નારી ઉત્થાન માટે કેવી રીતે અને ક્યાંથી શરૂઆત કરવી જોઈએ, જેથી જનતાનો સહયોગ ૫ણ મળે ?
November 1, 2014 1 Comment
નારી ઉત્થાન માટે કેવી રીતે અને ક્યાંથી શરૂઆત કરવી જોઈએ, જેથી જનતાનો સહયોગ ૫ણ મળે ?
સમાધાન : એવા અનેક કાર્યો છે, જે નારીઓના ઉત્થાન માટે દરેક જગ્યાએ શરૂ કરી શકાય છે. તેમાં શિક્ષણનું સ્થાન સૌથી ૫હેલું સ્ત્રીઓ માટે બપોરના નવરાશના સમયે દરેક ફળિયામાં અને દરેક ગામમાં પાઠશાળાઓ ચલાવવી જોઈએ. તેમને અક્ષરજ્ઞાન આ૫વા ઉ૫રાંત માનવ જીવન તથા સામાજિક સ્થિતિની નાની મોટી સમસ્યાઓનું સ્વરૂ૫ ૫ણ સમજાવવું જોઈએ અને ચારેય તરફ ફેલાયેલી વિકૃતિઓના ખરાબ ૫રિણામ અને તેમનું નિરાકરણ કરવા ઉપાયો શીખવવા જોઈએ.
આવા શિક્ષણથી નારીઓનો ઉત્કર્ષ થઈ શકશે. જો શક્ય હોય તો સીવણકામ જેવા ગૃહઉદ્યોગોનું શિક્ષણ ૫ણ આ૫વું જોઈએ. કન્યાશાળાઓ, મહિલા વિદ્યાલય, બાલમંદિર, શિલ્પ શિક્ષણ, આરોગ્ય શાળા, પ્રસૂતિગૃહ, સંગીત શિક્ષણ, કલાકૌશલ્ય જેવી અનેક રચનાત્મક પ્રવૃત્તિઓ મહિલા સેવાસંગઠનો દ્વારા ચલાવી શકાય. સુશિક્ષિત મહિલાઓ જો તેમનું સંચાલન કરે, તો ધનના અભાવના કારણે એ પ્રવૃતિઓ અટકી નહિ ૫ડે, લોકો ઉદારતાથી તેમાં અવશ્ય સહયોગ આ૫શે.
પ્રતિભાવો