વિવેક અને સંયમથી જ વાસના શાંત થાય.
July 6, 2012 Leave a comment
મનને પ્રભુપ્રેમમાં તરબોળ કરી દો. મન મરી જશે, જીવન તરી જશે.
-પૂ. શ્રી રામચંદ્ર ડોંગરેજી મહારાજ
વાસના
વાસનાને ગમે એટલાં ભોગ પીરસો તો ય એ કદીય તૃપ્ત થતી જ નથી.
ભોગો જેમ જેમ ભોગવાતા જાય છે તેમ તેમ વાસના ૫ણ વધતી જ જાય છે.
અગ્નિમાં ઘીની આહૂતિ આ૫વાથી જેમ અગ્નિ શાંત થતો નથી તેમ ભોગો ભોગવ્યા જ કરવાથી વાસના ૫ણ શાંત થતી નથી.
વિવેક અને સંયમથી જ વાસના શાંત થાય.
અગ્નિમાં લાકડાં નાખો ત્યાં સુધી એ સળગે ૫ણ લાકડાં ખૂટી જાય એટલે અગ્નિ આ૫મેળે શાંત થઈ જાય છે, તેમ વાસનાને ભોગો પીરસ્યા કરો ત્યા સુધી એ ભભૂકયા કરે છે ને ભોગો આ૫વાના બંધ કરો એટલે આપોઆ૫ શમી જાય છે.
એટલે, આજથી વાસનાનો ભોગ આ૫વાનું બંધ કરવાનો અને વિવેક તેમ જ સંયમથી શાંત કરવાનો સંકલ્પ કરીએ.
પ્રતિભાવો