શિષ્ટાચાર, સહયોગ અને પરોપકાર | GP-9. શિષ્ટાચાર અને સહયોગ | ગાયત્રી વિદ્યા

શિષ્ટાચાર, સહયોગ અને પરોપકાર | GP-9. શિષ્ટાચાર અને સહયોગ | ગાયત્રી વિદ્યા

આ રીતે વિચાર કરવામાં આવે તો શિષ્ટાચાર અને સહયોગની ભાવના મનુષ્યત્વનું એક અગત્યનું અંગ છે. જે મનુષ્ય તેના તત્ત્વને સમજી લે છે તે હંમેશાં બીજાઓનું સન્માન કરવા, તેમને બધી રીતની મદદ કરવા, તેમની સેવા તથા ઉપકાર કરવા તૈયાર રહે છે, કેમ કે જો આપણે બીજાઓની તરફ આ પ્રકારનો સર્વ્યવહાર કરવાની ભાવના નથી રાખતા, તો આપણે પણ બીજી વ્યક્તિઓ પાસેથી જરૂર પડતાં સહયોગ અને ઉપકારની આશા ન રાખવી જોઈએ. એટલા માટે શિષ્ટાચારનું પાલન કરનારાએ સેવા અને પરોપકારનું મહત્ત્વ પણ હંમેશાં ધ્યાનમાં રાખવું જોઈએ.

શિષ્ટાચારના આ સ્વરૂપને સમજનારી વ્યક્તિ આ પરિચિતોની સાથે પણ તેવો જ ઉત્તમ અને મધુર વ્યવહાર કરે છે કે જેવો પરિચિતો સાથે કરે છે કેમ કે એવી વ્યક્તિ બધાને પોતાના આત્મીય સમજે છે અને જરૂર પડ્યે નિઃસંકોચ ભાવથી પોતાની સેવાઓ આપવા તૈયાર રહે છે. જો ગંભીરતાપૂર્વક વિચાર કરવામાં આવે તો સેવાધર્મ શિષ્ટાચારનું સૌથી ઉત્તમ અને શ્રેષ્ઠ રૂપ છે. જ્યારે શિષ્ટાચાર અને સહયોગનો ભાવ આપણા અંતરાત્મામાં સમાઈ જાય છે ત્યારે આપણે કોઈ બીજો વિચાર કર્યા વગર બીજાઓને સુખ પહોંચાડવું, તેમની પ્રસન્નતામાં વૃદ્ધિ કરવી તેને પોતાનું કર્તવ્ય સમજીએ છીએ. તે સમયે આપણે શિષ્ટાચારને એક ભાર સ્વરૂપ અથવા દેખાડો નથી માનતા, પરંતુ તે આપણા અંતરમાંથી આપોઆપ જ સર્વત્ર ફેલાવા માંડે છે.

શિષ્ટાચારની પ્રવૃતિ બાળપણથી જ વિકસાવો | GP-9. શિષ્ટાચાર અને સહયોગ | ગાયત્રી વિદ્યા

શિષ્ટાચારની પ્રવૃતિ બાળપણથી જ વિકસાવો | GP-9. શિષ્ટાચાર અને સહયોગ | ગાયત્રી વિદ્યા

શિષ્ટાચારની પ્રવૃત્તિ આટલી મહત્ત્વપૂર્ણ હોવા છતાં પણ, દિલગીરી સાથે કહેવું પડે છે કે મોટા ભાગનાં ઘરો અને પરિવારોમાં તેની તરફ યોગ્ય ધ્યાન આપવામાં નથી આવતું. ઘણા લોકો એવું વિચારે છે કે ઘરની અંદર, અરસપરસ શિષ્ટાચાર દેખાડવાની શું જરૂર છે. તે તો મોટે ભાગે બહારની વ્યક્તિઓ, અતિથિઓ પ્રત્યે જ બતાવવો જરૂરી છે, પરંતુ આ એક મોટી ભ્રમપૂર્ણ માન્યતા છે. જો આપણને શિષ્ટાચારનો અભ્યાસ ન હોય, આપણે એકબીજા સાથે અસભ્યતાનો વ્યવહાર અને બોલાચાલી રાખીએ તો આપણે બહારના લોકો સાથે પણ સંતોષજનક વ્યવહાર નહિ કરી શકીએ. એ માટે માતાપિતા અથવા સંભાળ લેનારની પવિત્ર ફરજ છે કે બાળકોને શરૂઆતના જીવનથી જ શિષ્ટાચારનું મહત્ત્વ સમજાવે અને તેવું જ શિક્ષણ આપે.

ઉત્તમ શિક્ષણનો એક હેતુ એ પણ છે કે વ્યક્તિને જીવનમાં સારી ટેવોથી સજ્જ અને સુશોભિત કરવામાં આવે. વ્યક્તિને સુસંસ્કૃત બનાવવી તે ઉત્તમ શિક્ષણનો મુખ્ય હેતુ હોવો જોઈએ, પરંતુ દુર્ભાગ્યથી આપણી પાઠશાળાઓનો શિક્ષણક્રમ કંઈક એવો છે તથા આપણા જેટલું વધુ ભણતો ઘરોનું વાતાવરણ પણ એટલું પ્રતિકૂળ છે કે વિદ્યાર્થી જાય છે એટલો જ વધુ અવિનયી અને ઉદ્ધત થતો જાય છે. જેમ જેમ આજકાલનું કહેવાતું જ્ઞાન વિદ્યાર્થીઓના મગજમાં ઘૂસતું જાય છે તેમ તેમ વિનય અથવા ચરિત્ર ઓછાં થતાં જાય છે. આજકાલની વિદ્યાનો નશો શરાબની જેવો જ છે. દારૂની બાબતમાં ઈટાલિયન લોકોમાં એવી કહેવત છે કે જ્યારે શરાબ અંદર જાય છે ત્યારે સદ્દબુદ્ધિ બહાર નીકળી જાય છે. આજની શરાબ જેવી વિદ્યાના પ્રભાવથી સદ્ગુદ્ધિ અને ઉત્તમ ચરિત્ર દૂર જતાં રહ્યાં છે એવા સમયમાં આ જ્ઞાનના પ્રચારની કે “વિદ્યાની શોભા વિનયથી છે” એ બાબતનું મહત્ત્વ દિન પ્રતિદિન વધતું જાય છે.

વિદ્યાર્થીઓને વિનયશીલ બનાવવા માટે ભગીરથ જેવા પ્રયત્નની જરૂર નથી, પરંતુ જો આપણે સાવધાન રહીએ, અસાવધાની અને આળસને સ્થાન ન આપીએ તો આપણને ઘણા નાના નાના મોકા મળશે, જેનો સદુપયોગ કરીને આપણે બાળકોને આપણી ઈચ્છા મુજબ વિનયશીલ બનાવી શકીએ છીએ. બાળકો અવિનયી એ કારણે હોય છે કે આપણે પોતે સારો વ્યવહાર કરતા નથી અને બાળકોને વ્યવસ્થિત રાખવાની ક્ષમતા ધરાવતા નથી.

બાળક આપણી સામે પોતાના મોટા ભાઈ કે બહેનનું અથવા આપણું પોતાનું નામ લે છે, તો આપણે હસી કાઢીએ છીએ. આપણે વિચારીએ છીએ કે બાળક શબ્દોનું ઉચ્ચારણ કરવાનું શીખી રહ્યું છે, તો તેને સફળ જોઈને પ્રસન્ન થઈ જઈએ છીએ. આપણું બાળક જ્યારે બીજા બાળકને ગાળ દે છે અથવા પોતાનાથી મોટી કોઈ વ્યક્તિને લાકડીથી મારે છે, તો તેના સાહસને જોઈને આપણને પ્રસન્નતા થાય છે. બાળક જ્યારે આપણી આજ્ઞાને ટાળી દે છે તો આપણે પણ આજ્ઞાપાલન પર ભાર નથી મૂકતા અને પછી જ્યારે તે મોટો થઈને પૂરેપૂરી રીતે ઉદ્દંડ, નિરંકુશ અને ઉદ્ધત થઈ જાય છે ત્યારે આપણે પોતાના ભાગ્યને દોષ દઈએ છીએ. જે વાતાવરણ આપણે તેની સામે ઊભું કરીએ છીએ તે વાતાવરણમાં બાળક ઉદ્ધત અને અવિનયી ન બને તો કેવો બને ? દોષ આપણો છે અને આપણે ભાગ્યને દોષ દઈએ છીએ.

આ દયાજનક પરિસ્થિતિથી છુટકારો મેળવવા માટે આપણે બાળકો માટે સુંદર અને સ્વસ્થ પરિસ્થિતિનું નિર્માણ કરવું પડશે. સુંદર વાતાવરણ અને માનસિક પરિસ્થિતિઓનું નિર્માણ કરવું તે શિક્ષણનો મુખ્ય હેતુ હોવો જોઈએ. તેનું કારણ એ છે કે કોઈ વિશેષ પરિસ્થિતિમાં બાળકને રાખવાનો અર્થ છે તેને બીજી પરિસ્થિતિઓથી સંપૂર્ણ દૂર રાખવું. જો આપણે બાળકો માટે સારી પરિસ્થિતિઓનું નિર્માણ કરી દઈશું, તો તેઓ વગર પ્રયત્ને ખરાબીઓથી બચી જશે, કેમ કે એક સારા વાતાવરણમાં રહેનારું બાળક બીજા વાતાવરણનું કાર્ય કરી જ નહિ શકે. દાખલા તરીકે હંમેશાં માતાપિતાને પ્રણામ કરવાવાળા વાતાવરણમાં ઉછરેલા છોકરાઓ પોતાનાં માતાપિતાને ગાળ નથી દઈ શકતા. આથી આપણે બાળકોને સુંદર વાતાવરણમાં રાખીને તેમને ખરાબ વાતાવરણથી એટલાં દૂર રાખવાં જોઈએ કે જેથી ખરાબ વાતાવરણમાં રહેતી વ્યક્તિઓ જેવું આચરણ કરવું તેમના માટે મુશ્કેલ થઈ જાય. સુંદર વાતાવરણમાં રહેવાથી બાળક પોતાની જાતે જ ખરાબ વાતાવરણ અને તેના પ્રભાવથી દૂર રહેશે. એથી જે લોકો ઈચ્છે છે કે તેઓનાં બાળકો વિનયશીલ બને તેમણે અત્યારથી જ તેવું વાતાવરણ તૈયાર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ.

જો દુર્ભાગ્યવશ શરૂઆતથી જ આપણે વાતાવરણને સુધારવાનો પ્રયત્ન કર્યો ન હોય તો આપણે નિરાશ થવું ન જોઈએ. જ્યારથી આપણે સુધારો કરવાની શરૂઆત કરીશું ત્યારથી જ આપણને પોતાના પ્રયત્નોનું ફળ મળવાનું શરૂ થઈ જશે. સારા પ્રયત્નો કદી નકામા નથી જતા. કલ્યાણકારી કર્મો કરનારની કદી દુર્ગતિ નથી થતી. એથી જ્યારથી આપણે ચેતી જઈએ ત્યારથી સારા પ્રયત્નો શરૂ કરી દેવા જોઈએ. કલ્પના કરો કે આપનાં માબાપ અથવા અન્ય વડીલ જીવે છે અને આપનાં બાળકો હજી નાનાં નાનાં છે, તો જો આપણે અત્યારથી જએ નિશ્ચય કરી લઈએ કે આપણે પોતાનાં માબાપને અને ગુરુજનોને હંમેશાં સવારે ચરણસ્પર્શ કરીશું, તો આપનાં બાળકો આપણી આ રીતથી પ્રભાવિત થયા વગર રહેશે નહિ. તેમના કોમળ મન પર અદૃશ્ય રૂપથી પવિત્ર સંસ્કાર પડતા જશે અને મોટા થયા પછી તેઓ પણ આપના આ આચરણનું અનુકરણ કરશે.

માતાપિતાને પ્રણામ કરવાનો પવિત્ર પ્રભાવ આપના પર પણ પડશે. જો આપના ગુરુજનોની ધારણા આપના તરફ હજી સુધી સારી નહિ રહી હોય, તો આપના પ્રણામ કરવાની તાત્કાલિક અસર એ થશે કે આપના તરફની તેમની ભાવનાઓ શુદ્ધ થતી જશે અને આપને તેઓના આશીર્વાદ મળવા શરૂ થઈ જશે. જો આપના માટે તેમણે કોઈ ખોટી ધારણાઓ બાંધી હશે, તો તે ખોટી ધારણાઓ ધીરે ધીરે દૂર થઈ જશે અને સાચા મનથી તેઓ આપના માટે સારી કામનાઓ કરશે, જે કદી નિષ્ફળ નહિ જાય.

શિષ્ટાચાર અને સભ્યતા | GP-9. શિષ્ટાચાર અને સહયોગ | ગાયત્રી વિદ્યા

શિષ્ટાચાર અને સભ્યતા | GP-9. શિષ્ટાચાર અને સહયોગ | ગાયત્રી વિદ્યા

શિષ્ટાચાર અને સભ્યતાના ઘણા નજીકના સંબંધમાં આપણે એ પણ કહી શકીએ છીએ કે શિષ્ટાચાર વગર મનુષ્યને સભ્ય કહી શકાય નહિ અને જે વ્યક્તિ ખરેખર સભ્ય હશે તેનામાં શિષ્ટાચારની પ્રવૃત્તિ સ્વાભાવિક રૂપે જોઈ શકાશે.

સભ્ય પુરુષ એવી પ્રત્યેક વાતથી પોતાની જાતને બચાવવાનો પ્રયત્ન કરે છે, જે બીજાના મનને દુઃખ પહોંચાડે અથવા તેનામાં ખીજ અથવા ગુસ્સો ઉત્પન્ન કરે. મનુષ્યને સમાજમાં અનેક પ્રકારની પ્રકૃતિ અથવા સ્વભાવવાળા મનુષ્યોના સંપર્કમાં આવવું પડે છે.  ક્યાંક તેને શંકા થાય છે, ક્યાંક તેને ઉદાસીનતા તથા આક્ષેપ, પ્રતિરોધ અથવા એવા જ અનેક પ્રકારના ભાવોનો સામનો કરવો પડે છે.

સભ્ય પુરુષનું કર્તવ્ય આવા બધા અવસરો પર પોતાની જાતને સંયમમાં રાખી બધાની સાથે સારો વ્યવહાર કરવાનું છે. તેની નજર સામે રહેલા સમાજમાં ચારે બાજુ હોય છે. તે સંકોચશીલ વ્યક્તિઓની સાથે ઘણો નમ્ર રહે છે અને મૂર્ખાઓની પણ મશ્કરી નથી કરતો. તે કોઈ પણ માણસ સાથે વાત કરતી વખતે તેના પહેલાંનાં સંબંધોને યાદ રાખે છે કે જેથી બીજી વ્યક્તિ એવું ન સમજે કે તે તેને ભૂલી ગયો છે. તે એવા વાદવિવાદના પ્રસંગથી દૂર રહે છે, જે બીજાના મનમાં ગુસ્સો ઉત્પન્ન કરે. જાણીજોઈને પ્રવચનમાં પોતાની જાતને મુખ્ય આકૃતિ બનાવવા નથી ઈચ્છતો અને વાર્તાલાપમાં પોતાનો થાક રજૂ નથી કરતો. તેના વક્તવ્ય અને વાણીમાં મીઠાશ હોય છે અને પોતાની પ્રશંસા તે ઘણા સંકોચ સાથે સ્વીકારે છે. જ્યાં સુધી કોઈ વિવશ ન કરે ત્યાં સુધી તે પોતાના વિષયમાં કાંઈ કહેતો નથી અને કોઈ આક્ષેપનો પણ બિનજરૂરી જવાબ નથી આપતો. પોતાની નિંદા પર તે ધ્યાન નથી આપતો, કોઈની સાથે નકામો ઝઘડો પણ વહોરી લેતો નથી. બીજાની ભાવનાને ઠેસ લાગે તેવું ખરાબ કાર્ય તે કોઈ દિવસ નથી કરતો, પરંતુ જ્યાં સુધી બને ત્યાં સુધી બીજાની લાગણીનો સારો ભાવ વ્યક્ત કરવાનો પ્રયત્ન કરે છે. જો ઝઘડાનું કોઈ તો પણ તે પોતાના મનની નીચતા કોઈ કારણ ઊભું થાય દિવસ નથી દેખાડતો.

તે કોઈ વાતનો અયોગ્ય લાભ નથી ઉઠાવતો અને એવી કોઈ વાત મોઢામાંથી નથી કાઢતો, જેને સાબિત કરવા તે તૈયાર ન હોય. તે દરેક વાતમાં અગમચેતી અને દીર્ઘદૃષ્ટિ ધરાવતો હોય છે. તે વાતવાતમાં પોતાના અપમાનની કલ્પના નથી કરતો, પોતાના તરફ કરેલા અપકારોને યાદ નથી રાખતો અને કોઈના દુર્ભાવનો બદલો લેવાની લાગણી નથી રાખતો. દાર્શનિક સિદ્ધાંતોના વિષયમાં તે ગંભીર અને ત્યાગી મનોવૃત્તિવાળો હોય છે. તે દુ:ખોની સામે ઝૂકે છે, કારણ તેના નિવારણનો ઉપાય નથી. કષ્ટોને સહન કરે છે, કારણ તે અનિવાર્ય છે. તે મૃત્યુથી નથી ગભરાતો કારણ કે તેનું આગમન નિશ્ચિત છે. ચર્ચા અથવા વાદવિવાદમાં લાંબી દલીલો, તીક્ષ્ણ ભંગ અથવા અનુચિત આક્ષેપોથી પરેશાન નથી થતો, પરંતુ કોમળ હાસ્યથી તેમને ટાળી દે છે. પોતાનો વિચાર સાચો હોય કે ખોટો, પરંતુ તે તેને હંમેશાં સ્પષ્ટ રૂપે રજૂ કરે છે અને જાણી જોઈને તેનું ખોટું સમર્થન અથવા જીદ નથી કરતો. તે પોતાની જાતને નાના રૂપમાં પ્રગટ કરે છે, પરંતુ પોતાની દરિદ્રતા નથી દર્શાવતો. તે માનવીય દુર્બળતાઓને જાણે છે અને આ કારણે તેને ક્ષમાની દષ્ટિથી જુએ છે. પોતાના વિચારોની ભિન્નતા અથવા ઉગ્રતાના કારણે સજ્જન બીજાની મશ્કરી નથી કરતો. બીજાના વિચાર, સિદ્ધાંતો અને મંતવ્યોને તે યોગ્ય માન આપે છે.

શિષ્ટાચાર અને સહહૃદયતા | GP-9. શિષ્ટાચાર અને સહયોગ | ગાયત્રી વિદ્યા

શિષ્ટાચાર અને સહહૃદયતા | GP-9. શિષ્ટાચાર અને સહયોગ | ગાયત્રી વિદ્યા

સદ્ભાવનાની માફક આપણા વ્યવહારમાં સહૃદયતાની પણ જરૂરિયાત છે. સાચું પૂછવામાં આવે તો સહૃદય વ્યક્તિ પરિચિતોની સાથે જ નહિ, પરંતુ અપરિચિતોની સાથે પણ પ્રેમપૂર્ણ વાર્તાલાપ કરે છે, સહાનુભૂતિ પ્રગટ કરે છે અને એ રીતે તે બધાનું મન આકર્ષિત કરી લે છે. સહૃદયતા વગર મનુષ્યના ઘણા ગુણ નકામા થઈ જાય છે અને તેને હંમેશાં મિત્ર વગરનું, એકાકીપણાનું જીવન જ વિતાવવું પડે છે.

જેણે પોતાની વિચારધારા અને ભાવનાઓને શુષ્ક, નીરસ અને કઠોર બનાવી દીધી છે, તે માનવજીવનના વાસ્તવિક રસના આસ્વાદથી વંચિત જ રહેશે. તે બિચારાએ નકામું જ જીવન ધારણ કર્યું અને મનુષ્યના સુંદર શરીરને કલંકિત કર્યું. આનંદનો સ્રોત સુંદર અનુભૂતિઓમાં છે. પરમાત્માને આનંદમય કહેવામાં આવે છે. કેમ ? એટલા માટે કે તે સરસ છે, પ્રેમમય છે. શ્રુતિ કહે છે – “રસો વૈસ એટલે કે તે પરમાત્મા રસમય છે. ભક્તિ દ્વારા, પ્રેમહારા પરમાત્માને પ્રાપ્ત કરવાની સંભાવના દર્શાવી છે. નિઃસંદેહ જે વસ્તુ જેવી છે તેને તેવી રીતે જ મેળવી શકાય છે. પરમાત્મા દીનબંધુ, કરુણાસિંધુ, રસિકબિહારી, પ્રેમનો અવતાર, દયા -નિધાન તથા ભકતવત્સલ છે. તેને મેળવવા માટે પોતાની અંદર તેવી જ ખીલેલી, કોમળ, સ્નિગ્ધ તથા સરસ ભાવનાઓ ઉત્પન્ન કરવી પડે છે. ભગવાન ભક્તના વશમાં છે. જેનું હૃદય કોમળ છે, ભાવુક છે તેનાથી પરમાત્મા દૂર નથી. આપ પોતાના હૃદયને કોમળ, કવિત, પીગળી જાય તેવું, દયાળુ, પ્રેમી અને સરસ બનાવો. સંસારના પદાર્થોમાં જે સરસતાનો અપાર ભંડાર ભરેલો છે તેને શોધતાં અને મેળવતાં શીખો.

શિષ્ટાચારની સદ્ભાવના | GP-9. શિષ્ટાચાર અને સહયોગ | ગાયત્રી વિદ્યા

શિષ્ટાચારની સદ્ભાવના | GP-9. શિષ્ટાચાર અને સહયોગ | ગાયત્રી વિદ્યા

શિષ્ટાચારનો અર્થ ઘણા લોકો ફક્ત ઔપચારિક આદર સત્કાર જ સમજતા હોય છે, પરંતુ આવી પ્રવૃત્તિ ઘણી ઓછી ઉપયોગી થાય છે. શિષ્ટાચારની કૃત્રિમતા બીજી વ્યક્તિઓથી છુપાઈ નથી શકતી અને એનાથી તેના હૃદયમાં મિત્રતા અથવા આત્મીયતાનો ભાવ જાગૃત નથી થતો, જે ખરેખર સહયોગની શક્તિને ઉત્પન્ન કરે છે અને આપણા જીવનને લાભકારી બનાવે છે. એ માટે આપણા વ્યવહારમાં સામાન્ય શિષ્ટાચારના નિયમોનું પાલન કરવાની સાથે જ સદ્ભાવના હોવી ઘણી જરૂરી છે. એના વગર દેખાવનો શિષ્ટાચાર અનેકવાર બીજી વ્યક્તિના મનમાં એવો ભાવ ઉત્પન્ન કરે છે કે આપણે કોઈ સ્વાર્થ દેખાવ કરી રહ્યા છીએ.

આપણે પરસ્પર સંદેહ અને સંશય કરીને તો ભયને જ ઉત્પન્ન કરીશું અને એકબીજાની પડતી અને છેલ્લે નાશ જ નોતરીશું. આપણે પરસ્પર વિચાર કરવાનું શીખવું પડશે. વિશ્વાસનો આધાર પવિત્રતા છે અને પવિત્ર હૃદયોમાં વિશ્વાસ ઉત્પન્ન થાય છે. પવિત્ર હૃદય અને નિર્મળ બુદ્ધિમાં સદ્ભાવનાનો ઉદય થાય છે. સદ્ભાવના ખૂબ જરૂરી છે. સદ્ભાવનાથી જ પરસ્પરનો દષ્ટિકોણ એકરૂપ બને છે. સદ્ભાવનાના અભાવમાં તો એકબીજામાં સંદેહ અને ભયની જ ઉત્પત્તિ થાય છે. આપણે પરસ્પર શા માટે એકબીજાથી ભયભીત બનીએ ? છુપાવેલી દૂષિત અથવા વિશુદ્ધ મનોવૃત્તિ વ્યવહારમાં પ્રગટ થઈ જાય છે. મનોવૃત્તિને છુપાવીને ઉપરથી થતો શિષ્ટતાનો વહેવાર પણ બહુ જોવા મળે છે, પરંતુ વાસ્તવિકતાને છુપાવવા છતાં છુપાવી નથી શકાતી. આપણે બધાને મિત્ર દૃષ્ટિથી જોવા જોઈએ. મનમાં કોઈ પ્રકારની મલિનતાને સ્થાન ન આપવું જોઈએ, પરંતુ સાથે જ સચેત અને સાવધાન પણ રહેવું જોઈએ કે ક્યાંય આપણી સરળતાનો લાભ ઉઠાવવામાં ન આવે. સતર્ક તથા સાવધાન રહેવું જોઈએ, પરંતુ મનની મલિનતા સારી નથી.

સદ્દભાવનાથી એકબીજાને બરોબર જાણવા અને પરસ્પર વિશ્વાસ ઉત્પન્ન કરવો, સહાનુભૂતિથી પરસ્પર એકબીજાના હૃદયોનો સમન્વય કરવો તથા સહયોગથી સામર્થ્ય મેળવવું એ ક્રમ છે મહત્ત્વાકાંક્ષાની પૂર્તિનો. સહયોગ એક યજ્ઞ છે. યજ્ઞ કદી નિષ્ફળ નથી થયો. બધી શક્તિઓમાં સહયોગ હોવાથી એક અત્યંત મહાન શક્તિનો ઉદય થાય છે, જેનાથી બધામાં નવો ઉત્સાહ, સાહસ અને વસ્તુતઃ કાર્યક્ષમતાયુક્ત નવજીવનનો ઉદય થાય છે.

શિષ્ટાચારના કેટલાક સામાન્ય નિયમ | GP-9. શિષ્ટાચાર અને સહયોગ

શિષ્ટાચારના કેટલાક સામાન્ય નિયમ | GP-9. શિષ્ટાચાર અને સહયોગ

અંગ્રેજીમાં એક કહેવત છે – “મેનર મેક્સ એ મેન” એટલે કે મનુષ્યની ઓળખાણ તેનાં શિષ્ટાચાર, બેસવા, ઊઠવા, બોલવા તથા ખાવાપીવાની રીતથી થાય છે. દુઃખની વાત એ છે કે આજકાલ શિષ્ટાચારની ભાવના ઘટતી જાય છે અને સામાન્ય રીતે ઘણા નવયુવકોમાં નિરંકુશતાની ભાવના વધતી જાય છે. જ્યારે શિક્ષિત કહેવાતા માણસની આ પ્રવૃત્તિ છે તો સામાન્ય માણસ પર તેનો પ્રભાવ વધુ ખરાબ પડે તે સ્વાભાવિક છે. આ પરિસ્થિતિ અંગે અસંતોષ રજૂ કરતાં એક વિદ્વાને યોગ્ય જ કહ્યું છે કે “આપણે બેસીએ છીએ તો પહોળા થઈને, બોલીએ છીએ તો ચીસો પાડીને, પાન ખાઈએ છીએ તોપિચકારી કોઈકના ઝભ્ભા પર, ખાવા બેસીએ તો ત્રણચાર ફૂટ ધરતી પર રોટલીના ટુકડા અને શાકભાજી વેરીએ છીએ. ધોતી પહેરી તો ઝભ્ભો ઘણો નીચો હોય. ઝભ્ભો મેલો તો ધોતી ચોખ્ખી. પથારી સાફ તો ખાટલો ઢીલો, ઓરડો ઝાડુથી સાફ કરેલો હોય, તો દરવાજા પર કચરો પડ્યો હોય છે. ચાલીએ છીએ તો વસ્તુઓ વેરતા વેરતા, ઊઠીએ છીએ તો બીજાને ધક્કા મારતા મારતા – આ બધી રીતભાત જ કોઈને સંસ્કૃત અથવા સભ્ય બનાવે છે. આપણે ભલે ઘેર હોઈએ કે સમાજમાં, પણ આપણે આ બધી વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ. ”

આ રીતે બીજી સામાજિક ખામીઓની તરફ ધ્યાન દોરી શકાય છે. જેમ કે, પુસ્તકો ઊછીનાં લઈને પરત ન આપવાં, વાયદો આપીને માણસને ઘેર બોલાવવો અને પોતે ઘેર હાજર ન રહેવું, દુકાનદાર પાસેથી વસ્તુઓ ઉધાર ખરીદીને પૈસા આપવાનું ભૂલી જવું, જ્યારે વેપાર સારો ચાલે ત્યારે ખરાબ, નીચી ગુણવત્તાનો માલ આપીને પૈસા પૂરા લેવા, પત્રોના જવાબ ન આપવા, પોતાના રોજના કામ પર મોડેથી આવવું, કાર્યાલયની ઘણી વસ્તુઓ જેવી કે કલમ, શાહી, ટાંકણી, પેન્સિલ, કાગળ, કાર્બન, પેકિંગ બોલ વગેરે ચોરીને ઘેર લઈ જઈને વ્યક્તિગત કામમાં વાપરવાં, બોલવું કંઈક, જ્યારે આચરણમાં કાંઈક બીજું જ કરવું – આ બધી એવી અશોભનીય વાતો છે, જે માનવતાની ઉચ્ચ પ્રતિષ્ઠાને કોઈ પણ રીતે અનુકૂળ નથી. માનવતાની રક્ષા માટેતેમને તરત ત્યજી દેવી જોઈએ.

આપણે એ સમજીએ છીએ કે ભારતીય અને યુરોપીયન અથવા મુસલમાન સમાજમાં ઘણી ભિન્નતા છે અને એટલે આપણે કોઈ બીજા દેશના શિષ્ટાચારના નિયમોની પૂરી નકલ કરી શકતા નથી. સાથે એ પણ સત્ય છે કે વૈજ્ઞાનિક શોધો અને આવવા જવાની અભૂતપૂર્વ વૃદ્ધિએ વર્તમાન પરિસ્થિતિઓને એટલી બદલી નાખી છે કે આપણા દેશની પ્રાચીન શિષ્ટાચારની પદ્ધતિ પણ ઘણા અંશોમાં અસામિયક થઈ ગઈ છે. એ માટે આપણે વર્તમાન પરિસ્થિતિને અનુકૂળ અને મનુષ્યતાની રક્ષા કરનારા નિયમો પ્રમાણે આચરણ કરવું જોઈએ. યાદ રાખો કે જેનામાં સભ્યતા નથી, જે પોતાના નાના નાના આવેગોને વશમાં નથી રાખી શકતા તેઓ કુળવાન કહેવાતા નથી. ભલે તેમનો જન્મ કોઈ મોટા કુટુંબમાં કેમ ન થયો હોય. એ માટે જે લોકો સમાજમાં આદર અને પ્રતિષ્ઠાની દૃષ્ટિએ ઊંચા દેખાવાની ઈચ્છા રાખે છે તેમણે સભ્યતા, સ્વચ્છતા અને શિષ્ટાચારના નિયમોનું અવશ્ય ધ્યાન રાખવું જોઈએ. શિષ્ટાચારનાં ઘણાં રૂપ છે, એ સંબંધમાં થોડી ટૂંકી વાતો જ અહીં આપવામાં આવે છે :

૧. આદરણીય વ્યક્તિ, ગુરુજન વગેરેને મળતાં જ હાથ જોડીને અથવા પગે પડીને અથવા જેવી રીતે રોજનો નિયમ હોય તેવી રીતે આદર દર્શાવો.

૨. આદરણીય વ્યક્તિને પોતાનાથી ઉચ્ચ આસન પર બેસાડો, તેઓ ઊભા હોય ત્યારે પોતે બેસી રહેવું, આસન ન છોડવું, ઊંચા આસન પર બેસવું તે અવિનય છે.

૩. આદરણીય વ્યક્તિની પાસે શિષ્ટતાથી બેસો, પગ પહોળા કરવા, બેસવામાં કાંઈક પ્રતિષ્ઠા વધારતા હોઈએ તેમ આરામથી બેસવું વગેરે સારું નથી.

૪. આદરણીય વ્યક્તિઓની સામે કોઈ બીજી આત્મીય વ્યક્તિ પર ક્રોધ દર્શાવવો, ગાળો બોલવી તે સારું નથી. આવું કરવું જરૂરી જ હોય તો બને ત્યાં સુધી તેમના ગયા પછી જ કરવું જોઈએ. તેમની સામે બીજા પર અધિકારનું પ્રદર્શન પણ બને તેટલું ઓછું કરો.

૫. ઉપર કહેલ શિષ્ટાચાર પોતાના ઘેર આવેલ જનસમૂહની સામે પણ કરવો જોઈએ. જેમ કે જ્યારે ચાર માણસો બેઠેલા હોય ત્યારે પોતાના માણસને ગાળો દેવી વગેરે ઠીક નથી.

૬. પોતાના મિત્રો સાથે પણ બને તેટલું સારું વર્તન રાખો.

૭. પોતાનાથી નાનાઓના શિષ્ટાચારનો સારી રીતે પ્રતિભાવ આપો.

૮. હંમેશાં મીઠાશથી બોલો, આજ્ઞામાં પણ યથાયોગ્ય શબ્દો અને સ્વરની કોમળતા હોવી જોઈએ.

૯. રેલગાડી વગેરેમાં બીજાની યોગ્ય સગવડનો ખ્યાલ રાખો.

૧૦. ગુરુજનો, મહિલાઓ તથા જે લોકો ધૂમ્રપાન નથી કરતા તેમની સામે ધૂમ્રપાન ન કરો.

૧૧. સાધારણ દૃષ્ટિથી જે કામ શારીરિક શ્રમનું હોય તે કામ જો તમારાથી મોટા કરતા હોય તો તમે એ કામ લઈલો અથવા એમાં જોડાઈ જાઓ.

૧૨. પ્રવાસમાં મહિલાઓની સગવડોનું બરાબર ધ્યાન રાખો. ૧૩. બીજાનો નંબર વટાવીને આગળ ન વધો. આ વાત ટિકિટ લેવામાં, પાણી ભરવા વગેરે બાબત અંગે છે, આત્મવિશ્વાસની દષ્ટિથી નથી.

૧૪. સાઈકલ ઉપરથી પડી જવા જેવી કોઈની મુશ્કેલીમાં હસો નહિ. દુર્ઘટનામાં સહાનુભૂતિ દર્શાવી શકો તો દર્શાવો, નહિ તો ચૂપ જરૂર રહો.

૧૫. સામાન્ય રીતે પોતાના મુખથી પોતાનાં વખાણ કરો નહિ. પોતાનાં કામોનું ખોટું, અતિશયોક્તિપૂર્ણ, અવિશ્વસનીય વર્ણન ન કરો.

૧૬. અરસપરસની વાતચીતમાં જ્યાં બોલવાની જરૂર હોય ત્યાં જ બોલો, વચ્ચે વચ્ચે એ પ્રકારે ન બોલો, જેને સાંભળનારા પસંદ ન કરતા હોય.

મળતા રહેવાનો શિષ્ટાચાર | GP-9. શિષ્ટાચાર અને સહયોગ | ગાયત્રી વિદ્યા

મળતા રહેવાનો શિષ્ટાચાર | GP-9. શિષ્ટાચાર અને સહયોગ | ગાયત્રી વિદ્યા

કોઈને મળવા જતી વખતે આપણે તેની અનુકૂળતાનું અવશ્ય ધ્યાન રાખવું જોઈએ. કોઈ અનિવાર્ય જરૂરિયાત વગર, સવારમાં વહેલા, ભોજનના સમયે, બરોબર બપોરે અથવા મોડી રાત્રે, કોઈને ત્યાં જવું ન જોઈએ. કોઈના ઘેર વગર કામે વારંવાર જવાનું પણ યોગ્ય નથી. જો કે ગાઢ મિત્રો એકબીજીને ત્યાં દિવસમાં ઘણીવાર સંકોચ વગર જાય છે, પરંતુ આ અવસર પર પણ શિષ્ટાચારનું ધ્યાન રાખવું પડે છે. મળતી વખતે મળનાર વ્યક્તિના પદ અથવા અવસ્થા મુજબ યોગ્ય અભિવાદન અવશ્ય કરવું જોઈએ. મોટા માણસોએ નાના અભિવાદન કરે તે વખતે રોકાવું જોઈએ. અભિવાદન કરતી વખતે કર્તા દ્વારા જે શબ્દપ્રયોગ કરવામાં આવે, સમકક્ષવાળાએ તેનો જવાબ તે જ શબ્દો દ્વારા આપવો જોઈએ. મોટા લોકો જવાબમાં “પ્રસન્ન રહો” વગેરે શબ્દ પણ કહી શકે છે. મળતી વખતે ચૂપચાપ એકબીજાનું મોઢું જોતા રહેવું તે સભ્યતા નથી. એવા સમયે તરત કોઈક જરૂરી વાત કહેવી જોઈએ.

કોઈને ત્યાં મળવા જતી વખતે આપણે તેના સમયનું પણ અવશ્ય ધ્યાન રાખવું જોઈએ.કાર્યમાં વ્યસ્ત રહેતા માણસોને સમયની ઘણી ખોટ હોય છે. તેથી કામ વગર વધુ સમય ત્યાં રોકાવું જોઈએ નહિ. બની શકે ત્યાં સુધી ઓછામાં ઓછા સમયમાં પોતાની વાત પૂરી કરીને તેમને બીજાં કામો માટે આગળ વધવાનો સમય આપવો જોઈએ. જો કોઈ વ્યક્તિ વાતચીતમાં ઉદાસીનતા, શિથિલતા, અથવા અધીરાઈ બતાવે તો સમજવું જોઈએ કે તેને હવે વધુ વાત કરવાની અનુકૂળતા નથી. એ માટે એવો સંકેત મેળવીને ત્યાંથી જલદી પોતાની વાત પૂરી કરીને નીકળી જવાની વ્યવસ્થા કરવી જોઈએ. જતી વખતે જો આપને થોડી વધુ વાર બેસવાનો આગ્રહ કરવામાં આવે તો થોડીવાર વધુ બેસવું જોઈએ, પછી થોડા સમય બાદ રજા લઈને ત્યાંથી ચાલ્યા જવું જોઈએ. દિવસમાં એકથી વધુ વાર મળતાં દરેક વખતે અભિવાદન કરી શકાય છે. બની શકે તો અભિવાદન કર્યા પછી એકાદ વાક્ય દ્વારા તેમનાં સુખદુઃખ પૂછી લેવાં જોઈએ.

પશ્ચિમી સભ્યતા મુજબ કોઈના દરવાજા પર જઈને બોલાવવા માટે સાંકળ ખખડાવવાનો અથવા દરવાજા પર ટકોરા મારવાનો રિવાજ છે, પરંતુ આપણે ત્યાં આ વાત સારી લાગતી નથી. કોઈના દરવાજા પર જઈને વારંવાર જોરજોરથી બોલાવનારે અંદરથી કોઈના આવવાની રાહ જોવી જોઈએ. મકાનની અંદર જઈને મળવા જનારે તે ઓરડામાં જઈને બેસવું જોઈએ, જે આ કાર્ય માટે નક્કી હોય. પુરષોની ગેરહાજરીમાં કોઈના ઘેર જઈને બેસવું તેને શંકાની દૃષ્ટિથી જોવામાં આવે છે. જ્યાં પરદાનો રિવાજ ન હોય ત્યાં રજા લઈને સ્ત્રીઓની હાજરીમાં પણ જઈને બેસી શકાય છે. ઘરમાં ત્યારે પ્રવેશ કરવો જોઈએ કે જ્યારે ત્યાં ઘરના કોઈ ને કોઈ સભ્ય હાજર હોય. કોઈના ઘરમાં બેસીને તેનાં કાગળપત્ર, પુસ્તકો અથવા અન્ય પદાર્થોને ઊલટસુલટ કરી દેવા અથવા દરેક વસ્તુને તાકી તાકીને જોવું તે સાવ અનુચિત છે.

કોઈ મોટા માણસને મળવા જતી વખતે એ વાતની માહિતી મેળવી લેવી જોઈએ કે તેમને કયા સમયે આપને મળવાની અનુકૂળતા છે. નક્કી કરેલા સમયે જઈને પહેલાં આપે પોતાના આવવાની સૂચના ચિકી લખીને અથવા મૌખિકરૂપે કોઈ માણસ દ્વારા તે સજ્જન પાસે પહોંચાડી દેવી જોઈએ. બોલાવ્યા બાદ તેની પાસે જઈને આપે તેની રજા લઈને યોગ્ય બેઠક ઉપર બેસવું જોઈએ અને ટૂંકમાં આપની મુલાકાતનું કારણ સમજાવી દેવું જોઈએ. કામ પતી જાય પછી ફક્ત થોડીવાર બેસીને ઉપરોક્ત મહાનુભાવની રજ લઈને ચાલી જવું યોગ્ય છે. જે રીતે કોઈને ત્યાં વારંવાર જવું અયોગ્ય છે તેવી રીતે કોઈને ત્યાં કદાપિ ન જવું તે પણ યોગ્ય નથી, પરંતુ જે આપને લાગે કે આપના જવાથી ઘરના માલિકને ગમતું નથી, તો ત્યાં કોઈવાર ન જવું જોઈએ. ગોસ્વામીજીએ કહ્યું છે, આવત હી હરસે નહિ, નૈનન નહિ સનેહ । તુલસી વહાઁ ન જાઈયે, કંચન બરસે મેહ | કોઈની સાથે બહાર સડક પર ઊભા રહીને કલાકો સુધી વાતો કરવી યોગ્ય નથી. જો આપને કોઈ વિષય ઉપર લાંબી જરૂરી વાત કરવી હોય તો રસ્તામાં મળતાં થોડે દૂર સુધી ચાલીને વાત પૂરી કરી શકાય છે, પરંતુ એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે કોઈને આપની વાત સાંભળવા માટે જ ફલાંગો અને માઈલોનું ચક્કર કાપવું ન પડે. મુલાકાતીના જતા પહેલાં આપે પાન, સોપારી અથવા ઈલાયચી વગેરે દ્વારા તેનું સન્માન કરવું જોઈએ અને જે સમયે જવા માગે ત્યારે તેમની યોગ્યતા અને પરિસ્થિતિ પ્રમાણે ઊભા થઈ દરવાજા સુધી જઈને અથવા ૧૦-૨૦ પગલાં સાથે ચાલીને અને તેમને નમન કરીને માનપૂર્વક રજા આપવી જોઈએ. આ પ્રકારે શિષ્ટાચારનું ધ્યાન રાખવાથી મનુષ્ય સભ્ય કહેવડાવવાનો અધિકારી બને છે.

બીજાની સાથે વાર્તાલાપ કરવાના વિશેષ નિયમ | GP-9. શિષ્ટાચાર અને સહયોગ

બીજાની સાથે વાર્તાલાપ કરવાના વિશેષ નિયમ | GP-9. શિષ્ટાચાર અને સહયોગ

આપણી વાતચીત સમયને અનુકૂળ અને પ્રભાવશાળી હોય અને તેનાથી કોઈ ઉદ્દેશ્ય પૂરો થઈ શકે એ માટે સાવધાનીની ઘણી મોટી જરૂરિયાત છે. જે લોકોને કુદરતે આ ગુણ સ્વાભાવિક રૂપે આપ્યો છે તેમની તો કોઈ વાત નથી, પરંતુ બીજા લોકોએ પોતાનાથી શ્રેષ્ઠ વ્યક્તિઓની સાથે રહીને અને માર્ગદર્શન મળે તેવાં પુસ્તકોમાંથી પણ આ વાતો શીખવી જોઈએ અને પ્રયત્નપૂર્વક તેનો અભ્યાસ કરવો જોઈએ. આ સંબંધમાં કેટલાક નિયમ નીચે આપવામાં આવ્યા છે :

(૧) જેવી રીતે સારાં પુસ્તકોને તમે ફક્ત પોતાના લાભ માટે પસંદ કરો છો તેવી રીતે સાથી અથવા સમાજ પણ એવો પસંદ કરો, જેનાથી તમને કાંઈક લાભ થાય. સૌથી સારો મિત્ર તે છે કે જેનાથી પોતાનો કોઈક રીતે સુધાર થાય અથવા આનંદમાં વૃદ્ધિ થાય. જો એ મિત્રોથી તમને કાંઈ લાભ ન થઈ શકે તો તમે તેમના આનંદ અને સુધારની વૃદ્ધિ કરવાનો પ્રયત્ન કરો અને જો તે મિત્રોથી તમે કોઈ લાભ ન મેળવી શકો અથવા તેમને તમે પોતે કોઈ લાભ ન આપી શકો, તો તમે તરત જ તેમનો સાથ છોડી દો.

(૨) પોતાના મિત્રોના સ્વભાવનું પૂરું જ્ઞાન મેળવો. જો તે તમારાથી મોટા હોય તો તમે તેમને કાંઈક ને કાંઈક પૂછો અને તેઓ જે કહે તેને ધ્યાનથી સાંભળો. જો નાના હોય તો તમે તેમને કાંઈક લાભ પહોંચાડો.

(૩) જ્યારે એકબીજાની વાતચીત નીરસ થઈ રહી હોય તો તમે કોઈ એવો વિષય શરૂ કરો, જેના પર બધા કાંઈ ને કાંઈ બોલી શકે અને જેનાથી બધા મનુષ્યોના આનંદમાં વૃદ્ધિ થાય, પરંતુ તમે ત્યાં સુધી એવું કરવાના અધિકારી નથી કે જ્યાં સુધી તમે નવો વિષય શરૂ કરતાં પહેલાં તેનું કાંઈક જ્ઞાન ન મેળવ્યું હોય.

(૪) જ્યારે કાંઈક નવી મહત્ત્વપૂર્ણ અથવા શિક્ષણપ્રદ વાત કહેવામાં આવે ત્યારે તમે તેને પોતાની નોટબુકમાં નોંધી લો. તેનો સારાંશ રાખો અને નકામી વાત કાઢી નાંખો.

(૫) તમે કોઈ પણ સમાજમાં અથવા મિત્રોની સાથે જતી આવતી વખતે સંપૂર્ણ મૌન ન રહો. બીજાને ખુશ કરવાનો અને તેને શિક્ષણ આપવાનો પ્રયત્ન અવશ્ય કરો. સંભાવના છે કે તમને પણ બદલામાં કાંઈક આનંદવર્ધક અથવા શિક્ષણપ્રદ સામગ્રી અવશ્ય મળી જાય. જ્યારે કોઈ કાંઈક બોલે ત્યારે તમે જરૂર હોય તો ભલે ચૂપ રહો, પરંતુ જ્યારે બધા લોકો ચૂપ થઈ જાય ત્યારે તમે બધાની શૂન્યતાનો ભંગ કરો. બધા તમારા આભારી રહેશે.

(૬) કોઈ વાતનો નિર્ણય ઉતાવળમાં ન કરો, પહેલાં બંને પક્ષોને ધ્યાનથી સાંભળી લો. કોઈ પણ વાતને વારંવાર ન કહો.

(૭) એ વાત સારી રીતે યાદ રાખો કે તમે બીજાની ત્રુટિઓ તથા દોષોને જે દષ્ટિથી જુઓ છો તેને તેઓ પણ તેજ દૃષ્ટિથી નથી જોતા. એ માટેસમાજની સામે કોઈપણ મનુષ્યના દોષો પર સ્વતંત્રતાપૂર્ણ આક્ષેપ, કટાક્ષ અથવા ટીકાટિપ્પણ કરવાનો તમને હંમેશાં અધિકાર નથી.

(૮) વાતચીત કરતી વખતે પોતાની બુદ્ધિમત્તા દેખાડવાનો નકામો પ્રયત્ન ન કરો. જો તમે બુદ્ધિમાન હશો તો તમારી વાતોથી તે જાણી શકાય છે. જો તમે પ્રયત્ન કરીને હંમેશાં પોતાની બુદ્ધિને પ્રગટ કરવા ઈચ્છશો, તો સંભવ છે કે તમારી બુદ્ધિહીનતા પ્રગટ થઈ જશે.

(૯) કોઈની વાત જો તમને અપમાનજનક અથવા કોઈની રીતભાત અવિનયભરી જણાય તો પણ થોડીવાર સુધી ચૂપ રહેવાનો પ્રયત્ન કરો. એવું પણ બની શકે છે કે તે વાત તમારા સ્વભાવને કારણે તમને ખરાબ લાગે, પરંતુ બધા લોકોને સારી પણ લાગે અને જો વાત એવી જ થઈ તો તમારે થોડીવાર સુધી ચૂપ રહેવાથી કોઈ પણ વખતે પસ્તાવું નહિ પડે, પરંતુ તમે ધીરજનો એક નવો પાઠ શીખતા જશો.

(૧૦) તમે પોતે સ્વતંત્રતાપૂર્વક તથા સરળતાપૂર્વક વાતચીત કરો અને બીજાઓને પણ એવું કરવા દો. અમૂલ્ય શિક્ષણને ટૂંક સમયમાં મેળવવાનું આથી વધુ સારું સાધન સંસારમાં બીજું કોઈ નથી.

વાતચીત કરવાની કળાનું મહત્વ | GP-9. શિષ્ટાચાર અને સહયોગ | ગાયત્રી વિદ્યા |

વાતચીત કરવાની કળાનું મહત્વ | GP-9. શિષ્ટાચાર અને સહયોગ | ગાયત્રી વિદ્યા |

ઘણી વ્યક્તિઓ એવી પણ જોવા મળે છે કે જે એટલી યોગ્ય નથી હોતી કે જેટલા બીજા લોકો તેને સમજે છે, પરંતુ વાણીની કુશળતા દ્વારા તે લોકો બીજાના મન પર પોતાની એવી છાપ પાડે છે કે સાંભળનારા મુગ્ધ થઈ જાય છે. ઘણીવાર યોગ્યતાવાળા લોકો અસફળ રહે છે અને નાની કક્ષાના લોકો સફળ થઈ જાય છે. પ્રગટ કરવાનાં સાધન બરોબર હોય તો ઓછી યોગ્યતાને પણ સારી રીતે પ્રદર્શિત કરી શકાય છે અને તેના દ્વારા ઘણું કામ કરી શકાય છે. વિદ્યુત વિજ્ઞાનના આચાર્ય જે.બી. રાડે કહ્યું હતું કે ઉત્પાદન કેન્દ્રમાં જેટલી વીજળી ઉત્પન્ન થાય છે તેનો બે તૃતીયાંશ ભાગ ઉપયોગ કર્યા વગર જ બરબાદ થઈ જાય છે. પાવર હાઉસમાં ઉત્પન્ન થયેલ વીજળીનો એક તૃતીયાંશ ભાગ જ કામમાં આવે છે. તેઓ કહે છે કે અત્યાર સુધી જે યંત્રો બનેલાં છે તે અધૂરાં છે. એ માટે ભવિષ્યમાં એવાં યંત્રોની શોધ થવી જોઈએ કે જે ઉત્પન્ન થયેલી વીજળીની બરબાદી ન થવા દે. જે દિવસે આ પ્રકારનાં યંત્રો તૈયાર થઈ જશે તે દિવસે વીજળીધરોની શક્તિ ત્રણગણી વધી જશે, એટલે કે ખર્ચ ત્રીજા ભાગનો જ થશે.

લગભગ એવી જ નુકસાની યોગ્યતાઓની બાબતમાં થાય છે. યોગ્ય વિદ્યુતયંત્રોના અભાવના કારણે બે તૃતીયાંશ વીજળી નકામી થઈ જાય છે, એ જ રીતે વાતચીતની કળાથી અજાણ હોવાના કારણે બે તૃતીયાંશથી પણ વધારે યોગ્યતાઓ નકામી પડી રહે છે. જો આ વિદ્યાની જાણકારી હોય તો ત્રણગણું કાર્ય કરી શકાય છે. જેટલી સફળતા તમે મેળવો છો તેટલી તો ત્રીજા ભાગની યોગ્યતાવાળા લોકો પણ પ્રાપ્ત કરી શકે છે. તમે પોતાની શક્તિઓ વધારવા માટે ખૂબ જ મહેનત કરો, પરંતુ તેનો લાભ ઉઠાવવામાં અસમર્થ રહો તો તે મેળવેલું શું કામનું ? યોગ્ય એ છે કે જેટલું પોતાની પાસે છે તેનો યોગ્ય રીતથી ઉપયોગ કરવામાં આવે. જેમને મૂર્ખ કહેવામાં આવે છે અથવા મૂર્ખ સમજવામાં આવે છે તેઓ ખરેખર એટલા અયોગ્ય નથી હોતા. તેમનામાં પણ મોટેભાગે બુદ્ધિમત્તા હોય છે, પરંતુ જે અભાવના કારણે તેમણે અપમાનિત થવું પડે છે તે અભાવ છે – “વાતચીતની કળાથી પરિચિત ન હોવું. ‘

મનના ભાવોને સારી રીતે, યોગ્ય રીતથી પ્રગટ કરી શકવાની યોગ્યતા એક એવો જરૂરી ગુણ છે, જેના વગર જીવનવિકાસમાં ઘણી મુશ્કેલી ઉત્પન્ન થાય છે. આપના મનમાં શું વિચાર છે, શું ઈચ્છો છો, કેવી સંમતિ રાખો છો તેને જ્યાં સુધી પ્રગટ ન કરવામાં આવે ત્યાં સુધી બીજાને શું ખબર પડે ? મનમાં જ મુંઝાયા કરવાથી બીજાના માટે સારી ખોટી કલ્પનાઓ કરવાથી કોઈ ફાયદો નથી. તમને જે મુશ્કેલી છે, જે ફરિયાદ છે, જે શંકા છે તેને સ્પષ્ટ રૂપથી કહી દો. જે સુધારો અથવા પરિવર્તન ઈચ્છો છો તેને પણ પ્રગટ કરી દો. આ રીતે પોતાની વિચારધારાને જ્યારે બીજાની સામે રજૂ કરશો અને પોતાની વાતની યોગ્યતા સાબિત કરશો તો મનની ઈચ્છા મુજબનો સુધારો થવાની ઘણી બધી આશા છે. ભ્રમનું, ગેરસમજનું સૌથી મોટું કારણ એ છે કે ખોટા સંકોચ અને શરમને કારણે લોકો પોતાના ભાવોને રજૂ કરતા નથી. આથી બીજા એમ સમજે છે કે આપને કોઈ મુશ્કેલી અથવા અસુવિધા નથી. જ્યાં સુધી કહેવામાં ન આવે ત્યાં સુધી બીજી વ્યક્તિ કેવી રીતે જાણે કે આપ શું વિચારો છો, શું ઈચ્છો છો ? અપ્રત્યક્ષ રૂપથી, સાંકેતિક ભાષામાં વિચારોને જાહેર કરવાથી ફક્ત ભાવુક અને લાગણીશીલ લોકો પર પ્રભાવ પડે છે, સાધારણ કક્ષાના લોકોનાં હૃદયો પર તેની ઘણી ઓછી અસર થાય છે, પોતાની ગુંચવણમાં ફસાઈ રહેવાના કારણે, બીજાની સાંકેતિક ભાષાને સમજવામાં તેઓ કાં તો સમર્થ નથી હોતા અથવા તો થોડું ધ્યાન દઈને પછી ભૂલી જાય છે. હંમેશાં વધુ જરૂરી કામ તરફ પહેલાં ધ્યાન આપવામાં આવે છે અને ઓછા જરૂરી કામ તરફ પાછળથી ધ્યાન આપવામાં આવે છે. સંભવ છે આપની મુશ્કેલી અથવા ઈચ્છાને ઓછી જરૂરી સમજીને પાછળ રાખવામાં કે ફેરવિચારણા માટે ટાળી દેવામાં આવતી હોય. જો સાંકેતિક ભાષામાં મનોભાવ રજૂ કરવાથી કામ ન થતું હોય તો પોતાની વાતને સ્પષ્ટ રૂપથી નમ્ર ભાષામાં કહી દો. તેને અંદરને અંદર દબાવી રાખીને પોતાને વધુ મુશ્કેલીમાં ન મૂકશો.

સંકોચ તે વાતોને કહેવામાં થાય છે, જેમાં બીજાને કાંઈક નુકસાન અથવા પોતાને કંઈક લાભ થવાની શક્યતા હોય છે. એવો પ્રસ્તાવ મૂકતાં સંકોચ એ માટે થાય છે કે પોતાની ઉદારતા તથા સહનશીલતાને કલંક લાગે, પ્રમાણિકતા પર આક્ષેપ કરવામાં આવશે અથવા ક્રોધના ભોગ બનવું પડશે. જો આપનો પક્ષ યોગ્ય, સાચો અને ન્યાયપૂર્ણ હોય તો આ કારણોથી સંકોચ રાખવાની કોઈ જરૂરિયાત નથી. હા, જો આપની માગણી અનીતિયુક્ત ન હોય તો અધિકારોના રક્ષણ માટે નિર્ભયતાપૂર્વક આપની માગણી રજૂ કરવી જોઈએ. દરેક મનુષ્યની પવિત્ર ફરજ છે કે માનવતાના અધિકારો મેળવે અને તેમની રક્ષા કરે. ફક્ત વ્યક્તિગત સ્વાર્થ માટે નહિ, પરંતુ એ માટે કે અપહરણ અને કાયરતા આ બંને ઘાતક તત્ત્વોનો અંત આવે.

સહયોગ અને શિષ્ટાચારનો સંબંધ | GP-9. શિષ્ટાચાર અને સહયોગ | ગાયત્રી વિદ્યા

સહયોગ અને શિષ્ટાચારનો સંબંધ | GP-9. શિષ્ટાચાર અને સહયોગ | ગાયત્રી વિદ્યા

સહયોગના મહત્ત્વને તો હંમેશાં બધા લોકો સ્વીકારે છે કેમ કે અત્યારના સમયમાં મનુષ્યના જીવનનિર્વાહની રીત અને સામાજિક વ્યવસ્થા એવી ગૂંચવણ ભરેલી થઈ ગઈ છે કે એક માણસને બીજા માણસોની મદદ વગર એક પણ દિવસ ચાલી નથી શકતું, પરંતુ એ વાત ઘણા ઓછા લોકો જાણે છે કે વાસ્તવિક સહયોગ મેળવવાનો શો ઉપાય છે ? સહયોગની વૃદ્ધિ કરવાનું અને તેને સ્થાયી બનાવવાનું મુખ્ય સાધન ઉત્તમ વ્યવહાર છે અને ઉત્તમ વ્યવહારનું એક અગત્યનું અંગ શિષ્ટાચાર છે. મનુષ્ય શિષ્ટાચારથી જ બીજી વ્યક્તિઓને પોતાની સભ્યતા અને સંસ્કૃતિનો પરિચય આપીને પોતાનો મિત્ર, સહાયક, હિતેચ્છુ અથવા અનુગામી બનાવી શકે છે.

એક મહાપુરુષે કહ્યું છે, “મને બોલવા દો, હું વિશ્વ પર વિજય મેળવી લઈશ. ’’ ખરેખર શિષ્ટાચારયુક્ત મધુર વાણીથી વધુ સારું હથિયાર આ દુનિયામાં બીજું કોઈ નથી. જે માણસમાં યોગ્ય રીતથી વાતચીત કરવાની ક્ષમતા છે તેની પાસે એક કીમતી ખજાનો છે. બીજાને પ્રભાવિત કરવાનું મુખ્ય સાધન વાણી જ છે. લેવડદેવડ, વ્યવહાર, આચરણ, વિદ્વત્તા, યોગ્યતા વગેરે દ્વારા પ્રભાવિત કરવા માટે સમયની, અવસરની, ક્રિયાત્મક પ્રયત્નની જરૂર હોય છે, પરંતુ વાર્તાલાપ એક એવો ઉપાય છે, જેના દ્વારા ઘણા જ ઓછા સમયમાં બીજાને પ્રભાવિત કરી શકાય છે.

વાતચીત કરવાની કળામાં જે હોશિયાર છે તે ખૂબ સંપત્તિવાન છે. યોગ્યતાનો પરિચય વાણી દ્વારા મેળવી શકાય છે. જે વ્યક્તિનો વિશેષ પરિચય નથી તેની સાથે વાતચીત કર્યા બાદ જાણી શકાય છે કે તેનું આચરણ કેવું છે, તે કેવા વિચારવાળો છે, કેટલો યોગ્ય છે, કેટલું જ્ઞાન અને અનુભવ ધરાવે છે. જે બીજા આગળ પોતાની યોગ્યતા દર્શાવે છે તેવા મનુષ્યની સાથે ખૂબ જ સાવધાની સાથે વર્તવું જોઈએ. કેટલીયે એવી સુયોગ્ય વ્યક્તિને આપણે જાણીએ છીએ, જેઓ પરીક્ષા કરવાથી ઉત્તમ પ્રકારનું મગજ, શ્રેષ્ઠ હૃદય અને દેઢ ચરિત્રવાળી સાબિત થશે, પરંતુ તેમનામાં વાતચીત કરવાની આવડત ન હોવાને કારણે બધામાં મૂર્ખ જેવી લાગે છે અને તેમને ઉપેક્ષાભરી દષ્ટિથી જોવામાં આવે છે. તેમની યોગ્યતાઓને જાણવા છતાં પણ લોકો તેમનો લાભ મેળવવાની ઈચ્છા રાખતા નથી.

%d bloggers like this: