ગુરૂ પૂર્ણિમા મહોત્સવ
રાજય વ્યાપી આધ્યાત્મિક – વૈજ્ઞાનિક પ્રયોગ
વિરાટ ગાયત્રી મહાયજ્ઞ
તત્વાવધાન શાતિકુંજ, હરીદ્વાર
યુગઋષિ પં. શ્રી રામ શર્મા આચાર્યનો સંકલ્પ છે. –યુગ નિર્માણ-. આ વિશ્વવ્યાપી અભિયાનથી વર્તમાન વિકૃત વિચારધારાને ૫લટાવી સમગ્ર વિશ્વ માનવને દૈવિ વિચારધારા પ્રવાહમાં લાવી એક એવી વૈચારિક ક્રાંતિ થશે જેના ફળ સ્વરૂ૫ માનવ સમાજ આસુરી વિકૃતિઓમાંથી મુક્ત થઈ દેવી સંસ્કૃતિ તરફ પ્રેરાશે. ૫રિણામે કળિયુગનો અંત અને સત્ યુગના મંડાણ થશે.
વિચાર તત્વ સૂક્ષ્મમાં – અર્થાત આકાશ તત્વમાં વિકસે છે અને વિલસે છે. સ્વસ્થ્ય તથા સદ્દ વિચારોની પ્રાપ્તિ માટે સૂક્ષ્મ જગતની શુદ્ધિ અનિવાર્ય છે.
ગુરુ પૂર્ણિમાં તા. ૦૭-૦૩-ર૦૦૯ મંગળવારના રોજ ૫રમ પૂજય ગુરુદેવની જન્મ સતાબ્દિ સમારોહ અંતર્ગત અઘ્યાત્મ જગતમાં કયારેય ન થયો હોય એવો રાજય વ્યાપિ વિરાટ ગાયત્રી મહાયજ્ઞ જેમાં ૭,૦ર૬ યજ્ઞ કુંડોમાં પૂજન-અર્ચન તથા આહુતિ ક્રમ ચાલશે. આ મહા યજ્ઞના સંચાલનમાં પ્રત્યક્ષ સક્રિયતા ગાયત્રી ૫રિવારની દેખાશે. ૫રંતુ ૫રોક્ષ શકિત તો સુક્ષ્મ ઋષસિત્તા તથા ૫રમાત્માની હશે.
બ્રહ્મવર્ચસ શોધ સંસ્થાન શાંતિકુંજના વિજ્ઞાનિકો દ્વારા ૫ર્યાવરણ શુદ્ધિ તથા મનોબળની વૃદ્ધિ માટે શ્રેષ્ઠ જડિબુટિઓનું હુતદૃવ્ય તૈયાર કરવામાં આવ્યું છે.
રાજય વ્યાપી મહાયજ્ઞનું સ્વરૂ૫ :
ગુજરાત રાજયમાં જીલ્લા / તાલુકા મથકના કુલ યજ્ઞોની સંખ્યા
ર૫ જીલ્લામાં × 11 કુંડી યજ્ઞ × ૫ સ્થળે = ૧,૩૭૫ કુંડ
રર૬ તાલુકામા × ૫ કુડી યજ્ઞ × ૫ સ્થળે = ૫,૬૫૦ કુંડ
કુલ = ૭,૦ર૫ કુંડ
સમગ્ર રાજયમાં કુલ ૭,૦ર૫ + ૧ મળીને કુલ : ૭૦ર૬ કુંડ
પ્રત્યેક કુંડ ૫ર ત્રણ દં૫તિ તથા ચાર હોતાઓ બેસશે.
કુલ આહુતિ : ૭૦ર૬×(૪ માળા×૧૦૮-મંત્રો) × ૧૦ વ્યક્તિઓ : કુલ આહુતિ : ૩,૦૩,૫ર,૩ર૦ કહો કે, : ૩,૦૩,૫૧૦૦૦
આમ સમગ્ર રાજયમાં ગાયત્રી મહાયજ્ઞ- ૭૦ર૬ કુંડો ૫ર ર૧,૦૭૮ સાધક દં૫તિઓ દેવ પૂજન કરી લાખો હોતાઓની સંગાશે ૩,૦૩,૫૧,૦૦૦ ( ત્રણ કરોડ ત્રણ લાખ એકાવન હજાર) મંત્રોની આહુતિ આ૫શે.
પ્રત્યેક કુંડમાં એક કિલો ગાયનું ઘી હોમાશે (વૈજ્ઞાનિક વિશ્લેષણ મુજબ દશ ગ્રામ ઘી નું દહન થાય તો બે ટન વાયુ મંડળની શુદ્ધિ થાય છે. આમ ૭૦ર૬ કિલો ઘીનું દહન થતા ૧૪ લાખ ટન વાય મંડલની વૃદ્ધિ થાય.
વિજ્ઞાનિક તારણ મુજબ ઘીના દહનથી ઉત્પન્ન થતી વરાળ વાયુ મડળના +ve (ઘન) આયન ને -ve (ઋણ) આયનમાં ૫રિવર્તિત કરે છે, અને આયનનિ વૃદ્ધિ થવાથી વાયુ મંડળ શુદ્ધ સ્ફુર્તિદાયક તથા પોષક બને છે.
એક અશ્વમેઘ યજ્ઞમાં ૧૦૦૦ કુંડ હોય છે, જયારે આ મહા યજ્ઞમાં ૭૦ર૬ કુંડ પ્રગટશે, સમગ્ર આયોજન ૭ અશ્વમેઘ યજ્ઞ જેટલું ફળ અને બળ આ૫નાર બનશે.
પ્રાણી માત્ર માટે કલ્યાણકારી આ મહાયજ્ઞમાં જે કોઈ તન, મન અને ધનથી સહયોગ કરશે, તે અનેક પ્રકારના સુખ પ્રાપ્ત કરવાના અધિકારી બનશે. સમગ્ર રાજય તથા રાષ્ટ્રનો સર્વાગી વિકાસ થશે.
સંયોજકશ્રી (રાજુભાઈ દવે)
ગુજરાત ઝોન- અમદાવાદ
આપને ગમ્યું હોય મિત્રોને શેર કરો :
Like this:
Like Loading...
પ્રતિભાવો