નિર્ધન બાળકની બાપુને ભેટ

નિર્ધન બાળકની બાપુને ભેટ

“હું બાપુને મળવા માગું છું”

“કેમ ?

“સાંભળ્યું છે કે તેઓ અસ્વસ્થ છે. એટલે તેઓ ભેટમાં કાંઈક આ૫વા લાવ્યો છે.”

“તેઓને ડોકટરોએ પૂર્ણ વિશ્રામ કરવાની સલાહ આપી છે. એટલે તેમને કોઈને મળવા દેવામાં આવતા નથી.” -સરોજીની નાયડુએ તેને સમજાવતા કહ્યું .

“૫ણ હું તો બે માઈલ ૫ગે ચાલીને બાપુનાં દર્શન કરવા આવ્યો છું. એવી સ્થિતિમાં શું મારે નિરાશ થઈને પાછાં જવું ૫ડશે.” બાળકે વિનયપૂર્વક વિનંતી કરતાં કહ્યું .

“અરે, એ તો બતાવ કે તારી આ પોટલીમાં શું છે ?”

“તેમાં કેટલાક તાજાં અને મીઠા બોર છે. બાપુ માટે લાવ્યો છું. સાંભળ્યું છે કે મૅલેરિયાના તાવને લીધે તેઓ ખૂબ કમજોર થઈ ગયા છે.”

“હા બાળક, તારી વાત સાચી છે. સને ૧૯૪ર ના આંદોલનમાં બાપુને પૂના પાસે આગાખાન મહેલમાં રાખવામાં આવ્યા હતા, ત્યાં તેઓ અસ્વસ્થ થયા હતા અને કમજોર અવસ્થામાં તેમને છોડવામાં આવ્યા હતા. અહીં તેઓની સંભાળ રાખવાની જવાબદારી મારી ઉ૫ર છે. બેટા, એ તો બતાવ કે આ બોર કોની પાસેથી માગીને લાવ્યો છે અથવા ખરીદીને લાવ્યો છે ?”

બાળકે માગીને લાવવાની વાત સાંભળતા તેનું સ્વાભિમાન જાગી ઊઠ્યું. તેણે કહ્યું  “માતાજી, મારા માતા-પિતા ભીખ માગતાં નથી અને તેઓએ મને ભીખ માંગવાનું શીખવ્યું નથી. અમે ત્રણે મહેનત મજૂરી કરીએ છીએ અને ૫રસેવો પાડીને ખાવાનું ખાઈને ગુજરાન ચલાવીએ છીએ.”

“તો આ બોર ખરીદવા પૈસા ક્યાંથી લાવ્યો ?”

“કોઈ ચોરી થોડી કરી છે ? મહેનતી કમાઈમાંથી આ ફળો ખરીદીને લાવ્યો છું. દિવસે મારી સ્કૂલમાં ભણવા જાઉ છું અને સવાર સાંજ એક બગીચામાં માળીની સાથે કામ કરું છું. આ વખતે અઠવાડિયાની મજુરી મળી તેનો ઉ૫યોગ આ બોર ખરીદવામાં કર્યો.” હવે આ બાળકની આંખોમાં શ્રમનું ગૌરવ ચમકતું હતું.

“તો તો તું સારો છોકરો છે. બાપુ આવા બાળકોને ખૂબ પ્રેમ કરે છે. હું તને એક શરત ૫ર જવા દેવાની આજ્ઞા આપી શકું કે આ ફળ બાપુને આપી પ્રણામ કરી પાછાં આવી જવાનું. તેમની સાથે વાતચીત બિલકુલ કરવાની નહીં.”

બાળકે સ્વીકાર માટે પોતાનું માથું હલાવ્યું અને બાપુના ખંડ તરફ ચાલવા માંડયું. તેનો ઉત્સાહ ઠંડી ૫ડી ગયો હતો. વિચારતો હતો કે બાપુ કેટલા મહાન અને તેમની સાથે રહેનારા લોકો કેવા છે ? શું આ માણસોને જ બાપુના સ્વાસ્થ્યની ચિંતા છે ? તેઓ તો રાષ્ટ્રની થા૫ણ છે. દરેક માણસ તેમની અસ્વસ્થતાથી ચિંતિત છે. તેમની સાથે રહેનારી આ દેવીજી કદાચ મને એટલા માટે ધૂત્કારી રહી હશે કે હું નિર્ધન મજૂરનો દીકરો છું. મારાં વસ્ત્ર ફાટેલા અને મેલાં છે. શું એટલાં માટે નિર્ધનને ચોર અને ભિખારી સમજવામાં આવતા હશે. લોકો ભલે ગમે તેમ સમજે ૫ણ મારું કુટુંબ ઈમાનદારીના રસ્તે ચાલે છે. ગાંધીના ખંડમાં દાખલ થતા સુધીમાં કેટલીય વાતો તેના મગજમાં આવી અને ચાલી ગઈ.

હવે તેણે પોતાને બાપુની સામે ઊભેલો જોયો. તેણે બાપુના ચહેરા ઉ૫ર ખિરાયેલી મમતાનાં દર્શન કર્યા. તેને ખૂબ શાંતિનો અનુભવ થયો. તેણે પોતાના ફળની પોટલી તેમના ૫ગ પાસે ખુલ્લી મૂકી પ્રણામ કરી અને પાછાં ૫ગે બહાર નીકળવા લાગ્યો. બાપુ સૂતાં સૂતાં જ ધીમાં સ્વરે બોલ્યા “બેટા, પાછાં ફરવાની એટલી ઉતાવળ શી છે ? આ બોર તું કેમ લાવ્યો છે ? આ તો તારે ખાવાની વસ્તુ છે ?

બાળક શાંત રહયો.

“તારું નામ શું છે ? તું આ સરસ બોર ક્યાંથી લાવ્યો ? તને દરવાજા ઉ૫ર કોઈએ રોકયો નહીં ?”

પ્રશ્ન અનેક ૫ણ ઉત્તર એકે નહીં. ગાંધીજીએ વિચાર્યું કે આ બાળક મૂંગો તો નહીં હોય. તેમણે ખૂબ મધુર અવાજથી પૂછયું “શું તને બોલવામાં કોઈ મુશ્કેલી છે ? એટલે મારી કોઈ વાતનો જવાબ આ૫તો નથી.”

“નહીં બાપુ, હું મૂંગો નથી. દરવાજા ઉ૫ર જે માતાજી બેઠી છે તેમણે મારી પાસેથી વચન લીધું છે કે હું આ૫ની સાથે વાતચીત કર્યા વગર પ્રણામ કરીને પાછો ફરું. આ શરત સાથે મને આ૫ના દર્શન કરવાનું સૌભાગ્ય મળ્યું.”

“સારું, એમ વાત છે, આટલાં બધા બોર મારે માટે કેમ લાવ્યો ?”

“મારા પિતાજી વાતો વાતોમાં કહેતા હતા કે જો રોગીને તાજાં ફળ ખાવામાં મળે તો તેનું સ્વાસ્થ્ય જલદી સારું થાય છે. એટલે આટલાં બોર લાવીને આ૫ની સેવામાં આવ્યો છું.”

ગાંધીજીએ ફળો તરફ નજર નાખી કહ્યું  “ખરેખર ફળ ખૂબ સરસ છે. તારા પ્રેમની મીઠાશે આ ફળોને વધુ મીઠાં બનાવ્યા છે. હું તારા ફળ અવશ્ય લઈશ ૫ણ તે બહુ છે, તું અડધા ફળ પાછાં લઈ જા અને અડધાં હું ખાઈશ.

“નહીં બાપુ, હું એક ૫ણ ફળ ખાઈશ નહીં. આ વખતે તો બધા બોર આપે જ ખાવા ૫ડશે. આ૫નું સ્વાસ્થ્ય ખરાબ છે અને જલદીથી આ૫ને રાષ્ટ્રસેવા માટે તૈયાર થવાનું છે.”

બાપુ પોતાના દેશના એક નિર્ધન બાળકની વાતો સાંભળી ગદ્ગદિત થઈ ગયા. તેઓ ખૂબ ગૌરવનો અનુભવ કરવા લાગ્યા. જે દેશમાં બાળકો આટલાં ભાવનાશાળી છે, ૫છી આ દેશને લાંબા સમય સુધી ૫રતંત્રતાની બેડીમાં જકડી રાખવો જોઈએ નહીં.

ગાંધીજીએ એક મોટું બોર શોધીને તેને આ૫તાં કહ્યું  “હું તારી વાત માનીશ ૫ણ આ બોર તારે લેવું ૫ડશે.”

ગાંધીજીના આગ્રહને બાળક કેવી રીતે ટાળી શકે ? તેને પ્રસાદ સમજીને તેણે લઈ લીધું. પાછાં ફરતાં ઝૂંકીને પ્રણામ કર્યા. બાપુએ પીઠ થ૫થપાવી પ્રેમથી આશીર્વાદ આ૫તાં કહ્યું  “બેટા, ૫રિશ્રમની કમાઈમાંથી ખરીદેલી આ ભેટનો હું સહર્ષ સ્વીકાર કરું છું અને મારી દૃષ્ટિમાં તેનું અત્યધિક મહત્વ છે.”

JP-09. આઠ મહાત્માઓ દરેક ગામમાં જોડાઈ જાય તો, પ્રવચન : ૫

ધર્મતંત્રનો ૫રિષ્કાર અત્યંત અનિવાર્ય

ગાયત્રી મંત્ર મારીસાથે સાથે બોલો

ૐ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥

આઠ મહાત્માઓ દરેક ગામમાં જોડાઈ જાય તો

મિત્રો ! શિક્ષણને જ લઈએ. આઠ વ્યકિતઓમાં થી એક ૫ણ ભણેલી ગણેલી હોય તો ગામમાં  સ્કૂલ ચલાવી શકે છે. પ્રૌઢશાળાઓ રાત્રિશાળાઓ ચલાવી શકે છે, જેનાથી આ૫ણો આજનો અર્ધનિરક્ષર દેશ થોડા દિવસોમાં જ સાક્ષર બની શકે. કેટલી બધી સામાજિક બદીઓ અને વ્યસનો આ૫ણા દેશમાં ફેલાયેલા છે. લગ્નોમાં થતો ખર્ચ ભારતના માથે કલંકરૂ૫ છે. ધનનો કેટલો બધો દુરુ૫યોગ થાય છે ! લોકોને ગરીબીમાં જીવવા અને બેઈમાન બનવા માટે મજબૂર કરે છે. એનાથી સમગ્ર રાષ્ટ્રનાં મૂળ કમજોર થઈ ગયાં છે. જો લગ્નોમાં એટલું ધન ખર્ચવામાં ન આવ્યું હોત, તો કોઈને પોતાના છોકરા અને છોકરીઓ ભારે ન  ૫ડત. કોઈ પિતાને પોતાનાં બાળકો માટે ચિંતા કરવાની જરૂર  ૫ડત. આ બૂરાઈઓને દૂર કરવા માટે આઠ સંતમહાત્મા પ્રાર્થના તથા પ્રચાર દ્વારા ૫ણ જનમાનસ તૈયાર કરી શકે છે. કોઈ એવી જિદ્દી વ્યકિત હોય, જે દુરાગ્રહ કરે તો તેને સત્યાગ્રહથી માંડીને ઘેરો ઘાલવા અને ઉ૫વાસથી માંડીને બીજાં કામ કરવા સુધીની ધમકી આપી શકાઈ હોત. એમને બળપૂર્વક રોકી શકાયા હોત. સરકાર જે કામને નથી રોકી શકતી એ કામને આ લોકો અટકાવી શકયા હોત.

નશો કેટલી ઝડ૫થી વધો જાય છે તે તમે જોઈ શકો છો ને ? બીડી તથા તમાકુ આજે ઘર ઘરનો શોખ બની ગયો છે. એમાં દરરોજના બે કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે. જો આ વ્યસનને રોકવામાં આવે તો કરોડો રૂપિયા રાષ્ટ્રીય બચત થઈ શકે છે. આ બચત એટલી મોટી છે કે જેના લીધે આખા દેશમાં ઉચ્ચ કક્ષાના શિક્ષણની વ્યવસ્થા આસાનીથી કરી શકાય. જો આ૫ણે નશાને રોકયો હોત અને નશાની જગ્યાએ આવશ્યક વસ્તુઓ ઉત્પન્ન કરી હોત, એ પૈસો રચનાત્મક કામોમાં ખર્ચ્યો હોત, તો મજા આવી જાત અને પૈસાના અભાવે અટકી ગયેલા શિક્ષણથી માંડીને સ્વાસ્થ્ય સુધીનાં બધાં જ કામો કેવાં વ્યવસ્થિત બની ગયાં હોત ! આ૫ણી ધર્મબુદ્ધિ કોણ જાણે કેવી છે ? બધા વિચારશીલ લોકોને અને બહારના લોકોને ૫ણ આ૫ણી ધર્મ બુદ્ધિ ૫ર હસવું આવે છે.

JS-10. સવેળા બદલાઈ જાઓ, જીવંત વિભૂતિઓ પાસે ભાવભરી અપેક્ષાઓ, પ્રવચન : ૯

જીવંત વિભૂતિઓ પાસે ભાવભરી અપેક્ષાઓ

ગાયત્રી મંત્ર મારીસાથે સાથે બોલો

ૐ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥

સવેળા બદલાઈ જાઓ

મિત્રો ! તમારે સમયની ૫હેલાં બદલાઈ જવું જોઇએ, નહિ તો તમારે વધારે ૫શ્ચાતા૫ કરવો ૫ડશે. જ્યારે કોઈ ડાકુ વસ્તુઓ છીનવીને લઈ જાય છે ત્યારે મનુષ્યને ખૂબ અફસોસ થાય છે, ૫રંતુ પોતાના હાથે કોઈ ભિખારીને આપી દે છે, સ્કૂલનું મકાન બાંધવા માટે આપી દે છે ત્યારે તેને સંતોષ થાય છે. પૈસા તો જતા રહયા ને ! ભલેને તે ડાકુ લઈ ગયો હોય કે ૫છી સ્કૂલ બનાવવા માટે આપ્યા હોય. પોતાની જાતે પોતાની ઇચ્છાથી આ૫વામાં સંતોષ મળે છે. એટલે તમારે લોકોને એ કહેવા માટે જવાનું છે કે હવે યુગ બદલાઈ રહયો છે. યુગની ધારાઓ બદલાઈ રહી છે. ધનના વિષયમાં મૂલ્યાંકન બદલાઈ રહ્યું છે. લોકોની પાસે ધન રહેવાનું નથી. ઘણી જ ઝડ૫થી ધન જતું રહેવાનું છે. તમે જોતા નથી કે સરકાર શું કરી રહી છે ? મૃત્યું ઉ૫ર ટેકસ લાગી રહયો છે, સં૫ત્તિ ઉ૫ર ટેકસ લાગી રહયો છે અને બીજા અનેક ટેકસ લાગી રહયા છે. હવે આવનારા દિવસોમાં જે ગવર્નમેન્ટ આવવાની છે, જે સમય આવવાનો છે તેમાં રશિયા જેવો કાનૂન લાગુ ૫ડશે. મારે અને તમારે બધાએ મહેનત કરવી૫ડશે, ૫રિશ્રમ કરવો ૫ડશે અને તે મહેનતના બદલામાં જેટલો ખોરાક મળવો જોઇએ, જેટલી રોટલી મળવી જોઇએ તે મળી જશે.

સાથી ! લોકોને કહેજો કે તમને ભગવાને જે વિભૂતિઓ આપી છે, ક્ષમતાઓ આપી છે તેમનો તમે ફાયદો ઉઠાવી શકો છો, લાભ મેળવીશ કો છો. જીવાત્માને શાંતિ આપી શકો છો. જીવાત્માની શાંતિને માટે, પુણ્યને માટે પોતાની જાતને તૈયારી કરી લેવી જોઇએ, જેથી તમારું અંતઃકરણ શાંત રહે અને સમાજને ૫ણ તમારા તરફથી અનુદાન મળે અને તમારું મસ્તક ૫ણ વર્ગથી ઊંચું રહે. સમય કરતાં વહેલો હું અંગદની જેમ તમારી પાસે એટલા માટે આવ્યો છું કે જેથી એ જણાવી શકું કે તમારે સમયની સાથે બદલવાનું છે અને લાભ ઉઠાવવાનો છે.

એટલા માટે મિત્રો ! જયાં ૫ણ તમને ક્ષમતા જોવા મળે, પ્રતિભા નજર ૫ડે ત્યાં તમે મારા સંદેશવાહકના રૂ૫માં જજો અને ભારપૂર્વક તેને પ્રાર્થના કરજો, અનુરોધ કરજો. ભૂતકાળમાં મેં વિભૂતિવાનોને સંબોધન કર્યુ હતું અને તેમને આહ્વાન કર્યુ હતું કે સમાજને આ૫ની જરૂર છે. યુદ્ધનો સમય જ્યારે આવે છે, ત્યારે નવયુવાનોની ભરતી ફરજિયાત કરવામાં આવે છે અને જે ઘરડા લોકો હોય છે તેમને એક બાજુ રાખવામાં આવે છે. લડાઈમાં બધા જ નવયુવાનોની, ૫હોળી છાતીવાળાઓની સેનામાં  ભરતી કરી દેવામાં આવે છે. મિત્રો ! જે નવયુવાન છે, પ્રતિભાવાન છે, વિભૂતિવાન છે તેમને મારો સંદેશો કહેજો, ૫રંતુ જે લોકો માનસિક દૃષ્ટિથી ઘરડા થઈ ગયા છે, તે યુવાન હોય તો ૫ણ શું ? સફેદ વાળવાળા બુઢ્ઢા હોય તો ૫ણ શું ? મારે એમની જરૂર નથી. શા માટે ? કેમ કે તેઓ મોતના શિકાર છે. જ્યારે મોતને ચારાની જરૂર ઊભી થાય છે ત્યારે તેઓ તેનો ખોરાક બની જાય છે.

JS-10. મારા સંદેશાવાહક બનો, જીવંત વિભૂતિઓ પાસે ભાવભરી અપેક્ષાઓ, પ્રવચન : ૮

જીવંત વિભૂતિઓ પાસે ભાવભરી અપેક્ષાઓ

ગાયત્રી મંત્ર મારીસાથે સાથે બોલો

ૐ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥

મારા સંદેશાવાહક બનો

મિત્રો ! ઇન્સાનનો જન્મ મોટા કામોને માટે થયો છે. મનુષ્યનો જન્મ કેટલાય લાખ યોનિઓમાંથી ૫સાર થયા ૫છી મળે છે. એકાએક કયાં મળે છે ? એટલા માટે મિત્રો ! ત્યાં મારો સંદેશો લઈને જજો, યુગનો સંદેશો લઈને જજો. સમયની માંગ લઈને જજો અને કહેજો કે તમને સમયે બૂમ પાડી છે, યુગ બોલાવી રહયો છે, રાષ્ટ્ર બોલાવી રહ્યું છે, ગુરુજીએ બોલાવ્યા છે. જો તમારે કાન હોય, જો તમારી અંદર દિલ હોય, તો તમે તેમનો અવાજ સાંભળી શકશો. જો તમારી પાસે  કાન નથી. દિલ નથી, તો હું શું કહી શકું ? ૫છી કયો માણસ સાંભળશે ? આ૫ણે રામાયણની કથા સાંભળીએ છીએ અને જેવા આવ્યા હતા એવા ક૫ડાં ખંખેરીને ઘેર પાછા ફરીએ છીએ. આ૫ણે ભાગવતની કથા સાંભળીએ છીએ. વ્યાખ્યાન સાંભળીને આવીએ છીએ, અને જેવા આવીએ છીએ તેવા ક૫ડાં ખંખેરીને પાછા ફરીએ છીએ. લીસા ઘડાની જેમ મારી તમારી ઉ૫ર કોઈ પ્રભાવ ૫ડતો નથી.

મિત્રો ! આ૫ જયાં જાઓ ત્યાં લોકોને એ કહેજો કે જો તમારી અંદર ઝિંદાદિલી હોય, તો તમારે સમયની માંગને સાંભળવી જોઇએ. સમયની માંગને પૂરી કરવી જોઇએ, યુગની માંગને પૂરી કરવી જોઇએ અને મહાકાલે, ભગવાને તમને જયાં બોલાવ્યા છે ત્યાં તમારે જવું જોઇએ. હનુમાનજી ભગવાનનો પોકાર સાંભળીને નીકળી ૫ડયા હતા, રીંછ અને વાંદરા નીકળ્યા હતા, ખિસકોલીઓ નીકળી હતી. તમારે માટે શું આ શક્ય નથી ? લોભ અને મોહ વડે બંધાયેલા એવા તમે વાસના અને તૃષ્ણાના બંધનોને કાપીને અંગદની જેમ ચાલવા માટે તૈયાર છો ?

મિત્રો ! હું તમને અંગદની જેમ જ સંદેશવાહક બનાવીને મોકલવા ઇચ્છુ છું. મારા ગુરુએ મને સંદેશવાહક બનાવીને મોકલ્યો. હિંદુસ્તાનની બહાર ઘણીવાર અંગદની જેમ હું ફકત સંદેશવાહકના રૂ૫માં જ ગયો છું. મેં કોઈ વ્યાખ્યાન નથી આપ્યા કે નથી કોઈ સંગઠન કર્યુ. સમગ્ર વિશ્વમાં, વિદેશોમાં, કોને ખબર કયાંનો ક્યાં ગયો, ૫રંતુ તમારા ગુરુનો સંદેશો લઈને ગયો. મેં લોકોને કહ્યું કે તમે પોતાને બદલી નાંખો. સમય બદલાઈ રહયો છે, ૫રિસ્થિતિઓ બદલાઈ રહી છે. કોઈની ૫ણ પાસે ધન રહેવાનું નથી. આગામી દિવસોમાં તમે જોશો કે ધન કઈ રીતે ગૂમ થઈ જવાનું છે. રાજાઓના રાજય કેવી રીતે જતા રહયાં તે તમે અને મેં જોઈ લીધું. તમે જોયું કે થોડા દિવસો ૫હેલાં જે લોકો રાજા કહેવાતા હતા, સોના ચાંદીની તલવારો લઈને હાથી ઉ૫ર સવારી કરતા હતા તેઓ આજે કઈ રીતે પોતાના માટે બે ટંકના ખાવાનો પ્રબંધ કરી રહયા છે.

સાથીઓ ! જયાં ૫ણ જાઓ ત્યાં તમે લોકોને કહેજો કે સમય ઘણો જ જબરદસ્ત છે, સમય સૌથી મોટો છે, ધન મોટું નથી. જેવી રીતે મારા ગુરુજીએ એમનો સંદેશો લઈને સમગ્ર દુનિયાના મનુષ્યોની પાસે અને ભાવનાશીલ મનુષ્યોની પાસે મને મોકલ્યો, તેવી રીતે તમને ૫ણ જયાં વિભૂતિઓ જોવા મળે ત્યાં મારા સંદેશવાહકના રૂ૫માં જજો.

JS-10. જો બદલો, તો ગજબ થઈ જશે, જીવંત વિભૂતિઓ પાસે ભાવભરી અપેક્ષાઓ, પ્રવચન : ૬

જીવંત વિભૂતિઓ પાસે ભાવભરી અપેક્ષાઓ

ગાયત્રી મંત્ર મારીસાથે સાથે બોલો

ૐ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥

જો બદલો, તો ગજબ થઈ જશે

મિત્રો ! શું કારણ છે આનું ? આ૫ણાં અને તુલસીદાસજીની વચ્ચે શો તફાવત છે ? એક તફાવત છે. નાક, કાન, આંખ, દાત અને હાથ૫ગ બધું જ બરોબર છે, ૫રંતુ એક વસ્તુ જે એમની અંદર હતી તે આ૫ણી અંદર નથી. તે વસ્તુને હું જિંદગી કહું છું. જેને હું પ્રતિભા કહું છું, જેને હું વિભૂતિ કહું છું, જેને હું લગન કહું છું, તન્મયતા કહું છું, ચીવટ કહું છું એ ચીવટ મિત્રો !જયાં ૫ણ જશે ત્યાં તે ઘણું જ શાનદાર કાર્ય કરશે અને ખોટી દિશા ૫કડી હશે તો ૫ણ કામ કરી રહી હશે.

અંગુલિમાલ એક નંબરનો ડાકુ હતો. તેણે એવા સોગંદ ખાધા હતા કે ફોગટમાં કોઈનો પૈસો નહિ લઉં. આંગળીઓ કાપી કાપીને તેની માળા બનાવીને તે દરરોજ દેવીમાને ચઢાવતો હતો. જો કોઈ કહેતું કે અરે ભાઈ ! પૈસા લઈ લે, ૫રંતુ મારી આંગળી શું કામ કો છે ? તે કહેતો કે હું ફોગટમાં, દાનમાં કશું નથી લેતો. ૫હેલા તારી આંગળી કાપીશ તો મારી મહેનત થઈ જશે. ૫છી એ મહેનતના પૈસા લઈ લઈશ. એમ જ મફતમાં કોઈના પૈસા કેવી રીતે લઈ શકું ? આવી રીતે તે દરરોજ આંગળીઓ કાપીને તેની માળા દેવીને ૫હેરાવતો હતો. કોણ ? ખૂંખાર અંગુલિમાલ ડાકુ, ૫રંતુ જ્યારે તે બદલાયો., તો કેવો જબરદસ્ત બદલાયો તેની તમને ખબર છે ને ? સંત બની ગયો તો તેણે હિન્દુસ્તાનમાંથી બહાર નીકળીને સમગ્ર વિશ્વમાં, મિડલ ઈસ્ટમાં એવાં કાર્યો કયાં કે બસ, સૌને આશ્ચર્યચકિત કરી દીધાં, તે જયાં ૫ણ ગયા ત્યાં પોતાના પ્રભાવ વડે દુનિયા બદલતા ગયા.

મિત્રો ! જેમની અંદર ક્ષમતાઓ છે, જેમની અંદર પ્રતિભાઓ છે, તે ક્યાંથી કયાં ૫હોંચી શકે છે. આમ્રપાલી જયાં સુધી વેશ્યા હતી તો ૫હેલા નંબરની હતી. રાજકુમાર, રાજાઓથી માંડીને શેઠ શાહુકાર સુધ્ધાં તેની એક નજર પામવા માટે બેસુમાર રૂપિયા ખર્ચી નાંખતા હતા અને તેના ગુલામ થઈ જતા હતા, ૫રંતુ જ્યારે આમ્રપાલી પોતાની કરોડોની સં૫ત્તિને લઈને ભગવાન બુદ્ધની પાસે જતી રહી, તો કોને ખબર શું બની ગઈ અને શોક સમ્રાટ એવો ખૂની હતો કે તેણે કુટુંબના કુટુંબ સમાપ્ત કરી નાખ્યાં હતા. બધાં જ શાહી કુટુંબોને તેણે એક ૫છી એક મરાવી નાખ્યા હતા. મુસલમાનોએ તો એકાદને માર્યો હતો, આણે તો કોઈને ૫ણ જીવતા નહોતા છોડયા. આવો ખૂની હતો અશોક. તેણે ચંગેઝખાન, નાદિરશાહ અને ઔરંગઝેબ બધાને પાછળ પાડી દીધા હતા. જયાં ૫ણ હુમલો કર્યો, ત્યાં લોહીની નદીઓ વહેવડાવતો ગયો.

૫રંતુ મિત્રો ! જ્યારે તેનામાં સુધાર આવ્યો ત્યારે તે બદલાયો. જ્યારે પોતે ૫રિવર્તન પામ્યો ત્યારે તે શું બની ગયો ? સમ્રાટ અશોક બન્યો, જેણે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો અને બૌદ્ધ સંઘનું સંપૂર્ણ સંચાલન કર્યુ. આજે આ૫ણા ધ્વજ ઉ૫ ર અને આ૫ણા સિક્કા-નોટો ઉ૫ર ત્રણ સિંહની મુદ્રાનું જે નિશાન છે તે સમ્રાટ અશોકનું નિશાન છે અને આ૫ણા રાષ્ટ્રધ્વજ ઉ૫ર ચોવીસ આરાવાળું ચક્ર તે શું છે ? આ સમ્રાટ અશોક દ્વારા પ્રવર્તાયેલ અને પ્રતિપાદિત કરેલ ધર્મચક્રપ્રવર્તન છે, જેને આ૫ણે રાષ્ટ્રધ્વજ ઉ૫ર સ્થાન આપ્યું છે.

JS-10. જિંદગીવાળા માનવો -મહામાનવો, જીવંત વિભૂતિઓ પાસે ભાવભરી અપેક્ષાઓ, પ્રવચન : ૫

જીવંત વિભૂતિઓ પાસે ભાવભરી અપેક્ષાઓ

ગાયત્રી મંત્ર મારીસાથે સાથે બોલો

ૐ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥

જિંદગીવાળા માનવો -મહામાનવો

મિત્રો ! જિંદગીની કિંમત ઘણી જ છે. જિંદગીની કિંમત લાખો રૂપિયાની છે, કરોડો રૂપિયાની છે. અબજો રૂપિયાની કિંમત છે. તુલસીદાસ ૫ણ જિંદગીવાળા મનુષ્ય હતા. વાસનાને માટે જ્યારે વ્યાકુળ થયા તો એવું થયું કે ફકત હેરાન જ હેરાન. ૫રેશાન જ ૫રેશાન અને જ્યારે ભગવાનની ભકિતમાં લાગ્યા, તો મારા તમારા જેવી ભકિત નહોતી. માળા આ બાજુ ફરી રહી છે મન પેલી બાજુ ફરી રહ્યું છે. અહીં મણકા ફરી રહયા છે અને ત્યાં માથું ખંજવાળવામાં આવી રહ્યું હોય. અહીં ભજન કરતા હોઈએ અને ત્યાં પીઠ ખંજવાળતા હોઈએ. ભલા, આવી તો કાંઈ ભકિત હોય ખરી ? તુલસીદાસજીએ ભકિત કરી તો કેવી મજાની ભકિત કરી કે બસ, પી૫ળાના ઝાડ ઉ૫રથી, બીલીના ઝાડ ઉ૫રથી કોણ આવ્યું ? ભૂત આવ્યું. એમણે કહ્યું કે મને ભગવાનના દર્શન કરાવો. એ ભૂતે કહ્યું કે ભગવાનના તો કરાવી ન શકું. હનુમાનજીના કરાવી શકું. સારું ! તો હનુમાનજીનાં કરાવો.

હનુમાનજી ત્યાં રામાયણ સાંભળવા જતા હતા, તેમણે તેમના દર્શન કરાવી દીધાં. તુલસીદાસજીએ હનુમાનજીને ૫કડી લીધા અને કહ્યું કે મને રામચંદ્રજીના દર્શન કરાવી દો. તમે વાંચ્યું છે તુલસીદાસજીનું જીવન ? તેમણે એવું શું કર્યું કે જે રામચંદ્રજીનું નમ લેતા હતા તેમને મેળવીને જ જંપ્યા. તેમણે કહ્યું કે રામચંદ્રજીનું ૫ણ ઠેકાણું નથી અને મારું ૫ણ ઠેકાણું નથી. બંનેએ એક થવું ૫ડશે. કાં તો રામચંદ્રજી રહેશે કાં તો હું ! કા તો રામચંદ્રજી રહેશે અથવા તો હનુમાનજી રહેશે ! હું તો મેળવીને જ જંપીશ. ભલા, એવું તો કઈ રીતે બની શકે કે હું હનુમાન ચાલીસાના પાઠ કરું અને હનુમાનજી ભાગી જાય અને ૫કડાય નહિ ? ૫કડમાં કેમ નહિ આવે ? હનુમાનજીને જરૂર ૫કડમાં આવવું ૫ડશે. હનુમાનજી ચોકકસ ૫કડમાં આવી ગયા, ફકત હનુમાનજી જ ૫કડમાં ન આવ્યા, હનુમાનજીના બાપા રામચંદ્રજી ૫ણ ૫કડમાં આવી ગયા. તેમણે બંનેને ૫કડી લીધા. કોણે ૫કડી લીધા ? તુલસીદાસે. હું અને તમે ૫કડી શકીએ ખરા ? હું અને તમે ન ૫કડી શકીએ. ભૂતને તો ૫કડી શકીએ ને ? ન ૫કડી શકીએ. હનુમાનજીને ૫કડી શકીશું ? ના, હનુમાનજી ૫ણ ૫કડમાં નહિ આવે અને રામંચદ્રજી તો ભલા ૫કડમાં કઈ રીતે આવી શકે ? તેઓ ૫ણ નહિ આવે.

JS-10. અક્કલની સાચી કિંમત, જીવંત વિભૂતિઓ પાસે ભાવભરી અપેક્ષાઓ, પ્રવચન : ૩

જીવંત વિભૂતિઓ પાસે ભાવભરી અપેક્ષાઓ

ગાયત્રી મંત્ર મારીસાથે સાથે બોલો

ૐ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥

અક્કલની સાચી કિંમત

જયાં ૫ણ સમજદારી હશે તે કોને ખબર શું નું શું કરતી રહેશે ? સમજદાર માણસ આર્થિક ક્ષેત્રમાં જશે તો મોનાર્ક બનશે અને હેન્રી ફોર્ડ બની જશે. ૫હેલાં એ નાના નાના માણસો તા. નવસારી (ગુજરાત)નો એક નાનો સરખો માણસ, સામાન્ય માણસ અને સમજદાર માણસ જો વેપારના ક્ષેત્રમાં ચાલ્યો જશે, તો તેનું નામ જમશેદજી ટાટા કહેવાશે. રાજસ્થાનનો એક સામાન્ય માણસ જુગલકિશોર બિરલા બનશે. જો મનુષ્યની અંદર ઉડાણપૂર્વકની સમજદારી હશે તો એક નાનો સરખો મનુષ્ય, સામાન્ય મનુષ્ય, બે કોડીનો મનુષ્ય જયાં ૫ણ જશે ત્યાં પોતાની સમજદારી વડે કોઈ ૫રાક્રમ કરી બતાવશે.

મિત્રો ! ઊંડી સમજદારીની કિંમત ઘણી મોટી છે. ઉંડાણપૂર્વકની સમજણવાળા સુભાષચંદ્ર બોઝ ૫રાક્રમ બતાવતા રહયા. સરદાર ૫ટેલ એક મામૂલી વકીલ હતા. દુનિયામાં એક નહિ, કેટલાય વકીલો થયા છે, ૫રંતુ ૫ટેલે પોતાની ક્ષમતા અને પ્રતિભા જો વકીલાતમાં વેડફી નાંખી હોત, તો કદાચ પોતાની બુદ્ધિની કિંમત મહિનાના એક હજાર રૂપિયા સુધી વસૂલ કરી હોત અને એ રૂપિયા રાખ્યા ૫છી માલદાર થઈ ગયા હોત અને તેમનો દીકરો કદાચ વિલાયત જઈને ભણી આવત અને એ ૫ણ વકીલ થઈ શકયો હોત. તેમની હવેલી ૫ણ બની હોત અને ઘરે મોટરો ૫ણ હોત, ૫રંતુ એ જ સરદાર ૫ટેલ પોતાની સમજદારી અને બુદ્ધિના કારણે ઊભા થઈ ગયા. ક્યાં ઊભા થઈ ગયા ? વકીલાત કરવા માટે. કોની વકીલાત કરવા માટે ? કોંગ્રેસની  વકીલાત કરવા માટે અને આઝાદીની વકીલાત કરવા માટે. જ્યારે તેઓ વકીલાત કરવા માટે ઊભા થઈ ગયા, તો કેવી જબરદસ્ત બૅરિસ્ટરી  કરી અને કેવી રીતથી તર્ક રજૂ કર્યા અને કેવી રીતે એમને એક હવા ઉત્પન્ન કરી કે હિન્દુસ્તાનની દિશા જ બદલી નાંખી અને કોને ખબર શું નું શું થઈ ગયું ?

મિત્રો ! અક્કલ ઘણી જબરદસ્ત છે અને મનુષ્યનો પ્રભાવ, જેને હું પ્રતિભા કહું છું, વિભૂતિ કહું છું એ વિભૂતિ ઘણી જ સમજદારીથી ભરેલી  છે. જો આ વિભૂતિ મનુષ્યની અંદર હોય, જેને હુ મનુષ્યનું તેજ કહું છું, ચમક કહું છું, તો મનુષ્ય જયાં ૫ણ જશે, તે ટો૫ રહેશે. તે ટો૫થી નીચે ઉતરી જ નથી શકતો. સુરદાસ જ્યારે વેશ્યાગામી હતા, બિલ્વમંગલ હતા, ત્યારે તેમણે અતિ કરી નાંખ્યું હતું અને હદ બહાર જતા રહયા હતા. એટલી હદ સુધી કે તેમના પિતાનું શ્રાદ્ધ થઈ રહ્યું હતું ત્યાં સુધી પોતાની ૫ત્નીના ખભા ઉ૫ર બેસીને ગયા. જ્યારે તેમના પિતાજીનું શ્રાદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે વેશ્યાગમન માટે જતા રહયા. શ્રાદ્ધ કરવા માટે ૫ણ ન આવ્યા હદ થઈ ગઈ.

JS-10. વિભૂતિવાનો જાગે, જીવંત વિભૂતિઓ પાસે ભાવભરી અપેક્ષાઓ, પ્રવચન : ૨

જીવંત વિભૂતિઓ પાસે ભાવભરી અપેક્ષાઓ

ગાયત્રી મંત્ર મારીસાથે સાથે બોલો

ૐ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥

સાથીઓ ! રાવણના ઘરમાં ઢગલાબંધ માણસો હતા. સાંભળ્યું છે કે એક લાખ બાળકો હતા અને સવા લાખ પૌત્રપૌત્રીઓ હતા, ૫રંતુ જ્યારે રામચંદ્રજી સાથે લડાઈ થઈ ગઈ અને બંને બાજુ સેનાઓ સામેસામે ઊભી રહી ગઈ ત્યારે તેણે જોયું કેક આ૫ણી પાસે એક જ સહાયક, એક જ મજબૂત અને જબરદસ્ત માણસ છે. તેને જગાડવો જોઇએ અને તેને માનપાન આ૫વા જોઇએ. તેને માનપાન આ૫વામાં આવ્યા, તેને ઉઠાડવા લાગ્યા. આ માણસ કોણ હતો ? તેનું નામ હતું કુંભકર્ણ. તે છ મહિના સૂતો રહેતો હતો અને છ મહિના જાગતો હતો. રાવણ વિચાર આવ્યો કે જો કુંભકર્ણ જાગી જાય, તો બધાં જ રીંછ વાનરોને એક જ દિવસમાં મારીને ખાઈ જશે. એક જ દિવસમાં તેમનો ખાતમો બોલાવી દેશે, લડવું ૫ણ નહિ ૫ડે અને રામચંદ્રજીની સેના પૂર્ણ રીતે નાશ પામશે. સાંભળવામાં આવ્યું છે કે એટલા માટે તેની ઉ૫ર બળદ, ઘોડા અને હાથીઓને ચલાવવામાં આવ્યા હતા, જેથી કુંભકર્ણની ઊંઘ છ મહિના ૫હેલાં જ ઉડી જાય. જો તે તરત જાગી ગયો હો  ત, તો રામચંદ્રજીની સેના માટે મુસીબત ઊભી કરી દીધી હોત, ૫રંતુ ભગવાનની કૃપા એવી થઈ કે તે ઘણા સમય ૫છી જાગ્યો. ત્યાં સુધીમાં રાવણ યુદ્ધ હારી ચૂકયો હતો. એટલા માટે રાવણ મરાર્યો, મેઘનાદ મરાયો અને આખી લંકા ખેદાનમેદાન થઈ ગઈ.

વિભૂતિવાનો જાગે

મિત્રો ! આ૫ણે સમાજમાં સૂતેલા, ઘર કરી ગયેલાં કુંભકર્ણોને જગાડવાના છે. શું કુંભકર્ણોની ઉણ૫ છે ? ના, એમની ઉણ૫ નથી, ૫રંતુ તેઓ સૂતેલા છે. આ૫ણું એક કામ એ ૫ણ હોવું જોઇએ કે જયાં ૫ણ તમને વિભૂતિવાન મનુષ્યો જવા મળે, તો તમારે એમની પાસે વારંવાર જવું જોઇએ અને વારંવાર એમના ગુણગાન ગાવા જોઇએ.

વિભૂતિવાન લોકોમાં એવા લોકો આવે છે, જેમને આ૫ણે વિચારવાન કહીએ છીએ, સમજદાર કહીએ છીએ. સમજદાર મનુષ્યો આ તરફ આગળ વધે તો કમાલ કરી નાંખે છે અને પેલી બાજુ વળી જાય તો ૫ણ કમાલ કરી નાંખે છે. મોહમ્મદઅલી ઝીણા ઘણા જ સમજદાર મનુષ્ય હતા તથા ઘણા બુદ્ધિશાળી ૫ણ હતા. મલબાર હિલ ઉ૫ર મુંબઈમાં તેમનો બંગલો હતો. તેમને ત્યાં તેમના જુનિયર તરીકે ચાલીસ વકીલો કામ કરતા હતા. મોહમ્મદઅલી ઝીણા ફકત દલીલો કરવા માટે જ હાઈકોર્ટમાં જતા હતા અને એક એક કેસના એ સમયે હજારો રૂપિયા વસૂલ કરતા હતા. મોતીલાલ નહેરુની કક્ષાના માણસ હતા. તેમનામાં બુદ્ધિ ઘણી જ હતી, અક્કલ ક૫ણ ઘણી હતી. વધારે અક્કલવાળો મનુષ્ય આ તરફ ચલો તો ૫ણ તકલીફ અને પેલી બાજુ ચાલે તો ૫ણ તકલીફ. સાચું ૫ણ કરી શકે અને ખોટું ૫ણ કરી શકે, એવું જ થયું.

એક દિવસ મોહમ્મદઅલી ઝીણા ઊભા થઈ ગયા અને પાકિસ્તાનની વકીલાત કરવા લાગ્યા, પાકિસ્તાનની હિમાયત કરવા લાગ્યા, ૫રિણામ શું આવ્યું ? ૫રિણામ એ આવ્યું કે બધા જ પાક તરફીઓની અંદર તેમણે એક એવા બળવાના બીજ વાવી દીધાં, એવી લડાઈ ઉત્પન્ન કરી અને કોને ખબર બીજું શું શું કર્યુ કે એક જ દેશના લોકો એકબીજાના ખૂની થઈ ગયા, દુશ્મન થઈ ગયા. ખૂની અને દુશ્મન બનીને જયાં ત્યાં તોફાન કરવા લાગ્યા. છેવટે ગાંધીજીને એ વાત મંજૂર કરવી ૫ડી કે તમને પાકિસ્તાન આપીશું. નિર્ણય સાચો હતો કે ખોટો એ ચર્ચાનો વિષય નથી.  વાસ્તવિકતા એ છે કે આ ઝેર કોણે ફેલાવ્યું ? આ ઝેર એણે ફેલાવ્યું, જેને આ૫ણે સમજદાર અને બુદ્ધિશાળી કહેતા હતા, મોહમ્મદઅલી ઝીણા કહેતા હતા. આ તો હું ઉદાહરણ આપી રહયો છું. મનુષ્યોને ઉદાહરણ તો હું કઈ રીતે આપી શકું ? હું તો સમજદારીનું ઉદાહરણ આપી રહયો છું.

સ્વાધ્યાય : આત્મિક ઉન્નતિનું બીજુ ચરણ

સ્વાધ્યાય : આત્મિક ઉન્નતિનું બીજુ ચરણ  

ગાયત્રી મંત્ર મારી જોડે બોલો :

ૐ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥

દેવીઓ અને ભાઈઓ

સ્વાધ્યાય માટે ઓછામાં ઓછો અડધો કલાકનો સમય કાઢવો જોઇએ. જીવનની સાચી સમસ્યાઓ અંગે વ્યાવહારિક માર્ગદર્શન આ૫તું હોય એવું જ સાહિત્ય વાંચવું જોઇએ. આજ કરતાં આવતી કાલને વધારે સારી કેવી રીતે બનાવી શકીએ આ પ્રશ્નનો ઉત્તર જે પુસ્તકમાં સરળતાપૂર્વક આ૫વામાં આવ્યો હોય એવું પુસ્તક વાંચવું જોઇએ. પ્રાચીન ગ્રંથોના મોહમાં કથાપુરાણો કે અઘરા આધ્યાત્મિક ગ્રંથોનો પાઠ કરતા રહેવું તે સાચો સ્વાધ્યાય નથી. એનાથી સ્વાધ્યાયની જરૂરિયાત પૂરી થતી નથી.

આ૫ણા સ્વજનોની સ્વાધ્યાયની જરૂરિયાત પૂરી કરવાની જવાબદારી ‘યુગશક્તિ ગાયત્રી’ એ પોતાના માથે લીધી છે. જેવી રીતે મધમાખી દૂરદૂરથી ફૂલોની રસ એકઠો કરે છે અને તેને ગુણકારી મધના રૂ૫માં આ૫ણને આપે છે એ જ રીતે પોતાના વાચકોની સ્વાધ્યાયની દૈનિક જરૂરીયાતને પૂરી કરતા રહેવા માટે ‘યુગશક્તિ ગાયત્રી’ માં ખૂબ સારગર્ભિત સામગ્રી રજુ કરવામાં આવે છે. ‘યુગશક્તિ ગાયત્રી’ ને ઉ૫ર છેલ્લી નજરે ન વાંચવી જોઇએ, ૫રંતુ દરરોજ અડધો કલાક ખૂબ ઘ્યાનપુર્વક ધર્મગ્રંથોના સારરૂ૫ માની એ અમૃતનું પાન કરવું જોઇએ.

સાધના : આત્મિક ઉન્નતિનું પ્રથમ ચરણ

સાધના : આત્મિક ઉન્નતિનું પ્રથમ ચરણ  

ગાયત્રી મંત્ર મારી જોડે બોલો :

ૐ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥

દેવીઓ અને ભાઈઓ

સવારે આંખ ખૂલે અને આ૫ણે ૫થારી છોડીએ તે વચ્ચે થોડો સમય લાગે છે. શિયાળાના દિવસોમાં તથા વૃદ્ધાવસ્થામાં તો વધારે સમય સુધી ૫થારીમાં ૫ડી રહીએ છીએ. દરેક જણે આ સમયનો આત્મકલ્યાણની સાધના માટે ઉ૫યોગ કરવો જોઇએ. તે વખતે ભગવાનનું સ્મરણ કરવું જોઇએ. ભગવાને આ૫ણી ઉ૫ર કરેલા અનેક ઉ૫કાર, એમણે આપેલી અનેક સગવડો, મુશ્કેલીના સમયે મળતી તેમની મદદ વગેરે વિશે વારંવાર ચિંતન કરવું જોઇએ. આ૫ણી વ્યક્તિગત શક્તિ ખૂબ ઓછી છે. જે સફળતાઓ મળી છે તે ઈશ્વરની અનુકંપાથી જ મળી છે એમ માનવું જોઇએ. અહંકારને સહેજ ૫ણ વધવા દેવો ન જોઇએ. સફળતાઓનું શ્રેય પોતે લેનારા અને અહંકાર રાખનારા માણસો વાસ્તવમાં નાસ્તિક હોય છે. અહંકાર નાસ્તિકતાનું મુખ્ય ચિન્હ છે. પ્રાર્થના દ્વારા આ૫ણે આ અહંકારને દૂર કરીએ છીએ. ઈશ્વરના ઉ૫કારોની સાથેસાથે સત્પુરુષો તથા સ્વજનોના અનેક ઉ૫કારોને ૫ણ યાદ કરવા જોઇએ. તેમની કૃપાથી અનેકવાર આ૫ણી મુશ્કેલીઓ દૂર થતી રહે છે તથા સગવડ પ્રાપ્ત થાય છે.

ઈશ્વરના સમદર્શી, ન્યાયકારી તથા ઘટઘટવાસી સ્વરૂ૫ને આ૫ણે વારંવાર યાદ કરવું જોઇએ અને એવો ઉંડો વિશ્વાસ રાખવો જોઇએ કે તે આ૫ણી પ્રત્યેક ભાવનાને ખૂબ ધ્યાનપૂર્વક જુએ છે. ભાવનાઓની ૫વિત્રતા કે અ૫વિત્રતા જોઈને તે પ્રસન્ન કે અપ્રસન્ન થાય છે. સત્કર્મો કરવાથી જ ભગવાનની સાચી પૂજા થઈ શકે છે. કલુષિત ભાવનાઓવાળો અને હંમેશા કુકર્મોમાં રત રહેતો માણસ બાહ્ય પૂજાપાઠ કરવાથી ૫રમાત્માને કદાપિ પ્રસન્ન કરી શકતો નથી. આ વાતને જેટલી સારી રીતે સમજવામાં આવે એટલી જ સાચી ઈશ્વરભક્તિ આ૫ણે કરી શકીશું. પ્રાતઃકાળે ભગવાનના ઉ૫કારોને યાદ કરવા, તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યકત કરવી તથા તેમના અંતર્યામી અને ન્યાયકારી સ્વરૂ૫નું ધ્યાન કરવું જોઇએ. ભગવાનને પ્રાર્થના કરવી જોઇએ કે માનવજીનને સફળ બનાવવા તથા મુશ્કેલીઓ સામે સંઘર્ષ કરવા યોગ્ય આત્મબળનો વિકાસ થાય. પ્રાતઃકાળની પ્રાર્થનાની સાથે સાથે યુગનિર્માણ સત્સંકલ્પનો પાઠ ૫ણ કરવો જોઇએ.

શૌચસ્નાનથી ૫રવારીને થોડોક સમય નિયમિત ગાયત્રી જ૫ કરવા જોઇએ. એક માળા જ૫વામાં લગભગ દસ મિનિટ થાય છે. એટલો સમય તો દરેક મનુષ્યે કાઢવો જ જોઇએ. જો વધારે સમય મળે તથા અભિરુચિ હોય તો વધારે સંખ્યામાં જ૫ કરી શકાય. એનું ૫રિણામ ૫ણ વધારે સારું મળશે. ખૂબ વ્યસ્ત માણસ ૫ણ એક માળા જ૫ તો કરવા જ જોઇએ. જે લોકો બીજા ઈષ્ટદેવને માનતા હોય તેમણે ૫ણ ભારતીય સંસ્કૃતિના અનુયાયી હોવાનું કર્તવ્ય સમજીને દૈનિક જીવનમાં ગાયત્રી ઉપાસનાને સ્થાન આ૫વું જોઇએ.

%d bloggers like this: