આ પુસ્તક ઇચ્છિત લક્ષ્યને પૂરું કરવા માટે ખૂબ જ ઉપયોગી તથા સહાયરૂપ નીવડશે એવો વિશ્વાસ છે . નવા તથા જૂના તમામ સાધકો ઉજ્જવળ ભવિષ્યની રચના માટે તથા પોતાના વ્યક્તિત્વના વિકાસ માટે યોગ્ય લાભ ઉઠાવી શકે છે .
મહાકાળની સેવા (અધઃપતનનું નિવારણ) (૧) આજનો યુગ મુશ્કેલીઓ, પીડાઓ અને તણાવનો યુગ છે. વ્યક્તિ અને સંપ્રદાયથી લઈને સમગ્ર વિશ્વના દેશો અંદરોઅંદર લડી રહ્યા છે. આ બધી મુશ્કેલીઓ, પીડાઓ અને અભાવનાં જુદાંજુદાં કારણો ગણાવી શકાય, પરંતુ આ બધાં કારણોનું એક મૂળ કારણ પણ છે. યુગનિર્માણ મિશનના સ્થાપક વેદમૂર્તિ તપોનિષ્ઠ પં.શ્રીરામ શર્મા આચાર્યજીએ તેનું મૂળ કારણ ‘અજ્ઞાન’ કહ્યું છે. (૨) કયું અજ્ઞાન ? એ અજ્ઞાન કે લોકો જાણતા જ નથી કે તેમને આ માનવજીવન શા માટે મળ્યું છે. લોકો તેને જાણતા નથી એટલે એને અનુરૂપ જીવન જીવતા નથી, પશુવૃત્તિઓવાળું જીવન જીવે છે. બધું જ મારા માટે, સૌથી પહેલાં મારા માટે, બીજાની ચિંતા ન કરો. જે કોઈ ઉપાયથી મળે તેનાથી પ્રાપ્ત કરો, આગળ શું થશે એ ન વિચારો. આવી નીતિથી મનુષ્ય જીવન જીવી રહ્યો છે. આ ભૂલનું કારણ અજ્ઞાન છે. બધાં દુખો તથા ઊણપના મૂળમાં અજ્ઞાનતા જ છે. જ્યાં સુધી આ અજ્ઞાનતા જળવાઈ રહેશે ત્યાં સુધી મુશ્કેલીઓ, પીડા અને અભાવ ઓછાં નહિ થાય. (૩) તો શું કરીએ ? છેલ્લાં ૬૦ વર્ષથી પૂજ્ય ગુરુદેવ પોતાની કલમ, વાણી અને કાર્યો દ્વારા લોકોને આ પ્રશ્નનો જ જવાબ બતાવતા અને સમજાવતા રહ્યા છે કે સદ્બુદ્ધિથી, સામૂહિકતાની ભાવનાથી અજ્ઞાન મરશે અને અજ્ઞાનથી ઉત્પન્ન થયેલી આસુરી વૃત્તિઓ અને આસુરી કર્મો જ્ઞાનની અસંખ્ય જ્વાળાઓથી બળી જશે. એટલા માટે લોકોના મનમાં આ જ્વાળાને પ્રગટાવો. હે પ્રજ્ઞાનાં સંતાનો, જ્ઞાનનો યજ્ઞ કરો.’ (૪) આ યુગના અધિપતિ ભગવાન મહાકાળ છે. તેમના નિર્દેશથી જ અજ્ઞાની મનુષ્ય દ્વારા સર્જવામાં આવેલી વિનાશની પરિસ્થિતિઓનો ધ્વંસ થઈ રહ્યો છે. એટલા માટે જ્ઞાનયજ્ઞ મહાકાળની સેવા છે. આથી પોતાની સંપૂર્ણ શક્તિ વાપરીને જ્ઞાનયજ્ઞ કરો અને મહાકાળના આશીર્વાદ તથા રક્ષણ પ્રાપ્ત કરો.
આ પુસ્તક ઇચ્છિત લક્ષ્યને પૂરું કરવા માટે ખૂબ જ ઉપયોગી તથા સહાયરૂપ નીવડશે એવો વિશ્વાસ છે . નવા તથા જૂના તમામ સાધકો ઉજ્જવળ ભવિષ્યની રચના માટે તથા પોતાના વ્યક્તિત્વના વિકાસ માટે યોગ્ય લાભ ઉઠાવી શકે છે .
ઉપવાસ અને બ્રહ્મચર્યના સંયમના લાભ (૧) પાચનક્રિયા સુધરે છે, શરીર શુદ્ધ રહે છે અને મન શાંત રહે છે. (૨) મોટી ઉંમરે પણ વ્યક્તિ તંદુરસ્ત અને વૃદ્ધાવસ્થાથી દૂર રહે છે. (૩) તન અને મનની શક્તિઓની ભયાનક બરબાદીથી રક્ષણ મળે છે. (૪) તન ઓજસ્વી તથા મન તેજસ્વી બને છે. (૫) મનની ચંચળતા દૂર થાય છે, જેથી પ્રભાવશાળી રીતે ધ્યાન થઈ શકે છે. (૬) વ્યક્તિગત જીવનમાં કર્મ પ્રત્યે નિષ્ઠા અને સામાજિક જીવનમાં સેવાની ભાવના વધે છે. ૪.(૨) વિચારસંયમ (૧) આપણી દરેક પ્રવૃત્તિ કોઈ વિચાર દ્વારા જન્મ લે છે. મનમાં જેવા વિચારો આવે છે એવું જ કર્મ આપણે કરીએ છીએ અને આપણે દરરોજ જેવાં કર્મો કરીશું એવો જ આપણો સ્વભાવ અને સંસ્કાર બનતા જશે. આ આપણા સંસ્કારો જ જીવાત્માને યા તો સ્વર્ગના દિવ્ય પ્રકાશમાં પહોંચાડે છે કે પછી નરકના ગાઢ અંધકારમાં નાખે છે. આપણા વિચારો જ આપણું ભાગ્ય લખે છે. ઈશ્વરની આ સનાતન વ્યવસ્થા છે. (૨) દેવતાઓના ચિત્રમાં મસ્તકની પાછળ હંમેશાં શ્વેત રંગના પ્રકાશનું ચક્ર દર્શાવવામાં આવે છે. એ તેમના તેજને પ્રગટ કરે છે. દરેક મનુષ્યના મસ્તકની પાછળ પણ આ પ્રકારનું ચક્ર હોય છે. આ ચક્ર આપણા મનના તેજને દર્શાવે છે. જો આપણા વિચારો ગંદા હશે તો આપણું ચક્ર પણ ધૂંધળું અને મેલા રંગનું બની જશે. જેમ જેમ આપણે શુદ્ધ બનતા જઈશું તેમ તેમ ચક્ર પણ શ્વેત બનતું જશે તથા એના અનુસાર આપણું ભાગ્ય પણ શ્વેત બનતું જશે.
(૩) એટલા માટે ઋષિઓ તથા મહાપુરુષોએ વિચારો પર સંયમ રાખવા અંગે ખાસ ભાર મૂક્યો છે. વિચારોને હંમેશાં સ્વચ્છ રાખવાને પુણ્યકાર્ય કહ્યું છે. આથી હે સાધકો, (૧) દરરોજ સ્વાધ્યાય તથા શ્રેષ્ઠ વ્યક્તિઓ સાથે સત્સંગ દ્વારા શ્રેષ્ઠ પ્રેરણાઓ પ્રાપ્ત કરતા રહો. (૨) મનમાં હંમેશાં શ્રેષ્ઠ વિચારો રાખો અને મનનું તેજ વધારો. વિચારસંયમના લાભ – (૧) ધીરે ધીરે વિવેક જાગવા લાગે છે અને મનમાં તેજસ્વિતા આવતી જાય છે. (૨) વ્યવહારમાં શાલીનતા આવે છે, તેથી સામાજિક પ્રતિષ્ઠા પણ વધે છે. ૪.(૩) અર્થસંયમ (૧) મુંડન તથા લગ્ન પ્રસંગે થતી ધામધૂમ, મૃત્યુભોજન માટે વિશાળ પ્રમાણમાં થતું આયોજન અને તેના કારણે બિનજરૂરી વસ્તુઓની આડેધડ ખરીદી વગેરે ખોટા ખર્ચાઓ પાછળ માત્ર બે પ્રેરણાઓ કામ કરે છે – અત્યંત નુકસાનકારક રાજાશાહી પ્રથાની નકલ તથા પોતે અત્યંત ધનવાન છે એવું જગજાહેર કરવાની ઇચ્છા.
આ પ્રથાઓ તથા ઇચ્છાઓ નુકસાનકારક હોવા છતાં ફક્ત એટલા માટે સતત ચાલતી રહે છે કે એકને એવું કરતાં જોઈ બીજી વ્યક્તિ પણ એવું કરવા લાગે છે. ક્યારેક મજબૂરીથી, તો ક્યારેક હરીફાઈની ભાવનાથી. જો એક જણ તે બંધ કરી દે તો બીજાને પણ બંધ કરી દેવાનો ઉત્સાહ જાગૃત થશે. (૨) આપ આપના ઘરમાં વડીલ છો. આપનો ફેંસલો જ અંતિમ ફેંસલો છે. એટલા માટે સૌથી પહેલાં આપ સાહસ કરો. આપના કુટુંબમાં જ્યારે પણ મુંડન તથા લગ્નનો પ્રસંગ આવે ત્યારે આ ધાર્મિક કાર્યને સાદગીપૂર્ણ રીતે કરવાની જાહેરાત કરી દો. શાંત મનથી પરંતુ દઢ ચિત્તથી જાહેરાત કરો. કુટુંબવાળાઓ તેની ટીકાઓ શરૂ કરશે, પરંતુ તેની ઉપર ધ્યાન ન આપો કે ન કોઈ વિવાદ ખડો કરો. શાંત ન્ તથા મજબૂત મનથી ટકી રહો. થોડા સમયમાં તેઓ શાંત થઈ જશે. એ ચોક્કસ છે કે એવો નિર્ણય કરવાથી સમાજ આપની નિંદા નહિ કરે કારણ કે તે બરબાદીના બોજથી ત્રાસેલો છે. એ પણ ચોક્કસ છે કે આપના દ્વારા શરૂ કરવામાં આવેલી આ નવી તથા ઉપયોગી પરંપરા દ્વારા બીજા પણ કેટલાક લોકોને પ્રેરણા મળશે. તેઓ પણ આપની જેમ સાહસ કરશે. આ રીતે સદીઓથી ચાલી આવેલી ખોટા ખર્ચાવાળી નુકસાનકારક પ્રથાઓ ધીરે ધીરે લુપ્ત થતી જશે. આપનું આ પ્રકારનું સાહસ સમાજ માટે પથદર્શક બની જશે (૩) ખોટા ખર્ચાઓથી બચવું તે કંજૂસાઈ નથી. કંજૂસાઈ પણ ખોટા ખર્ચાઓ જેટલી જ નુકસાનકારક છે. નકામી બરબાદીમાંથી બચેલા ધનનો એક ભાગ ઉદારતાપૂર્વક અને નિયમિત રૂપે સેવાના કાર્યોમાં અને સત્કર્મોમાં ખર્ચતા રહો. આપની આ ઉદારતા સમાજ અને ધર્મ માટે જેટલી કલ્યાણકારી અને પ્રેરણાદાયક બનશે તેનાથી અનેકગણી વધારે આપની આધ્યાત્મિક પ્રગતિમાં સહાયક સાબિત થશે. જો વ્યસન, ફેશન, દુર્વ્યય વગેરેમાંથી ધન બચાવીને અર્થસંયમની સાધનાની ટેવ પાડવામાં આવે તો કુટુંબનાં તથા સમાજનાં શ્રેષ્ઠ કાર્યો માટે પૂરતા પ્રમાણમાં આર્થિક સાધનો એકઠાં થવા લાગશે. ૪.(૪) સમયસંયમ (૧) ઈશ્વરે મનુષ્યને સમય અને વિવેકરૂપી બે સૌથી મોટી સંપત્તિ આપીને પૃથ્વી પર મોકલ્યો છે, જેનાથી તે આ સર્વશ્રેષ્ઠ મનુષ્યયોનિનાં કરવા યોગ્ય કાર્યોને સમયમર્યાદાની અંદર પૂરાં કરીને પાછો ફરે. પરંતુ જો આપણે આખો દિવસ કરેલાં કાર્યોની ઈમાનદારીપૂર્વક સમીક્ષા કરીએ, તો આપણને આશ્ચર્ય થશે કે વિવેકને છોડીને આપણે વ્યર્થ કાર્યોમાં અથવા આળસપ્રમાદમાં ખૂબ સમય ગુમાવી દઈએ છીએ. ઈશ્વરે આપેલી આ બે મોટી સંપત્તિઓનો આપણે એવો સદુપયોગ કરી રહ્યા નથી કે જેની આપણી પાસે આશા રાખવામાં આવી હતી. (૨) મનુષ્યનું આયુષ્ય ખૂબ લાંબું હોતું નથી. જીવવા માટે તેને માત્ર ૬૦થી ૭૦ વર્ષનો નાનકડો સમય મળ્યો છે. એટલા સમયમાં જ પોતાના વિચારો, કર્મ અને સંસ્કારોને સુધારવાના અને સ્વચ્છ કરી લેવાના છે. જીવાત્માની સદ્ગતિ માટે સદ્ભાવોની પૂરતી પૂંજી કમાઈ લેવાની છે. સદ્ભાવોને શ્રેષ્ઠ કાર્યોમાં ઢાળી દુખી, અશક્ત તથા રસ્તો ભૂલી ગયેલા લોકોની સેવા પણ કરી લેવાની છે. એટલા માટે સમયને સાધી લેવો જરૂરી છે. (૩) વહી ગયેલો સમય ફરી મળતો નથી. એટલા માટે જે લોકો મળેલા સમયનું મહત્ત્વ સમજે છે તેઓ ૬૦-૭૦ વર્ષના ટૂંકા જીવન દરમિયાન એટલું બધું કામ કરી જાય છે કે જે અનેક લોકો ભેગા મળીને પણ કરી શકતા નથી. આઘશંકરાચાર્ય અને શ્રીરામ શર્મા આચાર્યજી તેનું પ્રત્યક્ષ ઉદાહરણ છે. જીવનનો અર્થ છે સમય. જેઓ જીવનને પ્રેમ કરતા હોય તેમણે આળસમાં સમય ન ગુમાવવો જોઈએ, કારણ કે આળસથી વધુ ઘાતકી અને વધારે નજીકનો શત્રુ બીજો કોઈ નથી. સમયનો સાચો ઉપયોગ કરો. બિનજરૂરી કાર્યોમાંથી બચાવવામાં આવેલા સમયનું શું કરીએ ? તેને તાત્કાલિક ઉપયોગી કાર્યોમાં ખર્ચી દો, નહિ તો બેકાર ચાલ્યો જશે. એટલા માટે તેને સ્વાધ્યાય દ્વારા શ્રેષ્ઠ વિચારોનો સંગ્રહ કરવામાં, સદ્ગુણોનો અભ્યાસ કરવામાં અને સેવા તથા શ્રેષ્ઠ કાર્યોમાં ગાળો એમાં જ બુદ્ધિમત્તા છે. ૫. સેવા (૧) ‘પરહિત સરિસ ધરમ નહિ ભાઈ.’ મુશ્કેલીઓ, પીડા તથા અસમર્થતાથી ભરેલું જીવન જીવી રહેલી વ્યક્તિઓના દુખનું નિવારણ કરવાની અને મનુષ્યના માનસિક તથા બૌદ્ધિક પતનનું નિવારણ કરવાની સેવાનું વ્રત લેવું તે ધર્મનું સૌથી ઊંચું સ્વરૂપ છે. (૨) માનવજીવન ધારણ કરવાનો આ જ ઉદ્દેશ છે. મનુષ્ય ઈશ્વરની દિવ્યતાને ઓળખે અને પોતાની લઘુતાનો સ્વીકાર કરે. ઈશ્વરની ઇચ્છાને સમજે અને નમ્ર બની આ સેવાવ્રતને ધારણ કરે. પોતાના સામર્થ્ય દ્વારા દીનદુખીઓની પીડા દૂર કરે અને રસ્તો ભૂલેલાને જીવન જીવવાનો સાચો રસ્તો ચીંધે એવી સેવા મોક્ષનું દ્વાર છે. (૩) પ્રભુનો સેવક એ છે કે જે સેવા કરવાનો અહંકાર કરતો નથી અને સેવાની આડમાં સ્વાર્થ સાધતો નથી. એ જ વાસ્તવિક સેવા છે. ધર્મનું વ્યાવહારિક રૂપ સેવા છે નીચે જણાવેલ ચાર પ્રકારની સેવાના ધર્મનો નિર્વાહ કરો – ૫.(૧) દેવમંદિરોની સેવા(સાધનોનો સદુપયોગ) (૧) પોતાનો હોદ્દો તથા પ્રતિષ્ઠાના કારણે દેવમંદિરોની સેવા કરવામાં શરમનો અનુભવ ક્યારે પણ ન કરો. આપ ગમે તેટલા ઉચ્ચ સ્તરના કેમ ન હો, પરંતુ ભગવાન કરતાં તો નાના જ રહેશો. એટલા માટે આનંદપૂર્વક સેવા કરો અને સેવા કર્યા પછી સંતોષ અનુભવો, તો જ માનો કે આપે સેવા કરી છે. (૨) “ભગવાન મારી માતા છે અને પિતા પણ છે” આ પ્રકારનો શ્રદ્ધાભાવ હોવો જોઈએ. ‘શ્રેષ્ઠ સંતાનો માતૃભક્ત અને પિતૃભક્ત હોય છે.’ આવી આત્મીયતાનો ભાવ હોવો જોઈએ. આવી શ્રદ્ધા અને આત્મીયતા સાથે દેવમંદિરોની સેવા કરો. આ સાચી સેવા છે. આવી સેવા જ ભગવાન સ્વીકારે છે.
(૩) સાચી સેવાનાં શ્રેષ્ઠ પરિણામો તરત જ જોવા મળે છે. ભક્તિનું સાચું સ્વરૂપ સમજમાં આવવા લાગે છે. સાચી આસ્તિકતાનો વિકાસ થાય છે, અહંકાર તૂટે છે અને સૌના પ્રત્યે સમતાનો ભાવ જાગે છે. (૪) દેવમંદિરોની સેવા ક્યારે કરીએ ? (૧) આપ જયારે પણ દેવદર્શન કરવા માટે જાઓ ત્યારે કરો. જાતે શોધો કે એ સમયે કઈ સેવા કરી શકાય. (૨) દેવમંદિરોમાં તહેવારની ઊજવણી કરવા માટે અથવા ‘જન જાગૃતિ’ સંબંધી પ્રવૃત્તિઓ ચાલી રહી હોય ત્યારે ખાસ સહકાર આપો. ૫.(૨) માનવસેવા (દુખનિવારણ) (૧) માનવશરીર પણ ભગવાનનું મંદિર છે. એટલા માટે દેવાલયની સેવાની જેમ જ શ્રદ્ધા અને આત્મીયતાની સાથે દુખી અને અશક્ત લોકોની સેવા કરવી જોઈએ. ભગવાને મનુષ્યને સેવાનું જ કર્તવ્ય સોંપ્યું છે. કરુણા તથા ઉદારતા જેવી ઉચ્ચકોટિની ભાવનાઓ સાથે જ્યારે હૃદયમાં સેવાનો ભાવ જાગે છે અને સેવા કરવામાં આવે છે ત્યારે સાધકને ઈશ્વરના સામીપ્યનો અનુભવ થાય છે. પરાઈ વ્યક્તિઓની પીડા જાણનાર તથા સમજનાર જ વૈષ્ણવજન છે, સાચો ભક્ત છે, ભગવાનને પ્રિય છે. ભગવાનની કરુણા અને ઉદારતા એ જ મેળવી શકે છે, જે સ્વયં એવી કરુણા તથા ઉદારતા સાથે દુખી અને અશક્ત વ્યક્તિઓની સેવા કરે છે. આ ઈશ્વરની વ્યવસ્થાને જાણવી જોઈએ અને પોતાના સામર્થ્ય અનુસાર સેવા કરવી જોઈએ, દુખોનું નિવારણ કરવું જોઈએ. (૨) એટલા માટે અહંકાર રાખી ખિજાઈને સેવાનો ઢોંગ ક્યારેય પણ ન કરો. એ પાપ છે અને બિલકુલ અયોગ્ય છે. (૩) જ્યારે પણ સેવા કરો અને જેટલી પણ કરો, તે સહૃદયતાપૂર્વક અને નમ્રતાના ભાવથી કરો. કોઈ કારણસર ન કરી શકો, તો ધીરેથી બોલીને અશક્તિ દર્શાવી દો.
૫.(૩) (૧) મદ્રાસમાં સ્વામી વિવેકાનંદજીએ આપેલા પ્રવચનનો ટૂંક સાર અહીં આપવામાં આવ્યો છે તેની ઉપર ધ્યાન આપો – ‘‘આ પૃથ્વી પર માત્ર ભારત જ કર્મભૂમિ છે. અહીં સેવા, સહકાર અને સત્કર્મ કરી મનુષ્ય ઉચ્ચ દેવયોનિ અથવા મોક્ષ તરફ આગળ વધી શકે છે. બાકીના દેશો ભોગની ભૂમિ છે. એટલા માટે જેમને મોક્ષ તરફ આગળ વધવું હોય તેમણે સારા સંસ્કારોનો વિકાસ કરી પ્રથમ ભારતમાં જન્મ લેવો જોઈએ. ભારત દિવ્ય ભૂમિ છે માટે તેને આ સંસ્કૃતિ સાથે એકરસ થવું પડશે. મોક્ષનો માર્ગ ભારત થઈને જાય છે. એના સિવાય બીજો કોઈ માર્ગ નથી.’’ સિદ્ધપુરુષ સ્વામી વિવેકાનંદજીની વાણી વિશ્વાસ કરવા પાત્ર છે. એટલે એની ઉપર શંકા કરવાનું કોઈ કારણ નથી. તેમના આ રહસ્યોદ્ઘાટનથી આપણને ભારતની મહાનતાનું જ્ઞાન થાય છે. (૨) આ ભારતભૂમિ અન્ય દેશોથી ભિન્ન છે. કોઈ પણ દેશ પાસે ત્યાગમય, સર્વનું કલ્યાણ કરનારી સંસ્કૃતિ નથી, કોઈની પાસે સિદ્ધો યોગીઓનો આશ્રયદાતા અને દેવસંસ્કૃતિજનક દિવ્યઆત્મા એવો હિમાલય નથી, કોઈપણ દેશ પાસે ક્યારેય પણ ખરાબ ન થતા જળથી છલોછલ ભરાયેલી અને ત્રિલોકને પાવન કરનારી ગંગા નથી. કોઈપણ દેશ પાસે શરીરબળ અને મનોબળથી છલકાતા તથા માતૃભૂમિના રક્ષણ માટે શહીદ થવા માટે આતુર સૈનિકો, યુવકો અને યુવતીઓ નથી. દેશ, ધર્મ અને સંસ્કૃતિની નિઃસ્વાર્થભાવે સેવા કરવા માટે માત્ર ભારતે જ પોતાનાં ઘરબાર તથા સગવડતાઓ છોડી ગામડે ગામડે અને શહેરોની ગલીઓમાં કામ કરતા અસંખ્ય સમાજસેવકો ઉપજાવ્યા છે. આપણી આ માતૃભૂમિ, વિજ્ઞાન, યોગ, શિલ્પ, ગણિત અને સૃષ્ટિના જ્ઞાનની જન્મદાત્રી દિવ્યભૂમિ છે. (૩) આપણે ભાગ્યશાળી છીએ કારણ કે આ દિવ્યભૂમિ પર આપણે જન્મ લીધો છે, પરંતુ માત્ર જન્મ લેવો જ પૂરતો નથી. સેવા, સહકાર અને સત્કર્મની શરત પૂરી કરવાની બાકી છે. અહીં જન્મ લઈને આ કર્મોથી મોઢું છુપાવતા રહીએ તો એનાથી વધારે મોટી દુર્બુદ્ધિ અને દુર્ભાગ્ય બીજું કયું હોઈ શકે ? ઉચ્ચ દેવયોનિ મેળવવા અથવા મોક્ષ પ્રાપ્ત કરવા માટે હાથમાં આવેલો અવસર એમ જ ગુમાવી દેવો આપણા માટે શું યોગ્ય છે ? (૪) આજે આપણી સંસ્કૃતિ અને જન્મભૂમિ પર ચારેબાજુથી આક્રમણો થઈ રહ્યાં છે. આર્થિક સ્વતંત્રતા, અખંડતા અને સીમાડાઓ ઉપર હુમલાઓ કરવામાં આવી રહ્યા છે. તૃષ્ણા અને વાસનાને ભડકાવનારી પશ્ચિમની ચમકદાર રાક્ષસી સંસ્કૃતિ અજગરની જેમ મોઢું ફાડીને ત્યાગવૃત્તિવાળી દેવસંસ્કૃતિને ગળી રહી છે. બહારથી તો આક્રમણો થઈ રહ્યાં છે, સાથેસાથે ઘરની અંદર પણ માતૃભૂમિના ગૌરવને દેશદ્રોહીઓ અને સંસ્કૃતિદ્રોહીઓ નીચે પટકી રહ્યા છે. હોદ્દો, સત્તા અને ધન મેળવવાનો લોભ સુરસાની જેમ વધતો જાય છે. કર્તવ્યો પ્રત્યે ઉપેક્ષા અને આળસ આપણા સ્વભાવમાં વણાઈ ગયાં છે. આપણે ભૂલતા જઈએ છીએ કે આ દિવ્ય ભારત આપણી માતૃભૂમિ છે. આપણે ભારતવાસી છીએ, આપણી પોતાની એક સંસ્કૃતિ છે. આ માતૃભૂમિ પ્રત્યે તેનાં બાળકોની પણ કંઈક ફરજ છે. બીજા દેશો આપણી આ માતાને ચૂંથે, નુકસાન પહોંચાડે તો શું ક્રોધ ન આવે ? આપણી માને અગર કોઈ સંસ્કૃતિહીન, વસ્ત્રહીન કરવા લાગે તો શું શરમ ન આવે ? તો ક્યારે આવશે આ ક્રોધ અને આ શરમ ? ભારતમાં મળેલો આ જન્મ અને આ સમય ખૂબ કીમતી છે. યુગપરિવર્તન બિલકુલ નજીક આવી પહોંચ્યું છે. તેથી આ શરીર અને સમય રહેતાં આપણે ચેતી જઈએ તો સારું છે. માતૃભૂમિ અને દેવસંસ્કૃતિની નિઃસ્વાર્થ ભાવે સેવા કરીને ઉચ્ચ દેવયોનિ અને મોક્ષ તરફ આવો, આપણે ડગ માંડીએ.
આ પુસ્તક ઇચ્છિત લક્ષ્યને પૂરું કરવા માટે ખૂબ જ ઉપયોગી તથા સહાયરૂપ નીવડશે એવો વિશ્વાસ છે . નવા તથા જૂના તમામ સાધકો ઉજ્જવળ ભવિષ્યની રચના માટે તથા પોતાના વ્યક્તિત્વના વિકાસ માટે યોગ્ય લાભ ઉઠાવી શકે છે . સ્વાધ્યાય ૧. ‘સ્વાધ્યાય’ શું છે ? (૧) “શ્રેષ્ઠ સાહિત્યના અધ્યયન, મનન તથા ચિંતનને સ્વાધ્યાય કહે છે.” (૨) “પોતાના વિચારોમાં, વ્યવહારમાં, સ્વભાવમાં કયા કયા દોષો છે ? કયા કયા ગુણો છે ? પોતાના મનનાં પડળો ખોલીને આ દોષદુર્ગુણો અને ગુણોને નિષ્પક્ષ દૃષ્ટિએ જોવા એને પણ સ્વાધ્યાય કહે છે.” ૨. સ્વાધ્યાયનું મહત્ત્વ – જેઓ આત્માની ઉન્નતિની સાચી ઇચ્છા રાખે છે તેમણે નિયમિતરૂપે સ્વાધ્યાય કરવો જોઈએ . સ્વાધ્યાય કરવાથી જ પોતાની જાતનો સુધાર કરવાની ઇચ્છા જાગે છે. દરરોજ પોતાના મનને શ્રેષ્ઠ વિચારોમાં જોડેલું રાખવાથી પોતાની અંદર સૂતેલી શક્તિઓને જાણવાનો, જગાડવાનો તથા ઉપયોગ કરવાનો સંકલ્પ જાગે છે. શ્રેષ્ઠ કાર્યો કરવાની પ્રેરણા મળે છે. પોતાના મનને એક જ કાર્યમાં, સ્વાધ્યાયમાં લગાડી રાખવાથી એકાગ્રતા વધે છે. આથી જપ તથા ધ્યાન કરવામાં પણ પ્રગતિ થવા લાગે છે. એટલા માટે દરરોજ સ્વાધ્યાય કરતા રહો.
૩. સ્વાધ્યાય-ચિંતન કરો –
(૧) જે સારા સાહિત્યનું વાંચન કરો તેને સમજો અને તેને સમજીને જ વાંચન કરો. જે વાત સમજમાં ન આવે તેને વારંવાર વાંચો અને તે સારી રીતે સમજાઈ જાય ત્યાં સુધી વાંચતા રહો . ત્યારે જ આપ તેનો સદુપયોગ કરી શકશો. વાંચન કરવાની ગતિ ધીમી રાખવી જોઈએ. આ સ્વાધ્યાય છે. (૨) શ્રદ્ધાપૂર્વક થોડું વાંચન કરવું અને કરેલા વાંચનનો ઉપયોગ કરવા અંગે વધુ વિચાર કરવો. એવું કરવાથી વાંચન સાર્થક બને છે. આ મનન છે. (૩) મનન કરવાથી જે વાત સાચી અને કામની લાગે એને પોતાના જીવન સાથે જોડવાનો નિશ્ચય કરો અને એને ક્યારે અને કેવી રીતે ઉપયોગમાં લાવશો એની યોજના બનાવી લો. આ ચિંતન છે. ૪. સવારે આ ક્રમ નિયમિત અપનાવો – પોતાના સંકલ્પને તાજો રાખવા માટે સવારમાં દરરોજ નીચે જણાવેલ ઉપયોગી ક્રિયાઓ કરતા રહો – (૧) વહેલી સવારે આંખો ખૂલતાં જ સૂતાં સૂતાં ઈશ્વરનું સ્મરણ કરો અથવા તેમના નામનો ત્રણથી ચાર વખત ઉચ્ચાર કરો. પછી હાથ જોડીને પ્રણામ કરો. જમીન પર પગ મૂકતાં પહેલાં સહેજ ઝૂકીને હાથ વડે ધરતીમાતાને સ્પર્શ કરી માથા પર લગાડીને કહો, “જનની ભારતભૂમિ નમોસ્તુ તે ।’’ (૨) પ્રણામ કરી લીધા પછી પોતાના સંકલ્પને મનમાં આ રીતે યાદ કરો – “હું અમુક ખોટું કામ નહિ કરું. અમુક સારાં કાર્યો જરૂર કરીશ. પ્રભુ ! મને શક્તિ આપો.’’ (૩) હવે પ્રસન્ન મનથી ઊભા થાઓ. સંકલ્પને મનમાં તા રાખવાથી મનોવૃત્તિ ધીરે ધીરે સુધરવા લાગે છે. (૪) એ જ રીતે રાત્રે સૂતાં પહેલાં ઈશ્વરને સાક્ષી બનાવી આખા દિવસનાં કાર્યોની સમીક્ષા કરો, નિષ્ઠાપૂર્વક કરેલા પ્રયત્નો માટે આનંદ વ્યક્ત કરો તથા થયેલી ભૂલો માટે પશ્ચાત્તાપનો અનુભવ કરો. પછી બીજા દિવસે સાર્થક જીવન જીવવાની પ્રાર્થનાની સાથે ઈશ્વરનાં ચરણોમાં બધું જ અર્પણ કરી નિદ્રાદેવીના ખોળામાં પોઢી જાઓ. ૫. કાર્યકર્તાઓ ધ્યાન આપે – (૧) સવારની ઉપરોક્ત ઉપયોગી ક્રિયા માટે બધા લોકોને સમજાવતા રહો અને તે દરરોજ કરવા માટે પ્રોત્સાહિત કરતા રહો.
(૨) જે વ્યક્તિઓએ એક દુર્ગુણ ત્યાગવાનો અને સદ્ગુણ ગ્રહણ કરવાનો સંકલ્પ લીધો હોય તેમની સાથે આંતરે દિવસે સંપર્ક કરતા રહો. ક્ષેમકુશળ પૂછીને સામાન્ય ચર્ચા કર્યા પછી નમ્રતાપૂર્વક પૂછો કે આપે લીધેલો સંકલ્પ નિભાવો તો છો ને ? મોટાભાગના જવાબ ‘ના’માં અથવા ટાળી દેવાની ભાષામાં મળશે. ત્યારે ગુસ્સે ન થાઓ. એટલી જ નમ્રતા સાથે તેમને સંકલ્પ નિભાવવાનો લાભ “પુણ્ય તથા સ્વર્ગ”ની શબ્દાવલીમાં સમજાવો. “હવે શરૂ કરો” એવું કહીને પ્રોત્સાહન આપો.
(૩) એક દુર્ગુણ ત્યાગો – એક સદ્ગુણ અપનાવો. આને પોતાના વિસ્તારમાં એક વ્યાપક અભિયાન રૂપે ચલાવવામાં જો આપ સફળ થાઓ તો આપની આ સૌથી મોટી સેવા હશે. આથી આપ આ અભિયાન માટે વિશેષ રૂપે સક્રિય બનો. ૪. સંયમ (૧) સંયમી જીવન – સુખી જીવન લાખો વર્ષ પહેલાં મનુષ્ય આદિમાનવ યુગમાં જંગલોમાં ખૂબ મુશ્કેલીઓ વેઠીને જીવતો હતો. જે મનમાં આવે તે કરતો હતો. જો આજે પણ મનુષ્યને પોતાના મનનું ધાર્યું કરવા દેવામાં આવે, તો આપણને પાછા આદિમાનવ યુગમાં પહોંચવામાં ઝાઝો સમય નહિ લાગે. શું આપણને આ ગમશે ?
એને કોઈપણ વ્યક્તિ પસંદ નહિ કરે. એટલા માટે નદી પર બંધ બાંધવામાં આવે છે, બગીચાના છોડની કાપકૂપ કરવામાં આવે છે તથા પશુઓને લગામ કે નાથ પહેરાવવામાં આવે છે, જેનાથી આ વિશ્વ રહેવા યોગ્ય સુંદર સ્થળ રૂપે જળવાઈ રહે. મનુષ્યના મન પર પણ લગામ રાખવી એટલા માટે જરૂરી છે કે તેનાથી બધા જ મનુષ્યો અને બધાં જ પ્રાણીઓ શાંતિપૂર્વક જીવી શકે અને રહી શકે. આ લગામનું બીજું નામ છે સંયમ. સંયમ સુખી જીવનનો માર્ગ છે. સંયમ તો એક પ્રકારનું તપ છે. પોતાની ઉપર જાતે જ અંકુશ મૂકવાનો છે. શિષ્ટતાની ઉપેક્ષા કરનાર મનને વિવેક દ્વારા ફોસલાવીને મનાવવાનું છે અને ઉજ્જવળ દિશા તરફ વાળવાનું છે. જીવાત્માની પ્રગતિની ઇચ્છા ધરાવનારાએ સંયમની આ તપસાધનાને જાણવી અને કરવી જરૂરી છે. (૨) સંયમના ચાર પ્રકાર છે. પ્રત્યેક સંયમની સાથે કોઈ શ્રેષ્ઠ ગુણ કેળવવાનો ઉદ્દેશ જોડાયેલો છે, જેમ કે ઇન્દ્રિયસંયમ-તંદુરસ્ત શરીર, વિચારસંયમ-સ્વચ્છ મન. અર્થસંયમ – આત્મનિર્ભરતા, સમયસંયમ જીવનનો સદુપયોગ અને સભ્ય, સામાજિક વાતાવરણ બનાવવામાં સહકાર. કયા સંયમને કેવી માનસિક સ્થિતિ સાથે સાધવો જોઈએ એ સૌથી વધારે મહત્ત્વની જાણકારી છે, જે દરેક સાધકને હોવી જોઈએ. આગળના પાન પર દરેક સંયમની સાથે આ જાણકારી આપવામાં આવી છે. ૪.(૧) ઇન્દ્રિયસંયમ જીભ તથા જનનેન્દ્રિય પર સંયમ રાખવા માટે ઉપવાસ અને બ્રહ્મચર્ય આ બે સરળ અભ્યાસ છે. ૪.(૧)-૧. ઉપવાસ શરીરને આહાર ન આપો, પરંતુ મન આખો દિવસ ખાવાની ચિંતા કરતું રહે છે. આ ઉપવાસ નથી. જીભ ભલે ને અન્ન ચાખે નહિ, પરંતુ આખો દિવસ તીખી કે ગંદી ભાષા બોલતી રહે છે. આ ઉપવાસ નથી. તો ઉપવાસ શું છે ? (પાંચ નિયમ) (૧) આગળના પાન પર અભ્યાસખંડમાં બતાવવામાં આવેલ ત્રણ પ્રકારના ઉપવાસમાંથી કોઈ એક ઉપવાસ કરો. (૨) મનને શાંત રાખો. તેને પવિત્ર વિચારોમાં તથા સ્વાધ્યાયમાં જોડી રાખો. (૩) નમ્ર તથા મીઠી વાણી બોલો. (૪) શરીર વડે ઉત્તમ કર્મ કરો. (૫) આખો દિવસ આનંદમાં રહો. આ પાંચ નિયમનું પાલન કરવાથી ઉપવાસનું વ્રત પૂરું થાય છે, દેવોને પ્રસન્ન કરે છે અને જીવાત્માનું કલ્યાણ કરે છે. ૪. (૧) ૨. બ્રહ્મચર્ય ઉપવાસ તથા બ્રહ્મચર્યની જોડી છે. એટલા માટે બંનેને એકીસાથે સાધવાં જોઈએ. સાધકે એ સત્યને સ્પષ્ટરૂપે જાણી તથા સમજી લેવું જોઈએ કે બ્રહ્મચર્ય માત્ર જનનેન્દ્રિયનો સંયમ નથી. વિચારો અને ઇચ્છાઓ પર સંયમ રાખવો અત્યંત જરૂરી છે.
એટલા માટે ઉપવાસ તથા બ્રહ્મચર્ય સાધવાના દિવસે – (૧) કામવાસના સંબંધી કર્મ કરવું તો દૂર, પરંતુ મનને પણ એવા વિચારોથી અને વાણીને એવા શબ્દોથી તથા ચિત્તને એવી ઇચ્છાઓથી દૂર રાખો. (૨) અશ્લીલ સાહિત્ય, સમાચાર પેપરો અને ફિલ્મો તરફ વિરક્ત રહો. વૃત્તિને સાત્ત્વિક બનાવી રાખવા માટે આરોગ્ય તથા યોગ અંગેના સાહિત્યનું કે ધાર્મિક સાહિત્યનું અધ્યયન કરો. (૩) થોડોક સમય શ્રેષ્ઠ વ્યક્તિઓની સાથે અથવા દેવમંદિરમાં પસાર કરો. (૪) સેવાથી બ્રહ્મચર્ય સધાય છે. એટલા માટે નમ્રતાના ભાવથી સેવાનું કોઈપણ કાર્ય અવશ્ય કરો. આ રીતે બ્રહ્મમાં અર્થાત્ સ્વચ્છ વિચાર, ભાવના અને કર્મમાં વ્યસ્ત રહેવું એ જ સાચું બ્રહ્મચર્ય છે. (૧) અઠવાડિયામાં એક જ દિવસ નહિ, પરંતુ વધુમાં વધુ દિવસો સુધી બ્રહ્મચર્યવ્રતનું પાલન કરવું એ પતિ તથા પત્ની બંને માટે શારીરિક, માનસિક તથા નૈતિક દૃષ્ટિથી લાભદાયક છે. પતિ તથા પત્ની વચ્ચેનો પ્રેમ શરીરોની નિકટતાથી નહિ, પરંતુ મન અને હૃદયની નિકટતાથી સિદ્ધ થાય છે.
આ પુસ્તક ઇચ્છિત લક્ષ્યને પૂરું કરવા માટે ખૂબ જ ઉપયોગી તથા સહાયરૂપ નીવડશે એવો વિશ્વાસ છે . નવા તથા જૂના તમામ સાધકો ઉજ્જવળ ભવિષ્યની રચના માટે તથા પોતાના વ્યક્તિત્વના વિકાસ માટે યોગ્ય લાભ ઉઠાવી શકે છે .
દાન તથા પુણ્ય (૧) દાન તથા પુણ્ય કરવાનો અર્થ છે – “પોતાના ધન, બુદ્ધિ તથા સમયનો એક અંશ અર્પણ કરવો’ અર્થાત્ (૧) પોતાની આવકનો અમુક ભાગ નિયમિત રૂપે લાચારીભર્યું જીવન જીવી રહેલા, અશક્ત તથા દુખી લોકોને મદદ કરવા ખર્ચવો. આ શ્રેષ્ઠ કોટિનું ધનદાન અથવા અંશદાન છે. (૨) નિયમિત રૂપે પોતાની આવકનો અમુક ભાગ ઉચ્ચ કોટિનું સાહિત્ય ખરીદવા ખર્ચવો. તે સાહિત્ય અજ્ઞાનતાના અંધકારમાં ભટકી રહેલા લોકોને વાંચન કરવા માટે દાનમાં આપો, તેમની સાથે ચર્ચા કરો, સમજાવો. તેમને સમજાવી શકાય તે માટે પોતે એ પુસ્તકોનું ધ્યાનપૂર્વક વાંચન કરો. આ અત્યંત શ્રેષ્ઠ પ્રકારનો જ્ઞાનયજ્ઞ અથવા જ્ઞાનદાન છે. (૩) પોતાના સમયનો એક ભાગ લોકોને ઈશ્વર પ્રત્યે વિશ્વાસુ બનાવવા તથા સાત્ત્વિક અને પરોપકારી જીવન જીવવાની પ્રેરણા આપવામાં ગાળો. આ ઉચ્ચકોટિનું સમયદાન કહેવાય છે. આ પ્રકારનું પુણ્યદાન જ પરમાત્માને પ્રસન્ન કરે છે તથા તેમની કૃપાને આકર્ષિત કરે છે. ૨. ધર્મઘટ સ્થાપવાની રીત તથા અન્ય કાર્યો (૧) થોડાં અઠવાડિયાં પછી ધર્મઘટમાં અનાજ અથવા સિલબંધ ગલ્લામાં પૈસા નાખવાની રીતને બદલી નાંખો. તેના માટે બાળકોને પ્રોત્સાહન આપો કે હવે તે આપના ખોબામાં અનાજ આપે, પછી તે પોતાના ખોબામાં લે. પ્રથમ તે પ્રેરણાદાયક વાક્ય બોલે, પછી તે અનાજ અથવા પૈસા અર્પણ કરે, ત્યાર બાદ આપને બોલવા માટે તથા અર્પણ કરવા માટે કહે
(૨) જ્યારે જ્યારે ધર્મઘટ અથવા ગલ્લો ભરાઈ જાય ત્યારે આદરપૂર્વક એ જ બાળક દ્વારા દુખી અશક્ત અથવા કોઈ સેવાભાવી સંસ્થાને અપાવતા રહો. ૩. ધર્મઘટની સ્થાપનાની રીતનું મહત્ત્વ નાની ઉંમરમાં બાળકો જે બોલે છે, શીખે છે તથા કરે છે તે સંસ્કાર બની જાય છે. તેઓ આખું જીવન તેમાં જ પસાર કરે છે. એટલા માટે તેઓ દરરોજ અને લાંબા સમય સુધી “પહેલાં બીજાને અન્ન, ત્યાર બાદ પોતાને” બોલતાં રહેશે તથા પોતાના નાનકડા ખોબા દ્વારા અનાજનું દાન આપતાં રહેશે, તો તેમનામાં શ્રેષ્ઠ સંસ્કારોનો વિકાસ થશે અને તેઓ આખું જીવન કરુણામય, ઉદાર હૃદયવાળાં તથા માતૃપિતૃ ભક્ત બની રહેશે. આજના યુગમાં બાળકો સામાજિક જીવનથી દૂર થઈ રહ્યાં છે તથા પોતાનાં માતાપિતા પ્રત્યે કઠોર અને ક્રૂર બની રહ્યાં છે ત્યારે સદ્ગુણો તથા સર્વ્યવહાર ધરાવતાં બાળકો જોઈને આપ જરૂર સંતોષ અને આનંદનો અનુભવ કરશો. આ નાનાં દેખાતાં છતાં મહાન ધાર્મિક કાર્યો દ્વારા (૧) આત્મકલ્યાણની,(૨) જનકલ્યાણની, (૩) તથા પોતાનાં બાળકોમાં સંસ્કારોની સ્થાપનાની આ ત્રણે મહાન પ્રક્રિયાઓ એકી સાથે પૂરી થાય છે. આથી આપ આ શ્રેષ્ઠ ધાર્મિક કાર્યનો અવશ્ય પ્રારંભ કરો અને ઓળખીતાઓ તથા સગાસંબંધીઓને સમજાવી તેમને પણ પોતાનાં બાળકોમાં સારા સંસ્કારોનું સિંચન કરવાની પ્રેરણા આપો. આ ઘરનાં બાળકોમાં સંસ્કારના સિંચનની વાત છે, મોટા બાળકને અનાજ અર્પણ કરતો જોઈને નાના બાળકમાં પણ એવું જ કરવાનો ઉમંગ જાગે છે. આ રીતે દીવાથી દીવાઓ ઝળહળી ઊઠે છે. દિવસના બાકીના સમયના સાધના-કાર્યક્રમોનુંવિવેચન ૧. મંત્રલેખન (૧) મંત્રના જાપ ક૨વાની તુલનામાં મંત્રલેખનમાં શરીરના વધારે અવયવો ભાગ લે છે. આંખ, હાથ, શરીર, બુદ્ધિ, મનની એકાગ્રતા, આ સર્વેને સતત જાગૃત રાખવાં પડે છે. મંત્ર લખતી વખતે શ્રેષ્ઠ સાધક તેના અર્થનું પણ ચિંતન કરતો રહે છે. એટલા માટે જપની સરખામણીમાં મંત્રલેખનને દસગણું શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે. (૨) સમાજમાં હજારો વ્યક્તિઓ એવી છે કે જે ધાર્મિક કાર્યોમાં રસ ધરાવતી હોય છે, પરંતુ ખૂબ જ વ્યસ્ત રહેવાના કારણે નિયમિત રૂપે અડધો અથવા એક કલાક જાપ કરવા માટે કાઢી શકતી નથી. તેઓ સગવડતા અનુસાર મંત્રલેખન કરી શકે છે. તેમને જ્યારે પણ નવરાશનો સમય મળે ત્યારે તેઓ એકાગ્ર મનથી મંત્રલેખન કરી શકે અને પોતાની ધાર્મિક રુચિને જીવંત રાખી શકે છે. (૩) તેઓ સદ્બુદ્ધિ પ્રદાન કરનાર ગાયત્રી મહામંત્રનું લેખન કરે અથવા પંચાક્ષરી ગાયત્રી મહામંત્ર લખે. જે તેમની પાસે પોતાના ઇષ્ટદેવનો કોઈ મંત્ર હોય, તો તે લખે. જેઓ મંત્ર લખવા ન માગતા હોય તેઓ પોતાના પ્રિય કોઈપણ ભગવાનનું નામ લખે. મંત્રલેખન કેટલું કરવું જોઈએ ? (૧) સામાન્ય રીતે ઓછામાં ઓછું ૧૧ લીટીઓમાં મંત્રલેખન કરવું જોઈએ. જેઓ વધુ લખવાની ઇચ્છા ધરાવતા હોય તેઓ વધુ લખી શકે છે. (૨) કદાચ કોઈ કારણવશ ૧૧ લીટીઓ મંત્રલેખન ન કરી શકો તો પોતાની સગવડતા અનુસાર લીટીઓ નક્કી કરી લો, પછી દ૨૨ોજ એટલી લીટીઓમાં મંત્રલેખન કરો. (૩) મંત્રનું લેખન પૂરેપૂરી લીટી સુધી કરો. ઉદાહરણ તરીકે ‘રામ’ રામ લખવું હોય તો એક લીટીમાં ૧૬થી વધુ વાર રામ રામ લખીને લીટી પૂરી કરો. આવી ૧૧ લીટીઓ લખો. મંત્રલેખન ક્યારે કરવું જોઈએ ? (૧) મન જ્યારે શાંત હોય અને એકાગ્ર હોય ત્યારે મંત્રલેખન કરવું જોઈએ. આ સૌથી મહત્ત્વની શરત છે. (૨) ક્યારેક પ્રવાસમાં હો તો મંત્રલેખન બુક સાથે લઈ જાઓ, ત્યાં જ્યારે પણ સમય મળે ત્યારે મંત્રલેખન કરો. (૩) જ્યાં નોકરી અથવા ધંધો કરતા હો ત્યાં પણ મંત્રલેખનની બુક સાથે રાખો. જયારે પણ નવરાશ મળે અને મન શાંત હોય ત્યારે મંત્રલેખન કરો. ૨. દેવદર્શન દેવદર્શનનું મહત્ત્વ : (૧) ધ્વજ એ સફેદ, લીલા અને ભગવા રંગથી રંગેલા કપડાને જોડીને સીવેલો માત્ર કાપડનો ટુકડો નથી, પરંતુ તે આપણા દેશનો રાષ્ટ્રધ્વજ છે. એનું સન્માન દેશના સન્માન બરાબર છે, એનાથી જરાપણ ઓછું નથી. રાષ્ટ્રધ્વજને જોઈને દેશની ગરિમા તથા તેના ગૌરવનો ભાવ જાગૃત થઈ જાય છે. એ જ રીતે દેવીદેવતાની મૂર્તિ શિલ્પી દ્વારા કંડારવામાં આવેલો માત્ર પથ્થરનો ટુકડો નથી. તે સર્વશક્તિમાન સર્વેશ્વરનું પ્રતિનિધિત્વ કરે છે. તેને જોઈને સર્વેશ્વરના ગૌરવનું સ્મરણ થવું જોઈએ અને હૃદયમાં શ્રદ્ધા તથા આત્મીયતાનો ભાવ પ્રગટવો જોઈએ. (૨) દરેક દેવદેવીની મૂર્તિ સર્વેશ્વરની કોઈપણ શક્તિની અભિવ્યક્તિ છે. એટલા માટે તેના તરફ ઈશ્વરનો ભાવ જાળવી રાખતાં શ્રદ્ધા સહિત દર્શન તથા પ્રણામ કરતા રહો. શ્રદ્ધાભાવનાની સાથે દેવદર્શન કરવું સાર્થક નીવડે છે. ૨. કલ્યાણકારી પ્રાર્થનાઓ : માત્ર મોઢાથી રટવામાં આવેલી પ્રાર્થના નકલી તથા બિનઅસરકારક હોય છે. સાચી પ્રાર્થનામાં સાચી આકાંક્ષાઓ હોય છે. એ હૃદયમાંથી નીકળે છે તથા આત્મકલ્યાણ અને સૌના કલ્યાણની ભાવના સાથે કરવામાં આવે છે. એટલા માટે જેઓ વધારે ભાવનાશીલ હોય તેઓ દેવદર્શન તથા પ્રણામ કરે. જપ કર્યા પછી સાચી ભાવના સાથે નીચેનામાંથી કોઈપણ એક કલ્યાણકારી પ્રાર્થના માનસિક રૂપે કરતા રહો –
(૧) “પ્રભુ ! આપનું આ સુંદર મુખ અને મધુર હાસ્ય મને વારંવાર યાદ આવતું રહે તથા તે સુખ અને દુખ બંને સમયે હસતા રહેવાનું સાહસ આપતું રહે.’ (૨) “પ્રભુ ! આપની આંખોમાંથી નીતરી રહેલી કરુણા મને યાદ આવતી રહે. હું દુખીઓ પ્રત્યે ઉદાર બનું. રસ્તો ભૂલેલાઓને આપની ત૨ફ, શ્રેષ્ઠતા તરફ વાળી શકું.” (૩) “પ્રભુ ! આપનું આ કલ્યાણકારી રૂપ મને યાદ આવતું રહે. મારામાં સૌનું કલ્યાણ વિચારવાનો અને સૌનું કલ્યાણ કરવાનો ઉમંગ જાગતો રહે.” (૪) “પ્રભુ ! આપનું પ્રકાશમય રૂપ મને યાદ આવતું રહે. હું મારી જાતને પવિત્ર બનાવું અને આપની આભાનો એક અંશ બની રહ્યું.’’ હું જ્ઞાન તથા સેવાની ભાવનાથી ભરેલું જીવન જીવું. જ્ઞાન અને સેવાની ભાવનાથી ભરેલું જીવન જીવવા માટે લોકોમાં પ્રેરણા ભરી શકું. ૩. દેવદર્શનના લાભ – સાચી રીતે દેવદર્શન ક૨વાથી નીચે જણાવેલ શ્રેષ્ઠ પરિણામો પ્રાપ્ત થાય છે. (૧) મંદિર, મસ્જિદ, ચર્ચ તથા ગુરુદ્વારામાં આસ્તિકતાભર્યું વાતાવરણ રહે છે. એટલા માટે આપણી અંદર સદ્વિચારો અને સદ્ભાવનાઓને સહજ રૂપે પ્રગટવાનો અવસર મળે છે. (૨) ઈશ્વરની સર્વોચ્ચતાનું જ્ઞાન થવાથી પોતાની લઘુતાનો અનુભવ થાય છે અને પોતાનાં પદપ્રતિષ્ઠાનો ધમંડ ઓછો થાય છે. ધીરે ધીરે વિવેકશીલતામાં વૃદ્ધિ થાય છે. (૩) વધારે ભાવનાશીલ વ્યક્તિઓમાં દુખી અને અશક્ત વ્યક્તિઓ પ્રત્યે સેવાનો ભાવ જાગે છે.
આ પુસ્તક ઇચ્છિત લક્ષ્યને પૂરું કરવા માટે ખૂબ જ ઉપયોગી તથા સહાયરૂપ નીવડશે એવો વિશ્વાસ છે . નવા તથા જૂના તમામ સાધકો ઉજ્જવળ ભવિષ્યની રચના માટે તથા પોતાના વ્યક્તિત્વના વિકાસ માટે યોગ્ય લાભ ઉઠાવી શકે છે .
.જપ અને ધ્યાન “ઉપાસના શું છે ?’’ (૧) ઈશ્વરના ફોટા મૂર્તિ સમક્ષ બેસો. – ઈશ્વરના દિવ્ય ગુણોનું ચિંતન કરી પોતાના મનને તેમની નજીક બેસાડો. – ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા અને આત્મીયતાનો ભાવ જગાડી પોતાના હૃદયને તેમની નજીક બેસાડો. આ રીતે પોતાના શરીર, મન અને હૃદય ત્રણેને ભગવાનની નજીક બેસાડી તેમનું સ્મરણ કરવાને ઉપાસના કહે છે. ઉપાસના ભક્ત અને ભગવાન ચ્ચે વહી રહેલ ભાવના તથા ચૈતન્યનો પ્રવાહ છે. (૨) આપ જપ તથા ધ્યાનનાં સૂચનોને ધ્યાનમાં રાખો. એમનું પાલન કરવાથી આ પ્રવાહ સારી રીતે વહેતો રહે છે. (૩) જપ કરવા માટે એક જ મંત્ર પસંદ કરો. જેમ કે ગાયત્રી મહામંત્ર, પંચાક્ષરી ગાયત્રી, પોતાના ઇષ્ટદેવનો મંત્ર અથવા ભગવાનનું કોઈપણ નામ પસંદ કરી લો. આ રીતે ત્રણમાંથી પોતાની રુચિ, શક્તિ અનુસાર એક ‘ધ્યાન’ પસંદ કરી લો. પ્રભાવશાળી ઉપાસના કેવી રીતે કરી શકાય ? (૧) સૌ પ્રથમ પોતાના મનને શાંત કરો, હૃદયમાં ઇષ્ટદેવતા પ્રત્યે આત્મીયતાનો ભાવ પેદા કરો. પાના નં. ૨૦,૨૧,૨૨ ઉપર તેની રીત જુઓ. (૨) ત્યારબાદ પોતાની રુચિ અનુસાર ધ્યાનની સાથે જપનો આરંભ કરો. વચ્ચે વચ્ચે પોતાના ઇષ્ટદેવ પ્રત્યે પોતાની શ્રદ્ધા અને આત્મીયતાનો ભાવ જગાડતા રહો. જેમ કે “હું આપનો એક અંશ છું” યા “હું આપની શરણમાં આવ્યો છું” યા “ભગવાન, મારી ઇચ્છાઓ, અભિલાષાઓ આપને છોડીને બીજે ક્યાંય પણ ન જાય.’ – જયારે મન કંટાળી જાય ત્યારે મંત્રમાં કહેવામાં આવેલ ઇષ્ટદેવતાના ગુણોનું એક એક કરીને સ્મરણ કરો, તેના અર્થનું ચિંતન કરો અને અર્થ અનુસાર ધ્યાન અને ભાવ રાખો. (૩) આ રીતે શરીર, મન અને હૃદય ત્રણેયને જોડી રાખીને કરવામાં આવતી ઉપાસના શ્રેષ્ઠ છે. એક એક કરીને ઉપાસનાના ઉપરોક્ત ઉપાયો ધીરે ધીરે વધારવા જોઈએ. જ્યારે આ ઉપાસનાપદ્ધતિ સારી રીતે આવડી જાય છે ત્યારે ઉપાસકનો સ્વભાવ તથા સંસ્કારો સુધરવા લાગે છે. વાણીમાં, વ્યક્તિત્વમાં તથા ચિંતનમાં શ્રેષ્ઠ ગુણો અને તેજસ્વિતા આવવા લાગે છે. આથી આત્મિક પ્રગતિ માટે દ૨રોજ ઓછામાં ઓછી ૧૦ મિનિટ ધ્યાન અને ભાવ સહિત અવશ્ય ઉપાસના કરવી જોઈએ. કયા મંત્રના યા નામના જપ કરવા ?
(૧) ભગવાનનાં તમામ નામ અને મંત્રો શ્રેષ્ઠ છે. ગાયત્રી મહામંત્ર છે, સર્વોચ્ચ વેદમંત્ર છે. સદ્ગુદ્ધિ આપનાર છે અને મોક્ષનું સાધન છે. આ મંત્ર તમામ દેવીદેવતાઓ માટે જપી શકાય. આથી આ મા જે કોઈ પણ ઇષ્ટદેવ હોય તેમના મહિમાનાં ગુણગાન ગાવ આપ કોઈપણ જાતના ખચકાટ વગર ગાયત્રી મહામંત્રના જપ ગાયત્રીના સિદ્ધપુરુષ વેદમૂર્તિ શ્રીરામ શર્માજી આચાર્યનું કથન છે “વિશ્વનો આ ખૂબ નાનો, પરંતુ સૌથી વધુ સારગર્ભિત મંત્ર છે, એક તત્ત્વદર્શન અને અધ્યાત્મવિજ્ઞાન છે.” તે મહામંત્ર આ પ્રમાણે છે – ૐ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યું ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ । ‘એ પ્રાણસ્વરૂપ દુખનાશક, સુખસ્વરૂપ, શ્રેષ્ઠ, તેજસ્વી, પાપનાશક, દેવસ્વરૂપ, પરમાત્માને આપણે અંતરાત્મામાં ધારણ કરીએ છીએ. એ પરમાત્મા આપણી બુદ્ધિને સન્માર્ગ પર ચાલવા પ્રેરિત કરે.” (૨) જો આપ આ મંત્રના જપ ન કરી શકો, તો આપને ગમતા કોઈપણ ઇષ્ટદેવનું નામ પસંદ કરી લો. પછી એના મનોમન જપ કરતા રહો. જપના સંબંધમાં કવિ રસખાનના કાવ્યનાં પદો પર ધ્યાન આપો. ‘‘ક્ષણભંગુર જીવનકી કલિકા કલ પ્રાતઃ કો માનો ખિલી ન ખિલી. કલિકાલ કુઠાર લિયે ફિરતા તન નર્મ પે ચોટ ઝિલી ન ઝિલી. લે લે હિરનામ અરી રસના, ફિર અંત સમય મેં હિલી ન હિલી.” આથી દરરોજ શ્રદ્ધાપૂર્વક મંત્રના અથવા નામના જપ કરો. ૪. પ્રાર્થના (૧) પરમપૂજય ગુરુદેવે પ્રાર્થનાના અર્થને આ રીતે સ્પષ્ટ કર્યો “પ્રાર્થના એટલે પોતાના મનને સમજાવવું, પોતાની જાતને સ્વચ્છ બનાવવી. પ્રાર્થના પોતાની જાતને કરેલો સાદ છે, એ આત્માનો કરુણ ચિત્કાર છે.’’ (૨) આ માર્ગદર્શક વાક્યોથી પ્રાર્થનાનાં ચાર લક્ષણોની જાણ થાય છે. (૧) પ્રાર્થના તો પરમાત્માને સંબોધીને કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિક રીતે એ પોતાના મનને જ સમજાવવા માટે તથા મનાવવા માટે હોય છે. (૨) પ્રાર્થનામાં દુર્ગુણો તથા પાપોથી બચવાની અને જગત માટે લાભપ્રદ બનવાની સાચી આકાંક્ષા ઝળકે છે. (૩) પ્રાર્થનામાં હૃદયની વ્યાકુળતા ભળેલી હોય છે. (૪) પ્રાર્થના પરમાત્મા પ્રત્યે શ્રદ્ધા, વિશ્વાસ તથા શરણાગતિના ભાવથી ઓતપ્રોત હોય છે. જો પ્રાર્થનામાં ઉપરોક્ત વિશેષતાઓ હોય તો તે આપણને ઢંઢોળે જ છે, પોતાના તથા વિશ્વના કલ્યાણ માટે પરમાત્માની કરુણાને જગાડી દે છે. આથી પ્રાર્થનાના શબ્દોનું ગ્રામોફોનની જડ રેકર્ડની જેમ રટણ ન કરો. સાચી આકાંક્ષા અને શરણાગતિના ભાવથી પ્રાર્થના કરો. ૫. સૂર્યને અર્ધ્ય અર્પણ કરવો સાધકોએ સ્પષ્ટ રૂપે સૂર્યદેવ તથા તુલસીમાતાનો મહિમા જાણવો તથા સમજવો જોઈએ. (૧) સૂર્ય માત્ર આગનો ધગધગતો ગોળો નથી, પરમાત્માનો સ્થૂળ તથા સાક્ષાત્ પ્રતિનિધિ છે, ચૈતન્યદેવ સૃષ્ટિનો જીવનદાતા છે. એ જ રીતે તુલસી માત્ર છોડ નથી, પરંતુ તે આદ્યશક્તિની સ્થૂળ તથા સાક્ષાત્ પ્રતિનિધિ છે, જાગૃત દેવતા છે. તે વિલક્ષણ રીતે આધ્યાત્મિક ઊર્જાના તરંગોનો સંચાર કરે છે. (૨) જયારે સાચી રીતે વિધિવત્ ઉપાસના કરવામાં આવે છે ત્યારે તે શ્રદ્ધાયુક્ત આધ્યાત્મિક ઊર્જાના તરંગો ઉત્પન્ન કરે છે. તેનો એક અંશ અર્ધ્યના પાત્રમાં રહેલા જળમાં ભળે છે, જેથી એ જળ અભિમંત્રિત થઈ જાય છે. (૩) જયારે સાધક ઊર્જાનો સંચાર કરનાર તુલસીમાતાના માધ્યમથી ભક્તિભાવપૂર્વક અભિમંત્રિત જળનો ચૈતન્યસ્વરૂપ સૂર્યદેવતાને અર્ધ્ય અર્પણ કરે છે ત્યારે ઊર્જાનું વિસ્તરણ કરનાર તુલસી માતા દ્વારા જળમાં સમાયેલ શ્રદ્ધા અને ભક્તિ એ જ ક્ષણે સમર્પિત થઈ જાય છે. તેનાથી ઉપાસકને અને જો વિશ્વકલ્યાણની ભાવના હોય તો સંપૂર્ણ જગતને ભગવાન સૂર્યદેવતાના આશીર્વાદ મળે છે. અર્ધ્ય અર્પણ કરવાની ક્રિયા ઉચ્ચ કોટિનું તથા પ્રભાવશાળી ધાર્મિક કાર્ય છે. એટલા માટે અત્યંત નમ્રતા અને શ્રદ્ધાના ભાવ સાથે અર્ધ્ય આપવો જોઈએ. (૪) તુલસી સાત્ત્વિકતાનું સાક્ષાત્ પ્રતીક છે તથા તે દેવસંસ્કૃતિનું પોષણ અને વૃદ્ધિ કરે છે. આથી આ સાત્ત્વિકતા વડે ગામના દરેક ઘરના વાતાવરણને ભરી દેવું એ દરેક સંસ્કૃતિસેવકનું ધાર્મિક કર્તવ્ય છે. કાર્યકર્તાઓએ તુલસીમાતાનો મહિમા લોકોને સમજાવીને અને ઘેરેઘેર તુલસીનો ક્યારો બનાવવા તથા તુલસીની સ્થાપના માટે તુલસીરોપણ અભિયાન અવશ્ય ચલાવવું જોઈએ.
આ પુસ્તક ઇચ્છિત લક્ષ્યને પૂરું કરવા માટે ખૂબ જ ઉપયોગી તથા સહાયરૂપ નીવડશે એવો વિશ્વાસ છે . નવા તથા જૂના તમામ સાધકો ઉજ્જવળ ભવિષ્યની રચના માટે તથા પોતાના વ્યક્તિત્વના વિકાસ માટે યોગ્ય લાભ ઉઠાવી શકે છે .
ઉપાસનાના કાર્યક્રમોનું વિવેચન ૧. મન શાંત સૌનો અંગત અનુભવ છે કે પદ, ધન, સત્તા, મોહ, વાસના, આસક્તિ વગેરે કામનાઓ ક્યારેય પણ શાંત થતી નથી. જ્યારે આપણે પૂજાપાઠ કરવા બેસીએ છીએ ત્યારે પણ એ બધી ત્યાં પહોંચી જાય છે અને એ કામના પૂરી કરવા ઉશ્કેરતી રહે છે. જ્યાં સુધી એ જીવતી રહે ત્યાં સુધી આ ગોરખધંધા પણ ચાલતા રહેશે. એટલે આ ભૌતિક સંપદાઓ માટે લાલસા અને ચિંતાની ઉપેક્ષા કરવાનો આપણે દરરોજ અભ્યાસ કરવો જોઈએ, ભલે ને પછી એ થોડા સમય માટે હોય. આ તોફાન મચાવનાર ઉત્તેજનાની ઉપેક્ષા કરીશું, તો મન પર સતત પડતી તણાવનો બોજ ઘટશે અને તે શાંત થવા લાગશે. ભૌતિક સંપત્તિ જ મહત્ત્વની નથી. આપણે એ તરફ પણ ધ્યાન આપવું જોઈએ કે જ્યાંથી આ દૈવી સંપદા પ્રાપ્ત થાય છે અને જે મૃત્યુ પછી જીવાત્માની સાથે જાય છે. એટલા માટે આપણે પરમાત્માની ખૂબ જ શાંત મનથી ઉપાસના કરવી જોઈએ. ૨. આત્મીયતાની ભાવના આપણે સૌ ભૌતિક સુખસગવડોને અને સગાસંબંધીઓના પરિકરને સુખી જીવન માની રહ્યાં છીએ. આપણે એમના માટે આખું જીવન ખપાવી દઈએ છીએ. આપણે રોજ જોઈએ છીએ કે મરનારી એક પણ વ્યક્તિ પોતાની સાથે કશુંય લઈને જતી નથી. ન તો ધન, ન તો હોદ્દો, ન તો કોઈ સગાસબંધી. એ પોતાનું શરીર પણ અહીં છોડીને જાય છે. આમ છતાં પણ આપણે એના પ્રત્યે રહેલો મોહ અને આસક્તિમાં જરા જેટલી પણ ત્રુટિ આવવા દેતા નથી. આપણે ખરેખર, સુખથી નહિ, પરંતુ ભારે અજ્ઞાનથી ઘેરાયેલા છીએ. ભાઈ, અહીં હંમેશ માટે કંઈપણ પ્રાપ્ત થતું નથી. અહીં કોઈપણ કાયમી સગાસંબંધી કે સાથીદાર નથી. રેલવેના ડબ્બામાં બેઠેલા યાત્રાળુઓની જેમ થોડા સમય માટે સંબંધી મળી તો જાય છે, પરંતુ તેઓ સૌ પોતપોતાનાં કર્મોના રસ્તા પર જઈ રહ્યા છે. જો એમની સાથે મોહ રાખશો, તો કેવળ વિયોગનું દુઃખ જ હાથમાં આવશે. આપણે આ કઠોર સત્ય પર વારંવાર વિચાર કરવો જોઈએ. આ સતત ગતિશીલ જગતમાં સ્થિર તો માત્ર એક પરમાત્મા જ છે. તેઓ એકમાત્ર સંપત્તિ છે, સંબંધી છે અને આશ્રય છે. તે માર્ગદર્શક છે, વડીલ છે, માતાપિતા છે અને સાથી છે. 68 સમજદારી એમાં જ છે કે આપણે આ જગત પ્રત્યે કેવળ કર્તવ્યભા રાખીએ અને જગતના પતિ પ્રત્યે પ્રેમભાવ રાખીએ. આથી આત્મીયભાવ સાથે પરમાત્માનું સ્મરણ કરો. ૩. ષટ્કર્મ કોઈપણ કામ વ્યવસ્થિત રીતે કરવા માટે સૌ પ્રથમ પોતાની જાતને તૈયાર કરવી પડે છે. ખેલાડી રમતા પહેલાં પોતાના શરીરને ચેતન બનાવે છે. અધ્યયન કરનાર પહેલાં પોતાના મનને શાંત અને એકાગ્ર બનાવે છે. ઉપાસના પણ આવો જ પરિશ્રમ છે. મનુષ્ય ઉપાસના માટે ષટ્કર્મ દ્વારા સૌ પ્રથમ પોતાને તૈયાર કરે છે. ઉપાસના સંબંધી પુસ્તકોમાં ષટ્કર્મનું વિસ્તારપૂર્વક વિવેચન આપવામાં આવ્યું છે. એને માટે ગાયત્રી તપોભૂમિ, મથુરા અને શાંતિકુંજ, હરિદ્વારનાં પુસ્તકો જોવાં જોઈએ. ૪. પાઠ (૧) ‘પાઠ’માં ઋષિઓની વાણી હોય છે. એનું ધ્યાનપૂર્વક અને વિશ્વાસપૂર્વક પઠન-મનન કરવાથી હંમેશાં મનને સ્વચ્છ અને હૃદયને ઉદાર બનાવવાની પ્રેરણા મળે છે. ત્યારબાદ પાઠને જ્યારે દ૨૨ોજ વ્યવહારમાં લાવીએ છીએ ત્યારે શ્રેષ્ઠ સ્વભાવ તથા સંસ્કારનું સર્જન થવા લાગે છે. આ રીતે રસ્તો ભૂલેલાઓને પણ ઈશ્વર તરફ લઈ જનારો માર્ગ મળી જાય છે. એટલા માટે નિત્ય નિયમપૂર્વક પાઠ કરવો જોઈએ. (૨) મનને નિત્ય સારા અને ઉચ્ચ વિચારોમાં લઈ જવાથી માનસિક સ્થિતિ અને એકાગ્રતા આ બે ગુણો વધે છે. એ જપધ્યાન કરવામાં ખૂબ જ સહાયરૂપ નીવડે છે. આથી ઉપાસના પહેલાં પાઠ કરવો ખૂબ જ હિતકારક છે. (૩) જે કોઈ વ્યક્તિ યુગનિર્માણ મિશન સાથે જોડાયેલ છે યા વિચારો પ્રાપ્ત કરવાની ઇચ્છા ધરાવે છે તેને માટે આપણા યુગનિર્માણ સત્સંકલ્પોનાં ૧૮ સૂત્રો ગીતાના ૧૮ અધ્યાય સમાન જ છે. ‘સત્સંકલ્પો’ વેદમૂર્તિ તપોનિષ્ઠ શ્રીરામ શર્મા આચાર્યજીની અનુભવસિદ્ધ વિચારસરણી અને જીવન જીવવાની કલાનો સાર છે, સંગ્રહ છે.આ ‘સત્સંકલ્પો’ મહાશક્તિનું શબ્દશરીર છે. એટલા માટે એ શબ્દશરીરનો દરરોજ સંપર્ક સાધવો, માર્ગદર્શન પ્રાપ્ત કરવું અને પોતાના વિચારોને ચૈતન્યમય બનાવી રાખવા તે આપણા સૌ શિષ્યોનું અને પ્રગતિની ઇચ્છા રાખનારાઓનું પ્રથમ કર્તવ્ય છે. (૪) પાઠ કરવાની સાચી રીત – પાઠની વાંચનસામગ્રી ઋષિઓ તથા મહામાનવોના આધ્યાત્મિક અનુભવોનો નિચોડ હોય છે. એટલા માટે તેના પ્રત્યેક શબ્દ અને વાક્ય પર અતૂટ શ્રદ્ધા અને અખંડ વિશ્વાસ ધરાવતાં પાઠ કરવો જોઈએ. – કેવળ વાંચી લેવાથી નહિ, પરંતુ સમજમાં આવવાથી જ પ્રભાવ પડે છે. એટલા માટે ધીમી ગતિથી સમજી સમજીને પાઠ કરવો જોઈએ. (૫) અશિક્ષિત વ્યક્તિએ સત્સંકલ્પોનો પાઠ કેવી રીતે કરવો ? આપ ધ્યાનપૂર્વક વિચાર કરશો, તો આપને સમજાશે કે સત્સંકલ્પનો સંપૂર્ણ સાર બે શબ્દોમાં સમાયેલો છે – ગાયત્રી અને યજ્ઞ. ‘ગાયત્રી’ અર્થાત્ ઉત્તમ અને કલ્યાણકારક ચિંતન કરનારી સદ્ગુદ્ધિ. ‘યજ્ઞ’ અર્થાત્ પોતાની ક્ષમતાઓનો ઉત્તમ કર્મો તથા સેવાનાં કાર્યોમાં હોમ કરવો. એટલા માટે કાર્યકર્તાઓ ગ્રામ્યવિસ્તારના શ્રદ્ધાળુ, અિ અને આસ્તિક લોકોને પ્રથમ ‘પાઠ’ કરવાનું પુણ્ય સમજાવે. જુઓ પાન ૩૫ ૫૨ ‘અભ્યાસ’ અંતર્ગત આપવામાં આવેલ સદ્ભાવન કંઠસ્થ કરાવી દો. આ પાઠમાં પણ સદ્ધિ અને શ્રેષ્ઠ કર્મોની પ્રેરણા સમાયેલી છે. તેથી આ પાઠને પણ ધીમી ગતિથી, સમજીને શ્રદ્ધા અને વિશ્વાસની સાથે કરવા તેમને સમજાવો.
આ પુસ્તક ઇચ્છિત લક્ષ્યને પૂરું કરવા માટે ખૂબ જ ઉપયોગી તથા સહાયરૂપ નીવડશે એવો વિશ્વાસ છે . નવા તથા જૂના તમામ સાધકો ઉજ્જવળ ભવિષ્યની રચના માટે તથા પોતાના વ્યક્તિત્વના વિકાસ માટે યોગ્ય લાભ ઉઠાવી શકે છે .
મહાકાળની સેવા શા માટે ? અજ્ઞાનતાના અંધકારમાં ભટકી રહેલ મનુષ્યજાતિને સાનનાપ્રકાશમાં લાવવા પ્રયત્ન કરવો એ મનુષ્યની અને ભગવાનની સર્વશ્રેષ્ઠ સેવા છે. આ જ્ઞાનયજ્ઞ છે. જ્ઞાનયજ્ઞ જ મહાકાળની સેવા છે. મહાકાળની સેવા શા માટે ? (૧) મનુષ્ય માનવતા ગુમાવી રહ્યો છે. સમાજવ્યવસ્થા તૂટી રહી છે. દુનિયા દારૂગોળાના ઢગલા પર બેઠેલી છે. આ અત્યંત વિષમ સમય છે. એટલા માટે મહાકાળની સેવા કરો.
(૨) તમામ ક્ષેત્રોમાં થઈ રહેલ પતન અને વિનાશથી બચવા માટે કેવળ એક જ ઉપાય છે – “મનુષ્યની વિચારવાની અને વ્યવહારની સંકુચિત મનોવૃત્તિને બદલવી.’’ મનુષ્ય મર્યાદાઓને જાણે. એમનું પાલન કરે.મનુષ્ય બીજા મનુષ્યને સહકાર આપે, બીજાઓને પણ જીવવા દે.આવી મનોવૃત્તિનો વિકાસ થાય માટે મહાકાળની સેવા કરો. :- અગાઉ જણાવ્યા અનુસાર. સૂચનો : અભ્યાસ (૧) “હું બદલાઈશ ત્યારે જ યુગ બદલાશે. હું સુધરીશ ત્યારે જ યુગ સુધરશે.’’ આ સત્ય પ્રથમ પોતાની જાતને સમજાવો. પોતાના વિચારો અને વ્યવહારને બદલો. (૨) દરરોજ નિયમપૂર્વક સ્વાધ્યાય કરો. પછી ચિંતનમનન કરો. તેને વ્યવહારમાં લાવવાનો અભ્યાસ પણ કરતા રહો. (૩) પોતાના સગાસંબંધીઓ, મિત્રસમુદાય તથા ઓળખીતાઓને પણ આત્મશોધનની આ વિશેષ રીત બતાવો, સમજાવો. એના માટે પોતાના સમય અને જ્ઞાનને ઉદારતાપૂર્વક ખર્ચો. (૪) પાંચ નવા સભ્યો બનાવી ઝોલા પુસ્તકાલય ચલાવો. દરરોજ એક નવા સભ્યને મળો, તેની સાથે આત્મીયતા વધારો, વાંચવા માટે તેને શ્રેષ્ઠ પ્રકારનું સાહિત્ય આપો. ચર્ચા કરો. (૫) આ પાંચ સભ્યોનું સ્વાધ્યાયમંડળ બનાવો. દર અઠવાડિયે વાર્તાલાપ માટે બેઠક રાખો. તેમાં તમામ લોકો બોલવામાં રસ લે, સૌને બોલવાની તક આપો. (૬) દર અઠવાડિયે જ્ઞાનચર્ચા ચલાવો. તેમાં આત્મશોધન, આત્મઘડતર, પરિવારનું ઘડતર, સમાજનું ઘડતર વગેરે મુદ્દાઓ પર પ્રવચન કરો, કરાવો. જૂના સભ્યો નવા સભ્યોને પ્રયત્નપૂર્વક આ બેઠકમાં લાવે. (૭) આ જ્ઞાનયજ્ઞમાં દરરોજ એક કલાક અથવા અઠવાડિયે મળતી રજાના દિવસે વધુ સમય કાઢો. (૮) સાધના આંદોલન અંતર્ગત સાધનાનાં સોપાનો સાથે જોડાયેલ વિચારસરણી અને ભાવનાને સમજાવવા તથા અભ્યાસમાં લાવવા માટે લોકોને પ્રેરણા આપતા રહો. (૯) મહોલ્લાઓમાં, ગામડાંઓમાં, કસબાઓમાં વિશ્વકલ્યાણની ભાવના સાથે સાપ્તાહિક સામૂહિક જપ તથા પ્રાર્થનાના કાર્યક્રમો વધુમાં વધુ ગોઠવવા ખાસ પ્રયત્ન કરો. (૧૦) વિશ્વકલ્યાણ માટે વ્યાપક પ્રમાણમાં અખંડજપ તથા દીપયજ્ઞનાં ગુણવત્તા ધરાવતાં આયોજનો ગોઠવવા લોકસંપર્ક સાધવા પ્રયાસ કરતા રહો. (૧૧) વૃક્ષારોપણ (પીપળો, લીમડો, બીલી, વડ, તુલસી જેવાં પવિત્ર વૃક્ષોની રોપણી) જેવા રચનાત્મક કાર્યક્રમો ખાસ રસ લઈ પ્રયત્નપૂર્વક જરૂર હાથ ધરો. ઉપરોક્ત કાર્યક્રમો તથા અન્ય ઉપયોગી કાર્યક્રમોમાંથી જેનાથી જે સેવા થઈ શકે એ તેઓ જરૂર કરે.
આ પુસ્તક ઇચ્છિત લક્ષ્યને પૂરું કરવા માટે ખૂબ જ ઉપયોગી તથા સહાયરૂપ નીવડશે એવો વિશ્વાસ છે . નવા તથા જૂના તમામ સાધકો ઉજ્જવળ ભવિષ્યની રચના માટે તથા પોતાના વ્યક્તિત્વના વિકાસ માટે યોગ્ય લાભ ઉઠાવી શકે છે .
દેશની સેવા “આપણા વિચારો દેશનાં ન્યાયસંગત હિતોને અનુરૂપ બને. આપણામાં દેશના ગૌરવને અને સાંસ્કૃતિક છબીને ઉજ્જવળ બનાવી રાખવાની સદ્ભાવના અને ઉમંગ જાગે. આપણું પ્રત્યેક કર્મ દેશની પ્રગતિમાં સહાયરૂપ નીવડે.’ આ જ રાષ્ટ્રીય ભાવના છે. પોતાના તથા દેશના અન્ય નાગરિકોના વિચારોને એ દિશા તરફ વાળવા, એને અનુરૂપ જાતે કામ કરવું તથા બીજા લોકોને પ્રેરિત કરવા એ દેશસેવા છે. નીચે સેવાના અનેક ઉપાયો સૂચવવામાં આવ્યા છે. તેમને ક્રમશઃ ઉપયોગમાં લો અને પોતાની જન્મભૂમિની સેવા કરો. જન્મભૂમિ સ્વર્ગલોકથી પણ વધુ શ્રેષ્ઠ છે. (જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપિ ગરીયસી). દેશની સેવા શા માટે ? એ એટલા માટે કરવી જોઈએ કે – (૧) દેશના હિતમાં જ વ્યક્તિનું અને તમામ લોકોનું હિત સમાયેલું છે. (૨) આર્થિક તથા રાજકીય રીતે બીજા દેશો આપણા દેશને અર્થાત્ આપણા નાગરિકોને પોતાના ગુલામ ન બનાવી શકે. (૩) આપણે આપણી પ્રગતિના માર્ગ અને દિશાને પોતે જ સ્વતંત્ર રીતે નક્કી કરીએ. આ સશક્ત સ્થિતિ નિરંતર જળવાઈ રહેવી જોઈએ, જેથી બીજો દેશ પોતાનો સ્વાર્થ સાધવા માટે હસ્તક્ષેપ ન કરે.” ન (૪) આપણે જે કલ્યાણકારક દેવસંસ્કૃતિમાં જન્મ લીધો છે અને જ્યાં પાલનપોષણ થયું છે, ઉછેર થયો છે, એની ઉપર બીજી કોઈ વિકારયુક્ત સંસ્કૃતિ સવાર ન થઈ જાય. (૫) સેવા, શ્રેષ્ઠકર્મ અને સહકાર ભારતની ઓળખાણ છે. આપણે આપણી આ ઓળખ અને પ્રતિષ્ઠાને જાળવી રાખીએ. (૬) વયં રાષ્ટ્ર જાગૃયામ પુરોહિતાઃ આ વાક્યને સાચું ઠેરવવા માટે દેશની સેવા કરો. સૂચન- અગાઉ જણાવ્યા અનુસાર અભ્યાસ
જે વ્યક્તિ, જે દેશ આત્મનિર્ભર અને આત્મવિશ્વાસુ હોય તેને કોઈ ગુલામ બનાવી શકતું નથી. જે વ્યક્તિ યા દેશ પોતાની સંસ્કૃતિનું રક્ષણ કરે છે અને તેને પરિપુષ્ટ બનાવે છે તેને કોઈપણ પછાડી શકતું નથી. એટલે દેશની સેવા માટે એવા દૃષ્ટિકોણને અને કાર્યોને પસંદ કરવાં જોઈએ, જે તેના નાગરિકોમાં આત્મનિર્ભરતા, આત્મવિશ્વાસ અને સંસ્કૃતિ પ્રત્યેની નિષ્ઠાને વધારતાં હોય. જેમ કે – (૧) પોતાનાં બાળકોને ભારતીય સંસ્કૃતિ અને સ્વાતંત્ર્યસંગ્રામનો ઇતિહાસ રોચક તથા માર્મિક પ્રસંગો રૂપે વિસ્તારપૂર્વક સંભળાવતા રહો. (૨) પોતાનાં બાળકોનાં મૈત્રેયી, કરુણા, પ્રજ્ઞા તથા આદિત્ય, વિશ્વામિત્ર, વિક્રમ જેવાં શ્રેષ્ઠ સાંસ્કૃતિક તથા પૌરાણિક નામ રાખો. સગાંવહાલાં તથા ઓળખીતા-પારખીતાને પણ આ પ્રકારનાં નામો પાડવાની પ્રેરણા આપો. (૩) પોતાના કુટુંબમાં દાદા, દાદી, કાકા, કાઢી અને મામા, મામી વગેરે સંબોધનોનું ફરી પ્રચલન કરો. ‘બા’ તથા ‘બાપુજી’ જેવાં સંબોધનોમાં ઝળકતી આત્મીયતા ‘મમ્મી-ડેડી’ માં શોધવા છતાં મળતી નથી. (૪) પોતાનાં બાળકોને રાષ્ટ્રભાષા હિન્દી તથા દેવભાષા સંસ્કૃત પ્રત્યે નિષ્ઠાવાન બનાવવા માટે શરૂઆતથી જ એમના શિક્ષણની વ્યવસ્થા કરો. (૫) ભારતીય સંસ્કૃતિ અને દેવભાષા સંસ્કૃતના પ્રચાર તથા ફેલાવા માટે પોતાનો સમય, શ્રમ, બુદ્ધિ અને ધનનો એક અંશ નિરંતર ખર્ચતા રહો. આ દેશની સેવાનો શ્રેષ્ઠ ઉપાય છે. (૬) કરુણા, સેવા અને સહકારની ભાવનાને જીવંત રાખવા માટે કેટલાક વ્યાવહારિક ઉપાયો અગાઉનાં પાનાંઓમાં બતાવવામાં આવ્યા છે. તેમને સ્વયં અપનાવો અને પોતાનાં કુટુંબીજનો, ખાસ કરીને નાનાં નાનાં બાળકોને શિખવાડો. (૭) ટી.વી., ફિલ્મો, માસિકો, છાપાંના માધ્યમ દ્વારા થતાં અભદ્ર, અશ્લીલ અને ઉત્તેજક પ્રસારણો પર પ્રતિબંધ મુકાવવા તથા લોકોને એ દિશામાં પગલાં ભરવા પ્રેરિત કરો. કમ સે કમ પોતાનાં સગાંવહાલાં, મિત્રસમુદાય અને તેમનાં કુટુંબીજનોને એ વિકારોથી બચાવવાના ઉપાયો તાત્કાલિક અપનાવો. ન તો એવાં અશ્લીલ માસિકો ખરીદો કે ન એવાં પ્રસારણો જુઓ તથા સાંભળો. (૮) બજા૨માં જે ચીજવસ્તુઓ વેચાય છે તે સ્વદેશી અને વિદેશી બંને પ્રકારની હોય છે. જ્યારે આપ ખરીદી કરો ત્યારે સ્વદેશી વસ્તુ ખરીદવાનો જ આગ્રહ રાખો. (૯) જો આપ નોકરી કરતા હો, તો સમયસર આપની ફરજ પર પહોંચી જાઓ. પોતાનું કામ ઇમાનદારી અને જવાબદારીની ભાવના સાથે કરો. પૂરેપૂરા સમય સુધી અને મન લગાવીને કામ કરવું તે ઉચ્ચકોટિની દેશસેવા છે. (૧૦) જો આપ વ્યાપાર કરતા હો, તો ભેળસેળ કરવાના અનૈતિક અને પાપયુક્ત કર્મથી હંમેશાં દૂર રહો. ભેળસેળ કરવાથી નિર્દોષ લોકોના આરોગ્યને નુકસાન થાય છે એ જાણવા છતાં આ પ્રકારનું નિંદાજનક કર્મ કરવું તે પોતાના જીવાત્માને દુર્ગતિમાં નાંખવા જેવું છે. આવો ખોટનો વ્યાપાર ન કરો. બાળક આવે કે કોઈ મોટી વ્યક્તિ આવે સૌને એકસરખી કિંમત બતાવો. માલનું સાચું વજન કરો. એનાથી આપની પ્રતિષ્ઠા વધશે અને વ્યાપાર પણ વધશે.
(૧૧) અસામાજિક પ્રવૃત્તિઓ (કેફી પદાર્થોનું સેવન, વેચાણ, નશાખોરી, દુર્વ્યય, ગંદકી, કુરિવાજો, ભ્રષ્ટાચાર વગેરે)ની નાબૂદી તથા શ્રેષ્ઠ પ્રવૃત્તિઓ (શિક્ષણ, આરોગ્ય, પર્યાવરણનું રક્ષણ, સ્વાવલંબન, ગ્રામ્યવિકાસ, સ્વચ્છતા, ચિકિત્સા વગેરે)ના વિકાસ અને વિસ્તાર માટે પોતાના સમય, પ્રભાવ, જ્ઞાન, પરિશ્રમ અને ધનનો એક અંશ નિયમિત રૂપે ખર્ચી દેશને સંસ્કારવાન, ઉન્નત અને સમૃદ્ધ બનાવવાનાં પવિત્ર કાર્યો પૂરાં કરતા રહો.
આ પુસ્તક ઇચ્છિત લક્ષ્યને પૂરું કરવા માટે ખૂબ જ ઉપયોગી તથા સહાયરૂપ નીવડશે એવો વિશ્વાસ છે . નવા તથા જૂના તમામ સાધકો ઉજ્જવળ ભવિષ્યની રચના માટે તથા પોતાના વ્યક્તિત્વના વિકાસ માટે યોગ્ય લાભ ઉઠાવી શકે છે . માનવસેવા (દુખનિવારણ) માનવસેવા શા માટે કરવી ? માનવસેવા કરવાથી –
(૧) “ભગવાને મનુષ્યને સર્વોત્તમ યોનિ આપી છે, તો તેની સાથે કર્તવ્યો પણ સોંપ્યાં છે.’’ આ સત્યનો બોધ થાય છે. (૨) કરુણા, ઉદારતા, માનવતા જેવી ઉત્તમ ભાવનાનો વિકાસ થાય છે. (૩) જીવાત્મા પોતે જ પરમાત્મા તરફ વળવા લાગે છે. આ ખૂબ જ મોટી સિદ્ધિ છે. સૂચનો : (૧) ‘માનવસેવા એ પરમાત્માની સેવા છે.’ આ વિશ્વાસની સાથે સેવા કરો. (૨) ‘આ લાચાર વ્યક્તિની જગ્યાએ જો હું હોત, તો હું શું ઇચ્છત ?’ આવો કણાભાવ જગાડી સેવા કરો. (૩) અન્ય સૂચનો અગાઉ જણાવ્યા અનુસાર. અભ્યાસ (૧) જો આપના મિત્રસમુદાયમાં કોઈ સેવાભાવી વૈદ, હકીમ, ડૉક્ટર હોય તો તેને અઠવાડિયામાં એકવાર મફત સેવા આપવા માટે પોતાની સાથે ગામડાંઓમાં લઈ જાઓ. (૨) કોઈ વૈદ પાસે તુલસી, સૂંઠ, કાળાં મરી, હળદર, લીંબુ, આમળાં વગેરે સરળતાથી મળી રહેતી વસ્તુઓના પ્રભાવશાળી ઔષધીય પ્રયોગો લખાવી લો અને તેનાં પેમ્ફલેટ છપાવો. તેને સેલોટોપ દ્વારા મોટા પૂંઠા પર ચોંટાડી લો. બે કાણાં પાડી જાડો દોરો બાંધી દો કે જેથી તેને લટકાવી શકાય યા ટાંગી શકાય. એને લઈ ગામડાંઓમાં જાઓ અને દરેક ઘરદીઠ એક એક ખીલી મારી તેની ઉપર એ પૂંઠાને ટાંગી દો. આયુર્વેદ એ મનુષ્યની શ્રેષ્ઠ સેવા છે. (૩) નેત્રનિદાન યશ, કુષ્ઠરોગ નિવારણ યશ વગેરે અભિયાનો અવારનવાર યોજવામાં આવતાં જ હોય છે. ત્યાં આપ પહોંચી પોતાની સેવાઓ આપો. (૪) સેવાનિવૃત્ત થયેલ શિક્ષક પ્રાથમિક શાળામાં પોતાની સગવડતા અનુસાર આવતા જતા રહે. તેઓ બાળકોને મફત ભણાવે અને તેમનામાં સ્વચ્છતા, મીઠી વાણી, શાલીન વ્યવહાર વગેરે શ્રેષ્ઠ ગુણોનો વિકાસ થાય એવા પ્રયત્નો પણ કરે. (૫) वृद्ध વ્યક્તિ લખી આપે કે મારું મૃત્યુ થયા પછી અમુક સરકારી હોસ્પિટલને મારા સ્વસ્થ અવયવો કાઢી લેવા મંજૂરી આપી રહ્યો છું. તેનો ઉપયોગ ગરીબ દર્દીઓ માટે કરવામાં આવે. એ અધિકારપત્ર કોઈ હોસ્પિટલને સોંપી દો. (૬) સમૃદ્ધ વ્યક્તિ ૧૨ હજાર રૂપિયા આપી એક રજિસ્ટર્ડ ટ્રસ્ટ બનાવે. આ રૂપિયા બેંકમાં લાંબી મુદત માટે જમા કરાવી દે. એના દ્વારા મળતા વ્યાજથી પ્રાથમિક શાળાના દરેક વર્ગમાં અભ્યાસ કરનાર ગરીબ છોકરીઓ માટે ફી, સ્ટેશનરી ખર્ચ, કપડાં વગેરેની વ્યવસ્થા કરે. ખર્ચ કરવામાં આવેલ રકમના પથી ૧૦ ટકા શાળાના આચાર્ય, વર્ગશિક્ષકોને વેતન આપવાની વ્યવસ્થા કરે ત્યારે જ ટ્રસ્ટ ચાલશે . (૭) તન, મન, ધનથી સેવા કરો, વાણી અને વ્યવહારથી કરો, પ્રાર્થનાથી કરો. પ્રભુએ જેને જે કંઈપણ સામર્થ્ય આપ્યું છે એનાથી સેવા કરો, નમ્રતા, શ્રદ્ધા તથા ઉદારતાપૂર્વક સેવા કરો. નિઃસ્વાર્થ ભાવે માનવસેવા કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે. સેવા ભગવાનની કૃપા પ્રાપ્ત કરવાનો સર્વશ્રેષ્ઠ માર્ગ છે.
પ્રતિભાવો