રામકથાની પ્રબળ પ્રેરણા : જ્યાં પ્રેમ – ત્યાં પરમાત્મા
March 24, 2010 Leave a comment
રામકથાની પ્રબળ પ્રેરણા : જ્યાં પ્રેમ – ત્યાં પરમાત્મા
અખિલ વિશ્વ ગાયત્રી પરિવારની પ્રેરણામૂર્તી અને તત્કાલીન સમાજમાં ક્રાંતિકારી અને યુગ પ્રવર્તક વિચારો આપનાર પંડિત શ્રી રામ શર્મા આચાર્યના ક્રાંતિકારી વિચારો ખૂબ સુંદર અને પ્રેરણાદાયી છે. કરોડો લોકોને વૈદિક પરંપરા અને સંસ્કૃતિ માટે જાગૃત કરવા તથા સમાજમાંના નાતજાતના ભેદો ભૂલાવીને સંસ્કાર ચિંતન માટે સમસ્ત સંકટોનું એકમાત્ર કારણ છે- માનવીય દુર્બુદ્ધિ. જે ઉપાયથી દુર્બુદ્ધિને દૂર કરી સદ્દબુદ્ધિ સ્થપાય.
રામકથા કરોડો ભારતીયોને માટે ધર્મ અઘ્યાત્મ, નીતિ, સદાચાર, જ્ઞાન, વૈરાગ્ય, વ્યવહાર અને રાજનીતિ વગેરેની યોગ્ય પ્રેરણાઓનો સ્ત્રોત છે. તે જ માનવકલ્યાણનો તથા વિશ્વશાંતિનો સમાધાનકારક માર્ગને અથાગ પ્રયત્નો કરનારા પરમપૂજ્ય શ્રીરામ શર્મા આચાર્યજીએ ગાયત્રી તપોભૂમિ મથુરામાં ૯ સપ્ટેમ્બર, ૧૯૬૮ ના રોજ પ્રાત-કાળે આપેલું પ્રવચન. એક સ્વસ્થ, તંદુરસ્ત ભારતીય સમાજના ઘડતર માટે તેમના ચીંધેલા માર્ગને અનુસરવાનો પ્રયત્ન કરવો આવશ્યક છે
ગાયત્રી મંત્ર અમારી સાથેસાથે !
ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
દેવીઓ અને ભાઈઓ,
માનવજીવનમાં સુખ-શાંતિ પોતાના આચરણ અને કર્મ અનુસાર જ આવે છે.
મનુષ્ય કુમાર્ગગામી બને છે તો મુશ્કેલીઓ આવે છે. મનુષ્ય સન્માર્ગગામી બને છે. તો સુખ મળે છે. સુખ-દુખની જવાબદારી પોતાની જ હોય છે.
રામાયણ જેવાં શાસ્ત્ર એટલા માટે લખવામાં આવ્યાં છે, કે સાંભળનાર, વાંચનાર પર કર્તવ્યપાલનનો પ્રભાવ પડે. તેઓ કર્તવ્યપાલન કરવાનું શીખે. જેઓ કર્તવ્ય પાલન કરે છે, તેમની પર ભગવાનને કૃપા હોય છે.
દુષ્કર્મ, કુકર્મ આપણી અંદર ભર્યા પડ્યાં હોય ત્યારે દેવતા આપણી સહાયતા ક્યાંથી કરે ?
આપણા પાપ આપણને લઈ ડૂબશે. બધા વેદોનું તત્વદર્શન એક જ છે. પોતાના કર્તવ્યનું પાલન કરો. બાકીનું સંભાળવાનું કામ ભગવાનનું છે. જો પોતાના કર્તવ્યનું પાલન કરવામાં ન આવ્યું હોય તો ભગવાન પાસેથી કોઈપણ પ્રકારની આશા રાખવી ન જોઈએ.
જે વ્યક્તિ એક રૂપિયાનો પ્રસાદ ચઢાવે છે અને દિવસભર કુકર્મ કરે છે, તેની સહાયતા ભગવાન શું કામ કરે ? દેવતાઓ એવા નથી, જે મીઠાઈ ધરાવવાથી, માળા ફેરવવાથી, જપ કરવાથી ખુશ થઈ જાય. દેવતા તો દૂરદર્શી છે. દેવતાઓ સારી રીતે જાણે છે કે કૃપા કોની પર કરવી જોઈએ. રામાયણ કથા એટલા માટે નથી સંભળાવવામાં આવતી કે સાંભળનારાં સ્વર્ગમાં પહોંચી જાય. રામાયણને જે આચરણમાં ઉતારશે, સ્વર્ગ તેને જ મળશે.
ભગવાને રામે જન્મ લીધો. પોતાનું ચરિત્ર દર્શાવી રસ્તો બતાવ્યો….
(pdf File- Free Download)
પ્રતિભાવો