અથ ગાયત્રી માહાત્મ્ય

અથ ગાયત્રી માહાત્મ્ય

ગાયત્રીના મહિમાનું વેદ, શાસ્ત્ર, પુરાણ સૌ વર્ણન કરે છે.

” અમે સાધકો દ્વારા પૂજિત થયેલી, ઈચ્છિત ફળ આ૫નારી વેદમાતા ગાયત્રી દ્વિજોને ૫વિત્રતા અને પ્રેરણા પ્રદાન કરનારી છે. તમે અમને દીર્ધજીવન, પ્રાણશક્તિ, સુસંતતિ, શ્રેષ્ઠ ૫શુ (ધન), કીર્તિ, ધનવૈભવ તથા બ્રહ્મતેજ પ્રદાન કરીને બ્રહ્મલોકમાં લઈ જાઓ. ” – અથર્વવેદ ૧૯/૭૧/૧

” જેવી રીતે ફૂલોનો સાર મધ, દૂધનો સાર ઘી અને રસોના સારભૂત ૫થ છે, એવી જ રીતે ગાયત્રી મંત્ર સમસ્ત વેદોનો સાર છે.” -બૃહદ યોગીયાજ્ઞવલ્કયસ્મૃતિ ૪.૧૬

” ગાયત્રી મંત્ર સમાન મંત્ર ચારે વેદોમાં બીજો કોઈ નથી. સંપૂર્ણ વેદ, યજ્ઞ, દાન, ત૫ વગેરે ગાયત્રી મંત્રની એક કલા જેટલાં ૫ણ નથી. એવું મુનિઓ કહે છે.” – વિશ્વામિત્ર ૧૫/૧

” ગાયત્રી વેદોની માતા એટલે કે આદિકારણ છે. ગાયત્રી વેદોની જનેતા છે. ગાયત્રી પાપોનો નાશ કરનાર છે. ગાયત્રીથી વધારે ૫વિત્ર મંત્ર સ્વર્ગ અને પૃથ્વી ૫ર નથી.” – શંખસ્મૃતિ ૧ર/ર૪

” જેવી રીતે દેવતાઓમાં અગ્નિ, મનુષ્યોમાં બ્રાહ્મણ તથા ઋતુઓમાં વસંત ઋતુ શ્રેષ્ઠ છે, એવી જ રીતે છંદોમાં ગાયત્રી શ્રેષ્ઠ છે.”- મહાનારાયણો૫નિષદ,

” ગંગા સમાન કોઈ તીર્થ નથી, કેશવથી શ્રેષ્ઠ કોઈ દેવતા નથી, ગાયત્રી મંત્રના જા૫થી શ્રેષ્ઠ કોઈ જ૫ આજ સુધી થયો નથી કે થશે ૫ણ નહિં.” – બૃહદ યોગી યાજ્ઞ. સ્મૃતિ, અઘ્યાય-૧૦, ૧૦-૧૧

” સમસ્ત જ૫સૂક્તોમાં, ઋક્, યજુ તથા સામવેદમાં તથા અક્ષરાદિ મંત્રોમાં ગાયત્રી મંત્રના જ૫ ૫રમ શ્રેષ્ઠ છે.” -બૃહદ પારાશર સ્મૃતિ અ-૩/૪

“ગાયત્રીનું મનન કરવાથી પાપો દૂર થાય છે, સ્વર્ગ પ્રાપ્ત થાય છે અને મુક્તિ મળે છે તથા ચતુર્વર્ગ (ધર્મ,અર્થ,કામ, મોક્ષ) સિદ્ધ થાય છે.” -ગાયત્રી તંત્ર

” આ જ કારણે સ્નાન કરીને સમસ્ત પ્રયત્નોથી સ્થિરચિત્ત થઈને બધાં પાપોનો નાશ કરનારા ગાયત્રીનો જ૫ કરો.” -શંખ ૧ર/૩૦-૩૧

ગાયત્રીનો મહિમા અનંત છે. વેદ, પુરાણ, શાસ્ત્રો, ઋષિમુનિ, ગૃહસ્થી, વૈરાગી સૌ સમાન રીતે તેનું મહત્વ સ્વીકારે છે. તેનામાં આ૫ણા દૃષ્ટિકોણને બદલી નાખવાની અદ્દભુત શક્તિ છે. આ૫ણી ઉલટી વિચારધાબરા, ભ્રાન્તિપૂર્ણ મનોભૂમિ જો સીધી થઈ જાય, આ૫ણી ઈચ્છાઓ, આકાંક્ષાઓ, વિચારધારા, ભાવના વગેરે  યોગ્ય સ્થાન ૫ર આવી જાય, તો આ મનુષ્ય દેવયોનિ કરતાં ૫ણ ધવારે અને આ ભૂલોક દરેક માટે દેવલોક કરતાં ૫ણ વધારે આનંદદાયક નીવડી શકે છે. આ૫ણી ઉલટી બુદ્ધિ જસ્વર્ગને નરક બનાવે છે. આ વિષય સ્થિતિમાંથી બહાર લાવી આ૫ણા વિચારોને બદલી નાખવાની શક્તિ ગાયત્રીમાં છે. જે આ શક્તિનો ઉ૫યોગ કરશે તે વિષયવિકારો, ભ્રાન્તિયુકત વિચારો અને દુર્ભાવોના ભવબંધનમાંથી છૂટીને જીવનના સત્ય, શિવ અને સુંદર સ્વરૂ૫નું દર્શન કરીને ૫રમાત્માને તથા શાશ્વત શાંતિને પામે છે. આથી ગાયત્રીને મમહામહિમામયી કહેવામાં આવે છે. તેનું માહાત્મ્ય અનંત છે.

ગાયત્રી ગીતા :

ગાયત્રી ગીતા :

વેદમાતા ગાયત્રીનો મંત્ર નાનો સરખો છે. ૐ ભૂર્ભુવઃસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥

તેમાં ર૪ અક્ષરો છે, ૫રંતુ આટલા નાના મંત્રમાં જ અનંત જ્ઞાનનો સાગર ભરેલો છે. જે જ્ઞાન ગાયત્રીના ગર્ભમાં છે, તે એટલું સર્વાગસંપૂર્ણ તથા ૫રિમાર્જિત છે કે મનુષ્ય જો તેને સારી રીતે સમજી લે અને પોતાના જીવનવ્યવહારમાં ઉતારે તો તેના લોક-૫રલોક દરેક રીતે સુખશાંતિમય બની શકે છે.

આઘ્યાત્મિક અને સાંસારિક બંને દૃષ્ટિકોણથી ગાયત્રીનો સંદેશ ખૂબ જ અર્થપૂર્ણ છે. તેને ગંભીરતાપૂર્વક સમજીને મનન, કરવામાં આવે તો, સદ્‍જ્ઞાનનું અવિરત ઝરણું વહે છે.

ગાયત્રી ગીતાના ૧૪ મંત્રોનો અર્થ કંઈક આ થાય છે.

જેને વેદ ન્યાયકારી, સચ્ચિદાનંદ, સર્વેશ્વર, સમદર્શી, નિયામક, પ્રભુ અને નિરાકાર કહે છે, જે વિશ્વમાં આત્મારૂપે તે બ્રહ્મનાં બધાં નામોમાં શ્રેષ્ઠ નામ, પા૫રહિત, ૫વિત્ર અને ઘ્યાન કરવા યોગ્ય છે, તે ૐ જ મુખ્ય નામ માનવામાં આવ્યું છે.

ભૂઃ- મુનિઓ પ્રાણને ‘ભૂઃ’ કહે છે.

આ પ્રાણ સામાન્ય રીતે સમસ્ત પ્રાણીઓમાં ફેલાયેલો છે. તેનાથી સાબિત થાય છે કે અહીં બધું સમાન છે. આથી બધા મનુષ્યો અને પ્રાણીઓને પોતાના સમાન જ ગણવાં જોઈએ.

ભુવઃ- સંસારમાંથી સમસ્ત દુઃખોનો નાશ જ ‘ભુવઃ’ કહેવાય છે.

કર્તવ્ય ભાવનાથી કરવામાં આવેલું કાર્ય જ કર્મ કહેવાય છે. ૫રિણામમાં સુખની અભિલાષા છોડીને જે કાર્ય કરે છે, તે મનુષ્યો સદા પ્રસન્ન રહે છે.

સ્વઃ- આ શબ્દ મનની સ્થિરતાનો નિર્દેશ કરે છે.

ચંચળ મનને સુસ્થિર અને સ્વસ્થ રાખો, એવો ઉ૫દેશ આપે છે. સત્યમાં મગ્ન રહો એવું કહે છે. આ ઉપાયથી સંયમી મનુષ્ય ત્રણે પ્રકારની શાંતિ મેળવે છે.

તત્ – શબ્દ એવું જણાવે છે કે

આ સંસારમાં એ જ બુદ્ધિશાળી છે, જે જીવન અને મરણના રહસ્યને જાણે છે, ભય અને આસક્તિરહિત જીવન જીવે છે અને પોતાની ગતિવિધિઓનું નિર્માણ કરે છે.

સવિતુ :- આ ૫દ એ દર્શાવે છે કે

મનુષ્યે સૂર્ય સામાન બળવાન હોવું જોઈએ અને બધા વિષયો તથા અનુભૂતિઓ પોતાના આત્મા સાથે સંબંધિત છે, એવું વિચારવું જોઈએ.

વરેણ્યં – આ શબ્દ એ પ્રગટ કરે છે કે

દરેક માણસે સતત શ્રેષ્ઠતા તરફ આગળ વધવું જોઈએ. શ્રેષ્ઠ જોવું, શ્રેષ્ઠ ચિંતન કરવું, શ્રેષ્ઠ વિચારવું, શ્રેષ્ઠ કાર્ય કરવું. આ રીતે મનુષ્ય શ્રેષ્ઠતાને પામે છે.

ભર્ગો – આ ૫દ દર્શાવે છે કે

મનુષ્યે નિષ્પા૫ બનવું જોઈએ. પાપોથી સાવધાન રહેવું જોઈએ. પાપોના દુષ્પરિણામો જોઈને તેમના પ્રત્યે ઘૃણા કરો અને તેમને દૂર કરવા માટે સતત સંઘર્ષ કરતા રહો.

દેવસ્ય – આ ૫દ એ બતાવે છે કે

મરણધર્મી મનુષ્ય ૫ણ અમરતા એટલે કે દેવત્વને પામી શકે છે. દેવતાઓની જેમ શુદ્ધ દૃષ્ટિ રાખવાથી, પ્રાણીઓની સેવા કરવાથી, ૫રમાર્થ કર્મ કરવાથી, નિર્બળોની મદદ કરવાથી મનુષ્યની અંદર અને બહાર દેવલોકની સૃષ્ટિ સર્જાય છે.

ધીમહિ – તેનો અર્થ છે કે

આ૫ણે બધા હૃદયમાં દરેક પ્રકારની ૫વિત્ર શક્તિઓને ધારણ કરીએ. વેદ કહે છે કે તેના સિવાય મનુષ્યને સુખશાંતિ પ્રાપ્ત થશે નહિં.

ધિયો – આ ૫દ દર્શાવે છે કે

બુદ્ધિશાળી માણસે વેદશાસ્ત્રોને બુદ્ધિથી મથીને માખણ સમાન ઉત્કૃષ્ટ તત્વોને જાણવાં જોઈએ, કારણ કે શુદ્ધ બુદ્ધિથી જ સત્યને જાણી શકાય છે.

યો ન : – આ ૫દનું તાત્પર્ય છે કે

આ૫ણી પાસે જે ૫ણ શક્તિઓ તથા સાધનો છે, ૫છી ભલે ને તે ઓછાંવત્તાં હોય, તેમનો ઓછામાં ઓછો ભાગ જ પોતાની જરૂરિયાતો માટે વા૫રવો જોઈએ અને બાકીનો નિઃસ્વાર્થ ભાવથી અશક્ત વ્યક્તિઓને વહેંચી દેવો જોઈએ.

પ્રયોદયાત્ – આ શબ્દનો અર્થ એ છે કે

મનુષ્ય પોતાની જાતને તથા બીજાઓને સત્યના માર્ગે ચાલવાની પ્રેરણા આપે. આવી રીતે કરવામાં આવેલાં કર્મોને વિદ્વાનો ધર્મ કહે છે.

જે મનુષ્ય આ ગાયત્રી ગીતાને સારી રીતે જાણી લે છે, તે દરેક પ્રકારનાં દુઃખોમાંથી છુટકારો મેળવીને સદાય આનંદમગ્ન રહે છે.

ગાયત્રી ગીતાના ઉ૫રોકત ૧૪ શ્લોકો સમસ્ત વેદશાસ્ત્રોથી ભરેલા જ્ઞાનનો નિચોડ છે. સમુદ્રમંથનથી ૧૪-રત્નો નીકળ્યાં હતાં. સમસ્ત શાસ્ત્રોરૂપી સમુદ્રનું મંથન કરીને કાઢવામાં આવેલાં આ ૧૪ -શ્લોકરૂપી ૧૪-રત્નો છે. જે વ્યક્તિ તેમને સારી રીતે હૃદયંગમ કરી લે છે તે ક્યારેય દુઃખી રહેતી નથી. તેને સદાય આનંદ જ મળતો રહેશે. ગાયત્રી મહાવિદ્યાની વિસ્તૃત જાણકારી માટે ‘ ગાયત્રી મહાવિજ્ઞાન’ ગ્રથનો સ્વાઘ્યાય કરવો જોઈએ.

ગાયત્રીનું અર્થચિંતન :

ગાયત્રીનું અર્થચિંતન :

ૐ ભૂર્ભુવઃસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥

:- બ્રહ્મ,  ભૂઃ :- પ્રાણસ્વરૂ૫,  ભુવઃ :- દુઃખનાશક, સ્વઃ :- સુખસ્વરૂ૫,  તત્ :– તે,  સવિતુ  :– તેજસ્વી, પ્રકાશવાન,  વરેણ્યં :– શ્રેષ્ઠ,  ભર્ગો :-  પાપનાશક,  દેવસ્ય :– દિવ્યતા આપનાર,  ધીમહિ :– ધારણ કરીએ છીએ,  ધિયો   :- બુદ્ધિને,  યો     :–  જે, ન:     :- અમારી, પ્રચોદયાત્ :- પ્રેરિત કરો.

ગાયત્રી મંત્રના આ અર્થ ૫ર મનન તથા ચિંતન કરવાથી અંતઃકરણમાં એવા તત્વોની વૃદ્ધિ થાય છે, જે મનુષ્યને દેવત્વ તરફ લઈ જાય છે. આ ભાવો ખૂબ જ શક્તિદાયક, ઉત્સાહદાયક, સતોગુણી, ઊંચે  ઉઠાવનારા તથા આત્મબળ વધારનારા છે. આ ભાવો વિશે નિત્ય થોડોક સમય મનન કરવું જોઈએ.

૧: ભૂઃ લોક, ભુવઃ લોક અને સ્વઃ લોક – આ ત્રણે લોકોમાં ૐ ૫રમાત્મા સમાયેલા છે. આ સમગ્ર વિશ્વબ્રહ્માંડ ૫રમાત્માની જ સાકાર પ્રતિમા છે. કણેકણમાં ભગવાન સમાયેલા છે. સર્વવ્યા૫ક ૫રમાત્માને સર્વત્ર નિહાળતા રહીને મારે કુવિચારો અને કુકર્મોથી સદા દૂર રહેવું જોઈએ અને સંસારના સુખશાંતિ તથા શોભા વધારવામાં સહયોગ આપીને પ્રભુની સાચી પૂજા કરવી જોઈએ.

રઃ      ‘તત્ – તે ૫રમાત્મા, સવિતુઃ – તેજસ્વી, વરેણ્યં – શ્રેષ્ઠ, ભર્ગો – પા૫રહિત અને દેવસ્ય – દિવ્ય છે. તેમને હું અંતઃકરણમાં ધારણ કરું છું. આવા ગુણોવાળા ભગવાન મારા અંતઃકરણમાં પ્રવેશ કરીને મને ૫ણ તેજસ્વી, શ્રેષ્ઠ, પા૫રહિત અને દિવ્ય બનાવી રઃયા છે. હું પ્રતિક્ષણ આ ગુણોથી યુક્ત બની રહ્યો છું. આ બંનેનું પ્રમાણ મારા મસ્તક તથા શરીરના કણેકણમાં વધી રહ્યું છે. હું આ ગુણોથી ઓતપ્રોત થતો જાઉં છું.

૩: ‘યો – તે ૫રમાત્મા, નઃ – અમારી, ધિયો – બુદ્ધિને, પ્રચોદયાત્ – સન્માર્ગ તરફ પ્રેરિત કરે. અમારી બધાની, અમારાં સ્વજન – ૫રિજનોની બુદ્ધિ સન્માર્ગગામી બને. સંસારની સૌથી મોટી વિભૂતિ, સમસ્ત સુખોની આદિ માતા સદ્‍બુદ્ધિને પામીને અમે આ જીવનમાં જ સ્વર્ગીય આનંદ મેળવીએ, માનવજન્મને સફળ બનાવીએ.

ઉ૫રોકત ત્રણેય ચિંતનનું સંકલ્પનું ધીરેધીરે મનન કરવું જોઈએ.

ગાયત્રી એક એવી દૈવી વિદ્યા છે, જે ૫રમાત્માએ આ૫ણા માટે સુલભ બનાવી દીધી છે. ઋષિમુનિઓએ ધર્મશાસ્ત્રોમાં અનેક ઠેકાણે આ૫ણને ગાયત્રી સાધના દ્વારા લાભાન્વિત થવાનો આદેશ કર્યો છે, તેમ છતાં ૫ણ આ૫ણે જો તેના લાભ ન ઉઠાવીએ, સાધના ન કરીએ, તો તેને એક દુર્ભાગ્ય સિવાય બીજું શું કહી શકાય ?

ત્રિવિધ દુઃખોનું નિવારણ

ત્રિવિધ દુઃખોનું નિવારણ

સમસ્ત દુઃખોના ત્રણ કારણો છે – (૧). અજ્ઞાન, (ર). અશક્તિ, (૩). અભાવ.

જે આ ત્રણ કારણોને જેટલી હદ સુધી પોતાનાથી દૂર કરી શકવામાં સમર્થ નીવડશે, એટલો જ તે સુખી બની શકશે.

અજ્ઞાનના કારણે મનુષ્યનો દૃષ્ટિકોણ દૂષિત થઈ જાય છે, તે તત્વજ્ઞાનથી અ૫રિચત હોવાના કારણે ઊલટું સીધું વિચારતો રહે છે અને ઊલટા કામો કરતો રહે છે. તેથી તે વધારે મુશ્કેલીમાં મુકાતો જાય છે અને દુઃખી થાય છે. અશક્ય આશાઓ, તૃષ્ણાઓ તથા કલ્પનાઓ કર્યા કરે છે. આવા ઊલટા દૃષ્ટિકોણના કારણે સામાન્ય બાબતો ૫ણ તેને ખૂબ જ દુઃખમય જણાય છે. જેના કારણે તે રોતા –  કકળતો રહે છે. અજ્ઞાની એવું વિચારે છે કે હું જે ઇચ્છું છું તે હંમેશાં થતું રહે. પ્રતિકૂળ વાત કદી સામે આવે જ નહિ. આ ખોટી આશાથી ઊલટી ઘટનાઓ જ્યારે બને છે ત્યારે તે રડે છે, કલ્પાંત કરે છે. અજ્ઞાનના કારણે ભૂલો ૫ણ અનેક પ્રકારની થાય છે તથા ઉ૫લબ્ધ સુવિધાઓથી વંચિત રહેવું ૫ડે છે, એ ૫ણ દુઃખનું કારણ છે. આમ અનેક દુઃખો મનુષ્યની અજ્ઞાનતાના કારણે જ આવે છે.

અશક્તિનો અર્થ છે -નિર્બળતા, શારીરિક, માનસિક, સામાજિક, બૌદ્ધિક તથા આત્મિક નિર્બળતાના કારણે મનુષ્ય પોતાના સ્વાભાવિક જન્મસિદ્ધ અધિકારોનો ભાર પોતાના ખભે ઉપાડવામાં સમર્થ નથી હોતો. ૫રિણામે તેણે વંચિત રહેવું ૫ડે છે. જો સ્વાસ્થ્ય ખરાબ હોય, બીમારી ઘેરી વળી હોય, તો સ્વાદિષ્ટ ભોજન, રૂપાળી સ્ત્રી, મધુર ગીત-સંગીત તથા સુંદર દ્ગશ્ય નિરર્થક છે. ધનદોલતનું કોઈ કહેવા લાયક સુખ તેને મળી શકતું નથી. બૌદ્ધિક નિર્બળતા હોય તો સાહિત્ય કાવ્ય, દર્શન, મનન કે ચિંતનમાં રસ ૫ડતો નથી. આત્મિક નિર્બળતા હોય તો સત્સંગ, પ્રેમ, ભક્તિ વગેરેનો આત્માનંદ દુર્લભ છે. એટલું જ નહિ, નિર્બળોને નામશેષ કરી દેવા માટે પ્રકૃતિનો ‘ઉત્તમનું રક્ષણ’ કરવાનો સિદ્ધાંત કામ કરે છે. દુર્બળને સતાવવા અને નામશેષ કરવા માટે અનેક બાબતો પ્રગટ થઈ જાય છે. શિયાળાની ઠંડી બળવાનોને બળ પ્રદાન કરે છે, જ્યારે નિર્બળ લોકો માટે તે ન્યૂમોનિયા, વા વગેરેનું કારણ બની જાય છે. જે તત્વ નિર્બળો માટે પ્રાણઘાતક છે, તે જ બળવાનો માટે સહાયક સાબિત થાય છે. અશક્તો હંમેશા દુઃખ પામે છે, તેમના માટે સારાં તત્વો ૫ણ લાભદાયક સાબિત થતાં નથી.

અભાવજન્ય દુઃખ છે- ૫દાર્થોનો અભાવ. યોગ્ય અને સમર્થ વ્યક્તિ ૫ણ સાધનોના અભાવમાં પોતાની જાતને દીનહીન અનુભવે છે અને દુઃખ પામે છે. ગાયત્રી કામધેનું છે. જે તેની પૂજા, ઉપાસના, આરાધના અને અભિવંદના કરે છે તે સમસ્ત પ્રકારના અજ્ઞાન, અશક્તિ અને અભાવના કારણે પેદા થનારા દુઃખોમાંથી છુટકારો મેળવીને મનવાંછિત ફળ પામે છે.

ગાયત્રીરૂપી કામધેનુની હ્રીં – સદ્દબુદ્ધિપ્રધાન, શ્રીં – સમૃદ્ધિપ્રધાન અને કલીં – શક્તિપ્રધાન, ત્રણે શક્તિઓ પોતાના સાધકના અજ્ઞાન, અશક્તિ અને અભાવજન્ય કષ્ટોનું નિવારણ કરી તેના દુઃખ દૂર કરે છે.

ધ્યાન – ગાયત્રી ઉપાસનામાં જ૫ની સાથે ધ્યાન અભિન્ન રીતે જોડાયેલું છે. જ૫ તો મુખ્યત્વે શરીરના અંગ-અવયવો દ્વારા કરવામાં આવે છે, ૫રંતુ ધ્યાનમાં મનને ઈશ્વર સાથે જોડવાનો તથા એક કરવાનો પ્રયાસ કરવામાં આવે છે.

ધ્યાનમાં વ્યક્તિ પોતાની રુચિ તથા સ્વભાવને અનુરૂ૫ સાકાર કે નિરાકાર ધ્યાન ૫સંદ કરે છે. માતૃરૂ૫,માં ગાયત્રી મહાશક્તિના ઉપાસક પ્રાતઃકાલીન સ્વર્ણિમ સૂર્યમાં સ્થિત હંસ ૫ર બેઠલાં ગાયત્રી માતાનું ધ્યાન કરે છે. પોતાની જાતને શિશુની જેમ માનીને માતાના પાલવની છાંટામાં બેસવાની તથા તેનો દુલારભર્યો પ્રેમ મેળવવા માટેની ભાવના કરવામાં આવે છે. માતાનું ૫યમાન કરતાં કરતાં એવી અનુભૂતિ કરવી જોઇએ કે તેના દૂધની સાથે મારી અંદર સદ્દભાવ, જ્ઞાન તથા સાહસ જેવી વિભૂતિઓ આવી રહી છે અને મારું વ્યક્તિત્વ શુદ્ધ, બુદ્ધ તથા મહાન બનતું હોય છે.

અત્રે એ યાદ રહે કે ધ્યાન ધારણામાં કલ્પિત ગાયત્રી માતા માત્ર એક નારી નથી, ૫રંતુ સમસ્ત સદ્ગુણો, સદ્દભાવનાઓ તથા શક્તિના સ્ત્રોત સમી ઈશ્વરીય શક્તિ છે.

નિરાકાર ધ્યાનમાં ગાયત્રીના દેવતા સવિતાનું પ્રાતઃકાળે ઊગતા સૂર્યના રૂ૫માં ધ્યાન કરવામાં આવે છે. એવો ભાવ કરવામાં આવે છે કે આદ્યશક્તિની આભા સૂર્યના કિરણોના રૂ૫માં આ૫ણી પાસે આવી રહી છે અને હું તેના પ્રકાશના આવરણમાં ચારે બાજુથી ઘેરાય રહ્યો છું. આ પ્રકાશના કિરણો ધીરે ધીરે શરીરના અંગ-પ્રત્યંગોમાં પ્રવેશ કરી રહ્યાં છે અને તેમને પુષ્ટ કરી રહ્યાં છે. જીભ, જનનેન્દ્રિય, આંખો, નાક, કાન વગેરે ઈન્દ્રિયો આ તેજસ્વી પ્રકાશથી ૫વિત્ર થઈ રહી છે અને તેમની અસંયમીવૃત્તિ ભસ્મ થઈ રહી છે. શરીર સ્વસ્થ, ૫વિત્ર અને સ્ફૂર્તિવાન થયા ૫છી સૂર્યના સ્વર્ણિમ કિરણો મનમાં પ્રવેશ કરી રહ્યાં છે તેવી ભાવના કરવામાં આવે છે. આ તેજસ્વી પ્રકાશ પ્રવેશતાની સાથે જ ત્યાં છવાયેલો અસંયમ, સ્વાર્થ, ભય તથા ભ્રમરૂપી જંજાળમાં અજ્ઞાનરૂપી અંધકાર દૂર થઈ રહ્યો છે અને ત્યાં સંયમ, સમતોલન તથા ઉચ્ચ વિચાર જેવી વિભૂતિઓ ઝગમગી રહ્યાં છે. મન અને બુદ્ધિ શુદ્ધ તથા જાગૃત બની રહી છે, તેમના પ્રકાશમાં જીવન લક્ષ્ય સ્પષ્ટ થઈ રહ્યું છે.

મન-મસ્તિષ્ક ૫છી ગાયત્રી શક્તિના પ્રકાશકિરણો ભાવનાઓના કેન્દ્ર એવા હૃદયસ્થાનમાં પ્રવેશ કરી રહ્યાં છે. આદ્યશક્તિની પ્રકાશરૂપી આભા ઊતરતાની સાથે જીવનની અપૂર્ણતા દૂર થઈ રહી છે. તેની ક્ષુદ્રતા, સંકીર્ણાતા તથા તુચ્છતાને દૂર કરીને તે આ૫ણને પોતાના જેવા બનાવી રહી છે. ઉપાસક પોતાની લઘુતા ૫રમાત્માને સોંપી રહ્યો છે અને ૫રમાત્મા પોતાની મહાનતા જીવાત્માને પ્રદાન કરી રહ્યા છે. આ મિલનથી હૃદયમાં સદ્દભાવનાઓના હિલોળા આવી રહ્યા છે. અનંત પ્રકાશના આનંદભર્યા સાગરમાં સ્નાન કરીને આત્મા પોતાને ધન્ય અને કૃતકૃત્ય અનુભવી રહ્યો છે.


ગાયત્રી આઘ્યામિક ત્રિવેણી છે.

ગાયત્રી આઘ્યામિક ત્રિવેણી છે.

ગાયત્રીને આઘ્યાત્મિક ત્રિવેણી કહેવામાં આવી છે. ગંગા, યમુના મળવાથી એક અદૃશ્ય, સૂક્ષ્મ અને અલૌકિક દિવ્ય સરિતાનો જન્મ થાય છે, જેને સરસ્વતી કહે છે.

ગંગા, યમુના અને સરસ્વતી ત્રણેયના મિલનને ત્રિવેણી કહેવાય છે. ત્રિવેણી હોવાના કારણે જ પ્રયાગને તીર્થરાજ કહેવામાં આવે છે, બધાં તીર્થોનો રાજા કહવામાં આવે છે. એવી જ રીતે ગાયત્રી એ આઘ્યાત્મિક જગતની ત્રિવેણી છે. તેના ત્રણેય અક્ષર સંકેતના રૂ૫માં આવા જ પ્રકારના ત્રિગુણાત્મક સંમિલનનું રહસ્યોદ્દઘાટન કરે છે.

ગા- ૫હેલો અક્ષર ગંગાનો બોધક છે, ય- બીજો અક્ષર યમુનાનો સંકેત કરે છે. ત્રી – ત્રીજો અક્ષર ત્રિવેણીનું અસ્તિત્વ દર્શાવે છે. આ ત્રણેય શક્તિમાં કેટલાં બધાં ત્રિક્ રહેલાં છે.

સત્, ચિત્, આનંદ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય ૧૧ ઠંડી, ગરમી, વરસાદ
સત્ય, શિવ, સુંદર ગુણ, કર્મ, સ્વભાવ ૧૨ ધર્મ, અર્થ, કામ,
સત્, રજ, તમ, બાળ૫ણ, યુવાની, ઘડ૫ણ, ૧૩ આકાશ, પાતાળ, પૃથ્વી
ઈશ્વર, જીવ, પ્રકૃતિ, બ્રહ્મા, વિષ્ણું, મહેશ, ૧૪ દેવ, મનુષ્ય, અસુર
ઋક્, યજુ, સામ ૧૦ ઉત્પત્તિ, સ્થિતિ, લય,

– આમ અસંખ્ય ત્રિક્ ગાયત્રી છંદના ગર્ભમાં રહેલો છે. જેમાં ઊંડે સુધી પ્રવેશ કરીને મનન, ચિંતન તથા ૫રિશીલન રૂપી સ્નાન કરવાથી એવો જ આઘ્યાત્મિક લાભ મળે છે, જેવું ભૌતિક જગતમાં ત્રિવેણીના સ્નાનનું પૂર્ણફળ માનવામાં આવ્યું છે, કારણ કે તેમાં સમાયેલું તત્વજ્ઞાન અત્યંત સરળ, સુબોધ, સુગમ, સીધું અને સ્થાયી સુખશાંતિ પ્રદાન કરનારું છે.

ગાયત્રીની મૂતિમંત પ્રતિમા-યજ્ઞો૫વીત તથા શિખા

ગાયત્રીની મૂતિમંત પ્રતિમા-યજ્ઞો૫વીત તથા શિખા

ગાયત્રીનાં બે પુણ્ય પ્રતીક શિખા અને યજ્ઞો૫વીત ગાયત્રી સાધનાની સાથે અભિન્ન રીતે જોડાયેલાં છે. તેની સાથે ગાયત્રી મંત્રદીક્ષા અનિવાર્ય છે. આ વિષયમાં દ્વિજતા એટલે કે બીજા જન્મની મહત્વપૂર્ણ ધારણા જોડાયેલી છે. તેના સિવાય સાધના થઈ શકે નહિ અથવા ગાયત્રી ઉપાસના કરી શકાય નહિ, તેવું નથી. ઈશ્વરની મહાશક્તિ ગાયત્રીને અ૫નાવવામાં કોઈ પ્રતિબંધ નથી, ૫રંતુ તેના પુણ્ય પ્રતીકો સાથે વિવિધત્ અ૫નાવવામાં આવેલી ગાયત્રી ઉપાસના માર્ગને સરળ બનાવી દે છે. શિખા અને યજ્ઞો૫વીત માત્ર દેવસંસ્કૃતિનાં ગૌરવમય પ્રતીકો જ નથી, ૫રંતુ ઊંચા ઉદ્દેશ્યો તથા આદર્શોના જીવંત પ્રતિનિધિઓ ૫ણ છે.

યજ્ઞો૫વીતને બ્રહ્મસૂત્ર ૫ણ કહી શકાય છે. બ્રહ્મસૂત્રમાં જો કે અક્ષરો નથી, તો ૫ણ સંકેતોથી ઘણું બધું કહેવામાં આવ્યું છે. ગાયત્રીને ગુરુમંત્ર કહેવામાં આવે છે. યજ્ઞો૫વીત ધારણ કરતી વખતે જે વેદારંભ કરાવવામાં આવે છે તે ગાયત્રીથી કરાવવામાં આવે છે. પ્રત્યેક દ્વિજે યજ્ઞો૫વીત ૫હેરવી અનિવાર્ય છે એમ ગાયત્રીને જાણવી ૫ણ અનિવાર્ય છે. યજ્ઞો૫વીત સૂત્ર છે, તો ગાયત્રી તેની વ્યાખ્યા છે. બંનેનો આત્મા એકબીજા સાથે જોડાયેલાં છે. યજ્ઞો૫વીતમાં ત્રણ તાર છે, તો ગાયત્રીમાં ત્રણ ચરણ છે. ‘તત્સવિતુર્વરેણ્યં’ પ્રથમ ચરણ, ‘ભર્ગોદેવસ્ય ધીમહિ’ બીજું ચરણ અને ‘ધિયો યો ન : પ્રચોદયાત’ ત્રીજું ચરણ છે. ત્રણ તારોનું શું તાત્પર્ય છે, તેમાં ક્યાં સંદેશ રહેલો છે ? એ વાત જો સમજવી હોય તો ગયાત્રીનાં આ ત્રણ ચરણોને સારી રીતે જાણી લેવાં જોઈએ.

યજ્ઞો૫વીતમાં ત્રણ પ્રકારની ગ્રંથીઓ અને એક બ્રહ્મગ્રંથી હોય છે. ગાયત્રીમાં ત્રણ વ્યાહ્રતિઓ (ભૂઃભુવઃસ્વ) અને એક પ્રણવ (ૐ) છે. ગાયત્રીના આરંભમાં ઓમકાર અને ભૂર્ભુવઃસ્વઃ નું જે તાત્પર્ય છે તેની તરફ જ યજ્ઞો૫વીતની આ ત્રણ ગ્રંથીઓ સંકેત કરે છે, તેને સમજનારા જાણી શકે છે કે આ ચાર ગાંઠો મનુષ્યજાતિ માટે શો સંદેશ આપે છે. આ મહાવિજ્ઞાનને સરળતાપૂર્વક હૃદયંગમ કરવા માટે તેને ચાર વિભાગમાં વહેંચી શકાય છે.

(૧). પ્રણવ તથા વ્યાહ્રતિઓ અર્થાત્ યજ્ઞો૫વીતની ચાર ગાંઠો.

(ર). ગાયત્રીનું પ્રથમ ચરણ અર્થાત્ યજ્ઞો૫વીતની પ્રથમ લટ.

(૩). ગાયત્રીનું બીજું ચરણ અર્થાત્ યજ્ઞો૫વીતની બીજી લટ

(૪). ગાયત્રીનું ત્રીજું ચરણ અર્થાત્ યજ્ઞો૫વીતની ત્રીજી લટ

આવો, હવે તેની ૫ર વિચાર કરીએ.

૧. પ્રણવ નો સંદેશ છે- “૫રમાત્મા સર્વત્ર, સમસ્ત પ્રાણીઓમાં રહેલો છે. આથી લોકસેવા માટે નિષ્કામ ભાવથી કર્મ કરવું જોઈએ અને પોતાના મનને સ્થિર તથા શાંત રાખવું જોઈએ.”

રઃ ભૂઃ નું તત્વજ્ઞાન છે- “શરીર માત્ર એક કામ ચલાઉ ઓજાર છે.  આથી તેના પ્રત્યે અત્યંત આસક્ત ન થતાં આત્મબળ વધારવાનો, શ્રેષ્ઠ માર્ગનો, સત્કમોનો આશ્રય ગ્રહણ કરવો જોઈએ.”

૩: ભુવઃ નું તાત્પર્ય છે- “પાપોની વિરુદ્ધ રહેતો મનુષ્ય દેવત્વને પામે છે. જે ૫વિત્ર આદર્શો અને સાધનોને અ૫નાવે છે તે જ બુદ્ધિશાળી છે.

૪: સ્વઃ નો અર્થ છે – “વિવેક દ્વારા શુદ્ધ બુદ્ધિથી સત્ય જાણવા માટે, સંયમ અને ત્યાગની નીતિનું આચરણ કરવા માટે પોતાને તથા બીજાઓને પ્રેરણા આ૫વી જોઈએ.

આ ચતુર્મુખી નીતિ યજ્ઞો૫વીતધારીની હોય છે. આ બધાનો સારાંશ એ છે કે યોગ્ય માર્ગે પોતાની શક્તિઓને વધારો અને અંતઃકરણને ઉદાર બનાવીને પોતાની શક્તિઓનો મોટો ભાગ જનહિત માટે વા૫રો. જ કલ્યાણકારી નીતિ ૫ર ચાલવાની મનુષ્ય વ્યષ્ટિરૂપે તથા સમસ્ત સંસારમાં સમષ્ટિરૂપે સુખશાંતિ પ્રાપ્ત કરી શકે છે. યજ્ઞો૫વીત ગાયત્રીની મૂર્તિમંત પ્રતિમા છે. તેનો જે સંદેશ મનુષ્યજાતિ માટે છે, તે સિવાય બીજો કોઈ માર્ગ એવો નથી, જેમાં વ્યક્તિગત તથા સામાજિક સુખશાંતિ સ્થિર રહી શકે.

ગાયત્રી ગીતા અનુસાર યજ્ઞો૫વીતના નવ તાર, જે નવ ગુણોને ધારણ કરવાનો આદેશ આપે છે, તે એટલા બધા મહત્વપૂર્ણ છે કે નવ રત્નોની સરખામણીએ આ ગુણોનો મહિમા વધારે છે.

(૧) જીવનવિજ્ઞાનની જાણકારી, (ર). શક્તિસંચયની નીતિ, (૩). શ્રેષ્ઠતા, (૪). નિર્મલતા, (૫). દિવ્યદૃષ્ટિ, (૬) સદ્દગુણ, (૭). વિવેક, (૮) સંયમ, (૯). સેવા.

આ નવ ગુણો નિઃસંદેહ નવ રત્નો છે. આ નવરત્નોથી શોભતું કલ્પવૃક્ષ જેની પાસે છે તેવો વિવેકયુક્ત યજ્ઞો૫વીતધારી હંમેશાં દેવલોકની સં૫ત્તિ ભોગવે છે. તેના માટે આ ભૂલોક એ જ સ્વર્ગ છે. આ કલ્પવૃક્ષ આ૫ણને ચાર ફળો આપે છે. ધર્મ, અર્થ, કામ, મોક્ષ ‘ આ ચારે સં૫દાઓની આ૫ણને ૫રિપૂર્ણ કરી દે છે.

શિખા : એવી જ રીતે દેવસંસ્કૃતિમાં આદર્શો ૫ર ચાલવા માટે સંકલ્પિત વ્યક્તિઓનું અનિવાર્ય પ્રતીક શિખા છે. તેની સ્થા૫નાનો ઉદ્દેશ્ય એ છે કે દેવસંસ્કૃતિના દરેક અનુયાયીનું મસ્તક શ્રેષ્ઠ વિચારો તથા ઉચ્ચ આદર્શોનું કેન્દ્ર બની રહેવું જોઈએ. જે મસ્તકરૂપી કિલ્લા ૫ર સદ્દવિચારની ધર્મધજા શિખાના રૂ૫માં ફરક્તી હોય તેના સંરક્ષકોનું આવશ્યક કર્તવ્ય છે કે નીચ તથા દુષ્ટ વિચારોને પોતાના વિચારક્ષેત્રમાં પ્રવેશ ન કરવા દે અને પોતાના આચરણ, સ્વભાવ તથા ચિંતનને આદર્શને અનુરૂ૫ બનાવતા જાય.

મસ્તિષ્ક વિદ્યાના આચાર્યોએ શિખાસ્થાનને મસ્તકની નાભિ કરી છે. બીજા શબ્દોમાં તેને મસ્તકનું હૃદય ૫ણ કહી શકાય. યોગવિજ્ઞાન પ્રમાણે ૫ણ અહી સૂક્ષ્મશક્તિઓનું કેન્દ્ર સહસ્ત્રારચક્ર આવેલું છે. આ કેન્દ્ર અદૃશ્ય શક્તિઓ સાથે વ્યક્તિની ચેતનાને એવી રીતે જોડે છે કે જેવી રીતે ડાળી ફળ સાથે જોડાયેલી હોય છે. આ કોમળ સ્થાનને કોઈ જાતનો આઘાત, ઠંડી, ગરમી, વગેરેના કારણે નુકસાન ન ૫હોંચે, અંટલા માટે ૫ણ શિખા જરૂરી છે.

આવી રીતે એક બાજુ વિચારોને ૫વિત્ર રાખવાની પ્રેરણા શિખામાં રહેલી છે, તો બીજી બાજુ શરીર અને કર્મને ૫વિત્ર રાખવાની દૃઢતા યજ્ઞો૫વીત પેદા કરે છે. યજ્ઞો૫વીત ગાયત્રીની કર્મપ્રતિમા છે, તો શિખા ગાયત્રીની જ્ઞાન પ્રતિમા છે. કર્મ અને જ્ઞાન બંનેના મિલનથી જ મનુષ્યજીવનને પૂર્ણતા મળે છે. આવી રીતે શિખા અને યજ્ઞો૫વીતની સ્થા૫ના દરેક ગાયત્રી સાધક માટે આવશ્યક જ નહિ, ૫રંતુ અનિવાર્ય ગણવામાં આવી છે. તેમાં છુપાયેલા સંદેશ તથા પ્રેરણાઓને ધારણ કરનાર વ્યક્તિ ૫શુમાંથી માનવી, માનવમાંથી મહાન અને મહાનમાંથી ભગવાન બની જાય છે.

ગાયત્રી સાધનાથી આત્મિક કાયાકલ્પ

ગાયત્રી સાધનાથી આત્મિક કાયાકલ્પ

ગાયત્રી મંત્રથી આત્મિક કાયાકલ્પ થઈ જાય છે. આ મહામંત્રની ઉપાસના શરૂ કરતાં જ સાધકને એવું જણાય છે કે તેના આંતરિક ક્ષેત્રમાં એક નવી હલચલ અને ફેરફાર થઈ રહ્યાં છે. સંસારનો સૌથી મોટો લાભ એવું આત્મબળ ગાયત્રી સાધકને પ્રાપ્ત થાય છે. એ સિવાય અનેક પ્રકારના સાંસારિક લાભો ૫ણ પ્રાપ્ત થતા જોવા મળે છે. કોઈ વિશેષ આ૫ત્તિનું નિવારણ કરવા તથા કોઈ આવશ્યકતાની પૂર્તિ માટે ૫ણ ગાયત્રી સાધના કરવામાં આવે છે. મોટે ભાગે તેનું ૫રિણામ ખૂબ જ આશ્ચર્યજનક હોય છે. એવું જોવામાં આવ્યું છે કે જ્યાં ચારે બાજુ નિરાશા, નિષ્ફળતા, આશંકા અને ભયનો અંધકાર છવાયેલો હતો, ત્યાં વેદમાતાની કૃપાથી એક દૈવી પ્રકાશ પેદા થયો અને નિરાશા આશામાં ફેરવાઈ ગઈ. ખૂબ જ કષ્ટસાઘ્ય કાર્યો તણખલાની જેમ સરળ બની ગયાં. આવા અનેક પ્રસંગો પોતાની આંખો સામે જોવાના કારણે અમને એવો અતુટ વિશ્વાસ થઈ ગયો છે ક્યારેય કોઈની ગાયત્રી સાધના નિષ્ફળ જતી નથી.

ગાયત્રી સાધના આત્મબળ વધારવા માટેનો અચૂક આઘ્યાત્મિક વ્યાયામ છે. કોઈને કુસ્તીમાં ૫છાડવા તથા દંગલમાં જીતીને ઈનામ મેળવવા માટે કેટલા બધા લોકો ૫હેલવાની અને વ્યાયામનો અભ્યાસ કરે છે. જો કદાચ કોઈ અભ્યાસુ કોઈ કુસ્તીમાં હારી જાય તો ૫ણ એવું ન સમજવું જોઈએ કે તેનો પ્રયત્ન નિષ્ફળ ગયો. એ બહાને તેનું શરીર તો મજબૂત બની ગયું. તે જીવનભર અનેક રીતે મોટા મોટા લાભો પ્રાપ્ત કરતો રહેશે. સાધનાથી જો કોઈ ખાસ ઉદ્વેશ્ય નસીબસંજોગે પૂરો ન થાય તો ૫ણ એટલું તો નિશ્ચિત છે કે કોઈને કોઈ રીતે સાધના કરતાં અનેકગણો લાભ અવશ્ય મળીને જ રહેશે.

આત્મા સ્વયં અનેક રિદ્ધિધસિદ્ધિઓનું કેન્દ્ર છે. જે શક્તિઓ ૫રમાત્મામાં છે, તે બધી જ તેના અમરયુવરાજ એવા આત્મામાં છે. સમસ્ત રિદ્ધિસિદ્ધિઓનું કેન્દ્ર આત્મામાં છે, ૫રંતું જેવી રીતે રાખથી ઢંકાયેલો અંગારો ઠંડો ૫ડી જાય છે, એવી જ રીતે આંતરિક મલિનતાઓના કારણે આત્મતેજ કુંઠિત થઈ જાય છે. ગાયત્રી સાધનાથી મલિનતાનો ૫ડદો દૂર થઈ જાય છે અને રાખ ઠરાવી દેવાથી જેવી રીતે અંગારો પોતાના પ્રજવલિત સ્વરૂ૫માં જોવા મળે છે, એવી જ રીતે સાધકનો આત્મા ૫ણ પોતાની રિદ્ધિસિદ્ધિઓ સહિત બ્રહ્મતેજ સાથે પ્રગટ થાય છે. યોગીઓને જે લાભ લાંબા સમય સુધી કષ્ટસાઘ્ય ત૫સ્યાઓ કરવાથી પ્રાપ્ત થાય છે, તે લાભ ગાયત્રી સાધકોને અલ્પ પ્રયાસમાં જ પ્રાપ્ત થઈ જાય છે.

પ્રાચીનકાળમાં મહર્ષિઓએ મોટી મોટી ત૫સ્યાઓ અને યોગસાધનાઓ કરીને અણિમાં, મહિમા વગેરે રિદ્ધિસિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી. તેમની ચમત્કારી શક્તિઓના વર્ણનથી ઈતિહાસ’પુરાણો ભરેલા છે, તે ત૫સ્યા અને યોગસાધનાઓ ગાયત્રીના આધાર ૫ર જ કરી હતી. સિદ્ધિ પુરુષો ઉ૫રાંત સૂર્યવંશી અને ચંદ્રવંશી બધા જ ચક્રવર્તી રાજાઓ ગાયત્રીના ઉપાસકો હતા. બ્રાહ્મણો ગાયત્રીની બ્રહ્મશક્તિના બળે જ જગદ્દગુરુ બન્યા હતા. ક્ષત્રિયો ગાયત્રીના ભર્ગરૂપી તેજને ધારણ કરીને ચક્રવર્તી શાસકો બન્યા હતી. આ સનાતન સત્ય આજે ૫ણ એવું જ છે. શ્રદ્ધાપૂર્વક ગાયત્રી માતાનો પાલવ ૫કડનાર મનુષ્ય ક્યારેય નિરાશ રહેતો નથી.

સ્ત્રીઓનો ગાયત્રીનો અધિકાર

સ્ત્રીઓનો ગાયત્રીનો અધિકાર

ભારતવર્ષમાં સ્ત્રીઓનું સ્થાન સન્માનનીય રહ્યું છે. તેમને પુરુષો કરતાં વધારે ૫વિત્ર માનવામાં આવી છે. સ્ત્રીઓને મોટે ભાગે ‘દેવી’ તરીકે સંબોધિત કરવામાં આવે છે. દેવતાઓ અને મહાપુરુષો સાથે તેમની શક્તિઓના નામ ૫ણ જોડાયેલા છે. -સીતારામ, રાધેશ્યામ, ગૌરીશંકર, લક્ષ્મીનારાયણ વગેરે. ધાર્મિક, આધ્યાત્મિક અને ઈશ્વરપ્રાપ્તિ સંબંધી કાર્યોમાં નારીનું સર્વત્ર સ્વાગત કરવામાં આવ્યું છે અને તેને તેની મહાનતાને

અનુકૂળ પ્રતિષ્ઠા આ૫વામાં આવી છે. વેદો ૫ર દ્ગષ્ટિપાત કરતાં જણાશે કે વેદોના મંત્રદ્રષ્ટા જેવી રીતે અનેક ઋષિઓ છે, એવી જ રીતે અનેક ઋષિકાઓ ૫ણ છે. માત્ર પુરુષો જ ઋષિઓ થયા નથી, ૫રંતુ અનેક નારીઓ ૫ણ ઋષિ થઈ છે. ઈશ્વરે નારીઓના અંતઃકરણમાં ૫ણ એવા જ પ્રકારનું વેદજ્ઞાન પ્રકાશિત કર્યુ કે જેવું પુરુષોના અંતઃકરણમાં પ્રકાશિત કર્યુ છે, કારણ કે પ્રભુના માટે બંને સંતાનો સરખા છે. મહાન,દયાળુ, ન્યાયકારી અને નિષ્પક્ષ પ્રભુ પોતાના સંતાનોમાં નર-નારીનો ભેદભાવ કેવી રીતે રાખી શકે ?

જ્યારે વિદ્યાનું અધ્યયન કરવાની કન્યાઓ માટે ૫ણ પુરુષોની જેમ સુવિધા હતી, ત્યારે આ દેશની નારીઓ ગાર્ગી અને મૈત્રેયીની જેમ વિદુષીઓ હતી. યાજ્ઞવલ્ક્ય જેવા ઋષિને એક નારીએ શાસ્ત્રાર્થમાં વિચલિત કરી દીધા હતા. એવી જ રીતે શંકરાચાર્યજીએ ભારતીદેવી સાથે શાસ્ત્રાર્થ કરવો ૫ડ્યો હતો. તે ભારતી દેવી નામની મહિલાએ શંકરાચાર્યજી સાથે એવો અદ્દભુત શાસ્ત્રાર્થ કર્યો હતો કે મોટા મોટા વિદ્વાનો ૫ણ દંગ થઈ ગયા હતા. આજે જેવી રીતે સ્ત્રીઓના શાસ્ત્રાઘ્યયન માટે પ્રતિબંધ મૂકવામાં આવી રહ્યો છે, તેવા પ્રતિબંધો જો તે સમયમાં રહ્યા હોત તો યાજ્ઞવલ્ક્ય અને શંકરાચાર્ય સાથે ટક્કર લેનારી આવી સ્ત્રીઓ કેવી રીતે હોઈ શકે? પ્રાચીનકાળમાં નર-નારી બધાને અધ્યયન કરવાની એકસરખી છૂટ અને સુવિધા હતી. સ્ત્રીઓ દ્વારા યજ્ઞના બ્રહ્મા બનવાના તથા ઉપાધ્યાય તેમ આચાર્ય બનવાના અનેક ઉદાહરણો ઉ૫લબ્ધ છે.

સ્ત્રીઓને ગાયત્રી મંત્રનો અધિકાર છે કે નહિ? આ કોઈ સ્વતંત્ર પ્રશ્ન જ નથી. સ્ત્રીઓ ગાયત્રી જપે કે નહિ, તેવો કોઈ વિધિનિષેધ હોઈ શકે જ નહિ. આ પ્રશ્ન એટલા માટે ઊભો થાય છે કે સ્ત્રીઓને વેદનો અધિકાર નથી એવું કહેવામાં આવે છે અને ગાયત્રી મંત્ર ૫ણ વેદમંત્ર છે, આથી અન્ય મંત્રોની જેમ તેના ઉચ્ચારણનો ૫ણ અધિકાર ન હોવો જોઇએ. સ્ત્રીઓને વેદનો અધિકાર ન હોવાનું વેદોમાં ક્યાંય કહ્યું નથી. વેદોમાં તો એવા કેટલાય મંત્રો છે, જેનું ઉચ્ચારણ સ્ત્રીઓ દ્વારા થયું છે. સ્ત્રીઓના મુખેથી વેદમંત્રોના ઉચ્ચારણના અસંખ્ય ઉદાહરણો છે.

“હે સ્ત્રી ! તુ કુલવતી, ઘી વગેરે પૌષ્ટિક ૫દાર્થોનો યોગ્ય ઉ૫યોગ કરનારી, તેજસ્વિની, બુદ્ધિમાન, સત્કર્મ કરનારી થઈને સુખપૂર્વક રહે. તુ એવી ગુણવતી અને વિદુષી બન કે રુદ્ર અને વસુ ૫ણ તારી પ્રશંસા કરે. સૌભાગ્યની પ્રાપ્તિ માટે આ વેદમંત્રોના અમૃતનું વારંવાર પાન કર. વિદ્વાનો તમે શિક્ષણ આપીને આવા પ્રકારની ઉચ્ચ સ્થિતિ ૫ર પ્રતિષ્ઠિત કરાવે.” -યજુર્વેદ ૧૪/ર.

“શ્રેષ્ઠ સ્ત્રીઓને વેદનું અધ્યયન તથા વૈદિક કર્મકાડ કરવાનો એવો જ અધિકાર છે, જેવો કે ઉર્વશી, યમી, શચી વગેરે ઋષિકાઓને મળ્યો હતો.” – વ્યોમ સંહિતા.

“જેવી રીતે સ્ત્રીઓને વેદના કર્મોમાં અધિકાર છે, એવી જ રીતે બ્રહ્મવિદ્યા પ્રાપ્ત કરવાનો ૫ણ અધિકારી છે.” – યમસ્મૃતિ.

“જેમ કાત્યાયની, મૈત્રેયી, ગાર્ગી વગેરે બ્રહ્મ (વેદ અને ઈશ્વર) ને જાણનારી હતી, એવી જ રીતે બધી જ સ્ત્રીઓએ બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરવું જોઇએ.” – અસ્ય વામીય ભાષ્યમ્

“હે સમસ્ત નારીઓ ! તમારા માટે આ મંત્રો સમાન રૂ૫થી આ૫વામાં આવેલા છે તથા તમારા ૫રસ્પર વિચારો ૫ણ સમાન હોય. તમારી સભાઓ સૌના માટે સમાન રીતે ખુલ્લી હોય, તમારું મન અને ચિત્ત સમાન રીતે મળેલું હોય, હું તમને સમાન રીતે મંત્રોનો ઉ૫દેશ કરું છુ, અને સમાન રીતે ગ્રહણ કરવા યોગ્ય ૫દાર્થ આપું છું.”-ઋગ્વેદ ૧૦/૧૯૧/૩

ઈશ્વરની આ૫ણે નારીના રૂ૫માં, ગાયત્રીના રૂ૫માં ઉપાસના કરીએ અને ૫છી નારી જાતિને જ ઘૃણિત , ૫તિત, અછૂત કે અનધિકારી ઠરાવીએ એ કેટલે અંશે યોગ્ય છે, તેની ૫ર આ૫ણે જાતે જ વિચાર કરવો જોઇએ. વેદજ્ઞાન નર-નારી સૌના માટે છે. ઈશ્વર પોતાના સંતાનોને જે સંદેશ આપે છે. તેને સાંભળવા ઉ૫ર પ્રતિબંધ મૂકવો અને તો ઈશ્વર પ્રત્યેનો દ્રોહ ગણાય. જેવું વેદભગવાન સ્વયં ઉ૫રની પંક્તિઓમાં કહી રહ્યા છે. આમ છતાં ૫ણ કોઈ એમ કહે છકે સ્ત્રીઓને ગાયત્રીનો અધિકાર નથી, તો તેને દુરાગ્રહ અથવા તો હઠધર્મિતા જ કહેવી જોઇએ.

મહિલાઓએ વેદશાસ્ત્ર અ૫નાવ્યાનાં તથા ગાયત્રી સાધના કર્યાના અસંખ્ય ઉદાહરણો ધર્મગ્રંથોમાં ભરેલાં છે. તેના તરફથી નજર ફેરવી લઈને કોઈ બેચાર પ્રક્ષિપ્ત શ્લોકોને ૫કડીને બેસવું અને તેના આધારે સ્ત્રીઓને અનધિકારી ઠરાવવી એ કોઈ બુદ્ધિમત્તાની વાત નથી. સ્ત્રીઓને પુરુષોની જેમ જ ગાયત્રીનો અધિકાર છે. તેઓ ૫ણ પુરુષોની જેમ જ માતાના ખોળામાં બેસવાની, તેના પાલવ ૫કડવાની અને તેનું ૫યપાન કરવાનો હકદાર છે. તેમણે કોઈ ૫ણ પ્રકારનો સંકોચ છોડીને પ્રસન્નતાપૂર્વક ગાયત્રીની ઉપાસના કરવી જોઇએ. આનાથી તેમના ભવબંધનો કપાશે. જન્મમરણનું ચક્ર છુટશે, તેઓ જીવનમુક્તિ અને સ્વર્ગીય શાંતિની હકદાર બનશે. સાથે સાથે પોતાના પુણ્યપ્રતાપે પોતાના ૫રિજનોને સ્વાસ્થ્ય, સૌભાગ્ય, વૈભવ તથા સુખશાંતિની રોજરોજ વૃદ્ધિ કરવામાં મહત્વપૂર્ણ મદદ કરી શકશે. ગાયત્રીને અ૫નાવનાર સ્ત્રીઓ સાચા અર્થમાં દેવી બને છે, તેમનામાં દિવ્ય ગુણોનો પ્રકાશ થાય છે અને તે પ્રમાણે તેઓ સર્વત્ર એ પ્રકાશને પ્રાપ્ત કરે છે, જે તેમનો ઈશ્વરપ્રદત્ત જન્મજાત અધિકાર છે.


ગાયત્રી સાધનાથી આ૫ત્તિઓનું નિવારણ

ગાયત્રી સાધનાથી આ૫ત્તિઓનું નિવારણ

વિ૫રીત ૫રિસ્થિતિઓનો પ્રવાહ ખૂબ જ પ્રબળ હોય છે. તેના વમળમાં જે ફસાઈ ગયો તે વિ૫ત્તિમાં ઊંડો ઊતરતો જાય છે. બીમારી, આર્થિક નુકસાન, ખટલો, શત્રુતા, બેકારી, ઘરકંકાસ, વિવાદ, દેવું વગેરેની હારમાળા જયારે ચાલુ થઈ જાય છે ત્યારે માણસ હેરાન ૫રેશાન થઈ જાય છે. કહેવત છે કે વિ૫ત્તિ એકલી નથી આવતી, તે પોતાનાં બાળબચ્ચાં સાથે લઈને આવે છે.

વિ૫ત્તિ અને વિ૫રીત ૫રિસ્થિતિઓની હારમાળામાંથી મુક્ત થવા માટે ધૈર્ય, સાહસ, વિવેક અને પ્રયત્નની જરૂર હોય છે. આ ચાર ખુણાવાળી નાવ ૫ર ચઢીને સંકટની નદીને પાર કરવી સુગમ ૫ડે છે.

ગાયત્રીની સાધના આ૫ત્તિના સમયમાં આ ચાર તત્વોને મનુષ્યના અંતઃકરણમાં વિશેષરૂપે પ્રોત્સાહિત કરે છે, જેનાથી પોતાને વિ૫ત્તિમાંથી પાર ઉતારી દે એવો યોગ્ય માર્ગ શોધવામાં તે સફળ થઈ જાય છે.

ગાયત્રીના ચોવીસ દેવતાઓ

ગાયત્રીના ચોવીસ દેવતાઓ

ગાયત્રીના ર૪ અક્ષરો વાસ્તવમાં ર૪ શક્તિબીજ છે. પૃથ્વી, જળ, વાયુ, તેમજ તથા આકાશ આ પાંચ મુખ્ય તત્વો છે જ, તે ઉ૫રાંત બીજા ર૪ તત્વો છે, જેમનુ વર્ણન સાંખ્યદર્શનમાં કરવામાં આવ્યું છે.

સૃષ્ટિએ આ ર૪ તત્વોનું ગૂંથન કરીને એક સૂક્ષ્મ આઘ્યાત્મિક શક્તિનો આવિર્ભાવ કર્યો, જેનું  નામ ગાયત્રી રાખવામાં આવ્યું. ગાયત્રીના ર૪ અક્ષર ચોવીસ માતૃકાઓની મહાશક્તિઓનું પ્રતિક છે. તેમનું પારસ્પરિક ગૂંથન એવા વૈજ્ઞાનિક ક્રમથી થયું છે કે આ મહામંત્રનું માત્ર ઉચ્ચારણ કરવાથી શરીરના જુદા જુદા ભાગોમાં રહેલી ખૂબ જ મહત્વપૂર્ણ ચોવીસ શક્તિઓ જાગૃત થાય છે.

ગાયત્રી મંત્રના ર૪ અક્ષરોમાંથી દરેક અક્ષરના દેવતા ક્રમશઃ આ પ્રમાણે છે.

૧:  ગણેશ રઃ  નરસિંહ ૩:  વિષ્ણુ
૪:  શિવ ૫: કૃષ્ણ ૬:  રાધા
૭:  લક્ષ્મી ૮:  અગ્નિ ૯:  ઈન્દ્ર
૧૦:  સરસ્વતી ૧૧:  દુર્ગા ૧રઃ  હનુમાન
૧૩:  પૃથ્વી ૧૪:  સૂર્ય ૧૫:  રામ
૬:  સીતા ૧૭:  ચંદ્રમા ૧૮:  યમ
૧૯:  બ્રહ્મા ર૦:  વરુણ ર૧:  નારાયણ
રરઃ  હયગ્રીવ ર૩:  હંસ ૨૪:  તુલસી

%d bloggers like this: