે. આ તપશ્ચર્યા દ્વારા અમને જે વ્યક્તિગત અનુભવો થયા છે તે દ્વારા અમારી એ માન્યતા દસ થઈ ગઈ છે કે જગતની બધી જ સાંસારિક સંપત્તિઓ કરતાં ગાયત્રી ઉપાસના અધિક કિંમતી છે, એ જ રીતે જે વ્યક્તિઓએ અમારા સંરક્ષણ, સહકાર અને માર્ગદર્શનમાં માતાની આરાધના કરી છે એમના જીવનમાં જે પરિવર્તન થયાં, જે પરિણામો તેમને પ્રાપ્ત થયાં એ જોતાં ણ અમારો એ વાત અંગેની વિશ્વાસ દૃઢ થયો છે કે કદી પણ, કોઈ પણ વ્યક્તિની ગાયત્રી સાધના નિષ્ફળ જતી નથી. આ જમાનામાં આનાથી વધારે ફળદાયક, સરળ, અલ્પશ્રમ દ્વારા જ સાધ્ય અને હાનિરહિત સાધના બીજી કોઈ નથી.
મહામહિમામય સર્વશક્તિમાન ગાયત્રી માતાનું મહત્ત્વ સમજાવવા અને સાધકોને ધ્યાન કરવામાં સહાયતા આપનાર આ પુસ્તકને પ્રગટ કરતાં અમને આશા છે કે આ પુસ્તક દ્વારા ગાયત્રી ઉપાસના કરનારાઓને પ્રેરણા અને મદદ મળી રહેશે. કયા હેતુ માટે માતાનું કયું સ્વરૂપ, કયો વર્ણ, કઈ આકૃતિ, કઈ મુદ્રા, કયું વાહન, કેવા સ્થાનમાં કેવી રીતે ધ્યાન કરવું ? એ બધી વાતોનું રહસ્ય આ ચિત્રોમાં સારી રીતે પ્રગટ કરવામાં આવ્યું છે.
દરેક ચિત્રની સાથે તેના વિષે જરૂરી માહિતી આપતો ચિત્રપરિચય પણ આપવામાં આવ્યો છે. સાધના દરમિયાન આ ચિત્રો પ્રમાણે પણ ધ્યાન કરી શકાય. વળી આ ચિત્રો દ્વારા ગાયત્રી માતાના મહત્ત્વને પણ સરળતાપૂર્વક સમજી લઈ શકાય છે.
અંતમાં અમે કલ્યાણ સ્ટુડીઓના સુપ્રસિદ્ધ ચિત્રકાર શ્રી જગન્નાથજીનો આભાર માનીએ છીએ. એમની કલાપૂર્ણ કલમ દ્વારા આ બહુમૂલ્ય ચિત્રો તૈયાર થયાં છે.
—શ્રીરામ શર્મા આચાર્ય
પ્રતિભાવો