મુશ્કેલીઓ આપણી ઉન્નતિમાં મદદરૂપ બને છે | GP-5 સંકટમાં ધૈર્ય | ગાયત્રી વિદ્યા

મુશ્કેલીઓ આપણી ઉન્નતિમાં મદદરૂપ બને છે

સામાન્ય લોકો દુઃખોને દુર્ભાગ્ય સમજે છે. જે લોકોએ પૈસેટકે સુખી કુટુંબોમાં જન્મ લીધો હોય છે તેઓ નજીવી અડચણોથી પણ ગભરાઈ જાય છે અને પોતાની બધી ઈચ્છાઓ, બધી આવશ્યકતાઓ કોઈ જાતની અડચણ વિના જ પૂરી થવી જોઈએ એવી આશા રાખે છે.અન્ય લોકો પણ એમને ભાગ્યશાળી ગણે છે, પરંતુ હકીકત કંઈક જુદી છે. જે લોકોએ ક્યારેય જીવનની ચડતીપડતી જોઈનથી તેઓ ઘણી રીતે કાચા રહી જાય છે. એટલે ભગવાને સુખસુવિધાની દુનિયા બનાવી છે દુઃખો અને મુશ્કેલીઓની દુનિયા પણ બનાવી જ છે. તેમનો અનુભવ થયા વિના માનવી અધૂરો રહી જાય છે અને તેનો યોગ્ય વિકાસ થઈ શકતો નથી.

ભગવાનને કરુણાસાગર, દયાસિંધુ કહેવામાં આવે છે. તેમના વરદાન તથા ઉપકારનો કોઈ અંત નથી. સામાન્ય જીવોને જો પોતાના બાળકો પર અપાર મમતા હોય તો પરમાત્માને પોતાનાં બાળકો પર કેટલી મમતા હશે તેની કલ્પના પણ કરી શકાય નહિ. ચિત્રકાર પોતાના ચિત્રને, માળી પોતાના બાગને, શિલ્પી પોતાની બનાવેલી કૃતિને, ખેડૂત પોતાના ખેતરને, ભરવાડ પોતાનાં ઘેટાંને યોગ્ય, પુષ્ટ અને ખુશખુશાલ જોઈને આનંદિત થાય છે, તો પરમાત્મા પોતાની સર્વશ્રેષ્ઠ રચના એવા માનવીને સારી સ્થિતિમાં રાખવા માટે કેમ રાજી ન હોય? આપણે સતત ઉન્નતિ કરતા રહીએ, સુખી બનીએ એવા પ્રયત્નો પરમાત્મા ચોક્કસ કરે છે. તેની દયા અને કરુણા આપણા પર સતત વરસતી રહે છે.

આમ છતાં સામાન્ય માનવી દુઃખી હોય છે. તેને અનેક પ્રકારનાં દુઃખ તથા અભાવ સતાવ્યા કરે છે. ભય, પીડા, વિયોગ, ત્રાસ, અન્યાય તથા અભાવથી ત્રાહિમામ્ પોકારી ગયેલા કેટલાય લોકો દયનીય દશામાં દુ:ખસાગરમાં ગોથાં ખાતા જોવા મળે છે. કોઈ કોઈના પર તો એવી ભયંકર આફતો આવે છે કે જોનારાનાં હૃદય પણ કંપી ઊઠે છે. આવા સમયે “પરમાત્મા દયાળુ છે” એ સનાતન સત્ય પર શંકા જાય છે. કેટલીયે વાર દુઃખોને દૈવીકોપ તથા કુદરતની નિષ્ફરતા માનવામાં આવે છે, પણ વસ્તુસ્થિતિ આવી નથી. પરમાત્મા એક ક્ષણભર પણ દયાહીન રહી શકે નહિ. જેને આપણે દુઃખ સમજીએ છીએ તે પણ એક પ્રકારની તેની દયા જ છે.

મા’ પોતાના બાળકને અત્યંત પ્રેમ કરે છે અને તેને સુખી કરવા માટે પોતાનાથી બનતું બધું કરી છૂટે છે, છતાં તેનાં ઘણાં કાર્યો એવાં હોય છે કે જે બાળકને પસંદ આવતાં નથી. બાળક કોઈ સ્વાદિષ્ટ ભોજન વધારે ને વધારે ખાવા માગતો હોય, પણ માતા જાણે છે કે વધારે ખાવાથી બાળક બીમાર પડશે, એટલા માટે બાળકના રડવા કકળવા પર, ધમપછાડા કરવા પર ધ્યાન આપ્યા સિવાય, બાળકને માત્ર જરૂરી પ્રમાણમાં જ ખાવાનું આપે છે. અગ્નિ, ચપ્પ જેવાં સાધનો, ફટાકડા વગેરેથી બાળકને દૂર રાખે છે. જો બાળક આવાં સાધનો સાથે રમવા માગે તો પણ તેને બળજબરીથી રોકવામાં આવે છે. ઘરનાં પાળેલાં પશુઓ સાથે પણ તેને રમવા દેવામાં આવતો નથી. બાળક બારીમાંથી કે અગાસીમાંથી બહાર ડોકું કાઢી જોવા માગે તો પણ તેની એ સ્વતંત્રતાને તાત્કાલિક રોકવામાં આવે છે. કોઈ અજુગતું કામ કર્યું હોય તો તમાચો પણ મારવામાં આવે છે અને તેને ડરાવવા માટે ઊઠબેસ કરાવવામાં આવે છે, તડકામાં ઊભો રાખવામાં આવે છે, કોઈ ઓરડી કે બાથરૂમમાં, સંડાસમાં પૂરી દેવામાં આવે છે. બાળક માંદું પડ્યું હોય તો માતા તેને બળજબરીથી કડવી દવા પિવડાવે છે અને તેની વેદનાની ચિંતા કર્યા વિના ઈજેક્શન અપાવવા કે નાનુંમોટું ઓપરેશન કરાવવા – પણ કઠણ છાતી રાખીને તૈયાર થઈ જાય છે.

બાળક સમજે છે કે મા કઠોર છે, મને અમુક વસ્તુ આપતી નથી, રમવા દેતી નથી અને મને દુઃખ પડતું હોય ત્યારે મદદ પણ કરતી નથી. પોતાની અલ્પબુદ્ધિને લીધે તે માતા પ્રત્યે પોતાના મનમાં ખરાબ ભાવ લાવી શકે છે. કઠોરતાનો આરોપ લગાવી શકે છે, પણ તેની આ માન્યતા ચોક્કસ ખોટી છે. જો તે માના હૃદયને ઓળખી શકતો હોય તો તેને ખાતરી થાત કે તેમાં કેટલી અપાર કરુણા ભરેલી છે! વાત્સલ્ય કેવું હિલોળા લઈ રહ્યું છે! જ તેનામાં આ વાત્સલ્ય ન હોત તો બાળકના દુઃખના સમયે, પીડાના સમયે પણ પોતાની છાતી કઠણ રાખી શકત?

માતાના લાડના બે પ્રકાર હોય છે– એક, જેનાથી બાળક ખુશ થાય છે. જ્યારે બાળકને ચોકલેટ, ટોફી, રમકડાં તથા પહેરવા માટે સારાં કપડાં આપવામાં આવે છે, ફરવા લઈ જવાય છે અથવા કોઈ જાદુગર કે મદારી બતાવવા લઈ જવાય છે ત્યારે બાળક ખુશ થાય છે અને વિચારે છે કે મારી મા ઘણી સારી છે. જ્યારે એ જ માતા આંખમાં મેશ આંજવા બાળકનો હાથ જબરદસ્તીથી પકડી રાખે છે, બળજબરીથી સ્નાન કરાવે છે, ધમકાવી શાળાએ જવા વિવશ કરે છે ત્યારે બાળકને એ જમાતા ગમતી નથી. બાળક એમ સમજતું નથી કે માતા મારી સાથે કોઈવાર મધુર અને કોઈવાર કઠોર વર્તન કેમ રાખે છે?તે માતાના વાત્સલ્ય પર શંકા લાવે છે, હકીકત જાણનાર જાણે છે કે માતા બાળક પર માત્ર ઉપકાર જ કરતી હોય છે. મધુર તથા કઠોર બંને વિરોધી વર્તનમાં પણ માત્ર વાત્સલ્ય જ ભરેલું હોય છે. પરમાત્માની કૃપા પણ ઉપરોક્ત બે રીતે જ વરસતી હોય છે. બંનેમાં આપણું હિત અને પરમાત્માનું વાત્સલ્ય જ ભરેલું હોય છે. આપણી અજ્ઞાનતા આ વસ્તુસ્થિતિને ઓળખવા દેતી નથી, પણ જ્યારે ભગવાનની કૃપા અવતરે, હૃદયમાં બુદ્ધિનો પ્રકાશ થાય છે ત્યારે જ હકીક્તો જાણી શકીએ છીએ. કઠોર અને પ્રતિકૂળ પરિસ્થિતિઓ પણ એકનોખા પ્રકારની ભેટ જેવી છે. તેમનાથી ભયભીત થવાનું અથવા દુઃખી થવાનું કોઈ કારણ રહેતું નથી.

સુખથી માનવીને ઘણા લાભ મળે છે, ચિત્ત પ્રસન્ન રહે છે. ઈન્દ્રિયો તૃપ્ત થાય છે, મનમાં ઉત્સાહ રહે છે અને પ્રગતિ કરવાનાં સાધનો મળ્યા કરે છે. ઈચ્છાઓ પૂરી કરવાની સગવડ રહે છે, મિત્રો વધી જાય છે, સાહસ વધે છે તથા માન અને પ્રતિષ્ઠાની તકો આવી પડે છે. દુ:ખના લાભ પણ ઓછા થતા નથી. દુઃખથી છૂટકારો મેળવવા મનના બધા ભાગો એકદમ સતેજ બની ઉપાય શોધવા માંડે છે, શરીર પણ આળસ છોડી કાર્યરત બની જાય છે. ઘોડાને શ્રેષ્ઠ ચાલ શીખવનારો તેને ચાબુક ફટકારે છે; જેનાથી ઘોડો સતેજ બની ઝડપથી ચાલે છે, લગામના ઈશારે ઉત્તમ ચાલ ચાલવાની ટેવ પાડવામાં આવે છે, દુઃખ એક પ્રકારનો ચાબુક છે, જે આપણી શિથિલ પડી ગયેલી શારીરિક અને માનસિક શક્તિઓને એકદમ ઢંઢોળી ક્રિયાશીલ બનાવે છે અને સાથે જ નૈતિકતાનું શિક્ષણ આપી યોગ્ય ચાલ શિખવાડે છે.

ફોલ્લો ફૂટી જવાથી અંદર ભરાઈ રહેલું પરુ બહાર નીકળી જાય છે, મળવિસર્જન થવાથી, પેટ-આંતરડામાં એકત્ર થયેલો મળ નીકળી જાય છે. ઉપવાસ કરવાથી જઠરને લગતી ખરાબી દૂર થઈ જાય છે. દુ:ખ આવી પડવાથી સંચિત પાપનો નાશ થઈ જાય છે અને આંતરચેતના અણીશુદ્ધ, નિર્મળ અને હલકી બની જાય છે. સોનાને અગ્નિમાં તપાવવાથી તેની સાથે ચોંટેલા દૂષિત પદાર્થો બળી જાય છે અને શુદ્ધ સોનું પ્રત્યક્ષ થાય છે. માનવીની કેટલીય ખરાબ ટેવો, દૂષિત ભાવનાઓ અને વિચારો પોતે કોઈ મુસીબતમાં ન આવી પડે ત્યાં સુધી છૂટતી નથી. કુદરતની એક લપડાક ખાય ત્યારે જ તેને ભાન આવે છે અને ત્યારે જ તે સુધરી શકે છે. જે જ્ઞાન મોટા મોટા ઉપદેશો પ્રવચનો કે કથાઓ સાંભળવાથી મળતું નથી તે દુઃખોની એક ઠોકર ખાવાથી ઘણી સારી રીતે હૃદયંગમ કરી શકાય છે. આમ ઘણીવારકાળનો એકાદ વિકરાળ પંજો હાર જ્ઞાની ગુરુઓથી પણ મહાન શિક્ષણ આપી જાય છે.

સુખમાં જેમ અનેક સારી બાબતો છે, તેવી રીતે એક ઘણી ખરાબ બાબત પણ છે. માનવી એ સુખસાધનોનો ઉપયોગ સત્કાર્યોમાં કરવાના બદલે મોજમજા ઉડાવવામાં, અભિમાનમાં ચકચૂર થવામાં અને સુખના સાધનો વધુને વધુ ભેગાં કરવાના ખરાબ ચક્રમાં ફસાય છે. પોતાના સમયનો મોટો ભાગ તુચ્છ સ્વાર્થમાં જ વેડફે છે અને પરમાર્થ બાબતે સાવ દુર્લક્ષ્ય સેવે છે.

આ અધોગતિનીદશામાંથી પોતાના પુત્રને બચાવવા માટે પરમાત્મા તેની પાસેથી ધનસંપત્તિ ઝૂંટવી લે છે. અભ્યાસ માટે ગલ્લાતલ્લાં કરનાર, માત્ર રમકડાંમાં જ રસમય થઈ ગયેલ બાળકનાં રમકડાં માતા ઝુંટવી લઈ સંતાડી દે છે, તેવી જ રીતે પરમાત્મા ધન, સંપત્તિ, સંતાન, પત્ની, વૈભવ વગેરે રમકડાં ઝૂંટવી લઈ આપણને પ્રેરણા આપે છે કે આ રમકડાંની રમતો કરતાં ઘણાં અગત્યનાં કામ આપણા માટે પડ્યાં છે, “રમવાનું છોડી નિશાળે જા” નું શિક્ષણ આપવામાં કેટલીકવાર નુકસાન, મુશ્કેલીઓ તથા દુઃખનું આયોજન પરમાત્મા કરે છે.

કેટલાયે ઉચ્ચ આત્માઓ તપ રૂપી દુઃખને પોતાનો પરમ મિત્ર અને વિશ્વકલ્યાણનું મૂળ સમજી સ્વેચ્છાએ છાતીએ લગાડે છે. આનાથી તેઓની કીર્તિ અજરઅમર થઈ જાય છે અને તેમના એ તપનો અગ્નિ, યુગયુગાંતરો સુધી લોકોને પ્રેરણાનો પ્રકાશ આપે છે. હરિશ્ચંદ્ર, પ્રલાદ, શિબિ, મોરધ્વજ, દધીચિ, પ્રતાપ, શિવાજી, ભાગીરથ, ગૌતમ બુદ્ધ, ઈસુ ખ્રિસ્ત, મહાત્મા ગાંધીજી, જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ વગેરે મહામાનવોએ જે દુઃખો સહન કર્યા હતાં તે સ્વેચ્છાપૂર્વક કર્યા હતા. જો તેમણે એ પોતાની ગતિવિધિઓમાં થોડોક ફરક કર્યો હોત તે એ બધાં દુઃખોમાંથી આસાનીથી છૂટી શક્યા હોત, પરંતુ તેમણે જોયું કે એ દુઃખોની સરખામણીમાં તે દ્વારા મળતા લાભો ઘણા વિશેષ છે એટલે તેમણે પોતાના કઠોર માર્ગ પર દઢતાપૂર્વક ચાલવા માંડ્યું. બીજા લોકોને એવો ખ્યાલ હોય છે કે આ મહામાનવો ઘણાં દુઃખો વેઠી રહ્યા છે, પણ જો તેઓ એમની મનોભૂમિ સમજે તો ખ્યાલ આવે કે તેમનો અંતરાત્મા આ બધાં દુઃખો સહન કરવા છતાં પ્રસન્નતા જ અનુભવે છે.

ભગવાન જેને પોતાના શરણમાં લે છે, જેને બંધનમુક્ત કરવા માગે છે તેને અનિવાર્ય કર્મભોગો જલદી જલદી ભોગવાવીને ઋણમુક્ત બનાવે છે, જેથી ભવિષ્યમાં કોઈ બંધન ન રહે અને પોતાના ભક્ત ફરીવાર જન્મમરણના ચક્રમાં ફસાવું ન પડે. એક તરફ વિપત્તિ દ્વારા પ્રાધ્ધભોગ પૂરા થઈ જાય છે, તો બીજી બાજુ તેની આંતરિક પવિત્રતા ખૂબ વધી જાય છે. આમ બંને તરફના લાભથી તે ખૂબ ઝડપે પરમ લક્ષ્ય તરફ પ્રગતિ કરે છે. તપસ્વી લોકો આવાં કષ્ટ પ્રયત્નપૂર્વક પોતાના પર આવવા દે છે, જેથી પોતાની લક્ષ્ય પ્રાપ્તિ જલદી થઈ શકે.

સામાન્ય રીતે અનેક સગુણોના વિકાસ માટે પરમાત્મા ક્યારેક ક્યારેક આપણને કેટલાય કડવા અનુભવ કરાવે છે. પુત્ર પુત્રીનું અવસાન થતાં તેના શોકમાં “વાત્સલ્યનું” તત્ત્વ એકદમ વધી જાય છે, જેને લીધે પિતા બીજાં બાળકો પર વધુ પ્રેમ કરવાનું શીખી જાય છે. જેની પ્રથમ પત્ની ગુજરી જાય છે તે પોતાની બીજી પત્નીને વધુ સારી રીતે રાખે છે, કારણ કે પ્રથમ પત્નીના મોતથી જે શોક મનમાં પ્રગટ થયો હોય તે દાંપત્યકર્તવ્યો પ્રત્યે તેને સજાગ કરી દે છે. એકનો વિયોગ તેને ખોવાયેલી વસ્તુનું મહત્ત્વ સમજાવી દે છે. ધનસંપત્તિ ગુમાવ્યા પછી માનવી ધનનો સદુપયોગ કરવાનું શીખી જાય છે. બીમાર પડતા માનવી સ્વાથ્ય સંવર્ધન અને સંયમિત આહારવિહારનું મહત્ત્વ સમજી જાય છે ગાળ દેનારને તમાચો પડતાં જ અક્કલ આવી જાય છે કે ગાળ દેવી એ ખરાબ ગુણ છે. જેને અત્યાચાર સહન કરવો પડ્યો છે તે જાણે છે કે જો બીજા પર હું જુલમ કરું તો તેને કેટલું દુઃખ થાય? આપણે જ્યારે મુસીબતમાં હોઈએ છીએ ત્યારે, બીજા આગળ સહાય માટે વીલા મોએ, દીન આંખોથી જ્યારે તાકી રહીએ છીએ અને હાથ લાંબો કરીએ છીએ ત્યારે આપણને ખબર પડે કે બીજા દુઃખીઓને મદદ કરવી એ આપણા માટે કેટલું જરૂરી કર્તવ્ય છે?


મુશ્કેલીઓ દ્વારા આધ્યાત્મિક વિકાસ, સંકટમાં ધૈર્ય | GP-5 સંકટમાં ધૈર્ય | ગાયત્રી વિદ્યા

મુશ્કેલીઓ દ્વારા આધ્યાત્મિક વિકાસ

ગાયત્રી મંત્રના “ તુર્ ” અક્ષરની વ્યાખ્યા  સંકટમાં ધૈર્ય

ગાયત્રી મહામંત્રનો ચોથો અક્ષર “તુર્ ‘ આફતોમાં અને આપત્તિઓમાં ધૈર્ય  ધારણ કરવાનું શીખવે છે.હંમેશાં મુશ્કેલીઓ સામે લડ્યા કરવાથી માનવીનો આધ્યાત્મિક વિકાસ થાય છે. જે વ્યક્તિ મુશ્કેલીઓથી જેટલી દૂર ભાગે છે તેટલી જ તે પોતાની જાતને નકામી બનાવી દે છે. જે મુશ્કેલીઓને આમંત્રણ આપે છે, સહર્ષ આવકાર આપે છે તે પોતાની યોગ્યતા વધારે છે. માનવીના જીવનની સફળતાનો આધાર તેની ઈચ્છાશક્તિ પર રહેલો છે. જે વ્યક્તિમાં તે બળ જેટલા પ્રમાણમાં હોય છે તેટલા પ્રમાણમાં તે વ્યક્તિ પોતાના જીવનમાં સફળ થાય છે. ઈચ્છાશક્તિનું બળ વધારવા માટે સતત મુશ્કેલીઓનો સામનો કરવો જરૂરી છે. પ્રબળ ઈચ્છાશક્તિ ધરાવતી વ્યક્તિ નવી મુશ્કેલીઓના સમયે ડર્યા વિના જોશથી તેનો સામનો કરે છે. કાયરતાની મનોવૃત્તિ માનવી માટે દુઃખોનો પહાડ સર્જે છે જ્યારે શૂરવીરની મનોવૃત્તિ દુઃખોનો અંત લાવે છે. નિર્બળ મનનો માનવી સદાય અમંગળ કલ્પનાઓ કરતો રહે છે, શુભ કલ્પનાઓ તેના મનમાં આવતી નથી. તે પોતાને ચારે બાજુએથી મુશ્કેલીઓથી ઘેરાયેલો માને છે. આપણા જીવનને સુખી બનાવવાનો એકમાત્ર ઉપાય મુશ્કેલીઓ સામે લડવા સદા તૈયાર રહેવાનો જ છે.

મનઃ એવું મનુષ્યાણાં કારણે બધમોક્ષયોઃ

મનુષ્યની મુશ્કેલીઓ બે પ્રકારની હોય છે. એક બાહ્ય અને બીજી આંતરિક. સામાન્ય માનવી બહારની મુસીબતો પર ધ્યાન આપે છે, વિરલ માનવી જઆંતરિક મુસીબતો જોઈ શકે છે. હકીકતે માનવીની સાચી મુશ્કેલીઓ તો આંતરિક જ છે, બાહ્ય મુશ્કેલીઓ તો આંતરિક મુશ્કેલીઓની પ્રતિકૃતિ માત્ર છે. કોઈપણ પ્રકારની પરિસ્થિતિ માનવીને લાભ કે નુકસાન પહોંચાડી શકે છે. અનુકૂળ પરિસ્થિતિઓ બૂરાઈનું કામ કરી શકે છે અને પ્રતિકૂળ પરિસ્થિતિઓ ભલાઈનું કામ કરતી જાય છે. જે સ્થિતિ માનવીને ભયભીત બનાવે છે તે હકીકતે તેને નુકસાન કરે છે. પરિસ્થિતિ જો મુશ્કેલ હોય, છતાં માનવી તેનાથી ભયભીત ન થાય તો તે પરિસ્થિતિ તેને નુક્સાન કરવાને બદલે ફાયદો કરી આપે છે.

માનવીનું મન આંતરિક ચિંતનથી પુષ્ટ બને છે. જે વ્યક્તિનો કર્તવ્યપાલનનો દૃઢ નિશ્ચય હોય, કર્તવ્ય પૂરું કરવા પોતાનું સર્વસ્વ હોમી દેવા તૈયાર હોય તેને કોઈપણ પરિસ્થિતિ ભયભીત કરી શકતી નથી. માનવીના મનમાં અપાર શક્તિ હોય છે. વ્યક્તિને આ શક્તિની જેટલી જરૂર હોય તેટલી પોતાની અંદરથી જ તેને મળી રહે છે. જે વ્યક્તિ કર્તવ્યપાલન કરતાં કરતાં પોતાની જાતને વધુને વધુ સંકટોમાં નાખતી હોય તે વ્યક્તિ પોતાની અંદર અખૂટ તથા અમાપ શક્તિનો અનુભવ પણ કરી શકે છે. તેને પોતાનાં સંકટો દૂર કરવા અસાધારણ શક્તિ મળી પણ જાય છે. જેમ જેમ આ પ્રકારની આંતરિક શક્તિનો અનુભવ વધે છે તેમતેમ તેની કાર્યક્ષમતા પણ વધ્યા કરે છે.

જ્યારે કોઈ વ્યક્તિ પોતાને મુશ્કેલીઓમાં ફસાયેલી માને છે ત્યારે તેને પોતાના કર્તવ્યનું ધ્યાન રહેતું નથી. કર્તવ્યનું ધ્યાન રાખવા છતાં બહારની મુસીબતો ઘેરી વળે છે. મુશ્કેલીઓથી ઘેરાયેલી વ્યક્તિના કર્તવ્ય સંબંધી વિચારો પણ ગૂંચવાયેલા હોય છે. જો કોઈ વ્યક્તિની આંતરિક મુશ્કેલીઓ દૂર થઈ જાય, ગૂંચ ઉકેલાઈ જાય તો બહારની મુશ્કેલીઓ પણ સહેલાઈથી ઉકેલી શકે. બાહ્ય અને આંતરિક મુશ્કેલીઓ અરસપરસ આધારિત છે. માનવીને પોતાની જાતનું જ્ઞાન બાહ્ય મુશ્કેલીઓનો સામનો કરતાં કરતાં થાય છે. જેમ જેમ આ જ્ઞાન વધતું જાય છે તેમ તેમ તે બાહ્ય મુશ્કેલીઓનો સામનો કરવામાં સમર્થ બનતો જાય છે.

પ્રત્યેક મુસીબતમાં ભય અનુભવતી વ્યક્તિના મનમાં માનસિક અંતર્લની સ્થિતિ સર્જાય છે, જેને લીધે માનસિક શક્તિનું વિકેન્દ્રીકરણ થઈ જાય છે. મનની અંદરની ઉગ્ર લડાઈને પરિણામે મન નબળું બની જાય છે. આ સ્થિતિમાં જ્યારે બહારની કોઈ ભારે મુશ્કેલી આવી પડે છે ત્યારે માનસિક રીતે વધુ તંગ બની જાય છે. રાષ્ટ્રનાં નાનાં રાજ્યો અંદરોઅંદર લડતાં રહે તો તે રાષ્ટ્ર નબળું પડી જાય છે, તેવી રીતે માનસિક અંતર્કદ્ધવાળી વ્યક્તિનું મન નિર્બળ બની જાય છે અને દરેક પ્રકારની મુસીબતો તેની સમક્ષ આવી જાય છે. જો આવી પરિસ્થિતિઓનો કોઈ દઢતાથી સામનો કરે તો મનની અંદરની મથામણ પણ શાંત બની જાય તથા મન એકાગ્ર થઈ શકે. નવરું મન શેતાનનું કારખાનું બની જાય છે. બાહ્ય મુસીબતોનો સામનો કરતાં કરતાં કેટલીય બીજી મુસીબતો અનાયાસે દૂર થઈ જાય છે.

સામાન્ય રીતે માનવીના હાથમાં કોઈ એવું કામ આવી જાય, જેનાથી માત્ર પોતાનું જ નહિ, પરંતુ બીજાનું પણ ભલું થતું હોય તો તે કામ તેણે કરવું જોઈએ. આ કામ પૂરું કરવા જો ત્યાગ કરવો પડે, કષ્ટો સહેવાં પડે તો પણ તૈયાર રહેવું જોઈએ. જે આ પ્રમાણેની ટેવ પાડી દે તો ધીમેધીમે તે પોતાના આધ્યાત્મિક જ્ઞાનમાં પણ વધારો થતો અનુભવશે. જે જ્ઞાન માનવીને ચિંતનથી કે આધ્યાત્મિક સાહિત્ય વાંચવાથી નથી મળતું તે જ્ઞાન વિકટ પરિસ્થિતિઓ સાથે ઝઝૂમવાથી આવી જાય છે. જે માનસિક શાંતિ ભોગવિલાસથી નથી મળતી તે આપત્તિઓ સામે લડતા રહેવાથી મળે છે.

મુશ્કેલીઓ સામે લડતા રહેવું તે માત્ર પોતાના જીવનને સફળ બનાવવા માટે જરૂરી નથી, પરંતુ બીજાને પ્રોત્સાહિત કરવા પણ જરૂરી છે. જેવી રીતે માનવીનાદુર્ગુણો આક્રમક હોય છે તેવી જ રીતે સદ્ગુણો પણ આક્રમક જ હોય છે. રણમેદાનમાં સૈનિકો પીછેહઠ કરવા તૈયાર થઈ જાય છે ત્યારે એને દઢતાથી લડતો જોઈ બીજાને પણ પોરસ ચડે છે. બીજની અંદર પણ વીરતા જાગૃત થાય છે. બધા માનવોમાં દરેક પ્રકારના દુર્ગુણો અને સગુણોની ભાવના રહેલી હોય છે. જે પ્રકારના વાતાવરણમાં માનવ રહેતો હોય છે તે વાતાવરણને અનુરૂપ જ તેનામાં માનસિક ગુણો ઉત્પન્ન થાય છે. વિરપુરુષનું ચારિત્ર્યજબીજા માટે ઉદાહરણરૂપ બને છે અને પોતાનું વિરલ ચરિત્ર જ સમાજ માટે મોટા ઉપકાર રૂપ સાબિત થાય છે.

દરેક પરિસ્થિતિમાં આગળ વધો | GP-5 સંકટમાં ધૈર્ય | ગાયત્રી વિદ્યા

દરેક પરિસ્થિતિમાં આગળ વધો 
ગાયત્રી મહામંત્રનો ચોથો અક્ષર “તુર્ ‘ આફતોમાં અને આપત્તિઓમાં ધૈર્ય  ધારણ કરવાનું શીખવે છે.

માનવજીવન ઉન્નતિ કરવા માટે મળ્યું છે. આમ તે સમગ્ર સંસારમાં સિંહ, હાથી, સાપ વગેરે માનવી કરતાં કેટલાયગણાં શક્તિશાળી પ્રાણીઓ હયાત છે, પણ પોતાનું બૂરું, ભલું લાભ નુકસાન વિચારવાની વિવેકબુદ્ધિ વાપરી ઉન્નતિના માર્ગે આગળ ધપવાની સગવડતો માત્ર માનવીને જ મળી છે. સંસારનાં બધાં જ પ્રાણીઓ કુદરત દ્વારા નિર્મિત એક નાનકડાં જૂથમાં જિંદગી વિતાવે છે. આ વિશેષતા માત્ર માનવીમાં જ છે, જેનાથી તે ઈચ્છાનુસાર નવા નવા રસ્તા શોધી અગમ્ય સ્થળો એ પહોંચે છે અને મહત્ત્વનાં કાર્યો કરે છે. જે લોકો માનવયોનિ મેળવીને પણ ઉન્નતિના માર્ગે આગળ વધી શક્યા નથી તેઓ હકીકતે અભાગિયા છે.

જો મને અમુક સગવડ મળી હોત તો હું આમ કરત” ની વાતો કરનારને શેખચલ્લી જ માનવો જોઈએ. પોતાની નાલાયકીને પોતાના નસીબ કે પરમાત્મા પર ઠોકી બેસાડી પોતે નિર્દોષ બનવા માગે છે. મને અમુક અમુક સગવડ મળી હોત તો અમુક કાર્ય કરત” એ ખોટી માગણી છે. આવી વાતો કરનારને એ પરિસ્થિતિ મળી જાય, છતાં પણ તે ફરી બીજી કોઈ વાતનો અભાવ વરતાશે, જે લોકોને ધન, વિદ્યા, મિત્ર, પદ, હોદો વગેરે મળ્યાં હોય છે એમાંના મોટા ભાગનાનું જીવન ખૂબ જ અસ્તવ્યસ્ત અને અસંતુષ્ટ જ હોય છે. ધન સંપત્તિ હોવા છતાં તેમના આનંદમાં વૃદ્ધિ ન થઈ, પણ ઊલટાની તે ધનસંપત્તિ જંજાળ બની ગઈ. સર્ષવિદ્યા જાણતો નથી તેની પાસે વધારે સાપ ભેગા થઈ જાય, તો તે ખતરનાક સાબિત થાય. જેને જીવનકળાનું જ્ઞાન નથી તેને ગરીબી કે અભાવની પરિસ્થિતિઓમાં પણ થોડોક આનંદ તો મળે છે, પણ જો તે સંપન્ન બની જાય તો ધનદોલતનો દુરુપયોગ કરી પોતાને માટે વધુ આફતો વહોરી શકે છે.

જો આપની પાસે આજેમનપસંદ વસ્તુઓ નથી, તો નિરાશ થવાની કોઈ જરૂર નથી. જે કંઈતૂટેલીફૂટેલી સામગ્રી છે તેનાથી તમારું કૌશલ્ય પ્રદર્શિત કરવાનું શરૂ કરો. જ્યારે ચારે બાજુએ ઘોર અંધકાર છવાયેલો હોય છે ત્યારે એક નાનો શો દીવો પોતાના પ્રકાશથી લોકોનું રોકાઈ રહેલું કામ શરૂ કરાવે છે. હજારો રૂપિયાની કિંમતની વસ્તુઓ એમ ને એમ પડી હોય છે અને આ નજીવી કિંમતનો દીપક પ્રકાશવાન હોવાથી પોતાની મહત્તાનો પરિચય કરાવે છે, લોકોનો પ્રિય બને છે, પ્રશંસા મેળવે છે અને પોતાની હયાતીને ધન્ય બનાવે છે. શું દીપક એવાં રોદણાં રડે છે કે મારી પાસે આટલા ડબ્બા કેરોસીન કેતેલ હોત તો વધારે ખૂબ જ મોટો પ્રકાશ આપત ! દીપક પાસે કર્મહીન નાલાયકોની જેમ શેખચલ્લીના વિચાર કરવાની નવરાશ જ નથી. તે તો પોતાની મહત્તાનો પરિચય આપી દે છે. બેશક, એનું કામ નાનું છે, પણ એ નગણ્યતામાં પણ સૂર્ય ચંદ્રના ચમકવા જેટલી જ સફળતાનો અંશ છે. જો આંતરિક સંતોષ, ધર્મ, પરોપકાર દૃષ્ટિથી તુલના કરવામાં આવે તો દીપક અને સૂર્ય-ચંદ્રનું કાર્ય એક સરખું જ છે, બંનેનું મહત્ત્વ સરખું છે, બંનેની સફળતા એક સરખી છે.

સાચી વાત તો એ છે કે અભાવની સ્થિતિમાં રહી, મુશ્કેલીઓમાં ઊછરેલી, સાધનહીન વ્યક્તિઓ જ સંસારના નેતા, મહાત્મા તથા મહાપુરુષ બની છે અને તે જ સફળ જીવન જીવી શકી છે. વિપરીત પરિસ્થિતિઓ સાથે ટકરાવાથી તેમની આંતરિકપ્રતિભા જાગૃત થાય છે અને સુષુપ્ત શક્તિઓનો વિકાસ થાય છે. પથ્થર સાથે ઘસાઈને જ ચપુ તેજ ધારવાળું બને છે અને પોતાના કામમાં વધુ ઉપયોગી સાબિત થાય છે, તેવી રીતે વિપરીત પરિસ્થિતિઓ સામે ટકરાવવાથી મનુષ્યનો સ્વભાવ તથા અનુભવ તીક્ષ્ણ બને છે, તે આગળ વધવામાં સફળ થાય છે. આની વિરુદ્ધ, જે લોકો અમીર અને સાધનસંપન્ન ઘરોમાં જન્મે છે તેમને જીવન જરૂરિયાત માટે સંઘર્ષ કરવો પડતો નથી. લાડ, પ્યાર તથા એશઆરામને લીધે તેમની પ્રતિભા નિખરતી નથી, પણ બંધિયાર પાણીની જેમ સડી જાય છે. સામાન્ય રીતે એવું જોવામાં આવે છે કે અમીરનાં છોકરાં પોતાના જીવનમાં નિષ્ફળ જાય છે, જ્યારે ગરીબોનાં છોકરાં આગળ વધી ચમકે છે. પ્રાચીનકાળના રાજા, જાગીરદારો પોતાના પુત્રોને અભાવગ્રસ્ત જીવન દ્વારા શિસ્ત અને કઠોરતાના પાઠ ભણાવવા માટે જ ઋષિઓના આશ્રમમાં મૂકતા હતા.

મારું આ બધું કહેવાનું તાત્પર્ય એ નથી કે અમીરી કોઈ ખરાબ ચીજ છે અને તેમનાં ઘરોમાં જન્મેલા બાળકો માટે ઉન્નતિના દરવાજા બંધ થઈ જાય છે. જ્યાં સાધનસામગ્રી છે ત્યાં તો ઝડપી ઉન્નતિ થવી જોઈએ. સુથાર પાસે શ્રેષ્ઠ લાકડું તથા ઉત્તમ ઓજાર હોય તો તે ઉત્તમ ફર્નિચર તૈયાર કરે એ હકીકત જ છે. મારો કહેવાનો અર્થ એ છે કે જો “જિંદગી જીવવાની કળા” આવડતી હોય તો અભાવ, મુશ્કેલી કે વિપરીત પરિસ્થિતિ કોઈ અવરોધ ઊભો કરી શકતી નથી. ગરીબી અને મુશ્કેલીઓમાં જ્યાં સાધનોની ખોટ હોય છે ત્યાં બીજી બાજુ પ્રતિભાને ચમકાવવાનો સારો ગુણ પણ હોય છે. અમીરીમાં સાધનોની છૂટ હોઈ લાડ, પ્યાર તથા એશઆરામને લીધે પ્રતિભા રૂંધાઈ જવાનો મોટો અવગુણ પણ છે. જે જીવન જીવવાનું જાણે છે તે ચાહે અમીર હોય કે ગરીબ, પરિસ્થિતિઓ સાનુકૂળ હોય કે પ્રતિકૂળ, ગમે તેવી મુશ્કેલીઓ હોય છતાં દરેક સ્થિતિમાં તે અનુકૂળતા જ પેદા કરી શકે છે અને ઉન્નતિ, સફળતા તથા આનંદ મેળવી શકે છે.

આનંદમય જીવન જીવવા ધન, વિદ્યા, સહયોગ, સ્વાથ્ય વગેરેની જરૂર છે, પણ એમ ન સમજવું જોઈએ કે આ બધાને લીધે જ આનંદમય જીવન જીવી શકાય છે. સારું સાહિત્ય લખવા કાગળ અને પેનની જરૂર છે જ, પણ આ બંને ભેગાં મળે એટલે કંઈ સાહિત્ય રચાઈ ન જાય. લેખકની બુદ્ધિપ્રતિભા જ શ્રેષ્ઠ સાહિત્ય રચનામાં મુખ્ય ભાગ ભજવે છે. કાગળ અને પેન તે ગૌણ બાબત છે. જેનામાં સાહિત્ય રચનાની શક્તિ છે તેનું કામ રોકાઈ નહિ જાય, પેન અને કાગળ તે ઘણી સરળતાથી એકત્ર કરી લેશે. આજ દિન સુધી એવો કોઈ કિસ્સો બન્યો નથી, જેમાં કોઈ લેખકે એમ કહ્યું હોય કે શું કરું, મારી પાસે કાગળનહતો. જો હોત તો મેં શ્રેષ્ઠ ગ્રંથ લખી નાખ્યો હોત, તો તેની વાત કોણ માનશે? કાગળ કે પેન એ કોઈ અપ્રાપ્ય કે દુર્લભ વસ્તુ નથી, જે કોઈ લેખકને ન મળી શકે. એક કહેવત છે, “નાચવું નહિ ત્યારે આંગણું વાંકું નાચતાં આવડતું નથી એ છુપાવવા નાચનાર કહે છે કે “શું કરું? મારે નાચવું તો ઘણું છે પણ આ આંગણું વાંકુંચૂકું છે ને!” આંગણું ગમે તેવું વાંકુંચૂકું હોય, છતાં જેને નાચવું જ હોય તેને કોઈ અડચણ નડતી નથી. આ રીતે જીવનવિદ્યા જાણે છે તેને સાધનોના અભાવ કેવિપરીત પરિસ્થિતિઓ અંગે ફરિયાદ કરવાની જરૂર હોતી નથી. સાધનો વગર પ્રગતિ થઈ જ ન શકે એવું હોતું નથી.

હોશિયાર પુરુષ વિષમ સ્થિતિમાં પણ અનુકૂળતા શોધી લે છે, ઝેરને અમૃત બનાવી દે છે. સોમલ, ઝરકચોળુ, ગુગળ, હરતાલ વગેરેમાંથી પણ ધતૂરા લોકો રોગનાશક તથા તાકાત આપનારાં રસાયણો શોધી કાઢે છે. રેતીમાંથી યે ચાંદી અને કોલસામાંથી હીરા કાઢે છે, ધરતીનાં કઠણ પડોને ખોદી ઠંડું પાણી મેળવી શકે છે, ઘૂઘવતા સમુદ્રના પેટાળમાં જઈ મોતી લઈ આવે છે.દષ્ટિફેલાવી જુઓ, તમારી ચારે બાજુએ એવા કલાકારો પડેલા જણાશે કે જે તુચ્છ વસ્તુઓમાંથી મહત્ત્વની વસ્તુઓ બનાવે છે. એવા વીર પુરુષોની ખોટ નથી, જેમણે વજ જેવી કઠણ પરિસ્થિતિઓમાં ઝંપલાવી વિજયમાળા પહેરી હોય. જો આપની ઈચ્છા સહેજ બળવત્તર હોય તો આપ પણ આ કલાકારો તથા વીર પુરુષોની કક્ષામાં આજની જોડાઈને આજની વિપરીત પરિસ્થિતિઓને અનુકૂળ બનાવી શકો છો. આપની બધી ફરિયાદો, ચિંતા તથા મજબૂરી સરળતાથી સંતોષ, આશા અને સમર્થતામાં ફેરવાઈ શકે છે.

વિપત્તિ આવી પડતા પાંચ રીતે વિચારો | GP-5 સંકટમાં ધૈર્ય | ગાયત્રી વિદ્યા

વિપત્તિ આવી પડતાં પાંચ રીતે વિચારો
ગાયત્રી મહામંત્રનો ચોથો અક્ષર “તુર્ ‘ આફતોમાં અને આપત્તિઓમાં ધૈર્ય  ધારણ કરવાનું શીખવે છે.

(૧) મુશ્કેલીઓ તમારાં પોતાનાં જ કર્મોનું ફળ છે અને ભોગવી લેશો તો કર્મના એક કઠોર બંધનામાંથી મુક્ત થશો.

(૨) મુશ્કેલીઓ તમારા વિશ્વાસની પરીક્ષા છે. તેમનાથી ગભરાશો નહિ, તો પરમાત્માની કૃપા તમને મળશે જ. 

(૩) મુશ્કેલીઓ મંગળમય પરમાત્માનુંજવિધાન છે અને તેમનું વિધાન કલ્યાણકારી જ હોય છે. આ મુશ્કેલીઓમાં પણ આપનું કલ્યાણ જ રહેલું છે.

(૪) મુક્લીઓના રૂપમાં જે કંઈ તમને મળ્યું છે તે એ રીતે મળવાનું હતું, નવું કંઈજ બનતું નથી. પરમાત્માનું પહેલેથી નક્કી કરેલું દશ્ય સામે આવે છે.

(૫) જે શરીરને, જે નામને અને જે નામ તથા દેહના સંબંધને સાચો માની તમે મુશ્કેલીઓથી ગભરાતા હો છો, તે દેહ, નામ અને સંબંધ હતો પણ આજે તેની સાથે તમારે કોઈ લેવાદેવા નથી. આવી જ હાલત આજની સ્થિતિની છે, તો પછી વિપત્તિઓમાં ગભરાવું તે મૂર્ખતા જ છે, કારણ કે મુશ્કેલીઓની અનુભૂતિ માત્ર દેહ, નામ અને તેના સંબંધોના કારણે જ થાય છે. જીવનના બચ્યા વ્યાપારોની જેમ મુશ્કેલીઓ અને આપત્તિઓનું આવવું જવું સ્વાભાવિક છે. તેમને ખરાબ કે સારી માનવી તેનો આધાર આપણી મનોવૃત્તિ પર રહેલો છે. હકીકતમાં મોટાભાગની આપત્તિઓ માનવીને તેની ભૂલો બતાવવા અને કંઈક પાઠ શીખવવા આવે છે. એટલા માટે માનવીનું કર્તવ્ય છે કે કોઈપણ સંજોગોમાં, ગમે તેવી મોટી આફત આવે તો પણ ક્યારેય ધીરજ ન ગુમાવવી અને શાંત ચિત્તથી તેના નિવારણનો પ્રયત્ન કરવો. આમ કરવાથી આપત્તિઓ નુકસાન કરવાને બદલે એકંદરે લાભકારી સાબિત થશે.

ધૈર્ય એક મહત્ત્વનો ગુણ છે | GP-5 સંકટમાં ધૈર્ય | ગાયત્રી વિદ્યા

ધૈર્ય એક મહત્ત્વનો ગુણ છે
ગાયત્રી મહામંત્રનો ચોથો અક્ષર “તુર્ ‘ આફતોમાં અને આપત્તિઓમાં ધૈર્ય  ધારણ કરવાનું શીખવે છે.

આ સંસારમાં તો વિપરીત પરિસ્થિતિઓ કે મુશ્કેલીઓ સ્વાભાવિક રીતે જ આવવાની. જ્યારે આપણે કોઈ મહત્ત્વનું કામ કરી રહ્યા હોઈએ ત્યારે તો અનેક મુસીબતોનો સામનો કરવો પડશે એમ અનિવાર્યપણે સમજવું જોઈએ. કેટલીયે વ્યક્તિઓ આવા જ ભયથી કોઈ ભારે કામ હાથમાં લેતી જ નથી. બનવા જોગ છે કે આમ કરવાથી તેઓ જીવનમાં મોટી આપત્તિઓથી બચી શકે, પણ તેઓ કોઈ પ્રકારની પ્રગતિ કે ઉન્નતિ પણ કરી શકતા નથી. એક તત્ત્વદર્શીની નજરે તેઓનું જીવન કીડીમંકોડા કરતાં સહેજે ય ચડિયાતું નથી.

જેણે શરીર ધારણ કર્યું છે તેણે સુખદુઃખ બંનેનો અનુભવ કરવો જ પડશે. પ્રાણીઓને કાયમ દુઃખ કે સુખ પ્રાપ્ત થતું નથી. જો આ વાત સાચી જ હોય તો દુઃખમાં વધારે ઉદ્વિગ્ન રહેવાનો અર્થ ખરો? દુઃખ સુખ શરીર સાથે જોડાયેલાં જ છે. આપણે ધીરજ રાખી સુખ અને દુ:ખ નિહાળવાં જોઈએ. જેઓ આ રહસ્યને પામ્યા છે તથા ધીરજ ધારણ કરી છે તેઓ જ આ સંસારમાં સુખી ગણાય. ધીરજની પરીક્ષા સુખ કરતાં દુઃખમાં જ વધારે થાય છે. દુઃખોની ભયંકરતા જોઈ વિહવળ બની જવું એ પ્રાણીઓનો સ્વભાવ છે, પરંતુ જેઓ આવા સમયે પણ ડગતા નથી, સ્થિતપ્રજ્ઞ રહે છે તે પુરુષસિંહ’ ધીરજવાન કહેવાય છે. આપણે અધીરા કેમ બનીએ છીએ? આનું એકમાત્ર કારણ આપણા હૃદયની નબળાઈ જ છે, બીજું કંઈ નહિ. બધાં એ હકીકત જાણે જ છે કે આ સૃષ્ટિમાં બ્રહ્માજીથી માંડીને નાનકડાં કીડી મકોડા સુધીના જીવોમાંથી કોઈપણ જીવ સંપૂર્ણ રીતે સુખી પેદા થયો નથી. બધાને કોઈ ને કોઈ પ્રકારનું દુઃખ આવે જ છે, છતાં દુઃખ આવતાં માનવી વ્યાકુળ થઈ જતો હોય તો તે તેની નબળાઈનહિતો બીજું શું છે?

મહામાનવોના માથે શીંગડાં ઊગેલાં હોતાં નથી. તેઓ પણ આપણી જેમ જ બે હાથ અને બે પગવાળા સાડા પાંચ ફૂટ લાંબા માનવીઓ જ છે, છતાં તેમનાં એ વિશેષતા છે કે આપણી જેમ તેઓ દુઃખ આવી પડતાં અધીરા થતા નથી. દુઃખોને પ્રારબ્ધ સમજી ખુશીથી પ્રસન્નવદને સહન કરી લે છે. જો દુઃખોથી ડરી જાત તો પાંડવો કૌરવોના ગુલામ જ બન્યા હોત, મોરધ્વજ પુત્રના શોકમાં દુઃખી થઈ મરી ગયો હોત, હરિશ્ચંદ્ર રાજા રાજલાભમાં પોતાનાં વચનોમાંથી ફરી ગયા હોત, શ્રી રામચંદ્રજી જંગલનાં દુઃખોની ભયાનકતાથી ગભરાઈ અયોધ્યાયમાં જ રહી ગયા હોત, શિબી રાજાએ શરીરનાં અંગો કપાવવાના દુઃખથી ડરી જઈ કબૂતર બાજને હવાલે કરી દીધું હોત, તો આ બધાંના નામ અત્યાર સુધી કોણ જાણી શક્યું હોત? તેઓ પણ અસંખ્ય માનવોની જેમ કાળના પ્રવાહમાં નાશ પામ્યા હોત ! પણ તેમનાં નામ માત્ર તેમની ધીરજને લીધે આજે પણ જીવંત છે.

આપણા પ્રિયજનના વિયોગથી આપણે અધીરા થઈ જઈએ છીએ કારણ કે તે આપણને છોડીને જતો રહ્યો છે. આ માટે અધીરા બનવાથી કેવી રીતે કામ ચાલશે? શું તે આપણી અધીરાઈ જોઈ પાછો આવશે? જો ન આવે તો આપણી અધીરાઈ નકામી જ છે. જેણે જન્મ ધારણ કર્યો છે તેણે એક દિવસ તો મરવાનું જ છે. સમગ્ર સૃષ્ટિના પિતા બ્રહ્માજી છે, ચરાચર સૃષ્ટિ તેમના વડે જ ઉત્પન્ન થઈ છે. તેમનું આયુષ્ય સમાપ્ત થતાં તેઓ પણ નહિ રહે, કારણ કે તેઓ ભગવાન વિષ્ણુના નાભિકમળમાંથી ઉત્પન્ન થયા છે. એટલે મહાપ્રલય વખતે તેઓ વિષ્ણુના શરીરમાં જ સમાઈ જાય છે. જન્મનારનો નાશ થાય જ છે એ અટલ સિદ્ધાંત જાણતા હોવા છતાં, આપણે પ્રિયજનના મૃત્યુ બદલ શોક શા માટે કરીએ છીએ? તે મરવાનો તો હતો જ, આજે નહિ તો કાલે, કાલે નહિ તો પરમ દિવસે. કોઈ શાશ્વત રહ્યું નથી, તો પછી પ્રિયજન ક્યાંથી શાશ્વત રહેવાનો છે? જ્યાંથી આવ્યા હતા ત્યાં ચાલ્યા ગયા. એક દિવસ તમારે પણ જવાનું જ છે, બાકી દિવસો છે તે દરમિયાન એ ગુણોના ભંડાર, કરુણાસાગરનું ચિંતન કરતાં કરતાં ધીરજથી વિતાવો.

શરીરમાં બીમારી આવી પડતાં જ આપણે બાવરા થઈ જઈએ છીએ. આ રીતની વ્યાકુળતા બતાવ્ય કોઈ રોગમુક્ત થયું છે? આ શરીર દુઃખદર્દીનું ઘર છે. લિંગભેદ, ઉંમર, કર્મફળ વગેરે સાથે લઈને જ શરીર ઉત્પન્ન થયું છે. પૂર્વજન્મનાં જે કર્મફળ છે તે તો ભોગવવાં જ પડશે.

દાન, પુણ્ય, જપ, તપ વગેરે અવશ્ય કરવાં જોઈએ. કર્મફળ પૂરું થવાનું કારણ આ દાન, તપ, પુણ્ય કે દવા હોઈ શકે છે. વિના કારણે કોઈ કામ થઈ શકતું નથી. તમને શી ખબર કે તમારી વ્યાધિ, તમારું દુઃખ, દૂર થવાનું કારણ શું હતું? એટલે આપણાં શાસ્ત્રોએ બતાવેલા ઉપાયો પણ કરવા જ જોઈએ. સાથે સાથે ધીરજ પણ ધરવી જોઈએ. ધીરજથી તમે વ્યાધિઓના ચક્રમાંથી સુખરૂપે છટકી શકશો.

જીવનજરૂરી વસ્તુઓ જ્યારે મળતી નથી ત્યારે આપણે અધીરા થઈ જઈએ છીએ. આવતી કાલે ભોજન માટે અન્ન નથી, પત્નીની સાડી ફાટીને સાવ ચીંથરું થઈ ગઈ છે, બાળક ભયંકર બીમારીમાં પટકાયો છે, તેમ છતાં દવાદારૂની કોઈ સગવડ થઈ નથી. શું કરું? ક્યાં જાઉં? આવા વિચારોમાં વિહવળ બની જઈ રાતની રાત રડીને પૂરી કરીએ છીએ અને આપણી આંખો પણ સૂઝી જાય છે. આવું કરવાથી ન તો કાલ માટે અનાજ આવી શકે છે ન તો સ્ત્રી માટે નવી સાડી આવી શકે છે, કે બાળકની તબીયત પણ સુધરી જતી નથી. આપણે એમ ન વિચારવું જોઈએ કે માત્ર આપણા પર જ આવાં દુઃખ આવી પડે છે. આફતોનો શિકાર કોને બનવું પડ્યું નથી? ત્રણે ભુવનના નાથ ઈન્દ્ર બ્રહ્મહત્યાના ડરથી વર્ષો સુધી અંધારામાં પડ્યા રહ્યા. ચક્રવર્તી મહારાજા હરિશ્ચંદ્ર ચંડાળને ત્યાં નોકરી કરતાં સ્મશાને પડી રહ્યા, તેમની પત્ની પોતાના એના એક બાળકને અગ્નિદાહદેવા કફન પણ ન મેળવી શકી.

જગતના આદિ કારણ, મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રજીને ૧૪ વર્ષ સુધી ઘોર જંગલોમાં રહેવું પડ્યું. તેઓ પોતાના પિતા ચક્રવર્તીમહારાજા દશરથને મુઠ્ઠીભર લોટનું પિંડદાન પણ ન કરી શક્યા અને જંગલી ફળોથી જ પિંડદાન કરવું પડ્યું. કોઈપણ શરીરધારી એવો નથી, જેણે મુસીબતોનાં કડવાં ફળોનો સ્વાદ ચાખ્યો ન હોય. અનિવાર્ય કર્મફળના સ્વાદથી બધા જ પરિચિત છે, તો પછી આપણે અધીરા શા માટે બનીએ છીએ? આપણી આ અધીરાઈથી આપણાં પત્ની, બાળકો પણ દુઃખી થશે. એટલે આપણે ધીરજ ધરી શા માટે તેઓને આશ્વાસન ન આપીએ? જે થવાનું છે તે થશે જ. બસ, વિવેકી અને અવિવેકીમાં આટલો જ ફરક હોય છે. વૃદ્ધત્વ, માંદગી અને મુશ્કેલીઓ બંને પ્રકારના લોકોને આવે જ છે, પણ વિવેકી તેને અનિવાર્ય માની ધીરજથી સહી લે છે અને અજ્ઞાની વિદ્વવળ બની મુશ્કેલીઓ વધાર્યા જ કરે છે. મહાત્મા કબીરજીએ આ સંદર્ભે ખૂબ જ સચોટ વાત કરી છે:

જ્ઞાની કાટે જ્ઞાનસે, અજ્ઞાની કાટે સેવા મૌત, બુઢાપા, આપદા, સબ કાહૂકો હોય

જે ધીરજનો સહારો નથી લેતો, તે ગરીબ થઈ જાય છે અને ઓશિયાળો બની જાય છે. આનાથી તે વધુદુઃખી થાય છે. સંસારમાં ઓશિયાળા બનવું, બીજા પાસે યાચના કરવી, આજીજી કરવી તેનાથી મોટું દુ:ખ કયું છે? એટલા માટે ધીરજ ધારણ કરવી જોઈએ અને વિપત્તિનાં મૂળ શોધી તેમનો નાશ કરવો જોઈએ. તેમ જ સગવડ વધારવાના સાચા પ્રયત્નો કરવા જોઈએ. જેટલી શક્તિ અધીર બની દુઃખી થવામાં વપરાય છે તેનાથી અડધી શક્તિ પણ પ્રયત્ન કરવામાં ખર્ચીએ તો આપણી મોટાભાગની મુશ્કેલીઓ દૂર થઈ જાય.

મુશ્કેલીઓ નિવારવાનાં કેટલાંક સોનેરી સુત્રો | GP-5 સંકટમાં ધૈર્ય | ગાયત્રી વિદ્યા

ગાયત્રી મહામંત્રનો ચોથો અક્ષર “તુર્ ‘ આફતોમાં અને આપત્તિઓમાં ધૈર્ય  ધારણ કરવાનું શીખવે છે.

મુશ્કેલીઓ નિવારવાનાં કેટલાંક સોનેરી સુત્રો

મુશ્કેલીઓથી ગભરાશો નહિ, વિપત્તિ કડવી તો હોય છે, પણ યાદ રાખો કે કરિયાતું અને લીમડા જેવી કડવી વનસ્પતિથી જ તાવનો નાશ થઈ શરીર નિર્મળ બને છે. – વિપત્તિમાં ક્યારે પણ નિરાશ ન થાઓ. યાદ રાખો, અનાજ પકવી સંસારને સુખી કરનાર વરસાદ કાળાં વાદળોમાંથી જ વરસે છે.

હકીકતમાં જેઓ વિપત્તિથી ડરે છે તેને જ તે વધારે દુઃખ આપે છે. જેનું મન દઢ હોય, સંસારની અનિત્યતાનો અનુભવ કરતું હોય અને જે દરેક વાતમાં ભગવાનની દયા માનીને નીડર રહેતો હોય તેના માટે વિપત્તિ ફૂલોની પથારી સમાન છે.

જેમ રસ્તામાં દૂરથી પહાડ જોઈને પથિક ગભરાઈ જાય કે હું કઈ રીતે આ પહાડ ઓળંગી શકીશ? પણ નજીક પહોંચતાં, પહાડ ઓળંગવાની શરૂઆત કરતાં તે પાર કરવો એટલો અઘરો લાગતો નથી. આ જ હાલતવિપત્તિઓની છે. માનવી દૂરથી તેમને જોઈને ગભરાઈ જાય છે અને દુઃખી થાય છે, પણ જ્યારે વિપત્તિઓ ખરેખર આવી પડે છે ત્યારે ધીરજ ધરવાથી નજીવું નુકસાન કરીને તેઓ જતી રહે છે.

જેમ શિલ્પી દ્વારા ઘડાયા વિના મૂર્તિ સુંદર બની શકતી નથી તેવી રીતે વિપત્તિઓથી ઘડાયા વિના માનવીનું હૃદય સુંદર બનતું નથી.

વિપત્તિ પ્રેમની કસોટી છે. વિપત્તિમાં આવી પડેલા ભાઈભાંઓ પ્રત્યે તમારો પ્રેમ વધે અને તે આપને નિરભિમાની બનાવી આદર ભાવથી તેમની સેવા કરવા મજબૂર કરી દે તો સમજજો કે તમારો પ્રેમ સાચો છે. આ રીતે તમારા પર વિપત્તિ આવી પડતાં તમારા ભાઈભાંડુ અને મિત્રોના પ્રેમની પરીક્ષા થઈ શકે છે.

કાળાં વાદળોના અંધકારમાં જ વીજળીનો ચમકારો છુપાયેલો રહે છે. વિપત્તિ એટલે દુઃખ પછી સુખ, નિરાશા પછી આશા અને પાનખર પછી વસંત એ સૃષ્ટિનો નિયમ છે.

યાદ રાખો કે જ્યાં સુધી સુખના એકધાર્યા રસને વિપત્તિનો ઊંડો આઘાત નથી લાગતો ત્યાં સુધી જીવનના યથાર્થ સત્યનો પરિચય થતો નથી.

મુશ્કેલીઓની ચિંતા ના કરો | GP-5 સંકટમાં ધૈર્ય | ગાયત્રી વિદ્યા

મુશ્કેલીઓની ચિંતા ના કરો
ગાયત્રી મહામંત્રનો ચોથો અક્ષર “તુર્ ‘ આફતોમાં અને આપત્તિઓમાં ધૈર્ય  ધારણ કરવાનું શીખવે છે.

કેટલાય લોકો આપત્તિઓથી એટલા બધા ભયભીત રહે છે કે જાતજાતની સાચી-ખોટી વિટંબણાઓની કલ્પના કરી પોતાનું જીવન ત્રાસમય બનાવી દે છે. જો વિચારપૂર્વક સમજવા માગીએ તો ભૂતકાળમાં બની ગયેલી ઘટનાઓ અને ભવિષ્યના ડર કે ભય માટે વ્યાકુળ થવું નિરર્થક છે, પરંતુ આવી વ્યક્તિઓ સામાન્ય રીતે વર્તમાનને અવગણીને ભૂતકાળની ઘટનાઓનાં જ રોદણાં રોયા કરે છે અથવા ભવિષ્યમાં આવનારી મુશ્કેલીઓની કલ્પના કરીને ડર્યા કરે છે. આ પ્રકારની પ્રવૃત્તિઓ બુદ્ધિના દેવાળાનો અને ડરપોકપણાનો જ પરિચય આપે છે. જૂની કે નવી, કોઈ પણ આપત્તિ માટે ચિંતા કરવી બધી રીતે નુકસાનકરાક છે. આમાં આપણી મોટા ભાગની શક્તિ વેડફાઈ જાય છે અને આપણે આપણી સમક્ષ ઊભેલી વર્તમાન સમસ્યાઓ ઉકેલવામાં પણ નિષ્ફળ જઈએ છીએ.

મનમાં ઘર કરી ગયેલી દુઃખદ યાદો અને ડરામણા ભવિષ્યની આશંકાથી ઉત્પન, માનવમાત્રનું સત્યાનાશ વાળનાર, તેની માનસિક, શારીરિક તેમજ આધ્યાત્મિક શક્તિઓનો નાશ કરનાર દુષ્ટ મનોવિકાર, ચિંતા જ છે. એકવાર આ માનસિક રોગના રોગી બની ગયા બાદ માનવી એમાંથી ઘણી મુશ્કેલીથી છુટકારો મેળવી શકે છે, કારણ કે વધુ સમય રહેવાથી આ કલ્પનાઓ ગુપ્ત મનમાં જટિલ માનસિક ભાવનાગ્રંથિની જેમ પડી રહે છે. આ કેન્દ્રમાંથી જ આપણી શારીરિક અને માનસિક ક્રિયાઓનું સંચાલન થાય છે. ટેવ પડી જવાથી ચિંતા નિરાશાનું રૂપ ધારણ કરી લે છે. આવી વ્યક્તિ નિરાશાવાદી બની જાય છે. તેનું સંપૂર્ણ જીવન નીરસ, નિરુત્સાહી અને અસફળતાઓથી જ ભરેલું હોય છે.

ચિંતાનો પ્રભાવચેપીરોગના જેવો ઝેરી હોય છે. જ્યારે આપણે ચિંતાતુર્વ્યક્તિના સંપર્કમાં રહીએ છીએ ત્યારે આપણે પણ એ નિરાશાનું તત્ત્વ ખેંચી લઈ આપણું જીવન પણ નિરુત્સાહી બનાવી દઈએ છીએ. કેટલીય વ્યક્તિઓ કહ્યા કરે છે, “ભાઈ ! હવે હું થાકી ગયો છું. કંટાળી ગયો છું. હવે પરમાત્મા મને બચાવી લે તો સારું.” તેઓ એવાં રોદણાં જ રોયા કરે છે. “હું ઘણો અભાગિયો છું, ગ્રહો અવળા છે, હું ગરીબ છું, હું તનતોડ મહેનત કરું છું, પણ ભાગ્ય સાથ આપતું નથી.” આવી ચિંતા કરનાર વ્યક્તિ એમ નથી જાણતી કે આ રીતે રોદણાં રડવાથી આપણે આપણા હાથ વડે જ ભાગ્યને નંદવી રહ્યા છીએ, ઉન્નતિ રૂપી ચાંદને કાળાં વાદળોથી ઢાંકી દઈએ છીએ.

એક સુપ્રસિદ્ધ વિદ્વાનનું કથન છે, “આપના જીવનમાં અનેક પ્રકારની દુઃખદ, કડવી તથા મનને ખૂંચતી યાદો દબાઈને પડી છે. તેમાં કેટલાય પ્રકારની બેવકૂફી, અશિષ્ટતા, મૂર્ખતાભર્યા કાર્યો

ભરેલાં હોય છે. આપના મનમંદિરના દરવાજા તેમના માટે બંધ કરી દો. તેમની દુઃખભરી પીડા, વેદના તથા હાહાકારનો કાળો પડછાયો વર્તમાન જીવન પર ન પડવા દો. મનના ઓરડામાં આ લાશોને, ભૂતકાળનાં મડદાંને દફનાવી દો. આવી જ રીતે મનનો એ ઓરડો પણ બંધ કરી દો, જેમાં ભવિષ્ય માટેનો ખોટો ભય, શંકાઓ તથા નિરાશાભરી કલ્પનાઓ ભરેલી છે. આ નહિ જન્મેલા ભવિષ્યને પણ મનની ઓરડીમાં દફનાવી દો. તમે માત્ર આજની ચિંતા કરો. મદમસ્ત, ઉલ્લાસપૂર્ણ “આજ આપની અમૂલ્ય સંપત્તિ છે. તે તમારી પાસે છે. તે આપનો મિત્ર છે. “આજ” ને ઓળખો, તેની સાથે ખૂબ રમો, કૂદો, મસ્ત રહો અને તેને વધુને વધુ આનંદમય બનાવો. “આજ” જીવિત ચીજ છે. “આજમાં એ શક્તિ છે, જે દુઃખદ ભૂતકાળને ધરબી દઈ ભવિષ્યના અંધકારના ખોટા ભયનો નાશ કરી શકે છે.”

આ કથનનો અર્થ એવો નથી કે ભવિષ્ય માટે કોઈ યોજના જન બનાવવી કે કંઈ વિચારવું જ નહિ. અર્થ એટલો જ છે કે આવનારી કાલ માટે વ્યર્થ ચિંતા કરવાથી આપણો હેતુ સરશે નહિ, પણ પોતાની સમગ્ર બુદ્ધિ, કુશળતા, તર્ક અને ઉત્સાહથી આજના કાર્યને સર્વોત્તમ બનાવવા સંનિષ્ઠ પ્રયત્નો કરવાથી આ હેતુ પાર પડશે.

જો આપણે “આજ” નું કામ કર્તવ્ય સમજી સંપૂર્ણ એકાગ્રતા અને લગનથી પૂરું કરીએ, તો આપણે “કાલ” ની ચિંતા કરવાની જરૂર નહિ રહે. આ રીતે તમે ઉજ્વળ ભવિષ્ય બનાવી શકો છો.

ખ્રિસ્તી ધર્મમાં એક પ્રાર્થના આવે છે, જેનો થોડોક અંશ આ પ્રમાણે છે, “હે પ્રભુ! મને આજનું ભોજન આપો! મારી આજ સમૃદ્ધ બનાવો” યાદ રાખો કે આ પ્રાર્થનાનો સ્પષ્ટ અર્થ એ છે કે આજે મને ભોજન, આનંદ તથા સમૃદ્ધિ આપો. આમાં ન તો વીતી ગયેલ કાલ બાબતે ફરિયાદ છે કે ન તો આવનારી કાલ માટે યાચના કેડર છે. આ પ્રાર્થના “આજ”(વર્તમાન) નું મહત્ત્વ સ્પષ્ટ કરે છે. જો આપણે આજને આદર્શ બનાવીએ, તેનો વધુને વધુ આનંદ લૂંટીએ તો આપણું ભવિષ્યનું જીવન જાતે જ ઉન્નત બનશે.

હજારો વર્ષ પૂર્વે એક ગરીબ તત્ત્વવેત્તા એવા વેરાન પર્વતીય પ્રદેશમાં ફરતા હતા, જ્યાં લોકોનો જીવનનિર્વાહ ઘણી મુશ્કેલીઓથી થતો હતો. એક દિવસ એમણે સ્થાનિક નિવાસીઓને એકઠા કર્યા અને નાનકડું પ્રવચન આપતાં જણાવ્યું, “કાલની ચિંતામાં રત આત્માઓ! કાલની ચિંતા, ભય અને અંધકારમાં સોનેરી વર્તમાનને શા માટે હોમી રહ્યા છો? કાલ તેની જાતે પોતાની ચિંતા કરશે. જો તમે “આજ” સર્વોત્તમ આનંદ, સંતોષ અને આદર્શ રીતે પૂરી કરશો તો તે શ્રેષ્ઠ જ છે. પરમેશ્વર જાતે તમારા ભવિષ્યને ઉજ્જવળ બનાવવાના પ્રયત્નોમાં રત છે.”

મહાપુરુષ ઈસુએ કહ્યું છે, “કાલની ચિંતા ન કરો,”પરંતુ આનો વાસ્તવિક અર્થ ઘણા ઓછા લોકો જાણે છે. કાલની ચિંતા ન કરો! તમે કહેશો કે એકઈરીતે શક્ય છે? અમારે કુટુંબ છે, એમાં બાળકોનું શિક્ષણ, કપડાં, ભોજનનિર્વાહની મૂંઝવણો છે, થોડાં વર્ષોમાં બધાંને પરણાવવાનાં છે, પૈસા એકઠા કર્યા વિના કેવી રીતે કામ ચાલશે? અમારે વીમા પોલીસીમાં પૈસા રોકવા જોઈએ ! આજે નોકરી પર છીએ, કાલે તે છૂટી પણ જાય! આજે તંદુરસ્ત છીએ, કાલે બીમાર પડીએ તો કઈ રીતે કામ થાય? ઘડપણમાં અમારું શું થશે?

આ પ્રકારની વાતો ઠીક છે. એક વિચારશીલ મગજમાં આવા વિચાર આવવા જોઈએ. મારો મત છે કે તમે “કાલ’ને શક્તિશાળી બનાવવા, યોગ્ય, સ્વસ્થ અને આર્થિક રીતે સંપન્ન બનવા માટે નવી યોજનાઓનો અમલ કરો. ભાવિ જીવન માટે શક્ય એટલી બધી જ તૈયારી કરો, પરિશ્રમ, વેપાર, મિલનસાર સ્વભાવ વગેરેથી સમજમાં આપનું સ્થાન બનાવો, પણ ચિંતા ન કરો. યોજના બનાવી દૂરદર્શિતાનો પરિચય આપી તેને પૂરી કરવી એ એક વાત છે અને ચિંતા કરવી એ બીજી વાત છે. ચિંતાથી હાથમાં શું આવશે? ઊલટું જે રહી સહી તાકાત અને માનસિક સ્વસ્થતા છે તે પણ નાશ પામશે. ચિંતા તમારા ઉત્સાહ, શક્તિ અને આનંદને પાંગળાં બનાવી દેશે. જે મુશ્કેલીઓ અથવા અવરોધોને તમે તમારી પોતાની શક્તિથી સરળતાથી જીતી શકતા હતા તે તમને પહાડ જેવાં મોટાં દેખાશે. ચિંતા આપની સામે એક એવો અંધકાર ઉત્પન્ન કરશે, જેનાથી પરમાત્માએ આપના અંગ પ્રત્યંગમાં છુપાવેલા ગૂઢ શક્તિ કેન્દ્રનું આપને જ્ઞાન જ નહિ થાય.

યુદ્ધ, બીમારી, દેવાળું કે દુઃખદ મૃત્યુના અંધકારમય રુદનમાં, શુભચિંતન અને અશુભ ચિંતનમાં માત્ર આ જ ફરક છે, કાર્યકારણનાં ફળોને તર્કની કસોટીએ ચકાસે તે વિચાર શુભ વિચાર છે તે દૂરનું જુએ છે અને કેવા કાર્યથી ભવિષ્યમાં કેવું ફળ મળશે તેનો ક્યાસ કાઢી ભાવિ ઉન્નતિની યોજનાઓ બનાવે છે. સર્જનાત્મક વિચાર ભવિષ્યનિર્માણમાં જૂની ભૂલની સજાના કડવા અનુભવો અને સંસારની અડચણોને ધ્યાનમાં રાખીને આપની ઉન્નતિ માટે યોજનાઓ આપી શકે છે. શુભ ચિંતનમાં છુપાયેલા સાંસારિક અનુભવોના બળે ઉત્સાહ અને આશાના ફુવારા ઊડે છે. કાર્યનિષ્ઠા અને સાહસનું બળ જન્મે છે. આ જ શક્તિ અને કૌશલ્યનો પવિત્ર યોગ છે. કામથી ગભરાઈને નાસી જવાનો નહિ, પણ કોયડાઓ ઉકેલી અપૂર્વ સહનશક્તિનો પરિચય આપવાનું વિધાન છે.

ખરાબ વિચારધારાની શરૂઆત જ ડર અને ગભરાટથી થાય છે. મુશ્કેલીઓ આવી રહી છે, આપણે ન કરેલું કામ કરવું પડશે, પૈસા તથા સાધનો આપણી પાસે નથી, શું કરવું? આવી ફાલતુ કપોલકલ્પનાઓ શક્તિ અને ઉત્સાહનો નાશ કરી દે છે. માનસિક સંતુલન નાશ પામે છે. ઈચ્છાશક્તિ અને મનોબળ પાછલી ભૂલોની યાદથી અને દુઃખદ અનુભવોથી નાશ પામે છે પશ્ચાત્તાપ અને આત્મગ્લાનિના અંધકારમાં આવી વ્યક્તિ પોતાની રહીસહી શક્તિ પણ ગુમાવી દે છે. આ ખરાબ કલ્પનાઓ ચિંતા જેવી રાક્ષસીનાં જ સંતાનો છે.

આજકાલ પાગલો માટેના દવાખાનામાં માનસિક રોગના એવા દરદીઓ આવે છે, જેમાંના મોટાભાગના ચિતાના ભારને લીધે જ મગજ ગુમાવી બેઠા હોય છે. તેમના મનમાં વીતેલા જીવનના ભયાનક, દુર્ઘટનાપૂર્ણ ભૂતકાળનો હૃદયદ્રાવક હાહાકાર, કલ્પના અને મૂંગું રુદન હોય છે. પ્રિયજનના મૃત્યુનો આઘાત પીડાયુક્ત અને અસહ્ય વેદનાભર્યો હોય છે. હજારો લાખો રૂપિયાના નુકસાનનું દુઃખ હોય છે. સમાજ દ્વારા થયેલી માનહાનિની પીડા હોય છે. સમાજ, અધિકારીઓ, જડ રૂઢિઓ કે પોલીસ દ્વારા આચરાયેલા અત્યાચાર વિરુદ્ધનો વિદ્રોહ હોય છે. કેટલાય એવા જડતથા નિરાશાવાદી થઈ ગયા હોય છે, જાણે કે તેમના આનંદનું ઝરણું સુકાઈ ન ગયું હોય! આ અનુભવોના આધારે તેઓ ભવિષ્યના ભયથી ઉત્પન્ન દુષ્ટ પ્રવૃત્તિઓના શિકાર બને છે. પોતાની પ્રતિકૂળતાના ખરાબ વિચારો તેમના અંતઃકરણની ઉત્તમમાં ઉત્તમ યોજનાઓને ક્ષણભરમાં ધૂળમાં મેળવી દે છે. તેઓ માનવીની માનસિક શક્તિઓનો નાશ કરી ચિંતામાં ફસાવી દેનાર ભયંકર મહારાક્ષસ છે. ચિંતા એ ભયનું પ્રથમ સંતાન છે. આ યાદો અને અંધકારમય ભવિષ્યનાં ડરામણાં સ્વપ્નોનું વંદયુદ્ધ માનસિક રોગોના રૂપમાં પ્રગટ થાય છે. કોઈને ન કહેવાય અને ન સહેવાય તેવી આશંકાઓ, ખરાબ ચિંતાઓ તથા ખરાબ કલ્પનાઓ માનસિક રોગોના રૂપમાં પ્રગટ થઈને જ રહે છે.

આફતોમાં અને આપત્તિઓમં ધૈર્ય | GP-5 સંકટમાં ધૈર્ય | ગાયત્રી વિદ્યા

ગાયત્રી મહામંત્રનો ચોથો અક્ષર : તુર્ આફતોમાં અને

આપત્તિઓમાં ધૈર્ય ધારણ કરવાનું શીખવે છે.

“તુષારાણાં પ્રપાતેડિપ યત્નો ધર્મસ્તુ ચાત્મન: | મહિમા ચ પ્રતિષ્ઠા ચ પ્રોક્તા પરિશ્રમસ્ય હિ ॥

એટલે કે દુ:ખી દશામાં પણ શ્રદ્ધાપૂર્વક પ્રયત્ન કરવો એ આત્માનો ધર્મ છે. પ્રયત્નનું મહત્વ અને પ્રતિષ્ઠા અપાર ગણવામાં આવે છે.

માનવીના જીવનમાં વિપત્તિઓ, પ્રતિકૂળ પરિસ્થિતિઓ, નુકસાન અને દુ:ખની ઘટનાઓ આવતી જ રહે છે. જેવી રીતે કાળચક્રમાં રાત્રિ અને દિવસ છે તેવી જ રીતે સંપત્તિ અને વિપત્તિ, સુખ અને દુ:ખ પણ જીવનરથનાં બે પૈડાં છે. બંને માટે માનવીએ નિ:સ્પૃહી બની તૈયાર રહેવું જોઈએ. દુ:ખમાં રડવું અને સુખના મદમાં છકી જવું એ બંને અયોગ્ય છે.

આશાના મિનારા તૂટી પડતાં નિરાશા, ચિંતા, ભય, ગભરામણ, ઉત્પન્ન કરનારી પરિસ્થિતિઓમાં પણ માનવીએ તેનું માનસિક સમતોલપણું ટકાવી રાખવું જોઈએ. ધીરજ રાખી સજાગતા, બુદ્ધિ, શાંતિ અને દૂરદર્શિતા સાથે મુશ્કેલીઓ નિવારવા પ્રયત્ન કરવો જોઈએ. જે મુશ્કેલીઓમાં પણ હસતો રહે છે, જે નાટકનાં પાત્રોની જેમ જીવનનો ખેલ ખેલી શકે છે તેને સ્થિર બુદ્ધિનો માની શકાય.

સંજોગવશાત્ ખરાબ દિવસો તો આવે છે, પણ તે અનેક અનુભવો, ગુણો તથા સહનશીલતાનું શિક્ષણ આપી જાય છે. મુશ્કેલીઓ માનવીને દસ ગુરુઓ કરતાં પણ મહાન શિક્ષણ આપી જાય છે. આ મુશ્કેલીઓ વધારે મોટું આપણા વિવેક અને પુરુષાર્થને પડકારવા આવે છે અને જેઓ આ પરીક્ષામાં પાસ થાય છે તેમના ગળામાં કીર્તિ અને પ્રતિષ્ઠાનો હાર પણ પહેરાવતી જાય છે.

એટલા માટે માનવીનું કર્ત્તવ્ય છે કે ભૂતકાળ પ્રત્યે દુર્લક્ષ્ય સેવે, વર્તમાન માટે સજાગ રહે અને ભવિષ્ય માટે નિર્ભય રહે.માનવીએ સારામાં સારાં પરિણામો માટે આશા રાખવી જોઈએ, પણ ખરાબમાં ખરાબ પરિસ્થિતિઓ ભોગવવા તૈયાર પણ રહેવું જોઈએ. સંપત્તિ અને વિપત્તિ, કોઈ પણ દશામાં માનસિક સમતોલન ગુમાવવું જોઈએ નહિ. વર્તમાનની સરખામણીમાં ઉત્તમ સ્થિતિમાં પહોંચવા સંપૂર્ણ પ્રયત્ન કરવો એ તો આત્માનો ધર્મ છે, પરંતુ મુશ્કેલીઓથી ગભરાઈ જવું એ આત્માના ગૌરવને છાજતું નથી.

માનવીના જીવનમાં દુ:ખ અને મુશ્કેલીઓનું ઘણું મહત્વનું સ્થાન છે. મુશ્કેલીઓના ગર્ભમાં કુદરતના ક્રર વર્જાઘાતોમાં જ પ્રગતિઅનું રહસ્ય છુપાયેલું છે. જો રોજ સરળતા અને અનુકૂળતા જ રહે તો ચેતના ઘટતી જશે અને માનવી ધીમેધીમે આળસુ અને નકામો બનતો જશે. આવી સ્થિતિમાં તેના મનમાં એક પ્રકારની હતાશા ઉદ્દભવશે, જેથી ઉન્નતિ, સંશોધન, મહત્વાકાંક્ષાઓનો માર્ગ રુંધાઈ જશે. જયાં સુધી દુ:ખનો કોઈ અનુભવ નહિ થાય ત્યાં સુધી સુખમાં કોઈ આનંદ મળશે નહિ. રાત્રિ ન હોય અને કાયમ દિવસ જ હોય તો, એ દિવસથી શો આનંદ મળે? જો ખારો, ખાટો, તિખો, કડવો તથા તૂરા સ્વાદ જ ન હોય, હંમેશાં માત્ર ગળ્યું જ ખાવાનું મળે, તો કોઈવાર એ ગળપણ પણ ગમતું નથી. આ રીતે જો દુ:ખ હોય તો જ આપણે સુખની અનુભૂતિ કરી શકીએ. દુ:ખને આપણે અવગણીએ છીએ, પણ ખરી રીતે પ્રગતિનું સાધન તે જ છે.

સંસારમાં જેટલા મહાપુરુષો પેદા થયા છે તેમની મહાનતા, યશ, પ્રતિષ્ઠા વગેરે માત્ર તેમની સહનશક્તિના આધારે જ છે. રાજા હરિશ્ચંદ્ર જો ભંગીને ત્યાં વેચાયા ન હોત તો તેઓ પણ સામાન્ય રાજાની જેમ ખપી ગયા હોત, તેમનું નામ પણ કોઈ ન જાણતું હોત ! દધીચિ, શિબિ,પ્રહલાદ, મોરધ્વજ, સીતા, દમયંતી, દ્રૌપદી, કુંતી વગેરેના જીવનમાં જો મુશ્કેલીઓ ન આવી હોત, તે લોકો જો ભોગ-વિલાસનું જીવન વ્યતીત કરતા હોત, તો તેમની મહાનતાનું કોઈ કારણ જ ન હોત. દુર્ગમ પર્વતો પર ઊગતાં વૃક્ષો જ વિશાળ ઘેરાવાંવાળા અને ઘણાં વર્ષો ટકનારા હોય છે, જે બગીચાને દરરોજ સીંચવામાં આવે છે તે થોડા જ દિવસોમાં જ કરમાઈ જઈ પોતાની જીવનલીલા સમાપ્ત કરી દે છે. જે સમાજ અને રાષ્ટ્ર પરિશ્રમી અને સહનશીલ છે તે જ પ્રગતી કરે છે અને વિજય મેળવે છે. ઇતિહાસ સાક્ષી પૂરે છે કે જે જાતીઓ ભોગવિલાસમાં ડૂબી ગઈ તેમને થોડાક વર્ષોમાં જ ગરીબી અને ગુલામી ભોગવવી પડી છે.

આપણા પૂર્વજો સહનશીલતાના મહાન લાભોથી માહિતગાર હતા, તેથી જ તેમણે વિદ્યાભ્યાસને જીવન વ્યવસ્થામાં મુખ્ય સ્થાન આપ્યું હતું. કઠોર શિસ્ત અને તપના કાર્યક્રમો અનુસાર તેઓ દુઃખો સામે લડવાની ટેવ પાડતા હતા. યુદ્ધસ્થળમાં લડતાં પહેલાં જવાનોને ઘણા લાંબાગાળા સુધી યુદ્ધકૌશલની તાલીમ મેળવવી જ પડે છે. રાજા, જાગીદારોનાં બાળકો પણ પ્રાચીનકાળથી વિદ્યાભ્યાસ માટે ઋષિઓનાં ગુરુકુળમાં જતાં હતાં અને કઠોર શ્રમજીવી દિનચર્યા અપનાવી ભણતાં હતાં. જેવી રીતે સરોવરને પાર કરવાની તક મળતાં તરવૈયાને ઘણો ઉત્સાહ અને આનંદ થાય છે તેવી જ રીતે કષ્ટમય જીવનથી ટેવાયેલા લોકોને નાનીમોટી મુશ્કેલીઓ અને દુઃખો સામે લડવામાં પોતાના પૌરુષ અને ગૌરવના વિકાસની ઉમદા તક દેખાય છે. આનાથી ઊલટું જે લોકો માત્ર સુખ જ ઈચ્છે છે તેઓ સાવ ન ગણ્ય મુશ્કેલીઓમાં પણ ગભરાટ, ચિંતા, બેચેની તથા દુઃખ અનુભવે છે, જાણે કે તેમના માથા પર કોઈ મોટું વજ્ર ન પડ્યું હોય !

મુશ્કેલીઓ પ્રત્યેક માનવીના જીવનમાં આવે છે. તેમનું આવવું જરૂરી છે અને અનિવાર્ય પણ છે. પ્રારબ્ધ કર્મભોગનો બોજો ઉતારવા માટે જ નહિ, પણ માનવીની મનોભૂમિ અને અંતરાત્માને સુદઢ, તીક્ષ્ણ, પવિત્ર, પ્રગતિશીલ, અનુભવી અને વિકસિત કરવા માટે પણ દુઃખો અને મુશ્કેલીઓની જરૂર છે જ. જેવી રીતે પરમાત્મા માનવી પર દયા કરીને કેટલાય પ્રકારની ભેટ, વરદાન આપ્યા કરે છે તેવી જ રીતે દુઃખ અને મુશ્કેલીઓનું આયોજન પણ કરે છે, જેથી માનવીનું અજ્ઞાન, અભિમાન, આળસ, લોભ તથા અપવિત્રતાનો નાશ થાય.

મુશ્કેલીઓ આવવાથી નિરાશ, સૂનમૂન કે કાયર બની જવું અથવા હાથપગ પછાડવા, મોં ફુલાવવું, રડવાનું શરૂ કરી દેવું, પોતાની જાતને કે બીજાને દોષિત ગણવા તે સાવ અયોગ્ય છે. આ તો ભગવાનની એ મહાન કૃપાનું અપમાન થયું, તેના વરદાનનો તિરસ્કાર થયો. આ રીતે તો એ મુશ્કેલી લાભ આપી શકે નહિ. પણ અવળી અસર કરી નિરાશા, કાયરતા, શોક, ગરીબી વગેરેનું કારણ બની જશે. મુશ્કેલી જોઈ ડરી જવું, પ્રયત્ન છોડી દેવો, ચિંતા કે શોક કરવાં એ કોઈ સાચા માનવી માટે શોભાસ્પદ નથી. મુશ્કેલીઓ એક રીતે આપણા પુરુષાર્થ માટે પરમાત્માનો પડકાર છે, જેનો સ્વીકાર કરી આપણે પ્રભુના પ્રિય બની શકીએ છીએ. અખાડાનો ઉસ્તાદ પહેલવાન નવા શિખાઉ વિદ્યાર્થીને કુસ્તીના દાવ શીખવતાં તેને પટકી દઈ દાવપેચ શિખવાડે છે. વિદ્યાર્થી આ રીતે પટકવાથી દુઃખી થવાને બદલે પોતાની ભૂલ સમજી ફરીથી ઉસ્તાદ સાથે લડે છે અને ધીમે ધીમે તે પાકો પહેલવાન બની જાય છે. ઈશ્વરે એક આવો જ ઉસ્તાદ છે, જે મુશ્કેલીઓની લપડાક મારી મારીને આપણી અનેક ભૂલો સુધારી આપણને પૂર્ણતા સુધી પહોંચાડવાની મોટી કૃપા કરે છે.

મુશ્કેલીઓથી ગભરાવવાની કે ડરવાની કોઈ જરૂર નથી. તે તો આ સૃષ્ટિની ખૂબ જ જરૂરી, ઉપયોગી અને અનિવાર્ય ઘટના છે. આનાથી દુઃખી થવાની જરૂર નથી, વ્યાકુળ થવાની પણ જરૂરે નથી અને કોઈના પર દોષારોપણ કરવાની પણ જરૂર નથી. પ્રત્યેક મુશ્કેલીનો પ્રસંગ ટળી ગયા બાદ પરિસ્થિતિઓ સામે ઝઝુમવાનો અને પ્રતિકુળતા હઠાવી અનુકૂળતા ઉત્પન્ન કરવાનો ઉમંગભર્યો પ્રયત્ન નવા સાહસ સાથે ચોક્કસ કરવો જોઈએ. આ પ્રયત્ન આત્માનો ધર્મ છે. એ ચુક્યા એટલે આપણે અધર્મી બન્યા. પ્રયત્નનો મહિમા અપાર છે, મુશ્કેલીઓ દ્વારા જે દુઃખ પડે છે તેની સરખામણીમાં એ ખાસ સમયમાં ચોક્કસ પ્રકારનો પ્રયત્ન કરવાની જે તક મળે છે તેનું મહત્વ વધારે છે. પ્રયત્નશીલતા આત્માની ઉન્નતિનું મુખ્ય સાધન છે અને મુશ્કેલીઓ આ પ્રયત્નશીલતાને ઝડપી ગતિએ વધારી આપે છે.

પ્રયત્ન, પરિશ્રમ અને કર્તવ્યપાલનથી માનવીના ગૌરવ અને વૈભવનો વિકાસ કરે છે. જેઓ આનંદમય જીવનનો રસ ચાખવા માગતા હોય તેમણે મુશ્કેલીઓ સામે નિર્ભય બનીને પોતાના કર્ત્તવ્યપથ પર દ્રઢ બની પ્રયાસ કરવો જોઈએ અને હસતે મોંએ પરિસ્થિતિઓનો સામનો કરવો જોઈએ.

%d bloggers like this: