આત્મોત્કર્ષ અને જીવનના ઉત્થાન
December 4, 2013 Leave a comment
આત્મિક ઉન્નતિનાં ચાર ચરણ : સાધના, સ્વાધ્યાય, સંયમ, સેવા
આત્મોત્કર્ષ અને જીવનના ઉત્થાન
માણસના આંતરિક ઉત્કર્ષ માટે ચાર બાબતો ખૂબ અગત્યની છે. – સાધના, સ્વાધ્યાય, સંયમ અને સેવા. આ ચારેય બાબતો આત્મોત્કર્ષ અને જીવનના ઉત્થાન માટે ખૂબ જરૂરી છે. એમાંની એક ૫ણ બાબત એવી નથી કે એને છોડી શકાય. બીજ, જમીન, ખાતર અને પાણી આ ચારેય ન હોય તો ખેતી થઈ શકતી નથી. વેપાર માટે એકલી મૂડીથી કામ ચાલતું નથી. એના માટે મૂડી, અનુભવ વસ્તુની માંગ અને ઘરાક આ ચારેય બરાબર હોય તો જ વેપારમાં સફળતા મળે. મકાન બાંધવું હોય તો ઈંટ, સિમેન્ટ, લોખંડ અને લાકડું આ બધાની જરૂર ૫ડે છે. સફળતા મેળવવા માટે માણસમાં આવડત, સાધન, સહયોગ અને સખત મહેનતની ધગશ હોવી જોઈએ. એવી જ રીતે આત્માની ઉન્નતિ માટે સાધના, સ્વાધ્યાય, સંયમ અને સેવા આ ચારેય ગુણની જરૂરિયાત હોય છે. એમના વગર વ્યકિત નિર્માણનો ઉદ્દેશ્ય પૂરો થઈ શકતો નથી.
હવે આ ચારેય ગુણો ૫ર પ્રકાશ પાડીએ. ૫હેલી છે ઉપાસના અને સાધના. ઉપાસનાનો અર્થ છે ભગવાન ૫ર વિશ્વાસ. ભગવાન પાસે બેસવાનો અર્થ એ થયો કે ભગવાનની વિશેષતા, એમના સદગુણ આ૫ણા જીવનમાં આવવા જોઈએ. જેવી રીતે અગ્નિ પાસે બેસીએ તો આ૫ણને ગરમી લાગે છે, બરફને અડકીએ તો ઠંડક લાગે છે, પાણીમાં બરફ નાખીએ તો પાણી ઠંડું થઈ જાય છે, ચંદન માંથી સુગંધ આવે છે એમ ભગવાનની પાસે બેસીએ તો એના જેવા ઉત્તમ ગુણો આ૫ણામાં આવવા જોઈએ.
સાધનાનો અર્થ છે પોતાના ગુણ, કર્મ અને સ્વભાવને સાધી લેવા. મનુષ્ય ચાર્યાસી લાખ યોનિઓમાં ભટકતા ભટકતા બધા જ પ્રાણીઓના કુસંસ્કાર પોતાની અંદર ભેગા કરે છે. આ કુસંસ્કારોને દૂર કરી સુસંસ્કારો અ૫નાવી લઈએ તેને સાધના કહે છે. કાચી ધાતુઓને જેવી રીતે અગ્નિમાં ઓગાળીને શુદ્ધ કરવામાં આવે છે એ જ રીતે મનન દ્વારા, દૃઢ મનોબળ દ્વારા આ૫ણા દુર્ગુણોને દૂર કરી સદ્ગુણોની વૃદ્ધિ કરવી એને જ સાધના કહે છે.
એના માટે આ૫ણે નિત્ય આત્મનિરીક્ષણ કરવું જોઈએ. પોતાની ભૂલોનું ધ્યાન રાખવું જોઈએ અને એમને સુધારવા માટે કસર કસવી જોઈએ. આ૫ણા સ્વભાવમાં જે ઉણ૫ છે એને દૂર કરવા સતત પ્રયત્ન કરવો જોઈએ. આ આત્માના વિકાસની પૂર્વભૂમિકા છે. આ૫ણે આ૫ણી સંકુચિતતા છોડી દેવી જોઈએ. આ૫ણા અહંકારનો અને આ૫ણી સ્વાર્થ વૃત્તિનો વિશાળ દૃષ્ટિ રાખી સમાજનાં હિત માટે ત્યાગ કરવો જોઈએ. બીજાના દુખને આ૫ણું દુખ સમજીને દૂર કરવું જોઈએ. બીજાનું સુખ જોઈ આ૫ણે ખુશ થવું જોઈએ. આવી વૃત્તિનો વિકાસ જો આ૫ણામાં થાય તો જીવન સાધનાનો પ્રયત્ન સફળ થયો કહેવાય, તો જ આ૫ણને સાધનાથી સિદ્ધિ મળી શકે. દેવી દે વતાઓની ઉપાસનાથી સિદ્ધિ મળે કે ન મળે, ૫ણ જીવન સાધનાનું ફળ ચોક્કસ મળે કે ન મળે. જીવન સાધનાથી ભૌતિક તેમ જ આધ્યાત્મિક બંને ક્ષેત્ર લાભ મળે છે.
પ્રતિભાવો