પ્રકૃતિનો રુદ્રાભિષેક – સ્વલ્પથી સંતોષ, સૂનકારના સાથીઓ

પ્રકૃતિનો રુદ્રાભિષેક – સ્વલ્પથી સંતોષ, સૂનકારના સાથીઓ


આજે આખે રસ્તે પહાડી લોકોના કષ્ટસાધ્ય જીવનને વધુ ધ્યાનથી જોયું અને ઊંડા વિચાર કરતો રહ્યો. પહાડોમાં જ્યાં થોડી થોડી ચાર છ હાથ જમીન કામ લાગે તેવી મળી છે ત્યાં નાનાં નાનાં ખેતરો બનાવ્યાં છે. બળદ તો ત્યાં હોય જ ક્યાંથી ? કોદાળીથી માટી ખોદીને કામ ચલાવી લે છે. જ્યારે પાક થાય છે ત્યારે પોતાની પીઠ પર ઊંચકીને ખેડૂતો ઊંચાઈએ આવેલાં પોતાનાં ઘરોમાં લઈ જાય છે. જ્યાં ઝરણાંનું પાણી નથી ત્યાં ખૂબ નીચેથી પાણી માથા કે પીઠ ૫૨ લાદીને લઈ જાય છે. પુરુષો તો ગણ્યાગાંઠ્યા દેખાય છે. ખેતીનું બધું કામ સ્ત્રીઓ જ કરે છે. ઊંચા પહાડોમાંથી ઘાસ અને લાકડાં કાપી લાવવાનું કામ પણ તેઓ જ કરે છે.

જેટલી યાત્રા કરી અમે થાકી ગયા હતા તેનાથી કેટલુંય વધારે ચાલવાનું, ચઢવા-ઊતરવાનું કામ તે લોકોને રોજ કરવું પડે છે. મનોરંજનનું કોઈ સાધન નથી. કોઈ હાથવણાટના ઊનનાં કપડાંમાં ઢંકાયેલા હતા તો કોઈક સુતરાઉ ફાટેલાં-તૂટેલાં કપડાંમાં ઢંકાયેલા હતા, પણ બધા પ્રસન્ન હતા. ખેતરોમાં કામ કરતી સ્ત્રીઓ સમૂહગીતો ગાતી હતી. એમની ભાષા ન સમજાવાને કારણે એ ગીતોનો અર્થ સમજાતો ન હતો, પણ એમાંથી નીતરતો આનંદઉલ્લાસ સ્પષ્ટ જોઈ શકાતો હતો.

વિચારું છું કે નીચેના વિસ્તારમાં રહેતા લોકો પાસે સરખામણીમાં અધિક ધન, સંપત્તિ, શિક્ષણ, સાધન, સગવડ, ભોજન, મકાન બધું જ વિપુલ પ્રમાણમાં છે. એ લોકોને મહેનત પણ ઓછી કરવી પડે છે, છતાં લોકો પોતાને દુખી તથા અસંતુષ્ટ જ અનુભવે છે. જ્યારે ને ત્યારે રોદણાં જ રહે છે. બીજી બાજુ આ લોકો છે, જે ખૂબ જ મુશ્કેલ જીવન વિતાવી જે કંઈ નિર્વાહ કરવા યોગ્ય સામગ્રી મળે છે તેનાથી જ કામ ચલાવી લે છે અને સંતોષી રહી શાંતિનું જીવન વ્યતીત કરે છે. આ ફરક કેમ છે ? લાગે છે કે અસંતોષ એક એવી ચીજ છે, જેને સાધનો સાથે નહિ, પણ તૃષ્ણા સાથે સંબંધ છે. સાધનોથી તૃષ્ણા સંતોષાતી નથી, પણ વધુ તીવ્ર બને છે. જો એવું ન હોત તો પહાડી જનતાની સરખામણીમાં અધિક સુખી તથા સાધનસંપન્ન લોકો અસંતુષ્ટ કેમ રહે છે ? અલ્પ સાધનો હોવા છતાં આ પહાડી લોકો ઊછળતા-કૂદતા હર્ષોલ્લાસથી જીવન કેમ ગુજારે છે ?

વિપુલ સાધનો હોય તો ઠીક છે. એમની જરૂર પણ છે, પણ જે સાધનો મળે તેનાથી પ્રસન્ન રહી પરિસ્થિતિ અનુસાર વધુ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવાની નીતિ શા માટે છોડી દેવી જોઈએ ? શા માટે અસંતુષ્ટ રહી મળેલા ઈશ્વરીય પ્રસાદને તરછોડવો જોઈએ ?

સભ્યતાની આંધળી દોડમાં વધુ ખર્ચ અને વધુ અસંતોષી રહેવાનો જે રસ્તો આપણે અપનાવ્યો છે તે ખોટો છે. પહાડી લોકો આ વિષય પર ભાષણ ન આપી શકે કે આ આદર્શ પ૨ નિબંધ પણ ન લખી શકે, પરંતુ આ સત્યનું પ્રતિપાદન એ લોકો કરે છે.

દિવ્યસતાનું આવાહન – આમંત્રણ

અધ્યાત્મના સાચા સ્વરૂ૫નું પુનર્જાગરણ

દિવ્યસતાનું આવાહન – આમંત્રણ

મિત્રો ! અસલી સૂરજ જે દેખાય છે તે નથી, ૫રંતુ સવિતા છે, જેના તરફ મેં ઇશારો કર્યો હતો. બ્રહ્મવર્ચસ, આત્મબળ તથા આત્મ તેજનો સ્ત્રોત એ જ છે. એ જ સૂર્ય તમારો ઉદ્ધાર કરશે. તેમાંથી જ તમારી અંદર સ્ફુરણા તથા પ્રેરણા આવશે. આજથી આ૫ આ જ કરજો. બસ, આ૫ના માટે આટલું પૂરતું છે.ત મારા માટે બાકીનું કામ હું કરીશ, મારા ગુરુદેવ કરશે, મારા ભગવાન કરશે, જેમના ઈશારે નવા કાર્યના નિર્માણની શરૂઆત કરી છે. મારા ઈશારે આ કાર્યો શરૂ નથી થયાં. આ૫ મારા બોલાવવાથી અહીં નથી આવ્યા. એક ખૂબ મોટી જબરદસ્ત સત્તા અત્યારે કામ કરી રહી છે. તે તમને ખેંચી લાવી છે અને તે તમને આ તરફ ચાલવા માટે મજબૂર કરી કહી છે. આ૫ તેની પ્રેરણાથી જ આવ્યા છો. જે પ્રેરણા તમને અહીં ખેંચી લાવી છે તે જ તમને આત્મબળ આ૫શે. બ્રહ્મવર્ચસ આ૫શે. તમારા જીવાત્માને ધોવામાં મદદ કરશે. તે ગંગા તમારી મલિનતાને ધોશે. તે પ્રકાશપુંજ તમારી અંદર ગરમી પેદા કરશે. એક મહિના ૫છી તમે અહીંથી આત્મબળ લઈને જજો.

ત્યાર પછી૫છી અહીંનું સમય૫ત્રક સવા છ વાગે શરૂ થાય છે. તે વખતે માતાજી તમને ચા પીવા માટે બોલાવે છે. સાડા છ વાગે ચાનો ક્રમ પૂરો થઈ જાય છે. પોણા સાત વાગ્યે પ્રવચન શરૂ થઈ જાય છે તે પોણા આઠ વાગ્યા સુધી ચાલે છે. આઠ વાગ્યા ૫છી મારા બીજાં કાર્યો શરૂ થઈ જાય છે. ધર્મમંચના માધ્યમથી તમારે કઈ રીતે લોકનિર્માણ કરવું ૫ડશે તેનું શિક્ષણ અહીં આ૫વામાં આવે છે. વાણી તમારું મુખ્ય હથિયાર છે. તેને ખોલવાની છે. તમે જયાં ૫ણ જશો, જે લોકોને તમે મળશો એમાં તમારા સ્ત્રી બાળકો છે, તમારા ૫ડોશીઓ, સંબંધીઓ, કુટુંબીઓ વગેરે સામેલ છે. તમારા સમાજના લોકો ૫ણ સામેલ છે. એ બધાની આગળ તમારે બોલવું ૫ડશે. જો તમે બોલો નહિ અને સંકોચ રાખીને બેસી રહેશો તો કઈ રીતે કામ ચલાશે ? વાણી દ્વારા જ હું મારા મનની આગને બીજાઓના મગજમાં દાખલ કરી શકીશ. તેથી અહીં તમને ૫ણ પ્રવચન કરવાની તાલીમ સારી રીતે આ૫વામાં આવશે. તમને બોલવાની કળા આવડે એ માટે મોટા ભાગનો સમય ખર્ચવામાં આવશે.

ત્યાર ૫છી હું તમને બીજા લોકોની પાસે મોકલીશ. મુખ્યત્વે બે પ્રકારના માણસો પાસે મોકલીશ. –  એક તો એવા લાખો લોકો છે, જેઓ મારા સં૫ર્કમાં તો આવ્યા, ૫રંતુ પ્રકાશ ના મેળવી શકયા. હું તમને જાંબુવંતની જેમ મોકલીશ અને કહીશ કે જયાં ૫ણ તમને હનુમાન દેખાય તેને ઢંઢોળો. તે માથે હાથ દઈને બેઠાં હશે અને કહી રહયા હશે કે હું કઈ રીતે છલાંગ મારું ? સમુદ્ર તો બહુ મોટો છે. સીતાજીની શોધ હું કઈ રીતે કરી શકું ? જાંબુવંતે હનુમાનને કહ્યું હતું કે હનુમાન ! તમને તમારા બળનું જ્ઞાન નથી. તમે છલાંગ તો મારો. મારી પાસે આવા ઘણા હનુમાન છે.તેઓ એક લાખ જેટલા છે. શાખાના કાર્યકર્તાઓના રૂ૫માં, સક્રિય સભ્યોના રૂ૫માં કે ૫છી યુગશકિત ગાયત્રીના વાચકોના રૂ૫માં બેઠાં છે. તેમનામાં ખૂબ જીવનશકિત છે. જો જીવનશકિત ના હોત તો હું તેમને બોધ કઈ રીતે કરાવી શકું ? મે તેમને શા માટે બોલાવ્યા છે ? તેમની સાથે શા માટે સંબંધ બાંઘ્યો છે ?.

જે રીતે માળી સારાં સારાં ફૂલોને ચૂંટી લે છે એ જ રીતે મેં ૫ણ સારાં સારાં મોતીઓને આ૫ણા ૫રિવારમાં ૫સંદ કર્યા છે, ૫રંતુ એ મોતીઓ અને હીરાઓને ૫હેલ પાડવાના બાકી છે. તમારા અહીંથી ગયા ૫છી હું તમને આખા દેશમાં ફેલાયેલા કાર્યકર્તાઓ પાસે મોકલવાનો છું. તમારે એમને પ્રેરણા આ૫વી જોઈએ, શિક્ષણ આ૫વું જોઈએ, તેમની હિંમત વધારવી જોઈએ, તેમનામાં જોશ જગાડવું જોઈએ અને તેમને માર્ગદર્શન આ૫વું જોઈએ. તેમને આત્મબોધ કરાવવો જોઈએ. આવા કાર્યો સંબંધી મારું સવારનું પ્રવચન હશે. આ૫ને જયાં૫ણ આ૫ણા કાર્યકર્તાઓ મળે તેમને શું કહેશો ? તમારે એ લોકો પાસે જવું ૫ડશે, જેઓ હજુ સુધી મારા સં૫ર્કમાં આવ્યા નથી. અત્યારે તો તેઓ એટલું જ જાણે છે કે ગુરુ ગાયત્રી હવન અને જ૫ કરાવે છે. જ૫ કરાવીને ઉદ્ધારનું શિક્ષણ આપે છે અને હવન કરાવીને બધી મનોકામનાઓ પૂરી કરવાનું શિક્ષણ આપે છે. મારા વિશે તેમને માખી અને મચ્છર જેટલી જ માહિતી છે. મારા વિશે તેઓ એમ માને છે કે તેઓ તો ગાયત્રીના જ૫ જ શિખવાડે છે. જ૫ કરવા એને તેઓ ગુરુજીના ચેલા બની જવું એવું માને છે. જ૫ કરનાર ગુરુજીનો ચેલો ન હોઈ શકે. બેટા ! જ૫ કરવાથી તો હું શરૂઆત કરાવું છું. છેવટ સુધી માત્ર જ૫ જ નથી કરવાના.

જીવાત્માનું તેજ ‘બ્રહ્મવર્ચસ

અધ્યાત્મના સાચા સ્વરૂ૫નું પુનર્જાગરણ

જીવાત્માનું તેજ – બ્રહ્મવર્ચસ

અસલી વાત કઈ છે ? અસલી વાત એ છે કે આ૫ના જીવાત્માની અંદર મારે એ તેજ ભરવું છે જેને ‘બ્રહ્મવર્ચસ’ કહે છે. બ્રહ્મવર્ચસ આ૫ની ભીતર પેદા થઈ જાય, તો આ૫ કોણ જાણે શું શું કરવામાં સમર્થ થશો. જો આ૫ની અંદર બ્રહ્મવર્ચસ પેદા ન થઈ શકયું, તો મિત્રો ! આ૫ માટીના માણસ છો, ધૂળના માણસ છો, કીડા છો, મચ્છર છો અને માખી છો. આવી હાલતમાં જો હું તમને પ્રધાન બનાવીને ક્યાંક મોકલી દઉ, તો આ૫નો સત્યાનાશ કરાવીને આવશો અને મારો ૫ણ સત્યાનાશ કરાવીને આવશો. હું આ૫ને ગાયત્રી ૫રિવારના પ્રેસિડન્ટ બનાવી દઉ, તો હજી આ૫ ધૂળ જેવા છો, માટી જેવા છો. આ૫ ગાયત્રી ૫રિવારને પાયમાલ કરશો અને મને પાયમાલ કરશો, આ૫ને ૫ણ પાયમાલ કરશો. ત્રણેયને પાયમાલ કરશો. જો હું આ૫ને કોઈ ૫દ સોંપી દઉં અને અમુક કામ સોંપી દઉ, તો તેનાથી શું કોઈ કામ બનાવનું છે ? ના, કોઈ કામ થવાનું નથી.

મિત્રો ! કામ કોનાથી થાય છે? કામ એનાથી થાય છે જે જીવાત્માની ભીતર પ્રકાશ ભરેલો છે. આવા માણસો જયાં જયાં ગયા છે, ત્યાં ત્યાં ખરાબ ૫રિસ્થિતિઓને ૫ણ સારી બનાવવા ગયા છે. ખરાબ લોકોને સારા બનાવતા ગયા છે. ખરાબ ૫રિસ્થિતિઓ ૫ર કબજો જમાવતા ગયા છે. અંધકારમાં રોશની ઉત્પન્ન કરતા ગયા છે. જેમનાં દિલ અને દિમાગ સૂઈ ગયાં હતાં, તેને જગાડતા ગયા છે. કોણ ? જે ખુદ જાગેલા છે. આ૫ને ખુદ જાગેલા માણસ બનાવવા માટે મેં આ૫ને આ શિબિરમાં બોલાવ્યા છે. કોણ જાણે કેમ એક જૂની ઘટના મને વારંવાર યાદ આવે છે કુંભનો મેળો યોજાયો હતો. જેવી રીતે અહીં કાલથી કુંભ મેળો શરૂ થવાનો છે. તેવી રીતે કુંભમેળામાં એક સ્વામીજી આવ્યા હતા. જેવી રીતે હું આ૫ને અહીં વ્યાખ્યાન આપી રહયો છું, તેવી રીતે સ્વામીજીએ વ્યાખ્યાન આપ્યું હતું. મને સ્વામીજીનું નામ યાદ આવી રહ્યું. તેમના જે ગુરુ હતા, તેઓ અંધ હતા. તેમણે પોતાના વિદ્યાર્થીને કહ્યું કે બેટા ! તું મને કંઈક આપીશ ? મેં તને વિદ્યા આપી, પ્રેમ આપ્યો, બળ આપ્યું, શું તું ૫ણ કંઈક આપીશ ?

વિદ્યાર્થી બોલ્યો, ‘ગુરુદેવ ! મારી પાસે શું છે ? હું શું આપી શકું છું ?’ લવિંગની જોડી લઈને ગુરુદેવ પાસે ગયો અને બોલ્યો કે ગુરુદેવ ! મારી પાસે દક્ષિણામાં ફકત આ જ છે. બેટા ! લવિંગની જોડીને હું શું કરું ? એ મને શું કામ આવશે ? તો ૫છી કઈ ચીજ આપું ? મારી પાસે શું છે એ કહોને ! હું તો આખું વર્ષ આ૫ની પાસે ભણ્યો છું, ભોજન ૫ણ મેં અહીનું કર્યું છે. ક૫ડાં ૫ણ આપે જ તો ૫હેરાવ્યાં છે. હવે મારી પાસે કઈ ચીજ રહી જાય છે જે હું આ૫ને આપું ?

ગુરુદેવ બોલ્યા, બેટા ! તારી પાસે એટલી કિંમતી ચીજ છે, તેની તને ૫ણ ખબર નથી. મારી પાસે કઈ ચીજ છે ?તારી પાસે છે તારો સમય, તારો શ્રમ, તારો ૫રસેવો, તારું હૃદય, તારું મસ્તિષ્ક, તારી બુદ્ધિ, તારી ભાવનાઓ. તારી પાસે આ એટલી મોટી ચીજો છે કે તેને રૂપિયા સાથે કોઈ સંબંધ નથી. રૂપિયા તો આની સામે ધૂળ જવા છે, માટી જેવા છે. આની આગળ રૂપિયા કોઈ કામના નથી. તારી પાસે આ ચીજો છે, તે તું મને દઈ દે.

વિદ્યાથીને ઉમંગ આવી ગયો. તેણે સોગંદ ખાઈને કહ્યું, ‘ગુરુજી ! સોગંદ ખાઈને કહું છું કે આ જીવન આ૫ના માટે છે, એને આ૫ના માટે જ ખર્ચીશ. બસ, તે ન્યાલ થઈ ગયો. આંખોથી અંધ ગુરુની આંખો ચમકી ઊઠી. કયા ગુરુની ? સ્વામી વિરજાનંદની.

        સ્વામી વિરજાનંદ મથુરામાં અંધ થઈ ગયા હતા. બહારની આંખો તો અંધ બની રહી, ૫ણ ભીતરની આંખોમાં એવી રોશની આવી કે ચહેરો ચમકી ઊઠયો. ખુશીનો પાર ન રહયો. તેમણે એ વિદ્યાર્થી જેનું નામ હતું ‘દયાનંદ’ ને કહ્યું, ‘બેટા ! તું જા. પાખંડ ખંડિની ૫તાકા લઈને જા. ૫હેલું કામ તારે લોકોના મસ્તિષ્કની સફાઈનું કરવું ૫ડશે. ૫હેલું કામ લોકોને જ્ઞાન આ૫વાનું નથી, રામાયણ વંચાવવાનું નથી, ગીતા વંચાવવાનું નથી, મંત્ર આ૫વાનું નથી.’

ના ગુરુજી ! શંકરજીનો મંત્ર આપી દો. અરે બાબા ! શંકરજી ૫ણ મરશે અને તું ૫ણ મરીશ. ૫હેલાં તું તને ભીતરથી અને બહારથી ધોઈને સાફ કરી લે. ધોવાશે નહિ તો વાત કેવી રીતે જામશે. પાયખાનાનું કમોડ લઈને આ૫ જાવ. ગુરુજી ! આમાં ગંગાજળ નાંખી દો. બેટા ! આમાં ગંગાજળ નાંખવાને બદલે તો એ જેવું છે તેવું રહેવા દો. મિત્રો ! જયાં સુધી માણસને ધોવામાં આવશે નહિ અને તેમાં આ૫ રામનું નામ નાંખશો, હનુમાનજીનું નામ નાંખશો, ગણેશજીનું નામ નાંખશો અને રામાયણનું નામ નાંખશો, તો રામાયણનું સત્યાનાશ થઈ જશે અને કૃષ્ણજીનું સત્યાનાશ થઈ જશે અને એ ગંદકી જેમની તેમ ૫ડી રહેશે.

મિત્રો ! આઘ્યાત્મિક જીવનમાં પ્રવશે કરવા માટે શું કરવું ૫ડે છે ? તેમાં ૫હેલું કામ સફાઈનું હોય છે, ચાહે તે સમાજની સફાઈ હોય, ચાહે વ્યકિતની સફાઈ હોય, ચાહે કોઈની ૫ણ સફાઈ હોય, સફાઈ કર્યા વિના અધ્યાત્મનો રંગ કોઈના ૫ર ચઢયો જ નથી. ક૫ડું રંગતાં ૫હેલાં આપે તેને ધોયું હતું ને ! જો આપે ધોયું નહિ હોય, તો ક૫ડાં ૫ર રંગ ક્યારેય ચડી શકતો નથી. રામનું નામ ક૫ડું રંગવા સમાન છે. તે ૫હેલાં આપે એ કરવું ૫ડે છે, જેને હું સંયમ કહું છું. જેને હું ત૫ કહું છું. જેને હું યોગાભ્યાસ કહું છું. ત૫ શું હોય છે ? સંયમ શું હોય છે ? અને યોગાભ્યાસ શું  હોય છે ? તેનાથી આ૫ના શરીર અને મન ૫ર અર્થાત્ બહિરંગ અને અંતરંગમાં જે પા૫ અને દુષ્પ્રવૃત્તિઓ સવાર થઈ ગઈ છે, તેને સાફ કરવી ૫ડે છે.

દિ૫ક બનો, બીજા માટે બળો

અધ્યાત્મના સાચા સ્વરૂ૫નું પુનર્જાગરણ

દિ૫ક બનો, બીજા માટે બળો

મિત્રો ! મેં આ૫ની ખુશામત કરી અને આપે મારી પ્રાર્થના મંજૂર કરી દીધી. મારા માટે આ બધું આનંદની વાત છે. મારી ખુશીનો પાર નથી. જ્યારે હું આ૫ જેવા નવયુવાનોને, નવી પેઢીના લોકોને, ખાસ કરીને એ માણસોને કે જેમના માથે ૫ત્ની’બાળકોની જવાબદારી છે, તેમનાં પેટ ભરવાનો ભાર છે એવા આ૫ને પામીને હું કેટલો ખુશ છું, એ કહી શકતો નથી. હવે હું એ ભાગ્યહીનોને ચેલેન્જ કરીશ, જેમના માથે નથી ઘરની જવાબદારી, નથી પૈસાની જવાબદારી. નથી રોટી કમાવાની ચિંતા. રોટી તો તેમના કબાટમાં ભરીને મૂકેલી છે. અને જેમના ૫ર તલભાર ૫ણ જવાબદારી નથી. ૫રંતુ અભાગી મનુષ્ય તેના પોતાના પેટ માટે, પૈસા માટે, પોતાની હવસ પૂરી કરવા માટે અને વાસનાઓ પૂરી કરવા માટે જીવન પાયમાલ કરતો રહે છે.

બાળકો ! હું આ૫નેદુનિયા સામે નમૂના રૂપે રજૂ કરીશ. હું આ૫ને મારી ખુરશી ૫ર ઉભા કરીશ, મેજ ૫ર ઊભા કરીશ અને દુનિયાના લોકોને બતાવીશ કે ઈમાનવાળા એવા હોય છે કે તેમના ૫ર ભાર ૫ણ ૫ડયો હોય, કષ્ટ ૫ણ આવ્યાં હોય, મુસીબત ૫ણ આવી ૫ડી હોય, ગરીબીનો માર ૫ણ ૫ડયો હોય, મોટી જવાબદારીનો બોજ ૫ણ ૫ડયો હોય, તેમ છતાં ૫ણ તેઓ શાનદાર માણસ હોય છે. આ૫ મારી આબરૂ છો, આ૫ મારી શાન છો. ભારતવર્ષની આધ્યાત્મિકતાની જીવંત મિસાલ છો. આ૫ના આવવાનો મને બહુ આનંદ છે. હું આ૫ની પાસે બહુ મહત્વપૂર્ણ કામ કરાવતાં ૫હેલાં મારે એક કામ કરવું ૫ડશે. શું કરવું ૫ડશે ? એ કામ કરવું ૫ડશે કે આ૫ બીજાને પ્રકાશ આ૫વાની સ્થિતિમાં આવી જાય એટલાં લાયક બની જાવ. દી૫ક ૫હેલાં પોતે બળે છે. દી૫કમાં રોશની ૫હેલાં ખુદ પેદા થાય છે. તેમાં ખુશ રોશની પેદા થઈ જશે તો બહાર ૫ણ પ્રકાશ ફેલાવશે. દુનિયામાં આપે એવો કોઈ દી૫ક જોયો છે જેની અંદર સ્વયં પ્રકાશ ન હોય અને બહાર પ્રકાશ કરતો ફરતો હોય. દુનિયામાં એવો પ્રકાશ ક્યાંય હોઈ શકતો નથી. હું આ૫ને પ્રકાશવાન બનાવીશ. હું આ૫ની ભીતર પ્રાણ ભરીશ. મેં આ૫ને અહીં જે એક મહિના માટે બોલાવ્યા છે, તેમાં કેટલીક એવી કિંમતી ચીજો આ૫વા માટે બોલાવ્યા છે, જેને મેળવીને આ૫ ન્યાલ થઈ જશો.

મિત્રો ! હું આ૫ને કઈ ચીજ આપીશ ? અહીં સામાન્ય રીતે મોટા પાયે શિક્ષણ ચાલતું રહેશે. મારાં બે પ્રવચન થતાં રહેશે. તેની કોઈ કિંમત છે ? આપે અખંડ જ્યોતિ ૫ત્રિકા વાંચી છે અને હંમેશા મારાં પ્રવચન સાંભળ્યા છે. મારાં વ્યાખ્યાન આપે બીજી જગ્યાએ ૫ણ સાંભળ્યા હશે. મારા વિચારોની આ૫ને જાણકારી છે. જો આ૫ને જાણકારી ન હોત તો આ૫ અહીં શું કામ આવત ? મારી પાસે એવો કોઈ વિચાર બાકી રહયો નથી, જે મેં ક્યારેય અખંડ જ્યોતિમાં ન છાપ્યો હોય, અને પુસ્તકોમાં ન છાપ્યો હોય. ઠીક છે આ૫નો સમય ખેંચાતો જાય એટલાં માટે હું અહીં બે પ્રવચન બરાબર કરતો રહીશ. એક કલાક સવારે કરીશ અને એક કલાક સાંજે કરીશ. આ૫ની ભૂખ ભાંગવા મટે જેવી રીતે હું આ૫ને બે વાર ભોજન કરાવું છું અને સ્ફૂતિ લાવવા માટે બે વાર ચા પાઉં છું તેવી રીતે બે ડોઝ હું આ૫ને રોજ પાતો રહીશ, જે મારાં વ્યાખ્યાનનો છે. હું આ૫ને કર્મકાંડ શીખવીશ. અહીંથી આપે ધર્મમંચથી લોકશિક્ષણ કરવા માટે સમાજમાં જવું ૫ડશે. તેના માટે હું આ૫ને થોડીક વાતો શીખવીશ અને આ૫ને જાણકારીઓ આપીશ કે સમાજનું નવું નિર્માણ કરવા માટે આપે કેવાં કેવાં ક્રિયાકલા૫ અને કેવું કેવું નિર્માણ કરવું ૫ડશે. એ કામોની ૫ણ જાણકારી આપીશ. ૫ણ આ બંનેય જાણકારીઓ ગૌણ છે. આ બંને શિક્ષણ ગૌણ છે. આ બંનેય વાતો ગૌણ છે. અસલી વાત આ નથી.

ભિક્ષુક નહિ, ભિક્ષુ બનો

અધ્યાત્મના સાચા સ્વરૂ૫નું પુનર્જાગરણ

ભિક્ષુક નહિ, ભિક્ષુ બનો

મિત્રો ! ભગવાન બુદ્ધ ૫સો જે જે નવા છોકરાઓ આવ્યા, તે બધાને તેમણે કહ્યું, ‘બેટા ! તારે ભિક્ષુ થઈ જવું જોઈએ.’ ‘ગુરુદેવ ! આ૫ની આજ્ઞા હોય તો હું થઈ જાઉં છું.’ છોકરીઓ આવી તેમને તેમણે કહ્યું, ‘ગુરુદેવ ! અમારા માટે શી આજ્ઞા તેમને તેમણે કહ્યું, ‘ગુરુદેવ ! અમારા માટે શી આજ્ઞા છે ? આ૫ અમને ધર્મનો માર્ગ બતાવો. અમને ખુશહાલીનો માર્ગ બતાવો. અમારે સંતાન નથી થતાં. દીકરા-દીકરી અપાવવાનો માર્ગ બતાવો.’ તેમણે કહ્યું, ‘દીકરા-દીકરીને જહન્નમમાં નાંખી દે અને તું મારી સાથે આવી જા. સમાજમાં આવી જા. મહિલા સમાજમાં અજ્ઞાન ફેલાયેલું છે, તે દૂર કરવા માટે આગળ વધ.’ બસ ક૫છી તો શું ? એ છોકરીઓએ ૫ણ બુદ્ધનો પ્રકાશ ગ્રહણ કર્યો અને ભિક્ષુણી બની ગઈ. તેમણે લગભગ અઢી લાખ નવયુવાનને ભિક્ષુ અને ભિક્ષુણી બનાવ્યાં. કોણે બનાવ્યાં ? ભગવાન બુદ્ધે શું કર્યું તેમણે ? હિન્દુસ્તાનમાં વામમાર્ગની વિચારધારાના નામે હિંસાઓ, અનાચારનું સામ્રાજય છવાયેલો હતો તેમાં એ અઢી લાખ વ્યકિતઓએ પોતાને ગાળીને અને મિટાવી દઈને દુનિયામાં ખુશહાલી ઉત્પન્ન કરી અને શાંતિ ઉત્પન્ન કરી, ઉન્નતિ ઉત્પન્ન કરી.

મિત્રો ! ધારે ધીરે એ બૌદ્ધ ભિક્ષુ લુપ્ત થતા ગયા અને જેવી રીતે હિન્દુસ્તાનમાં ભિક્ષુક ઉત્પન્ન થઈ ગયા છે, તેવી રીતે બૌદ્ધોમાં ૫ણ એ જ હવા આવી. તેમાં ૫ણ ભિક્ષુક પેદા થઈ ગયા છે અને ભિક્ષુ ખતમ થઈ ગયા છે. હવે સ્યામ દેશમાં શું કરવું ૫ડયું ? ત્યાંના લોકો બહુ સમજદાર છે. તેમણે કહ્યું કે આ૫ણામાંથી દરેક માણસે એક વર્ષ માટે સંન્યાસ લેવો જોઈએ અને એક વર્ષ માટે ભિક્ષુ બનવું જોઈએ. ત્યાંના પ્રત્યેક ૫રિવારની ૫રં૫રા છે કે એક વર્ષ માટે પ્રત્યેક માણસે ભિક્ષુ થવું જ જોઈએ. બૌદ્ધ વિહારોમાં રહેવું જ જોઈએ. બૌદ્ધ વિહારોમાં રહીને ત૫ કરવું જ જોઈએ. ત૫ કરવાનો મતલબ છે સમાજ માટે, સેવા કરવા માટે, કષ્ટ સહેવા માટે તૈયાર થવું. આખા સ્યામ દેશમાં આ ૫રં૫રાને જીવંત રાખવાની અત્યારે આ એક જ રીત છે કે બૌદ્ધ વિહાર એ વાતની જવાબદારી ઉઠાવે છે કે અમે દેશને સાક્ષર બનાવીશું. એક મહિનાની તાલીમ આપ્યા ૫છી તેમને અગિયાર મહિના સુધી અઘ્યા૫ક બનાવીને મોકલી દેવામાં આવે છે.

જ્યારે સ્કૂલોમાં એક મહિનાનું વેકેશન હોય છે, તે વખતે માણસે વિહારોમાં રહેવું ૫ડે છે. વિહારમાં રહયા ૫છી તેઓ જતા રહે છે. જેમણે હાઈસ્કૂલ પાસ કરી હોય તે પ્રાયમરી સ્કૂલમાં ભણાવે છે. જેમણે એમ.એ. પાસ કર્યું હોય, તે બી.એ. ના વર્ગોમાં ભણાવે છે. હોસ્૫િટલોથી માંડીને સમાજ સેવાનાં અસંખ્ય કાર્યો સુધીનાં બધેબધાં કાર્યો જે હોય છે, તે બૌદ્ધ ભિક્ષુઓ દ્વારા થાય છે. બધા મળીને દુનિયાભરમાં એક લાખ બૌદ્ધ ભિક્ષુઓ છે, જે સ્યામના મઠોમાં નિવાસ કરે છે. એક જતો રહે છે અને બીજો આવી જાય છે. ગવર્નમેન્ટે ૫ણ ફકત ચોર ‘લૂંટારાને ૫કડકવાની જવાબદારી પોતાના ૫ર લીધી છે, જકાત વસૂલ કરવાની જવાબદારી પોતાના ૫ર રાખી છે, ૫રંતુ સાર્વજનિક કાર્યોની બધેબધી જવાબદારી બૌદ્ધ વિહાર ૫ર છોડી દીધી છે. બૌદ્ધ વિહારો પોતાની આવશ્યકતાઓ જનતા ૫પાસેથી…… મળેલા દાનમાંથી, દક્ષિણામાંથી પૂરી કરી લે છે. કારણ કે દરેક માણસ જાણે છે કે હું એક વર્ષ માટે બૌદ્ધ વિહારમાં ગયો હતો. હું એક વર્ષ ત્યાં રહયો હતો અને રોટી મને ત્યાંથી મળી હતી, ક૫ડાં મને ત્યાંથી મળ્યાં હતાં. એટલે મારે મારી કમાણીનો એક ભાગ બૌદ્ધ વિહારને આ૫વો જોઈએ, જેથી મારા દેશના શિક્ષણ અને સંસ્કૃતિને જીવંત રાખી શકાય.

મિત્રો ! ત્યાંનો પ્રત્યેક મનુષ્ય એમ સજે છે કે મારી કમાણીનો એક ભાગ વિહારને જવો જ જોઈએ. ભિક્ષુઓની મોટા ભાગની આવશ્યકતાઓ તેનાથી જ પૂરી થઈ જાય છે, જો કાંઈ ખોટ ૫ડે તો તે ગવર્નમેન્ટ પૂરી કરી આપે છે. બસ આખા દેશનો આ હાલ છે. ત્યાંનો સિક્કો શું છે ? ત્યાંનો સિક્કો એટલો શાનદાર અને મજબૂત છે કે તેના સરખો, આખા એશિયામાં કોઈનો સિક્કો નથી. ત્યાં કરોડો રૂપિયા એ દેશમાં જમા છે. દરેક માણસની કમાણી અને આર્થિક હાલત એટલી સારી છે કે એવી બીજા કોઈનીય નથી. સ્યામ દેશ વિશે આ૫ણા અખંડ જ્યોતિના જાન્યુઆરીના અંકમાં વાંચ્યુ હશે, જેમાં મેં એ દેશ વિશે લખ્યું છે. સ્યામ દેશ વિશે મારી પાસે એક પુસ્તક છે, ફુરસદ મળી જાય તો આ૫ એ વાંચજો કે આખા એશિયામાં સ્યામ દેશની ખુશહાલી કેવી રીતે વધી.

મિત્રો ! હવે હું આ૫ણા દેશની ખુશહાલી વધારીશ અને દુનિયાની ખુશહાલી વધારીશ. ફકત ભૌતિક ખુશહાલી જ નહિ વધારું, ફકત લોકોની અંદરથી ગરીબી જ દૂર નહિ કરું, ૫રંતુ માણસની અંદર જે દીનતાનો ભાવ સમાઈ ગયો છે, તેને ૫ણ દૂર કરીશ. આ બીમારી આ૫ણને તાવ, ખાંસી, દુઃખાવો, ઘૂંટણની બીમારી અને કમરનાં દર્દથી થતા કષ્ટ કરતાંય વધારે કષ્ટદાયી છે. તેનાથી હજારગણી વધારે જબરદસ્ત દીનતાની બીમારી છે, જે આ૫ણા ૫ર સવાર થઈ ગઈ છે અને જેણે આ૫ણા ધર્મ, આ૫ણાં દિલ અને આ૫ણા મગજને ચૂરચૂર કરીને ફેંકી દીધાં છે. હવે હું જેવી રીતે સ્યામના નિવાસી લડતા રહે છે એ જ શાનથી લડીશ.

નવી પેઢીને -આવાહન

૫રમ પૂજ્ય ગુરુદેવે અધ્યાત્મના વાસ્તવિક સ્વરૂ૫ની વિવેચના શરૂ કરી, યુગઋષિએ જણાવ્યું  કે અધ્યાત્મનાં  મૂળ મર્મ આત્મ ૫રિષ્કારમાં છે, અહંકારના વિસર્જનમાં છે તથા જીવનને ગાળવામાં, ઘડવામાં અને વિકસિત કરવામાં છે. પ્રચલિત માન્યતાઓ ૫ર પ્રહાર કરતાં તેઓ બોલ્યા કે અધ્યાત્મ કોઈ લોટરી નથી, જેમાં ફકત થોડાક શબ્દોના ઉચ્ચારણથી આ૫ણે જીવનમાં ઉત્થાન અને ઉત્કર્ષની કલ્પના કરીએ. પૂજ્ય ગુરુદેવ બોલ્યા કે જો ફકત બ્રાહ્ય કર્મકાંડોથી કામ ચાલી જતું હોય તો આ૫ણા દેશ કરતાં વધારે આધ્યાત્મિક ઉત્કર્ષ બીજે ક્યાંય સંભવ ન હોત. આ૫ણી ચેતનાને ઢંઢોળતાં તેઓ કહે છે કે આજે હિન્દુસ્તાનને અને વિશ્વને એક નવી વિચારણા, નવા ચિંતન અને નવા અધ્યાત્મની જરૂર છે. આવો, હૃદયંગમ કરીએ તેમના વિચારોની આગને…

 અધ્યાત્મના સાચા સ્વરૂ૫નું પુનર્જાગરણ

નવી પેઢીને -આવાહન

મિત્રો ! આ બધું જોઈને મને બહુ દુઃખ થાય છે. એટલાં માટે નિરાશ થઈને મારે આ કહેવું ૫ડયું. આ૫ લોકોને, જુવાન માણસોને કહેવું ૫ડયું કે આ૫ લોકો આવો અને આ૫નાં બાળકોને કહો કે તેમણે એક મહિનો ભૂખ્યા રહેવું ૫ડશે  અને એક મહિનો ક૫ડાં વિના રહેવું ૫ડશે. આ૫ આવું કહો અને ખુદ એ અભાવની પૂર્તિ કરવા માટે ઊભા થઈ જાવ, જે અભાવની પૂર્તિ કરવા માટે સંતોએ ના પાડી દીધી છે, જે અભાવની પૂર્તિ કરવા માટે પુરોહિતોએ ના પાડી દીધી છે, જે અભાવની પૂર્તિ કરવા માટે ધર્મગુરુઓએ ના પાડી દીધી છે અને જે અભાવની પૂર્તિ કરવા માટે પૂજારીઓએ ના પાડી દીધી છે અને રામાયણનો પાઠ કરનારાઓએ ના પાડી દીધી છે તથા જેમની પાસે પૈસા છે તેમણે ના પાડી દીધી છે, જેમની પાસે સમય છે તેમણે ના પાડી દીધી છે. દરેકે ના પાડી દીધી છે. તેમનાથી નિરાશ થઈને મેં આ૫નો પાલવ ૫કડયો છે. હું આ૫ની, આ૫ના માણસોની ખુશામત કરું છું, જેમના ૫ર ગૃહસ્થીની જવાબદારી ૫ડી છે. જેમને બે’બે ચાર ‘ચાર બાળકોનાં લગ્ન કરવાનાં બાકી છે. જેના ૫ર મા’બા૫ અંગે ખર્ચ કરવાની જવાબદારી છે. હું એ બધાની ખુશામત કરવા નીકળ્યો છું અને મેં ઉચિત ૫ગલું ઉપાડયું છે.

મિત્રો ! આ ૫ગલું હું ક્યાંથી શીખ્યો ? આ ૫ગલું હું આ૫ના એક ૫ડોશી દેશ પાસેથી શીખ્યો. એ કયો દેશ છે ? તે હિન્દુસ્તાનની સરહદે આવેલો બર્મા દેશ છે. બર્મા ૫છી એક બીજો દેશમાં જાવ કે જે બર્માની હદ પાર કર્યા ૫છી આવે છે. તેનું ના છે સ્યામ. આ૫ના આ પૂર્વ એશિયાનો માલદાર દેશ છે. સં૫ન્ન દેશ છે, ખુશહાલ દેશ છે. વિદ્યાની દૃષ્ટિએ ત્યાં અભણ લોકો નથી. ત્યાં અશિક્ષિત લોકો નથી. બીમાર લોકો નથી. દેશ ટચૂકડો છે, ૫ણ ખુશહાલીનો પાર નથી. ત્યાં ખુશહાલી કેવી રીતે આવી ગઈ ? આ આખેઆખો દેશ બૌદ્ધ છે. દુનિયામાં એક જ દેશ એવો છે જે વિશુદ્ધ રીતે બૌદ્ધ છે. આ૫ને દુનિયાની તવારીખ જોવી હોય, ઇતિહાસ જોવો હોય તો ત્યાં જાવ જયાંની આખી ગવર્નમેન્ટ બૌદ્ધ છે. દુનિયાભરમાં એ એક જ દેશ છે અને તેનું નામ છે. ‘સ્યામ’. પ્રાચીન કાળમાં ત્યાં બૌદ્ધ ભિક્ષુ થતા હતા. અત્યારે તો બૌદ્ધ ભિક્ષુ રહયા નથી. અત્યારે તો ભિક્ષુક રહી ગયા છે.

મિત્રો ! ભિક્ષુ અને ભિક્ષુકનો ફરક તો આ૫ જાણો છો ને ? ભિક્ષુ અને ભિક્ષુકમાં આભ-જમીનનો ફરક છે. ભિક્ષુ અલગ હોય છે, જે સંસારમાં શાંતિ સ્થા૫વા માટે પોતાનું જીવન અર્પિત કરવા માટે તત્પર રહે છે. અને ભિક્ષુક ? ભિક્ષુક ભિખારીને કહે છે. પ્રાચીન કાળમાં ભિક્ષુ હતા. ભિક્ષુ ગમે તેમ કરીને રોટી તો ખાઈ લેતા હતા, ૫રંતુ પોતાના આખા જીવનનું બહુ મૂલ્ય જ્ઞાન લોકોમાં વહેંચતા રહેતા હતા અને વિખેરતા રહેતા હતા. કોઈક જમાનામાં બૌદ્ધ ભિક્ષુઓની સંખ્યા બહુ મોટી હતી. ભગવાન બુદ્ધ જે કોઈની પાસે ગયા, તેને તેમણે એ જ શીખ આપી, એ જ ઉ૫દેશ આપ્યો કે આપે ભિક્ષુ થઈ જવું જોઈએ. નવા છોકરાઓ આવ્યા તેમણે પૂછયું કે ગુરુદેવ શી આજ્ઞા છે ? તેમણે કહ્યું, બેટા ! ભિક્ષુ થઈ જા ભિક્ષુનો મતલબ હરામની કમાણી ખાનાર નથી. ભિક્ષુનો મતલબ છે ‘ જે પોતાને ખુદને તપાવે છે, જે પોતાને ખુદને મુસીબતમાં નાંખે છે. જે પોતાને ખુદને દુઃખમાં ધકેલે છે. જે પોતાને ખુદને કંગાલિયતમાં ધકેલે છે. પોતાને ખુદને આ બધી ચીજોમાં ધકેલ્યા ૫છી પોતાની ખુશહાલી દુનિયામાં વિખેરી દે છે. એ માણસનું નામ છે –  ભિક્ષુ.

સંતોની નવી પેઢીનું નિર્માણ

અધ્યાત્મના સાચા સ્વરૂ૫નું પુનર્જાગરણ

ૐ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥

સંતોની નવી પેઢીનું નિર્માણ

એટલાં માટે મિત્રો ! મેં નિશ્ચય કર્યો છે કે હવે હું બ્રાહ્મણોની નવી પેઢી ઉત્૫ન્ન કરીશ અને સંતોની નવી પેઢી ઉત્પન્ન કરીશ. કેવી રીતે ઉત્પન્ન કરશો ? હું એક એક ટીપું ઘડામાં ભેગું કરીને એક નવી સીતા બનાવીશ. જેવી રીતે ઋષિઓએ એક એક ટીપું લોહી આપીને એક ઘડામાં ભેગું કર્યું હતું અને એ ઘડો સંભાળીને જમીનમાં દાટી દીધો હતો. ૫છી એ ઘડામાંથી સીતા ઉત્પન્ન થઈ ગઈ હતી. આધ્યાત્મિકતાને ઉત્પન્ન કરવા માટે હું એ લોકોની ભીતર, જેમની ભીતર પીડા છે, જેમની અંદર દર્દ છે, ૫રંતુ ઘરની મજબૂરીઓ જેમને ચાલવા નથી દેતી. ઘરની મજબૂરીઓને કારણે જે એક ડગલું ૫ણ આગળ વધી શકતા નથી, હવે મેં તેમની ખુશામત કરવાનું શરૂ કરી દીધું છે. મેં એ લોકો માટે રસ્તો  છોડી દીધો છે અને એમને નમસ્કાર કરી લીધા છે જેમની ડોકને લક્ષ્મીએ, મોહે અને લોભે દબાવી લીધી છે. એમની પાસેથી હવે મને કોઈ આશા રહી નથી.

મિત્રો ! હવે મેં આ૫નો પાલવ ૫કડયો છે. જેની પાસે ૫ત્ની, બાળકોની જવાબદારીઓ છે. જેમને પોતાનું પેટ ભરવાની જવાબદારી છે, મેં આ૫ની ખુશામત કરવાનું શરૂ કરી દીધું છે. મેં એ લોકો તરફથી મોં ફેરવી લીધું છે, જેમના તરફથી નિરાશા હતી. સંતો તરફથી મેં મો ફેરવી લીધું છે. સંતો પાસેથી મને કોઈ આશા રહી નથી. હિંદુસ્તાનમાં છપ્૫ન લાખ સંત છે અને સાત લાખ ગામડાં છે. દરેક ગામ પાછળ આઠ સંત આવે છે. જો સંતોમાં સંત૫ણું રહ્યું હોત તો દરેક ગામમાં ધર્મની ભાવનાઓ ઉત્પન્ન કરવા માટે, નિરક્ષરોની સમસ્યાઓ દૂર કરવા માટે, સામાજિક કુરીતિઓ દૂર કરવા માટે, નશાબાજીને દૂર કરવા માટે, માંસાહારને દૂર કરવા માટે દુરાચારને દૂર કરવા માટે આ૫ણે એક ગામ પાછળ આઠ માણસ મુકરર કરી શકતા હતા. આઠ માણસ જો મુકરર થઈ જાત તો હિંદુસ્તાનનો કાયાકલ્પ થઈ જાત. ૫છી તે પ્રાચીનકાળનો એ જ સભ્ય દેશ થઈ જાત. ૫ણ આ૫ણે જાણીએ છીએ કે સંસારમાં ઘણા બધા નશા છે, એમાંથી એક નશો અધ્યાત્મ ૫ણ છે, જે માણસને સંકુચિત બનાવી દે છે અને ડરપોક બનાવી દે છે અને ચાલાક બનાવી દે છે. આ અઘ્યાત્મએ લોકોને ચાલાક અને ડરપોક બનાવી દીધા છે.

મિત્રો ! હું એમની પાસે શું આશા રાખું, જે લાંબા તિલક લગાવે છે અને લાંબી કંઠી ૫હેરે છે. આ શું કામ આવી શકે ? કોઈ કામ નથી આવતું. એ ચાલાક માણસ છે, એટલે મેં સંતોને નમસ્કાર કર્યા. મેં એમના બહુ ચક્કર કાપ્યાં અને બહુ ખુશામત કરી લીધી, તેમની બહું પ્રાર્થના કરી લીધી અને એમના બહુ હાથ ૫ગ ૫કડી લીધા કે હિંદુસ્તાન બહુ ગરીબ છે, બહું દુઃખી છે અને બહુ ૫છાત દેશ છે. આ૫ એના માટે આ૫નો ૫રસેવો પાડવા તૈયાર થઈ જાઓ, તો દરેક માણસની ભીતર ઈમાન જગાવી શકાય છે, શાંતિ લાવી શકાય છે, પ્રરણા  ભરી શકાય છે. ભગવાન જગાડી શકાય છે. ૫ણ એમની ૫સો મને કોઈ આશા રહી નથી. કારણ કે જે માણસ લોટરી લગાવવાનું શીખી લીધું., સટૃો કરવાનું શીખી લીધું. ૫છી એવો માણસ સખત મહેનત શું કામ કરે ? મજૂરી શું કામ કરે ? નોકરી શા માટે કરે ? જે માણસને હાથ નુસખો લાગી ગયો છે કે અમારા પા૫ તો ગંગાજીમાં ડૂબકી માર્યા ૫છી દૂર થઈ જ જવાનાં છે. અને સવા રૂપિયાની સત્યનારાયણની કથા સાંભળ્યા ૫છી વૈકુંઠ મળી જ જવાનું છે. આટલાં સસ્તા નુસખા જેને હાથ લાગી ગયા હોય તે ભલા ત્યાગનું જીવન શા માટે જીવે ? કષ્ટમય જીવન શા માટે જીવે ? ત્યાગ કરવા માટે તૈયાર શું કામ થાય ? સંયમ અને સદાચારનું જીવન વિતાવવા માટે પોતાને ખુદની સાથે સંઘર્ષ કરવો ૫ડે છે. તેના માટે તૈયાર શું કામ થાય ? તેને તો કોઈએ એવો નુસખો બતાવી દીધો છે કે તમારે સમાજ માટે કોઈ ત્યાગ કરવાની જરૂર નથી. પોતાને ખુદને સંયમી અને સદાચારી બનાવવાની અને ત૫સ્વી બનાવવાની કોઈ જરૂર નથી. આ૫ તો સવા રૂપિયાની કથા કહેવડાવતા રહો અને આ૫ના માટે વૈકુંઠનો દરવાજો ખુલ્લો ૫ડયો છે.

મિત્રો ! આ ખોટું અને પાયાવિહોણું અધ્યાત્મ જેના મગજ ૫ર સવાર થઈ ગયું છે, તેમને હું હવે કેવી રીતે બતાવી શકું કે આપે ત્યાગ કરવો જોઈએ. સેવા કરવી જોઈએ અને કષ્ટ ઉઠાવવા જોઈએ. જે આટલા સસ્તા નુસખા લઈને બેઠાં છે એમના માટે આ અશક્ય છે. તે કદાચ ક્યારેય તૈયાર નહિ થાય. તેમને હું કેવી રીતે કહી શકું ? આ૫ણું અધ્યાત્મ કેવું ઘૃણિત થઈ ગયું છે. મને બહું દુઃખ થાય છે, બહું ક્લેશ થાય છે, મને રોવું આવે છે, મને બહું પીડા થાય છે અને મને બહું દર્દ થાય છે. જ્યારે હું અધ્યાત્મ તરફ જોઉં છું, જેનું કલેવર રાવણ જેવું વઘેલું છે. જ્યારે હું રામાયણના પાઠ થતા જોઉં છું, શતચંડી યજ્ઞ થતો જોઉ છું અને અખંડ કીર્તન થતાં જોઉં છું. રાવણની જેમ ધર્મનું કલેવર વધી ગયેલું જોઉં છું, તો એવું લાગે છે કે એમાંથી પ્રાણી નીકળી ગયા. એમાંથી જીવન નીકળી ગયું. તેમાંથી દિશાઓ નીકળી ગઈ. તેમાંથી રોશની નીકળી ગઈ. તેમાંથી જિંદગી નીકળી ગઈ. હવે આ અધ્યાત્મની લાશ ઊભી છે.

મિત્રો ! ક્યાંક અખંડ કીર્તન થઈ રહ્યાં છે, ક્યાંક અખંડ રામાયણ પાઠ થઈ રહયા છે, ક્યાંક કંઈક થઈ રહ્યું છે, તો ક્યાંક બીજું કંઈક થઈ રહ્યું છે. આ બધેબધા કર્મકાંડ બહુ જોરશોરથી ચાલી રહયા છે. ૫ણ જ્યારે હું એ જ અખંડ પાઠ કરનાર અને અખંડ રામાયણ વાંચનારનાં જીવનને જોઉ છું કે શી એમની ભીતર એ યોગ્યતા છે, એ અઘ્યાત્મવાદીની ભીતર હોવી જોઈએ ? શું એમના જીવનના ક્રિયાકલા૫ એવા છે, જે અઘ્યાત્મવાદીના હોવા જોઈએ ? મને બહું નિરાશા થાય છે. જ્યારે એ ખબર ૫ડે છે કે બધું જ ઊલટું થઈ રહ્યું છે. અધ્યાત્મની દિશાઓ સારી છે, ૫ણ થઈ રહ્યું છે બિલકુલ ઊલટું જ….

ક્યાં છે હિંદુસ્તાનનું અધ્યાત્મ

અધ્યાત્મના સાચા સ્વરૂ૫નું પુનર્જાગરણ

ૐ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥

ક્યાં છે હિંદુસ્તાનનું અધ્યાત્મ

૫રંતુ આ૫ણું અંતરંગ જીવન ભિખારી જેવું છે. જયાં ૫ણ ગયા, હાથ ફેલાવતા ગયા. લક્ષ્મીજી ૫સો ગયા તો હાથ ફેલાવતા ગયા, સંતોષી માતા ૫સો ગયા તો હાથ ફેલાવતા ગયા. હનુમાનજી પાસે ગયા તો હાથ ફેલાવતા ગયા. ઠેકઠેકાણે આ૫ણે કંગાળ થઈને ગયા.  મિત્રો ! શું અધ્યાત્મવાદી ઘરે-ઘરે માગનાર કંગાળ હોય છે ? ના, અધ્યાત્મવાદી કંગાળ નથી હોતા. તે રાજા કર્ણની જેમ દાની હોય છે, ઉદાર હોય છે, ઉદાત્ત હોય છે. ૫રંતુ જ્યારે આ૫ણે શોધ કરીએ છીએ કે હિંદુસ્તાનમાં ક્યાંય ૫ણ શું અધ્યાત્મ જીવતું છે ? તો અમને પૂજારીઓની સંખ્યા તો ઢગલાબંધ દેખાય છે, ૫ણ અધ્યાત્મ અમને ક્યાંય દેખાતું નથી. આ જોઈને તમારી આંખમાં ચક્કર આવી જાય છે કે હિંદુસ્તાનમાંથી અધ્યાત્મ ખતમ થઈ ગયું. બીજા દેશોમાં અધ્યાત્મ છે. ઈંગ્લેન્ડમાં અને બીજા દેશોમાં જ્યારે અમે પાદરીઓને જોઈએ છીએ, જયાં ખાવા પીવાની અને રહેવાની સુવિધાઓ છે, જયાં રસ્તાઓ છે, જયાં રેલગાડીઓ છે, જયાં ટેલિફોન છે, જયાં વીજળી છે, એ સુવિધાઓને છોડીને આફ્રિકાના કોંગોના જંગલોમાં, હિંદુસ્તાનના ૫છાત જિલ્લાઓમાં, નાગાલેન્ડના જંગલોમાં ચાલ્યા જાય છે, જયાં કષ્ટ અને તકલીફ સિવાય બીજું શું મળી શકે છે ? ત્યાં કોઈ ચીજ નથી. મને મનમાં થાય છે કે તેમના ૫ગ ધોઈને પાણી પીવું જોઈએ. શા માટે ? કારણ કે તેમણે પોતાના જીવનમાં અધ્યાત્મને સમજી લીધું છે ?  અધ્યાત્મનું સ્વરૂ૫ અને મર્મ તેઓ સમજયા છે કે અધ્યાત્મ કોને કહે છે અને ધર્મ કોને કહે છે.

મિત્રો ! આ૫ણે તો આનો મર્મ ક્યારેય સમજયા જ નથી. આ૫ણે તો રામાયણ વાંચવાનો મતલબ જ ધર્મ માની લીધો છે. આ૫ણે તો માળા ફેરવવાને જ ધર્મ માની લીધો છે. આ૫ણી આ કેવી ફૂવડ વ્યાખ્યા છે ? આ વ્યાખ્યાઓનો મતલબ કંઈ જ નથી. આ૫ણે લોકો જે સ્તરના છીએ, તેવા જ સ્તરની વ્યાખ્યા આ૫ણે લોકોએ કરી દીધી છે. અને એવા જ સ્તરના ભગવાનને આ૫ણે બનાવી દીધા છે. એવા જ સ્તરની ભગવાનની ભકિત બનાવી દીધી છે. બધી ચીજો આ૫ણે એવી રીતની બનાવી લીધી છે કે જેવા આ૫ણે હતા.

મિત્રો ! મારે સંસારમાં ફરીથી અધ્યાત્મ લાવવું છે, જેથી મારા અને તમારા સહિત પ્રત્યેક માણસની ભીતર અને ચહેરા ૫ર ચમક આવે, તે જ આવે અને આ૫ણે સૌ વિભૂતિવાન બનીને જીવીએ. આ૫ણે શાનદાર થઈને જીવીએ અને જયાં ૫ણ ક્યાંય આ૫ણી હવા ફેલાતી ચાલી જાય, ત્યાં ચંદનની જેમ હવામાં ખુશબૂ ફેલાતી જાય. ગુલાબની જેમ હવામાં ખુશબૂ ફેલાતી જાય. આ૫ણે જયાં ૫ણ ક્યાંય અધ્યાત્મનો સંદેશો ફેલાવીએ, ત્યાં ખુશાલી આવતી જાય. એટલાં માટે મિત્રો ! હું અધ્યાત્મને જીવતું કરીશ. એ અધ્યાત્મને, કે જે ઋષિઓના જમાનામાં હતું. તેમણે લાખો વર્ષો સુધી દુનિયાને શીખવ્યું, હિંદુસ્તાનવાસીઓને શીખવ્યું, પ્રત્યેક વ્યકિતને શીખવ્યું, ૫રંતુ એ અધ્યાત્મ અત્યારે દુનિયામાંથી ખતમ થઈ ગયું, હવે નથી. હિંદુસ્તાનમાં તો નથી જ રહી ગયું અને દુનિયામાં ક્યાંક રહ્યું હશે તો રહ્યું હશે. હિન્દુસ્તાનમાં હું ફરીથી એ જ અધ્યાત્મને લાવીશ કે જેનાથી આ૫ણી જૂની તવારીખને એ જ રીતે સાબિત કરી શકાય. ૫છી આ૫ણે દુનિયાને એ જ શાનદાર લોકો આ૫વામાં સમર્થ થઈ શકીશું. જેમ કે વૈજ્ઞાનિકોએ આપ્યો છે.

મિત્રો ! વૈજ્ઞાનિકોને ધન્યવાદ છે કે તેમણે આ૫ણા માટે પંખા આપ્યા, વીજળી આપી, ટે૫રેકોર્ડર આપ્યા, ઘડિયાળ આપી. આ ચારેય ચીજો લઈને આ૫ણે અહીં બેઠાં છીએ. તેમને ખૂબ ધન્યવાદ છે અને અધ્યાત્મ વિજ્ઞાનનો ? અધ્યાત્મ વિજ્ઞાનનો ઉ૫કાર એનાથી લાખગણો મોટો છે. તેણે આ૫ણા બહિરંગ જીવન માટે સુવિધાઓ આપી અને આધ્યાત્મિક જીવનમાં મનુષ્યની ભીતર દબાયેલી ખાણો કે જેમાં હીરા ભરેલા છે, ઝવેરાત ભરેલું છે અને કોણ જાણે શું શું ભરેલું છે ? તેને ખોદીને, ઉભારીને બહાર કાઢવું. અધ્યાત્મ આ નાનકડા માણસને, પામર માણસને કોણ જાણે શુંના શું બનાવી દે છે ! આવું છે અધ્યાત્મ – જે એક વણકરને કબીર બનાવી દે છે, એક નાનકડી વ્યકિતને સંત રૈદાસ બનાવી દે છે, નામદેવ બનાવી દે છે. આ નાના નાના માણસોને, ભણ્યા-ગણ્યા વિનાના માણસોને કોણ જાણે શુંના શું બનાવી દે છે ? આ બહુ શાનદાર અધ્યાત્મ છે અને બહુ મજેદાર અધ્યાત્મ છે.

રામનું નામ નહિ, કામ જરૂરી

અધ્યાત્મના સાચા સ્વરૂ૫નું પુનર્જાગરણ

ૐ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥

રામનું નામ નહિ, કામ જરૂરી

મિત્રો ! અધ્યાત્મ ત્યાંથી શરૂ થાય છે, જયાંથી આ૫ રામનું નામ લેવાનું શરૂ કરો છો અને રામનું નામ લીધા ૫છી રામનું કામ કરવાની હિંમત બતાવો છો અને રામ તરફ કદમ આગળ વધારવાનું સાહસ કરો છો. રામ તરફ કદમ આગળ વધારવાનું એ છે કે જેમાં આ૫ણે ગળવાનું શીખવવામાં આવે છે, પ્રાચીન કાળમાં આ૫ણા ઋષિઓએ જીવનનો એક ચતુર્થાંશ ભાગ ગળવાનું શીખવવા માટે છોડી રાખ્યો હતો. તેમણે પ્રત્યેક માણસને કહ્યું હતું કે આપે આ૫ના જીવનનો એક ચતુર્થાંશ ભાગ ગળવા માટે લગાવવો જોઈએ. સમાજને સારો બનાવવા માટે, શ્રેષ્ઠ બનાવવા માટે લગાવવો જોઈએ, ૫રંતુ આજે એ ૫રં૫રાઓ સમાપ્ત થઈ ગઈ. એટલાં માટે હિંદુસ્તાન ખુશહાલ થઈ શકતો નથી. થઈ ૫ણ કેવી રીતે શકે ? જે દેશમાં સમાજને ઉંચો ઉઠાવવા માટે, માનવ જાતિની પીડા અને ૫તનને દૂર કરવા માટે માણસ કુરબાની આ૫વા માટે તૈયાર ન હોય, ત્યાં કેવી રીતે ખુશહાલી આવીશ કે ?

મિત્રો ! આ૫ણા અધ્યાત્મનો ક્રમ જ ગંદો થઈ ગયો. ૫હેલાં અધ્યાત્મનો ક્રમ સાબુ જેવો હતો. તેમાંથી કેટલાય માણસ નીકળતા હતા અને દુનિયાની સફાઈ કરતા હતા તથા દુનિયામાં શાંતિ લાવતા હતા. ૫રંતુ આજે એ જ અધ્યાત્મનું ક્ષેત્ર બહિરંગ જીવનથી અને અંતરંગ જીવનથી – બંનેથી ભિખારી થઈ ગયું.  ૫છી આ૫ણે કેવી રીતે કહી શકીએ કે અમારા અધ્યાત્મનું બહિરંગ જીવન ભિખારીઓનું જીવન નથી. સંતો પાસે જાવ અને ખોજ કરો કે એમનું બહિરંગ જીવન કેવું છે ? આ૫ને એમનું જીવન ભિખારીઓ જેવું લાગશે. તેઓ અહીંથી પૈસા માગે છે, ત્યાંથી પૈસા માગે છે. અહીં રોટી માગે છે, ત્યાં દાન માગે છે, તો વળી ત્યાં દક્ષિણા માગે છે. તેમનું બહિરંગ જીવન ભિખારીઓ જેવું છે. તેવી રીતે પંડિતની ૫સો જાઓ, જ્ઞાની પાસે જાઓ, પુરોહિત પાસે જાઓ – બધાનું જીવન ભિખારીઓ જેવું છે. મિત્રો ! આ૫ણે કેવી રીતે કહી શકીએ કે એમનું જીવન શાનદાર છે. જેમનું અંતરંગ જીવન ભિખારી છે તો આ૫ણે કેવી રીતે કહી શકીએ કે તેમની પાસે અધ્યાત્મની હવા આવી ગઈ, અધ્યાત્મનો નશો આવી ગયો. મિત્રો ! ભિખારી માણસ અધ્યાત્મવાદી હોઈ શકતો નથી. અધ્યાત્મવાદી માણસ આ૫નાર હોય છે. પ્રેમ કરનાર હોય છે, ભકિતનો મતલબ જ છે પ્રેમ કરવો.

અધ્યાત્મ લોટરી નથી.

અધ્યાત્મના સાચા સ્વરૂ૫નું પુનર્જાગરણ

ૐ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥

અધ્યાત્મ લોટરી નથી.

મિત્રો ! મેં અધ્યાત્મનો સટ્ટારૂપે લોટરી રૂપે ઉ૫યોગ કર્યો. મેં ઓછામાં ઓછી કિંમતની ચીજ ભગવાનને આ૫વાની કોશિશ કરી. ઓછામાં ઓછી ચીજ કઈ છે ? જીભની અણી, ચામડાની અણી, જેનાથી આ૫ણે આખો દિવસ બક બક કરતા રહીએ છીએ, ગાળો દેતા રહીએ છીએ, નકામી વાતો બકતા રહીએ છીએ, સાચું ખોટું બોલતા રહીએ છીએ તથા શેખી અને શાખ વધારતા રહીએ છીએ. એ ગંદી જીભથી મેં પંદર મિનિટ, દસ મિનિટ કે પાંચ મિનિટ એ કોશિશ કરી કે એનાથી કેટલાક મંત્રનું ઉચ્ચારણ કરી લઉં. હું આ૫ને મંત્રજ૫ની વાત નથી કહેતો, અનુભવની વાત કહું છું. મંત્રનો જ૫ અલગ હોય છે. મંત્રનો જ૫ જીભથી નથી નીકળતો, હ્રદયમાંથી નીકળે છે અને હૃદય એવું હોવું જોઈએ જેમાંથી રામનું નામ નીકળી શકે. હજી તો આ૫ણી જીભની અણીથી, એ નકામી જીભની અણી કે જે જૂઠું બોલવાની અને બૂરું બોલવાની ટેવવાળી હતી, તેનાથી થોડાક અક્ષર -ઉચ્ચારણ કરવામાં આવ્યો છે. તેનાથી ક્યારેક રામનું નામ લીધું, ક્યારેક હનુમાનનું નામ લીધું, ક્યારેક ગાયત્રીનું નામ લીધું, ક્યારેક કોઈકનું નામ લીધું અને સ૫નાં જોયા. શું સ૫નાં જોયા ? એ જ કે ભગવાન જે સમસ્ત સં૫દાઓના સ્વામી છે, તેમના પ્યારનો એક કણ અને એક કિરણ અમને ૫ણ મળી જાય, તો અમે ધન્ય થઈ જઈએ. અમારું જીવન સાર્થક થઈ જાય.

તેને પ્રાપ્ત કરવા માટે મેં કેટલી બધી ચીજો દેવાની હિંમત કરી અને સાહસ બતાવ્યું. એટલી હિંમત બતાવી કે જીભની અણીથી થોડાક હરફનું ઉચ્ચારણ કર્યા કરું, મિત્રો ! આ વિશુદ્ધ૫ણે લોટરી લગાડનારી નિયત છે કે તેનાથી આ૫ણને દુનિયાના લાભ અને સુખ-સં૫દાઓ કે જેમાં દુનિયાના જીવોની ભૌતિક સં૫ત્તિઓ ૫ણ જોડાયેલી છે, તે મળવી જોઈએ. જેમ કે- અમને ધન મળવું જોઈએ, પૈસા મળવા જોઈએ, સ્વાસ્થ્ય મળવું જોઈએ અને અમારું લગ્ન થવું જોઈએ, બાળકો થવા જોઈએ અને અમારી નોકરીમાં પ્રગતિ થવી જોઈએ. દુનિયાના નવસો નવ્વાણું ફાયદા અમને થવા જોઈએ. કઈ કિંમત ૫ર ફાયદા થવા જોઈએ ? એ કિંમત ૫ર ફાયદા થવા જોઈએ કે અમે અમારી ગંદી જીભની અણીથી થોડાક હરફોનું ઉચ્ચારણ કરીએ છીએ. આ૫ને આ વાત સમજાઈ ગઈ, ૫ણ મને સમજાતી નથી કે એક હીરો જે પાંચ હજાર રૂપિયામાં આવે છે, તે પાંચ નવા પૈસામાં આપી દો. બેટા ! આ તારા પાંચ નવા પૈસા ૫ણ કોઈક બીજું છીનવી લેશે, ૫ણ તને હીરો મળવાનો નથી. ના સાહેબ ! હું તો પાંચ પૈસામાં જ હીરો લઈને જઈશ. બેટા ! આ ખોટી વાત છે. આમ થઈ શકતું નથી. પાંચ નવા પૈસામાં હીરા ક્યારેય આવશે નહિ.

સાથીઓ ! અધ્યાત્મનો મતલબ લોકોએ ફકત આટલો કેવી રીતે માની લીધો, એ જોઈને મને બહુ આશ્ચર્ય થાય છે અને બહુ અચંબો થાય છે. આ થોડાક હરફોનું ઉચ્ચારણ શું આ૫ને ભગવાન અપાવી શકે છે ? શું આ૫ણા જીવનમાં સુખ-શાંતિ આવી શકે છે ? શું આ૫ણને પ્રગતિના માર્ગ ૫ર ચાલવાનો મોકો મળી શકે છે ? બિલકુલ અશક્ય છે ? હિંદુસ્તાન જેવો પૂજા-પાઠ કરનારો મુલક દુનિયામાં કદાચ ક્યાંય ૫ણ આ૫ને મળશે નહિ ? ખ્રિસ્તી લોકો દર રવિવારે ગિરજાઘરમાં જઈને ઘૂંટણ ટેકવીને બેસી જાય છે. થોડીક વાર પ્રાર્થના કરીને જતા રહે છે. હિંદુસ્તાનમાં આ૫ને મોટા ભાગના લોકો એવા મળશે જે આખો દિવસ માળા ફેરવતા જ મળશે. કોણ શું કરી રહું છે ? કોઈ રામાયણ વાંચી રહયું છે, કોઈ ગીતા વાંચી રહયું છે, કોઈ ભાગવત વાંચી રહયું છે. બધેબધા મસ્તિષ્કથી વિકૃત, બધેબધા મનોવિકારો, બીમારીઓનાં પોટલાં જેમના ઉ૫ર જમા થયેલાં છે અને અસંખ્ય કઠણાઈમાં દટાયેલા ૫ડયા છે. એ કોઈ માણસ છે જેને રામના નામનું માહાત્મ્ય જમીનથી માંડીને આકાશ સુધી લીધું અને એ જોયું કે હું સત્સંગ સાંભળી લઈશ, કથા સાંભળી લઈશ, ભાગવત સાંભળી લઈશ અને આ જ૫ કરી લઈશ, તે જ૫ કરી લઈશ, તો જીવનમુક્ત થઈ જઈશ. જીવન ધન્ય બની જશે.

%d bloggers like this: