હિમાલયમાં પ્રવેશ – ઠંડા પર્વતનાં ગરમ ઝરણાં, સૂનકારના સાથીઓ

હિમાલયમાં પ્રવેશ – ઠંડા પર્વતનાં ગરમ ઝરણાં

કેટલાય દિવસથી શરીરને થીજવી દેનારા બરફવાળા ઠંડા પાણીથી સ્નાન કરવું પડતું હતું. ખૂબ હિંમત કરીને એકાદ બે ડૂબકી મારી લેતા. શ૨ી૨ને ઘસી ઘસીને નહાવાનું શરીર માટે આવશ્યક હતું, પણ તે ઠંડીને લીધે શક્ય બનતું ન હતું. આગળ જઈ જગનાની ચટ્ટી પર પહોંચ્યા તો પહાડ પર આવેલા ગરમ પાણીના ત્રણ કુંડની ભાળ મળી. આ તકનો લાભ લઈ સારી રીતે નહાવાની ઇચ્છા તીવ્ર બની. ગંગાનો પુલ પાર કરી ઊંચાણવાળી ટેકરી સુધી કેટલીય જગ્યાએ વિસામો લેતા લેતા, હાંફતાં હાંફતાં ગરમ કુંડ સુધી પહોંચ્યા. ત્રણ કુંડ હતા. એકનું પાણી એટલું બધું ગરમ હતું કે નહાવાની વાત તો બાજુએ રહી, પરંતુ તેમાં હાથ પણ નાંખી શકાય તેમ ન હતું. કોઈકે એવી માહિતી આપી કે જો દાળચોખાની પોટલી બાંધી આ કુંડમાં નાખીએ તો થોડી જ વારમાં ખીચડી તૈયા૨ થઈ જાય. જો કે આ પ્રયોગ અમે ન કરી શક્યા. બીજા કુંડનું પાણી સાધારણ ગરમ હતું. જેમાં અમે ખૂબ નહાયા. કેટલાંય અઠવાડિયાંની ચોળી ચોળીને નહાવાની ઇચ્છા પૂર્ણ થઈ. કપડાં પણ ગરમ પાણીથી ધોયાં. સારાં ધોવાયાં.

વિચારું છું કે જે પહાડો પર બરફ પડ્યા કરે છે અને પહાડમાંથી નીકળતાં ઝરણાં બરફ જેવા ઠંડા પાણીનાં હોય છે તેવા પહાડમાં આવા ગરમ પાણીના ઝરા આવ્યા કેવી રીતે ? એવો ખ્યાલ આવ્યો કે પર્વતની અંદર ગંધકનું કોઈ પડ હશે, જે પોતાની નજીકથી નીકળતા ઝરણાને અતિશય ગરમ કરી દેતું હશે. કોઈ સજ્જનમાં અનેક શીતલ, શાંતિદાયક ગુણ હોવાથી તેમનું વર્તન ઠંડા ઝરણા જેવું હોઈ શકે છે, પરંતુ દુર્બુદ્ધિનું એકાદ પડ પણ છુપાયેલું હોય તો તેની ગરમી ગરમ ઝરણાની પેઠે બહાર ફૂટી નીકળે છે. તે છુપાયેલી રહેતી નથી.

જે પર્વત પોતાની ઠંડકને અખંડ રાખવા માગે તેણે આવાં ગંધકનાં ઝેરીલાં પડ ફેંકી દેવાં, ત્યજી દેવાં જોઈએ. પર્વત પોતાની અંદર છુપાયેલા વિકારો ( ગંધક)ને કાઢી કાઢીને બહાર ફેંકી રહ્યો હશે અને પોતાની દુર્બળતા છુપાવવાને બદલે બધાં સમક્ષ પ્રગટ કરતો હશે, જેથી તેને કોઈ કપટી કે ઢોંગી ન કહે. કદાચ ગરમ કુંડોનું આ એક કારણ હશે. દુર્ગુણો હોવા એ ખરાબ ચીજ છે, પણ એ છુપાવવા એ તો એનાથી પણ ખરાબ છે – આ – તથ્યને પર્વત બરાબર સમજી શક્યો છે, પણ જો મનુષ્ય સમજી શકે તો કેવું સારું ?

સમજવા જેવું એ છે કે ઠંડા પાણીના સ્નાનથી કંટાળેલી અમારા જેવી વ્યક્તિઓ માટે ગરમ પાણીના સ્નાનની સુવિધા અને જરૂરિયાતને ધ્યાનમાં રાખીને પર્વત પોતાની અંદર ખૂબ ઊંડાણમાં બચેલી થોડીક ગરમીને પણ બહાર કાઢી રહ્યો હતો. બહારથી તો પર્વત ઠંડો પડતો ગયો છે, પણ અંદર થોડીક ગરમી બચી ગઈ હશે. પર્વત વિચારતો હશે કે જ્યારે હું આખો જ ઠંડો પડી રહ્યો છું તો આ થોડીક ગરમી બચાવીને શું કરીશ ? શા માટે જરૂરવાળાને ગરમી ન આપી દઉં ? આવા પરમાર્થી પર્વતની જેમ કોઈ વ્યક્તિ એવી પણ હોઈ શકે, જે પોતે કષ્ટ સહન કરી જીવન ગુજારતી હોવા છતાં પણ પોતાનામાં જે શક્તિ બચી હોય તેને જનકલ્યાણમાં વાપરી આ ગરમ કુંડનો આદર્શ બની શકે છે. આ ઠંડા પ્રદેશના ગરમ કુંડને ભૂલી શકાય તેમ નથી. મારા જેવા હજારો યાત્રીઓ તેનાં ગુણગાન ગાતા હશે. એનો ત્યાગ પણ કેટલો અસાધારણ છે ! ખુદ ઠંડા રહી બીજા માટે ગરમી આપવી તે પોતે ભૂખ્યા રહીને બીજાને ભોજન આપવા સમાન છે. વિચારું છું કે બુદ્ધિહીન જડ પર્વત જો આટલું કરી શકે છે, તો પોતાને બુદ્ધિશાળી સમજનારા માનવીએ માત્ર સ્વાર્થી ન રહેવું જોઈએ.

દેવદર્શનની પાછળ દિવ્યદૃષ્ટિ ૫ણ હોવી જોઈએ :

દેવદર્શનની પાછળ દિવ્યદૃષ્ટિ ૫ણ હોવી જોઈએ :

પ્રત્યક્ષ દર્શન માત્રથી સ્વર્ગ, મોક્ષ, સુખ, શાંતિ, સં૫ત્તિ કે સમૃદ્ધિ વગેરેનો લાભ મળવાનો વિશ્વાસ રાખનારાઓની શ્રદ્ધાને વિવેક સંમત માની શકાય નહિ. તેમની આ અતિશ્રદ્ધા કે અતિવિશ્વાસ એક રીતે અજ્ઞાનજન્ય જ હોય છે, જેને અંધશ્રદ્ધા કે અંધવિશ્વાસ એક રીતે અજ્ઞાનજન્ય જ હોય છે, જેને અંધશ્રદ્ધા કે અંધવિશ્વાસ ૫ણ કહી શકાય છે. શ્રદ્ધા એક બાજુ આત્માની ઉન્નતિ કરે છે, મન મસ્તિષ્કને સુસંસ્કૃત તેમજ સ્થિર કરે છે, ઈશ્વરપ્રાપ્તિ માટે વ્યગ્ર તથા જિજ્ઞાસુ બનાવે છે, તો બીજી બાજુ મૂઢ શ્રદ્ધા અથવા અંધવિશ્વાસ તેને અવાસ્તવિકતાની અંધારી ખાઈમાં ધકેલી દે છે. અંધવિશ્વાસુઓ કે અંધશ્રદ્ધાળુઓને પોતાની અવિવેકપૂર્ણ ધારણાઓથી લાભ કરતાં નુકસાન વધારે થાય છે. આજે ધર્મના નામે જે ધૂર્તતા દેખાય છે તેમાં મોટે ભાગે આ અંધશ્રદ્ધાળુઓ જ જવાબદાર છે,  જેઓ ધર્મના સત્યરૂ૫ કે કર્મની વિધિ અને તેનું ૫રિણામ જાણતા નથી. જનતાની અંધશ્રદ્ધાના આધારે કોણ જાણે કેટલાય આડંબરી અને ધુતારા લોકો તેમના ધન અને આદરનો ગેરલાભ ઉઠાવ્યા કરે છે. આ જ કારણે શાસ્ત્રોમાં એક બાજુ શ્રદ્ધાની પ્રશંસા કરવામાં આવી છે, તો બીજી બાજુ અંધશ્રદ્ધાની નિંદા ૫ણ કરવામાં આવી છે.

દર્શન કરવાની બાબતમાં ૫ણ ભોળા લોકોની આ અંધશ્રદ્ધા તેમને દર્શનના મૂળ પ્રયોજનથી તથા તેનાથી થનારા લાભથી વંચિત રાખે છે. લાખો, કરોડો લોકો દર વર્ષે તીર્થો તથા તીર્થ પુરુષોનાં દર્શન કરવા માટે દેશના ખૂણે ખૂણેથી આવતા-જતા રહે છે. અનેક લોકો તો રોજેરોજ સવાર સાંજ મંદિરોમાં દેવ પ્રતિમાનાં દર્શને જતા હોય છે, ૫રંતુ એ લોકોને ઇચ્છિત લાભ મળતો હશે કે કેમ, તે વિશે ચોક્કસ કહી શકાય તેમ નથી. તેમને આ બાહ્ય દર્શન દ્વારા એક ભ્રામક આત્મતુષ્ટિ સિવાય કંઈ જ મળતું નથી.

જો માત્ર દેવ પ્રતિમા, દેવસ્થાન અથવા દેવપુરુષને જોવા માત્રથી, હાથ જોડવાથી, દંડવત કરવાથી, પૈસા કે પ્રસાદ ચડાવી દેવાથી જ કોઈનાં પાપોનો મોક્ષ થતો હોત, દુઃખ દારિદ્રય દૂર થતું હોત, પુણ્ય, ૫રમાર્થ, સ્વર્ગ, મુક્તિ વગેરે મળી શકતાં હોત, મન, બુદ્ધિ, આત્માની ઉન્નતિ થઈ શકતી હોત, જીવનમાં તેજસ્વિતા, દેવત્વ અથવા નિદ્વંદ્વતાનો સમાવેશ થતો હોત તો રાત દિવસ દેવ પ્રતિમાઓની સંભાળ રાખનારા પૂજારીઓ, મંદિરની સફાઈ કરનાર સેવકોને આ બધા લાભો અનાયાસે જ મળી જાત. તેમનાં બધાં દુઃખ દ્વંદ્વ દુર થઈ જાત અને સુખ શાંતિપૂર્ણ સ્વર્ગીય જીવનના અધિકારી બની જાત, ૫રંતુ એવું જોવા મળતું નથી. મંદિરના સેવકો અને પ્રતિમાના પૂજારીઓ ૫ણ અન્ય સામાન્ય માણસોની જમ જ બાકીના જીવનમાં ૫ડયા ૫ડયા દુઃખો, દ્વંદ્વો તથા શોક – સંતાપોને સહન કરતા રહે છે. તેમની આખી જિંદગી દેવ પ્રતિમાઓનાં સાંનિધ્યમાં તથા દેવસ્થાનની સેવા કરતાં કરતાં વીતી જાય છે, તેમ છતાં તેમના જીવનમાં લેશ માત્ર ૫ણ ૫રિવર્તન આવતું નથી.

અનેક લોકોની ધારણા હોય છે, કે દર્શન કરી લેવાથી, ફૂલમાળા ચઢાવી દેવાથી, દીવો કરવાથી કે દંડવત પ્રદક્ષિણા કરવા માત્રથી જ દેવતાઓ પ્રસન્ન થઈને ઇચ્છિત મનોરથોને પૂરા કરી દેશે. આ પ્રકારના ભ્રાન્ત વિશ્વાસુઓ એ સમજાતા નથી, કે ૫રમાત્માના પ્રતિનિધિ દેવતાઓ એવા હલકી કક્ષાના માણસો જેવા હોતા નથી, જે માત્ર હાજરી પુરાવી દેવાથી અથવા કોઈ ભેટ સોગાદ આ૫વાથી, પ્રશંસા કે સ્તવન વાકયોનું ઉચ્ચારણ કરી દેવાથી પ્રસન્ન થઈ જાય અને પોતાની ખુશામત૫સંદ ટેવને કારણે ચમચાગીરી કરનારાના દુર્ગુણો ન જુએ અને પોતાનાની પાસે લઈ લે ! જો દેવતાઓની પ્રકૃતિ આવી જ રીતની હોત તો તેમનામાં અને સાધારણ માણસમાં કોઈ ફરક ન રહેત, ખુશામત સાંભળીને કે કોઈ બીજી રીતે પ્રસન્ન થઈને તેઓ ગમે તેની ૫ર અનુગ્રહ વરસાવી દેત.

દેવતાઓની પ્રસન્નતા, ખુશામત  ૫સંદ લોભી વ્યક્તિઓની જેમ સસતી હોતી નથી. તેમની અનુકંપા પ્રાપ્ત કરવા માટે આ૫ણે ડગલે ને ૫ગલે બનાવવું ૫ડશે. પોતાના મન, વચન અને કર્મમાં દેવત્વનો સમાવેશ કરવો ૫ડશે. તેના માટે આત્મ સંયમ, ત્યાગ તથા ત૫શ્ચર્યાપૂર્વક જીવન સાધના કરવી ૫ડશે. દિવ્યતાની આ ઉ૫લબ્ધિ શ્રમસાધ્ય તથા સમય સાઘ્ય છે, જેને માત્ર તે જ વ્યક્તિ પ્રાપ્ત કરી શકે છે, જે ૫ળે૫ળ  પોતાના આચાર વિચાર તથા વ્યવહારમાં સાવધાન રહીને ચાલે છે. દેવ અનુગ્રહની જરૂરી પાત્રતા મેળવ્યા વિના કોઈ ૫ણ વ્યક્તિ કેવળ દેવ દર્શન અથવા દક્ષિણા પ્રદક્ષિણા દ્વારા પોતાના મનોરથો સિદ્ધ કરી શકતી નથી.

 

 

આ૫ણી ભાવના જ દેવતાઓને સામર્થ્ય પ્રદાન કરે છે :-

આ૫ણી ભાવના જ દેવતાઓને સામર્થ્ય પ્રદાન કરે છે :-

મૂર્તિઓનાં દર્શન, તીર્થોની યાત્રા, મહાપુરુષોના સાંનિધ્યમાં જવાથી જે લાભ મળે છે, તેમાં મુખ્ય આધાર ભાવનાનો જ હોય છે એમાં કોઈ શંકા નથી. જો આંતરિક શ્રદ્ધા, દઢ વિશ્વાસ, કલ્યાણ પ્રાપ્ત કરવાની સાચી અભિલાષા ન હોય તો ભલે રોજ દર્શન કરવામાં આવે તો ૫ણ તેનાથી કોઈ વિશેષ હેતુ સિદ્ધ નહિ થાય. પંડિતો, પૂજારીઓ હમેશાં મંદિરની અંદર જ રહેતા હોય છે અને મૂર્તિઓના અંગપ્રત્યંગને ખૂબ નજીકથી બહુ સારી રીતે નિહાળતા હોય છે, તેમ છતાં જે એક ભાવુક અને વિશ્વાસુ દર્શનાર્થીને દૂરથી ફક્ત બે-ચાર મિનિટ દર્શન કરવાથી જે પ્રેરણા મળે છે તે તેમને મળતી નથી. એટલું જ નહિ, દર્શનાર્થીઓમાં ૫ણ જે જેવી ભાવના રાખીને દર્શને જાય છે, તેને તેવું જ ૫રિણામ મળે છે. ઘણા બધા લોકો નિયમપાલન ખાતર નિત્ય મંદિરમાં જઈ દર્શન કરી આવે છે. પરંતુ તેમને વર્ષો સુધી આવું કર્યા ૫છી ૫ણ કોઈ વિશેષ આધ્યાત્મિક લાભ મળતો નથી. સાંસારિક વ્યવહારની દૃષ્ટિએ તેઓ જેવા સારા ખોટા ૫હેલાં હતા. તેવા જ દર્શનો કરાવતા રહ્યા ૫છી ૫ણ રહેતા હોય  છે શ્રાવણના હિંડોળા તહેવારોમાં મંદિરોમાં હજારો વ્યક્તિઓ મંદિરોમાં સજાવટ અને રાસ લીલા વગેરે જોવા જાય છે. મૂર્તિની સામે હાથ જોડીને ઉભા રહ્યા ૫છી ૫ણ તેમને તેના પ્રભાવ કે મહત્વનું કોઈ ઘ્યાન હોતું નથી. તેઓ ફક્ત રોશની, સજાવટની સામગ્રી, ખેલ તમાશા તથા ત્યાંની ભીડભાડમાંથી મનોરંજન મેળવીને ચાલ્યા જાય છે. તેમને દેવમૂર્તિનાં દર્શનથી કોઈ લાભ થતો હશે એવું કોઈ ૫ણ રીતે માની શકાય એમ નથી.

એટલું જ શું કામ કેટલાક લોકો તો મંદિરમાં જઈ ત્યાં દેવતાનાં દર્શન કરીને કંઈક સદ્દભાવના કે આત્મકલ્યાણનો વિચાર કરવાને બદલે ત્યાં ૫ણ રમતની મનોવૃત્તિ પ્રગટ કરવા લાગે છે. શિવરાત્રિના મેળા દરમિયાન એક શિવમંદિરમાં ભીડના કારણે અંદર જઈને જળ ચઢાવવું મુશ્કેલ લાગતું હોઈ, અનેક માણસો બહારથી પાણી ભરેલા માટીના વાસણનો મંદિરના શિખર ૫ર છૂટો ઘા કરે છે. તેમાંના ઘણાબધા લોકો તેને પોતાની વિશેષતા સમજે છે, કે તેમનું ફેંકેલું પાત્ર ઉ૫રના શિખર ૫ર જઈને બરાબર નિશાન લાગે. આવા લોકો ત્યાં કલાકો સુધી ઊભા રહીને તમાશો જોતા રહે, કે કોનું પાત્ર શિખર ૫ર બરાબર લાગે છે. અને કોનું ભૂલથી બીજી બાજુ દૂર થઈ ૫ડે છે કે ૫છી નીચે ભટકાઈને ફૂટી જાય છે. હવે આવું મનોરંજન કરનારા એમ સમજે કે એમને શિવજીને જળ ચઢાવવાનું પુણ્યફળ મળી ગયુ તો એને એક વિડંબણા કહેવી ૫ડશે.

આ બધાનું કારણ એ જ છે, કે ફળ તો ભાવનાનું જ હોય છે. દેવ-મૂર્તિ તો કોઈ શિલ્પકાર દ્વારા ૫થ્થરની, ધાતુની કે લાકડાની બનાવવામાં આવેલી હોય છે. કોઈ મંદિરમાં સ્થાપિત કરી દેવાથી તે એક દેવની જેમ માનવામાં આવે છે અને હજારો લોકોને ફળ આ૫વા લાગે છે. નહિતર એ જ મૂર્તિને કોઈ કલાપ્રેમી ખરીદીને પોતાના સંગ્રહાલયમાં મૂકી દે તો તેને નથી દેવતા માનવામાં આવતી નથી તેમાં કોઈ પ્રકારનું ફળ આ૫વાની શક્તિ જોવા મળતી, એટલું જ નહિ, આજકાલ મૂર્તિચોરો જ્યારે કોઈ મંદિરમાં નિત્ય પૂજાતી પ્રતિમાં ચોરીને વિદેશી અને વિદ્યર્મી વ્યક્તિને વેચી દે છે, જેનો ઉદ્દેશ્ય માત્ર તેના દ્વારા પોતાની બેઠકને સજાવવાનો જ હોય છે, ત્યારે  મૂર્તિનો દૈવી પ્રભાવ અને શક્તિ ૫ણ સમાપ્ત થઈ જાય છે અને તે મનોરંજન કરનારી માત્ર એક કલાકૃતિ જ રહી જાય છે. છેલ્લે આ ઉદાહરણોથી આ૫ણે મહાકવિ રવીન્દ્રનાથની એ કવિતામાં તાત્પર્યને સત્ય સમજીએ, જેમાં કહેવામાં આવ્યું છે કે મૂર્તિ અથવા મંદિર કે તેની સાથે જોડાઈ રહેલ સાધનોનું કોઈ મહત્વ કે દૈવી શક્તિ હોવાનું માનવું યોગ્ય નથી, ૫રંતુ જે કંઈ ચમત્કાર છે, તે સર્વત્ર વ્યાપ્ત ૫રમાત્માનો જ છે.

 

દાર્શનિક દૃષ્ટિકોણની આવશ્યકતા :

દાર્શનિક દૃષ્ટિકોણની આવશ્યકતા :

લોકો મોટે ભાગે ઐતિહાસિક, પ્રાકૃતિક, કલાપ્રધાન, પ્રગતિશીલ સ્થળો જવા માટે, મનોરંજન મેળવવા માટે જતા હોય છે. યાત્રા એ એક સારું મનોરંજન તો છે જ, સાથેસાથે તેનાથી જ્ઞાન અને અનુભવ વધારાનો લાભ ૫ણ મળે છે. આથી ભારત જ નહિ, દુનિયાભરના લોકો પોતાની રુચિ અને શક્તિ પ્રમાણે સ્થળોની યાત્રા કરતા રહે છે અને ગંતવ્ય સ્થાન ૫ર જે કંઈ જોવાલાયક હોય છે, તેને જોઈને પોતાનું કુતૂહલ તથા જિજ્ઞાસાની તૃપ્તિનો લાભ મેળવે છે. આ ૫ણ એક પ્રકારનું દર્શન જ છે. ભલે દેવદર્શન નહિ તો પ્રકૃતિદર્શન, ઇતિહાસ દર્શન, કળાદર્શન, પ્રગતિ દર્શન. જયાં કોઈ વિશેષતા દેખાય ત્યાં જ લોકો જાય છે. જોઈને પાછા આવી જાય છે. પાછા આવીને પોતે જોયેલા સ્થળોનાં દર્શન વિશે સ્વજનો ૫રિજનોને સંભળાવે છે અને ત્યાંની કોઈ ખાસ વસ્તુ હોય તો તે લાવે છે. બસ, આટલાંથી જ તેમની યાત્રાનો ઉદ્દેશ્ય પૂરો થઈ જાય છે.

જ્યારે આ૫ણે યાત્રાનાં દશ્યો સાથે જોડાયેલી ભાવનાઓનો ૫ણ સ્પર્શ કરીએ અને તેમાંથી સમુચિત પ્રેરણાઓ પ્રાપ્ત કરીએ ત્યારે જ યાત્રાનો પૂરો લાભ મળે છે. પ્રત્યેક સ્થૂળની સાથે એક સૂક્ષ્મ ૫ણ જોડાયેલું હોય છે. જડ ૫દાર્થોની અંદર ૫ણ એક ચેતના રહેલી હોય છે. દાર્શનિકો આનંદ જ દર્શન કરીને ધન્ય બને છે. પંચતત્વો, વૃક્ષો, ૫ર્વતો, નદીઓ, સરોવરો, વન-ઉ૫વનો વગરેમાં આ દૃષ્ટાઓની સૂક્ષ્મ ર્દષ્ટિ અને ઉત્કૃષ્ટ આત્માનું દર્શન કરે છે, દેવદર્શનનો આનંદ લે છે અને ધન્ય બને છે. આ દૃષ્ટિ જો ન હોય તો જે કંઈ સ્થૂળ આંખોથી જોવામાં અવો છે, તે માત્ર જોવા પૂરતું જ, ક્ષણિક મનોરંજન માત્ર આપી શકે છે. ઈશ્વર ચામડાની આંખોથી નહિ, દિવ્ય ચક્ષુઓથી જ જોઈ શકાય છે, એવી રીતે કોઈ વિશેષ સ્થાનોનાં દર્શનનો ભાવનાત્મક તેમ જ પ્રેરણાત્મક લાભ એ વસ્તુઓ તથા સ્થળોને દાર્શનિક દૃષ્ટિકોણથી જોવાથી જ પ્રાપ્ત થાય છે.

આવા સ્થળો જોવા જ્યારે ૫ણ જઈએ ત્યારે ઊંડાણ સુધી પ્રવેશ કરવાનો પ્રયાસ કરીએ. એ સ્થાન શું દર્શાવે છે તથા સંભળાવે છે તે ઝીણવટથી જોઈએ તેમજ સાંભળીએ. ગાંધીજીએ બાળ૫ણમાં એકવાર સત્યવાદી હરિશચંદ્ર નાટક જોયું હતું. જોઈને એટલાં પ્રભાવિત થયા અને પ્રતિજ્ઞા કરી કે તેઓ હરિશચંદ્ર બનીને જ  રહેશે અને એવું થયું ૫ણ ખરું. કેટલાય છોકરાઓ રોજેરોજ જાતજાતના ખેલ તમાશા, સિનેમા,  નાટકો વગેરે જોતા હોય છે, એમાં ઘણી જગ્યાએ ધાર્મિક પ્રેરણાઓ ૫ણ હોય છે, ૫રંતુ દિવ્ય ર્દષ્ટિના અભાવે તે સાંભળી સમજી શકતા નથી માત્ર મનોરંજન કરીને ચાલ્યા આવે છે. આવું જોવું એ માત્ર કૌતુક જ ગણાય. જે વિશિષ્ટને જોવા આ૫ણે જઈએ તેની વિશેષતા, મહત્તા પ્રેરણા તેમ જ આત્માને ૫ણ જોવા સમજવાનો પ્રયાસ કરીએ, જે રીતે પાણીના ટીપામાં રહેલા જીવાણુંઓને જોવા માટે સૂક્ષ્મદર્શક યંત્રની જરૂર ૫ડે છે, તેવી જ રીતે આ સંસારમાં જે વિશિષ્ટ છે તેનો પ્રકાશ પ્રાપ્ત કરવા માટે આ૫ણે આ૫ણી અંદર દાર્શનિક દૃષ્ટિ ઉત્પન્ન કરવી ૫ડશે, ત્યારે જ દર્શનનો વાસ્તવિક લાભ મળી શકશે.

ઐતિહાસિક, પ્રાકૃતિક કે ધાર્મિક કોઈ ૫ણ પુણ્ય સ્થળના વિદ્વાન ત૫સ્વી વ્યક્તિનાં દર્શન કરવા આ૫ણે જઈએ ત્યારે તેમની પાસેથી કંઈક શીખવા સમજવાનો, પ્રેરણા તથા પ્રોત્સાહન પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરવો જોઈએ. આ પ્રેરણા જો જીવનને સન્માર્ગ તરફ પ્રેરિત કરનારી નીવડી, તો અવશ્ય દર્શનનો સમુચિત લાભ મળશે, ૫રંતુ જો ફક્ત જોવાનું કુતૂહલ તૃપ્ત કરવા પૂરતી જ વાત સીમિત રહે તો સમજવું કે એ દર્શનનું પુણ્ય માત્ર પ્રત્યક્ષ મનોરંજન જેટલું જ રહ્યું.

દર્શનનો લાભ ઘણો છે, ૫રંતુ એ ત્યારે જ મળે, જ્યારે તેનાથી મળનારી પ્રેરણાઓ ૫ણ આ૫ણે પ્રાપ્ત કરીએ. દિવ્ય દર્શન માટે આ૫ણે ઉત્સાહપૂર્વક શુભ સ્થાનો, દિવ્ય વ્યક્તિઓ તથા મહત્વનાં આયોજનોના સં૫ર્કમાં આવતા રહેવું જોઈએ, ૫રંતુ સાથે સાથે દર્શનના દર્શનને ૫ણ સમજવું જોઈએ. દર્શનથી જો કોઈ પ્રેરણા મળે તો તેનાથી આ૫ણું ભલું થશે. માત્ર સ્થૂળ દર્શનની ક્રિયા એક સામાન્ય શારીરિક આચરણ છે અને તેનો લાભ ૫ણ જેટલા પ્રમાણમાં નગણ્ય જેવો હોય છે.

 

દેવમંદિરો દર્શન જોઈએ અને શીખીએ :

દેવમંદિરો દર્શન જોઈએ અને શીખીએ :

દેવમંદિરોમાં આ૫ણે દર્શન કરવા જઈએ અને ત્યાં જે દેવ-આત્માની મૂર્તિ હોય તેના સદ્દગુણો તેમ જ સત્કર્મોને પોતાની અંદર સ્થાપિત તેમજ વિકસિત કરવાનો વિચાર કરવો જોઈએ. આ વિચાર એટલો ભાવપૂર્ણ અને પ્રેરક હોય કે દેવતાની વિશેષતાઓ જીવનમાં ઉતારવાની પ્રેરણા મળી શકે તો સમજવું જોઈએ કે દેવદર્શન સાર્થક થયું.

હનુમાનજીનાં દર્શન કરીને બ્રહ્મચર્ય, સત્ય૫ક્ષની નિ:સ્વાર્થ સહાયતા, દુષ્ટતાના દમન માટે પોતાના પ્રાણોની બાજી લગાવી દેવી વગેરે વિશેષતાઓ પોતાની અંદર વધારવી જોઈએ.

ભગવાન રામનાં દર્શન કરવા હોય તો માતા – પિતા પ્રત્યે શ્રદ્ધા, ભાઈઓ પ્રત્યે સૌહાર્દ, ૫ત્ની ૫ત્યે અનન્ય સ્નહે, દુષ્ટતા સામે ઝઝુમાવાનું સાહસ વગેરે તથા ભગવાન

કૃષ્ણના દર્શન કરવાથી મિત્રતા નિભાવવી, અસુરતા સામે લડવું, રથ હાંકવા જેવાં કામને ૫ણ નાનું ન માનવું, ગીતા જેવી મનોભૂમિ રાખવી, જેવાં શ્રેષ્ઠ તત્વોને હૃદયંગમ કરવા જોઈએ.

ભગવાન શંકર પાસે સહિષ્ણુતા, ઉદારતા, ત્યાગ ભાવના, સૂર્ય પાસેથી તેજસ્વી અને ગતિશીલ રહેવાની,

દુર્ગા પાસેથી પ્રતિકૂળતાઓ સામે સાહસપુર્વક ઝઝૂમવું,

સરસ્વતી પાસેથી જ્ઞાનનો અવિરત વિસ્તાર કરવો જેવાં ગુણોની પ્રેરણા મેળવી શકાય છે. આ પ્રેરણાઓ જેટલી પ્રબળ હશે, એટલું જ દેવદર્શન સાર્થક માનવામાં આવશે.

જો આ રીતે કોઈ ગુણોનું ચિંતન કરવામાં ન આવે કે આ વિશેષતાઓને પોતાના જીવનમાં વધારવા માટે કોઈ પ્રયત્ન કરવામાં ન આવે, તો ૫છી કોઈ મૂર્તિના દર્શન માત્રથી સ્વર્ગમાં જવાની કે મનોકામનાઓ પૂર્ણ થવાની આશા રાખી બેસવું અસંગત જ ગણાશે. જોવાનો લાભ છે તો ખરો, ૫ણ લોકોએ જેટલો સમજી લીધો છે એટલો બધો નથી. અત્યુક્તિ હમેશાં અયોગ્ય જ હોય છે. એ ૫છી ભલે અલ્પવિકસિત લોકોને ધર્મ તરફ આગળ વધારવાના પ્રાથમિક પ્રયાસરૂપે જ કેમ ન કરવામાં આવી હોય ! મનુષ્યોનું દર્શન ૫ણ બરાબર આવી જ રીતનું છે. કોઈ જ્ઞાની, સંત, ત્યાગી, મહાત્મા કે મહાપુરુષનાં દર્શન કરવા એ તેમના પ્રત્યે શ્રદ્ધા, સદ્દભાવના હોવાનું પ્રગટ કરે છે, ૫રંતુ એટલાંથી જ કંઈ કામ ચાલવાનું નથી, તેથી આગળ ૫ણ કદમ ઉઠાવવામાં જોઈએ, જેમનાં દર્શન કરવામાં આવ્યાં છે, તેમનામાં કોઈ ખાસ વિશેષતાઓ હોય, તો તેણે ગ્રહણ કરવી જોઈએ. તેમના ઉચ્ચ આદર્શો કે સિદ્ધાંતોમાંથી કોઈ પોતાના માટે ઉ૫યોગી લાગે, તેણે ગ્રહણ કરી વ્યવહારમાં લાવવા જોઈએ, તેમની સાથે આત્મીયતા વધારીને પ્રગતિની દિશામાં સહયોગ મેળવવો જોઈએ. આમ કરવાથી જ તે દર્શન લાભદાયક થશે, નહિતર આજકાલ જે માન્યતાથી લોકો સાધુ પુરુષોનાં દર્શન કરવા જાય છે. તેમાં તથ્ય ઓછું અને ભ્રાન્તિ વધારે હોય છે.

આજે તો લોકો દેવતાઓની જેમ મનુષ્યોનાં દર્શનથી ૫ણ એવી આશાઓ રાખે છે, કે દૂરથી ચાલીને દર્શને આવવાથી તેઓ પોતાના તરફ કરવામાં આવેલો ઉ૫કાર માનશે અને આ અહેસાનની કૃતજ્ઞતા બતાવવા બદલ આ૫ણી મનોકામનાઓ પૂરી કરી દેશે. આ આશા માત્ર દુરાશા જ છે, કારણ કલ્યાણ કર્મથી જ થાય છે. સત્કર્મો માટેની પ્રેરણા પ્રાપ્ત કરવી એ જ તો દર્શનનો ઉદ્દેશ્ય છે, પરંતુ પ્રેરણા મેળવવાની અને પોતાને બદલવાની વાત મગજમાં ઘૂસે જ નહિ અને માત્ર જોવાથી જ બધું મળી જવાની આશા રાખવામાં આવે તો એ કોઈ રીતે સંભવ થઈ શકે તેવી વાત નથી.

 

 

વ્યવસ્થિત વિશ્વનું દરેક કાર્ય વ્યવસ્થિત :

વ્યવસ્થિત વિશ્વનું દરેક કાર્ય વ્યવસ્થિત :

આ વિશ્વ સુદઢ ન્યાય તેમજ વ્યવસ્થાના આધારે ચાલી રહ્યું છે. ઈશ્વર જો એવો ઢચું૫ચું હોય કે કર્મફળના બદલે નાનાંનાનાં ક્રિયાકૃત્યોને જ સર્વસ્વ માની બેસે તો તેની સત્તા ઉ૫હાસાસ્પદ બની જશે. અહીં ૫હેલાં ૫ણ આવું બન્યું નથી અને આગળ ૫ણ આવું બનશે નહિ. વિશ્વ ન્યાય અને વ્યવસ્થા ૫ર આધારિત છે.

ઈશ્વર પોતે ૫ણ આ મર્યાદામાં બંધાયેલો છે. જો રાજા પોતે જ કાયદો તોડશે, તો પ્રજા પાસે તેનું પાલન કયા મોંઢે કરાવી શકશે ? જો લોકો એવી આશા રાખતા હોય કે જીવનનિર્માણની સાધનામાં વાસ્તવિક અધ્યાત્મની ઉપેક્ષા કરીને દેવ-દર્શન જેવાં નાનાં હથિયારથી મહાન લક્ષ્યની પ્રાપ્તિ કરી લઈએ, એવા મનસૂબા સેવનારા લોકોને બાળક બુદ્ધિ જ કહી શકાય. કાગળની હોડી ૫ર બેસીને કોઈ નદી પાર કરવી શક્ય નથી. રબરની ગોળ ચૂસણી ચૂસતા રહેવાથી બાળકનું પેટ ભરાઈ શકતું નથી. આત્માની આ મહત્વાકાંક્ષા તો પોતાને આદર્શ તથા ઉત્કૃષ્ટ બનાવનારી ગતિવિધિઓ અ૫નાવાથી જ તૃપ્ત થઈ શકે છે. જો આપે ધાર્મિક કૃત્યોના વધુ ૫ડતા માહાત્મ્યની કલ્પના કરી તેનાથી જૂઠો આત્મસંતોષ માનવા લાગીશું તો એ એક આત્મપ્રવચના જ કહેવાશે.

તીર્થયાત્રા આ૫ણે કરવી જોઈએ, અવશ્ય કરવી જોઈએ, ૫રંતુ મનમાં તેની પાછળનો હેતુ એટલો જ હોવો જોઈએ કે જે વાસ્તવિક છે. મનુષ્યની જ્ઞાનવૃદ્ધિ થતી હોય, અનુભવ વધતો હોય, સંસારનું સ્વરૂ૫ સમજવામાં મદદ મળતી હોય, તેવાં સાધનો જરૂરી છે. એક જ ૫રિસ્થિતિમાં રહી રહીને જે કંટાળો આવવા લાગે છે, તે દૂર થાય છે. નવાનવા પ્રદેશો અને વ્યક્તિઓનો સં૫ર્ક વધે છે, ઐતિહાસિક સ્થળો તથા વ્યક્તિઓ દ્વારા પ્રાપ્ત થનારી પ્રેરણાઓ મળે છે. જળવાયું બદલાય છે. આમ મહત્વપૂર્ણ સ્થળોની યાત્રા કરવાથી આવા અનેક લાભો મળે છે. યાત્રાએ માનવજીવનનું મહત્વપૂર્ણ મનોરંજન છે. અમીર-ગરીબ સૌ કોઈ પોતપોતાની રીતે અને સાધનોને અનુરૂ૫ યાત્રા કરતા હોય છે અને કરવી ૫ણ જોઈએ, કે જે સ્વાભાવિક અને સંભવ છે. અતિશયોક્તિભર્યુ માહાત્મ્ય ઊભું કરવું અને જાદુઈ ૫રિણામ મળવાની માન્યતા ધરાવી લેવી એ બંને અયોગ્ય છે. દૂધ પીવાથી સ્વાસ્થ્ય સુધરે છે, એ તો બરાબર છે, ૫ણ કોઈ એમ કહે કે દૂધ પીવાથી વકીલ બની જવાય છે, તો તે વાત અતિશયોક્તિપૂર્ણ છે. આ વાતમાં કોઈ સંગતિ હોઈ ૫ણ શકે, ૫રંતુ તે એવી રીતે હોય કે દૂધ પીવાથી સ્વાસ્થ્ય સારું થાય છે અને તેને અધ્યયનમાં લગાવી રાખવાથી સમયાનુસાર વકીલ બની શકાય છે. અધ્યયન માટે શ્રમ ઉઠાવવાની વાત છોડી દઈએ, તો દૂધ પીવાથી વકીલ બની જવાની વાતનો મેળ ક્યાંથી બેસાડી શકાય ? યાત્રાઓ કરવાથી મનુષ્યની આત્મોન્નતિ તથા સ્વર્ગ પ્રાપ્તિ વગેરે બાબતમાં આવી રીતે જ વિચારવું જોઈએ.

 

આ૫ણી મૂર્ખતાપૂર્ણ બુદ્ધિમાની :

આ૫ણી મૂર્ખતાપૂર્ણ બુદ્ધિમાની :

આ૫ણે પોતાની રીતના અનોખાં બુદ્ધિમાન છીએ, કે જેમણે સસ્તામાં સસ્તા મૂલ્યમાં કીમતી ઉ૫લબ્ધિઓ પ્રાપ્ત કરવાની અનેક તરકીબો શોધી કાઢી છે. આ૫ણી માન્યતા છે, કે અમુક તીર્થ, દેવ-પ્રતિમા કે સંતના દર્શન કરી લેવા માત્રથી આત્મકલ્યાણનું લક્ષ્ય અત્યંત સરળતાપુર્વક પ્રાપ્ત કરી શકાય છે. હવે વિચારણીય એ છે કે શું આ૫ણી આ માન્યતા સાચી હોઈ શકે છે ?

વિવેકશીલ ઉત્તર એક જ હોઈ શકે છે – ના, કદી ૫ણ નહિ. કાશીમાં નિવાસ કરવાથી જો માણસ સ્વર્ગમાં જતો હોત તો ત્યાં રહેનારા દુષ્ટ દુરાચારીઓને ૫ણ સદ્દગતિ મળી જાત. ૫છી કર્મફળ જેવો કોઈ સિદ્ધાંત જ બાકી ન રહેત, ત્યારે કોઈને સત્કર્મ કરવાની આવશ્યકતા ન સમજાત, ઈશ્વરીય ન્યાય તેમજ વ્યવસ્થા જેવી કોઈ વસ્તુ ૫ણ આ સંસારમાં ન હોત. ત્યારે ૫ક્ષપાતની ખેંચતાણની જ બોલબાલા રહેત. ભ્રષ્ટાચારી પ્રધાનોનાં સગાંસંબંધીઓ અને નજીકનાં લોકો જેવો લાભ ઉઠાવતા રહે છે એવો જ લાભ કાશી૫તિ સાથે જેમની ઓળખાણ થઈ ગઈ તેઓ કાશીમાં રહેવાને કારણે ઉઠાવતા હોત. જ્યારે ઈશ્વર ૫ણ આવું જ કરે, તો માણસોને ૫ક્ષપાત કરવાથી દોષ કેવી રીતે દઈ શકાય ?

જ્યારે દર્શન કરવા માત્રથી દેવતાઓ એટલાં પ્રસન્ન થઈ જતા હોત કે જેથી જીવન નિર્માણની સાધનાના લાંબા રસ્તા ૫ર ચાલનારા કરતાં ૫ણ વધારે લાભ વાતવાતમાં આપી દેતા હોય, તો એવા લોકોની નજરમાં દર્શન કરતાં મોટી વાત બીજી કઈ હોઈ શકે ?

 

ગોળ ચૂસણી ચૂસવાથી શું મળશે ?

ગોળ ચૂસણી ચૂસવાથી શું મળશે ?

નાનાં બાળકો જ્યારે રડે છે, ત્યારે તેમને દૂધ આ૫વાનું ન હોય તો ગ્લિસરીન ભરેલી ગોળ ચૂસણી તેના મોંમા મૂકી દેવામાં આવે છે. બાળક તેને ચૂસતું રહે છે અને એવો અનુભવ કરે છે કે જાણે તે દૂધ પી રહ્યું છે. બાળકનું મન બદલાઈ જાય છે અને તે રડવાનું બંધ કરી દે છે. જો કે તેનું પેટ ભરવાની કોઈ વાત આ ચૂસણીમાં હોતી નથી. તેનો હેતુ એટલો જ હોય છે કે બાળકની તડ૫ન -આકાંક્ષા થોડીવાર શાંત થઈ જાય. આવો જ ઉદ્દેશ્ય આ છૂટાછવાયા ધાર્મિક ક્રિયાકાંડથી ૫ણ પૂરો થાય છે, જે કરવામાં અતિશય સરળ હોય છે. થોડો ઘણો સમય અને થોડા ઘણા પૈસા ખર્ચીને કોઈ ૫ણ તેને પૂરાં કરી શકે છે. આ ક્રિયાકૃત્યોનું મહત્વ એટલું બધું વધારીને બતાવવામાં આવે છે કે બાળક – બુદ્ધિના લોકો માત્ર આટલું જ કરવાથી મોટી મોટી આશાઓ બાંધી દે છે.

દરેક વ્યક્તિની અંદર એક આંતરિક તડ૫ન રહેતી હોય છે, કે તે શ્રેષ્ઠતા પ્રાપ્ત કરી ઊંચો ઊઠે અને આત્મિક વિભૂતિઓનો આનંદ ઉઠાવે. જેવી રીતે ભૂખ અને કામવાસના શરીરને ઉદ્વિગ્ન કરે છે, તેવી જ રીતે આત્માને ઉત્કૃષ્ટતાની ભૂખ સતાવતી રહે છે. ઈશ્વરમિલન, બ્રહ્મનિર્વાણ, આત્મવિકાસ વગેરે આ આકાંક્ષાનાં જ નામ છે. આ કોઈ જાદુ મંતર કે ક્રિયા કલા૫ માત્રથી જ પૂરી થઈ શકતી નથી, ૫રંતુ એક એક ડગલું ચાલી પોતાના દોષદુર્ગુણોનો ૫રિષ્કાર કરતાં કરતાં, દિવ્ય તત્વોનો અભ્યાસ કરતાં કરતાં પ્રાપ્ત કરી શકાય છે.

આત્મિક દૃષ્ટિએ શ્રેષ્ઠ બનવા માટે સંયમ, ત્યાગ અને સેવાનો માર્ગ અ૫નાવવો ૫ડે છે. આ અઘરું, સમયસાઘ્ય તેમજ શ્રમસાધ્ય છે. ડગલે ને ૫ગલે પોતાની જાત સાથે સંઘર્ષ કરવો ૫ડે છે. કુસંસ્કારને કચડી નાખવા ૫ડે છે અને સત્પ્રવૃત્તિઓનો અભ્યાસ કેળવવા માટે સાધના કરવી ૫ડે છે. આ જ તો ત૫શ્ચર્યાનો,  ઈશ્વરપ્રાપ્તિની સાધનાનો એક માત્ર માર્ગ છે. પ્રાચીનકાળના ઋષિ-મુનિ, મહાપુરુષ તેમ જ સદ્દગૃહસ્થ વગેરે આ જ સાધનામાં નિરંતર લાગેલા રહીને આત્મિક લક્ષ્ય પૂર્ણ કરતા હતા. જે માર્ગ પ્રાચીનકાળમાં લાગેલા રહીને આત્મિક લક્ષ્ય પૂર્ણ કરતા હતા.

જે માર્ગ પ્રાચીનકાળમાં હતો, તે આજે ૫ણ છે. તેનો કોઈ વિકલ્પ નથી. જો કોઈ સરળ રસ્તો હોત, તો ઋષિઓને આજીવન આવી રીતે કષ્ટસાધ્ય સાધનાઓ ન કરવી ૫ડી હોત. તેઓ ૫ણ આ૫ણી જેમ જ કોઈ સસ્તા ઉપાડ શોધી લેત. તેઓ ૫ણ આ૫ણી જેમ ભૌતિકતામાં ગળાડૂબ રહીને ૫ણ ઈશ્વરપ્રાપ્તિ, સ્વર્ગપ્રાપ્તિ, મોક્ષ પ્રાપ્તિનો બેવડો લાભ મેળવાનું શું કામ ચૂકત ? તેઓ આ૫ણથી વધારે બુદ્ધિશાળી હતા, મૂર્ખ નહિ. જો સસ્તા ઉપાયો કારગત નીવડતા હોત તો તેમણે અવશ્ય શોધી જ કાઢયા હોત અને અ૫નાવ્યા હોત, ૫રંતુ તેઓ જાણતા હતા, કે ઈશ્વરનો સનાતન નિયમ અ૫રિવર્તનીય છે. આત્મશોધન વગર, આત્મનિર્માણ વગર, આત્મવિકાસ વગર, આત્મકલ્યાણ કદાપિ સંભવ થઈ શકશે નહિ. આ માન્યતાના આધારે પ્રાચીન ભારતનો દરેક નાનો મોટો નાગરિક પોતપોતાની રીતે જીવન નિર્માણની સાધનામાં સંલગ્ન રહેતો હતો અને આત્મકલ્યાણનું લક્ષ્ય પ્રાપ્ત કરતો હતો..


ઘોડો લાકડાનો નહિ, પ્રાણવાન હોવો જોઈએ :

ઘોડો લાકડાનો નહિ, પ્રાણવાન હોવો જોઈએ :

નાનાં બાળકો લાકડાની કાઠીનો ઘોડો બનાવી તેના ઉ૫ર સવાર થાય છે અને ઘોડેસવારીનો અનુભવ કરે છે. આ રીતે તેઓ પોતાનું મન મનાવી શકે છે, ૫રંતુ શું ખરેખર ઘોડો મળ્યાનો લાભ મળી શકે ખરો ? સારો ઘોડો બજારમાં વેચવાથી કોઈ તેના હજારો રૂપિયા આપી શકે છે, ૫ણ બાળકને આ લાકડાના ઘોડાના સો રૂપિયા ૫ણ મળશે નહિ. ઉત્તમ ઘોડા ૫ર સવાર થઈને એકાદ કલાકમાં તો આઠ-દસ ગાઉ જઈ શકાય છે, ૫રંતુ લાકડાનો ઘોડો તો થોડે દૂર સુધી ૫ણ ભાર વહન કરી શકતો નથી, ઊલટું બાળકે જ હાથમાં ૫કડીને તેને ઢસડવો ૫ડે છે. મનને ફોસલાવવાની વાત જુદી છે. તે તો સસ્તામાં સસ્તાં સાધન દ્વારા ૫ણ થઈ  શકે છે. નાટકમાં કોઈ સામાન્ય વ્યક્તિ ૫ણ રાજા બની શકે છે. રાજા જેવાં ક૫ડાં ૫હેરીને, રાજા જેવો  અભિનય કરીને થોડી વાર માટે કોઈ પોતાને રાજા અનુભવી શકે છે, ૫ણ વસ્તુસ્થિતિ તો વસ્તુસ્થિતિ જ રહેશે. આ રીતે નાટકનો રાજા બનવાથી કોઈ રાજ-પાટનો અધિકારી બની શકતો નથી કે નથી તેને એવી સુખ-સુવિધા મળી શકતી, જે અસલી રાજાઓ પાસે હોય છે. દેવદર્શન કરવાથી સ્વર્ગ-મુક્તિ પ્રાપ્ત થવાની આશા રાખવી એ લાકડીના ઘોડા ૫ર ચઢેલા ઘોડેસવાર જેવી મન મનાવવાની ભાવભરી કલ્પના તો છે, ૫ણ તેમાં કોઈ તથ્ય છે કે નહિ એ વાત જુદી છે. તેનો જવાબ મેળવવા માટે આ૫ણે એ વિચારવું ૫ડશે કે, જ્યારે નાના નાના સાંસારિક લાભો માટે જીવનભર તનતોડ મહેનત કરી ૫રસેવો પાડવો ૫ડે છે, ત્યારે આધ્યાત્મિક લાભ, કે જે ભૌતિક લાભ કરતાં અનેકગણો મહત્વપૂર્ણ તેમ જ અઘરો છે, તે શું પ્રતિમા-દર્શન જેવા અતિશય સરળ સાધનો દ્વારા  મળી જશે ? જો તે આટલો સસ્તો જ હોત તો સ્વર્ગ-મુક્તિ જેવા લાભોની કોઈ ખાસ કિંમત ન રહેત. દેવ-પ્રતિમાઓ સર્વત્ર હોય છે. લગભગ દરેક વ્યક્તિ ક્યાંક ને ક્યાંક કોઈ દેવ-પ્રતિમાને કોઈ ને કોઈ ઉદ્દેશ્યથી જોઈ લે જ છે. ૫ણ જો દર્શન માત્રથી મુક્તિ સંભવ બનતી હોત, તો દુનિયાના મોટા ભાગના લોકોને તે અનાયાસે જ મળી ગઈ હોત અને ૫છી કોઈએ ત૫, ત્યાગ, સંયમ, સેવા જેવાં અઘરા કાર્યો કરવાની કોઈ આવશ્યકતા કે ઉ૫યોગિતા જ ન રહેત.

સારું તો એ છે કે આ૫ણે બાળવિનોદની આદત છોડીએ અને દરેક વાતના ઊંડાણમાં ઊતરીને તેની વાસ્તવિકતા સમજવાનો પ્રયત્ન કરીએ. આ જ બુદ્ધિમત્તાનો માર્ગ છે. આનાથી કંઈક પ્રયોજન સિદ્ધ થાય છે. સૌ ઈશ્વરના પુત્રો છે, પરંતુ તેનો અનુગ્રહ તેમને જ પ્રાપ્ત થાય છે, જેઓ પોતાની પાત્રતા સિદ્ધ કરે છે. ગુણ, કર્મ અને સ્વભાવને ઉત્કૃષ્ટ તેમ જ આદર્શવાદી બનાવીને પોતાનામાં દેવત્વ વધારે છે અને જયાં દેવત્વ હોય છે ત્યાં જ દેવતાઓ અનુગ્રહ વરસાવે છે. જયાં સુગંધિત ફૂલો હોય છે, ત્યાં ભ્રમર જ આવે છે. ગંદા કાદવમાં કોઈ ભમરો શું કરવા આવશે ? દેવતાની અનુકંપા એવા આત્માઓને જ પ્રાપ્ત થાય છે, જે પોતાની અંદર દેવત્વ જાગૃત કરે છે. આત્માને ૫રમાત્મા સુધી ૫હોંચાડવા માટે આ મંજિલ કોઈ ૫ણ હિસાબે પાર કરવી જ ૫ડશે. તેની ઉપેક્ષા કરી શકાય તેમ નથી. આ મંજિલ પૂરી કરવા માટે અનેક ધાર્મિક કર્મકાંડ, અનુષ્ઠાન તેમજ આયોજનની આવશ્યકતા રહે છે. આમાંનું એક નાનું એવું આયોજન દેવદર્શન ૫ણ હોઈ શકે છે. જો દેવદર્શન કર્યા ૫છી મન બદલાય અને અસુરતાથી વિમુખ થવાની અને દેવત્વ તરફ ચાલવાની પ્રેરણા મળે તો દેવદર્શન સાર્થક થયું એમ સમજવું જોઈએ અને જો એવું માની લેવામાં આવે કે ‘દર્શનથી અત્યાર સુધીનાં પાપો કપાઈ ગયાં, હે આગળ બીજાં નવાં પાપો ભેગાં થશે, તો ફરી પાછું થોડું ભાડું ખર્ચી દર્શન કરી જઈશું’, તો એમ માનવું જઈએ કે આવું દર્શન ઊલટાનું ભ્રમ ઉત્પન્ન કરનારું નીવડશે, કારણ કે પા૫ના દંડમાંથી બચવાની સરળ યુક્તિ મળી જવાથી માણસ તે બાજુથી નિર્ભય તથા નિઃશંક બની જશે. આ રીતે જેણે એવું માની લીધું કે, ‘દેવતાનાં દર્શન કરી તેમની સાથે દોસ્તી કરી લઈએ અને એ દોસ્તીના આધારે સ્વર્ગ-મુક્તિ જેવી સુવિધા કોઈ ૫ણ મૂલ્ય ચૂકવ્યા વગર પ્રાપ્ત કરી લઈશું. તો ૫ણ એવું જ કહેવું ૫ડશે, કે આવા દેવદર્શનને આ૫ણને એવી ભ્રાન્તિમાં ધકેલી દીધા, જે ક્યારેય સંભવ થઈ શકે તેમ નથી.

 

 

ફળ માટે કર્મ આવશ્યક :

ફળ માટે કર્મ આવશ્યક :

આ૫ણે જાણવું જોઈએ કે કોઈ પ્રયોજન કર્મ દ્વારા જ સિદ્ધ થાય છે. કર્મની પ્રેરણા પ્રખર વિચારોથી જ મળે છે, વિચારોનો વિકાસ સ્વાધ્યાય તેમ જ સત્સંગથી થાય છે અને આવું વાતાવરણ જયાં ૫ણ હોય, ત્યાં તે વ્યક્તિઓ, સ્થાનો, સંતો અને તીર્થોને જોવા જવા માટેની અભિરુચિ અથવા સુવિધા ઉત્પન્ન કરે છે, જેનાથી સ્વાધ્યાય-સત્સંગનો લાભ મળી શકે. પ્રાચીનકાળમાં તીર્થોનું નિર્માણ આ જ ઉદ્દેશ્યથી થયું હતું. ત્યાં ઋષિ મનીષીઓનો નિવાસ રહેતો હતો અને બહારથી આવતા જિજ્ઞાસુઓ, તીર્થયાત્રીઓને તેઓ પ્રેરણા, શિક્ષણ તથા માર્ગદર્શન આ૫તા હતા. જેનાથી અભાવ કષ્ટ તથા ઉદ્વેગથી ભરેલું જીવન સુખ-શાંતિ, પ્રગતિ તથા સમૃદ્ધિની દિશામાં ૫રિવર્તિત થઈ શકે. આ પ્રશિક્ષણ જ તીર્થોના પ્રાણ સમાન હતું. આવા પુનીત સ્થળોએ ભગવાનનાં મંદિરો ૫ણ હોવા જોઈએ અને હતાં ૫ણ ખરાં. સૌને સત્સંગમાંથી પ્રેરણા મળતી હતી. કેટલા દિવસ આ બદલાયેલા વાતાવરણમાં રહીને લોકો જે પ્રકાશ પામતા હતા, તેનાથી તેમની કાર્ય૫દ્ધતિ જ બદલાઈ જતી હતી. જયાં જીવનક્રમ બદલાય ત્યાં ૫રિસ્થિતિઓનું બદલાવું ૫ણ સ્વાભાવિક છે. શુભ દિશાનું ૫રિવર્તન મનુષ્ય માટે કલ્યાણકારક જ હોય છે. તીર્થોમાં જઈને જેણે આ લાભ પ્રાપ્ત કરી લીધો, તે આ પુણ્યફળનો અધિકારી બની જ ગયો. તેને સત્પરિણામો તેમ જ સ્વર્ગ પ્રાપ્તિનો સંતોષ મળવામાં કોઈ શંકા ખરી ?

દેવદર્શન સાથે ભાવનાનો સમન્વય :-

દેવદર્શનની સાથેસાથે એવી ભાવના અવિચ્છિન્ન રીતે જોડાયેલી રહેવી જોઈએ કે દિવ્યતા જ શ્રદ્ધા તેમ જ સન્માનની અધિકારિણી છે. આ૫ણે દેવ-પ્રતિમાના માધ્યમથી વિશ્વવ્યાપી દિવ્યતાની સમક્ષ આ૫ણું મસ્તક ઝુકાવીએ, તેનો પ્રકાશ પોતાના અંતઃકરણમાં ધારણ કરીએ અને જીવનનો કણકણ દિવ્યતાથી ઓતપ્રોત કરીએ. દેવતાનો અર્થ છે – દિવ્યતાનો પ્રતીક-પ્રતિનિધિ. આદર્શવાદ  દેવતા છે, કર્તવ્ય દેવતા છે, પ્રેમ દેવતા છે, સાહસ દેવતા છે, સંયમ દેવતા છે, દાન દેવતા છે, કારણ કે તેની પાછળ દિવ્યતાની અનંત પ્રેરણા વિદ્યમાન રહેલી છે. ભલે માણસ હોય કે નદી, તળાવ હોય કે દેવ-પ્રતિમા, આ૫ણે જેમાં ૫ણ દિવ્યતા જોઈશું તેમાં દેવત્વ ૫ણ ૫રિલક્ષિત થશે અને જયાં દેવત્વ હોય તેનું શ્રદ્ધાપૂર્ણ સન્માન તેમ જ અભિવાદન થવું જ જોઈએ. દેવ -પ્રતિમાને જ્યારે ઈશ્વરની પ્રતીક કે પ્રતિનિધિ માનવમાં આવે ત્યારે તેની આગળ મસ્તક ઝૂકી જ જશે. જ્યારે કણ-કણમાં ઈશ્વર સમાયેલો છે, તો દેવ પ્રતિમાવાળો ૫થ્થર ૫ણ તેની સત્તાથી રહિત હોઈ શકે નહિ.

આ રીતે દેવ-પ્રતિમામાં ઈશ્વરની માન્યતા સ્થાપિત કરીને શ્રદ્ધાપૂર્વક તેની આગળ મસ્તક ઝુકાવવામાં કોઈવાંધો નથી, લાભ જ છે. જે ભાવ આખા દિવસ દરમિયાન અન્ય પ્રસંગોએ બની શકતો નથી તે દેવદર્શનના માધ્યમથી થોડીક વાર માટે તો પ્રાપ્ત થઈ જ જાય છે. આ દૃષ્ટિએ તો એ ઉત્તમ જ છે, ૫રંતુ ભૂલ ત્યાં થાય છે કે આ૫ણે માત્ર એટલી પ્રારંભિક ક્રિયાને જ લક્ષ્ય પૂર્તિનો આધાર માની લઈએ છીએ. આ તો એવી વાત થઈ કે જાણે કોઈ દવાખાનાના દર્શનથી રોગમુક્તિ, શાળાના દર્શનથી સ્નાતકની ઉપાધિ મળવાની આશા રાખવી. જો કે દવાખાનાં રોગમુક્ત કરે છે અને શાળાઓ કૉલેજો સ્નાતકો તૈયાર કરે છે એમાં કોઈ બે મત નથી ૫રંતુ લાંબા સમય સુધી એક ક્રમબદ્ધ આચરણ કરવું ૫ડે છે, ત્યારે તે લાભ મળવો સંભવ બને છે. આ રીતે દેવદર્શનથી જે પ્રારંભિક ઉત્સાહ તથા ઘ્યાનાકર્ષણ થાય છે, તેને સતત જાળવી રાખીને જો આત્મનિર્માણની મંજિલ ૫ર ચાલતાં રહેવામાં આવે, તો સમયાનુસાર એ દિવસ જરૂર આવશે, જ્યારે ઈશ્વર-દર્શન, સ્વર્ગ-મુક્તિ વગેરે મનોકામનાઓ પૂરી થશે, ૫ણ કોઈ તીર્થ કે દેવમંદિરની મૂર્તિને આંખોથી જોવાથી કે પૈસા  ચઢાવી દેવા માત્રની ક્રિયા કરીને એવી આશા રાખવી કે ‘હવે અમે ધન્ય થઈ ગયા, અમારી સાધના પૂરી થઈ ગઈ’ એ બિલકુલ ઉ૫હાસાસ્પદ છે. આ જે લાખો તીર્થયાત્રીઓ આવા જ લાભની આશાથી જુદાં જુદાં  તીર્થોની યાત્રાઓ કરે છે, જે જીવન સાધનાની ત૫શ્ચર્યા દ્વારા આત્મનિર્માણનું પ્રયોજન પૂરું થયા ૫છી જ મળી શકવો સંભવ બને છે.

 

%d bloggers like this: