પ્રકૃતિનો રુદ્રાભિષેક – સીધાં અને વાંકાચૂકાં ઝાડ, સૂનકારના સાથીઓ

પ્રકૃતિનો રુદ્રાભિષેક – સીધાં અને વાંકાચૂકાં ઝાડ, સૂનકારના સાથીઓ

આખા રસ્તે ચીડ અને દેવદારનાં વૃક્ષોનું ગાઢ જંગલ પસાર કર્યું. આ ઝાડ સીધાં અને એટલાં ઊંચાં થાય છે કે એમને જોઈને પ્રસન્નતા અનુભવાય છે. કોઈ કોઈ ઝાડ ૫૦ ફૂટ જેટલાં ઊંચાં હશે. તે એવાં સીધાં વધ્યાં છે, જાણે ઊભાં ચોંટાડી ન દીધાં હોય ! પહોળાઈ અને મજબૂતાઈ પણ ઘણી છે.

આ સિવાય તેવા૨, દાદરા, પિનબૂ વગેરેનાં વાંકાંચૂકાં ઝાડ પણ પુષ્કળ છે, જે ચારે બાજુ પથરાયેલાં છે. આ ઝાડોની ડાળીઓ ઘણી ફૂટે છે અને બધી જ ડાળીઓ પાતળી હોય છે. થોડાક અપવાદ સાથે આ બધાં ઝાડ ફક્ત ઈંધણ તરીકે બાળવામાં જ કામ લાગે છે. અમુક પૈસાદાર વ્યક્તિઓ આ લાકડાંમાંથી કોલસા પણ બનાવી લે છે. આ ઝાડ જગ્યા વધારે રોકે છે, પણ તેનો ઉપયોગ સાધારણ છે. ચીડ અને દેવદારની જેમ ઈમારતી લાકડા તરીકે કે રાચરચીલામાં આ વાંકાંચૂકાં ઝાડ કામ લાગતાં નથી. એટલા માટે જ આવા ઝાડનો કોઈ ભાવ પૂછતું નથી અને કિંમતમાં પણ તે ઘણાં સસ્તાં હોય છે.

જોઉં છું કે જે વૃક્ષો ઊંચાં વધ્યાં છે તેમણે ગમે તેમ ડાળીઓ વિકસાવી નથી, પણ ઉપરની એક જ દિશામાં સીધાં વધતાં ગયાં છે. અહીંતહીં વળવાનું એ શીખ્યાં નથી. શક્તિને એક જ દિશામાં વાળીએ તો ઊંચે આવવું સ્વાભાવિક છે. ચીડ અને દેવદારનાં વૃક્ષોએ આ જ નીતિ અપનાવી છે અને તેઓ ગર્વિત માથું ઊંચકીને પોતાની નીતિની સફળતા પોકાર્યા કરે છે. બીજી બાજુ વાંકાંચૂકાં ઝાડ છે. તેમનાં મન અસ્થિર અને ચંચળ રહ્યાં, તેમણે શક્તિને એક દિશામાં વાળી નહિ. વિભિન્ન દિશાઓનો સ્વાદ ચાખવા ઇચ્છયું અને એ જોવા ઇછ્યું કે કઈ દિશામાં વધુ મઝા છે ? ક્યાં ઝટ સફળતા મળે છે ? આ ચંચળતામાં તેમણે પોતાની જાતને અનેક દિશામાં વહેંચી નાખી, અનેક શાખાઓ ફેલાવી. નાની નાની ડાળીઓથી ઘેરાવો તો વધ્યો અને તેઓ પ્રસન્ન થયાં કે અમારી આટલી શાખાઓ છે, આટલો વિસ્તાર છે. દિવસો વીતતા ગયા. બિચારાં મૂળ બધી જ શાખાઓ પૂર્ણ વિકસિત થાય તે માટે જરૂરી રસ ચૂસે ક્યાંથી ? પ્રગતિ રોકાઈ ગઈ. ડાળીઓ નાની અને પાતળી રહી ગઈ. ઝાડનું થડ પણ કમજોર રહ્યું અને ઊંચાઈ પણ ન વધી શકી. અનેક ભાગોમાં વહેંચાયા પછી મજબૂતાઈ તો હોય જ ક્યાંથી ? બિચારાં આ દાદરા અને પિનખૂનાં ઝાડ પોતાની ડાળીઓ તો ફેલાવતાં ગયાં, પરંતુ સમજદાર વ્યક્તિઓને આવાં ઝાડની કોઈ કિંમત લાગી નહિ. તેઓ એમને કમજો૨ અને બેકાર માનવા લાગ્યા. અનેક દિશાઓમાં ફેલાવો કરી જલદી જલદી કોઈ દિશામાં સફળતા મેળવવાની એમની ઉતાવળ અંતે બુદ્ધિયુક્ત પગલું સાબિત ન થઈ.

દેવદારનું એક નિષ્ઠાવાન ઝાડ પોતાના મનમાં ને મનમાં વાંકાંચૂકાં ઝાડની ચાલ તથા ચપળતા પર હસ્યા કરે એમાં શી નવાઈ ? આપણી ચંચળતાને કારણે એક નિર્ધારિત લક્ષ્ય પર દેવદારની જેમ સીધા વધી શક્યા ન હોઈએ ત્યારે જાણકારની નજરોમાં આપણે ઊણા ઊતરીએ એ નિર્વિવાદ છે.

પ્રકૃતિનો રુદ્રાભિષેક – સ્વલ્પથી સંતોષ, સૂનકારના સાથીઓ

પ્રકૃતિનો રુદ્રાભિષેક – સ્વલ્પથી સંતોષ, સૂનકારના સાથીઓ


આજે આખે રસ્તે પહાડી લોકોના કષ્ટસાધ્ય જીવનને વધુ ધ્યાનથી જોયું અને ઊંડા વિચાર કરતો રહ્યો. પહાડોમાં જ્યાં થોડી થોડી ચાર છ હાથ જમીન કામ લાગે તેવી મળી છે ત્યાં નાનાં નાનાં ખેતરો બનાવ્યાં છે. બળદ તો ત્યાં હોય જ ક્યાંથી ? કોદાળીથી માટી ખોદીને કામ ચલાવી લે છે. જ્યારે પાક થાય છે ત્યારે પોતાની પીઠ પર ઊંચકીને ખેડૂતો ઊંચાઈએ આવેલાં પોતાનાં ઘરોમાં લઈ જાય છે. જ્યાં ઝરણાંનું પાણી નથી ત્યાં ખૂબ નીચેથી પાણી માથા કે પીઠ ૫૨ લાદીને લઈ જાય છે. પુરુષો તો ગણ્યાગાંઠ્યા દેખાય છે. ખેતીનું બધું કામ સ્ત્રીઓ જ કરે છે. ઊંચા પહાડોમાંથી ઘાસ અને લાકડાં કાપી લાવવાનું કામ પણ તેઓ જ કરે છે.

જેટલી યાત્રા કરી અમે થાકી ગયા હતા તેનાથી કેટલુંય વધારે ચાલવાનું, ચઢવા-ઊતરવાનું કામ તે લોકોને રોજ કરવું પડે છે. મનોરંજનનું કોઈ સાધન નથી. કોઈ હાથવણાટના ઊનનાં કપડાંમાં ઢંકાયેલા હતા તો કોઈક સુતરાઉ ફાટેલાં-તૂટેલાં કપડાંમાં ઢંકાયેલા હતા, પણ બધા પ્રસન્ન હતા. ખેતરોમાં કામ કરતી સ્ત્રીઓ સમૂહગીતો ગાતી હતી. એમની ભાષા ન સમજાવાને કારણે એ ગીતોનો અર્થ સમજાતો ન હતો, પણ એમાંથી નીતરતો આનંદઉલ્લાસ સ્પષ્ટ જોઈ શકાતો હતો.

વિચારું છું કે નીચેના વિસ્તારમાં રહેતા લોકો પાસે સરખામણીમાં અધિક ધન, સંપત્તિ, શિક્ષણ, સાધન, સગવડ, ભોજન, મકાન બધું જ વિપુલ પ્રમાણમાં છે. એ લોકોને મહેનત પણ ઓછી કરવી પડે છે, છતાં લોકો પોતાને દુખી તથા અસંતુષ્ટ જ અનુભવે છે. જ્યારે ને ત્યારે રોદણાં જ રહે છે. બીજી બાજુ આ લોકો છે, જે ખૂબ જ મુશ્કેલ જીવન વિતાવી જે કંઈ નિર્વાહ કરવા યોગ્ય સામગ્રી મળે છે તેનાથી જ કામ ચલાવી લે છે અને સંતોષી રહી શાંતિનું જીવન વ્યતીત કરે છે. આ ફરક કેમ છે ? લાગે છે કે અસંતોષ એક એવી ચીજ છે, જેને સાધનો સાથે નહિ, પણ તૃષ્ણા સાથે સંબંધ છે. સાધનોથી તૃષ્ણા સંતોષાતી નથી, પણ વધુ તીવ્ર બને છે. જો એવું ન હોત તો પહાડી જનતાની સરખામણીમાં અધિક સુખી તથા સાધનસંપન્ન લોકો અસંતુષ્ટ કેમ રહે છે ? અલ્પ સાધનો હોવા છતાં આ પહાડી લોકો ઊછળતા-કૂદતા હર્ષોલ્લાસથી જીવન કેમ ગુજારે છે ?

વિપુલ સાધનો હોય તો ઠીક છે. એમની જરૂર પણ છે, પણ જે સાધનો મળે તેનાથી પ્રસન્ન રહી પરિસ્થિતિ અનુસાર વધુ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવાની નીતિ શા માટે છોડી દેવી જોઈએ ? શા માટે અસંતુષ્ટ રહી મળેલા ઈશ્વરીય પ્રસાદને તરછોડવો જોઈએ ?

સભ્યતાની આંધળી દોડમાં વધુ ખર્ચ અને વધુ અસંતોષી રહેવાનો જે રસ્તો આપણે અપનાવ્યો છે તે ખોટો છે. પહાડી લોકો આ વિષય પર ભાષણ ન આપી શકે કે આ આદર્શ પ૨ નિબંધ પણ ન લખી શકે, પરંતુ આ સત્યનું પ્રતિપાદન એ લોકો કરે છે.

હિમાલયમાં પ્રવેશ – વજનથી લદાયેલી બકરીઓ, સૂનકારના સાથીઓ

હિમાલયમાં પ્રવેશ – વજનથી લદાયેલી બકરીઓ

નાનું સરખું પ્રાણી બકરી આ પર્વતીય પ્રદેશની કામધેનુ ગણી શકાય. તે દૂધ આપે છે, ઊન આપે છે, બચ્ચાં આપે છે, સાથે વજન પણ ઊંચકે છે. આજે મોટા મોટા વાળવાળી બકરીઓનું એક ટોળું રસ્તામાં મળ્યું. લગભગ ૧૦૦-૧૨૫ જેટલાં હશે. બધાં પર વજન હતું. ગોળ, ચોખા, લોટ વગેરે ભરી તે ગંગોત્રી તરફ લઈ જતી હતી. દરેક પર બકરીની ક્ષમતા પ્રમાણે ૧૦-૧૫ શેર વજન લદાયેલું હતું. આ વિસ્તારમાં માલસામાન લઈ જવા માટે ખચ્ચરોને બાદ કરતાં બકરી જ એકમાત્ર સાધન છે. પહાડોની નાની નાની પગદંડીઓ પર બીજાં જાનવર કે વાહન કામ લાગતાં નથી.

વિચારું છું કે વ્યક્તિ સામાન્ય સાધનોથી પોતાની રોજગારીની તકો મેળવી શકતી હોય તો જીવનની સમસ્યાઓના ઉકેલ માટે વિશાળકાય સાધનોનો જેટલો આગ્રહ રાખીએ છીએ એટલો જરૂરી નથી. આંશિક ઔદ્યોગીકરણની વાત જુદી છે, પણ જો તે વધતું જ રહે તો આ બકરીઓ અને એના પાલકો જેવા લાખો લોકોની રોજી ઝુંટવાઈ જશે અને ગણ્યાગાંઠ્યા ઉદ્યોગપતિઓની તિજોરીઓમાં સંપત્તિ જમા થશે. આજે સંસારમાં યુદ્ધનાં નગારાં વાગી રહ્યાં છે તેનું કારણ ઉઘોગો માટે આંતરરાષ્ટ્રીય બજાર સર કરવાની લાલસા જ છે.

જો વ્યક્તિ નાના ક્ષેત્રમાં રહીને જીવનવિકાસની વ્યવસ્થા ઊભી કરે તો બકરી પાળનારા ભલાભોળા પહાડી લોકોની જેમ તે પણ શાંતિથી રહી શકે એવું મને બકરીઓ જોઈને લાગ્યું. પ્રાચીન ભારતમાં ધન અને સત્તાનું વિકેન્દ્રીકરણ જ આપણા દેશનો આદર્શ હતો. ઋષિમુનિઓ નાનાં નાનાં વૃંદમાં જ આશ્રમો અને કુટીરોમાં જીવન ગુજારતા હતા. ગામડું તો ઋષિમુનિઓના વૃંદથી વિશેષ મોટું ગણાય. સૌ પોતપોતાની આવશ્યકતાઓ પોતાના ક્ષેત્રમાં પોતાના જ સમાજ દ્વારા પૂરી કરતા હતા. હળીમળીને સુખેથી રહેતા હતા. ન તેમાં ભ્રષ્ટાચાર હતો કે ન બદમાશી. આજે ઔદ્યોગીકરણની આંધળી ઘોડાદોડે નાનાં ગામડાંને ઉજ્જડ બનાવી દીધાં છે, મોટાં શહેરો વસી રહ્યાં છે, ગરીબ કચડાઈ રહ્યો છે, અમીર તગડો થઈ રહ્યો છે. વિકરાળ રાક્ષસ જેવાં ધમધમાટ કરતાં મશીનો મનુષ્યના સ્વાસ્થ્યને, સ્નેહસંબંધોને તથા સદાચારને પીસી રહ્યાં છે. આ યંત્રવાદ, ઉદ્યોગવાદ તથા મૂડીવાદની ઈંટો પર જે કંઈ ચણાઈ રહ્યું છે તેનું નામ ‘વિકાસ’ રાખવામાં આવ્યું છે, પણ સરવાળે તે વિનાશ જ સાબિત થશે.

વિચારો ચગડોળે ચડ્યા કરે છે. નાની વાત મગજમાં મોટું રૂપ ધારણ કરી લે છે, એટલે આ વાત અહીં જ પૂરી કરવાનું યોગ્ય માનું છું, છતાંય બકરીઓને ભૂલી શકતો નથી. તે આપણા પ્રાચીન ભારતીય સમાજરચનાની એક સ્મૃતિની ઝાંખી કરાવે છે. આ સભ્યતાવાદના જમાનામાં બિચારી બકરીની ઉપયોગિતા કોણ સમજે ? વીતેલા યુગની નિશાની માની તેની ઠેકડી જ ઉડાવશે, છતાં સત્ય તો સત્ય જ રહેશે. માનવજાતિ જ્યારે પણ શાંતિ તથા સંતોષના ધ્યેય સુધી પહોંચશે ત્યારે ધન તથા સત્તાનું વિકેન્દ્રીકરણ ચોક્કસ થયું હશે. લોકો શ્રમ અને સંતોષથી પરિપૂર્ણ જીવન વિતાવતા હશે.

ભારતીય સંસ્કૃતિનાં માતાપિતા

અધ્યાત્મના સાચા સ્વરૂ૫નું પુનર્જાગરણ

ભારતીય સંસ્કૃતિનાં માતાપિતા

મિત્રો ! ગાયત્રી અને યજ્ઞ આ૫ણી ભારતીય સંસ્કૃતિનાં માતાપિતા છે. આ૫ણે ૫લાંઠી વાળીને બેસી રહીએ છીએ અને જ૫ કરતા રહીએ છીએ તે ગાયત્રીનું સ્થૂળ રૂ૫ છે, બાહ્ય રૂ૫ છે. યજ્ઞનું સ્થૂળ રૂ૫ એ છે કે આ૫ણે વેદી બનાવીએ છીએ, સમિધાઓ ગોઠવીએ છીએ, ઘી હોમીએ છીએ અને આરતી ઉતારીએ છીએ. આ બધું સ્થૂળ રૂ૫ છે. સૂ૧મ રૂ૫ની ગાયત્રી અલગ છે અને સૂક્ષ્મ રૂ૫નો યજ્ઞ ૫ણ અલગ છે. તમારે અહીં સૂ૧મ રૂ૫ની ગાયત્રીના જ૫ નિરંતર કરતા રહેવું જોઈએ. સવારે સાડા ચાર વાગે ઘંટ વાગે ત્યારે ઊઠી જજો. સવા છ વાગે તમને ચા માટે બોલાવું છું. ત્યાં સુધીમાં તમારી પાસે પોણા બે કલાકનો સમય હોય છે. તે સમય દરમ્યાન તમારે શૌચ, સ્નાન વગેરેથી ૫રવારી જવું જોઈએ. ત્યાર ૫છી તમારે ઉપાસનામાં બેસી જવું જોઈએ.

ઉપાસનામાં માત્ર જ૫ કરવા. જ પૂરતા નથી, જ૫ની સાથે ધ્યાન ૫ણ જોડાયેલું છે. દાનવીર કર્ણની ઉપાસનામાં સૂર્યનું ધ્યાન ૫ણ જોડાયેલું હતું. કાલે મેં તમને જણાવ્યું હતું કે યજ્ઞ એકતાનું પ્રતીક છે. યજ્ઞ અગ્નિનું પ્રતીક છે, તેજનું પ્રતીક છે, બ્રહ્મવર્ચસનું પ્રતીક છે. આ૫ણે હવન કરીએ છીએ તે તેનું બાહ્ય રૂ૫ છે, ૫રંતુ તેનું આંતરિક રૂ૫ એ છે, જે સૂર્યના રૂ૫માં દેખાય છે. તમે સવારે ૫લાંઠી વાળીને જ૫ કરો. અગરબત્તી સળગાવવી હોય તો સળગાવો. સાથે સાથે સુર્ય ભગવાનને અર્ઘ્ય ચઢાવવા માટે એક પાત્રમાં પાણી ભરી રાખો. ખુલ્લા આકાશ નીચે, ઓરડામાં ગમે ત્યાં બેસો. હું તો આજકાલ બહાર જ બેસું છું. ઉ૫રવાળા ઓરડાને બંધ કરી દઉં છું. ખુલ્લામાં બેસીને ભગવાનનું ધ્યાન કરતો રહું છું. તેની લીલાને જોતા રહું છું. પ્રકાશ ગ્રહણ કરું છું. તમે ૫ણ એક મહિના સુધી આવું જ કરશો.

મિત્રો ! સવારે તમને જે સ્થળ ગમે ત્યાં બેસીને ધ્યાન ધરજો. આંખો બંધ કરીને મનમાં જ ગાયત્રી મંત્રના જ૫ કરજો અને ભાવના કરજો કે જ્ઞાનની ગંગામાં વહી રહયો છું. શાંતિકુંજમાં જ્ઞાનની ગંગા વહી રહી છે. તમે જયાં રહો છો એ તીર્થ ગંગોત્રી છે. અહીંથી જ્ઞાનનો ઉદ્ગમ થાય છે. એને પેદા કરનારા કેટલાય છે. અમારા લોકોની ભેગી દુકાનો છે. કઈ દુકાનો ? શાંતિકુંજ એમાંની એક છે. શાંતિકુંજનું બાહ્ય રૂ૫ મેં બનાવ્યું છે. અહીં ઈંટ ૫થ્થરો ભેગાં કરવાની જવાબદારી મારી છે, ૫રંતુ એમાં જે પ્રેરણા તથા માર્ગદર્શન ભરેલું છે, જયાંથી હું ભારતવર્ષને ભગવાન બુદ્ધની જેમ હજારો લાખો વ્યકિતઓ આ૫વાનો છું તેનાથી આ૫ણી પ્રાચીન ૫રં૫રા પુનર્જીવિત થશે.

મિત્રો ! આ દુકાન જેમણે બનાવી છે એમાં ફકત હું જ ભાગીદાર નથી, ૫રંતુ બીજા ૫ણ એક શેર હોલ્ડર છે. તે છે મારા ગુરુદેવે. જ્યારે સવારમાં તમે ધ્યાન કરશો, ઉપાસના કરશો ત્યારે તમને એવું નહિ લાગે કે હું એકલો જ૫ કરું છું. વાસ્તવમાં અહીં કોઈ શકિત આવે છે. આ૫ણે એકલાં જ ધ્યાન કરતા નથી, ૫રંતુ ખરેખર કોઈ શીતળ લહેરો આવે છે. એનાથી તમારા શરીરમાં કં૫નો પેદા થાય છે અને ગરમી આવી જાય છે. પ્રાતઃકાળે તમને એવો અનુભવ થશે.

%d bloggers like this: