આજનું પુસ્તક : ચિંતન ચરિત્રને ઊંચે ઉઠાવો
March 13, 2021 Leave a comment
ચિંતન ચરિત્રને ઊંચે ઉઠાવો
લેખક : પંડિત શ્રીરામ શર્મા આચાર્ય
ક્રિયાને અનુરૂપ આપણા દ્રષ્ટિ અને ચિંતન નહીં હોય તો એનાથી કોઈ લાભ નહીં મળે. આપણી દ્રષ્ટિ પરિષ્કૃત (વિવેકપૂર્ણ) હોવી જોઈએ અને આપણું ચિંતન ઉચ્ચસ્તરિય હોવું જોઈએ.આપણા મનમાં સિદ્ધાંતો અને આદર્શો માટે ઊંચી નિષ્ઠા હોવી જોઈએ. જપ, ભજન, અનુષ્ઠાન ઉચ્ચસ્તરીય દ્રષ્ટિકોણ બનાવવા માટે કર્યા છે એવો ભાવ દરેકના મનમાં જાગૃત થવો જોઈએ અને આવું અનુષ્ઠાન દરેકના મનમાં હોવું જોઈએ.
જો આપણા વિચાર અને સ્વપ્ન નકામા અને નિરર્થક સાબિત થાય તો આ અસફળતા કેવળ આપણી નહીં પરંતુ સમગ્ર માનવજાતિની, સભ્યતાની, સંસ્કૃતિની, ધર્મની, અધ્યાત્મની તથા ઋષિઓની છે. આ અસફળતા આપણી એ મહાન પરંપરાઓની છે જેણે વિશ્વનું નિર્માણ નિર્ધારણ કર્યું હતું.
જેની આંખોમાં દર્શન રહ્યું એણે ગાંધીજીને મળી તેમની ફિલોસોફી સમજીને તેમની તરફની શ્રદ્ધા-નિષ્ઠા જેવા ગુણો ગ્રહણ કરીને તે વ્યક્તિ વિનોબા ભાવે બની ગયા. એટલે જ ગાંધીજીએ જાહેર કર્યું હતું કે વ્યક્તિગત સત્યાગ્રહ આંદોલન શરૂ થાય ત્યારે એમની ધરપકડ થયા પછી રાષ્ટ્રની લગામ સંભાળવા વાળો બીજો સત્યાગ્રહી વિનોબા ભાવે હશે.
સદ્ વાક્યો:
⭐પ્રસન્ન રહેવા માટેના ફ્ક્ત બે જ ઉપાય છે – આવશ્યકતાઓ ઓછી કરો અને પરિસ્થિતિઓ સાથે તાલમેલ બેસાડો.
⭐ગૃહસ્થ એક તપોવન છે, જેમાં સંયમ, સેવા અને સહિષ્ણુતાની સાધના કરવી પડે છે.
⭐હવનના કર્મકાંડનો મૂળ લાભ વ્યક્તિના ચિંતનના તેમજ દૃષ્ટિકોણના સ્તરને ઊંચે ઉઠાવવાનો છે.
મહત્વના આકર્ષક મુદ્દા :
🕉️ દૃષ્ટિકોણને ઊંચે ઉઠાવ્યા વગર અધ્યાત્મ અને ધર્મના કાર્યક્ષેત્રમાં કોઈ મહત્વપૂર્ણ લાભ મળતો નથી.
🕉️ સભ્યતાનું સ્વરૂપ છે સાદગી, પોતાના માટે કઠોરતા અને બીજાના માટે ઉદારતા
🕉️ આત્મહીનતાનો ભાવ વ્યક્તિની સૌથી મોટી કમજોરી
🕉️ વ્યક્તિના જીવનમાં અનુશાસન ખૂબ જ જરૂરી
🕉️ દર્શનનો મતલબ “સાચી ફિલોસોફી”
લેખક વિશે
_પંડિત શ્રીરામ શર્મા આચાર્ય * (1911-1990), ભારતીય સ્વાતંત્ર્ય સેનાની, સમાજ સુધારક, મહાન ગાયત્રી સાધક અને વૈજ્ઞાનિક આધ્યાત્મિકતાના પ્રણેતા, તેમણે 3200 થી વધુ પુસ્તકો લખ્યા.
*2 મિનિટથી ઓછા સમયમાં કોઈ પુસ્તકનો પરિચય મેળવવા માંગો છો?
ઇ-બુક વાંચવા માટે આ લિંકને ક્લિક કરો.
સંપૂર્ણ ઑડિયો સાંભળવા માટેની લિંક :
_ તમને પુસ્તક કેવી લાગી, અમને તમારા વિચારો જણાવો. જ્યારે તમને ગમે, ત્યારે આ પુસ્તક તમારા મનપસંદ, મિત્રો અને ભાઈઓ સાથે શેર કરો.
-આવતીકાલે અમે ફરી એક નવી પુસ્તક લઈને તમારી સામે આવીશું. અમે તમારા મૂલ્યવાન પ્રતિસાદની રાહ જોતા રહીશુ।
- 😊 તમારું વાંચન આનંદદાયક બને. આ શુભેચ્છાઓ સાથે 🙏
પ્રતિભાવો