પંચશીલોને અપનાવીએ, આધ્યાત્મિક ચિકિત્સા તરફ કદમ ઉઠાવીએ, આધ્યાત્મિક ચિકિત્સા

પંચશીલોને અપનાવીએ, આધ્યાત્મિક ચિકિત્સા તરફ કદમ ઉઠાવીએ, આધ્યાત્મિક ચિકિત્સા

આધ્યાત્મિક સ્વાથ્યનો અર્થ સમજીએ, આધ્યાત્મિક ચિકિત્સા તરફ કદમ ઉઠાવીએ. આ એક એવોદૈવી સંદેશ છે, જેને આ સમયે અંતઃકરણ સાંભળી રહ્યું છે. હિમાલયની હવાઓએ જેને આપણા સૌના માટે મોકલ્યો છે. નવરાત્રિની પવિત્ર ક્ષણોમાં એની જ સાધના કરવાની છે. ભગવતી મહાશક્તિને એ જ પ્રાર્થના કરવાની છે, કે અમે બધા આધ્યાત્મિક સ્વાથ્યનો અર્થ અને મર્મ સમજી શકીએ અને ભારત દેશ ફરીથી આધ્યાત્મિક ચિકિત્સામાં અગ્રણી બને. આ સંદેશને બ્રહ્મવર્ચસ શોધ સંસ્થાનની રજત જયંતીના સુઅવસરે જન-જન સુધી પહોંચાડવાનો છે, કારણ કે સ્વાથ્ય કોઈ એકની સમસ્યા નથી. એક્લા આપણા મહાદેશ ભારતમાં જ નહિ, સમસ્ત વિશ્વના કરોડો લોકો તેનાથી ગ્રસ્ત છે. હકીકત તો એ છે કે જેઓ પોતાને સ્વસ્થ કહે છે, તેઓ પણ કોઈક ને કોઈક રૂપમાં બીમાર છે.

જેમનું શરીર સારું છે તેમનું મન બીમાર છે. આધ્યાત્મિક સ્વાથ્યના અર્થથી લગભગ બધા અપરિચિત છે. જો કે તેનો પરિચય, તેની પરિભાષા એટલી જ છે, કે તન અને મન જ નહિ, આપણો જીવાત્મા પણ પોતાના “સ્વ’માં સ્થિત હોય. આપણી આત્મશક્તિઓ જીવનના બધા જ આયામોમાંથી અભિવ્યક્ત થાય. આપણે ભગવાનના અભિન્ન અંશ છીએ, એ વાત આપણા વ્યવહાર, વિચાર તથા ભાવનાઓથી પ્રમાણિત થાય. જો આવું કંઈક આપણી અનુભૂતિઓમાં સમાયેલું હશે, તો જ આપણે આધ્યાત્મિક સ્વાથ્યનો સાચો અનુભવ કરી શકીશું. તેની સાથે જ આપણા, આપણા બધાનાં કદમ સાહસિક સાધનાઓ તરફ ઊપડવાં જોઈએ. ત્યારે જ આપણે આધ્યાત્મિક ચિકિત્સા તરફ આગળ વધી શકીશું અને ભવિષ્યમાં આધ્યાત્મિક ચિકિત્સક હોવાનું ગૌરવ મેળવી શકીશું.

વાત જ્યારે આધ્યાત્મિક ચિકિત્સાની ચાલી રહી છે ત્યારે તેને કેટલીક ક્રિયાઓ-કર્મકાંડો તથા પ્રયોગો સુધી સીમિત માની લેવામાં આવે છે અને આધ્યાત્મિક જીવન-દૃષ્ટિની ઉપેક્ષા-અવહેલના કરવામાં આવેછે. આ અવહેલનાભરી ઉપેક્ષાના કારણે આ કર્મકાંડ અને પ્રયોગ થોડા જ સમય માટે પોતાના પ્રભાવનું પ્રદર્શન કરી કોઈ અંધારામાં ખોવાઈ જાય છે. આ સત્યને હર હાલતમાં સમજવું જોઈએ કે આધ્યાત્મિક જીવન દૃષ્ટિ જ બધા આધ્યાત્મિક ઉપચારો તથા પ્રયોગોની ઊર્જાનો સ્રોત છે. તેની ઉપેક્ષા કરી શકાય એમ નથી. આ જ કારણે અધ્યાત્મ ચિકિત્સાના સિદ્ધાંતો તથા પ્રયોગોના જેઓ નિષ્ણાત છે, તેમણે પાંચ સૂત્રોને અપનાવવાની વાત કહી છે.

આ સૂત્રોને આધ્યાત્મિક ચિકિત્સાના પંચશીલની સંજ્ઞા આપી શકાય છે. તેને મા ગાયત્રીનાં પાંચ મુખ અને તેમની પૂજામાં કરવામાં આવતો પંચોપચાર પણ કહી શકાય. જેમને આધ્યાત્મિક ચિકિત્સામાં રસ છે તેમણે એ વાતનો સંકલ્પ લેવો જોઈએ કે તેઓ પોતાના વ્યક્તિગત જીવનમાં તેનું સંકલ્પપૂર્વક પાલન કરતા રહેશે.

૧. આપણા આધ્યાત્મિકવિશ્વના વિશ્વામિત્ર બનીએ

જે દુનિયામાં આપણે જીવીએ છીએ, તેનું જ ચિંતન અને વ્યવહાર આપણને જો પ્રેરિત અને પ્રભાવિત કરતાં રહેશે, તો પછી આધ્યાત્મિક જીવન-દષ્ટિ અપનાવવાની આશા નહિવત્ રહેશે. લોકો તો વાસના, તૃષ્ણા અને અહંતાનું પેટ ભરવા સિવાય બીજા કોઈ શ્રેષ્ઠ ઉદ્દેશ્ય માટે નથી વિચારતા, નથી કંઈ કરતા. તેનો પ્રભાવ અને પરામર્શ પણ પોતાના જ વર્તુળમાં ખેંચે છે. જો જીવનમાં આધ્યાત્મિક ચિકિત્સા કરવી હોય તો સૌથી પહેલાં પોતાનો પ્રેરણાસ્ત્રોત બદલવો પડશે, સલાહ માટે નવો આધાર અપનાવવો પડશે, અનુકરણ માટે નવા આદર્શો શોધવા પડશે.

તે માટે આપણે આધ્યાત્મિક ચિકિત્સાના મર્મજ્ઞો અને વિશેષજ્ઞોને પોતાના પ્રેરણાસ્રોત બનાવવા પડશે. હા, સાચું છે, કે આવા લોકો મળવા દુર્લભ હોય છે. દરેક ગલીગૂંચીમાં તેમને શોધી શકાતા નથી. આવી સ્થિતિમાં આપણે એવા મહાન આધ્યાત્મિક ચિકિત્સકોના વિચારોના સંસર્ગમાં રહેવું જોઈએ, જેમનું જીવન આપણને વારંવાર આકર્ષિત કરે છે. યુગઋષિ પરમપૂજ્ય ગુરુદેવ, મહર્ષિ શ્રી અરવિંદ, સ્વામી વિવેકાનંદના સ્તરના કોઈ મહામાનવઆપણા પ્રેરણાસ્રોત હોઈ શકે છે. આમાંથી કોઈક સાથે અથવા આમાંથી બધા સાથે પોતાનો ભાવભર્યો સંબંધ જોડી શકાય છે. પોતાના જીવનની મહત્ત્વપૂર્ણ સમસ્યાઓના સમાધાન માટે તેમના વિચારો અને વ્યક્તિત્વ સાથે પરામર્શ કરવો જોઈએ. આ બધાનું સ્થાન આપણા જીવનમાં પરિવારના સદસ્યો જેવું હોવું જોઈએ. મહર્ષિ વિશ્વામિત્રની જેમ આપણે સંકલ્પપૂર્વક અત્યારે, આ જ ક્ષણે આપણું આ નવું વિશ્વ વસાવી લેવું જોઈએ. દૈનિક ક્રિયા-કલાપો કરવાની સાથેસાથે આપણે આપણો વધુ ને વધુ સમય આપણા આ આધ્યાત્મિક વિશ્વમાં વિતાવવો જોઈએ. આવું થઈ શકે તો આધ્યાત્મિક ચિકિત્સાનો એક અતિશય મહત્ત્વપૂર્ણ આધાર મળી ગયો એમ સમજવું જોઈએ.

૨. સાધના માટે સાહસિક કદમ ઉઠાવીએ

આજના યુગમાં સાધના માટેનું સાહસ કોઈ વિરલા જ કરી શકે છે. આ બાબતમાં વાતો તો ઘણી થાય છે, પરંતુ પ્રત્યક્ષ રીતે કરી બતાવવાની હિંમત ઘણા ઓછા લોકોમાં જોવા મળે છે. બાકીના લોકો તો આમતેમ બહાના બતાવી કાયરોની જેમ મેદાન છોડીને ભાગી જાય છે. આવા કાયર અને ડરપોક લોકોની આધ્યાત્મિક ચિકિત્સા શક્ય નથી. જેઓ સાહસિક છે, તેઓ મંત્રજપ અને ધ્યાન વગેરે પ્રક્રિયાઓના પ્રભાવથી પોતાની આસ્થાઓ, અભિરુચિઓ તથા આકાંક્ષાઓને પરિસ્કૃત કરે છે. તેઓ અનુભૂતિઓના દિવાસ્વપ્નોમાં રાચતા નથી. આ અંગે કરવામાં આવતી ચર્ચા કે ચિંતાના તરંગીપણામાં તેમને વિશ્વાસ હોતો નથી.

તેઓ તો બસ, પોતાની આધ્યાત્મિક ચેતનાનાં શિખરો પર એક સમર્થ અને સાહસિક પર્વતારોહકની જેમ ચઢે છે. જેઓ ખરેખર સાધના કરે છે, તેઓ પળેપળ પોતાના અંતને બદલવા પ્રયત્નશીલ રહે છે. તેમનો વિશ્વાસ વાતોમાં નહિ, પોતાના અંતરાલમાં છુપાયેલા સંસ્કારોના પરિવર્તનમાં હોય છે. આધ્યાત્મિક પ્રયોગોને તેઓ પરિષ્કારની રીતના રૂપમાં ઉપયોગ કરે છે. જેઓ આમાં જોડાયેલા છે, તેઓ આ કથનની સાર્થક્તા સમજે છે. તેમનામાં જ એવું સાહસ પેદા થાય છે, જેના આધારે તેઓ પોતાના સ્વાર્થ અને અહંકારને પગ તળે રગદોળવાનું, કચડવાનું સાહસ ધરાવે છે. કોઈ પણ પ્રકારની શુદ્ધતા તેમને સ્પર્શી શકતી નથી. દુઃખના કંટકોની પરવા કર્યા વગર તેઓ સતત મહાનતા અને આધ્યાત્મિક્તાનાં શિખરો સર કરતા જાય છે.

૩. માલિક નહિ, માળી બનીએ

માલિકીપણાના ભાર નીચે માણસ દબાતા-પિસાતો રહે છે. આ માલિકીની જૂઠી શાન છોડીને માળી બનવાથી જિંદગી હળવીફૂલ બની જાય છે. સંતોષ અને શાંતિથી સમય વીતે છે. આમેય માલિક તો માત્ર એક જ છે – ભગવાન. એ “સૌના માલિક એકાને અવગણીને પોતે માલિક હોવાના આડંબરમાં, જૂઠી અકડાઈમાં રાચવાથી માત્ર મનોરોગો જ પેદા થાય છે. જીવનના સત્યનું ઝરણું સુકાઈ જાય છે. આધ્યાત્મિક ચિકિત્સાના વિશેષજ્ઞોનું માનવું છે, કે આ સંસાર ઈશ્વરનો છે. માલિકી પણ તેની જ છે. આપણને નિર્ધારિત કર્મો માટે માળીની જેમ નિયુક્ત કરવામાં આવેલા છે. ઉપલબ્ધ શરીરનો, પરિવારનો, વૈભવનો વાસ્તવિક સ્વામી પરમેશ્વર છે. આપણે તો બસ, તેની સુરક્ષા તથા સુવ્યવસ્થા માટે જ જવાબદાર છીએ. આવું વિચારવાથી આપણું મન આપમેળે જ હલકું રહેશે અને બિનજરૂરી માનસિક વિક્ષિપ્તતાઓ અને વિષાદોની આગમાં સળગવું નહિ પડે.

આપણે ન ભૂતકાળની ફરિયાદો કરીએ, ન ભવિષ્યની ચિંતા કરીએ,પરંતુ વર્તમાનનો પૂરી જાગૃતિ તેમ જ તત્પરતા સાથે સદુપયોગ કરીએ. નુકસાનમાં ન માથું પછાડીએ, નલાભમાં ખુશીના માર્યા પાગલ ગઈ જઈએ. વિવેકવાન, ધીરજવાન, ભાવનાશીલ ભક્તની ભૂમિકા નિભાવીએ. જે ભાર ખભા પર છે, તેને જવાબદારી સાથે નિભાવીએ અને પ્રસન્ન રહીએ. હા, પોતાનું કર્તવ્ય પૂરું કરવા તથા તેના માટે મરી ફીટવા આપણા તરફથી કોઈ કસર ન રાખીએ.

૪. બરબાદીથી બચીએ

ખોટાં કામોમાં પોતાનું સામર્થ્ય બરબાદ કરવાનું દુષ્પરિણામ સૌ કોઈ જાણે છે. આવા લોકોને દુષ્ટ, કુકર્મી તથા દુરાચારી કહેવામાં આવે છે. તેમને બદનામી મળે છે, તેઓ વૃણિત અને તિરસ્કૃત બને છે, આત્મપ્રતાડના સહન કરતા રહીને સહયોગથી વંચિત રહે છે અને પતનની ખાઈમાં જઈને પડે છે. આ બધું માત્ર આપણા સામર્થ્યના ખોટા નિયોજનથી જ થાય છે. પોતાની શક્તિઓને વ્યર્થમાં ગુમાવતા રહેવાની મૂર્ખતા એ મહાપાપ કરતાં થોડા ઓછા દરજ્જાનું પાપ છે. આમ જોવા જઈએ તો આ કોઈ મોટો દુર્ગુણ લાગતો નથી, પરંતુ તેનાં પરિણામો લગભગ એ જ સ્તરનાં હોય છે. મોટે ભાગે બરબાદીના ચાર પ્રકારો જોવા મળે છે. ૧. શારીરિક શ્રમ-શક્તિને નકામી ગુમાવવી –આળસ, ૨. મનને યોગ્ય હેતુ પાછળ લગાવવાના બદલે તેને આમ-તેમ ભટકવા દેવું – પ્રમાદ, ૩. સમયનો, ધનનો, વસ્તુઓનો, ક્ષમતાઓનો આડેધડ ઉપયોગ કરવો, તેનો બગાડ કરવો – અપવ્યય, તથા ૪. તત્પરતા, જાગૃતિ, સાહસિકતા તથા ઉત્સાહનો અભાવ, અધકચરા મનથી વેઠ ઉતારવાની જેમ કંઈક ઊલટું સુલટું કરતા રહેવું – અવસાદ.

આ ચાર દુર્ગુણોની ચતુરંગિણી સેનાનો કાયમ માટે એક સજગ સૈન્યપ્રહરીની જેમ સામનો કરીએ. ક્યારેય, કોઈ પણ ક્ષણે તેમને આપણા પર હાવી ન થવા દઈએ. આળસ, પ્રમાદ, અપવ્યય અને અવસાદના અસુરો સાથે આપણે પૂરી ક્ષમતા સાથે કામ પાર પાડવું જોઈએ. શ્રમનિષ્ઠા, કર્મપરાયણતા, ઉત્સાહ, સ્કૂર્તિ, સજગતા, વિનમ્રતા, વ્યવસ્થા, સ્વચ્છતા વગેરે આપણા સ્વભાવનાં અંગ હોવાં જોઈએ. આપણે કાયરતા, આત્મહીનતા, દીનતા, નિરાશા અને ચિંતા જેવી કોઈ દુષ્યવૃત્તિને આપણું સામર્થ્ય નષ્ટ કરવાની છૂટ ન આપીએ.

૫. ઉદાર બનવાનું ચૂકીએ નહિ

આધ્યાત્મિક રીતે સ્વસ્થ વ્યક્તિ ઉદારતામાં ક્યારેય પાછી પડતી નથી. કંજૂસાઈ તથા વિલાસિતા બંને આધ્યાત્મિક રીતે રોગી હોવાનાં ચિહુનો છે. ઉદારતા તો પોતાના અસ્તિત્વનો વિસ્તાર છે, પોતાના પરમ પ્રભુ સાથેની ભાગીદારી છે. તેમના આ વિશ્વ-ઉદ્યાનને સજાવવા સાચવવાનું ભાવભર્યું સાહસ છે. જેઓ ભક્ત છે, તેઓ ઉદાર થયા વગર રહી શકતા નથી. એવી જ રીતે જેઓ શિષ્ટ છે તેઓ પોતાનો સમય-શ્રમ સદ્ગુરુને અર્પણ કર્યા વગર રહી શકતા નથી. આપણા ભંડારો ભરેલા રહે અને ગુરુદેવની યોજનાઓ શ્રમ અને અર્થના અભાવે અધૂરી રહી જાય, એ સુયોગ્ય શિષ્યો હોવા છતાં ભલા કેવી રીતે સંભવ છે? આ માત્ર સેવાની દષ્ટિએ જ નહિ, પરંતુ પોતાની આધ્યાત્મિક ચિકિત્સા માટે પણ ઉપયોગી છે. ઉદાર ભાવનાઓ, ઉદાર કર્મ જાતે જ આપણી મનોગ્રંથિઓને ખોલી દે છે. મનોગ્રંથિઓથી છુટકારો મેળવવા માટે ભાવભરી ઉદારતા એક સમર્થ ચિકિત્સા વિધિનું કામ કરે છે.

આધ્યાત્મિક ચિકિત્સાના આ પંચશીલોને પોતાની જીવન-સાધનામાં આજથી અને અત્યારથી જ સામેલ કરી લેવા જોઈએ. જો તેને પોતાના જીવનમાં ઉતારવાનો સતત પ્રયાસ કરવામાં આવે તો આધ્યાત્મિક દ્રષ્ટિએ અસામાન્ય અને અસાધારણ બની શકાય છે. આપણા બધાના આરાધ્ય પરમપૂજ્ય ગુરુદેવ સદાય આ જ માર્ગે ચાલતા રહીને આધ્યાત્મિક ચિકિત્સાના વિશેષજ્ઞ બન્યા હતા. તેમણે બતાવેલો આ જ માર્ગ હવે આપણા માટે છે. આ માર્ગે ચાલીને આપણે આધ્યાત્મિક સ્વાધ્ય સદાને માટે પ્રાપ્ત કરી શકીએ છીએ અને ભવિષ્યમાં એક સમર્થ આધ્યાત્મિક ચિકિત્સકની ભૂમિકા પણ નિભાવી શકીએ છીએ. આપણા ભાવનાશીલ પરિજનો આમાં જરા પણ ચૂકશે નહિ, તેવો વિશ્વાસ છે. તેઓ જાતે તો આ માર્ગે આગળ વધશે જ, પરંતુ બીજાઓમાં પણ આંતરિક ઉત્સાહ જગાવવામાં સહયોગી-સહાયક બનશે. આમ થવાથી આપણા ભારત દેશની આધ્યાત્મિક ચિકિત્સાની પરંપરાને નવજીવન મળી શકશે.

ભવિષ્યનું સંપૂર્ણ તથા સમગ્ર વિજ્ઞાન અધ્યાત્મ, આધ્યાત્મિક ચિકિત્સા

ભવિષ્યનું સંપૂર્ણ તથા સમગ્ર વિજ્ઞાન અધ્યાત્મ, આધ્યાત્મિક ચિકિત્સા

આધ્યાત્મિક સારવારની બાબતમાં વિશ્વદૃષ્ટિ આ દિવસોમાં સાચા અર્થમાં બદલાઈ છે. વિશ્વભરના મનીષીઓનો દૃષ્ટિકોણ આશ્ચર્યજનક રીતે પરિવર્તન પામ્યો છે. લોકદષ્ટિ પણ આ બાબતમાં પરિમાર્જિત તથા પરિવર્તિત થઈ છે. આજથી થોડાં વર્ષો પહેલાં આધ્યાત્મિક સિદ્ધાંતો, તકનિકો તથા પ્રયોગોને અવૈજ્ઞાનિક ગણીને તિરસ્કૃત કરી દેવામાં આવતા હતા. લોકમાનસ પણ વૈજ્ઞાનિક પ્રયોગશાળામાંથી મળેલી જાણકારીઓને જીવનના સર્વોચ્ચ સંદેશના રૂપમાં સાંભળતાં તથા સ્વીકારતાં હતાં. એકવીસમી સદીનાં આ ચાર વર્ષોમાં પરિસ્થિતિમહદંશે બદલાઈ છે. વિશ્વ મનીષીઓને લાગવા માંડ્યું છે, કે પ્રાયોગિક ખરાઈ સિવાય આધ્યાત્મિક દૃષ્ટિકોણ તથા તકનિકોને નકારવી એ અવૈજ્ઞાનિકતાની પરાકાષ્ઠા છે. આ જ રીતે લોકમાનસને એ અનુભૂતિ થઈ, કે પ્રયોગશાળાઓમાંથી મળેલી જાણકારીઓમાં શુભની સાથે અશુભ પણ મળેલું હોય છે અને એના આંધળા ઉપયોગથી નુકસાન પણ થઈ શકે છે.

અનુભવોની આ શ્રેણીમાં બીજા અનુભવ પણ થયા છે. વૈજ્ઞાનિક સારવારનાં બધાં પાસાઓની અનેક અસફળતાઓ તથા ભારે દુષ્યભાવો પણ સામે આવ્યા. એ સત્ય સૌ જાણે છે, કે સૌએ આખી વીસમી સદી આડઅસર સાથે લડતાંઝઘડતાં તથા પછાડ ખાતાં વિતાવી છે. આડઅસરને લીધે કોણ જાણે કેટલાયે માસુમ મૃત્યુની ગોદમાં સૂઈ ગયાં છે. એક બીમારી ઠીક કરવાના ચક્કરમાં કોણ જાણે કેટલી બધી બીમારીઓ ભેટમાં મળે છે. દુનિયાભરના કર્ણધારોએ આ વિષય પર ચર્ચા પણ કરી, ચિતા પણ દર્શાવી, પરંતુ સમાધાન ન કરી શક્યા છેવટે થાકીહારીને બધાનું ધ્યાન વૈકલ્પિક સારવાર તરફ ગયું. ચુંબક ચિકિત્સા, રંગ ચિકિત્સા, એક્યુપ્રેશર અને કોણ જાણે કેટલીય તકનિકો અજમાવવામાં આવી. આ ક્રમમાં આધ્યાત્મિક તકનિકનાં પણ પારખાં કરવામાં આવ્યાં. એમાંથી જે પરિણામો મળ્યાં, એનાથી બધાને ખૂબ જ આશ્ચર્ય થયું, કેમ કે એમાં આશાતીત સફળતા મળી હતી.

એમાં સૌથી મોટી વાત તો એ છે, કે આધ્યાત્મિક તકનિકો અત્યાર સુધી ફક્ત અધકચરી રીતે જ તપાસવામાં આવી છે. એને અવ્યવસ્થિત અને અસ્તવ્યસ્ત રીતે જ પ્રયોગમાં લાવવામાં આવી છે. એની પ્રાયોગિક રીતમાં હજી એની વાસ્તવિક અને સંપૂર્ણ વિધિ-વ્યવસ્થા તો અપનાવવામાં જ નથી આવી. એમ છતાં પણ એમાંથી મળેલાં પરિણામોએ વૈજ્ઞાનિકોને દંગ કરી દીધા છે. એમાંથી મળનારી વિશ્રાંતિ, ઘટતું જતું તાણ, જીવન શક્તિમાં ખૂબ વધારો વગેરે એવાં પરિણામો છે કે જેણે બધાના દૃષ્ટિકોણને બદલી નાખ્યા છે. ક્યારેક એને અવૈજ્ઞાનિક કહેનારા વૈજ્ઞાનિકો એની વૈજ્ઞાનિકતાને સ્વીકારવા માટે મજબૂર થયા છે.

એમાંના કેટલાકે તો આ મુદ્દા પર પોતાના વિચારોનાં તારણો પણ પ્રકાશિત કર્યા છે. આ તારણોમાંથી એક છે-માર્ટિન રૂથ ચાઈલ્ડનું પુસ્તક “સ્પિરિચ્યલિટી એન્ડ ઈટ્રસ સાઈન્ટીફિક ડોમેન્શન્સ” એટલે કે, આધ્યાત્મિકતા અને એના વૈજ્ઞાનિક આયામો. માર્ટિન રૂથ ચાઈલ્ડપ્રખ્યાત ન્યૂરોલોજિસ્ટ છે. એમના દ્વારા કરવામાં આવેલી શોધોને વિજ્ઞાન જગતમાં સન્માનપૂર્વક સ્વીકારવામાં આવે છે. એમણે એમનાં પુસ્તકમાં આધ્યાત્મિક દષ્ટિ તથા સિદ્ધાંત અને પ્રયોગો સાથે સંબંધિત ઘણા મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરી છે. એમનું કહેવું છે – “જેઓ આધ્યાત્મિક સિદ્ધાંતોની વૈજ્ઞાનિકતા પર કોઈપણ જાતનાં પ્રાયોગિક તારણો વિના પ્રશ્નો ઉપસ્થિત કરે છે, એમણે સૌથી પહેલાં પોતે વૈજ્ઞાનિક છે તેની તપાસ કરવી જોઈએ.”

રૂથ ચાઈલ્ડનું કહેવું છે, કે વિજ્ઞાન કોઈ પુસ્તક કે વિષયનું નામ નથી. આ એક વિશિષ્ટ શોધ-વિધિ છે, જે એક ખાસ પ્રકારનું અધ્યયન કરીને કોઈ સત્ય અથવા તો સિદ્ધાંતને પ્રમાણિત કરે છે. એમ કહેતાં માર્ટિન રૂથ ચાઈલ્ડ એક પ્રશ્ન કરે છે, કે આધ્યાત્મિક સિદ્ધાંતોને શું કોઈએ વૈજ્ઞાનિક શોધ-વિધિના આધારે ઓળખવાનો પ્રયાસ કર્યો છે? જો હા, તો પછી એનાં શોધપત્રો પર સાર્થક ચર્ચા થવી જોઈએ. જો ના, તો પછી એને કોઈએ અવૈજ્ઞાનિક કહેવાનો આધાર શું છે? આ રીતે તો અવૈજ્ઞાનિકતાની વાતો કરવી એ જ અવૈજ્ઞાનિક છે.

રૂથ ચાઈલ્ડ પોતાનાં આ પુસ્તકના એક ભાગમાં કહે છે કે અત્યારે આધ્યાત્મિક સારવારની ધ્યાન વગેરે જે તકનિકો પ્રયોગમાં લાવવામાં આવી રહી છે, એના પરિણામો ઉત્સાહજનક છે. એ ફક્ત સારવાર જગત માટે જ નહિ, પરંતુ સંપૂર્ણ માનવજત માટે કલ્યાણકારી છે. યોગ અને અધ્યાત્મની જે કોઈ પણ તકનિકો શારીરિક તથા માનસિક રોગોને ઠીક કરવા માટે પ્રયોગમાં લાવવામાં આવી રહી છે, એનાં પરિણામો કોઈ પણ વૈજ્ઞાનિકને એવું કહેવા મજબૂર કરી શકે છે કે “સ્પિરિચ્યલીટી ઈઝ ધ ઈંટીગ્રલ સાયન્સ ઓફ ધી ફયુચર’ એટલે કે, અધ્યાત્મ ભવિષ્યનું સંપૂર્ણ વિજ્ઞાન છે.

શારીરિક રોગોની સાથે આધ્યાત્મિક તકનિકોનો પ્રયોગ મનોરોગ પર પણ કરવામાં આવ્યો છે. આ બાબતમાં વિલિયમ વેસ્ટનું પુસ્તક “સાઈકોથેરેપી એન્ડ સ્પિરિચ્યલિટી” વાંચવાલાયક છે. આ પુસ્તકમાં પ્રખ્યાત મનોચિકિત્સક વિલિયમ વેસ્ટનું કહેવું છે કે હવે આ જમાનામાં મનોચિકિત્સા તથા અધ્યાત્મ વિદ્યા વચ્ચેની દીવાલ તૂટી રહી છે. મનોરોગોનો સાચો તથા સંપૂર્ણ ઈલાજ આધ્યાત્મિકતકનિકોના પ્રયોગથી જ શક્ય છે. એમણે એક બીજા શોધપત્રમાં એવું પણ કહ્યું છે, કે આધ્યાત્મિક જીવનશૈલીને અપનાવવાથી લોકોને માનસિક રોગોની સંભાવના રહેતી નથી. આ ક્રમમાં એમણે પ્રાર્થના તથા ધ્યાનને મનોરોગોનું કારગર ઔષધ ગણાવ્યાં છે.

અધ્યાત્મ સારવારની બાબતમાં વિશ્વદષ્ટિને પરિવર્તિત કરનારામાં ડૉ. બ્રાયન વીજનું નામ ઉલ્લેખનીય છે. વ્યવસાયે ડૉ. વીજ સાઈકિયાટ્રિસ્ટ છે, પરંતુ હવે તેઓ પોતાને આધ્યાત્મિક ચિકિત્સક કહેવડાવવાનું પસંદ કરે છે. એમનાં ઘણાં પુસ્તકો-જેની ચર્ચા પહેલાં પણ થઈ ચૂકી છે -અધ્યાત્મ ચિકિત્સાની સાર્થક ઉપયોગિતાને પ્રમાણિત કરે છે. એમનું કહેવું છે કે આધ્યાત્મિક સિદ્ધાંતો તથા સાધનાથી જ સંપૂર્ણ જીવનબોધસંભવ છે. ચિકિત્સાની બાબતમાં જ્યારે પણ વૈજ્ઞાનિક અસફળતાઓની વાત થાય છે ત્યારે એનું કારણ એકતરફી હોય છે. વિજ્ઞાન કહે છે કે માણસ ફક્ત દેહમાત્ર છે, જે સાચું નથી. આપણું જીવન દેહ પ્રાણ, મન તથા આત્માનો સંયોગ છે અને એ સંપૂર્ણ આયામ આધ્યાત્મિક દૃષ્ટિ વિના જાણી શકાતા નથી.

એક અન્ય વૈજ્ઞાનિક રિચર્ડ કાર્લસને પોતાના શોધ- નિષ્કર્ષ “સ્પિરિટ્યૂલિટી કમ્પ્લીટ સાયન્સ ઓફ લાઈફ” એટલે કે, આધ્યાત્મિકતા-જીવનનું સંપૂર્ણ વિજ્ઞાનમાં આ તથ્યોનો ખુલાસો કર્યો છે. એમનું માનવું છે કે અધ્યાત્મ સિવાય જીવનનું સંપૂર્ણ જ્ઞાન અસંભવ છે. કાર્લસન કહે છે કે જેવી રીતે કપાયેલી આંગળીઓ દ્વારા માનવ શરીરની સંપૂર્ણતાને જાણી શકાતી નથી તેવી રીતે ફક્ત શરીરના આધારે સંપૂર્ણ અસ્તિત્વને જાણવું અશક્ય છે. એમણે પોતાનાં પુસ્તકમાં આ બાબતમાં ઘણા સત્યો તથા તથ્યોનું વિશ્લેષણ કરતાં કહ્યું છે કે જેવી રીતે વીસમી સદી વિજ્ઞાનની સદી સાબિત થઈ છે એવી રીતે એકવીસમી સદી અધ્યાત્મની સદી રૂપે જોવાશે, જણાશે તથા અનુભવાશે. આધ્યાત્મિક જીવન-દૃષ્ટિ, અધ્યાત્મ સારવારના સિદ્ધાંત તથા પ્રયોગોને સૌ આ સદીની મહાન ઉપલબ્ધિ રૂપે અનુભવશે. એટલા માટે આધ્યાત્મિક સ્વાથ્યનો અર્થ સમજીએ તથા અધ્યાત્મ ચિકિત્સા તરફ ડગ માંડીએ એ યોગ્ય છે.

અથર્વવેદીય ચિકિત્સા પદ્ધતિના પ્રણેતા યુગઋષિ, આધ્યાત્મિક ચિકિત્સા

અથર્વવેદીય ચિકિત્સા પદ્ધતિના પ્રણેતા યુગઋષિ, આધ્યાત્મિક ચિકિત્સા

આધ્યાત્મિક ચિકિત્સાના આચાર્ય પરમ પૂજ્ય ગુરુદેવે વૈદિક મહર્ષિઓની પરંપરાને આ યુગમાં નવજીવન આપ્યું. એમણે અધ્યાત્મ ચિકિત્સાનાં વૈદિક સૂત્રો, સત્યો તથા રહસ્યમય પ્રયોગોની કઠિન સાધના દુર્ગમ હિમાલયમાં પૂર્ણ કરી. એમના દ્વારા આપવામાં આવેલા સંકેતો મુજબ આ જટિલ સાધના સ્વયં વૈદિક યુગના મહર્ષિઓના સાંનિધ્યમાં પૂર્ણ થઈ. વામદેવ, કહોડ, અથર્વણ તથા આંગિરસ વગેરે મહર્ષિઓ હજી પણ અપ્રત્યક્ષ શરીરથી દેવાત્મા હિમાલયમાં વાસ કરે છે. પરમગુરુ સ્વામી સર્વેશ્વરાનંદજીએ પૂજ્ય ગુરુદેવને એમનો પરિચય કરાવ્યો હતો. એમણે સૌએ ગુરુદેવની પાત્રતા, પવિત્રતા તથા પ્રામાણિક્તા પારખીને એમને આધ્યાત્મિક ચિકિત્સાનાં બધાં રહસ્યોનો પરિચય કરાવ્યો.

આમ તો આવી રહસ્યાત્મક ચર્ચાઓ ગુરુદેવ ઓછી જ કરતા હતા. છતાં પણ ક્યારેક પ્રશ્નોનું સમાધાન કરતી વખતે એમનાં મુખમાંથી આવા રહસ્યાત્મક સંકેતો બહાર આવી જતા હતા. આવી જ રીતે એક દિવસ એમણે કહ્યું હતું, કે અધ્યાત્મ ચિકિત્સાની વાતો ઘણા લોકો કરે છે પરંતુ એનો મર્મ બહુ ઓછા માણસો સમજે છે. અધ્યાત્મ વિદ્યા હકીકતમાં તો વેદવિદ્યા છે. આમ તો એની શરૂઆત ઋવેદથી જ થઈ જાય છે, યજુષ અને સામવેદમાં પણ એના પ્રયોગો મળે છે, પરંતુ એનું સંપૂર્ણ અને સંવર્ધિત રૂપ અથર્વવેદમાં મળે છે. આ અથર્વણ વિદ્યાને સાચી અને સમ્યફ રીતે જણવાથી જ અધ્યાત્મચિકિત્સાનાં બધાં રહસ્ય જાણી શકાય છે. આ બતાવ્યા બાદ એમણે ધીમા અવાજે કહ્યું કે મેં પોતે મહર્ષિ અથર્વણ તથા મહર્ષિ અંગિરસ પાસેથી આ રહસ્યોનું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે.

શબ્દ વ્યુત્પત્તિના આધારે “અથર્વ’ શબ્દનો અર્થ “અચંચળતાની સ્થિતિ છે. થર્વ ઈતિ ગતિર્નામ ન થર્વ ઈતિ અથર્વા થર્વનો અર્થ ગતિ છે અને ગતિનો અર્થ ચંચળતા છે. શારીરિક, માનસિક, બૌદ્ધિક વગેરે બધા પ્રકારની ચંચળતાને અથર્વવિદ્યાની આધ્યાત્મિક ચિકિત્સાથી નિયંત્રિત કરીને સાધકને સંપૂર્ણ સ્વાસ્થ્ય તથા સ્થિતપ્રજ્ઞ બનાવવામાં આવે છે. પરમપૂજ્ય ગુરુદેવનાં મુખે અમે બીજી એક વાત પણ સાંભળી છે. તેઓ કહેતા હતા કે વૈદિક વાભયમાં અથર્વવેદનાં “બ્રહ્મવેદ’ ભૈષજ્યવેદ’ વગેરે ઘણાં નામો મળે છે. આમાંનું એક નામ અથર્નાગિરસ પણ છે.

એનું સત્ય એ છે, કે “અથર્વા” અને “આંગિરસ’ એ બંને અલગ અલગ ઋષિ હતા. એમણે જ સર્વ પ્રથમ અગ્નિને પ્રગટ કરીને યજ્ઞચિકિત્સાનો આવિષ્કાર કર્યો હતો. અથર્વવેદમાં અથવ ઋષિ દ્વારા દુષ્ટ સ્થાઓ અધ્યાત્મપરક, સુખદાયક, અભ્યદય પ્રદાન કરનારી અને શ્રેય આપનારી છે અને આંગિરસ ઋષિ દ્વારા દુષ્ટ ઋચાઓ અભિચારપરક, શત્રુનો સંહાર કરનારી, કૃત્યાદૂષણ, શાપરિવારિણી, મારક, મોહન, વશીકરણ વગેરે મુખ્ય છે. સાર તથ્ય એ છે, કે અથર્વણ મંત્ર સર્જનાત્મક છે અને આંગિરસ મંત્ર સંહારાત્મક છે. અથર્વવેદમાં અથર્વણ અને આંગિરસ એમ બે પ્રકારની ચિકિત્સા પ્રક્રિયા હોવાને કારણે અથર્વવેદને “અથર્નાગિરસ કહેવામાં આવે છે.

શબ્દ વ્યુત્પત્તિની દષ્ટિએ આપણે અથર્વાનો મર્મ તો સમજી ચૂક્યા, હવે જો “આંગિરસના મર્મનો અનુભવ કરીએ તો શબ્દ વ્યત્પત્તિ “આંગિરસ’નો અર્થ અંગોમાં પ્રવાહિત થતો રસ બતાવે છે. મનુષ્યના શરીરનાં પ્રત્યેક અંગ-અવયવમાં પ્રાણરસ’ પ્રવાહિત થતો રહે છે. આ પ્રાણરસનો પ્રવાહ પ્રત્યેક અંગ-અવયવને સક્ષમ અને સશક્ત બનાવ્યા કરે છે. આ રસ સુકાઈ જવાથી અથવા તો અટકી જવાથી અથવા તો એનો અભાવ થવાથી ઈદ્રિયો શિથિલ અને નિષ્ક્રિય થઈ જાય છે અને એનું કામ ઠપ્પ થઈ જાય છે. જ્યારે મનુષ્યનાં શરીરની આવી સ્થિતિ થઈ જાય છે ત્યારે એને લકવો, પક્ષાઘાત તથા મધુપ્રમેહ જેવા રોગ થતા હોય છે.

શરીરમાં પ્રવાહિત થતા આ રસમાં જ્યારે વિકાર ઉત્પન્ન થાય છે ત્યારે અનેક પ્રકારની વિકૃતિઓ તથા વ્યાધિઓ ઉત્પન્ન થવા માંડે છે. મનુષ્યનાં મન, મસ્તિષ્ક તથા હૃદય રોગિષ્ઠ થઈ જાય છે શરીરના આવી રીતે રોગગ્રસ્ત થવાથી અથર્વવેદના આધ્યાત્મિક ચિકિત્સા-વિધાન દ્વારા જલાવરેચન, હસ્તામિમર્શ, મણિબંધન, હવન તથા ઉપસ્થાન વગેરે કરવાથી તથા અથર્વવેદીય મંત્રો દ્વારા અભિમંત્રિત ઔષધ, ભેષજ ઉપચારથી મનુષ્ય રોગ-દોષ મુક્ત થઈને સ્વાસ્થ્ય અને નીરોગી બને છે. જલાવસેચન, મણિબંધન, ઔષધ, ભેષજ વગેરે ઉપચારોથી શરીરનાં અંગોના વિકૃત તથા શુષ્ક થઈ ગયેલા રસ સજીવ અને સશક્ત બને છે.

યુગઋષિ પરમપૂજય ગુરુદેવ આ અથર્વવેદીય અધ્યાત્મ ચિકિત્સાના વિશેષજ્ઞ હતા. એમનું કહેવું હતું, કે અસાધ્ય રોગ, ભયંકર દુર્ઘટના, મારણ, કૃત્યા વગેરે અભિચાર કર્મ, દુર્ભાગ્ય, દૈત્ય અને પ્રેતબાધા, પાગલપણાને અધ્યાત્મ ચિકિત્સાના મર્મજ્ઞ કેવળ માથા પર પાણી છાંટીને અથવા માથા પર હાથ મૂકીને અથવા તો મણિ બાંધીને દૂર કરી શકે છે. જેઓ આ પ્રયોગોને જાણે છે એમને એ સત્યનું જ્ઞાન છે, કે અથર્વવેદીય અધ્યાત્મ ચિકિત્સા કોઈ ચમત્કાર નથી, પ્રાયોગિક તથા વૈજ્ઞાનિક વ્યવસ્થા છે.

પરમપૂજય ગુરુદેવના મોટા પુત્ર શ્રી ઓમપ્રકાશ કે જેઓ કિશોરાવસ્થામાં એમની સાથે રહેતા હતા, તેઓ ગુરુદેવની આધ્યાત્મિક ચિકિત્સા સાથે સંલગ્ન અનેક અનુભૂતિઓ સંભળાવે છે. એમને હજી પણ આશ્ચર્ય થાય છે, કે કેવી રીતે ફક્ત એક પાંદડું, મૂળ અથવા તો નાનકડી લોટની બનેલી ગોળીથી તેઓ અસાધ્ય રોગોને ઠીક કરી આપતા હતા. શ્રી ઓમપ્રકાશજી જણાવે છે, કે ચિકિત્સાના નામે અમે એ દિવસોમાં આયુર્વેદ જાણતા હતા. શ્રી ગુરુદેવના એક મોટા ભાઈ પણ વૈદ્ય હતા. એમના દ્વારા આપવામાં આવતી દવાઓનું સ્વરૂપ, પ્રકાર તથા એની વિવિધતા અલગ ઢંગની રહેતી હતી, પરંતુ ગુરુદેવનું તો બધું જ અદ્ભુત હતું. અહીં તો તેઓ એક સામાન્ય પાંદડાંથી જ મરણપથારીએ પડેલાને જીવનદાન આપતા હતા.

શ્રી ઓમપ્રકાશજીનું કહેવું છે, કે એમના પ્રયોગમાં એક બીજી પણ વિચિત્રતા હતી. તે એ કે એવું જરૂરી નથી, કે રોગી એમની નજીક જ હોય, એમનાથી હજારો કિલોમીટર દૂર હોવા છતાં પણ એમની સારવારમાં કોઈ ખામી આવતી નહોતી. એક સામાન્ય દોરાને એમની પાસે મોકલીને તેઓ એમને સાજાનરવા બનાવી દેતા હતા. તેઓ કહેતા હતા કે એ દિવસોમાં તો હું અજાણ હતો, પરંતુ આજે લાગે છે, કે ખરેખર એ અથર્વવેદીય આધ્યાત્મિક સારવાર હતી. શાંતિકુંજમાં તપના સમયમાં પરમપૂજ્ય ગુરુદેવ પોતાના વિશ્વકલ્યાણ સંબંધી ઉચ્ચસ્તરીય પ્રયોગોમાં સંલગ્ન થઈ ગયા હતા અને એમની સારવારનું સ્વરૂપ સંલ્પ, પ્રયોગો ઈચ્છાશક્તિ સુધી જ સિમિત થઈ ગયું હતું. રોગીઓ હજી પણ ઠીક થતા હતા. એમની સંખ્યા પણ પહેલાં કરતાં અનેક ગણી વધી ગઈ હતી, પરંતુ હવે પ્રયોગ-પ્રક્રિયાઓ બદલાયેલી હતી. હવે આ અનેક લોકો માટે એમનો સંકલ્પ જ પર્યાપ્ત હતો.

જીવનનાં અંતિમ વર્ષોમાં એમની દષ્ટિ ભવિષ્ય તરફ હતી. સન્ ૧૯૮૯ના શિયાળામાં જ્યારે તેઓ પોતાના રૂમની બાજુના ફળિયામાં પલંગ પર બેઠા હતા ત્યારે એમની પાસે બેઠેલા શિષ્યોને પૂછયું- “કેમ ભાઈ ! મારા ગયા પછી તમે લોકો આવનારનું કેવી રીતે કલ્યાણ કરશો?” જવાબમાં શાંતિ છવાઈ ગઈ. કોઈ કાંઈ ન બોલ્યું. ત્યારે તેઓ પોતે બોલ્યા જુઓ, શરીર છોડ્યા પછી પણ મારી ચેતના હમેશાં શાંતિકુંજના પરિસરમાં છવાયેલી રહેશે. ભવિષ્યમાં જે લોકો અહીં આવે એમને કહેજો કે ગુરુદેવે ફક્ત શરીર છોડ્યું છે, તેઓ ક્યાંય ગયા નથી પણ અહીં જ છે. એમનો તપપ્રાણ અહીં કણકણમાં સમાયેલો છે. તમે લોકો એને તમારા મન, આત્મામાં અનુભવ કરો. જેટલો સમય અહીં રહો ત્યાં સુધી વિચારો, કે હું મારાં રોમરોમથી, પ્રત્યેક શ્વાસથી ગુરુદેવના તપ્રાણને ધારણ કરી રહ્યો છું. એનાથી એમની બધા પ્રકારની સારવાર થઈ જશે.” ગુરુદેવ દ્વારા કહેવામાં આવેલું આ સત્ય આજે પણ પ્રમાણિત થઈ રહ્યું છે. એમણે આધ્યાત્મિક ચિકિત્સાનો જે પ્રસાર કર્યો તેને આજે વિશ્વભરમાં માન્યતા મળી રહી છે.

અચેતનની સારવાર કરનારું, આધ્યાત્મિક ચિકિત્સા

અચેતનની સારવાર કરનારું, આધ્યાત્મિક ચિકિત્સા

એક વિશિષ્ટ સેનેટોરિયમ આધ્યાત્મિક સારવાર કેન્દ્રના રૂપમાં શાંતિકુંજ દ્વારા કરવામાં આવી રહેલી સેવાઓ વિશ્વવિખ્યાત છે. બ્રાહ્મમુહૂર્તથી જ અહીં માનવીય ચેતનાનાં જાગરણના સ્વર ધ્વનિત થવા માંડે છે. ગાયત્રી મહામંત્રનો જપ તથા ભગવાન સૂર્યનાં ધ્યાનની સાથે અહીં રહેનારા તથા અહીં આવેલા અગણિત સાધક અરુણોદયનું અભિવાદન કરે છે અને એ જ ક્ષણોમાં એમને એ પ્રકાશદીપની પ્રેરણા મળે છે, જે શાંતિકુંજના સંસ્થાપકે ઈ.સ. ૧૯૨૬ના વસંતપર્વ પર દેવાત્મા હિમાલયની દિવ્ય વિભૂતિની સાક્ષીમાં પ્રગટાવ્યો હતો. જે ત્યારથી માંડીને આજ સુધી અખંડ રીતે પ્રજ્વળતાં અસંખ્ય લોકોને પ્રકાશભરી પ્રેરણાઓ વહેંચી રહ્યો છે. અનેક અનુભૂતિઓ એની સાક્ષીમાં ઉત્પન્ન થઈ અને ચિદાકાશની અમાનત બની છે. આ અવિરલ કથા-ગાથા આજે પણ કહેવામાં આવે છે.

સૂર્યોદયની સાથે જ એના મધ્યમ સ્વર ધીરગંભીર થઈ જાય છે. શિવાલિક પર્વતમાળાઓની તળેટીમાં વસેલ શાંતિકુંજની મધ્યમાં બનેલી યજ્ઞશાળામાં વૈદિક મંત્રોનાં વિધિસરનાં સ્વરગાનની સાથે સ્વાહાનું ગુંજન થાય છે ત્યારે કોણ જાણે કેટલાય લોકોની શારીરિક માનસિક વ્યાધિઓ એકસાથે ભસ્મ થઈ જાય છે. આ સ્વાહાનો મહાઘોષ એવો હોય છે કે જાણે ભગવાન મહાકાલે વિશ્વના મહારોગોને ભસ્મીભૂત કરવા માટે મહાસ્વાદાનું ઉચ્ચારણ કર્યું હોય. પવિત્ર યજ્ઞ ઉપરાંત અહીં આવેલા લોકો વિશિષ્ટ સાધકોનાં પવિત્ર વચનો સાંભળે છે. એનાથી એમની વિચારચેતના નવી તાલીમ મેળવે છે. આ વિચાર ઔષધિઓ પછી એમને મા ગાયત્રીનો મહાપ્રસાદ મળે છે.

મહાપ્રસાદ ઉપરાંત સાધક-સાધિકાઓ અહીં પોતાના પ્રશિક્ષણના નવા ક્રમનો પ્રારંભ કરે છે. એનાં બે પરિમાણો છે. પહેલા પરિમાણમાં નવ દિવસનાં સત્રનો કાર્યક્રમ છે, જે વ્યક્તિની આત્મચેતનાને પરિત તથા પ્રશિક્ષિત કરવા માટે છે. બીજું પરિમાણ એકમાસીયસત્રના કાર્યક્રમનું છે, જે સામૂહિક લોક્યતનાને પરિત તથા પ્રશિક્ષિત કરવા માટે છે. આ પ્રશિક્ષણ આખો દિવસ ચાલે છે. સાંજ થતાં જ સૂર્ય ભગવાન તો વિશ્વના બીજા ગોળાર્ધને પ્રકાશિત કરવા ચાલ્યા જાય છે, પરંતુ જતાં જતાં તે અહીંના સાધકોને આશીર્વાદ આપવાનું ભૂલતા નથી. એમના આશીર્વાદની આ લાલિમાં લાંબા સમય સુધી સાધકોનાં મનને પોતાના રંગમાં રંગ્યા કરે છે.

આ સાથે સાધકોના રંગમાં રંગાયેલી સાંજસાધકોનાં અંતર્ગગનમાં સમાઈ જાય છે અને રાત્રિના પ્રથમ પ્રહરમાં સાધકોનાં પ્રશિક્ષણનોબાકીનો ભાગ પૂરો થાય છે. ત્યારબાદ સૌ ભગવાનનું સ્મરણ કરીને નિદ્રાધીન થવા માંડે છે, પરંતુ એમાં કેટલાક એવા હોય છે કે જે પોતાના અંતરમાં સદ્દગુરુના સંક્તોને ક્ષણેક્ષણે અવતરિત થતા અનુભવે છે. આ અકથનીય અનુભવોની સાથે એમની નિશીથકાલીન સાધના શરૂ થાય છે. આ સાધકો પોતાના આરાધ્ય ગુરુદેવને આપેલા વચન અનુસાર મહાનિશામાં ઊંધવાને મહાપાપ સમજે છે. ખરેખરાસાધકછેતે મહાનિશામાં ક્યારેયસૂતા નથી. એમના માટે આ સમય સઘન સાધનામાં વિલીન-વિસર્જિત થઈ જવા માટે હોય છે, નહિ કે મોહનિદ્રાનાં બંધનમાં બંધાવા માટે.

સૂક્ષ્મમાં વિદ્યમાન સગુરુની સત્તાના સંકેતો અનુસાર સંચાલિત, આવા સાધકોની સાધના અદશ્યની પ્રાણ-ઊર્જને સઘન બનાવે છે. યુગઋષિના મહાપ્રાણોમાં વિલીન થનારાં એમનાં પ્રેરણાદાયી દશ્યો માનસપટલ પર ઊપસે છે. આ પ્રેરણાઓથી વિચાર તંત્ર પ્રશિક્ષિત થાય છે અને વ્યવહાર રૂપાંતરિત. માનવજીવનમાં શાંતિકુંજની અદશ્ય સંવેદનાઓ તથા દશ્ય ક્રિયાક્લાપ ચોંકાવનારો પ્રભાવ ઉત્પન્ન કરે છે. આ પ્રભાવ કોઈની વિચાર કલ્પના નથી, પરંતુ દેવસંસ્કૃતિ વિશ્વવિદ્યાલયના અનેક વિદ્યાર્થીઓના સંશોધનનો નિષ્કર્ષ છે.

પાછલા સત્રમાં દેવસંસ્કૃતિ વિશ્વવિદ્યાલયના માનવચેતના તથા યોગ વિજ્ઞાન વિભાગ તથા નૈદાનિક મનોવિજ્ઞાન વિભાગના વિદ્યાર્થીઓએ પોતાના લઘુશોધ અધ્યયન માટે શાંતિકુંજને વિષય તરીકે પસંદ કર્યું હતું. આ અભ્યાસ કરનારાં વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓની સંખ્યા ૭૫ હતી અને એમાંથી અડધાથી વધુ વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓના અભ્યાસનો વિષય એ હતો કે શાંતિકુંજ કઈ રીતે આધ્યાત્મિક ચિકિત્સાનું કાર્ય કરી રહ્યું છે. અહીંનું વાતાવરણ, અહીંનું પ્રશિક્ષણ, અહીંની જીવનશૈલી કઈ રીતે અહીં આવનાર લોકોની શારીરિક તથા માનસિક વ્યાધિઓનું શમન કરે છે.

એના માટે અભ્યાસ કરનાર વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓએ શાંતિકુંજની આધ્યાત્મિક અનુભૂતિઓનાં કાવ્યને અધ્યાત્મના વૈજ્ઞાનિક પ્રયોગોમાં રૂપાંતરિત કર્યું. આ રૂપાંતરણમાં એમણે શાંતિકુંજની અંદશ્ય તથા દેશ્ય ગતિવિધિઓના નીચેના આયામોની વ્યાખ્યા કરી. આ વિદ્યાર્થીઓએ આધ્યાત્મિક સારવાર કેન્દ્રમાં સંવેદનશીલ અદશ્યનાં દિવ્ય સ્પંદનોને અસરકારક પરિબળરૂપે (Motivation factor) સ્વીકાર્યા. એમણે પોતે અહીં રહીને અનુભવ કર્યો, કે શાંતિકુંજમાં પ્રવેશ કરતાં જ કોઈ દિવ્ય પ્રેરણા હૃદયમાં હિલોળાની જેમ ઊઠે છે અને આદર્શવાદી દિશામાં કંઈક વિશેષ કરવા માટે પ્રેરિત કરે છે. એમના મતે આ પ્રેરણાઓમાં એટલું પ્રાણબળ હોય છે કે તે અભિવૃત્તિઓમાં પરિવર્તન લાવે છે.

આ સાથે જ આ અભ્યાસીઓએ એવું કહ્યું, કે શાંતિકુંજના દશ્ય ક્રિયા-કલાપોમાં સૌ પ્રથમ અહીં ચાલતાં પ્રશિક્ષણ છે, જેને વૈજ્ઞાનિક ભાષામાં “કોગ્નીટિવ રિસ્ટ્રક્યરિંગ એટલે કે, બુદ્ધિતંત્રનું પુનઃનિર્માણ કહી શકાય તે છે. માણસના જીવનની મુખ્ય સમસ્યા છે – વિચારોની અસ્તવ્યસ્તતા, જેના કારણે જ એના જીવનમાં શારીરિક-માનસિક તકલીફો આવી પડી છે. આ અભ્યાસીઓએ પોતાના શોધકાર્યમાં આ અનુભવ કર્યો છે. શાંતિકુંજના પ્રશિક્ષણ દ્વારા સફળતાપૂર્વક કોગ્નીટિવ રિસ્ટ્રક્યરિંગ થાય છે. એનાથી ચિતનને નવી દૃષ્ટિ મળે છે અને અહીં આવનારાઓને માનસિક રોગોથી છુટકારો મળે છે.

શાંતિકુંજના કાર્યક્રમોનું બીજું પરિમાણ અહીંની જીવનશૈલી છે, જેને વૈજ્ઞાનિક ભાષામાં “બિહેવિયરલ મોડીફિકેશન’ અથવા વ્યાવહારિક પરિવર્તનની પ્રક્રિયા કહી શકાય છે. એ સાચું છે, કે વ્યાવહારિક તકનિકો દ્વારા મનુષ્યને અનેક રોગોથી મુક્ત કરી શકાય છે. શાંતિકુંજની જીવનશૈલીના આ ચમત્કારો શોધ-અભ્યાસોના પરિણામોનાં રૂપમાં સામે આવ્યા. આ પરિણામોમાં એ જાણવા મળ્યું છે, કે અહીં નવ દિવસના તથા એક મહિનાના સત્રમાં આવનારા માણસો અસાધારણ રીતે પોતાનાં શારીરિક તથા માનસિક સ્વાસ્થ્યને મેળવે છે. એક-બે નહિ, પરંતુ બે ડઝનથી પણ વધારે શોધ નિષ્કર્ષોથી આધ્યાત્મિક ચિકિત્સા કેન્દ્ર રૂપે શાંતિકુંજની સફળતા પ્રમાણિત થઈ અને એ બધું આ મહાન ઊર્જા કેન્દ્રના સ્થાપક, આધ્યાત્મિક ચિકિત્સાના પરમ આચાર્ય યુગઋષિ પરમપૂજય ગુરુદેવની સતત તપશ્ચર્યાનું સુફળ છે.

એક સમગ્ર ઉપચાર પદ્ધતિ જીવનશૈલી આધ્યાત્મિક બને, આધ્યાત્મિક ચિકિત્સા

એક સમગ્ર ઉપચાર પદ્ધતિ જીવનશૈલી આધ્યાત્મિક બને, આધ્યાત્મિક ચિકિત્સા

વ્યવહાર ચિકિત્સાનાં આધ્યાત્મિક પરિમાણો પણ છે, જે એને સાચા અર્થમાં પૂર્ણતા પ્રદાન કરે છે અને તે આધ્યાત્મિક વ્યવહાર ચિકિત્સાનું નવું રૂપ લે છે. આ પ્રક્રિયામાં આધ્યાત્મિક જીવનશૈલીની તકનિકોને અપનાવીને મનનાં ઊંડાણની ગાંઠો ઉકેલવામાં આવે છે. આ ગાંઠો ઉhતાં જ વ્યક્તિની જીવનદષ્ટિ બદલાય છે અને એનો વ્યવહાર કાબૂમાં આવી જાય છે. સૈદ્ધાંતિક તથા પ્રાયોગિક રૂપે આ વ્યવહાર તકનિકોના કારણે ક્યાંય વધુ પ્રભાવશાળી છે. એમાં પણ મનોચિકિત્સાની જેમ જ રોગીના અસામાન્ય વ્યવહાર અને એનાં કારણોની ઊંડી તપાસ કરવામાં આવે છે. આ તપાસ સામાન્ય વિશ્લેષણ દ્વારા પણ કરી શકાય છે અને આધ્યાત્મિક ચિકિત્સકની અંતર્દષ્ટિ દ્વારા પણ.

બગડેલા વ્યવહારોને બધાં જુએ છે પણ છેવટે એ બગડ્યા કેવી રીતે? એની જાણકારી મેળવવાની જરૂર લગભગ કોઈને નથી, જે ઉદંડ છે, ઉÚખલ છે, ખરાબ ટેવોનો શિકાર છે અને ખરાબ કામોમાં રચ્યોપચ્યો છે એને બસ ખરાબ માણસ કહીને છુટકારો મેળવી લેવામાં આવે છે. આ ખરાબ ટેવો એનામાં આવી કેમ? આ પ્રશ્નનો જવાબ કોઈ શોધતું નથી. ખરાબ મિત્રતા અથવા ખરાબ કાર્યો સિવાય વ્યાવહારિક ગરબડનું એક બીજું પરિબળ પણ છે. દાખલા તરીકે, કારણ વિના ગભરાઈ જવું, એકાએક અવસાદથી ઘેરાઈ જવું અથવા પછી અચાનક દુઃખનો હુમલો થવો. રોગી જ્યારે આ સમસ્યાઓનાં કારણ બતાવે છે તો તેને ડરપોક માનવામાં આવે છે અથવા પછી માથાફરેલો કહીને મશ્કરી કરવામાં આવે છે.

આ કારણો પણ આશ્ચર્યજનક હોય છે. જેમ કે, કોઈ ઉંમરલાયક વ્યક્તિ કૂતરાનું મોટું જોઈને ગભરાઈ જાય છે અને પૂછતાં એવું કહે છે કે મને તો કૂતરાનો ફોટો પણ ડરામણો લાગે છે. સાંભળનારને એવું લાગે છે કે બાળકોનો ડર તો સમજી શકાય છે, પરંતુ આ ઉંમરલાયક માણસ કેમ ગભરાય છે. તેવી જ રીતે કોઈને અંધારાનો ડર લાગે છે તો કોઈ ઊંચી ઈમારત જોઈને જ બેભાન થઈ જાય છે. કેટલાક તો એવા પણ હોય છે કે જેમને ભીડ જોઈને જ ગભરામણ થવા માંડે છે. કેટલાક બિચારા તમાકુ, સિગારેટ, પાન, ગુટખા વગેરે ખરાબ ટેવોના શિકાર હોય છે. એવા લોકો દુનિયામાં કાં તો હાંસીપાત્ર બને છે અથવા એના નસીબમાં દુનિયાભરની ધૃણા, ઉપેક્ષા, તિરસ્કાર, અપમાન આવે છે. કોઈ પણ એનાં દુઃખને સાંભળવાનો, વહેંચવાનો પ્રયાસ કરતું નથી. જ્યારે સાચું એ છે કે આવા લોકો પોતાના મનમાં અસંખ્ય દુઃખોને સંતાડી રાખે છે. એમનાં મનમાં ખૂબ જ દુઃખ આપનારા ઊંડા ઘા હોય છે.

આધ્યાત્મિક ચિકિત્સક એનાં આ દુઃખોને પોતાના મનનાં ઊંડાણમાં અનુભવે છે, કેમ કે એને એ સત્યની ખબર હોય છે કે હકીકતમાં કોઈ ખરાબ કેડરપોક નથી. બધામાં ઈશ્વરનો સનાતન અંશ છે. દરેક વ્યક્તિ પોતાનાં મૂળ રૂપમાં પરમ દિવ્ય હોવાની સાથે સાહસ અને સદ્ગણોનો ભંડાર છે. બસ થયું એટલું જ છે કે કોઈ પણ કારણે એના અંતરમનમાં થોડી ગાંઠો પડી ગઈ છે, જેના કારણે એની આધ્યાત્મિક ઊર્જાનો પ્રવાહ અવરોધાઈ ગયો છે. જો આ ગાંઠોને ઉકેલી નાખવામાં આવે તો ફરી પાછી સ્થિતિ બદલાઈ શકે છે. હા, એટલું જરૂર કે આ ગાંઠો નાનપણની પણ હોઈ શકે છે અને આગલા જન્મની પણ, પરંતુ એ તો સો ટકા સાચું છે કે વ્યક્તિને ખરાબ અથવા બીકણ બનાવવામાં એનો જ પ્રભાવ કામ કરે છે.

આ સત્યને વધારે સમજવા માટે આપણે વ્યક્તિત્વ નિર્માણની ‘ પ્રક્રિયામાં જવું પડશે. કોઈનું પણ બાળપણ એનાં વ્યક્તિત્વનું અંકુરણ છે. એના વધતા ક્રમમાં વ્યક્તિત્વ પણ વધે છે. આ સમયગાળામાં કોઈ પણ ઘટનાની મન-મગજ પર ઊંડી અસર થાય છે. હવે જો કોઈ પણ બાળકને વારંવાર અંધારાથી અથવા તો કૂતરાથી ગભરાવવામાં આવે અને જો એ ડર ઊંડો બનીને કોઈ પણ મનોગ્રંથિનું રૂપ ધારણ કરી લે તો પછી એ બાળક પોતાની આખી જિંદગી અંધારાથી અને કૂતરાથી ગભરાતો રહેશે. આ જ સ્થિતિ ભાવનાત્મક આઘાત અંગે છે. જેને આપણે ખરાબ અને અસામાજિક માણસો કહીએ છીએ એમાંથી કોઈ ખરાબ અને અસામાજિક હોતું નથી. ભાવનાત્મક પ્રતિક્રિયાથી ઉપજેલા વિરોધના સૂર, ઊપજેલી વિકૃતિઓ એને ખરાબ બનાવી દે છે. જે આ મનોગ્રંથિઓને ખોલી નાખવામાં આવે તો બધું બદલાઈ શકે છે.

આધ્યાત્મિક વ્યવહાર ચિકિત્સામાં ચિકિત્સક સૌથી પહેલાં એનાં દુઃખ અને તકલીફોને સારી રીતે સમજે છે. પોતાના આત્મીય સંબંધો તથા અંતર્દષ્ટિ દ્વારા એની મનોગ્રંથિના સ્વરૂપ અને સ્થિતિનો તાગ મેળવે છે. ત્યારબાદ કોઈ ઉપલબ્ધ આધ્યાત્મિક તકનિક દ્વારા એની આ જટિલ મનોગ્રંથિને ખોલે છે. આ સંપૂર્ણ પ્રક્રિયામાં સૌથી જરૂરી એ છે કે ચિકિત્સકના વ્યક્તિત્વ પર રોગીને સંપૂર્ણ શ્રદ્ધા હોય. ત્યારબાદ બધું બરાબર થવા માંડે છે. દાખલા તરીકે, જો અંધારાથી ગભરાતા રોગીની વાત હોય તો ચિકિત્સક સૌથી પહેલાં અંધારાની વાસ્તવિક્તાથી વૈચારિક પરિચય કરાવશે. ત્યારબાદ એના વિશે થોડું વધારે ઊંડાણથી સમજાવશે. ત્યારબાદ તે પોતે તેને એ અંધારી જગ્યાએ લઈ જશે કે જ્યાં તેને ડર લાગે છે. આ સંપૂર્ણ પ્રક્રિયામાં જપ અથવા ધ્યાનની તકનિકોનો ઉપયોગ પણ થઈ શકે છે, કેમ કે એનાથી મનોગ્રંથિઓ સરળતાથી ખૂલે છે.

અહીં ક્રાંતિવીર ચંદ્રશેખર આઝાદના બાળપણની એક ચર્ચા પ્રાસંગિક બની રહેશે. આમ તો તેઓ બાળપણથી જ સાહસિક હતા પણ અમુક વસ્તુઓ એમને ગભરાવી દેતી હતી. એમાંથી એક અંધારું હતું અને એક પીડા. દસ-બાર વર્ષની ઉંમરે એમને ત્યાં એક મહાત્મા આવ્યા છે મહાવીર હનુમાનજીના ભક્ત હતા. હનુમાનજીની પૂજા કરવી અને રામકથા કહેવી એ જ એમનું કામ હતું. ચંદ્રશેખરના ગામમાં પણ એમની રામકથા થઈ રહી હતી. રામકથાના માર્મિક પ્રસંગો બાળક ચંદ્રશેખરને ભાવવિભોર કરી દેતા હતા, તો કેટલાક પ્રસંગોને સાંભળીને તે રોમાંચિત થઈ જતો. પોતાની ભાવનાઓના ઉતાર-ચઢાવોની વચ્ચે બાળક ચંદ્રશેખરે વિચાર્યું કે આ મહાત્માજી જરૂર મારી સમસ્યાનું સમાધાન કરી શકશે.

બસ, એણે પોતાની સમસ્યાઓ મહાત્માજીને સંભળાવી. એણે કહ્યું, “સ્વામીજી, મને અંધારાનો ડર લાગે છે.” મહાત્માજી બોલ્યા, “કેમ બેટા?” તો એમણે કહ્યું કે, “અંધારામાં ભૂત રહે છે એટલા માટે.” આ સાંભળીને મહાત્માજી બોલ્યા, “બીજી કોઈ વસ્તુથી પણ ડરે છે ?” બાળકે કહ્યું, “હા મહારાજ, મને માર ખાવાથી પણ ખૂબ ડર લાગે છે.” એમની આ બધી વાતો સાંભળીને મહાત્માજીએ એમને સાંજના સમયે ઝૂંપડીમાં બોલાવ્યા અને પોતાની પાસે બેસાડીને વાતો કરવા લાગ્યા. જ્યારે રાત ઘેરાવા માંડી તો તેઓ એમને લઈને ગામની બહાર સ્મશાનમાં ગયા, જ્યાં ભૂતોના કિસ્સાઓ ગામના માણસો રસપૂર્વક સંભળાવતા હતા.

રસ્તે ચાલતાં મહાત્માજીએ એમને કહ્યું, “જાણે છે દીકરા, ભૂત કોણ હોયછે?” બાળકે કહ્યું, “ના મહારાજ.” “તો સાંભળ” સ્વામીજી બોલ્યા, “ભૂત એ હોય છે, જેનું અકાળ મૃત્યુ થાય છે. જેઓ જીવનથી ડરીને આત્મહત્યા કરી લે છે. જે માણસ પોતાના જીવનમાં ડરપોક હતો, સમગ્ર જીવનમાં કોઈ પણ કામ સારી રીતે ન કરી શક્યો, તે મર્યા પછી તારું શું બગાડી શકવાનો? રહી વાત માર ખાવાથી ગભરાવાની, તો શરીર તો આમ પણ એક દિવસ મરવાનું જ છે અને મન-આત્મા મરવાનાં નથી.” આવી વાતો કરતા કરતા તે મહાત્મા ગામની બહાર સ્મશાનમાં આવી ગયા. સ્મશાનમાં ક્યાંય ડરનું કોઈ કારણ ન હતું. આ અનુભવે બાળક ચંદ્રશેખરને પરમ સાહસિક બનાવી દીધો. હા, એટલું જરૂર કે મહાત્માજીએ એમને રામભક્ત હનુમાનજીની ભક્તિ શીખવાડી. મહાત્માજીની આ આધ્યાત્મિક ચિકિત્સાએ એમને એટલા સાહસિક બનાવી દીધા કે અંગ્રેજ સરકાર પણ એમનાથી ગભરાવા માંડી. એ મહાત્માજીનું એવું પણ કહેવું હતું કે જો કોઈ વિશિષ્ટ આધ્યાત્મિક પ્રયોગ કરવો હોય તો કોઈ તપોભૂમિની પસંદગી કરવી જોઈએ, કેમ કે એ આધ્યાત્મિક ચિકિત્સાનું કેન્દ્ર હોય છે.

સંયમ છે પ્રાણ-ઊર્જાનું સંરક્ષણ, સદાચાર ઊર્ધ્વગમન, આધ્યાત્મિક ચિકિત્સા

સંયમ છે પ્રાણ-ઊર્જાનું સંરક્ષણ, સદાચાર ઊર્ધ્વગમન, આધ્યાત્મિક ચિકિત્સા

સંયમ સદાચારના પ્રયોગ ચિકિત્સાની આધ્યાત્મિક પ્રક્રિયાનો આધાર છે. એના આધારે જ આધ્યાત્મિક ચિકિત્સાનાં સાધનો એકઠાં થાય છે અને પોતાનું પરિણામ પ્રગટ કરે છે. જો કે, ચિકિત્સાની અન્ય પદ્ધતિઓ આ પ્રયોગો વિશે મૌન છે, પરંતુ જો તેને ધ્યાનથી તપાસવામાં આવે તો એમાં પણ કોઈને કોઈ સ્તર પર સચ્ચાઈ ઝલકે છે. રોગીના રોગનું નિદાન કર્યા પછી લગભગ બધા જ ચિકિત્સકો ખાવા-પીવાની રીતરસમો અને જીવનશૈલી બાબતમાં નિર્દેશ આપે છે. આ નિર્દેશોમાં એક રીતે તો સંયમ – સદાચાર જ સમાયેલા રહે છે. જરા વિચારો તો ખરા એવો કયો ચિકિત્સક હશે જે પોતાના ગંભીર રોગીને તળેલા, શેકેલા, મરી – મસાલેદાર, ભારે પદાર્થો ખાવાની છૂટ આપશે. એટલું જ નહિ, રોગીઓની સાથે રાગ-રંગ અને ભોગ-વિલાસિતા પર પણ મનાઈ ફરમાવી દેવામાં આવે છે.

ચિકિત્સાની કોઈ પણ પદ્ધતિ રોગીઓની જીવનચર્યાનો જે રીતે નિર્ણય કરે છે, તે એક રીતે તો એને સંયમ-સદાચારની જ શીખ છે. આ શીખની ઉપેક્ષા કરીને કોઈ ગંભીર રોગ ફક્ત દવાઓથી ઠીક થઈ શકતો નથી. એમાં એટલું જરૂર છે, કે આ ચિકિત્સકો તથા રોગીઓની આ શ્રદ્ધા રોગ મટે ત્યાં સુધી જ ટકી રહે છે. રોગનાં લક્ષણ દૂર થતાં જ તેઓ ફરીથી ભોગ-વિલાસમાં મગ્ન બનીને નવા રોગોને આમંત્રણ આપવામાં લાગી જાય છે, જ્યારે આધ્યાત્મિક ચિકિત્સાની જીવનદષ્ટિ અને જીવનશૈલી સંયમ-સદાચારના પ્રયોગો પર જ ટકેલી છે. આધ્યાત્મિક ચિકિત્સકોએ આ પ્રયોગોને ખૂબ ઊંડાણથી કર્યા છે. એની વિશેષતાઓ અને સૂક્ષ્મતાઓને જાણી છે.

સંયમ-સદાચાર પ્રાણ-ઊર્જાને સંરક્ષિત, સંગ્રહિત અને સંવર્ધિત કરવાની એક વૈજ્ઞાનિક પદ્ધતિ છે. સામાન્ય રીતે સંયમ અને સદાચારને એક મજબૂરીરૂપે ફરજિયાતપણે લાદવામાં આવેલા જીવનક્રમરૂપે ગણવામાં આવે છે. ઘણા માણસો તો એને પ્રવૃત્તિઓના દમનરૂપ સમજે છે અને સંપૂર્ણપણે અવૈજ્ઞાનિક માને છે. આધ્યાત્મિક ચિકિત્સકોનું કહેવું છે કે આવા લોકો દોષી નહિ પણ અણસમજુ છે. ખરેખર આ લોકોને પ્રાણ-ઊર્જાના પ્રવાહની પ્રકૃતિ, એમાં આવતી વિકૃતિ તથા એના નિદાન-નિવારણની ઊંડી સમજ નથી. તેઓ જે કંઈ કહે છે તે પોતાની અણસમજને લીધે કહે છે.

વાત સમજદારીની હોય તો સંયમ પ્રાણ-ઊર્જાનું સંરક્ષણ છે અને સદાચાર એનું ઊર્ધ્વગમન છે. આ બંને તત્ત્વો નૈતિક હોવા કરતાં આધ્યાત્મિક વધારે છે. વિશેષજ્ઞો માને છે કે ફક્ત પ્રાણ-ઊર્જાનું સંરક્ષણ જ પૂરતું નથી, એનું ઊર્ધ્વગમન પણ જરૂરી છે. જો કે, ફક્ત સંરક્ષણ થાય તો પણ વ્યક્તિ બીમાર પડતી નથી, પણ જો વાત પ્રાણશક્તિથી માનસિક સામર્થ્ય અને વિકાસની હોય તો તેનું ઊર્ધ્વગમન પણ થવું જોઈએ. આયુર્વેદના કેટલાક ગ્રંથો એ વાતની સાક્ષી પૂરે છે કે જે વ્યક્તિમાં પ્રાણનું ઊર્ધ્વગમન થઈ રહ્યું છે, એના સ્નાયુઓ વજની માફક મજબૂત બની જાય છે. એની ધારણાશક્તિ અસાધારણ હોય છે. તે મનોબળ તથા સાહસનો માલિક હોય છે.

આ સત્યને હજી વધારે વ્યાપક રીતે જાણવું હોય તો સંયમનો અર્થ છે – પોતાના જીવનની શક્તિઓની બરબાદી રોકવી, ટીપુ-ટીપું કરીને એને બચાવવી. આ પ્રક્રિયામાં ઈન્દ્રિયસંયમ, સમયસંયમ, અર્થસંયમ  તથા વિચારસંયમને અગ્રતા આપવામાં આવે છે. જ્યાં સુધી સદાચારનો પ્રશ્ન છે તો એ આધ્યાત્મિક શક્તિઓના વિકાસ માટે કરવામાં આવતું આચરણ છે. આ કોઈ પ્રકારની મજબૂરી નથી, પરંતુ જીવનનાં ઉચ્ચતમ પ્રયોજનો પ્રત્યે શ્રદ્ધા છે. જેનામાં આ શ્રદ્ધા હોય છે તે શરૂઆતમાં ભલે જડબુદ્ધિના હોય, પરંતુ પછીથી પ્રતિભાસંપન્ન બન્યા વિના રહેતા નથી. એનું માનસિક સામર્થ્ય અસાધારણ રીતે વિકસિત થાય છે.

હજુ થોડા દિવસો પહેલાં સાઈકોન્યૂરો ઈમ્યુનોલોજીના ક્ષેત્રમાં એક પ્રયોગ કરવામાં આવ્યો. આ પ્રયોગ બે ખાસ વૈજ્ઞાનિકો આર.ડેવિડસન અને પી. એરિક્સને સંપન્ન કર્યો. આ પ્રયોગમાં એમણે ૪૦૦ વ્યક્તિઓનો સમાવેશ કર્યો. એમાંથી ૨૦૦ વ્યક્તિઓ એવી હતી, જેમને અધ્યાત્મ પ્રત્યે શ્રદ્ધા હતી, જેઓ સંયમિત તથા સદાચારી જીવન જીવતી હતી. આનાથી ઊલટું ૨૦૦ વ્યક્તિઓ એવા પ્રકારની હતી, જેઓ ભોગવિલાસમાં શ્રદ્ધા ધરાવતી હતી, જેઓ મદિરાલય તથા જુગારના અડ્ડાઓમાં પોતાનો સમય વિતાવતી હતી અને જેમની જીવનશૈલી અસ્તવ્યસ્ત હતી. આ બંને પ્રકારની વ્યક્તિઓનો એમણે સતત દસ વર્ષ સુધી અભ્યાસ કર્યો.

અભ્યાસની આ પ્રક્રિયામાં એમણે જોયું કે જે વ્યક્તિ સંયમ સદાચારપૂર્વક જીવે છે તે બીમાર ઓછી પડે છે. તેનામાં માનસિક ઉત્તેજના, ઉદ્વેગ અને આવેગ બહુ ઓછાં હોય છે. આવી વ્યક્તિ તણાવ અને ખરાબ ચિંતાઓથી મુક્ત હોય છે. કદાચ જો તેમને કોઈ બીમારી થઈ જાય તો પણ તે જલદી સાજી થઈ જાય છે. ઘા લાગવાથી કે ઓપરેશન થવાથી પણ બીજની સરખામણીમાં એમના ઘા જલદી રૂઝાઈ જાય છે. આનાથી ઊલટું, અસંયમિત તથા વિલાસી મનોભૂમિવાળાની પરિસ્થિતિ એમનાથી વિપરીત જોવા મળી. એમની જીવનશક્તિ નષ્ટ થતી રહેવાના એક સમગ્ર ઉપચાર પદ્ધતિ કારણે એમને કોઈને કોઈ નાની-મોટી બીમારીઓ હમેશાં વળગેલી જ રહે છે. ચેપી બીમારીઓની શક્યતા તેઓમાં હમેશાં રહે છે. તણાવ, ખરાબ ચિંતાઓ, ઉત્તેજના તથા આવેગ તો જાણે એમનો સ્વભાવ જ હોય છે. કોઈ પણ બીમારી થતાં તેઓ ધાર્યા કરતાં મોડા સાજા થાય છે. એક જ બીમારી એમને વારંવાર ઘેરતી રહે છે. ચોટ લાગવાથી કે ઓપરેશન વખતે પણ એમને સાજા થવામાં ઘણો લાંબો સમય લાગે છે. આ પરિસ્થિતિનો એક દશકા સુધી અભ્યાસ કરતાં ડેવિડસન તથા એરિક્સને એવું તારણ કાઢ્યું કે સંયમ-સદાચારથી વ્યક્તિની પ્રતિરોધક ક્ષમતામાં અસાધારણ વૃદ્ધિ થાય છે. એના કારણે એનામાં શારીરિક અને માનસિક રોગોની સંભાવના ઓછી રહે છે. કદાચ કોઈ કારણે જો કોઈ રોગ થાય તો પણ એનાથી છુટકારો જલદી મળે છે.

આમાં આ વૈજ્ઞાનિક દૃષ્ટિ કરતાં આધ્યાત્મિક દષ્ટિ ઘણી ઊંડી અને સૂક્ષ્મ છે. આપણે પરમપૂજ્ય ગુરુદેવના જીવનમાં આ સત્યની અનુભૂતિ મેળવી છે. પોતાના જીવનના ઉત્તરાર્ધમાં તો તેમણે ફક્ત સંકલ્પોથી જ અનેક લોકોને રોગમુક્ત કર્યા, પણ અખંડ જયોતિ સંસ્થાનના નિવાસકાળમાં રોગ-નિવારણની આ પ્રક્રિયાને તેઓ થોડી અલગ રીતે પૂર્ણ કરતા હતા. આ માટે તેઓ રોગીનું પહેરેલું કપડું માગતા હતા અને એના પ્રાણનાં સૂક્ષ્મ પરમાણુઓનું પરીક્ષણ આધ્યાત્મિક રીતે કરતા હતા. પછી પરિસ્થિતિ પ્રમાણે તેની ચિકિત્સા કરતા હતા.

આવી જ રીતે એકવાર ગુજરાતના દેવેશભાઈએ પોતાના સંબંધી વિશે એમને લખ્યું. તે સંબંધી કેટલીય ખરાબ ટેવોના શિકાર હતા. જો કે એમનું સ્વાસ્થ્ય ઘણું સારું હતું. ગુરુદેવે દેવેશભાઈ પાસે એમણે પહેરેલું કપડું મંગાવ્યું. કપડાનાં આધ્યાત્મિક પરીક્ષણ પછી તેમણે દેવેશભાઈને પત્ર લખીને જણાવ્યું કે તમારા સંબંધીના જીવનદીપનું તેલ સુકાઈ ગયું છે અને હવે ટૂંક સમયમાં તેની જયોતિ ઓલવાઈ જવાની છે. ગુરુદેવના આ પત્ર પર દેવેશભાઈને વિશ્વાસ ન આવ્યો, કેમ કે તે સંબંધી સંપૂર્ણ સ્વાસ્થ્ય હતા. દેવેશભાઈ એ કાગળ લઈને સીધા મથુરા પહોંચ્યા. રૂબરૂ મળ્યા તો પણ ગુરુદેવે પોતાની તે જ વાતોનું પુનરાવર્તન કર્યું. જ્યારે આ સંબંધી પંદર દિવસ પછી મરણ પામ્યા ત્યારે બધાને આશ્ચર્ય થયું. ત્યારે ગુરુદેવે એમને કાગળ લખીને જણાવ્યું, “જો જીવનશક્તિ જરા પણ બચી ન હોય અને સંયમ-સદાચારની અવગણનાને કારણે જીવનનાં પાત્રમાં કાણાં પડી જાય તો આધ્યાત્મિક ચિકિત્સા અશક્ય છે.” આધ્યાત્મિક ચિકિત્સા માટે આધ્યાત્મિક જીવનશૈલી અપનાવવી ખૂબ જરૂરી છે.

વાતાવરણની દિવ્ય આધ્યાત્મિક પ્રેરણાઓ, આધ્યાત્મિક ચિકિત્સા

વાતાવરણની દિવ્ય આધ્યાત્મિક પ્રેરણાઓ, આધ્યાત્મિક ચિકિત્સા

આધ્યાત્મિક વાતાવરણમાં રહેવાથી વ્યક્તિનાં તન, મન અને જીવનની આધ્યાત્મિક ચિકિત્સા આપોઆપ થયા કરે છે. બસ અહીં રહેનાર વ્યક્તિ ગ્રહણશીલ હોવી જોઈએ નહિતર એની પરિસ્થિતિ ગંગાજળમાં રહેનારી માછલી, કાચબા જેવી જ બની રહે છે. તે ગંગાજળનો ભૌતિક લાભ તો ઉઠાવે છે, પરંતુ એની ચેતના એનાં આધ્યાત્મિક સંવેદનોથી સંવેદિત થતી નથી. આનાથી ઊલટું, ગંગા કિનારે રહેનારા, ગંગાજળથી પૂજા-અર્ચના કરનારા તપસ્વી, યોગી ક્ષણેક્ષણે પોતાના શરીરની સાથે પોતાના અંતર્મનને પણ એનાથી ધોતા રહે છે. એમનામાં આધ્યાત્મિક જીવનની જ્યોતિ વધતી રહે છે. શ્રદ્ધા અને સંસ્કાર હોય, વિચાર અને ભાવનાઓ સંવેદનશીલ હોય તો આધ્યાત્મિક વાતાવરણનું સાંનિધ્ય જીવનમાં ચમત્કાર ઉત્પન્ન કર્યા વિના રહેતું નથી.

વરસાદ હોય તો મેદાન હરિયાળીથી ભરાઈ જાય છે. હવાની દિશા બરાબર હોય તો નાવિકની મુસાફરી સરળ થઈ જાય છે. આ જ પરિસ્થિતિ વાતાવરણની વૈચારિક અને ભાવનાત્મક ઊર્જાની બાબતમાં છે. જે આ ઊર્જા પ્રેરક અને સકારાત્મક હોય તો ત્યાં રહેનારનાં મન આપોઆપ જ આનંદથી ભરેલાં રહે છે. અંતર્મનમાં નવીનવી પ્રેરણાઓનો પ્રવાહ ઊમટતો રહે છે. જીવન ખરા અર્થમાં ગતિશીલ રહે છે અને એની દશા સુધરતી રહે છે. આનાથી ઊલટી પરિસ્થિતિ થતાં મનમાં વિષાદ, અવસાદનાં ચક્રવ્યૂહોનો વિકાસ થાય છે. પ્રાણશક્તિ પોતે જ નિર્બળ થતી રહે છે. જીવનને અનેક પ્રકારની આધિ-વ્યાધિ ઘેરી વળે છે. જેમને વાતાવરણની સૂક્ષ્મતાનું જ્ઞાન છે તેઓ પણ આ સત્યનો અનુભવ કરે છે.

પ્રત્યેક સ્થાન સ્થૂળ, સૂક્ષ્મ અને કારણના ક્રમિક આવરણોથી ઘેરાયેલું હોય છે. એમાંનું સ્થૂળ તત્ત્વ જે બધાને નરી આંખે દેખાય છે, તે વાતાવરણની સૃષ્ટિ રચે છે. આસપાસની પરિસ્થિતિ, ઈમારતો, સ્કૂલ-સંસ્થાઓ, ત્યાં રહેનારા લોકો એનાથી જ વાતાવરણનો પરિચય મળે છે. આ સ્થૂળ આવરણ સિવાય પ્રત્યેક સ્થાનમાં પર્યાવરણનું સૂક્ષ્મ આવરણ પણ હોય છે. આ પરિસ્થિતિ પંચમહાભૂતો પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ તથા આકાશના સમન્વય અને સંતુલન પર આધાર રાખે છે. આ સમન્વય અને સંતુલનની પરિસ્થિતિ કેટલી સુધરેલી કે બગડેલી છે તે અનુસાર એના સત્પ્રભાવ કે દુષ્પ્રભાવ તે સ્થાને જોવા મળે છે. જો પર્યાવરણ અસંતુલિત હોય તો અનાયાસ જ શારીરિક બીમારીઓ, મનોરોગ વિકસતા રહે છે. સૌ જાણે છે કે આ દિવસોમાં વિશિષ્ટ લોકોની સાથે સામાન્ય લોકોની પણ પર્યાવરણ પ્રત્યેની જાગરૂકતા વધી છે અને તેઓ એની અસરોનો અનુભવ કરવા લાગ્યા છે.

આ સ્થળ તથા સૂક્ષ્મ આવરણો ઉપરાંત પ્રત્યેક સ્થાનમાં એક કારણ આવરણનું પડ ચડેલું રહે છે. આ પડ ત્યાંનાં વાતાર્ એટલે કે હવામાં વ્યાપ્ત વિચારો, ભાવનાઓ તથા પ્રાણ પ્રવાહનું હોય છે. એનાથી વ્યક્તિના વિચારો પ્રેરિત તથા પ્રભાવિત થાય છે. તેને અનુરૂપ જ વ્યક્તિત્વનું નિર્માણ થાય છે. સામાન્ય રીતે આ પડ સકારાત્મક અને નકારાત્મક વિચારો, ખરાબ તથા સારી ભાવનાઓ અને ઘણુંખરું પ્રદૂષિત પ્રાણ-પ્રવાહનું મિશ્રણ હોય છે. આ દિવસોમાં એની પરિસ્થિતિ વધારે ખરાબ થઈ ગઈ છે. આ જ કારણે, જન સામાન્ય પ્રદૂષિત પ્રેરણાઓથી ગ્રસ્ત છે. તે ભ્રમિત તથા ભટકેલ છે. એનું તન-મન તથા જીવન ખરાબ રીતે બીમારીઓની લપેટમાં છે.

પરિવેશના પરિદૃશ્યની ચિંતા બધા જ કરે છે. પર્યાવરણને લઈને પણ આંદોલનો કરવામાં આવે છે, પરંતુ પ્રેરણાઓના સ્રોત વાતાવરણ તરફ કોઈનું પણ ધ્યાન નથી, જ્યારે પ્રાચીન ભારત આ દૃષ્ટિએ સંપૂર્ણ રીતે સમૃદ્ધ અને સંપન્ન હતું. સ્થળ-સ્થળે સ્થપાયેલા તીર્થસ્થળો, મહામાનવોની તપોભૂમિ, સિદ્ધપીઠો આ મહાન આવશ્યકતાઓને પૂર્ણ કરતાં હતાં. અહીંનાં આધ્યાત્મિક વાતાવરણના સંપર્કમાં વ્યક્તિ પોતાના જીવનની ઉચ્ચસ્તરીય પ્રેરણાઓથી લાભ મેળવતી હતી. આજે તો તીર્થસ્થાનો, દેવાલયોને પણ ભોગ-વિલાસ તથા મનોરંજનનું કેન્દ્ર બનાવી દેવામાં આવ્યાં છે. ભાવભરી પ્રેરણાઓ ત્યાંથી અલોપ થઈ ગઈ છે. આ જ કારણે, માનવીય વ્યક્તિત્વ દિવસે-દિવસે રોગી થતું જાય છે.

એની ચિકિત્સા માટે ભારતના આઝાદીના સંઘર્ષ સમયે હતો તેવો આધ્યાત્મિક વાતાવરણનો સમર્થ આધાર જરૂરી છે. આ બાબતમાં યોગીવર મહર્ષિ શ્રી અરવિંદના ભાઈ વારીંદ્રએ પોતાનાં સંસ્મરણોને સુંદર રીતે આલેખ્યાં છે. એમણે લખ્યું હતું, “અમારા વ્યક્તિત્વને ઉચ્ચસ્તરીય બનાવવા માટે અમારી આધ્યાત્મિક ચિકિત્સા-ભૂમિ દક્ષિણેશ્વર હતી. આ પવિત્ર સ્થાનનું સ્મરણ જ અમને બધાને સ્કૂર્તિથી ભરી દેતું હતું. એનું કારણ ફક્ત એ જ હતું કે ભગવાન શ્રીરામકૃષ્ણ અહીં અદ્ભુત અને અપૂર્વ તપશ્ચર્યાઓ પૂર્ણ કરી હતી. અહીંની માટીમાં એમના તપના સંસ્કાર હતા. અહીંનાં વૃક્ષ-વનસ્પતિઓમાં ઉચ્ચસ્તરીય જીવનની ભાવનાઓ સમાયેલી હતી. અહીંની હવાઓમાં અમે લોકો એ મહામાનવના મહાપ્રાણની અનુભૂતિ કરતા હતા.”

“દક્ષિણેશ્વરની પવિત્ર માટીને પોતાના માથા પર લગાડીને અહીંનાં વૃક્ષોની નીચે બેસીને અમારા બધાનાં મનનો અવસાદ દૂર થતો હતો.” વારીંદ્ર આ કથાને આગળ વધારતાં કહે છે, “સ્વાધીનતા સંઘર્ષનો એ સમય અમારામાંથી કોઈના માટે સહેલો ન હતો. વિપરીતતાઓ વિપન્નતાઓ ભયાનક હતી. ડગલે ને પગલે સંકટો હતાં. ક્યારે શું થઈ જાય કંઈ નક્કી ન હતું. એવામાં તંદુરસ્ત માણસ પણ મનોરોગી બની જાય. જીવનશૈલી એવી કે ખાવું-પીવું, સૂવું એટલે સુધી કે જીવન પણ હરામ. એવામાં શરીર રોગોથી ઘેરાઈ જાય તેમાં કોઈ આશ્ચર્યની વાત નહતી, પરંતુ અમને બધાને દક્ષિણેશ્વરની માટી પર ઊંડી આસ્થા હતી. આ માટીથી તિલક કરીને અમે ઊર્જાવાન થતા હતા. આ ભૂમિ અમારી બધી રીતે ચિકિત્સા કરતી હતી.”

આ આશ્ચર્યજનક પરંતુ સત્યનો અર્થ શ્રદ્ધાળુ સમજી શકે છે. એવો અનુભવ કરી શકે છે કે વાતાવરણની આધ્યાત્મિક પ્રેરણાઓ કેવી રીતે વ્યક્તિત્વને પ્રેરિત, પ્રભાવિત તથા પરિવર્તિત કરે છે. વારીંદ્રની આ અનુભૂતિ-કથાની આગળની કડીનું સત્ય એ છે કે જ્યારે અંગ્રેજ પોલીસ કૅપ્ટન મહર્ષિશ્રી અરવિંદની ધરપકડ કરવા એમના રૂમમાં આવ્યા ત્યારે તેમને એક ડબ્બી મળી. આ ડબ્બીમાં દક્ષિણેશ્વરની માટી હતી. સાધારણ માટી એટલી સંભાળથી રાખવામાં આવી હતી કે અંગ્રેજ કેપ્ટનને એના ઉપર વિશ્વાસ ન આવ્યો. એણે કેટલીય રીતે પૂછપરછ કરી, પણ એને અનુકૂળ તારણ ન નીકળ્યું, કેમ કે એ માટીને તે બૉમ્બ બનાવવાનું રસાયણ સમજી રહ્યો હતો. તેણે એને પ્રયોગશાળામાં પરીક્ષણ માટે મોકલી દીધી.

પ્રયોગશાળાના પરિણામોએ એને વ્યાકુળ બનાવી દીધો, કારણ કે પરિણામો પણ એને માટી બતાવી રહ્યાં હતાં, પરંતુ એ માનવા તૈયાર નહતો કે એ માટી હોઈ શકે. બધા ક્રાંતિકારીઓએ આ અંગે એની ખૂબ મજાક ઉડાવી. વારીંદ્રએ આ ઘટના અંગે પોતાનો અભિપ્રાય આપતાં લખ્યું હતું કે, “એ અંગ્રેજ કૅપ્ટન એક રીતે સાચો હતો. તે માટી સાધારણ પણ નહોતી. તે એકદમ અસાધારણ હતી. કેમ કે તેમાં દક્ષિણેશ્વરના પરમહંસદેવની ચેતના સમાયેલી હતી, જે અમારા બધાના જીવનનું ઔષધ હતી.” આધ્યાત્મિક વાતાવરણના આ સત્યના દિવ્ય પ્રભાવ ખૂબ સઘન છે, પરંતુ જે સંયમ તથા સદાચારના પ્રયોગોમાં મગ્ન હોય તે જ એનો અનુભવ કરી શકે છે.

આધ્યાત્મિક ચિકિત્સાની પ્રથમ કક્ષા-રેકી, આધ્યાત્મિક ચિકિત્સા

આધ્યાત્મિક ચિકિત્સાની પ્રથમ કક્ષા-રેકી, આધ્યાત્મિક ચિકિત્સા

પ્રાણ-ચિકિત્સા ઋષિભૂમિ ભારતની પ્રાચીન પરંપરા છે. વેદો, ઉપનિષદો તથા પુરાણ કથાઓમાં આ અંગે ઘણા બધા પ્રસંગો વાંચવા મળે છે. તપ અને યોગની એવી અનેક રહસ્યમય પ્રક્રિયાઓ છે, જેના દ્વારા વિશ્વવ્યાપી પ્રાણ ઊર્જા સાથે પોતાનો સંપર્ક જોડી શકાય છે. આ પ્રક્રિયાઓ દ્વારા આ પ્રાણ-ઊર્જાને પહેલાં પોતે ગ્રહણ કરીને પછી ઇચ્છિત વ્યક્તિમાં તેને સંપ્રેષિત કરી શકાય છે. પછી તે વ્યક્તિ દૂર હોય કે પાસે, કોઈ ફરક પડતો નથી. પ્રાણવિદ્યાનું આ સ્વરૂપ આજકાલ “રેકી’ નામથી ઓખળાય છે. રેકી જાપાની ભાષાનો શબ્દ છે. તેનો અર્થ છે – વિશ્વવ્યાપી જીવનશક્તિ. રેકી શબ્દમાં “રે’ અક્ષરનો અર્થ છે- વિશ્વવ્યાપી, “કી’નો અર્થ છે જીવનશક્તિ. આ વિશ્વવ્યાપી જીવનશક્તિ સમગ્ર સૃષ્ટિમાં સમાયેલી છે. સાચી રીતે તેના નિયોજન અને સંપ્રેષણ દ્વારા વિભિન્ન રોગોનો ઉપચાર કરી શકાય છે.

પ્રાણ ચિકિત્સાની પ્રાચીન વિધિને નવજીવિત કરવાનું શ્રેય જાપાનના ડૉ.મેકાઓ ઉસુઈને જાય છે. ડૉ. મેકાઓ ઉસુઈ જાપાનના કયોટો શહેરમાં ઈસાઈ વિદ્યાલયમાં આચાર્ય હતા. એક વાર તેમના વિદ્યાર્થીએ તેમને પ્રશ્ન કર્યો કે ઈસુ ખ્રિસ્ત જે રીતે સ્પર્શ કરીને કોઈ દર્દીને રોગમુક્ત કરી દેતા હતા, એવું આજકાલ કેમ બનતું નથી? શું તમે આવું કરી શકો છો ? ડૉ. ઉસુઈ આ પ્રશ્નનો એ વખતે તો કોઈ જવાબ ન આપી શક્યા, પરંતુ એ વાત તેમના મગજમાં બેસી ગઈ. તેઓ આ વિધિની શોધમાં અમેરિકાના શિકાગો શહેરમાં પહોંચ્યા. ત્યાં તેમણે અધ્યાત્મ વિદ્યામાં ડૉક્ટરેટની ઉપાધિ મેળવી, પરંતુ અનેક ખ્રિસ્તી તેમ જ ચીની ગ્રંથોનાં પાનાં ઉથલાવ્યા પછી પણ આ પ્રશ્નનો કોઈ જવાબ ન મળ્યો. ત્યાર પછી તેઓ ઉત્તર ભારત આવ્યા. અહીં તેમને કેટલાક સંસ્કૃત ગ્રંથોમાં કંઈક સંકેત મળ્યા.

આ સૂત્રો અને સંકેતોના આધારે સાધના કરવા માટે ડૉ. ઉસુઈ તેમના શહેરથી લગભગ ૨૫ કિ.મી. દૂર આવેલા કુરિયામા નામના પહાડ પર ગયા. અહીં તેમણે તેમની આધ્યાત્મિક સાધના શરૂ કરી. આ એકાંત સ્થાન પર ૨૧ દિવસના ઉપવાસ સુધી તેમને કોઈ ખાસ અનુભૂતિ ન થઈ, પરંતુ એકવીસમા દિવસે તેમને એક તેજ પ્રકાશપુંજ તીવ્ર ગતિએ તેમની તરફ આવતો દેખાયો. આ પ્રકાશપુંજ જેમ જેમ તેમની તરફ આવતો ગયો, તેમ તેમ મોટો થતો જતો હતો. છેવટે તે તેમના કપાળની વચ્ચે ટકરાયો. તેમણે વિચાર્યું કે હવે તો મોત નિશ્ચિત છે. પણ અચાનક તેમને વિસ્ફોટકની સાથે આકાશમાં ઘણા રંગોના લાખો ચમકતા તારાઓ દેખાવા લાગ્યા તથા એક શ્વેત પ્રકાશમાં તેમને પેલાં સંસ્કૃત શ્લોક દેખાવા લાગ્યા, જેના તેઓ જપ કરતા હતા. અહીંથી જ તેમને આ વિશ્વવ્યાપી પ્રાણ-ઊર્જાના ઉપયોગની વિધિ પ્રાપ્ત થઈ, જેને તેમણે “રેકી’નું નામ આપ્યું.

રેકીની શક્તિઓ મેળવ્યા પછી તેમણે સૌપ્રથમ તેમના પગના અંગૂઠાના ઘાને ઠીક કર્યો. આ તેમની પ્રથમ ઉપચાર પ્રક્રિયા હતી. એના પછી જ્યારે તે પર્વત પરથી ઊતરીને એક ધર્મશાળામાં ઊતર્યા, તે સમયે ધર્મશાળાના માલિકની પૌત્રીને કેટલાય દિવસથી દાંતમાં સોજો આવ્યો હતો અને દુઃખાવો પણ ખૂબ વધારે હતો. ડૉ. ઉસુઈએ તેને સ્પર્શ કર્યો અને તે જ સમયે તેનો દુઃખાવો અને સોજો દૂર થઈ ગયા. એ પછી ડૉ. ઉસુઈએ રેકીના સિદ્ધાંતો અને પ્રયોગોનો વિધિસર વિકાસ કર્યો અને પોતાના શિષ્યોને તેમાં પ્રશિક્ષિત કર્યા. ડૉ. ચિજિરોહયાશી, હવાયો ટકાટા અને ફિલિપ લી ફૂરો મોતી વગેરે લોકોએ એમના પછી આ રેકી વિદ્યાને વિશ્વવ્યાપી બનાવી.

ડો. મેકાઓ ઉસુઈએ રેકી ચિકિત્સા માટે પાંચ સિદ્ધાંતો નિશ્ચિત કર્યા હતા (૧) ક્રોધ ન કરવો (૨) ચિંતાથી મુક્ત થવું (૩) કર્તવ્ય પ્રત્યે ઈમાનદાર રહેવું (૪) જીવ માત્ર પ્રત્યે પ્રેમ તથા આદર ભાવ રાખવો તથા (પ) ઈશ્વરીય કૃપા પ્રત્યે આભાર માનવો. આ પાંચે નિયમોનો સાર એ છે કે વ્યક્તિ પોતાની નકારાત્મક વિચારસરણી તથા ક્ષુદ્ર ભાવનાઓથી દૂર રહે, કારણ કે નકારાત્મક વિચારણા તથા ક્ષુદ્ર ભાવનાઓથી શરીરમાં રહેલી પ્રાણ-ઊર્જાનું રક્ષણ થતું રહે છે, ઉપરાંત વિશ્વવ્યાપી પ્રાણ-ઊર્જાના જીવનમાં આવવાનાં માર્ગમાં અવરોધ પેદા થાય છે. આ બધા નિયમો રેકીના સાધકને વિધેયાત્મક બનાવે છે, જેનાથી પ્રાણ-પ્રવાહ નિયમિત રહે છે.

પ્રાણ-ચિકિત્સાની આ રેકી પ્રક્રિયામાં અંતરિક્ષમાં સંવ્યાપ્ત પ્રાણશક્તિનો ઉપયોગ કરવામાં આવે છે. એ સત્ય તો આપણે જાણીએ છીએ કે પ્રાણ-ઊર્જા અંતરિક્ષમાં સંવ્યાપ્ત છે. પૃથ્વી માટે તેનો મુખ્ય સ્રોત સૂર્ય છે. સૂર્યમાંથી જુદાજુદા પ્રકારના ઉષ્મીય અને વિદ્યુત ચુંબકીય તરંગો નીકળીને ધરતી પર જુદીજુદી અસરો પાડે છે. બરાબર આવી જ રીતે પ્રાણશક્તિ પણ એક જૈવ વિદ્યુતીય તરંગ છે, જે ધરતીના બધા જડ ચેતન તથા પ્રાણ-વનસ્પતિમાં પ્રવાહિત થાય છે. તેની જ ઉપસ્થિતિના કારણે બધું ગતિશીલ તથા ક્રિયાશીલ થાય છે. આ જ કારણે ધરતીમાં ઉર્વરતા આવે છે તેમ જ વનસ્પતિ તથા જીવજગત સ્વસ્થ અને સમૃદ્ધ રહે છે. આ બધો પ્રાણશક્તિનો ચમત્કાર છે. મનુષ્ય પણ પોતાની જરૂરિયાત પ્રમાણે આ પ્રાણશક્તિને ગ્રહણ કરે છે. તેમાં અવરોધ કે નડતર આવવાથી જ બીમારીઓ પેદા થાય છે. રેકી ચિકિત્સા દ્વારા આ રુકાવટને દૂર કરવાની સાથેસાથે વ્યક્તિને વધારાની પ્રાણશક્તિ આપવામાં આવે છે. આ પ્રાણશક્તિને ગ્રહણ કરી વ્યક્તિ ફરીથી તેનું ખોવાયેલું સ્વાસ્થ્ય પાછું મેળવી શકે છે.

પ્રાણ ચિકિત્સાની આ વિધિથી માત્ર મનુષ્યનો જ નહિ, પરંતુ પશુઓનો પણ ઉપચાર કરી શકાય છે. વનસ્પતિઓની પણ પ્રાણ-ઊર્જા વધારી શકાય છે. ભારતવર્ષમાં આજ કાલ રેકીનું પ્રચલન ખૂબ વધી ગયું છે. દરેક શહેરમાં ક્યાંક ને ક્યાંક રેકી માસ્ટર મળી જાય છે. તેમને મળનારનાં દરેકના પોતપોતાના જુદાજુદા અનુભવો છે. તેમાં ઘણા આપણા પરિજનો પણ છે. તેમની અનુભૂતિઓ જણાવે છે, કે ગાયત્રી સાધના કરનાર વધારે સમર્થ રેકી ચિકિત્સક બની શકે છે. તેનું કારણ એ છે કે રેકીમાં આપવામાં આવતી પ્રાણ-ઊર્જાનો સ્રોત સૂર્ય છે, જે ગાયત્રી મંત્રના આરાધ્ય દેવતા છે. ગાયત્રી સાધનામાં સાધકની ભાવનાઓ સ્વતઃ સૂર્ય પર એકાગ્ર થઈ જાય છે અને તેને આપમેળે જ પ્રાણ – ઊર્જાનાં અનુદાનો મળવા લાગે છે.

ગાયત્રી સાધના સાથે રેકીને જોડવાથી એક બીજો લાભ પણ જોવા મળે છે કે ગાયત્રી સાધકનાં બધાં ચક્રો અથવા શક્તિકેન્દ્રો સ્વતઃ ગતિશીલ થઈ જાય છે. તેને કોઈ વધારાની વિધિની જરૂર પડતી નથી. ચક્રોની બાબતમાં અહીં એક વાત જાણી લેવી જોઈએ, કારણ કે મોટા ભાગના રેકી આપનારાઓ આ બાબતમાં ભ્રમિત થયેલા જોવા મળે છે. રેકી વિધિમાં ચક્રોને માત્ર ક્રિયાશીલ બનાવવાની વાત છે, નહિ કે તેના સંપૂર્ણ જાગરણની. ક્રિયાશીલ હોવાનો અર્થ છે કે આપણને જરૂરી પ્રાણઊર્જા બ્રહ્માંડમાંથી મળતી રહે. આ પ્રક્રિયામાં જે અવરોધ આવી રહ્યા છે, તે દૂર થઈ જાય, જ્યારે યોગ-વિધિ દ્વારા જાગરણ થવાથી યોગસાધનો સંબંધચક્રો સાથે જોડાયેલી ચેતનાના બીજા આયામો સાથે થઈ જાય છે અને તેમાં અનેક રહસ્યમયી શક્તિઓ પ્રવાહિત થવા લાગે છે. પ્રાણ-ચિકિત્સાના રૂપમાં રેકી એ આધ્યાત્મિક ચિકિત્સાની પ્રાથમિક કક્ષા છે. તેમાં ગાયત્રી સાધનાના સમન્વયથી તેની ઉચ્ચસ્તરીય કક્ષાઓમાં સ્વતઃ પ્રવેશ થઈ જાય છે. આ બાબતમાં વિશિષ્ટ શક્તિ તથા સામર્થ્ય પ્રાપ્ત કરવા માટે નવરાત્રિના સમયને વધારે યોગ્ય માનવામાં આવે છે.

આસન, પ્રાણાયામ, બંધ તથા મુદ્રાઓ દ્વારા ઉપચાર, આધ્યાત્મિક ચિકિત્સા

આસન, પ્રાણાયામ, બંધ તથા મુદ્રાઓ દ્વારા ઉપચાર, આધ્યાત્મિક ચિકિત્સા

હઠયોગની વિધિઓ જીવનના પ્રાણ-પ્રવાહને સંવર્ધિત, નિયંત્રિત તથા નિયોજિત કરે છે. અધ્યાત્મ ચિકિત્સાના બધા વિશેષજ્ઞો એ બાબતમાં એકમત છે, કે પ્રાણ-પ્રવાહમાં વ્યતિક્રમ કે વ્યતિરેક થવાથી શરીર રોગી અને મન અશાંત બને છે. આ અસંતુલનનાં કારણો શારીરિક પણ હોઈ શકે છે અને માનસિક પણ, પરંતુ પરિણામ એક જ હોય છે, કે વિશ્વવ્યાપી પ્રાણ-ઊર્જા સાથેનો આપણો સંબંધ દુર્બળ અને વિચ્છિન્ન થઈ જાય છે. જો આ બાબતને ફરીથી સુધારી શકીએ અને શરીરમાં પ્રાણ ફરીથી સારી રીતે સંચાલિત થવા લાગે, તો બધા જ રોગોને ભગાડીને સ્વાસ્થ્ય લાભ મેળવી શકાય છે. એટલું જ નહિ, પ્રાણ-પ્રવાહના સંવર્ધનથી શરીરને દીર્ઘજીવી તથા વર્જ જેવું મજબૂત બનાવી શકાય છે. નાડીઓ તથા સ્નાયુ-સંસ્થાનનો વિદ્યુત-પ્રવાહ વધારે પ્રબળ બનાવી શકાય છે.

હઠયોગની પ્રક્રિયાઓ આરોગ્ય તથા પ્રાણબળના સંવર્ધનની ચોક્કસ ખાતરી આપે છે, કારણ કે આ વિદ્યાના જાણકારોને એવું જ્ઞાન છે, કે જીવનમાં પ્રાણશક્તિની દીવાલ જ અભેદ્ય હોય તો કોઈ પણ રોગ પ્રવેશી શકતો નથી. આથી આ પ્રક્રિયાઓમાં પ્રાણોના સંવર્ધન, પરિશોધન અને વિકાસ પર વધારે ભાર મૂકવામાં આવ્યો છે. આપણા જીવનમાં પ્રાણ-પ્રવાહનું સ્થૂળ રૂપ શ્વાસ છે. શ્વાસના આવાગમનથી શરીરમાં પ્રાણ પ્રવેશ કરે છે અને અંગ પ્રત્યંગમાં વિચરણ કરે છે. આસન, પ્રાણાયામ, બંધ તેમ જ મુદ્રા વગેરે ક્રિયાઓ દ્વારા તેના પર નિયંત્રણ મેળવીને તેના પ્રવાહને પોતાની ઇચ્છિત દિશામાં વાળી શકાય છે. આ જ કારણે હઠયોગી પોતાના સ્વાસ્થ્યનો માલિક હોય છે.

આ પ્રભાવ હઠયોગની વિધિઓનો છે. જેમાં સૌથી પ્રારંભિક વિધિ આસન છે. શરીરનાં જુદાંજુદાં અંગોને વાળી-મરોડીને કરવામાં આવતાં આ આસનો અનેક પ્રકારનાં છે અને પ્રત્યક્ષમાં તો કોઈ વ્યાયામ જેવાં લાગે છે, પરંતુ હકીકત તેનાથી જુદી છે. વ્યાયામની પ્રક્રિયા ગમે તે હોય, ગમે તેવી હોય, તેનો પ્રભાવ માત્ર શરીરના દરેક અવયવમાં પ્રાણને ક્રિયાશીલ બનાવીને તેને સંપૂર્ણ સ્વાસ્થ્ય પ્રદાન કરે છે. પ્રભાવની દૃષ્ટિએ વિચારીએ તો તેનો પ્રભાવ શારીરિક હોવાની સાથેસાથે માનસિક તથા આધ્યાત્મિક પણ છે.

શારીરિક દૃષ્ટિએ જોઈએ, તો આસનોથી શરીરની સૌથી મહત્ત્વપૂર્ણ અંતઃસ્ત્રાવી ગ્રંથિ-પ્રણાલી નિયંત્રિત તેમ જ સુવ્યવસ્થિત થાય છે. પરિણામે બધી ગ્રંથિઓમાંથી યોગ્ય માત્રામાં રસનો સ્રાવ થવા લાગે છે. ધ્યાન આપવા યોગ્ય વાત એ પણ છે, કે માંસપેશીઓ, હાડકાં, સ્નાયુઓ, ગ્રંથિ-પ્રણાલી, શ્વસનતંત્ર, ઉત્સર્જન તંત્ર, રુધિરાભિસરણ તંત્ર-બધું એકબીજા સાથે જોડાયેલું છે. તે એકબીજાના સહયોગી છે. આસનના અનેક પ્રકારો શરીરને લચીલું તથા બદલાતા વાતાવરણને અનુકૂળ થવા માટે યોગ્ય બનાવે છે. તેના પ્રભાવથી પાચનક્રિયા તીવ્ર થઈ જાય છે. યોગ્ય માત્રામાં પાચક રસો તૈયાર થાય છે. અનુકંપી અને પરાનુકંપી નાડી-પ્રણાલીમાં સંતુલન આવી જાય છે. પરિણામે તેના દ્વારા બાહ્ય તથા આંતરિક અંગોનું કાર્ય વ્યવસ્થિત રીતે થવા લાગે છે.

આસનથી ક્રિયાઓ શરીર સાથે મનને પણ સમર્થ અને શક્તિશાળી બનાવે છે. તેના પ્રભાવથી દઢતા અને એકાગ્રતાની શક્તિ વિકસિત થાય છે. એટલે સુધી કે જીવનમાં આવતી મુશ્કેલીઓ માનસિક શક્તિઓના વિકાસનું માધ્યમ બની જાય છે. વ્યક્તિમાં આત્મવિશ્વાસ વધે છે અને તે બીજાઓ માટે પ્રેરણાદાયક બની જાય છે. આધ્યાત્મિક દૃષ્ટિએ જોઈએ તો આસનોના પ્રભાવથી શરીર શુદ્ધ બનીને ઉચ્ચસ્તરીય આધ્યાત્મિક સાધનાઓ માટે તૈયાર થઈ જાય છે. અહીં સત્યને સ્વીકારવામાં જરા પણ સંકોચ ન થવો જોઈએ, કે આસનોથી કોઈ આધ્યાત્મિક અનુભવો તો થતા નથી, પરંતુ એ આધ્યાત્મિક અનુભવો મેળવવામાં મદદરૂપ જરૂર થાય છે.

પ્રાણાયામ આસનો કરતાં વધારે સૂક્ષ્મ વિધિ છે. આમ તો તેની બધી પ્રક્રિયાઓ શ્વસનના આરોહ-અવરોહ તથા તેના નિયંત્રણ પર ટકેલી છે, પરંતુ વાસ્તવમાં આ વિશ્વવ્યાપી પ્રાણ-ઊર્જા સાથે પોતાનું સામંજસ્ય સ્થાપિત કરવાની વિધિ છે. મોટે ભાગે લોકો તેને માત્ર વધુ ઓક્સિજન મેળવવાની રીત તરીકે જાણે છે, પરંતુ હકીકત કંઈક જુદી છે. શ્વસનના માધ્યમથી તેના દ્વારા નાડીઓ, પ્રાણ-વાહક નળીઓ તથા પ્રાણના પ્રવાહ પર વ્યાપક અસર થાય છે. પરિણામે નાડીઓનું શુદ્ધીકરણ થાય છે તથા મૌલિક અને માનસિક સ્થિરતા પ્રાપ્ત થાય છે. તેમાં કરવામાં આવતી કુંભક પ્રક્રિયા દ્વારા કેવળ પ્રાણનું નિયંત્રણ જ થતું નથી, પરંતુ માનસિક શક્તિઓનો પણ વિકાસ થાય છે.

પ્રાણાયામ ઉપરાંત બંધ એ હઠયોગની બીજી મહત્ત્વપૂર્ણ વિધિ છે. તેને અંતઃશારીરિક પ્રક્રિયા કહેવામાં આવે છે. તેના અભ્યાસથી વ્યક્તિ શરીરનાં જુદાં જુદાં અંગો તથા નાડીઓને નિયંત્રિત કરવામાં સક્ષમ બને છે. તેના દ્વારા શરીરનાં આંતરિક અંગોની માલિશ થાય છે. લોહીનો અટકાવ દૂર થાય છે. બંધ આ શારીરિક પ્રભાવોની સાથેસાથે સંપૂર્ણ શરીરમાં વ્યાપ્ત વિચારો તેમ જ આત્મિક તરંગોને પ્રભાવિત કરીને ચક્રો પર સૂક્ષ્મ પ્રભાવ પાડે છે. એટલે સુધી કે જો તેનો અભ્યાસ વિધિપૂર્વક જાળવી રાખવામાં આવે તો સુષુમ્ણા નાડીમાં પ્રાણના સ્વતંત્ર પ્રવાહમાં અવરોધ કરનારી બ્રહ્મગ્રંથિ, વિષ્ણુગ્રંથિ તથા રુદ્રગ્રંથિ ખૂલી જાય છે અને આધ્યાત્મિક વિકાસનો માર્ગ પ્રશસ્ત થાય છે.

હઠયોગની અન્ય વિધિઓના રૂપમાં મુદ્રાઓ સૂક્ષ્મ પ્રાણને પ્રેરિત, પ્રભાવિત તથા નિયંત્રિત કરનારી પ્રક્રિયાઓ છે. આમાંથી કેટલીક મુદ્રાઓનો અભ્યાસ સાધકને સૂક્ષ્મ-શરીરમાં રહેલા પ્રાણ-શક્તિ તરંગો પ્રત્યે જાગૃત બનાવે છે. અભ્યાસ કરનાર આ શક્તિઓ પર ચેતન રૂપે નિયંત્રણ મેળવે છે. પરિણામે વ્યક્તિ પોતાના શરીરના કોઈ અંગમાં તેનો પ્રવાહ લઈ જવા માટે અથવા બીજી વ્યક્તિના શરીરમાં પહોંચાડવાની ક્ષમતા પ્રાપ્ત કરે છે.

હઠયોગની આ બધી વિધિઓ જીવનવ્યાપી પ્રાણના સ્થળ તથા સૂક્ષ્મરૂપને પ્રેરિત, પ્રભાવિત, પરિશોધિત તથા નિયંત્રિત કરે છે. તેના પ્રભાવથી પ્રાણ-પ્રવાહમાં આવનાર વ્યતિક્રમ અને અવરોધોને દૂર કરી શકાય છે. તેના લાભો અગણિત છે. આવા જ એક લાભનું ઉદાહરણ અહીં આપવામાં આવે છે, જેનાથી વાચકો આ વિધિઓનું મહત્ત્વ જાણી શકશે. એક વાર એક યોગ નિષ્ણાત અહીંથી અમેરિકાના વિશ્વવિદ્યાલયમાં ગયા હતા. ત્યાં તેમનું યોગના વિષય પર એક પ્રવચન હતું. જે વિશ્વવિદ્યાલયમાં તેમને પ્રવચન આપવાનું હતું, ત્યાં એ દિવસોમાં વિદ્યાર્થીઓને ઝડપી શિક્ષણ તથા પ્રશિક્ષણ આપવા અંગે કેટલાક પ્રયોગો કરવામાં આવી રહ્યા હતા. આ પ્રોજેક્ટને સોલ્ટ નામ આપવામાં આવ્યું હતું. સોલ્ટ એટલે કે સિસ્ટમ ઑફ એક્સિલેરેટેડ લર્નિંગ એન્ડ ટ્રેનિંગ.

આ પ્રયોગ દરમિયાન જ્યારે વાત થવા લાગી ત્યારે ત્યાં ગયેલા યોગ વિશેષજ્ઞએ તેમની ચર્ચામાં કહ્યું. “મસ્તિષ્ક અને મનની ગ્રહણશીલતાનો સંબંધ શ્વાસ સાથે હોય છે. યોગ આ વાતનો સ્વીકાર કરે છે. આ વાત સાંભળીને પ્રયોગકર્તા વૈજ્ઞાનિકો ખુશ થઈ ગયા અને તેમણે કહ્યું તમે તો ભારતથી આવ્યા છો. અમારા વિદ્યાર્થીઓ પર પ્રયોગ કેમ નથી કરતા?’ આ વાતથી એક લઘુ-પ્રયોગનો ક્રમ શરૂ થયો. આચાર્યશ્રી દ્વારા બતાવવામાં આવેલો સરળ એવો પ્રાણાકર્ષણ પ્રાણાયામ વિદ્યાર્થીઓને શીખવવામાં આવ્યો અને પ્રયોગ શરૂ થઈ ગયો. એક મહિના સુધી આ ક્રમ ચાલતો રહ્યો. એક મહિના પછી જોવા મળ્યું કે વિદ્યાર્થીઓની ગ્રહણશીલતા ત્રીસથી ચાલીસ ટકા સુધી વધી ગઈ હતી. તેમના તણાવ, ખોટી ચિંતા વગેરે પણ સમાપ્ત થઈ ગયાં હતાં. આ પ્રયોગથી ત્યાંના વૈજ્ઞાનિક સમુદાયને હઠયોગના મહત્ત્વની ખબર પડી. તેમણે અનુભવ કર્યો કે આ વિધિઓનું કેન્દ્રીભૂત તત્ત્વ પ્રાણ-ચિકિત્સા છે.

અતિ વિલક્ષણ સ્વાધ્યાય ચિકિત્સા, આધ્યાત્મિક ચિકિત્સા

અતિ વિલક્ષણ સ્વાધ્યાય ચિકિત્સા, આધ્યાત્મિક ચિકિત્સા

સ્વાધ્યાય ચિકિત્સાની ઉપયોગિતા અસાધારણ છે. તેના દ્વારા પહેલાં મન સ્વાસ્થ્ય થાય છે, પછી જીવન. ચિકિત્સાના સિદ્ધાંતો તથા પ્રયોગોના જે વિશેષજ્ઞો છે, તે બધાનું એવું કહેવું છે કે રોગી મન જ જીવનને રોગી બનાવે છે. જો કોઈ પણ રીતે મનને નિરોગી બનાવી લેવામાં આવે તો જીવન નિરોગી બની શકે છે. વાત પણ સાચી છે. જે આપણે વિચાર તંત્ર જ દૂષિત હોય તો તેનો પ્રભાવ શારીરિક તેમ જ વ્યાવહારિક અસ્તવ્યસ્તતાના રૂપમાં કેમ ન પેદા થાય ! માનસિક આરોગ્ય તરફ ધ્યાન આપ્યા વગર શરીરને સ્વસ્થ કરવાનું વિચારવું કે વ્યાવહારિક દોષોને સુધારવાનો પ્રયત્ન કરવો એ ઝાડનાં પાંદડાંને કાપીને મૂળિયાં સિંચતા રહેવા બરાબર છે. જ્યાં સુધી ઝાડના મૂળને ખાતર-પાણી મળતું રહેશે, ત્યાં સુધી પાંદડાં આપોઆપ લીલાં રહેશે. એવી જ રીતે જ્યાં સુધી વિચાર-તંત્રમાં વિકૃતિ જળવાઈ રહેશે, ત્યાં સુધી શારીરિક તથા માનસિક તકલીફો જળવાઈ રહેશે.

સમજણ-વિચાર અથવા બોધના તંત્રને નિરોગી બનાવવાની સાર્થક પ્રક્રિયા સ્વાધ્યાયથી વધારે બીજી કોઈ નથી. સ્વાધ્યાયના આ ઊંડા અર્થ અને પ્રભાવથી મોટા ભાગના લોકો અપરિચિત છે. કેટલાક લોકો તો સ્વાધ્યાયને અધ્યયનનો જ પર્યાય માની બેસે છે. તેઓ ભલે ગમે તે વાંચે, તેને સ્વાધ્યાયની સંજ્ઞા આપે છે. આ રીતના વાંચનને માત્ર અધ્યયન જ કહી શકાય, સ્વાધ્યાય નહિ. અધ્યયન માત્ર બૌદ્ધિક વિકાસ સુધી જ સીમિત છે, જ્યારે સ્વાધ્યાય પોતાના કર્તવ્ય બોધને સાવવાની પ્રક્રિયા છે. નિષ્ણાતો આપણા બોધના બે આયામો જણાવે છે. એમાંથી પહેલો છે બાહ્ય બોધ અથવા ઈન્દ્રિયોની મદદથી થતો બોધ. બીજો છે – આંતરિક બોધ એટલે કે વિવેચન, વિશ્લેષણ તથા આંતરિક અનુભૂતિઓથી થતું જ્ઞાન.

બોધના આ બંને આયામો પરસ્પર એકબીજામાં ઊંડે સુધી ગૂંથાયેલા છે. ઈન્દ્રિયો જે અનુભવ કરે છે, તેના પર બુદ્ધિ વિચાર કર્યા વગર રહેતી નથી. એવી જ રીતે આપણી આંતરિક વિચારણામાં જે વિચાર, ભાવનાઓ, વિશ્વાસ, આસ્થાઓ, અપેક્ષાઓ તથા આગ્રહો સમાયેલા રહે છે, તે ઈન્દ્રિયજન્ય અનુભૂતિઓને પોતાના રંગમાં રંગ્યા વગર રહેતા નથી. કહેવત છે કે જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ. જો દૃષ્ટિકોણને સ્વસ્થ બનાવી લેવામાં આવે તો જીવનનાં બધાં પાસાં આપોઆપ જ સ્વસ્થ થઈ જાય છે અને સ્વાધ્યાય આ દૃષ્ટિકોણની ચિકિત્સા કરે છે. સ્વાધ્યાયને અંગ્રેજી ભાષામાં કહીએ તો “સેલ્ફ સ્ટડી’ નહિ, પણ “સ્ટડી ઑફ સેલ્ફ’ કહી શકાય. વાસ્તવમાં આ પોતાના સૂક્ષ્મ અધ્યયનની વિધિ છે.

આ વિધિનાં મુખ્ય ચાર બિંદુઓ છે. તેના પહેલા ક્રમમાં આપણે એવા ગ્રંથો-વિચારોની પસંદગી કરીએ છીએ, જેને “સ્વ”ની અનુભૂતિથી સંપન્ન મહામાનવોએ રચ્યા છે. ધ્યાન રહે કે ગમે તે પુસ્તક અથવા વિચાર સ્વાધ્યાયની સામગ્રી બની ન શકે. તેના માટે જરૂરી છે કે એ પુસ્તક કે વિચાર કોઈ મહાન તપસ્વી અધ્યાત્મવેત્તા દ્વારા સર્જાયેલ હોય. તે માટે શ્રીમદ્ ભગવદ્ગીતા, ઉપનિષદ, સ્વામી વિવેકાનંદ અથવા પરમપૂજ્ય ગુરુદેવ દ્વારા લિખિત ગ્રંથોની પસંદગી કરી શકાય. આ પસંદગી પછી બીજું ચરણ શરૂ થાય છે. આ ક્રમમાં આપણે એ મહાન વિચારોના પરિપ્રેક્ષ્યમાં સ્વયંને જોઈએ છીએ, મૂલ્યાંકન કરીએ છીએ. એ સત્ય પર વિચાર કરીએ છીએ, કે આપણે શું કરવું જોઈએ અને શું કરી રહ્યા છીએ? શું વિચારવું જોઈએ અને શું વિચારી રહ્યા છીએ?

આ ખૂબ જ મહત્ત્વપૂર્ણ ક્રમ છે. આ જ સ્તર પર આપણે પોતાના ચિંતન તંત્રની વિકૃતિઓ તથા વિકારોને ઓળખી શકીએ છીએ. તેનું સારી રીતે નિદાન કરી શકીએ છીએ. ક્યાં ખરાબી છે, તેનો પ્રભાવ ક્યાં પડી રહ્યો છે અને આગળ જતાં ક્યાં પડવાની શક્યતા છે, એ બધી બાબતોનો વિચાર કરવામાં આવે છે. એ સાચું છે કે જો સાચું નિદાન થઈ શકે તો ઉપાયની રીત પણ સાચી નક્કી થઈ શકે છે. સ્વાધ્યાય ચિકિત્સાનું ત્રીજું મુખ્ય બિંદુ આ જ છે. વિચાર, ભાવનાઓ, વિશ્વાસ, આસ્થાઓ, માન્યતાઓ તથા આગ્રહોથી સમન્વિત પોતાના દૃષ્ટિકોણને સુધારવાની નીતિ નિર્ધારિત કરવી. ક્યાંથી શરૂઆત કરીએ અને કઈ રીતે આગળ વધીએ તેના સમગ્ર વિધિ-વિધાનને આ ક્રમમાં બનાવવા તેમ જ તૈયાર કરવા પડે છે.

તેના પછી ચોથું બિંદુ છે આ વિધિ-વિધાન પ્રમાણે વ્યવહાર. એટલે કે સ્વાધ્યાયને ઔષધિના રૂપમાં ગ્રહણ કરીને પોતાના પરિષ્કારનું સાહસિક કાર્ય. આ એવું કાર્ય છે, જેને બહાદુર અને સંઘર્ષશીલ લોકો જ કરી શકે છે, કારણ કે કોઈ સત્યની વૈચારિક સ્વીકારોક્તિ કરી લેવી સહેલી છે, પરંતુ તે પ્રમાણે જીવન જીવવું અઘરું છે. તેમાં આદતો અને સંસ્કારોની અનેક મુશ્કેલીઓ આવે છે. અહંકાર અગણિત અવરોધો ઊભા કરે છે. તેને દૂર કરવાનો એક જ ઉપાય છે- આપણી લડાયક અને સાહસિક વૃત્તિ. જેઓ પોતાના અહંકારને પોતાના જ પગ તળે કચડી નાખવાનું સાહસ કરે છે, તેમનાથી વધારે સાહસિક આ સૃષ્ટિમાં બીજું કોઈ નથી. ખરેખર જેઓ પોતાને જીતે છે તેઓ મહાવીર હોય છે. સ્વાધ્યાયની ઔષધિનું સેવન કરનારને આવા સાહસિક બનવું પડે છે.

પોંડિચેરી આશ્રમના મહર્ષિ શ્રી અરવિંદના શિષ્ય નલિનીકાન્ત ગુપ્ત સ્વાધ્યાય વિશે પોતાનું ઉદાહરણ રજૂ કરતાં કેટલીક માર્મિક વાતો જણાવી છે. અહીં એ ધ્યાન દોરવું જરૂરી છે કે નલિનીકાન્ત તેમની સોળ વર્ષની ઉંમરથી સતત શ્રી અરવિંદની પાસે રહ્યા હતા. શ્રી અરવિંદ તેમને પોતાના અંતરાત્માના સાથી-સહચર જણાવતા હતા. તેઓ લખે છે કે આશ્રમમાં આવનારા બીજાઓની જેમ હું પણ ખૂબ જ વાંચ્યા કરતો હતો. અનેક પ્રકારનાં શાસ્ત્રો તેમ જ અનેક પ્રકારનાં પુસ્તકો વાંચવા એ સ્વભાવ જ બની ગયો હતો. એક દિવસ શ્રી અરવિંદે તેમને બોલાવીને પૂછયું- “આટલું બધું શા માટે વાંચે છે?” તેમના પ્રશ્નનો તાત્કાલિક તો કોઈ જવાબ નલિનીકાન્તને ન સૂઝયો. તેઓ બસ મૌન રહ્યા.

વાતાવરણની આ શાંતિને તોડતાં શ્રી અરવિંદ બોલ્યા- “જો, વાંચવું એ ખરાબ નથી, પરંતુ આ વાંચન બે પ્રકારનું હોય છે. એક બૌદ્ધિક વિકાસ માટે અને બીજું મન-પ્રાણ-અંતર્ચેતનાને સ્વસ્થ કરવા માટે. આ બીજા પ્રકારને સ્વાધ્યાય કહે છે અને પહેલાને અધ્યયન. તું આટલું અધ્યયન કરે છે એ બરાબર છે પરંતુ સ્વાધ્યાય પણ અવશ્ય કર. તેના માટે પોતાની આંતરિક સ્થિતિને અનુરૂપ કોઈ મંત્ર કે વિચારને પસંદ કરી અને પછી તેને અનુરૂપ પોતાને ઘડવાની સાધના કર.’ નલિનીકાન્ત લખે છે – “આ વાત તે સમયની છે, જ્યારે શ્રી અરવિંદ સાવિત્રી પૂરું કરી રહ્યા હતા. મેં તેને જ મારી સ્વાધ્યાય – ચિકિત્સાની ઔષધિ બનાવી લીધી.

પછી મારો નિત્યનો ક્રમ બની ગયો. સાવિત્રીના એક પાઠને ઊંઘમાંથી ઊઠતાં જ પ્રાત:કાળે વાંચવો અને સૂવાના સમય સુધી હરઘડી હરપળ તેના પર મનન કરવું. તે જ પ્રમાણે સાધનાની દિશાધારા નક્કી કરવી. ત્યારબાદ આ નિર્ધારિત ક્રમ અનુસાર જીવનશૈલી-સાધનાશૈલી વિકસિત કરી લેવી.’ તેમનો આ સ્વાધ્યાય ક્રમ એટલો પ્રગાઢ થયો કે પાછળના દિવસોમાં જ્યારે શ્રી અરવિંદને કોઈએ પૂછયું કે તમારા અને માતાજી પછી અહીં સાધનાની દૃષ્ટિએ કોણ આગળ છે? તો તેમણે હસીને કહ્યું નલિની’ આટલું કહીને થોડી વાર મૌન રહ્યા પછી બોલ્યા- નલિની ઈઝ ઈમ્બોડીમેન્ટ ઑફ પ્યોરિટી.” એટલે કે નલિની પવિત્રતાની મૂર્તિ છે. નલિનીએ એ બધું જ મેળવી લીધું છે, જે મેં અને માતાજીએ મેળવ્યું છે. નલિનીકાન્તને આવી ઉપલબ્ધિઓ મળી હતી, સ્વાધ્યાય – ચિકિત્સાથી. જો કે તેઓ કહેતા હતા, કે સ્વસ્થ જીવન માટે શરૂઆત પોતાની સ્થિતિ અનુસાર મનના બદલે તનથી પણ કરી શકાય છે. તેના માટે હઠયોગની વિધિઓ શ્રેષ્ઠ છે.

%d bloggers like this: