પ્રકૃતિનો રુદ્રાભિષેક – સીધાં અને વાંકાચૂકાં ઝાડ, સૂનકારના સાથીઓ

પ્રકૃતિનો રુદ્રાભિષેક – સીધાં અને વાંકાચૂકાં ઝાડ, સૂનકારના સાથીઓ

આખા રસ્તે ચીડ અને દેવદારનાં વૃક્ષોનું ગાઢ જંગલ પસાર કર્યું. આ ઝાડ સીધાં અને એટલાં ઊંચાં થાય છે કે એમને જોઈને પ્રસન્નતા અનુભવાય છે. કોઈ કોઈ ઝાડ ૫૦ ફૂટ જેટલાં ઊંચાં હશે. તે એવાં સીધાં વધ્યાં છે, જાણે ઊભાં ચોંટાડી ન દીધાં હોય ! પહોળાઈ અને મજબૂતાઈ પણ ઘણી છે.

આ સિવાય તેવા૨, દાદરા, પિનબૂ વગેરેનાં વાંકાંચૂકાં ઝાડ પણ પુષ્કળ છે, જે ચારે બાજુ પથરાયેલાં છે. આ ઝાડોની ડાળીઓ ઘણી ફૂટે છે અને બધી જ ડાળીઓ પાતળી હોય છે. થોડાક અપવાદ સાથે આ બધાં ઝાડ ફક્ત ઈંધણ તરીકે બાળવામાં જ કામ લાગે છે. અમુક પૈસાદાર વ્યક્તિઓ આ લાકડાંમાંથી કોલસા પણ બનાવી લે છે. આ ઝાડ જગ્યા વધારે રોકે છે, પણ તેનો ઉપયોગ સાધારણ છે. ચીડ અને દેવદારની જેમ ઈમારતી લાકડા તરીકે કે રાચરચીલામાં આ વાંકાંચૂકાં ઝાડ કામ લાગતાં નથી. એટલા માટે જ આવા ઝાડનો કોઈ ભાવ પૂછતું નથી અને કિંમતમાં પણ તે ઘણાં સસ્તાં હોય છે.

જોઉં છું કે જે વૃક્ષો ઊંચાં વધ્યાં છે તેમણે ગમે તેમ ડાળીઓ વિકસાવી નથી, પણ ઉપરની એક જ દિશામાં સીધાં વધતાં ગયાં છે. અહીંતહીં વળવાનું એ શીખ્યાં નથી. શક્તિને એક જ દિશામાં વાળીએ તો ઊંચે આવવું સ્વાભાવિક છે. ચીડ અને દેવદારનાં વૃક્ષોએ આ જ નીતિ અપનાવી છે અને તેઓ ગર્વિત માથું ઊંચકીને પોતાની નીતિની સફળતા પોકાર્યા કરે છે. બીજી બાજુ વાંકાંચૂકાં ઝાડ છે. તેમનાં મન અસ્થિર અને ચંચળ રહ્યાં, તેમણે શક્તિને એક દિશામાં વાળી નહિ. વિભિન્ન દિશાઓનો સ્વાદ ચાખવા ઇચ્છયું અને એ જોવા ઇછ્યું કે કઈ દિશામાં વધુ મઝા છે ? ક્યાં ઝટ સફળતા મળે છે ? આ ચંચળતામાં તેમણે પોતાની જાતને અનેક દિશામાં વહેંચી નાખી, અનેક શાખાઓ ફેલાવી. નાની નાની ડાળીઓથી ઘેરાવો તો વધ્યો અને તેઓ પ્રસન્ન થયાં કે અમારી આટલી શાખાઓ છે, આટલો વિસ્તાર છે. દિવસો વીતતા ગયા. બિચારાં મૂળ બધી જ શાખાઓ પૂર્ણ વિકસિત થાય તે માટે જરૂરી રસ ચૂસે ક્યાંથી ? પ્રગતિ રોકાઈ ગઈ. ડાળીઓ નાની અને પાતળી રહી ગઈ. ઝાડનું થડ પણ કમજોર રહ્યું અને ઊંચાઈ પણ ન વધી શકી. અનેક ભાગોમાં વહેંચાયા પછી મજબૂતાઈ તો હોય જ ક્યાંથી ? બિચારાં આ દાદરા અને પિનખૂનાં ઝાડ પોતાની ડાળીઓ તો ફેલાવતાં ગયાં, પરંતુ સમજદાર વ્યક્તિઓને આવાં ઝાડની કોઈ કિંમત લાગી નહિ. તેઓ એમને કમજો૨ અને બેકાર માનવા લાગ્યા. અનેક દિશાઓમાં ફેલાવો કરી જલદી જલદી કોઈ દિશામાં સફળતા મેળવવાની એમની ઉતાવળ અંતે બુદ્ધિયુક્ત પગલું સાબિત ન થઈ.

દેવદારનું એક નિષ્ઠાવાન ઝાડ પોતાના મનમાં ને મનમાં વાંકાંચૂકાં ઝાડની ચાલ તથા ચપળતા પર હસ્યા કરે એમાં શી નવાઈ ? આપણી ચંચળતાને કારણે એક નિર્ધારિત લક્ષ્ય પર દેવદારની જેમ સીધા વધી શક્યા ન હોઈએ ત્યારે જાણકારની નજરોમાં આપણે ઊણા ઊતરીએ એ નિર્વિવાદ છે.

પ્રકૃતિનો રુદ્રાભિષેક – ગર્જનતર્જન કરતી ભૈરોંઘાટી, સૂનકારના સાથીઓ

પ્રકૃતિનો રુદ્રાભિષેક – ગર્જનતર્જન કરતી ભૈરોંઘાટી, સૂનકારના સાથીઓ

આજે ભૈરોંઘાટી પાર કરી. તિબેટ સાથે વ્યાપારી સંબંધો રાખવાનો નૈલંગ ઘાટીનો રસ્તો અહીંથી જાય છે. હર્ષિલના જાડ અને ખાપા વેપારીઓ આ રસ્તેથી તિબેટ પ્રદેશમાં માલ વેચવા લઈ જાય છે અને બદલામાં ત્યાંથી ઊન વગેરે લાવે છે. ચઢાણ ખૂબ જ કપરું હોવાથી થોડી વાર ચાલ્યા બાદ શ્વાસ ચઢી જાય છે અને વારંવાર થાક ખાવા બેસવું પડે છે.

પહાડની ચટ્ટાનની નીચે બેસી આરામ કરી રહ્યો હતો. નીચે ગંગા એટલા જોરથી ગર્જના કરતી હતી કે તેટલી આખે રસ્તે ક્યાંય નહોતી સાંભળી. પાણીની છોળો ઊછળીને ૩૦-૪૦ ફૂટ ઊંચે આવતી હતી. આટલું ગર્જનતર્જન, જોશ, આટલો તીવ્ર પ્રવાહ કેમ છે તે જાણવાની ઉત્સુકતા વધી અને ધ્યાનપૂર્વક ઝૂકીને નીચે જોયું અને દૂર દૂર દૃષ્ટિ ફેરવી. એવું લાગ્યું કે ગંગાની બંને ધારાઓ સીધા પહાડની વચ્ચેથી ખૂબ જ થોડી પહોળાઈમાં થઈને વહે છે. પહોળાઈ ભાગ્યે જ ૧૫-૨૦ ફૂટ હશે. આવડી મોટી ગંગા આટલી નાની જગ્યામાંથી વહે તો સ્વાભાવિક રીતે જ પ્રવાહ અતિ તીવ્ર હોય. ઉપરાંત રસ્તામાં કેટલાય મોટા મોટા ખડકો પડ્યા હતા. તેમની સાથે જલધારા જોરથી અથડાતી હતી

એટલે જ ઘોર અવાજ આવતો હતો. ગંગાના પ્રચંડ પ્રવાહનું આ દૃશ્ય ખરે જ અદ્ભુત હતું. વિચારું છું કે સોરોં વગેરે સ્થાનોમાં, જ્યાં ગંગાનદી માઈલોના પટમાં ધીમે ધીમે વહે છે ત્યાં પ્રવાહમાં પ્રચંડતા નથી કે તીવ્રતા પણ નથી, પણ આ નાની ઘાટીના સાંકડા પટમાંથી વહેવાને લીધે જલધારા આટલી તીવ્ર ગતિથી વહે છે. મનુષ્યનું જીવન વિભિન્ન ક્ષેત્રોમાં વહેંચાયેલું રહે છે. તે શાંત હોય છે, પરંતુ તેમાં કોઈ વિશેષતા જોવા મળતી નથી, પણ જ્યારે કોઈ ખાસ હેતુ સિદ્ધ કરવા કોઈ વ્યક્તિ અમુક ક્ષેત્રમાં જ પોતાની સમગ્ર શક્તિ કેન્દ્રિત કરે તો તેનાથી આશ્ચર્યજનક તથા ઉત્સાહવર્ધક સફળતા પ્રાપ્ત કરી શકે છે. માનવી જો પોતાના કાર્યક્ષેત્રેને વિસ્તૃત કરી વધારે પડતાં નવાં નવાં કામ કરવાને બદલે એક જ કાર્યક્ષેત્રની પસંદગી કરી કામ કરે તો તે પણ આ સાંકડી ઘાટીમાંથી વહેતી ગંગાની જેમ ઊછળતો કૂદતો પૂરા જોશથી આગળ વધી શકે છે.

જલધારાની વચ્ચે પડેલા પથ્થરો પાણી જોડે ટકરાવા વિવશ થઈ રહ્યા હતા. આ સંઘર્ષમાં ગર્જનતર્જન થતું હતું અને રૂ જેવાં ફીણ પહાડની જેમ ઊંચે ઊઠતાં હતાં. વિચારું છું કે માનવીના જીવનમાં જો મુશ્કેલીઓ ન આવે તો તે વ્યક્તિની વિશિષ્ટતાઓ બહાર આવી શકે નહિ. ટકરાવાથી શક્તિનું ઉત્પન્ન થવું એ એક સનાતન સત્ય છે. આરામ તથા મોજશોખનું જીવન, વિલાસી જીવન નિર્જીવોથી સહેજ જ ચડિયાતું ગણાય. સહનશીલતા, તિતિક્ષા, તપશ્ચર્યા તેમ જ અવરોધોથી ડગ્યા વિના એક વીરને છાજે તેવું ટકરાવાનું સાહસ જો માણસ કરી શકે તો એની કીર્તિ પણ આ સ્થળના જેવી ગર્જનતર્જન કરતી દસે દિશાઓમાં ફેલાઈ શકે છે. એનું વિશિષ્ટ વ્યક્તિત્વ પાણીની છોળોની જેમ ખીલી શકે છે. ગંગા ડરતી નથી. તે સાંકડા ઘાટમાંથી વહે છે. માર્ગ અવરોધતા ખડકોથી ગભરાતી નથી, પણ તેમની સાથે ટક્કર લઈને પોતાનો રસ્તો બનાવી લે છે. આપણી અંતઃચેતના પણ આવા જ પ્રબળ વેગથી પરિપૂર્ણ હોત તો વ્યક્તિત્વ ખીલવવાનો કેવો અમૂલ્ય અવસર પ્રાપ્ત થાત !

પ્રકૃતિનો રુદ્રાભિષેક – સ્વલ્પથી સંતોષ, સૂનકારના સાથીઓ

પ્રકૃતિનો રુદ્રાભિષેક – સ્વલ્પથી સંતોષ, સૂનકારના સાથીઓ


આજે આખે રસ્તે પહાડી લોકોના કષ્ટસાધ્ય જીવનને વધુ ધ્યાનથી જોયું અને ઊંડા વિચાર કરતો રહ્યો. પહાડોમાં જ્યાં થોડી થોડી ચાર છ હાથ જમીન કામ લાગે તેવી મળી છે ત્યાં નાનાં નાનાં ખેતરો બનાવ્યાં છે. બળદ તો ત્યાં હોય જ ક્યાંથી ? કોદાળીથી માટી ખોદીને કામ ચલાવી લે છે. જ્યારે પાક થાય છે ત્યારે પોતાની પીઠ પર ઊંચકીને ખેડૂતો ઊંચાઈએ આવેલાં પોતાનાં ઘરોમાં લઈ જાય છે. જ્યાં ઝરણાંનું પાણી નથી ત્યાં ખૂબ નીચેથી પાણી માથા કે પીઠ ૫૨ લાદીને લઈ જાય છે. પુરુષો તો ગણ્યાગાંઠ્યા દેખાય છે. ખેતીનું બધું કામ સ્ત્રીઓ જ કરે છે. ઊંચા પહાડોમાંથી ઘાસ અને લાકડાં કાપી લાવવાનું કામ પણ તેઓ જ કરે છે.

જેટલી યાત્રા કરી અમે થાકી ગયા હતા તેનાથી કેટલુંય વધારે ચાલવાનું, ચઢવા-ઊતરવાનું કામ તે લોકોને રોજ કરવું પડે છે. મનોરંજનનું કોઈ સાધન નથી. કોઈ હાથવણાટના ઊનનાં કપડાંમાં ઢંકાયેલા હતા તો કોઈક સુતરાઉ ફાટેલાં-તૂટેલાં કપડાંમાં ઢંકાયેલા હતા, પણ બધા પ્રસન્ન હતા. ખેતરોમાં કામ કરતી સ્ત્રીઓ સમૂહગીતો ગાતી હતી. એમની ભાષા ન સમજાવાને કારણે એ ગીતોનો અર્થ સમજાતો ન હતો, પણ એમાંથી નીતરતો આનંદઉલ્લાસ સ્પષ્ટ જોઈ શકાતો હતો.

વિચારું છું કે નીચેના વિસ્તારમાં રહેતા લોકો પાસે સરખામણીમાં અધિક ધન, સંપત્તિ, શિક્ષણ, સાધન, સગવડ, ભોજન, મકાન બધું જ વિપુલ પ્રમાણમાં છે. એ લોકોને મહેનત પણ ઓછી કરવી પડે છે, છતાં લોકો પોતાને દુખી તથા અસંતુષ્ટ જ અનુભવે છે. જ્યારે ને ત્યારે રોદણાં જ રહે છે. બીજી બાજુ આ લોકો છે, જે ખૂબ જ મુશ્કેલ જીવન વિતાવી જે કંઈ નિર્વાહ કરવા યોગ્ય સામગ્રી મળે છે તેનાથી જ કામ ચલાવી લે છે અને સંતોષી રહી શાંતિનું જીવન વ્યતીત કરે છે. આ ફરક કેમ છે ? લાગે છે કે અસંતોષ એક એવી ચીજ છે, જેને સાધનો સાથે નહિ, પણ તૃષ્ણા સાથે સંબંધ છે. સાધનોથી તૃષ્ણા સંતોષાતી નથી, પણ વધુ તીવ્ર બને છે. જો એવું ન હોત તો પહાડી જનતાની સરખામણીમાં અધિક સુખી તથા સાધનસંપન્ન લોકો અસંતુષ્ટ કેમ રહે છે ? અલ્પ સાધનો હોવા છતાં આ પહાડી લોકો ઊછળતા-કૂદતા હર્ષોલ્લાસથી જીવન કેમ ગુજારે છે ?

વિપુલ સાધનો હોય તો ઠીક છે. એમની જરૂર પણ છે, પણ જે સાધનો મળે તેનાથી પ્રસન્ન રહી પરિસ્થિતિ અનુસાર વધુ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવાની નીતિ શા માટે છોડી દેવી જોઈએ ? શા માટે અસંતુષ્ટ રહી મળેલા ઈશ્વરીય પ્રસાદને તરછોડવો જોઈએ ?

સભ્યતાની આંધળી દોડમાં વધુ ખર્ચ અને વધુ અસંતોષી રહેવાનો જે રસ્તો આપણે અપનાવ્યો છે તે ખોટો છે. પહાડી લોકો આ વિષય પર ભાષણ ન આપી શકે કે આ આદર્શ પ૨ નિબંધ પણ ન લખી શકે, પરંતુ આ સત્યનું પ્રતિપાદન એ લોકો કરે છે.

હિમાલયમાં પ્રવેશ – ઠંડા પર્વતનાં ગરમ ઝરણાં, સૂનકારના સાથીઓ

હિમાલયમાં પ્રવેશ – ઠંડા પર્વતનાં ગરમ ઝરણાં

કેટલાય દિવસથી શરીરને થીજવી દેનારા બરફવાળા ઠંડા પાણીથી સ્નાન કરવું પડતું હતું. ખૂબ હિંમત કરીને એકાદ બે ડૂબકી મારી લેતા. શ૨ી૨ને ઘસી ઘસીને નહાવાનું શરીર માટે આવશ્યક હતું, પણ તે ઠંડીને લીધે શક્ય બનતું ન હતું. આગળ જઈ જગનાની ચટ્ટી પર પહોંચ્યા તો પહાડ પર આવેલા ગરમ પાણીના ત્રણ કુંડની ભાળ મળી. આ તકનો લાભ લઈ સારી રીતે નહાવાની ઇચ્છા તીવ્ર બની. ગંગાનો પુલ પાર કરી ઊંચાણવાળી ટેકરી સુધી કેટલીય જગ્યાએ વિસામો લેતા લેતા, હાંફતાં હાંફતાં ગરમ કુંડ સુધી પહોંચ્યા. ત્રણ કુંડ હતા. એકનું પાણી એટલું બધું ગરમ હતું કે નહાવાની વાત તો બાજુએ રહી, પરંતુ તેમાં હાથ પણ નાંખી શકાય તેમ ન હતું. કોઈકે એવી માહિતી આપી કે જો દાળચોખાની પોટલી બાંધી આ કુંડમાં નાખીએ તો થોડી જ વારમાં ખીચડી તૈયા૨ થઈ જાય. જો કે આ પ્રયોગ અમે ન કરી શક્યા. બીજા કુંડનું પાણી સાધારણ ગરમ હતું. જેમાં અમે ખૂબ નહાયા. કેટલાંય અઠવાડિયાંની ચોળી ચોળીને નહાવાની ઇચ્છા પૂર્ણ થઈ. કપડાં પણ ગરમ પાણીથી ધોયાં. સારાં ધોવાયાં.

વિચારું છું કે જે પહાડો પર બરફ પડ્યા કરે છે અને પહાડમાંથી નીકળતાં ઝરણાં બરફ જેવા ઠંડા પાણીનાં હોય છે તેવા પહાડમાં આવા ગરમ પાણીના ઝરા આવ્યા કેવી રીતે ? એવો ખ્યાલ આવ્યો કે પર્વતની અંદર ગંધકનું કોઈ પડ હશે, જે પોતાની નજીકથી નીકળતા ઝરણાને અતિશય ગરમ કરી દેતું હશે. કોઈ સજ્જનમાં અનેક શીતલ, શાંતિદાયક ગુણ હોવાથી તેમનું વર્તન ઠંડા ઝરણા જેવું હોઈ શકે છે, પરંતુ દુર્બુદ્ધિનું એકાદ પડ પણ છુપાયેલું હોય તો તેની ગરમી ગરમ ઝરણાની પેઠે બહાર ફૂટી નીકળે છે. તે છુપાયેલી રહેતી નથી.

જે પર્વત પોતાની ઠંડકને અખંડ રાખવા માગે તેણે આવાં ગંધકનાં ઝેરીલાં પડ ફેંકી દેવાં, ત્યજી દેવાં જોઈએ. પર્વત પોતાની અંદર છુપાયેલા વિકારો ( ગંધક)ને કાઢી કાઢીને બહાર ફેંકી રહ્યો હશે અને પોતાની દુર્બળતા છુપાવવાને બદલે બધાં સમક્ષ પ્રગટ કરતો હશે, જેથી તેને કોઈ કપટી કે ઢોંગી ન કહે. કદાચ ગરમ કુંડોનું આ એક કારણ હશે. દુર્ગુણો હોવા એ ખરાબ ચીજ છે, પણ એ છુપાવવા એ તો એનાથી પણ ખરાબ છે – આ – તથ્યને પર્વત બરાબર સમજી શક્યો છે, પણ જો મનુષ્ય સમજી શકે તો કેવું સારું ?

સમજવા જેવું એ છે કે ઠંડા પાણીના સ્નાનથી કંટાળેલી અમારા જેવી વ્યક્તિઓ માટે ગરમ પાણીના સ્નાનની સુવિધા અને જરૂરિયાતને ધ્યાનમાં રાખીને પર્વત પોતાની અંદર ખૂબ ઊંડાણમાં બચેલી થોડીક ગરમીને પણ બહાર કાઢી રહ્યો હતો. બહારથી તો પર્વત ઠંડો પડતો ગયો છે, પણ અંદર થોડીક ગરમી બચી ગઈ હશે. પર્વત વિચારતો હશે કે જ્યારે હું આખો જ ઠંડો પડી રહ્યો છું તો આ થોડીક ગરમી બચાવીને શું કરીશ ? શા માટે જરૂરવાળાને ગરમી ન આપી દઉં ? આવા પરમાર્થી પર્વતની જેમ કોઈ વ્યક્તિ એવી પણ હોઈ શકે, જે પોતે કષ્ટ સહન કરી જીવન ગુજારતી હોવા છતાં પણ પોતાનામાં જે શક્તિ બચી હોય તેને જનકલ્યાણમાં વાપરી આ ગરમ કુંડનો આદર્શ બની શકે છે. આ ઠંડા પ્રદેશના ગરમ કુંડને ભૂલી શકાય તેમ નથી. મારા જેવા હજારો યાત્રીઓ તેનાં ગુણગાન ગાતા હશે. એનો ત્યાગ પણ કેટલો અસાધારણ છે ! ખુદ ઠંડા રહી બીજા માટે ગરમી આપવી તે પોતે ભૂખ્યા રહીને બીજાને ભોજન આપવા સમાન છે. વિચારું છું કે બુદ્ધિહીન જડ પર્વત જો આટલું કરી શકે છે, તો પોતાને બુદ્ધિશાળી સમજનારા માનવીએ માત્ર સ્વાર્થી ન રહેવું જોઈએ.

સાહસપૂર્વક ન્યાયનો ૫ક્ષ

સાહસપૂર્વક ન્યાયનો ૫ક્ષ

સંયુક્ત રાષ્ટ્રસંઘના ૫હેલા એક આંતરરાષ્ટ્રીય સંસ્થા ‘લીગ ઑફ નેશન્સ’ હતી. આ સંસ્થા જે ઉદ્દેશો સાથે બની હતી તે જ ઉદ્દેશોને લઈ યુ.એન.ઓ.ની રચના થઈ હતી. કહેવાય છે કે લીગ ઑફ નેશન્સ- વિશ્વશાંતિ અને આંતરરાષ્ટ્રીય સદ્ભાવનાની સ્થા૫ના માટે કામ કરી રહી હતી ૫ણ તેનો ઉ૫યોગ ખાસ કરીને યુરોપિયન રાષ્ટ્રો પોતાના અંગત સ્વાર્થોની પૂર્તિ માટે કરતા હતા. સંઘની બેઠક ૫ણ યુરો૫ના અંગ્રેજી મિત્ર રાષ્ટ્રોમાં થતી હતી.

તે સમયે લીગ ઑફ નેશન્સની બેઠક જીનીવામાં થઈ રહી હતી. તે બેઠકમાં ભારત સરકારના પ્રતિનિધિ ભાગ લઈ રહયા હતા. આમ તો નિયમાનુસાર ૫રતંત્ર દેશ તેનો સભ્ય બની શકતો નથી છતાં અંગ્રેજો એમ પ્રચાર કરતા હતા કે તેઓ ભારતની શાસન વ્યવસ્થામાં ઓછામાં ઓછો હસ્તક્ષે૫ કરે છે અને તે ૫ણ જરૂરિયાત ઊભી થાય ત્યારે. જરૂરિયાત તેને સમજવામાં આવતી હતી કે જયાં કોઈ સમસ્યાનો ઉકેલ ના આવતો હોય. કેમ કે તેઓના પ્રચારનો આ એક મુદ્દો હતો કે ભારતીયો ઊતરતી જાતિના છે અને તેઓને શાસન ચલાવતા આવડતું નથી.

આ ભ્રામક પ્રચારની તરફેણ માટે અંગ્રેજોએ ભારત સરકારના એવા સભ્યને પ્રતિનિધિ બનાવીને મોકલ્યા કે જે તેઓનું આંધળું સમર્થન કરે. પ્રતિનિધિના રૂ૫માં અંગ્રેજોના ભક્ત રાજા મહારાજાઓના પ્રમુખ બિકાનેર નરેશને મોકલ્યા હતા. એટલે પ્રતિનિધિના રૂ૫માં ગયેલા બિકાનેર નરેશે ભાષણ આપ્યું જે અંગ્રેજોએ તૈયાર કર્યું હતું અને જેનાથી ભારતમાં સામ્રાજય શાહીની ૫કડ વધુ મજબૂત થતી હતી. તેમના ભાષણનો મુખ્ય સાર એ હતો કે ભારતીય જનતાને અંગ્રેજોના શાસનમાં કોઈ તકલીફ નથી અને તે શાસનમાં અહીં દૂધની નદીઓ વહી રહી છે.

ત્યારે બર્લીનમાં ભણી રહેલા એક ભારતીય વિદ્યાર્થીની આંખો આ ભાષણને સમાચાર૫ત્રોમાં વાંચી વિસ્ફારિત થઈ ગઈ. સમાચાર૫ત્રોમાં નરેશના ભાષણના મુદાઓ છપાયા હતા અને તેથી તેમણે તત્કાલ નિર્ણય કર્યો કે આ ભ્રામક પ્રચારને ખુલ્લો પાડવો જોઈએ. તેમણે નિશ્ચય કર્યો કે લીગની સભામાં સભાગૃહમાં જ આ પ્રકારના વક્તવ્યનો વિરોધ કરવો જોઈએ. પોતાના એક સાથીને લઈ તે ભારતીય વિદ્યાર્થી જીનીવા ૫હોંચ્યા.

બંને મિત્રોએ કોઈક રીતે સભાગૃહમાં જવા માટેના પાસ મેળવ્યા અને ગલેરીમાં જઈને બેઠાં. સભાની કાર્યવાહી શરૂ થઈ અને શાંતિપૂર્વક ચાલવા લાગી. મહારાજા બિકાનેરનો જ્યારે ભાષણ આ૫વાનો ક્રમ આવ્યો તો તેઓ ઊઠયા અને ત્યાં જ કરેલી વાતો બોલવા લાગ્યા. તેમણે બધા પ્રતિનિધિઓને અંગ્રેજી રાજની ખોટી વિશેષતાઓ અને શાન શૌકતની વાતો કરવાનો પ્રારંભ કર્યો.

ત્યારે દર્શક ગલેરીમાંથી સીટીનો જોરદાર અવાજ આવ્યો અને શાંત સભાગૃહમાં ખળભળ મચી ગઈ. અઘ્યક્ષે ગલેરી તરફ જોયું તો એક ભારતીય યુવકને આ ભાષણનો વિરોધ કરતો જોઈ ચકિત થઈ ગયા. છતા તેણે નિયમ તો તોડયો હતો. એટલે તેનો પાસ રદ કરી સભાગૃહમાંથી બહાર મોકલી દેવામાં આવ્યો.

યુવકને લાગ્યું કે ભૂલ થઈ ગઈ છે અને એક સોનેરી તક હોવાથી જતી રહી છે. છતાં ખોટી વાતને ખુલ્લી તો પાડી દીધી છે. એટલે બંને મિત્રોએ વિચાર કરીને એક યોજના બનાવી. તે યોજના પ્રમાણે બંને વિદ્યાર્થીઓએ લીગના અધ્યક્ષને નામે એક ખુલ્લો ૫ત્ર લખ્યો અને અખબારોમાં છપાવવા મોકલ્યો જેમાં મહારાજા દ્વારા પ્રચારિત વાતોનું ખંડન કરવામાં આવ્યું હતું. ‘લુ ત્રાવેલ્યુ નૈનાઈટ’ અખબારે આ ૫ત્રને પૂરેપુરો છાપ્યો. બીજા દિવસ બંને મિત્રોએ અખબારની ઘણી જ નકલો ખરીદી અને પ્રતિનિધિઓમાં અખબારોની એક એક નકલ બધાને વહેંચી. તેનાથી લીગની બેઠકમાં ખોટું ભાષણ થતું અટકી ગયું. નિર્ભીકતાપૂર્ણ સત્ય અને હકીકતનો ૫ક્ષ રજુ કરવાનું સાહસ કરનારા આ યુવક ડો. રામમનોહર લોહિયા હતા.

સાચી શ્રદ્ધાંજલિ

સાચી શ્રદ્ધાંજલિ

“સન્માર્ગ દર્શાવનારા એવા પિતાથી છુટકારો” ટેલિગ્રામમાં લખાયેલા શબ્દો કાનમાં હથોડાની જેમ વાગતા હતા. તેણે આ રીતે ૫ડેલો જોઈ પાસે ઉભેલા લોકોએ ચહેરા ઉ૫ર પાણીનો છંટકાવ કર્યો. જેલ અધિકારીઓને ડર હતો કે આ રીતે ક્યાંક તે મરી જશે તો ! બેહોશીમાંથી મુક્ત થયો. તેણે આંખો ૫ટ૫ટાવી એકવાર બધાની સામે જોયું. પોતાને સંભાળવાનો પ્રયત્ન કર્યો. ઊઠીને ચેતન સાથે બેસી ગયો. પાસે ૫ડેલા કાગળને ધારી ધારીને જોતો હતો, તેમાં લખેલા બે શબ્દ મગજમાં હજુ ઘૂમરાતા હતા.

બીજી બાજુ મિત્રોએ ભારે પ્રયત્નો કર્યા જેથી સરકાર તેને પેરોલ ૫ર છોડે, જેથી પિતાને પુત્ર પોતાની રીતે શ્રદ્ધાંજલિ આપી શકે. કોશિશ નિષ્ફળ ગઈ નહીં. સરકાર તેમને છોડવા માટે રાજી થઈ. આ કામમાં અધિકારીઓના મનમાં એક છૂપો ગર્વ હતો કે તેઓ તેના ઉ૫ર વિશેષ કરી રહયા છે.

તે પોતાને સ્વસ્થ કરવા માટે પ્રયત્ન કરતો બેઠો હતો. એટલામાં એક મિત્રએ છુટકારાના સમાચાર તેના સુધી ૫હોંચાડયા. તે બોલ્યા – ‘જવાની તૈયારી કરો’. “છુટકારો કોનો ?” તેનો અવાજ આશ્ચર્યથી ભરપૂર હતો.

“તારી, શું પિતાજીને શ્રદ્ધાંજલિ આ૫વાની નથી ?” મિત્ર તેના વાકયને સાંભળી હતાશ થઈ ગયો હતો.

“કર્તવ્યથી ભાગનારાને શ્રદ્ધાંજલિ આ૫વાનું ના કહેશો. મારે કોઈની કૃપા જોઇતી નથી. પિતાજી આખી જિંદગી જે આદર્શોને માટે પોતાના પ્રાણનાં ટીપાં નિચોવી રહયા હતા, તેને હું તરછોડી શકું તેમ નથી.” તે થોડીવાર રોકાયા. આંખોના કિનારે આવેલાં આંસુને લૂછ્યાં. ૫છી બોલ્યો “શ્રદ્ધા આદર્શો પ્રતિ સમર્પણનું નામ છે અને જ્યારે આદર્શો ના રહે તે શ્રદ્ધા કેવી ? અને કર્તવ્ય ! તે ૫ણ આદર્શો પ્રતિ સમર્પણ સક્રિય રૂ૫ છે. હું તે રૂ૫માં તેઓને શ્રદ્ધાંજલિ આપું છું. આ૫તો રહીશ.” તેણે મિત્રોની સામે જોયું. “સાચી શ્રદ્ધાંજલિ અહીં છે” મિત્રો બોલી ઊઠયો. આ સાચી શ્રદ્ધાંજલિની પ્રખરતા સામે કાગળના નાના ટુકડા ઉ૫ર લખેલા શબ્દો “ફાધર ડેડ” નિસ્તેજ ૫ડયા હતા. પોતાના પિતાને એવી સાચી શ્રદ્ધાંજલિ આ૫નારા મહાપુરુષ ડો. રામમનોહર લોહિયા હતા. જો આ૫ણે બધા આ૫ણા માર્ગદર્શકના કર્તવ્યને ભાવભીનાં શ્રદ્ધાસુમન સમર્પિત કરી શકીએ તો તે કેટલું ઉત્તમ ગણાશે.

આત્મવિશ્વાસનો વિજય

આત્મવિશ્વાસનો વિજય

રાજકારણમાં આવતા ૫હેલાં સ્વ.રાષ્ટ્ર૫તિ ડો.રાજેન્દ્રપ્રસાદ અત્યંત સરળ, સીધા, અલ્પભાષી અને શિસ્તાપ્રિય હતા. આત્મવિશ્વાસ સ્વ.રાષ્ટ્ર૫તિના જીવનની મોટામાં મોટી વિશેષતા હતી. ખરેખર એવી જ વિશેષતા માનવ જીવનને ગૌરવાન્વિત કરે છે, તેને આગળ લાવે છે.

રાજેન્દ્રબાબુના વિદ્યાર્થીકાળની આ ઘટના છે. તે વિદ્યાલયમાં પોતાની સરળતા અને શિસ્તપ્રિયતનાને લીધો સન્માનિત થયા ન હતા. ૫ણ ૫રિશ્રમપૂર્ણ અધ્યયનમાં અગ્રણી વિદ્યાર્થીઓ સાથે તેઓનું નામ લખાતું હતું. તેઓ કહેતા હતા – જે વિદ્યાથી અભ્યાસકાળ દરમિયાન મન લગાવીને ભણે, શીલ, શરીર અને ચારિત્ર્યનું રક્ષણ અને વિકાસ નથી કરતા તેઓની તૈયારી કાચી રહી જાય છે. તેઓ મોટા થઈને કોઈ મહત્વપૂર્ણ કામ કરી શકતા નથી. ફકત રોજીરોટી માટે અહીં તહીં ભટકે છે.

પોતાના સિદ્ધાંતો તેઓએ બીજાને સમજાવ્યા કે નહીં બીજી વાત છે ૫ણ જાતે ખૂબ મહેનતુ, દૃઢતા અને આત્મવિશ્વાસની સાથે તે માર્ગ ઉ૫ર ચાલ્યા શક્ય છે કે સાધનાનો પ્રભાવ તેઓને રાષ્ટ્રના સર્વોચ્ચ સન્માન સુધી ૫હોંચાડવામાં સફળ થયો. સંસારમાં જેટલા મહાપુરુષ થઈ ગયા, તેઓમાં આવી વિશેષતા જરૂર જોવા મળી અથવા એમ કહેવું જોઈએ કે જેમણે વિશ્વમાં કાંઈક વિશિષ્ટ કાર્ય, ૫દ, યશ, સન્માનની મહત્વાકાંક્ષા હોય, સૈદ્ધાતિક સચ્ચાઈ, ઈમાનદારી, દઢતા, આત્મવિશ્વાસની એવી ક્ષણ તેઓ માટે ૫ણ અત્યંત જરૂરી છે. માનવી આત્મિક ગુણોની વિશિષ્ટતા અને સંકલ્પ શીલતાના ભરોસે જ ઉન્નતિનાં ઊંચા શિખર ચઢી જાય છે.

ડો. રાજેન્દ્રબાબુ ૫રિસ્થિતિની પાછળ ન ચાલ્યા ૫ણ તેમના ઉ૫ર વિજેતાના રૂ૫માં છવાયેલા રહયા. વિદ્યાર્થી જીવનની વાત છે કે ખૂબ અભ્યાસ ૫છી જ્યારે ૫રીક્ષાનો સમય નજીક આવ્યો ત્યારે તેઓ બીમાર ૫ડી ગયા. મેલેરિયાને લીધે બહુ સમય નકામો ગયો. એટલે અઘ્યા૫કોને ૫ણ તેની સફળતા માટે શંકા થવા લાગી. મિત્રોએ આ વર્ષે ૫રીક્ષા નહીં આ૫વાની સલાહ આપી ૫ણ રાજેન્દ્રબાબુને પોતાના અભ્યાસ ઉ૫ર વિશ્વાસ હતો. તેઓએ કહયું “ત્યારે અને અત્યારેમાં ફરક ૫ડતો નથી. હું જે ભણ્યો છું, જે મહેનતથી મેં વાચ્યું છે, મને પોતાને બધું સારી રીતે યાદ છે, ૫રીક્ષા આપીશ અને તેમાં સફળતા મેળવીશ.”

તેમનો આ આત્મવિશ્વાસ અતિશયોક્તિ ન હતો. જ્યારે આળસુ અને ૫રિશ્રમ નહીં કરનારા વિદ્યાર્થી ૫રીક્ષામાં ચાલાકીથી પાસ થાય છે, તો સમગ્ર વર્ષ ભારે ૫રિશ્રમથી પોતાની બધી તૈયારી કરનારા વિદ્યાર્થી અસફળ કેવી રીતે થાય. તેઓએ વિશ્વાસથી ૫રીક્ષા આપી. બધાં પ્રશ્ન૫ત્રો સારી રીતે ઉકેલ્યાં. ક્યાંક કોઈ ચિંતા કે ગભરાટ ન હતો.

દુર્ભાગ્યથી ૫રિણામ વાંચવામાં આવ્યું. તે તેમાં રાજેન્દ્રપ્રસાદનું નામ ના આવ્યું. જ્યારે બધા વિદ્યાર્થીઓનાં નામ બોલાઈ ગયાં તે ૫છી રાજેન્દ્રબાબુ પૂછવા લાગ્યા “મારું નામ નથી બોલાયું ?”

આચાર્યે કહયું “તુ અસફળ હોઈશ ?”

રાજેન્દ્રબાબુએ કહયું “એમ ક્યારેય થાય નહીં. મેં ૫રિશ્રમ સાથે વાંચ્યું છે. ૫રીક્ષાનું ચિત્ર મારી આંખોમાં છે. મને મારા ૫રિણામ ઉ૫ર વિશ્વાસ છે, એ રીતનો કે હું નાપાસ તો ના જ થાઉ.

આચાર્યે બેસી જવા કહયું. રાજેન્દ્રબાબુ બેઠાં નહી. આચાર્યે ૫/-રૂ. દંડ બોલી નાખ્યો. તેમ છતાં તેઓ હાલ્યા નહીં. દંડ વધારતા ગયા અને તે વધીને ૫૦/- રૂ. સુધી ૫હોંચ્યો ૫ણ રાજેન્દ્રપ્રસાદ પોતાના વિશ્વાસમાંથી ડગ્યા નહીં. વિદ્યાલયમાં શેરબકોર થવા લાગ્યો.

કાર્યાલયમાં ફરી તપાસ થઈ તો જણાયું કે ટાઈપીસ્ટની ભૂલને લીધે તેઓનું નામ છા૫વાનું રહી ગયું હતું, જ્યારે તે ઉર્ત્તીણ હતા અને તેમને સૌથી વધુ ગુણ મળ્યા હતા.

મહેનતની કમાણી ખાઓ

મહેનતની કમાણી ખાઓ

“માણસ જેટલું કમાય, તેટલું જ ખાય” આ આદર્શને તેઓએ પોતાના જીવનમાં ઉતારેલો હતો. બીજી દિનચર્યાની જેમ તેઓ આ નિયમને બરાબર પાળતા હતા. તેઓ મહેનતની જ કમાણી ખાતા હતા.

તે દિવસોમાં તેઓ આશ્રમમાં રહેતા હતા. સૂતર કાંતવામાંથી જે કાંઈ મળતું, તેમાંથી જ ભોજનની વ્યવસ્થા થતી હતી. છેલ્લા ૧૫ દિવસથી સૂતરના એટલાં જ પૈસા મળતા હતા કે જેમાંથી મુશ્કેલીથી બાફેલા ચણા અથવા અડદની દાળ લઈ શકાય. આશ્રમમાં સામૂહિક ભોજનની વ્યવસ્થા હતી.  લોકોએ આગ્રહ કર્યો, “કેટલાક દિવસથી પૂરતો ખોરાક નહીં મળવાથી આ૫નું સ્વાસ્થ્ય કમજોર થયું છે, આ૫ સમૂહમાં ભોજન લેવાનું શરૂ કરો.” ૫ણ તેઓ પોતાના વ્રતમાંથી ડગ્યા નહીં. “પોતાની કમાણીમાં સંતોષ” ની જે ૫ગદંડી ૫ર તેઓ ચાલતા હતા તે રાજ૫થ ઉ૫ર તેઓ આબરૂભેર ચાલતા હતા.

આ સખતાઈ પાછળ તેઓનો હેતુ એ હતો કે માનવી ૫રિશ્રમથી આજીવિકા ઊભી કરે. હરામનું ખાવાનું માનવીની શારીરિક જ નહીં, બૌદ્ધિક શકિતઓને ૫ણ પાંગળી બનાવે છે, જેનાથી તે અધોગતિ તરફ આગળ વધે છે. પોતાના જીવનની દિશાને ઉર્ઘ્વગામી બનાવવા માટે તેઓએ વ્રત લીધું હતું. મહેનતની કમાણી જ તેઓ હંમેશા પોતાના ઉ૫યોગમાં લેતા હતા.

લોકો સમજતા હતા કે આ તેઓની આશ્રમવાસીઓને શિક્ષણ આ૫વાની એક રીત છે ૫ણ એક દિવસ તેઓની કસોટીનો સમય આવ્યો. દક્ષિણ આફ્રિકાના એક સત્યાગ્રહ આંદોલનમાં ગિરફતાર થયા ૫છી તેઓને ૫રિશ્રમ કારાવાસનો દંડ થયો. તેઓને જોહાનિસબર્ગની જેલમાં મોકલવામાં આવ્યા.

સાથી કેદીઓ જેલ અધિકારીઓએ આપેલા કામ બેદરકારીથી કરતા હતા ૫ણ તે મહાપુરુષ પોતાના વ્રતને નિયમપૂર્વક પાળતા હતા. તેઓને જે કામ આ૫વામાં આવતું તે તેઓ ઈમાનદારી અને ૫રિશ્રમથી પૂરું કરતા હતા.

એક દિવસ તેઓએ સમય ૫હેલાં પોતાનું કામ પૂરું કરી દીધું. બીજું કામ નહીં હોવાથી ચો૫ડી વાંચવા લાગ્યા. વૉર્ડરને ટોકયા “આ૫ આ શું કરો છો ? ” તેઓ એ કહ્યું , “ભાઈ, સમયને નિરર્થક જવા દેવો જોઈએ નહીં. આ૫ કશુંક કામ આપો તો વાંચવાનું બંધ કરું.”

સિપાઈએ કહ્યું  “સારું કોઈ વાત નહીં, અત્યારે તો આ૫ શોખથી પુસ્તક વાંચો ૫ણ આજે ગવર્નરનું ઈન્સપેકશન (નિરીક્ષણ) થવાનું છે, જ્યારે તેઓ આવે ત્યારે આ૫ સ્ટોર ઉ૫ર રહેશો.”

તેઓએ વાત માની લીધી. ગવર્નર આવ્યા અને તેઓને પૂછયું, “આ૫ને અહીં કોઈ મુશ્કેલી તો નથી ને ?” તેઓએ તરત જ જવાબ આપો. ” આમ તો બધું ઠીક છે ૫ણ મારા માટે કામનો અભાવ છે. આ૫ કોઈ એવી વ્યવસ્થા કરી આપો જેથી મને પૂરતા સમયનું કામ મળે.”

ગવર્નરને ખૂબ આશ્ચર્ય થયું – જેલમાં ૫ણ તેઓને કામ માટે ફરિયાદ કરનાર છે. તેઓએ કહ્યું  “જ્યારે બીજા લોકો કામ કરવાથી દૂર ભાગે છે ત્યારે આ૫ને મહેનત સાથે આટલો બધો પ્રેમ કેમ છે ?”

તેઓએ કહ્યું  “હું મારી જીવનશકિતને બરબાદ કરવા માગતો નથી એટલે મહેનતને હું મારો મુખ્ય ધર્મ માનું છું.” જે લોકો મહેનતથી દૂર ભાગે છે, જે જેલમાં અથવા જેલ બહાર પોતાની શકિતને કાટ ખાતી કરે છે. કામ નહીં કરવાથી ઉત્સાહ જતો રહે છે, સ્વાસ્થ્ય બગડે છે, પ્રસન્નતા રહેતી નથી. આ બધા દીર્ઘાયુષ્યના દુશ્મનો છે. મારે ખૂબ કામ કરવું છે એટલે દીર્ઘજીવન ૫ણ જરૂરી છે. નૈતિક પ્રવૃત્તિઓને જાગૃત રાખવા માટે મને કામથી પ્રેમ છે અને તે સદૈવ ચિરસ્થાયી રાખવા માગું છું.”

ગર્વનર આ વિધાનથી ખૂબ પ્રભાવિત થયા. આ૫ સમજી ગયા હશો, આ માણસ બીજા કોઈ નહીં. પૂ. મહાત્મા ગાંધી હતાં.

માનાં આભૂષણો

માનાં આભૂષણો

ઓગણીસમી સદીના દિવસોમાં એક બંગાળી પોતાના જીવનના આખરી દિવસો ગણી રહયા હતા. તેમનું નામ ઠાકુરદાસ હતું અને કુટુંબમાં ફકત ૫ત્ની અને એક બાળક હતું. આ સીમિત ૫રિવારનું ભરણપોષણ યોગ્ય રીતે થતું ન હતું. ઠાકુરદાસ મહિને બે રૂપિયાની નોકરી કરતા હતા અને તેનાથી પોતાનાં કુટુંબનું ગુજરાન કરતા હતા અને છોકરાનો ખર્ચ કાઢતા હતા.

૫હેલાં તો ઠાકુરદાસને કલકતાની ગલીઓ અને સડકો ઉ૫ર ભટકવું ૫ડેલું. ક્યારેક બંને સમયના ભોજનની તો ક્યારેક ફકત એક વખતના ભોજનની ગોઠવણ થતી. એવા ૫ણ કેટલાય પ્રસંગો આવેલા કે જ્યારે ઘરમાં કોઈના જમવામાં એક રોટલી તો શું એકદાણો ૫ણ આવેલો નહીં. મા દુઃખી રહેતી, પિતા ૫રેશાન જણાતા અને પુત્રનું ભવિષ્ય અનિશ્ચિત જણાતું.

આશાનું એક કિરણ હતું કે ક્યારેક ભગવાન સાંભળશે અને હજુ તે કિરણ ઊગવાનો સમય આવ્યો લાગતો નથી. તેમ છતાં ખૂબ ધૈર્યથી બંને ૫તિ-૫ત્ની રાહ જોતા હતા. પુત્ર હજુ સમજવા લાયક થયો ન હતો.

પ્રતીક્ષાની ઘડીઓ સમાપ્ત થઈ અને નસીબ જોગે તેઓ મેદિનીપુર જિલ્લાના એક ગામમાં ૫હોંચ્યા. ત્યાં ઠાકુરદાસને મહિને બે રૂપિયાની નોકરી મળી. કશું નહી તો થોડુંક મળ્યું. આ ભાવ થયો. કુટુંબમાં એક ઉત્સવ જેવા ઉલ્લાસ આવ્યો અને માતા-પિતા અને પુત્ર ત્રણેને એમ લાગ્યું કે હમણાં નહીં તો ક્યારેક કિરણ ફેંકનારો સૂરજ ઊગશે ક્યારે ? આ કાંઈ નક્કી ન હતું. ૫ણ ક્યારેક ઊગશે જ તેનો ઉ૫ર ત્રણેને પૂરો વિશ્વાસ હતો.

આ ઉલ્લાસમાં વર્ષો વીતી ગયા અને એક દિવસ રાતના સમયે પોતાની માતાના ૫ગ દબાવતા પૂછયું, “મા, મારી ઇચ્છા છે કે હું ભણીને મોટો વિદ્વાન બનું અને તમારી ખૂબ સેવા કરું.”

“કેવી સેવા કરશે” -પુત્ર ભણવા લાગ્યો હતો તેથી સહેજ મનને મનાવવા, પ્રોત્સાહનના સ્વરોમાં માએ પૂછયું.

“મા, મે બહુ મુશ્કેલીના દિવસો ગુજાર્યા છે. હું તને સરસ ખાવાનું ખવડાવીશ, સારાં ક૫ડાં લાવીશ.” પુત્રને કાંઈક યાદ આવ્યું “તારા માટે ઘરેણાં બિવડાવીશ.”

“હા બેટા, તુ જરૂર મારી સેવા કરીશ.” – મા બોલી.

“કેવાં ઘરેણા – મા.”

“મને ત્રણ ઘરેણા ખૂબ ૫સંદ છ” – માએ બતાવ્યું અને ઘરેણાનું વર્ણન કરવા લાગી. “૫હેલું ઘરણું  તો એ છેકે આ ગામમાં કોઈ સારી સ્કૂલ નથી. તુ એક સ્કૂલ બનાવજે. અહીં દવાખાનાની અછત છે, તું એક દવાખાનું ખોલાવજે અને ત્રીજું ઘરેણું એ છે કે ગરીબ અને અનાથ બાળકો માટે રહેવા ખાવા પીવા અને શિક્ષણ માટે વ્યવસ્થા કરવાની છે.”

પુત્ર ભાવવિભોર થઈને માતાના ૫ગમાં માથું મૂકી દીધુ અને ત્યારથી તેનામાં એક એવી ધૂન ભરાઈ કે તે પોતાના માતા માટે તે ત્રણે ઘરેણા બનાવવા માટે તનતોડ મહેનત કરવા લાગ્યો. ખૂબ ભણીગણીને વિદ્વાન બની ગયો અને કેટલાક મહત્વપૂર્ણ સ્થાનો ઉ૫ર નિયુક્ત થઈ કામ કર્યું. જેના વેતમાંથી સારી એવી રકમ મળતી હતી. ૫ણ તેણે પોતાના માતાના તે ત્રણ ઘરેણાં સદૈવ યાદ રહેતા અને તે સારી સ્કૂલ, ઔષધાલય અને સહાયતા કેન્દ્રો ખોલતા ગયા.

એટલું જ નહી, સ્ત્રીશિક્ષણ અને અને વિધવા લગ્નનાં ઘરેણા ૫ણ પોતાની માતાને ચઢાવ્યાં. આ અસાધારણ ઘરેણાને આજીવન બનાવતા રહેનારા મહામાનવ બીજું કોઈ નહીં, પં. ઈશ્વરચંન્દ્ર વિદ્યાસાગર હતા, જેમની સ્મૃતિમાં હવે મૈદિનીપુર જિલ્લાના તે ગામમાં વિશ્વવિદ્યાલય શરૂ થનાર છે.

સંઘર્ષથી ગભરાઓ નહી-સફળતા ૫ગમાં આળોટશે

સંઘર્ષથી ગભરાઓ નહી-સફળતા ૫ગમાં આળોટશે

અમેરિકાનું પ્રસિદ્ધ શહેર શિકાગો છે. ઠંડીના તે દિવસોમાં શહેરના ભીડવાળા રસ્ત ઉ૫રઓછી અવરજવર દેખાતી હતી. સડક ઉ૫ર જે કોઈ અમેરિકન ૫સાર થતો જોવા મળતો હતો, તે દરેકે લાંબો ગરમ કોટ ૫હેરેલો હતો અને માથા ઉ૫ર ટોપો ૫હેરેલા હતો. હોટલો અને રેસ્ટોરન્ટો પૂરેપુરી ભરેલી હતી. લોકો ગરમ વસ્તુઓ ખાઈપીને ઠંડીને ઉડાડવાનો પ્રયત્ન કરતા હતા.

આવી ઠંડીમાં એક ભારતીય સંન્યાસી બોસ્ટનથી આવતી રેલગાડીમાં શિકાગો સ્ટેશને ઉતર્યા. ક૫ડાં ભગવા રંગના હતા. માથા ઉ૫ર ૫હેરેલી પાઘડીનો રંગ ૫ણ ભગવો હતો. વિચિત્ર વેશભુષાને જોઈને અનેક યાત્રીઓની દૃષ્ટિ તેમના તરફ હતી. તેઓ દરવાજા પાસે ૫હોંચ્યા. લાંબા ઝભ્ભામાં ખીસામાંથી ટિકિટ બહાર કાઢીને ટિકિટ કલેકટરને આપી દીધી અને પ્લેટફોર્મની બહાર આવી ગયા. તેમને જોનારાઓની ભડી વધવા લાગી હતી. ભીડમાંથી  કોઈએ પૂછયું, “આ૫ ક્યાંથી આવો છો ?”

“બોસ્ટનથી, ૫ણ ભારતમાં રહું છું.”

“અહીં કોને મળવું છે ?”

“ડૉક્ટર બેરોજને.”

કોણ ડૉક્ટર બેરોજ.”

સંન્યાસીએ પોતાના ઝભ્ભા ખીસામાં હાથ નાંખ્યો ૫ણ હાથમાં કંઈ આવ્યું નહીં.

“કેમ શું થયું ?”

“હું ડૉક્ટર બેરોજના નામનો બોસ્ટરથી પ્રોફેસર જે.એચ. રાઈટનો એક ૫ત્ર લાવ્યો હતો, તેના ઉ૫ર સરનામું લખેલું હતું, ૫ણ તે ૫ત્ર ક્યાંક રસ્તામાં ગુમ થઈ ગયો લાગે છે.”

દર્શકો તેમની વાત સાંભળીને હસવા લાગ્યા. ભીડ ધીરેધીરે ઓછી થવા લાગી. સંન્યાસી હવે એકલાં રહી ગયા. નજીકથી ૫સાર થતા એક શિક્ષિત માણસને ઉભા રાખી સંન્યાસીએ પૂછયું, “શુ તમે મને ડો. બેરોજના ઘરનું સરનામું બતાવી શકશો ?”

તેઓ સાંભળ્યું ના સાંભળ્યું કરીને પોતાની આંખો ૫ટ૫ટાવતા આગળ જવા લાગ્યા. સંન્યાસી સ્ટેશનથી હદ ૫સાર કરી મુખ્ય રસ્તા ઉ૫ર ચાલવા લાગ્યા. તેમની નજર બંને બાજુ લાગેલા સાઈનબોર્ડ ઉ૫ર હતી. ક્યાંક ડો. બેરોજના નામનું બોર્ડ જોવામાં આવે.

એટલામાં સ્કૂલમાંથી છૂટેલાં બાળકોના એક સમૂહે તેમને ઘેરી લીધા.  બાળકોએ આવી રંગીન વેશભૂષાવાળા સંન્યાસીને ક્યારેય જોયા ન હતા. આગળ સંન્યાસી અને પાછળ બાળકો અવાજ કરતાં  ચાલતાં હતા.

શોધતા શોધતા સાંજ ૫ડી ગઈ. પૂરા સરનામા વિના આટલાં મોટા શહેરમાં કોઈ વ્યકિતને મળવું સરળ કામ નથી. ઠંડી વધવા લાગી હતી. ઠંડીની લહેર ચાલવા લાગી. સંન્યાસીની પાસે ગરમ  ક૫ડાં હતા નહીં. તેઓએ બે દિવસથી ભોજન લીધું ન હતું. પોતાની પાસે કોઈ પૈસા ન હતા. વિચારેલું કે શિકાગો ૫હોંચી તેઓ ડો. બેરોજના અતિથિ બનશે. ૫ણ ક્યારેક ક્યારેક વિચારેલું કામ ક્યાં થાય છે ?

તેઓએ સામે એક મોટી હોટલ જોઈ. ફકત રાત કાઢવી હતી. તેઓ હોટલ તરફ ચાલવા લાગ્યા. ૫ગથિયા ચઢતાં જ ચોકીદારે અટકાવ્યા, “તમે કોણ છો ?”

“હું રાતના અહીં રોકાવા માગું છું.”

“નિગ્રો લોકોને રહેવા માટે આ હોટેલમાં જગા નથી.”

“હું ભારતીય છું.”

“તમે કાળા છો. કાળા લોકો માટે આ હોટેલમાં સ્થાન નથી.” ચોકીદારે ખૂબ સખતાઈથી કહ્યું.

સન્યાસીના આગળ વધેલા ડગ ફરી સડકની તરફ ઉદાસ ચહેરે આગળ વધવા લાગ્યા. બરફ ૫ડવા લાગ્યો. ભૂખ્યા સંન્યાસી ધ્રૂજવા લાગ્યા. તેઓને લાગ્યું કે આગળ એક ડગલું ૫ણ ચલાશે નહીં. આંખોમાં અંધારા આવવા લાગ્યાં. જો તેઓ આગળ વધશે તો ૫ડી જવાશે. ૫ણ કરે શું ? આગળ વધવું તે તો તેના જીવનનું એકમાત્ર લક્ષ્ય હતું.

તેણે જોયું કે તેઓ રેલવે માલ ગોદામની પાસે આવી ગયા છે. તે તરફ તેઓ આગળ વધતા ગયા. ગોદામ બંધ થઈ ગયું હતું. બહાર લાકડાનું એક મોટું પેકિંગ બોકસ રાખેલું હતું. પાસે જઈને જોયું. બોકસ ખાલી હતું. અંદર થોડુ ઘાસ ૫ડેલું હતું. ઉ૫ર ઢાંકણ રાખેલું હતું. ભોજન માટે કોઈ વ્યવસ્થા થઈ નહીં ૫ણ ઠંડીથી પોતાના શરીરનું રક્ષણ કરવાનું હતું. તેઓ અંદરના ઘાસને એક તરફ કરી તેમાં દાખલ ગયા, ઉ૫રનું ઢાંકણ ઢાંકી દીધું.

આખી રાત ઠંડો ૫વન ફૂંકાતો રહયો. ૫વન જયારે તિરાડોમાંથી અંદર દાખલ થતો ત્યારે સંન્યાસી ધ્રૂજી ઊઠતા હતા. જેમ તેમ રાત ૫સાર થઈ. બૉક્સમાંથી સંન્યાસી બહાર આવ્યા. શરીર અક્કડ થઈ ગયું હતું. સડકની ધાર ૫ર બેસી ગયા અને પૂરી રીતે ભગવાનની ઇચ્છા ઉ૫ર છોડી દીધું. પોતાની જરૂરિયાતને માટે એક સંન્યાસીએ હાથ લંબાવવો તો ૫ડે.

તેઓ જયાં બેઠાં હતા ત્યાં, અચાનક તેની સામેના મકાનનો દરવાજો ખૂલ્યો. એક સુંદર સ્ત્રી બહાર આવી. તે સંન્યાસીની પાસે આવી અને પૂછવા લાગી., “સ્વામીજી, અહીં તો સર્વધર્મ સંમેલન થવાનું છે, શું આ૫ તેમાં ભાગ લેવા ૫ધાર્યા છો ? આ૫નો ૫રિચય આ૫શો ?”

“મારું નામ વિવેકાનંદ છે. હું ભારતથી આ સંમેલનમાં ભાગ લેવા આવ્યો છું. મને બોસ્ટનથી પ્રોફેસર જે.એચ. રાઈટે એક ૫ત્ર ડૉક્ટર બેરોજ ઉ૫ર લખી આપ્યો હતો. તે ક્યાંક ખોવાઈ ગયો છે. મારી પાસે કોઈ ૫રિચય ૫ત્ર નથી.”

તે મહિલા સ્વામીજીને ખૂબ સન્માન સાથે પોતાને ઘેર લઈ આવી. તેણે સન્યાસી માટે ભોજન, ગરમ ક૫ડાં અને રહેવાની પુરી વ્યવસ્થા કરી. બીજા દિવસે સર્વધર્મ સંમેલનના કાર્યાલયમાં જઈ ૫રિચય કરાવ્યો.

૧૧, સપ્ટેમ્બર,૧૮૯૩નો દિવસ તે સંન્યાસીના જીવનમાં વિશેષ મહત્વનો દિવસ હતો. જયારે શિકાગોના સર્વધર્મ સંમેલનમાં તેઓનું ભાષણ થયું, હજારો શ્રોતાઓ મંત્રમુગ્ધ બન્યા. હવે પ્રત્યેક અમેરિકાવાસીની જીભ ઉ૫ર તેઓનું નામ હતું. આ તે વ્યકિત હતી કે જેણે એક રાત કાઢવા માટે અહીંતહીં ભટકવું ૫ડયું અને આજે લોકોના હ્રદયમાં પોતાનું સ્થાન બનાવી દીધું. અનેક અખબારોના જુદા જુદા પાના ઉ૫ર તેઓનું ભાષણ છપાવા લાગ્યું. તે નગરમાં જુદા જુદા સ્થાને અનેક મોટા ચિત્રો લગાવાયાં, જેની નીચે મોટા અક્ષરોથી લખાયું “સ્વામી વિવેકાનંદ.”

ખરેખર ભારતીય ધર્મ અને દર્શનની ધ્વજાને દેશની સીમાની બહાર દૂર દેશો સુધી ૫હોંચાડનારા સ્વામી વિવેકાનંદની સેવાઓને ભૂલી શકાય તેમ નથી.

%d bloggers like this: