૧૮. પસંદગીનો સાચો આધાર : લગ્નના આદર્શો અને સિદ્ધાંતો

લગ્નના આદર્શો અને સિદ્ધાંતો : આદર્શ લગ્ન માટે એ આવશ્યક છે કે એનો નિર્ણય આદર્શવાદી સિદ્ધાન્તોના આધાર પર જ થાય.

એવું ન બને કે એક તરફ સુધારાવાદી અને સુધરેલી લગ્નપદ્ધતિથી લગ્ન થાય અને વર કન્યાના સંબંધનો નિર્ણય ખામીભર્યા દૃષ્ટિકોણવાળો હોય. રીતરિવાજ અને પદ્ધતિઓનું એટલું મહત્ત્વ નથી કે જેટલું એના મૂળ આધારનું છે. એટલા માટે જ આ સંબંધમાં આપણે આપણી માન્યતાઓમાં ફેરફાર કરવો જોઈએ અને યોગ્યતાને અનુલક્ષીને લગ્નો નક્કી કરવાં જોઈએ.

પસંદગીનો સાચો આધાર : લગ્નના આદર્શો અને સિદ્ધાંતો


છોકરો છોકરીની અને છોકરી છોકરાની પસંદગી કરે તો ગુણ, કર્મ, સ્વભાવ વગેરેના આધારે કરવી જોઈએ. આ દૃષ્ટિકોણ અપનાવાય તો વાંધો નથી, પણ એવું ક્યાં થાય છે ? પાંચ દસ મિનિટની મુલાકાતમાં એ શક્ય નથી. માત્ર એને જોઈ જ શકાય. આજે તો ફોટો મંગાવીને નાચગાન અને સૌંદર્યના આધારે જ શિક્ષિત વર્ગ દ્વારા પસંદગી થઈ રહી છે. છોકરાઓ હવે માબાપ પર વિશ્વાસ નથી રાખતા. એ સમજે છે કે તેઓ પુરાણા સિદ્ધાન્તોથી કસોટી કરશે. સ્વસ્થ અને સુશીલ જોઈને પસંદગી કરી લેશે. સિનેમાની અભિનેત્રીઓને જે દૃષ્ટિએ પસંદ કરવામાં આવે છે એ દૃષ્ટિ એમની પાસે ન હોવાથી એમની એટલે કે માબાપોની પસંદગી સંપૂર્ણ નહીં હોય ! એટલે આપણે જ પસંદગી કરવી જોઈએ. આવો દૃષ્ટિકોણ હોય તો ભવિષ્યમાં દામ્પત્યજીવનમાં ક્યારેક નાપસંદગીનું સંકટ ઊભું થવાનો સંભવ છે. એટલા માટે જ્યાં, જે સ્થળે, જે ઘરમાં આ બાબત ઉપર ભાર મૂકવામાં આવે ત્યાં એને ‘કુપાત્રતા’ માનવી જોઈએ અને છોકરીઓને એ સંકટમાંથી બચાવવી જોઈએ.

જો ગુણને લગ્નનો આધાર માનવામાં આવશે તો ગુણવૃદ્ધિ થશે. આવી સ્પર્ધા ઇચ્છવાયોગ્ય છે. એમાં વ્યક્તિ અને દેશનું કલ્યાણ છે. રૂપની માંગ વધશે તો ઈશ્વરની રચનાને તો નહીં બદલી શકાય. આંખોને ભ્રમમાં નાખનાર ઉદ્ધત વેશપરિધાન વધશે. ખર્ચાળ આદતો અને દૂષિત દૃષ્ટિની ગ્રહસ્થની આર્થિક અને ચારિત્રિક સ્થિતિ પર ખરાબ અસર વર્તાશે. આપણે આ ઉદ્ધૃત દૃષ્ટિકોણને સુધારવો જોઈએ. આદર્શવાદી યુવકોએ આથી જુદો દષ્ટિકોણ અપનાવી પોતાની આંતરિક મહાનતાનો પરિચય આપવો જોઈએ. સુંદર છોકરા શ્યામ છોકરીને પસંદ કરે, સુશિક્ષિત યુવક અશિક્ષિત છોકરીને પસંદ કરે અને અમીર યુવક ગરીબ ઘર પર પસંદગી ઉતારે. એનાથી નિરાશ લોકોમાં આશાનો સંચાર થશે. ઉપકૃત પક્ષ એમની મહાનતાનો શ્રદ્ધા સાથે આદર કરશે. જ્યાં આ પ્રકારની કૃતજ્ઞતા અને શ્રદ્ધાનો સમાવેશ થઈ શકે ત્યાં એને ગૃહસ્થની સંપૂર્ણ સફળતાનો સમાવેશ થઈ શકે ત્યાં એને ગ્રહસ્થની સંપૂર્ણ સફળતાનો સુનિશ્ચિત આધાર માની શકાય. આધ્યાત્મિક આદર્શવાદી દૃષ્ટિકોણ જીવનના પ્રત્યેક ક્ષેત્રને સફળતાપૂર્વક પરિપૂર્ણ કરી શકે છે. દામ્પત્યજીવનને સ્વર્ગના જેવી પ્રસન્નતાથી પૂર્ણ કરી શકે છે. આપણે નવી પેઢીને, ખાસ કરીને યુવકોને સમજાવવું જોઈએ કે તેઓ રૂપતૃષ્ણા અને ભોગ-તૃષ્ણાથી દૂર રહે અને પોતાની સહચારિણી કદાચ યોગ્ય શિક્ષણ પામેલી ન હોય, તો પણ એને પોતાને યોગ્ય બનાવવાની આદર્શવાદિતાનું ઉદાહરણ રજૂ કરે.

આ એક સામાન્ય વ્યવહારની બાબત છે કે છોકરો-છોકરી પોતાની સ્થિતિ તથા યોગ્યતાને અનુરૂપ જીવનસાથી શોધે. પોતાની સ્થિતિ કરતાં ઊંચુ પાત્ર શોધવું અયોગ્ય છે. કાળા-કુરૂપ અને મધ્યમ વર્ગના છોકરાઓ જો ખૂબ સુંદર છોકરી ખોળે તો તે અયોગ્ય છે. એવી જ રીતે ઓછું ભણેલા વધુ ભણેલી પત્ની મેળવવા ઇચ્છે તો એ પણ અયોગ્ય છે. એવી જ રીતે જો અશિક્ષિત અને કુરૂપ યુવતીઓ પોતાના કરતાં ચડિયાતા ગુણ, કર્મ અને સ્વભાવવાળા પાત્રની માગણી કરે તો એ ન્યાયોચિત નથી. સારું તો એ છે કે બન્ને પક્ષ સમાન કક્ષાનાં પાત્ર ઇચ્છે અને એમાં જ સંતોષ માને. જ્યારે ઉચ્ચ આદર્શનો પ્રશ્ન સામે આવે ત્યારે પોતાની તુલનામાં થોડું ઓછું યોગ્ય પાત્ર હોય તો પણ તેનો સ્વીકાર કરવો જોઈએ. પોતાની વિશેષતાનો એને લાભ આપવો જોઈએ. એનાથી સામો પક્ષ ત્યાગ અને ઉદારતાથી પ્રભાવિત થઈ કૃતજ્ઞ બને છે અને ત્યાગના બદલામાં દામ્પત્યજીવનમાં વધુ સરસતા અને સુખદ સ્થિતિનો લાભ મળે છે. રૂપાળા અને વિદ્વાન છોકરા જો કુરૂપ અને અશિક્ષિત છોકરીનો સ્વીકાર કરી એને પોતાની શ્રેષ્ઠતાથી લાભાન્વિત કરે તો એ વાત ચોક્કસ છે કે તેઓ પત્નીની શ્રદ્ધાના ભાગીદાર બનશે. એને એક ઉદાર વ્યવહાર માનવામાં આવશે. એમાં ત્યાગ પણ છે અને ઓછા શિક્ષિત પાત્રને સુયોગ્ય બનાવવાની સદ્ભાવના અને સજ્જનતા પણ છે. આવી સજ્જનતાની બધે પ્રશંસા જ થશે. ત્યાગ અને ઉપકારની ભાવના સાથે જો આવું પગલું ભરવામાં આવે તો એક પ્રકારનો આત્મસંતોષ પણ મળે છે. એની પ્રતિક્રિયા મંગલમય અને કલ્યાણમય હોય છે.

આ જ વાત યુવતીઓને પણ લાગુ પડે છે. જો તેઓ સુંદર, શિક્ષિત અને સુયોગ્ય હોય તો તેમને તેવો જીવનસાથી મેળવવાનો અધિકાર છે, પણ તેઓ આદર્શની દષ્ટિએ વિચારી પોતાની શ્રેષ્ઠતાને ચરિતાર્થ કરે અને પોતાના કરતાં થોડા ઓછા સુંદર અને ઓછું ભણેલા પતિનો સ્વીકાર કરી તેને પોતાની વિશિષ્ટતાઓથી લાભાન્વિત કરવો જોઈએ. ઓછા રૂપાળા, ઓછું ભણેલા અને ઓછી યોગ્યતાવાળા

યુવકોને કેટલીય વિદુષી મહિલાઓએ અપનાવ્યા છે અને પોતાની શ્રેષ્ઠતાનો લાભ આપી તેમની પ્રગતિમાં ખૂબ આશાપૂર્ણ યોગદાન આપ્યું છે. આદર્શનો એ માર્ગ અપનાવીને એમને પણ આ ત્યાગના ફળરૂપે પ્રાપ્ત થતો આત્મસંતોષ મળ્યો છે. આમ એ કૃતજ્ઞ પતિ તેમને માટે વધુ સહાયક અને સદ્ભાવનાસંપન્ન બને છે. આ પ્રકારની ઉદારતા બેમાંથી જે કોઈ પક્ષે બતાવી છે તેને પોતાની શ્રેષ્ઠતાનું યોગ્ય અને સુંદર ફળ બદલામાં મળ્યું છે.

લગ્નની પૂર્વતૈયારી આજ આદર્શો અનુસાર હોવી જોઈએ. જો પાયો સાચો હશે તો પરિણામ સારું જ આવશે. આદર્શવાદી સિદ્ધાન્તોને અપનાવીને જે લગ્નો ગોઠવાયાં હોય એવાં લગ્નોને જ આદર્શ લગ્ન કહી શકાશે.

૧૭. રૂપસુંદરી અને સુગૃહિણી : લગ્નના આદર્શો અને સિદ્ધાંતો

લગ્નના આદર્શો અને સિદ્ધાંતો : આદર્શ લગ્ન માટે એ આવશ્યક છે કે એનો નિર્ણય આદર્શવાદી સિદ્ધાન્તોના આધાર પર જ થાય.

એવું ન બને કે એક તરફ સુધારાવાદી અને સુધરેલી લગ્નપદ્ધતિથી લગ્ન થાય અને વર કન્યાના સંબંધનો નિર્ણય ખામીભર્યા દૃષ્ટિકોણવાળો હોય. રીતરિવાજ અને પદ્ધતિઓનું એટલું મહત્ત્વ નથી કે જેટલું એના મૂળ આધારનું છે. એટલા માટે જ આ સંબંધમાં આપણે આપણી માન્યતાઓમાં ફેરફાર કરવો જોઈએ અને યોગ્યતાને અનુલક્ષીને લગ્નો નક્કી કરવાં જોઈએ.

રૂપસુંદરી અને સુગૃહિણી : લગ્નના આદર્શો અને સિદ્ધાંતો

પ્રાચીન સમયમાં છોકરીઓનાં કુળ તથા શીલ જોવામાં આવતાં હતાં. પુરોહિત જઈને છોકરા-છોકરીની બાબતે પૂરેપૂરી માહિતી મેળવી લેતા. પાત્ર સંતોષજનક અને સુયોગ્ય લાગે તો લગ્ન કરી દેવામાં આવતાં. આવાં લગ્નો બધી રીતે સફળ પણ થતાં. વરવધૂ પોતાના સાથી સાથે વિશુદ્ધ ધર્મકર્તવ્ય સમજી ખૂબ આનંદપૂર્વક જીવન નિભાવતાં. ત્યારે રૂપની નહિ પણ પોતાના સાથીને નિભાવવાની, ધર્મકર્તવ્યનું પાલન કરવાની દૃષ્ટિ હતી. હવે આ દૃષ્ટિ બદલાઈ છે. આ યુગમાં હવે વાસનાત્મક તથા કામુક દૃષ્ટિકોણ અપનાવાઈ રહ્યો છે તેથી રૂપવતી રમણીની આકાંક્ષા જાગી છે. હરકોઈ યુવકને પરીની લગન લાગી છે. આ બદલાયેલા દૃષ્ટિકોણોનો અનુભવ છોકરીઓ પણ કરવા લાગી છે અને એટલે જ તો વધુ રૂપાળી દેખાવા માટે અનેક પ્રયત્નો કરી રહી છે. રૂપ બદલી શકાતું નથી. જે ઈશ્વરે આપ્યું છે એવું જ રહે છે. કુરૂપતાને સુંદરતામાં કેવી રીતે બદલી શકાય એનો ઉપાય એક જ છે અને તે છે કેશગુંફ્ન. સમયની માંગને અનુરૂપ બનવા માટે એના સિવાય એ બિચારી કરે પણ શું ?

આપણે ઉચિત પરિવર્તનને જ સમર્થન આપવું જોઈએ. નવી પેઢીના છોકરાઓનું પરિવર્તન પ્રત્યેક દષ્ટિએ ખતરનાક છે. એ એમની દૂષિત દૃષ્ટિનું પરિણામ છે. વિદ્યાવતી, ગુણવતી અને શાલીન છોકરી ખોળવાની વાત તો જાણે બરાબર છે, પણ રૂપવતી ખોળવી અને લગ્નના બાહ્ય દેખાવ ઉપરથી જ પસંદગી કરવી એ એવો દષ્ટિકોણ છે, જેના કારણે એમનું લગ્ન અસફળ પણ થઈ શકે છે. ધનને ચંચળ કહેવામાં આવ્યું છે, પણ રૂપ એનાથી પણ વધુ ચંચળ છે. ગૃહસ્થી અને કામધંધામાં અટવાયેલી બે ત્રણ બાળકોની માતા ત્રીસમા વર્ષે પહોંચતા પહોંચતા તો રૂપયૌવન ખોઈ બેસે છે અને ત્યારે પતિ એની ઉપેક્ષા કરે છે અને બીજી નવી શોધ શરૂ કરે છે. ભોગવાદી દષ્ટિકોણ અપનાવીને આપણે જીવનની, સમાજની પ્રત્યેક સમસ્યાને વધું ગુંચવીશું. લગ્ન જેવા પવિત્ર આદર્શને પણ આ કાદવમાં ધકેલી દઈશું તો કેવળ ઈશ્વર જ આપણને બચાવી શકશે. યુરોપમાં શિક્ષણનો વધુ વ્યાપ, નારીની સ્વતંત્રતા અને બધાને રોજગાર મળી રહે તેવી સુવિધાના કારણે પતિની આંખોમાંથી ઊતરી ગયેલી ઉપેક્ષિત નારી પોતાના પગ ઉપર તો ક્યારેક ઊભી રહી શકશે, પણ ભારતમાં હજી એવી સુવિધા નથી. રૂપ કૃષિત પતિની આંખોમાંથી ઊતરી ગયેલ પત્ની શું કરશે ? અહીં આ જટિલ શું પ્રશ્ન છે.

૧૫. રંગરૂપ નહીં, ગુણ-કર્મ : : લગ્નના આદર્શો અને સિદ્ધાંતો

લગ્નના આદર્શો અને સિદ્ધાંતો : આદર્શ લગ્ન માટે એ આવશ્યક છે કે એનો નિર્ણય આદર્શવાદી સિદ્ધાન્તોના આધાર પર જ થાય.

એવું ન બને કે એક તરફ સુધારાવાદી અને સુધરેલી લગ્નપદ્ધતિથી લગ્ન થાય અને વર કન્યાના સંબંધનો નિર્ણય ખામીભર્યા દૃષ્ટિકોણવાળો હોય. રીતરિવાજ અને પદ્ધતિઓનું એટલું મહત્ત્વ નથી કે જેટલું એના મૂળ આધારનું છે. એટલા માટે જ આ સંબંધમાં આપણે આપણી માન્યતાઓમાં ફેરફાર કરવો જોઈએ અને યોગ્યતાને અનુલક્ષીને લગ્નો નક્કી કરવાં જોઈએ.

રંગરૂપ નહીં, ગુણ-કર્મ : : લગ્નના આદર્શો અને સિદ્ધાંતો

આજે તો છોકરા છોકરીઓનાં રંગરૂપ ઉપર વધુ ધ્યાન આપવામાં આવે છે. ખાસ કરીને છોકરીઓની પસંદગી એના રૂપરંગના આધારે કરવામાં આવે છે. આ દૃષ્ટિકોણ એક સામાજિક દૂષણના રૂપમાં ફેરવાઈ ગયો છે. એનાં અનેક દુષ્ટ પરિણામ આવી રહ્યા છે. ભારતની આબોહવા ગરમ છે. પંજાબ અને ઉત્તરભાગ તથા કાશ્મીરને બાદ કરતાં બીજા પ્રાન્તોમાં મધ્યમ રંગના સ્ત્રી પુરુષ જોવા મળે છે. દક્ષિણ ભારતમાં તો મોટા ભાગના માણસો શ્યામ રંગના જોવા મળે છે. ઉત્તર તથા મધ્યભારતમાં પણ એવી સંખ્યા ઓછી નથી. આપણા દેશમાં ત્રણ ચતુર્થાંશ માણસો એવા છે કે જેમને સિનેમાના એક્ટરની કસોટી પર કસવામાં આવે તો એમને શ્યામ જ કહેવા પડે. સ્ત્રી હોય કે પુરુષ તમામને આ વાત લાગુ પડે છે. ભારત યુરોપ નથી કે જ્યાં ગોરાં અને નખ શિખ સુંદર સ્ત્રી-પુરુષો મળે. એ સ્થિતિમાં સુંદરતા અને રૂપરંગને જ આધાર માનીને છોકરીઓની પસંદગી કરવામાં આવે તો બહુ મોટી સમસ્યા ઊભી થશે. ખૂબ ઓછી યુવતીઓ એ રીતની યોગ્યતા ધરાવી પસંદગી પામો. બાકી બધીને રદ્દી કાગળની ટોપલીમાં ફેંકવા લાયક માનવામાં આવશે. પછી એ બિચારીઓનું શું થશે ? એમની સાથે લગ્ન કોણ કરશે ?

“રૂપના આધાર પર જીવનસાથીની પસંદગી” એ એક ખતરનાક ખેલ છે. એમાં ગુણોની ઉપેક્ષા કરવાની અને ગુણોને ગૌણ સમજવાની ભાવના છુપાયેલી છે. ઓછી રૂપાળી પણ ગુણવાનના બદલે સુંદર પરંતુ ગુણહીન છોકરીને મહત્ત્વ મળવા લાગે તો એમ કહેવું પડશે કે આપણે આધ્યાત્મિક આદર્શોનો ત્યાગ કરીને પૂરેપૂરા ભૌતિકવાદી દષ્ટિકોણવાળા બની ગયા છીએ. આત્માના બદલે ચામડીને મહત્ત્વ આપવામાં આવ્યું છે. અત્યારે તો આવી માગણી છોકરાઓ તરફથી થાય છે. તેઓ સુંદર અને ગોરી કન્યાઓની પસંદગી કરે છે. પણ થોડા સમય પછી એની પ્રતિક્રિયા થશે. છોકરીઓ પણ એવી જ પસંદગી કરશે તો શ્યામ અને કુરૂપ છોકરાઓનાં લગ્ન થવાં જ મુશ્કેલ બની જશે.

૧૪. શ્રીમંતો તરફ ન દોડો : લગ્નના આદર્શો અને સિદ્ધાંતો

લગ્નના આદર્શો અને સિદ્ધાંતો : આદર્શ લગ્ન માટે એ આવશ્યક છે કે એનો નિર્ણય આદર્શવાદી સિદ્ધાન્તોના આધાર પર જ થાય.

એવું ન બને કે એક તરફ સુધારાવાદી અને સુધરેલી લગ્નપદ્ધતિથી લગ્ન થાય અને વર કન્યાના સંબંધનો નિર્ણય ખામીભર્યા દૃષ્ટિકોણવાળો હોય. રીતરિવાજ અને પદ્ધતિઓનું એટલું મહત્ત્વ નથી કે જેટલું એના મૂળ આધારનું છે. એટલા માટે જ આ સંબંધમાં આપણે આપણી માન્યતાઓમાં ફેરફાર કરવો જોઈએ અને યોગ્યતાને અનુલક્ષીને લગ્નો નક્કી કરવાં જોઈએ.

શ્રીમંતો તરફ ન દોડો : આ પરિવર્તન લાવવાની સાથોસાથ એ પણ ધ્યાન રાખવામાં આવે કે પોતાની કક્ષાના પરિવાર સાથે જ સંબંધો બાંધવામાં આવે. ખાસ કરીને જ્યારે કન્યા માટે વર ખોળવામાં આવે ત્યારે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે ખૂબ શ્રીમંત પરિવાર તો નથી ને! કારણ કે શ્રીમંતાઈભર્યા વાતાવરણમાં જે છોકરાઓનો ઉછેર થયો હોય છે તેમના મગજમાં અમીરીની દુર્ગંધ ભરેલી હોય છે. એવા છોકરાઓમાં અભિમાન અને વ્યસન જેવાં અનેક દૂષણો જોવા મળે છે. અને વળી આ યુગમાં પૈતૃક સમૃદ્ધિનું કાંઈ કહેવાય નહિ. સરકાર મૃત્યકર અને પિતાની મિલ્કતમાં દીકરીનો હિસ્સો જેવા કાયદા કરીને સ્થાયી સંપત્તિને છિન્નભિન્ન કરવાની વ્યવસ્થા કરી રહી છે. એટલા માટે સમૃદ્ધ લોકો સામે પ્રસ્તાવ મૂકીને એમના છોકરાઓનો ભાવ વધારવો જોઈએ નહિ. એ જ રીતે જે છોકરાઓ ખૂબ ભણેલા હોય તેમને તેમની કક્ષાની ન્યાઓ માટે બાજુ પર રાખવા જોઈએ.

સામાન્ય શિક્ષણ, સામાન્ય રંગરૂપ અને સામાન્ય પરિવારની દીકરીને જો એના માબાપ પોતાની આર્થિક ક્ષમતાનો નાશ કરીને પણ ઊંચા સ્તરના છોકરાઓ સાથે લગ્નસંબંધ બાંધો તો પરિણામે છેવટે છોકરીને સહન કરવાનું આવશે. એવા પરિવારોમાં એને આરામ કે સન્માન નહિ મળે, પરંતુ મુશ્કેલીઓ જ સહન કરવાની આવશે.

આજકાલ છોકરાઓ માટે જાણે કે હરાજીની બોલી બોલવામાં આવે છે. છોકરાવાળાઓનો મિજાજ સાતમાં આસમાને હોય છે. આવી હોડમાં જે છેલ્લી બોલી બોલે છે તે તો બિચારો પિસાઈ જ જાય છે. એટલે જ પોતાની કક્ષાનો અથવા થોડી નીચી કક્ષાના પરિવારનો છોકરો ખોળવો એ જ ઉત્તમ છે.

સાચી સંપત્તિ તો પ્રતિભા અને સજ્જનતા છે. એના આધારે જ છોકરાની પરખ કરવી જોઈએ. આવક ઓછી હોય તો પણ એવા પાત્રને પ્રાથમિકતા આપવી જોઈએ. કારણ કે પ્રતિભાવાન છોકરો પોતાની રીતે આગળ વધી ઉન્નતિ કરી શકશે. જે છોકરો સજ્જન હોય તેની સાથે પત્નીને ગરીબીમાં પણ અમીરીનો આનંદ મળી શકો. ઉત્તમ તો એ છે કે આપણે ગરીબ છોકરો ખોળીએ અને જે પૈસા લગ્નમાં ખર્ચ કરવાના હોઈએ તે તેના શિક્ષણ માટે અને એની પ્રગતિ માટે ખર્ચી એને સ્વાવલંબી બનાવવાનો પ્રયત્ન કરીએ. એમાં એક પ્રકારની ઉદારતા છે, અને પૈસાનો સદુપયોગ પણ છે.

૧૩. અયોગ્ય માન્યતાઓ બદલો : લગ્નના આદર્શો અને સિદ્ધાંતો

લગ્નના આદર્શો અને સિદ્ધાંતો : આદર્શ લગ્ન માટે એ આવશ્યક છે કે એનો નિર્ણય આદર્શવાદી સિદ્ધાન્તોના આધાર પર જ થાય.

એવું ન બને કે એક તરફ સુધારાવાદી અને સુધરેલી લગ્નપદ્ધતિથી લગ્ન થાય અને વર કન્યાના સંબંધનો નિર્ણય ખામીભર્યા દૃષ્ટિકોણવાળો હોય. રીતરિવાજ અને પદ્ધતિઓનું એટલું મહત્ત્વ નથી કે જેટલું એના મૂળ આધારનું છે. એટલા માટે જ આ સંબંધમાં આપણે આપણી માન્યતાઓમાં ફેરફાર કરવો જોઈએ અને યોગ્યતાને અનુલક્ષીને લગ્નો નક્કી કરવાં જોઈએ.

અયોગ્ય માન્યતાઓ બદલો : લગ્નના આદર્શો અને સિદ્ધાંતો

આ પ્રકારની માન્યતા યોગ્ય ગણાય કે નહિ એ વિચારણીય પ્રશ્ન છે. પ્રશ્નનો ઉત્તર ‘ના’માં જ મળશે. ખૂબ જ ઉદાર ભાવનાવાળો હોવાથી કન્યાપક્ષ હંમેશા અધિક સન્માનનીય છે. સાચું તો એ છે કે એમના પ્રત્યે કૃતજ્ઞતા અને ઉદારતાપૂર્વકનો નમ્ર વ્યવહાર થવો જોઇએ. કદાચ એમ ન બની શકે તો વરપક્ષવાળાએ દેવની જેમ પૂજાતા રહેવાનો ‘જન્મસિદ્ધ અધિકાર’ વાળો વ્યવહાર તો છોડવો જ જોઈએ. પોતાના તરફથી પોતાની સ્થિતિ અનુસાર કોઈ સ્વાગત સત્કાર કરે એ જુદી વાત છે. આમેય સામાન્ય રીતે કન્યાપક્ષવાળા વરપક્ષનો સત્કાર ખૂબ પ્રેમથી કરે જ છે. પોતાની શક્તિ અનુસાર એમાં કોઈ કસર નથી રહેવા દેતા, પરંતુ વરપક્ષવાળાની દેવપૂજા જેવા સત્કારની માગણી તદ્દન અયોગ્ય છે.

લગ્નની બાબતે અયોગ્ય કુરિવાજો છોડવા જ જોઈએ. જ્યારે આપણે આવી માન્યતાઓને બદ લવાનો દૃષ્ટિકોણ સ્વીકારીએ તો કન્યાપક્ષવાળા નીચા હોવાની માન્યતાને તિલાંજલિ આપવી પડશે જ. કન્યાપક્ષનું આસન ઊંચું જ છે કારણ કે એ દાતાપક્ષ-દાન દેનાર પક્ષ છે અને એટલે જ એમના પ્રત્યે સન્માનભર્યું વલણ હોવું આવશ્યક છે. સાળા અને બનેવીએ સગા ભાઈઓ જેવો ભાવ રાખવો જોઈએ અને કન્યા તથા વરના પિતાઓએ તથા સંબંધીઓએ પણ સગા ભાઈઓ જેવો પ્રેમ રાખવો જોઈએ. કોઈ બીજા પાસે સન્માનની માગણી ન કરે. પરંતુ માગ્યાવગર જ એકબીજાને સન્માન આપે. જેટલો આદરસત્કાર મળે એનો ઉપકારવશ સ્વીકાર કરે. બન્ને પક્ષો જ્યારે આવો આત્મીય વ્યવહાર કરશે ત્યારે બન્ને પરિવારોમાં સાચો સ્નેહ તથા સૌજન્ય વૃદ્ધિ પામશે. એટલું જ નહિ, આનો પ્રભાવ પતિપત્ની ઉપર પડશે અને તેમનું ગૃહસ્થ જીવન સફળ બનશે.

૧૬. ખતરનાક પ્રતિક્રિયાનું ધ્યાન રાખવું ઘટે : લગ્નના આદર્શો અને સિદ્ધાંતો

લગ્નના આદર્શો અને સિદ્ધાંતો : આદર્શ લગ્ન માટે એ આવશ્યક છે કે એનો નિર્ણય આદર્શવાદી સિદ્ધાન્તોના આધાર પર જ થાય.

એવું ન બને કે એક તરફ સુધારાવાદી અને સુધરેલી લગ્નપદ્ધતિથી લગ્ન થાય અને વર કન્યાના સંબંધનો નિર્ણય ખામીભર્યા દૃષ્ટિકોણવાળો હોય. રીતરિવાજ અને પદ્ધતિઓનું એટલું મહત્ત્વ નથી કે જેટલું એના મૂળ આધારનું છે. એટલા માટે જ આ સંબંધમાં આપણે આપણી માન્યતાઓમાં ફેરફાર કરવો જોઈએ અને યોગ્યતાને અનુલક્ષીને લગ્નો નક્કી કરવાં જોઈએ.

ખતરનાક પ્રતિક્રિયાનું ધ્યાન રાખવું ઘટે : લગ્નના આદર્શો અને સિદ્ધાંતો


થોડાક સમય પહેલાં બિહાર પ્રાન્તના એક સમાચાર ‘યુગનિર્માણ યોજના’ પત્રિકામાં છપાયા હતા. એક છોકરો ખૂબ જ સુંદર છોકરી સાથે લગ્ન કરવા ઇચ્છતો હતો. પોતે છોકરીને જોઈને જ પસંદ કરશે એવો આગ્રહ એણે રાખેલો. અનેક છોકરીઓ એણે જોઈ અને નાપસંદ કરી. છેવટે એક સુંદર છોકરી એણે જોઇ અને પસંદ કરી. સગાઈ પાકી કરવા સારી એવી સંખ્યામાં અગ્રગણ્ય સજ્જનો ભેગા થયા. એ જ વખતે છોકરીએ કહેવડાવી દીધું કે છોકરો દેખાવડો નથી. એટલે તેણીને પસંદ નથી. હાજર રહેલા લોકોએ તેણીને સમજાવવા ખૂબ મથામણ કરી, પરંતુ છોકરીએ કહ્યું કે જ્યારે ચામડી જ સર્વસ્વ છે અને ઊજળી ચામડી જ હોવાના કારણે આ મહાશય અનેક છોકરીઓને નાપસંદ કરી ચૂક્યા છે, તો હું પણ ચામડીના મહત્ત્વને ઓછું શું કામ આકુ ? અને જ્યારે આ છોકરો મારાથી ઓછો રૂપાળો છે ત્યારે હું પણ એની સાથે લગ્ન શા માટે કરું ? છોકરીની વાત બરાબર હતી. તેણીને છોકરાની આ ક્ષુદ્રતાના કારણે ક્ષોભ પણ થયો હતો, એટલે ખૂબ પ્રયત્ન કરવા છતાં છોકરી સંમત ન થઈ અને છેવટે છોકરાને શરમિંદા બનીને પાછા જવું પડયું. પોતાના સાથી મિત્રો એને શીખવાડતા હતા કે પરી જેવી વહુ ખોળતાં પહેલાં યાર તારો ચહેરો તો અરીસામાં જોઈ લે તો !

એ વાતનું આશ્ચર્ય થાય છે કે કુરૂપ છોકરાઓ પણ રૂપવતી છોકરીઓની માગણી કરે છે. જો આ પ્રવૃત્તિ વધતી ચાલી તો થોડા વખતમાં ભારત યુરોપ બની જશે. રૂપયૌવનની લાલસાવાળાં અને ગુણ, કર્મ તથા સ્વભાવને મહત્ત્વ ન આપતાં છોકરાછોકરીઓ અતૃપ્ત રહીને ભટકતાં રહેશે. એમને અધિક રૂપની તરસ પોતાના સાથી સાથે પણ સંતોષપૂર્વક નહીં રહેવા દે. છેવટે આપણા દેશવાસીઓનું ગૃહસ્થ જીવન પણ યુરોપવાસીઓની માફ્ક નારકીય બની જશે. ખરેખર તો અહીં સ્થિતિ વધારે ખરાબ થશે, કારણ કે અહીં મોટા ભાગના માણસો શ્યામ અને ઘઉંવર્ણા હોય છે. એમને ઉપેક્ષિત અને તિરસ્કૃત કરવામાં આવશે તો શું થશે એની કલ્પના કરવી અઘરી છે. થોડાંક રૂપાળાંને શું બાદ કરતાં બાકીનાં કુરૂપ છોકરા છોકરીઓને મુશ્કેલીનો સામનો કરવો પડશે.

૧૨. દરજ્જો કોનો મોટો ? કોનો નાનો ? : લગ્નના આદર્શો અને સિદ્ધાંતો

લગ્નના આદર્શો અને સિદ્ધાંતો : આદર્શ લગ્ન માટે એ આવશ્યક છે કે એનો નિર્ણય આદર્શવાદી સિદ્ધાન્તોના આધાર પર જ થાય.

એવું ન બને કે એક તરફ સુધારાવાદી અને સુધરેલી લગ્નપદ્ધતિથી લગ્ન થાય અને વર કન્યાના સંબંધનો નિર્ણય ખામીભર્યા દૃષ્ટિકોણવાળો હોય. રીતરિવાજ અને પદ્ધતિઓનું એટલું મહત્ત્વ નથી કે જેટલું એના મૂળ આધારનું છે. એટલા માટે જ આ સંબંધમાં આપણે આપણી માન્યતાઓમાં ફેરફાર કરવો જોઈએ અને યોગ્યતાને અનુલક્ષીને લગ્નો નક્કી કરવાં જોઈએ.

૧૨. દરજ્જો કોનો મોટો ? કોનો નાનો ? : લગ્નના આદર્શો અને સિદ્ધાંતો

દીકરીવાળાનો મોભો નીચો જ હોય અને દીકરાવાળાની કક્ષા ઊંચી હોય એમ માનવું તે જરા પણ યોગ્ય નથી. દીકરીવાળા દીકરાવાળા સામે નતમસ્તકે કાકલુદી અને પ્રાર્થના કરતા રહે. એ લોકો

જો ધમકાવે કે અપમાન કરે તો પણ નમ્ર ભાવે સહન કરતા રહે એ ન્યાયસંગત નથી અને યોગ્ય પણ નથી. લેનાર કરતાં આપનારનું આસન હંમેશાં ઊંચું જ હોય છે. લોકરિવાજ એવો છે કે કોઈ વ્યક્તિ બીજા કોઈને દાન કે ભેટ આપે તો લેનારો પોતાની કૃતજ્ઞતા પ્રગટ કરે છે અને આ ઉદારતા માટે આભાર માને છે.


સામાન્ય મદદ પણ જેમના તરફથી આપણને પ્રાપ્ત થાય ત્યારે આપણે તેમને ધન્યવાદ આપીએ છીએ. જ્યારે પોતાનો આત્મા એટલે કે પોતાની દીકરી કશું જ લીધા વગર આજીવન સેવા અને સહાયતા માટે આપનારનું દાન તો કેટલું મોટું ગણાય ? જીવનની અધુરપ દૂર કરનારી અને અપૂર્ણતાને પૂર્ણતાથી ભરી દેવાવાળી જીવન સહચરીનું કેટલું મૂલ્ય હોય છે એની તો કલ્પના કરવી પણ અઘરી છે જડ વસ્તુઓની કિંમત રૂપિયા પૈસામાં આંકવામાં આવે છે, પરંતુ આ તો આવડી મોટી જીવંત ભેટ કોઈપણ પ્રકારના બદલાની આશા વગર જેમણે આપી છે, એમના પ્રત્યે એ ઉપકારના બદલામાં કૃતજ્ઞતા, તેમની મોટાઈ અને આદરનો ભાવ રાખવાનું તો દૂર રહ્યું, ઊલટાનું એમને નાના કે નીચા માનવા તથા તેમની સાથે અપમાનજનક વ્યવહાર કરવો એ ક્યાંની માનવતા છે ?

સમાજમાં એવું જોવા મળે છે કે વરપક્ષવાળા કન્યાપક્ષ પાસે યોગ્ય અયોગ્ય માગણીઓ મૂકતા હોય છે અને જો કન્યાપક્ષવાળા તેમની માગણી પૂરી ન કરી શકે તો રિસાઈ જાય છે. પ્રત્યેક મિનિટે તેમને અસાધારણ માન-સન્માન ઈચ્છે છે. જો તેમના સ્વાગત સત્કારમાં જરા જેટલી પણ ચૂક આવી તો ક્રોધિત થઈ અપમાનજનક વ્યવહાર કરે છે. આવા લોકો સાસરી પક્ષવાળાને શનિ-રાહુની જેમ હેરાન કરતા રહેતા હોય એવાં દૃશ્યો આપણે આ યુગમાં ઘેર ઘેર જોઈએ છીએ. આવા વિચિત્ર વ્યવહાર પાછળ માત્ર એક જ ભાવના કામ કરતી હોય છે કે છોકરીવાળા છોકરાવાળા કરતાં હંમેશાં નીચા જ છે. વરપક્ષે તેમની દીકરી લઈને જાણે ખૂબ મોટો ઉપકાર કરી દીધો ન હોય ! એના બદલામાં પોતાની પૂજા કરાવવાનો જાણે અધિકાર છે એમ માની લેતા હોય છે. એમની ઇચ્છાનુસાર જો કોઈ વસ્તુ ન મળે તો તેમાં પોતાનું અપમાન સમજીને અશિષ્ટ વ્યવહાર કરવા સુધીની હદે પહોંચી જાય છે !

૧૧. ઉપહાસ અને વિરોધથી ન ડરો : લગ્નના આદર્શો અને સિદ્ધાંતો

લગ્નના આદર્શો અને સિદ્ધાંતો : આદર્શ લગ્ન માટે એ આવશ્યક છે કે એનો નિર્ણય આદર્શવાદી સિદ્ધાન્તોના આધાર પર જ થાય.

એવું ન બને કે એક તરફ સુધારાવાદી અને સુધરેલી લગ્નપદ્ધતિથી લગ્ન થાય અને વર કન્યાના સંબંધનો નિર્ણય ખામીભર્યા દૃષ્ટિકોણવાળો હોય. રીતરિવાજ અને પદ્ધતિઓનું એટલું મહત્ત્વ નથી કે જેટલું એના મૂળ આધારનું છે. એટલા માટે જ આ સંબંધમાં આપણે આપણી માન્યતાઓમાં ફેરફાર કરવો જોઈએ અને યોગ્યતાને અનુલક્ષીને લગ્નો નક્કી કરવાં જોઈએ.

૧૧. ઉપહાસ અને વિરોધથી ન ડરો :

નવીન સમાજની રચના કરવા માટે આપણે ઘણીબધી પ્રચલિત માન્યતાઓમાં ફેરફાર કરવો પડશે. આવી પરિસ્થિતિ પેદા થાય ત્યારે લોકો હાંસી પણ ઉડાવે, નારાજ પણ થાય અને અવરોધો પણ ઊભા કરે. લોકો તો લોકો જ છે. એમને વિવેક વિચાર સાથે લેવાદેવા નથી. પ્રચલિત માન્યતાઓ જેમની તેમ રહે એમાં જ એમને રસ હોય છે. ગંદા રહેનારને જો સ્વચ્છ રહેવાનું કહેવામાં આવે તો પહેલાં તો સામાન્ય રીતે એને ખોટું જ લાગશે અને સલાહ આપનારને જ નીચો પાડવાના પ્રયત્નો કરશે. આ માનવસ્વભાવ છે. કાં તો તમે જેમનું તેમ ચાલવા દો અને સહન કરો યા તો એમાં પરિવર્તન લાવવાનું સાહસ કરો. લોકોમાં સમજણ આવે તો છે, પણ ક્યારે ? જ્યારે તેઓ મૂર્ખતાની હદ વટાવી જાય છે ત્યારે.

ઈસુના ઉપદેશોનો એ જમાનામાં દરેક જણે વિરોધ કર્યો હતો. આખુંય આયખું પ્રયત્ન કર્યો ત્યારે માત્ર તેર શિષ્યો મળ્યા, જેમાં એક સાવ ખોટો નીકળ્યો. એણે માત્ર ત્રીસ રૂપિયા મેળવવાની લાલચે પોતાના ગુરુને પકડાવી દીધા અને ફાંસી અપાવી દીધી. પરંતુ ઈસુનો ઉપદેશ સાચો હતો એટલે લોકોને મોડે મોડે પણ ભાન આવ્યું અને તેમની વાત શ્રદ્ધાપૂર્વક સ્વીકારી. આજે તો એક તૃતીયાંશ જગત ઈસુના ઉપદેશોને અનુસરે છે, પણ તેમની હયાતીમાં દરેક માણસ તેમનો વિરોધ કરતો હતો. સોક્રેટિસથી માંડીને મહાત્મા ગાંધી સુધીના દરેક સુધારકને લોકોનો વિરોધ, ઉપહાસ અને અત્યાચારનો સામનો કરવો પડયો છે. જે આ બધાથી ડરતો હોય એણે સુધારક બનવું ન જોઈએ અને યુગપરિવર્તન જેવા મહાન તથ્યની કલ્પના પણ ન કરવી જોઈએ. નવનિર્માણની વાત કરવી અને એ માટે સાહસ કરવાનું એમને માટે જ યોગ્ય છે કે પથ્થરો સાથે ટકરાઈને પણ નદીની જેમ વહેવાની જેમને મા આવતી હોય. પ્રચલિત સિદ્ધાન્તોનો જન્મદાતા ‘રુસો’ અને સામ્યવાદી સિદ્ધાન્તોનો જન્મદાતા કાર્લ માર્કસ પોતાના જીવન દરમિયાન પાગલ કહેવાતા હતા. આજે દુનિયાના કરોડો માણસો તેમના સિદ્ધાન્તોનું અનુસરણ કરી રહ્યા છે. સામાન્ય લોકોની આવી વિરોધી પ્રવૃત્તિ બદલી શકાતી નથી. તેઓ તો વિરોધ કરવાના જ. ન કરે તો લોકો ન કહેવાય. પછી તો એમને વિવેકશીલ અને દૂરદર્શી જ કહેવામાં આવશે. લોકોને વજનદાર ચીજો ઉપાડવાનું નથી ગમતું. લોકો બદલાય તો છે પણ ક્યારે ? જ્યારે જમાનો એમનો સાથ છોડી ઝડપથી બદલાતો જાય છે ત્યારે. આપણે પણ આપણી નવનિર્માણની માન્યતાઓનો પ્રચાર કરતી વખતે આવી જ આશા રાખવી જોઈએ અને એ માટે અપાર ધીરજ અને દઢ મનોબળ કેળવવું જોઈએ.

૧૦. એક વિચારણીય વિકલ્પ : લગ્નના આદર્શો અને સિદ્ધાંતો

લગ્નના આદર્શો અને સિદ્ધાંતો : આદર્શ લગ્ન માટે એ આવશ્યક છે કે એનો નિર્ણય આદર્શવાદી સિદ્ધાન્તોના આધાર પર જ થાય.

એવું ન બને કે એક તરફ સુધારાવાદી અને સુધરેલી લગ્નપદ્ધતિથી લગ્ન થાય અને વર કન્યાના સંબંધનો નિર્ણય ખામીભર્યા દૃષ્ટિકોણવાળો હોય. રીતરિવાજ અને પદ્ધતિઓનું એટલું મહત્ત્વ નથી કે જેટલું એના મૂળ આધારનું છે. એટલા માટે જ આ સંબંધમાં આપણે આપણી માન્યતાઓમાં ફેરફાર કરવો જોઈએ અને યોગ્યતાને અનુલક્ષીને લગ્નો નક્કી કરવાં જોઈએ.

૧૦. એક વિચારણીય વિકલ્પ :

સુશિક્ષિત યુવતીઓ સમક્ષ આ પ્રશ્ન વધુ ઉગ્ર સ્વરૂપે આવે છે. ગ્રેજ્યુએટ થતાં થતાં તેમની ઉંમર વધી જાય છે. બે-ચાર વર્ષ છોકરો ખોળવામાં જાય અને જો એમાં સફળતા ન મળે તો ઉંમર અઠ્ઠાવીસ-ત્રીસ વર્ષની થઈ જાય. અભણ યુવતીઓને ઓછા દહેજમાં અભણ છોકરો કદાચ મળી જાય.

જો વધુ શિક્ષિત સુયોગ્ય છોકરાની અપેક્ષા હોય તો એવે ઠેકાણે અનેકગણા દહેજની માગણી થતી હોય છે. જે માબાપો માટે સાદાઈથી લગ્ન કરવાં પણ અઘરાં હોય તેઓ એ સુશિક્ષિત લોકોની ધનની માગણી કેવી રીતે પૂરી કરી શકે ? દીકરીનું ભણતર તો ગમે તે રીતે પૂરું કર્યું, પણ હવે લગ્ન માટે આટલો ખર્ચ ક્યાંથી કાઢવો ? વળી એનાથી મોટો વર પણ ક્યાંથી મેળવવો ? આવી બેવડી સમસ્યામાં ગૂંચવાયેલી યુવતીઓએ શિક્ષિકાની નોકરી કરતા રહી આજીવન કુંવારી રહેવાનો નિર્ણય નાછૂટકે કરવો પડે છે. આવી અનેક યુવતીઓની માહિતી મારી પાસે છે જેમને સ્વેચ્છાએ નહિ, પણ વિવશ બની કુંવારા રહેવું પડયું છે. આ સમસ્યાનો ઉકેલ બે રીતે લાવી શકાય. એક તો સુધારાવાદી યુવકો સાહસિક બને. સાથેસાથે ત્યાગની ભાવના કેળવે.

આ જ ગુણો યુવતીઓએ પણ કેળવવા જરૂરી છે. યુવતીઓ પોતાનાથી ઉંમરમાં નાના અને ઓછું ભણેલા યુવકો પણ પસંદ કરે. જેવી રીતે સુયોગ્ય પતિ થોડી ઓછી યોગ્યતાવાળી પત્નીને નિભાવી લે એ જ રીતે થોડી ઓછી યોગ્યતાવાળા પતિને સુયોગ્ય પત્નીએ પણ નિભાવી લેતાં શીખવું પડે. આમ મોટું મન રાખવાથી પ્રશ્ન હલ થઈ શકે. સુશિક્ષિત પત્ની પોતાના પતિની ભણતર બાબતની ઊણપને સહેલાઈથી પૂરી કરી શકે છે. એવી જ રીતે જો પતિ થોડું ઓછું કમાતો હોય તો પોતે નોકરી કરી થોડું વધુ કમાઈ પરિવારનો નિભાવ કરવા સહકાર આપી શકે છે. કમસેકમ પુરુષ સમાજ દ્વારા પ્રચલિત કરવામાં આવેલી એ માન્યતા કે ‘‘વર તો કન્યા કરતાં ઉંમરમાં મોટો અને વધુ ભણેલો હોવો જોઈએ”નો શિકાર ભણેલી યુવતીઓ તો ન જ બને.

જો પત્ની વધારે સુયોગ્ય અને વધુ ભણેલી હોય તો એમાં કોઈને શું નુકસાન થવાનું છે ? પતિપત્નીમાં ભાવનાત્મક સમાનતા અને એકતા હોવી ોઈએ. જે ભાવના હોય તો નાનામોટાનો પ્રશ્ન જ રહેતો નથી. જો આવી ભાવના પેદા થાય તો પોતાનાથી વધારે ઉંમરવાળા સુયોગ્ય અને દહેજની ઇચ્છા ન રાખનારા છોકરા ન મળવાની અનેક સુશિક્ષિત છોકરીઓની સમસ્યાનો ઉક્લ આવી શકે.

૯. સહૃદયતા અને ઉદારતાની આવશ્યકતા : લગ્નના આદર્શો અને સિદ્ધાંતો

લગ્નના આદર્શો અને સિદ્ધાંતો : આદર્શ લગ્ન માટે એ આવશ્યક છે કે એનો નિર્ણય આદર્શવાદી સિદ્ધાન્તોના આધાર પર જ થાય.

એવું ન બને કે એક તરફ સુધારાવાદી અને સુધરેલી લગ્નપદ્ધતિથી લગ્ન થાય અને વર કન્યાના સંબંધનો નિર્ણય ખામીભર્યા દૃષ્ટિકોણવાળો હોય. રીતરિવાજ અને પદ્ધતિઓનું એટલું મહત્ત્વ નથી કે જેટલું એના મૂળ આધારનું છે. એટલા માટે જ આ સંબંધમાં આપણે આપણી માન્યતાઓમાં ફેરફાર કરવો જોઈએ અને યોગ્યતાને અનુલક્ષીને લગ્નો નક્કી કરવાં જોઈએ.

સહૃદયતા અને ઉદારતાની આવશ્યકતા :

જ્યાં છોકરીના માબાપોને આવી લાચારીમાં ફસાયેલાં જોઈએ ત્યાં સહ્રદય, ઉદાર અને વિચારશીલ માણસોએ એમને સંપૂર્ણ સહાનુભૂતિ આપવી જોઈએ. સુધારક વિચારનાં માતાપિતા અને સુધારક નવયુવકોએ આવાં લગ્નોનો સ્વીકાર કરવો જોઈએ. એનાથી કન્યાનાં લગ્ન કોઈ વૃદ્ધ સાથે થતાં અટકાવી શકાશે. વૃદ્ધ લગ્નોનો કે કજોડાં લગ્નોનો કેવળ મૌખિક વિરોધ કરવા માત્રથી જ કંઈ નહિ વળે. એનો વ્યવહારું ઉકેલ પણ લાવવો જોઈએ. કન્યા ઉંમરલાયક થઈ ગઈ હોય ત્યાં વૃદ્ધવિવાહ રોકવા માટે બીજો વિકલ્પ યોગ્ય છે. ખાલી વિરોધ નિરર્થક છે.

જ્યારે બીજો કોઈ રસ્તો જ ન રહે ત્યારે શું થાય ? એવી યુવતીઓ આજીવન કુંવારી રહેવાનો નિર્ણય કરી શકે, પરંતુ આવો નિર્ણય કોઈક વિરલ યુવતી જ કરી શકે. માતાપિતાને પોતાનો નિર્ણય જણાવવાની હિંમત પણ યુવતીઓમાં ક્યાં હોય છે ? મનમાં કોચવાતી રહેવા છતાં મોઢેથી એક પણ શબ્દ કહી શકતી નથી. ઘરનાં માણસો જે કંઈ નિર્ણય લે તે તેમને માનવો પડે છે. એવી સ્થિતિમાં આદર્શવાદી વ્યક્તિઓ ઉપર બેવડી જવાબદારી આવી પડે છે. આવી યુવતીઓને વૃદ્ધોના ગળે બંધાતી દેખતા જે વ્યથા થતી હોય તો એમણે કંઈક ત્યાગ કરવો જોઈએ. ‘વરથી કન્યા મોટી ન હોય’ એ માન્યતાને છોડવી ન પડશે. જેઓ દહેજના વિરોધી હોય એવા યુવકો પાસે આવા બીજા સાહસની પણ અપેક્ષા રાખી શકાય.

%d bloggers like this: