નાગરિક કર્તવ્ય પાલન જીવનમાં મોટી-મોટી સફળતાઓ, સંભાવનાઓ, ઉપલબ્ધિઓનો આધાર, આપણી જીવવાની રીત પર નિર્ભર છે. આપણે કેવી રીતે ચાલીએ છીએ, ઉઠીએ છીએ, સાર્વજનિક જીવનની આવશ્યક વાતોનું કેટલું ધ્યાન રાખીએ છીએ એના પર આપણા જીવનનું નિર્માણ થાય છે. કોઈ પણ ક્ષેત્રમાં સફળ થવા માટે આ વ્યાવહારિક બાબતોમાં સફળ થવું આવશ્યક છે. જેઓ પોતાના વ્યવહારમાં આ બાબતોનું ધ્યાન રાખતા નથી, બીજાનાં હિત–અહિતનો વિચાર કરતા નથી, સ્વેચ્છાચાર અપનાવે છે તેઓ સમાજદ્રોહી કહેવાય છે. આ રીતે સમાજદ્રોહીઓની નાની નાની બાબતોથી પણ સમાજનું ઘણું અહિત થાય છે. એમનું પોતાનું અહિત નો નિશ્ચિત જ છે.
સડક પર, સાર્વજનિક રસ્તાઓ પર કેટલાક લોકો એવી રીતે ચાલે છે જાણે સડક એમના માટે જ બનાવી હોય, ક્યારેક વચ્ચે, ક્યારેક જમણી બાજુ, ક્યારેક ડાબી બાજુ આગળ પાછળનો તો વિચાર જ કોણ કરે ? પરંતુ થાય છે એવું કે કોઈ પણ વાહન આવવાથી સમતુલા ગુમાવતાં આમ-તેમ ભાગવા લાગે છે અને ગાડી સાથે અથડાઈ પડે છે. આ રીતે થનારી દુર્ધટનાઓ એક સામાન્ય બાબત બની ગઈ છે. થોડી ભૂલને કારણે જીવથી હાથ ધોવા પડે છે. ગાડી તૂટી-ફૂટી જાય છે. નાનક્ડી ભૂલને કારણે બહુ મોટું નુકસાન થઇ જાય છે. એ જ રીતે ઝડપથી વાહન ચલાવનારા પણ લાપરવાહીમાં કોઇથી પાછા પડે એવા હોતા નથી. તેઓ પોતાની સાયકલ, મોટર, સ્કૂટર, આદિ એવી રીતે ચલાવે છે કે દૂર્ઘટના થવામાં વાર લાગતી નથી. સાર્વજનિક જીવન પ્રત્યેની ઉપેક્ષા અને અસાવધાનીની બીમારી મનુષ્યનાં પાળેલાં પશુઓમાં, બાળકો સુધ્ધામાં ફેલાઈ ગઈ છે. લોકો દૂધ પીવાની લાલચમાં પશુ પાળે છે પરંતુ એના ખર્ચથી બચવા માટે પશુઓને અકારણ છોડી મૂકે છે અને આ પશુ બજાર, સાર્વજનિક સ્થાન, રસ્તાઓ, સડકો પર સ્વતંત્ર થઈને ધૂમે છે. અનાજના ઢગલા, ખેતર, શાકભાજીની દુકાનોમાં મોં નાખે છે. બાગની હરીયાળી ફૂલો વગેરેનો નાશ કરે છે. પશુની આ સ્થિતિમાં મનુષ્યનો હાથ છે જે સમય આવ્યે તેઓને પકડી દૂધ દોહીને એને પાછાં છોડી મૂકે છે. આ મામુલી દેખાતી બાબતોમાં – જેનાથી આપણા સમાજ અને રાષ્ટ્રનો નકશો સામે આવે છે – સુધારો કર્યા વિના કામ ચાલે નહીં. આ ગંદી, સ્વેચ્છાચારપૂર્ણ આદતો ભયંકર સાર્વજનિક અપરાધ છે. આપણા સામાજિક સ્વાસ્થ્ય પર એનો કેટલો ખરાબ પ્રભાવ પડે છે એ તો સહજ જ જોઈ શકાય છે. હોસ્પિટલો ઔષધાલયો વધી રહ્યા છે તો રોગી અને બીમારોની સંખ્યા પણ વધતી જાય છે શહેરોમાં રહેનારાઓને તો બીમારીના ઇલાજ માટે પણ ખાવા-પીવાની જેમ જ એક નિશ્ચિત રકમ ખર્ચની યાદીમાં રાખવી પડે છે. આપણી આ ગંદી આદતોને કારણે જ બરાબર સફાઈ થયા પછી પણ શહેરોની સડકો, ગલીઓ, સાર્વજનિક સ્થાનોની કેવી ગંદી હાલત રહે છે એ પ્રત્યેક નગરવાસી જાણે છે. આ ગંદકીમાં રહીને મનુષ્યનાં સ્વાસ્થ્યની કામના કરવી એક વિડંબના છે. સફાઈ માટે સરકાર, નગરપાલિકા કોઈ પણ નિયમ બનાવે, વ્યવસ્થા કરે, પરંતુ આનાથી ત્યાં સુધી સમસ્યાનું સમાધાન થઈ શકે નહીં, જ્યાં સુધી આપણે પોતે જ સફાઈ, સ્વચ્છતા, વ્યવસ્થા, અને સાર્વજનિક નિયમો પર ધ્યાન દઈએ નહીં, આપણી વિભિન્ન ગંદી આદતો સુધારીને બીજાને પ્રેરણા આપવી એક સામાજિક કર્તવ્ય છે. જનસેવાનું આ એક મહાન પાસુ છે. સાર્વજનિક સડકો, બજાર, સ્ટેશન, પ્લેટફોર્મ, પ્રતીક્ષાલય વગેરેમાં સફાઈ કરનારા દિવસમાં બે ત્રણ વાર વાળે છે, સફાઈ કરે છે. પરંતુ કોઈ પણ સમયે જઈને જોવાથી એ સદૈવ ગંદાં અને ધૃણિત જ હોય છે. આનું મુખ્ય કારણ છે આપણા સાર્વજનિક જીવનમાં સફાઈ, શિષ્ટાચારનો અભાવ સાર્વજનિક સડકો, ગલીઓ, રસ્તાને કિનારે રહેનારા લોકો પોતાના મકાનની છત, બારી વગેરેમાંથી જોયા વિના જ ક્ચરો નાખી દે છે ત્યારે કેટલાક લોકોનું એક અસભ્ય સ્વાગત થઈ જાય છે. એનાથી લોકોનાં કપડાં ખરાબ થાય છે. ઘણી વાર અંદર અંદર ગાળાગાળી લડાઈ-ઝઘડા વગેરેની નોબત વાગી જાય છે. ગંદકી વગેરે નાખવાથી રસ્તે ચાલનારાઓની પરેશાની સાથે જ રસ્તામાં ગંદકી એકઠી થઈ જાય છે અને એ જ ગંદકી ચાલનારના પગ, મોટર, સાયકલ ચાલવાથી હવા દ્વારા ઉડે છે અને ચારે બાજુ ફેલાઇ જાય છે. દુકાનોમાં મૂકેલા ખાધ પદાર્થો પર પણ જામે છે. જેનાથી અનેક બિમારીનો ફેલાવો થાય છે. ઘણી વાર લોકો કેળાં, સંતરાં, કેરી વગેરે ખાઇને છોતરાં સડક પર, સાર્વજનિક રસ્તા પર નાખી દે છે. એનાથી કેટલાક લોકો લપસી પડીને પોતાના હાથ પગ તોડે છે. ધણાંને તો એવી ઘેરી ચોટ લાગે છે કે જીવનથી જ હાથ ધોઈ નાખવા પડે છે. આ રીતે લોકોમાં એંઠાં પતરાળાં વગેરે સડકો પર ફેંકવાની આદત પડી ગઇ છે. એનાથી ગંદકી ફેલાય છે. વિષમય જીવાણુ, માખી, મચ્છરને આશ્રય મળે છે જે અનેક લોકોનાં સ્વાસ્થ્યનો નાશ કરે છે. પાન ખાનારા લોકો જ્યારે રસ્તે ચાલતા આજુબાજુ જોયા વિના જ થૂંકની પિચકારી છોડે છે તો આગળ પાછળ ચાલનારા કેટલાકનાં કપડાં ખરાબ થાય છે. એ સાથે જ સડક, સાર્વજનિક સ્થાનોની ફરસ, દીવાલો પર થનારી ગંદકીથી કોઇ પણ સફાઈ પસંદ કરનાર વ્યક્તિનો જીવ બાઈ શકે છે. આ રીતે કફનો ગળફો, થૂંક, નાક, વગેરેની ગંદકી પણ લોકો જ્યાં ત્યાં નાખતાં હિચકાતા નથી. રેલનો ડબ્બા, સિનેમાહોલ, પ્રતીક્ષાલય, ધર્મશાળાઓ વગેરેમાં મનુષ્યની આ અસામાજિક ગંદી આદતોનાં દૃશ્ય સહજ જ જોઈ શકાય છે. મગફળીનાં છોતરાં, બીડીઓનાં ઠૂંઠાં, માચીસ, સિગરેટનાં ખાલી ખોખાં, એંઠા પડિયા, કોડિયાંઓના ટુકડા, ફળોનાં છોતરાં, બાળકોનાં મળમૂત્ર, થૂંક વગેરેની ગંદકી જયાં ત્યાં ફેલાવી દેવી, એ મનુષ્યની ગંદી અસામાજિક આદતોનો પરિચય આપે છે. આ રીતે પોતાના ધુમ્રપાન વગેરે વિભિન્ન શોખને લોકો એવી રીતે સ્વતંત્રતાથી પૂરા કરે છે કે તેઓ એ વિચારવાનો પ્રયત્ન કરતા નથી કે એનાથી એમનાં સ્વાસ્થ્ય, રૂચિ પર કેટલો ખરાબ પ્રભાવ પડશે. આશ્ચર્ય તો ત્યારે થાય છે જ્યારે પ્રાત:કાળે સડકો, ગલીઓની બંને બાજુ બનેલા ખાળ પર લોકો પોતાનાં બાળકોને શૌચનિવૃત્તિ માટે બેસાડી દે છે. કેટલાંક નાનાં બાળકોને તો ગલી વચ્ચે જ બેસાડી દેવામાં, આવે છે, એટલું જ નહીં સહેજ વહેલી સવારે તો પુખ્ત વયના લોકો પણ ખાળમાં શૌચ કરતા જોવામાં આવે છે. શહેરોની ગંદકીમાં લોકોની આ ખરાબ આદતો જ મુખ્ય છે. મંદિર, મસ્જીદ, ગુરુદ્વારા વગેરેને પોતાના પૂજાસ્થળ માનનારા લોકો જ્યારે આ સ્થાનોની આસપાસ જ ટ્ટટી-પેશાબ કરતા જોવા મળે છે ત્યારે એ લોકોની ભક્તિ પર સંદેહ થવા લાગે છે. ભગવાનનાં દર્શન કરનારા દર્શન કરનારા, કલાકો જપ-તપ કરનારા જ્યારે મંદિરોમાં પોતાના પગ વસ્ત્રોના માધ્યમથી ગંદકી લાવે છે, ખૂણેખાંચરે થૂંકે છે, બાળકોને ટ્ટટી-પેશાબ કરવાની છૂટ આપે છે ત્યારે એમની શ્રદ્ધાની ન્યૂનતા સહજ જ પ્રગટ થઈ જાય છે.
મુશ્કેલીઓ આપણી ઉન્નતિમાં મદદરૂપ બને છે ગાયત્રી મંત્રના “ તુર્ ” અક્ષરની વ્યાખ્યા સંકટમાં ધૈર્ય ગાયત્રી મહામંત્રનો ચોથો અક્ષર “તુર્ ‘ આફતોમાં અને આપત્તિઓમાં ધૈર્ય ધારણ કરવાનું શીખવે છે.સામાન્ય લોકો દુઃખોને દુર્ભાગ્ય સમજે છે. જે લોકોએ પૈસેટકે સુખી કુટુંબોમાં જન્મ લીધો હોય છે તેઓ નજીવી અડચણોથી પણ ગભરાઈ જાય છે અને પોતાની બધી ઈચ્છાઓ, બધી આવશ્યકતાઓ કોઈ જાતની અડચણ વિના જ પૂરી થવી જોઈએ એવી આશા રાખે છે.અન્ય લોકો પણ એમને ભાગ્યશાળી ગણે છે, પરંતુ હકીકત કંઈક જુદી છે. જે લોકોએ ક્યારેય જીવનની ચડતીપડતી જોઈનથી તેઓ ઘણી રીતે કાચા રહી જાય છે. એટલે ભગવાને સુખસુવિધાની દુનિયા બનાવી છે દુઃખો અને મુશ્કેલીઓની દુનિયા પણ બનાવી જ છે. તેમનો અનુભવ થયા વિના માનવી અધૂરો રહી જાય છે અને તેનો યોગ્ય વિકાસ થઈ શકતો નથી.
ભગવાનને કરુણાસાગર, દયાસિંધુ કહેવામાં આવે છે. તેમના વરદાન તથા ઉપકારનો કોઈ અંત નથી. સામાન્ય જીવોને જો પોતાના બાળકો પર અપાર મમતા હોય તો પરમાત્માને પોતાનાં બાળકો પર કેટલી મમતા હશે તેની કલ્પના પણ કરી શકાય નહિ. ચિત્રકાર પોતાના ચિત્રને, માળી પોતાના બાગને, શિલ્પી પોતાની બનાવેલી કૃતિને, ખેડૂત પોતાના ખેતરને, ભરવાડ પોતાનાં ઘેટાંને યોગ્ય, પુષ્ટ અને ખુશખુશાલ જોઈને આનંદિત થાય છે, તો પરમાત્મા પોતાની સર્વશ્રેષ્ઠ રચના એવા માનવીને સારી સ્થિતિમાં રાખવા માટે કેમ રાજી ન હોય? આપણે સતત ઉન્નતિ કરતા રહીએ, સુખી બનીએ એવા પ્રયત્નો પરમાત્મા ચોક્કસ કરે છે. તેની દયા અને કરુણા આપણા પર સતત વરસતી રહે છે. આમ છતાં સામાન્ય માનવી દુઃખી હોય છે. તેને અનેક પ્રકારનાં દુઃખ તથા અભાવ સતાવ્યા કરે છે. ભય, પીડા, વિયોગ, ત્રાસ, અન્યાય તથા અભાવથી ત્રાહિમામ્ પોકારી ગયેલા કેટલાય લોકો દયનીય દશામાં દુ:ખસાગરમાં ગોથાં ખાતા જોવા મળે છે. કોઈ કોઈના પર તો એવી ભયંકર આફતો આવે છે કે જોનારાનાં હૃદય પણ કંપી ઊઠે છે. આવા સમયે “પરમાત્મા દયાળુ છે” એ સનાતન સત્ય પર શંકા જાય છે. કેટલીયે વાર દુઃખોને દૈવીકોપ તથા કુદરતની નિષ્ફરતા માનવામાં આવે છે, પણ વસ્તુસ્થિતિ આવી નથી. પરમાત્મા એક ક્ષણભર પણ દયાહીન રહી શકે નહિ. જેને આપણે દુઃખ સમજીએ છીએ તે પણ એક પ્રકારની તેની દયા જ છે. મા’ પોતાના બાળકને અત્યંત પ્રેમ કરે છે અને તેને સુખી કરવા માટે પોતાનાથી બનતું બધું કરી છૂટે છે, છતાં તેનાં ઘણાં કાર્યો એવાં હોય છે કે જે બાળકને પસંદ આવતાં નથી. બાળક કોઈ સ્વાદિષ્ટ ભોજન વધારે ને વધારે ખાવા માગતો હોય, પણ માતા જાણે છે કે વધારે ખાવાથી બાળક બીમાર પડશે, એટલા માટે બાળકના રડવા કકળવા પર, ધમપછાડા કરવા પર ધ્યાન આપ્યા સિવાય, બાળકને માત્ર જરૂરી પ્રમાણમાં જ ખાવાનું આપે છે. અગ્નિ, ચપ્પ જેવાં સાધનો, ફટાકડા વગેરેથી બાળકને દૂર રાખે છે. જો બાળક આવાં સાધનો સાથે રમવા માગે તો પણ તેને બળજબરીથી રોકવામાં આવે છે. ઘરનાં પાળેલાં પશુઓ સાથે પણ તેને રમવા દેવામાં આવતો નથી. બાળક બારીમાંથી કે અગાસીમાંથી બહાર ડોકું કાઢી જોવા માગે તો પણ તેની એ સ્વતંત્રતાને તાત્કાલિક રોકવામાં આવે છે. કોઈ અજુગતું કામ કર્યું હોય તો તમાચો પણ મારવામાં આવે છે અને તેને ડરાવવા માટે ઊઠબેસ કરાવવામાં આવે છે, તડકામાં ઊભો રાખવામાં આવે છે, કોઈ ઓરડી કે બાથરૂમમાં, સંડાસમાં પૂરી દેવામાં આવે છે. બાળક માંદું પડ્યું હોય તો માતા તેને બળજબરીથી કડવી દવા પિવડાવે છે અને તેની વેદનાની ચિંતા કર્યા વિના ઈજેક્શન અપાવવા કે નાનુંમોટું ઓપરેશન કરાવવા – પણ કઠણ છાતી રાખીને તૈયાર થઈ જાય છે. બાળક સમજે છે કે મા કઠોર છે, મને અમુક વસ્તુ આપતી નથી, રમવા દેતી નથી અને મને દુઃખ પડતું હોય ત્યારે મદદ પણ કરતી નથી. પોતાની અલ્પબુદ્ધિને લીધે તે માતા પ્રત્યે પોતાના મનમાં ખરાબ ભાવ લાવી શકે છે. કઠોરતાનો આરોપ લગાવી શકે છે, પણ તેની આ માન્યતા ચોક્કસ ખોટી છે. જો તે માના હૃદયને ઓળખી શકતો હોય તો તેને ખાતરી થાત કે તેમાં કેટલી અપાર કરુણા ભરેલી છે! વાત્સલ્ય કેવું હિલોળા લઈ રહ્યું છે! જ તેનામાં આ વાત્સલ્ય ન હોત તો બાળકના દુઃખના સમયે, પીડાના સમયે પણ પોતાની છાતી કઠણ રાખી શકત? માતાના લાડના બે પ્રકાર હોય છે– એક, જેનાથી બાળક ખુશ થાય છે. જ્યારે બાળકને ચોકલેટ, ટોફી, રમકડાં તથા પહેરવા માટે સારાં કપડાં આપવામાં આવે છે, ફરવા લઈ જવાય છે અથવા કોઈ જાદુગર કે મદારી બતાવવા લઈ જવાય છે ત્યારે બાળક ખુશ થાય છે અને વિચારે છે કે મારી મા ઘણી સારી છે. જ્યારે એ જ માતા આંખમાં મેશ આંજવા બાળકનો હાથ જબરદસ્તીથી પકડી રાખે છે, બળજબરીથી સ્નાન કરાવે છે, ધમકાવી શાળાએ જવા વિવશ કરે છે ત્યારે બાળકને એ જમાતા ગમતી નથી. બાળક એમ સમજતું નથી કે માતા મારી સાથે કોઈવાર મધુર અને કોઈવાર કઠોર વર્તન કેમ રાખે છે?તે માતાના વાત્સલ્ય પર શંકા લાવે છે, હકીકત જાણનાર જાણે છે કે માતા બાળક પર માત્ર ઉપકાર જ કરતી હોય છે. મધુર તથા કઠોર બંને વિરોધી વર્તનમાં પણ માત્ર વાત્સલ્ય જ ભરેલું હોય છે. પરમાત્માની કૃપા પણ ઉપરોક્ત બે રીતે જ વરસતી હોય છે. બંનેમાં આપણું હિત અને પરમાત્માનું વાત્સલ્ય જ ભરેલું હોય છે. આપણી અજ્ઞાનતા આ વસ્તુસ્થિતિને ઓળખવા દેતી નથી, પણ જ્યારે ભગવાનની કૃપા અવતરે, હૃદયમાં બુદ્ધિનો પ્રકાશ થાય છે ત્યારે જ હકીક્તો જાણી શકીએ છીએ. કઠોર અને પ્રતિકૂળ પરિસ્થિતિઓ પણ એકનોખા પ્રકારની ભેટ જેવી છે. તેમનાથી ભયભીત થવાનું અથવા દુઃખી થવાનું કોઈ કારણ રહેતું નથી. સુખથી માનવીને ઘણા લાભ મળે છે, ચિત્ત પ્રસન્ન રહે છે. ઈન્દ્રિયો તૃપ્ત થાય છે, મનમાં ઉત્સાહ રહે છે અને પ્રગતિ કરવાનાં સાધનો મળ્યા કરે છે. ઈચ્છાઓ પૂરી કરવાની સગવડ રહે છે, મિત્રો વધી જાય છે, સાહસ વધે છે તથા માન અને પ્રતિષ્ઠાની તકો આવી પડે છે. દુ:ખના લાભ પણ ઓછા થતા નથી. દુઃખથી છૂટકારો મેળવવા મનના બધા ભાગો એકદમ સતેજ બની ઉપાય શોધવા માંડે છે, શરીર પણ આળસ છોડી કાર્યરત બની જાય છે. ઘોડાને શ્રેષ્ઠ ચાલ શીખવનારો તેને ચાબુક ફટકારે છે; જેનાથી ઘોડો સતેજ બની ઝડપથી ચાલે છે, લગામના ઈશારે ઉત્તમ ચાલ ચાલવાની ટેવ પાડવામાં આવે છે, દુઃખ એક પ્રકારનો ચાબુક છે, જે આપણી શિથિલ પડી ગયેલી શારીરિક અને માનસિક શક્તિઓને એકદમ ઢંઢોળી ક્રિયાશીલ બનાવે છે અને સાથે જ નૈતિકતાનું શિક્ષણ આપી યોગ્ય ચાલ શિખવાડે છે. ફોલ્લો ફૂટી જવાથી અંદર ભરાઈ રહેલું પરુ બહાર નીકળી જાય છે, મળવિસર્જન થવાથી, પેટ-આંતરડામાં એકત્ર થયેલો મળ નીકળી જાય છે. ઉપવાસ કરવાથી જઠરને લગતી ખરાબી દૂર થઈ જાય છે. દુ:ખ આવી પડવાથી સંચિત પાપનો નાશ થઈ જાય છે અને આંતરચેતના અણીશુદ્ધ, નિર્મળ અને હલકી બની જાય છે. સોનાને અગ્નિમાં તપાવવાથી તેની સાથે ચોંટેલા દૂષિત પદાર્થો બળી જાય છે અને શુદ્ધ સોનું પ્રત્યક્ષ થાય છે. માનવીની કેટલીય ખરાબ ટેવો, દૂષિત ભાવનાઓ અને વિચારો પોતે કોઈ મુસીબતમાં ન આવી પડે ત્યાં સુધી છૂટતી નથી. કુદરતની એક લપડાક ખાય ત્યારે જ તેને ભાન આવે છે અને ત્યારે જ તે સુધરી શકે છે. જે જ્ઞાન મોટા મોટા ઉપદેશો પ્રવચનો કે કથાઓ સાંભળવાથી મળતું નથી તે દુઃખોની એક ઠોકર ખાવાથી ઘણી સારી રીતે હૃદયંગમ કરી શકાય છે. આમ ઘણીવારકાળનો એકાદ વિકરાળ પંજો હાર જ્ઞાની ગુરુઓથી પણ મહાન શિક્ષણ આપી જાય છે. સુખમાં જેમ અનેક સારી બાબતો છે, તેવી રીતે એક ઘણી ખરાબ બાબત પણ છે. માનવી એ સુખસાધનોનો ઉપયોગ સત્કાર્યોમાં કરવાના બદલે મોજમજા ઉડાવવામાં, અભિમાનમાં ચકચૂર થવામાં અને સુખના સાધનો વધુને વધુ ભેગાં કરવાના ખરાબ ચક્રમાં ફસાય છે. પોતાના સમયનો મોટો ભાગ તુચ્છ સ્વાર્થમાં જ વેડફે છે અને પરમાર્થ બાબતે સાવ દુર્લક્ષ્ય સેવે છે. આ અધોગતિનીદશામાંથી પોતાના પુત્રને બચાવવા માટે પરમાત્મા તેની પાસેથી ધનસંપત્તિ ઝૂંટવી લે છે. અભ્યાસ માટે ગલ્લાતલ્લાં કરનાર, માત્ર રમકડાંમાં જ રસમય થઈ ગયેલ બાળકનાં રમકડાં માતા ઝુંટવી લઈ સંતાડી દે છે, તેવી જ રીતે પરમાત્મા ધન, સંપત્તિ, સંતાન, પત્ની, વૈભવ વગેરે રમકડાં ઝૂંટવી લઈ આપણને પ્રેરણા આપે છે કે આ રમકડાંની રમતો કરતાં ઘણાં અગત્યનાં કામ આપણા માટે પડ્યાં છે, “રમવાનું છોડી નિશાળે જા” નું શિક્ષણ આપવામાં કેટલીકવાર નુકસાન, મુશ્કેલીઓ તથા દુઃખનું આયોજન પરમાત્મા કરે છે. કેટલાયે ઉચ્ચ આત્માઓ તપ રૂપી દુઃખને પોતાનો પરમ મિત્ર અને વિશ્વકલ્યાણનું મૂળ સમજી સ્વેચ્છાએ છાતીએ લગાડે છે. આનાથી તેઓની કીર્તિ અજરઅમર થઈ જાય છે અને તેમના એ તપનો અગ્નિ, યુગયુગાંતરો સુધી લોકોને પ્રેરણાનો પ્રકાશ આપે છે. હરિશ્ચંદ્ર, પ્રલાદ, શિબિ, મોરધ્વજ, દધીચિ, પ્રતાપ, શિવાજી, ભાગીરથ, ગૌતમ બુદ્ધ, ઈસુ ખ્રિસ્ત, મહાત્મા ગાંધીજી, જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ વગેરે મહામાનવોએ જે દુઃખો સહન કર્યા હતાં તે સ્વેચ્છાપૂર્વક કર્યા હતા. જો તેમણે એ પોતાની ગતિવિધિઓમાં થોડોક ફરક કર્યો હોત તે એ બધાં દુઃખોમાંથી આસાનીથી છૂટી શક્યા હોત, પરંતુ તેમણે જોયું કે એ દુઃખોની સરખામણીમાં તે દ્વારા મળતા લાભો ઘણા વિશેષ છે એટલે તેમણે પોતાના કઠોર માર્ગ પર દઢતાપૂર્વક ચાલવા માંડ્યું. બીજા લોકોને એવો ખ્યાલ હોય છે કે આ મહામાનવો ઘણાં દુઃખો વેઠી રહ્યા છે, પણ જો તેઓ એમની મનોભૂમિ સમજે તો ખ્યાલ આવે કે તેમનો અંતરાત્મા આ બધાં દુઃખો સહન કરવા છતાં પ્રસન્નતા જ અનુભવે છે. ભગવાન જેને પોતાના શરણમાં લે છે, જેને બંધનમુક્ત કરવા માગે છે તેને અનિવાર્ય કર્મભોગો જલદી જલદી ભોગવાવીને ઋણમુક્ત બનાવે છે, જેથી ભવિષ્યમાં કોઈ બંધન ન રહે અને પોતાના ભક્ત ફરીવાર જન્મમરણના ચક્રમાં ફસાવું ન પડે. એક તરફ વિપત્તિ દ્વારા પ્રાધ્ધભોગ પૂરા થઈ જાય છે, તો બીજી બાજુ તેની આંતરિક પવિત્રતા ખૂબ વધી જાય છે. આમ બંને તરફના લાભથી તે ખૂબ ઝડપે પરમ લક્ષ્ય તરફ પ્રગતિ કરે છે. તપસ્વી લોકો આવાં કષ્ટ પ્રયત્નપૂર્વક પોતાના પર આવવા દે છે, જેથી પોતાની લક્ષ્ય પ્રાપ્તિ જલદી થઈ શકે. સામાન્ય રીતે અનેક સગુણોના વિકાસ માટે પરમાત્મા ક્યારેક ક્યારેક આપણને કેટલાય કડવા અનુભવ કરાવે છે. પુત્ર પુત્રીનું અવસાન થતાં તેના શોકમાં “વાત્સલ્યનું” તત્ત્વ એકદમ વધી જાય છે, જેને લીધે પિતા બીજાં બાળકો પર વધુ પ્રેમ કરવાનું શીખી જાય છે. જેની પ્રથમ પત્ની ગુજરી જાય છે તે પોતાની બીજી પત્નીને વધુ સારી રીતે રાખે છે, કારણ કે પ્રથમ પત્નીના મોતથી જે શોક મનમાં પ્રગટ થયો હોય તે દાંપત્યકર્તવ્યો પ્રત્યે તેને સજાગ કરી દે છે. એકનો વિયોગ તેને ખોવાયેલી વસ્તુનું મહત્ત્વ સમજાવી દે છે. ધનસંપત્તિ ગુમાવ્યા પછી માનવી ધનનો સદુપયોગ કરવાનું શીખી જાય છે. બીમાર પડતા માનવી સ્વાથ્ય સંવર્ધન અને સંયમિત આહારવિહારનું મહત્ત્વ સમજી જાય છે ગાળ દેનારને તમાચો પડતાં જ અક્કલ આવી જાય છે કે ગાળ દેવી એ ખરાબ ગુણ છે. જેને અત્યાચાર સહન કરવો પડ્યો છે તે જાણે છે કે જો બીજા પર હું જુલમ કરું તો તેને કેટલું દુઃખ થાય? આપણે જ્યારે મુસીબતમાં હોઈએ છીએ ત્યારે, બીજા આગળ સહાય માટે વીલા મોએ, દીન આંખોથી જ્યારે તાકી રહીએ છીએ અને હાથ લાંબો કરીએ છીએ ત્યારે આપણને ખબર પડે કે બીજા દુઃખીઓને મદદ કરવી એ આપણા માટે કેટલું જરૂરી કર્તવ્ય છે?
ગાયત્રી મંત્રના “ તુર્ ” અક્ષરની વ્યાખ્યા સંકટમાં ધૈર્ય ગાયત્રી મહામંત્રનો ચોથો અક્ષર “તુર્ ‘ આફતોમાં અને આપત્તિઓમાં ધૈર્ય ધારણ કરવાનું શીખવે છે.હંમેશાં મુશ્કેલીઓ સામે લડ્યા કરવાથી માનવીનો આધ્યાત્મિક વિકાસ થાય છે. જે વ્યક્તિ મુશ્કેલીઓથી જેટલી દૂર ભાગે છે તેટલી જ તે પોતાની જાતને નકામી બનાવી દે છે. જે મુશ્કેલીઓને આમંત્રણ આપે છે, સહર્ષ આવકાર આપે છે તે પોતાની યોગ્યતા વધારે છે. માનવીના જીવનની સફળતાનો આધાર તેની ઈચ્છાશક્તિ પર રહેલો છે. જે વ્યક્તિમાં તે બળ જેટલા પ્રમાણમાં હોય છે તેટલા પ્રમાણમાં તે વ્યક્તિ પોતાના જીવનમાં સફળ થાય છે. ઈચ્છાશક્તિનું બળ વધારવા માટે સતત મુશ્કેલીઓનો સામનો કરવો જરૂરી છે. પ્રબળ ઈચ્છાશક્તિ ધરાવતી વ્યક્તિ નવી મુશ્કેલીઓના સમયે ડર્યા વિના જોશથી તેનો સામનો કરે છે. કાયરતાની મનોવૃત્તિ માનવી માટે દુઃખોનો પહાડ સર્જે છે જ્યારે શૂરવીરની મનોવૃત્તિ દુઃખોનો અંત લાવે છે. નિર્બળ મનનો માનવી સદાય અમંગળ કલ્પનાઓ કરતો રહે છે, શુભ કલ્પનાઓ તેના મનમાં આવતી નથી. તે પોતાને ચારે બાજુએથી મુશ્કેલીઓથી ઘેરાયેલો માને છે. આપણા જીવનને સુખી બનાવવાનો એકમાત્ર ઉપાય મુશ્કેલીઓ સામે લડવા સદા તૈયાર રહેવાનો જ છે. મનઃ એવું મનુષ્યાણાં કારણે બધમોક્ષયોઃ મનુષ્યની મુશ્કેલીઓ બે પ્રકારની હોય છે. એક બાહ્ય અને બીજી આંતરિક. સામાન્ય માનવી બહારની મુસીબતો પર ધ્યાન આપે છે, વિરલ માનવી જઆંતરિક મુસીબતો જોઈ શકે છે. હકીકતે માનવીની સાચી મુશ્કેલીઓ તો આંતરિક જ છે, બાહ્ય મુશ્કેલીઓ તો આંતરિક મુશ્કેલીઓની પ્રતિકૃતિ માત્ર છે. કોઈપણ પ્રકારની પરિસ્થિતિ માનવીને લાભ કે નુકસાન પહોંચાડી શકે છે. અનુકૂળ પરિસ્થિતિઓ બૂરાઈનું કામ કરી શકે છે અને પ્રતિકૂળ પરિસ્થિતિઓ ભલાઈનું કામ કરતી જાય છે. જે સ્થિતિ માનવીને ભયભીત બનાવે છે તે હકીકતે તેને નુકસાન કરે છે. પરિસ્થિતિ જો મુશ્કેલ હોય, છતાં માનવી તેનાથી ભયભીત ન થાય તો તે પરિસ્થિતિ તેને નુક્સાન કરવાને બદલે ફાયદો કરી આપે છે. માનવીનું મન આંતરિક ચિંતનથી પુષ્ટ બને છે. જે વ્યક્તિનો કર્તવ્યપાલનનો દૃઢ નિશ્ચય હોય, કર્તવ્ય પૂરું કરવા પોતાનું સર્વસ્વ હોમી દેવા તૈયાર હોય તેને કોઈપણ પરિસ્થિતિ ભયભીત કરી શકતી નથી. માનવીના મનમાં અપાર શક્તિ હોય છે. વ્યક્તિને આ શક્તિની જેટલી જરૂર હોય તેટલી પોતાની અંદરથી જ તેને મળી રહે છે. જે વ્યક્તિ કર્તવ્યપાલન કરતાં કરતાં પોતાની જાતને વધુને વધુ સંકટોમાં નાખતી હોય તે વ્યક્તિ પોતાની અંદર અખૂટ તથા અમાપ શક્તિનો અનુભવ પણ કરી શકે છે. તેને પોતાનાં સંકટો દૂર કરવા અસાધારણ શક્તિ મળી પણ જાય છે. જેમ જેમ આ પ્રકારની આંતરિક શક્તિનો અનુભવ વધે છે તેમતેમ તેની કાર્યક્ષમતા પણ વધ્યા કરે છે. જ્યારે કોઈ વ્યક્તિ પોતાને મુશ્કેલીઓમાં ફસાયેલી માને છે ત્યારે તેને પોતાના કર્તવ્યનું ધ્યાન રહેતું નથી. કર્તવ્યનું ધ્યાન રાખવા છતાં બહારની મુસીબતો ઘેરી વળે છે. મુશ્કેલીઓથી ઘેરાયેલી વ્યક્તિના કર્તવ્ય સંબંધી વિચારો પણ ગૂંચવાયેલા હોય છે. જો કોઈ વ્યક્તિની આંતરિક મુશ્કેલીઓ દૂર થઈ જાય, ગૂંચ ઉકેલાઈ જાય તો બહારની મુશ્કેલીઓ પણ સહેલાઈથી ઉકેલી શકે. બાહ્ય અને આંતરિક મુશ્કેલીઓ અરસપરસ આધારિત છે. માનવીને પોતાની જાતનું જ્ઞાન બાહ્ય મુશ્કેલીઓનો સામનો કરતાં કરતાં થાય છે. જેમ જેમ આ જ્ઞાન વધતું જાય છે તેમ તેમ તે બાહ્ય મુશ્કેલીઓનો સામનો કરવામાં સમર્થ બનતો જાય છે. પ્રત્યેક મુસીબતમાં ભય અનુભવતી વ્યક્તિના મનમાં માનસિક અંતર્લની સ્થિતિ સર્જાય છે, જેને લીધે માનસિક શક્તિનું વિકેન્દ્રીકરણ થઈ જાય છે. મનની અંદરની ઉગ્ર લડાઈને પરિણામે મન નબળું બની જાય છે. આ સ્થિતિમાં જ્યારે બહારની કોઈ ભારે મુશ્કેલી આવી પડે છે ત્યારે માનસિક રીતે વધુ તંગ બની જાય છે. રાષ્ટ્રનાં નાનાં રાજ્યો અંદરોઅંદર લડતાં રહે તો તે રાષ્ટ્ર નબળું પડી જાય છે, તેવી રીતે માનસિક અંતર્કદ્ધવાળી વ્યક્તિનું મન નિર્બળ બની જાય છે અને દરેક પ્રકારની મુસીબતો તેની સમક્ષ આવી જાય છે. જો આવી પરિસ્થિતિઓનો કોઈ દઢતાથી સામનો કરે તો મનની અંદરની મથામણ પણ શાંત બની જાય તથા મન એકાગ્ર થઈ શકે. નવરું મન શેતાનનું કારખાનું બની જાય છે. બાહ્ય મુસીબતોનો સામનો કરતાં કરતાં કેટલીય બીજી મુસીબતો અનાયાસે દૂર થઈ જાય છે. સામાન્ય રીતે માનવીના હાથમાં કોઈ એવું કામ આવી જાય, જેનાથી માત્ર પોતાનું જ નહિ, પરંતુ બીજાનું પણ ભલું થતું હોય તો તે કામ તેણે કરવું જોઈએ. આ કામ પૂરું કરવા જો ત્યાગ કરવો પડે, કષ્ટો સહેવાં પડે તો પણ તૈયાર રહેવું જોઈએ. જે આ પ્રમાણેની ટેવ પાડી દે તો ધીમેધીમે તે પોતાના આધ્યાત્મિક જ્ઞાનમાં પણ વધારો થતો અનુભવશે. જે જ્ઞાન માનવીને ચિંતનથી કે આધ્યાત્મિક સાહિત્ય વાંચવાથી નથી મળતું તે જ્ઞાન વિકટ પરિસ્થિતિઓ સાથે ઝઝૂમવાથી આવી જાય છે. જે માનસિક શાંતિ ભોગવિલાસથી નથી મળતી તે આપત્તિઓ સામે લડતા રહેવાથી મળે છે. મુશ્કેલીઓ સામે લડતા રહેવું તે માત્ર પોતાના જીવનને સફળ બનાવવા માટે જરૂરી નથી, પરંતુ બીજાને પ્રોત્સાહિત કરવા પણ જરૂરી છે. જેવી રીતે માનવીનાદુર્ગુણો આક્રમક હોય છે તેવી જ રીતે સદ્ગુણો પણ આક્રમક જ હોય છે. રણમેદાનમાં સૈનિકો પીછેહઠ કરવા તૈયાર થઈ જાય છે ત્યારે એને દઢતાથી લડતો જોઈ બીજાને પણ પોરસ ચડે છે. બીજની અંદર પણ વીરતા જાગૃત થાય છે. બધા માનવોમાં દરેક પ્રકારના દુર્ગુણો અને સગુણોની ભાવના રહેલી હોય છે. જે પ્રકારના વાતાવરણમાં માનવ રહેતો હોય છે તે વાતાવરણને અનુરૂપ જ તેનામાં માનસિક ગુણો ઉત્પન્ન થાય છે. વિરપુરુષનું ચારિત્ર્યજબીજા માટે ઉદાહરણરૂપ બને છે અને પોતાનું વિરલ ચરિત્ર જ સમાજ માટે મોટા ઉપકાર રૂપ સાબિત થાય છે.
દરેક પરિસ્થિતિમાં આગળ વધો ગાયત્રી મહામંત્રનો ચોથો અક્ષર “તુર્ ‘ આફતોમાં અને આપત્તિઓમાં ધૈર્ય ધારણ કરવાનું શીખવે છે.
માનવજીવન ઉન્નતિ કરવા માટે મળ્યું છે. આમ તે સમગ્ર સંસારમાં સિંહ, હાથી, સાપ વગેરે માનવી કરતાં કેટલાયગણાં શક્તિશાળી પ્રાણીઓ હયાત છે, પણ પોતાનું બૂરું, ભલું લાભ નુકસાન વિચારવાની વિવેકબુદ્ધિ વાપરી ઉન્નતિના માર્ગે આગળ ધપવાની સગવડતો માત્ર માનવીને જ મળી છે. સંસારનાં બધાં જ પ્રાણીઓ કુદરત દ્વારા નિર્મિત એક નાનકડાં જૂથમાં જિંદગી વિતાવે છે. આ વિશેષતા માત્ર માનવીમાં જ છે, જેનાથી તે ઈચ્છાનુસાર નવા નવા રસ્તા શોધી અગમ્ય સ્થળો એ પહોંચે છે અને મહત્ત્વનાં કાર્યો કરે છે. જે લોકો માનવયોનિ મેળવીને પણ ઉન્નતિના માર્ગે આગળ વધી શક્યા નથી તેઓ હકીકતે અભાગિયા છે.
જો મને અમુક સગવડ મળી હોત તો હું આમ કરત” ની વાતો કરનારને શેખચલ્લી જ માનવો જોઈએ. પોતાની નાલાયકીને પોતાના નસીબ કે પરમાત્મા પર ઠોકી બેસાડી પોતે નિર્દોષ બનવા માગે છે. મને અમુક અમુક સગવડ મળી હોત તો અમુક કાર્ય કરત” એ ખોટી માગણી છે. આવી વાતો કરનારને એ પરિસ્થિતિ મળી જાય, છતાં પણ તે ફરી બીજી કોઈ વાતનો અભાવ વરતાશે, જે લોકોને ધન, વિદ્યા, મિત્ર, પદ, હોદો વગેરે મળ્યાં હોય છે એમાંના મોટા ભાગનાનું જીવન ખૂબ જ અસ્તવ્યસ્ત અને અસંતુષ્ટ જ હોય છે. ધન સંપત્તિ હોવા છતાં તેમના આનંદમાં વૃદ્ધિ ન થઈ, પણ ઊલટાની તે ધનસંપત્તિ જંજાળ બની ગઈ. સર્ષવિદ્યા જાણતો નથી તેની પાસે વધારે સાપ ભેગા થઈ જાય, તો તે ખતરનાક સાબિત થાય. જેને જીવનકળાનું જ્ઞાન નથી તેને ગરીબી કે અભાવની પરિસ્થિતિઓમાં પણ થોડોક આનંદ તો મળે છે, પણ જો તે સંપન્ન બની જાય તો ધનદોલતનો દુરુપયોગ કરી પોતાને માટે વધુ આફતો વહોરી શકે છે. જો આપની પાસે આજેમનપસંદ વસ્તુઓ નથી, તો નિરાશ થવાની કોઈ જરૂર નથી. જે કંઈતૂટેલીફૂટેલી સામગ્રી છે તેનાથી તમારું કૌશલ્ય પ્રદર્શિત કરવાનું શરૂ કરો. જ્યારે ચારે બાજુએ ઘોર અંધકાર છવાયેલો હોય છે ત્યારે એક નાનો શો દીવો પોતાના પ્રકાશથી લોકોનું રોકાઈ રહેલું કામ શરૂ કરાવે છે. હજારો રૂપિયાની કિંમતની વસ્તુઓ એમ ને એમ પડી હોય છે અને આ નજીવી કિંમતનો દીપક પ્રકાશવાન હોવાથી પોતાની મહત્તાનો પરિચય કરાવે છે, લોકોનો પ્રિય બને છે, પ્રશંસા મેળવે છે અને પોતાની હયાતીને ધન્ય બનાવે છે. શું દીપક એવાં રોદણાં રડે છે કે મારી પાસે આટલા ડબ્બા કેરોસીન કેતેલ હોત તો વધારે ખૂબ જ મોટો પ્રકાશ આપત ! દીપક પાસે કર્મહીન નાલાયકોની જેમ શેખચલ્લીના વિચાર કરવાની નવરાશ જ નથી. તે તો પોતાની મહત્તાનો પરિચય આપી દે છે. બેશક, એનું કામ નાનું છે, પણ એ નગણ્યતામાં પણ સૂર્ય ચંદ્રના ચમકવા જેટલી જ સફળતાનો અંશ છે. જો આંતરિક સંતોષ, ધર્મ, પરોપકાર દૃષ્ટિથી તુલના કરવામાં આવે તો દીપક અને સૂર્ય-ચંદ્રનું કાર્ય એક સરખું જ છે, બંનેનું મહત્ત્વ સરખું છે, બંનેની સફળતા એક સરખી છે. સાચી વાત તો એ છે કે અભાવની સ્થિતિમાં રહી, મુશ્કેલીઓમાં ઊછરેલી, સાધનહીન વ્યક્તિઓ જ સંસારના નેતા, મહાત્મા તથા મહાપુરુષ બની છે અને તે જ સફળ જીવન જીવી શકી છે. વિપરીત પરિસ્થિતિઓ સાથે ટકરાવાથી તેમની આંતરિકપ્રતિભા જાગૃત થાય છે અને સુષુપ્ત શક્તિઓનો વિકાસ થાય છે. પથ્થર સાથે ઘસાઈને જ ચપુ તેજ ધારવાળું બને છે અને પોતાના કામમાં વધુ ઉપયોગી સાબિત થાય છે, તેવી રીતે વિપરીત પરિસ્થિતિઓ સામે ટકરાવવાથી મનુષ્યનો સ્વભાવ તથા અનુભવ તીક્ષ્ણ બને છે, તે આગળ વધવામાં સફળ થાય છે. આની વિરુદ્ધ, જે લોકો અમીર અને સાધનસંપન્ન ઘરોમાં જન્મે છે તેમને જીવન જરૂરિયાત માટે સંઘર્ષ કરવો પડતો નથી. લાડ, પ્યાર તથા એશઆરામને લીધે તેમની પ્રતિભા નિખરતી નથી, પણ બંધિયાર પાણીની જેમ સડી જાય છે. સામાન્ય રીતે એવું જોવામાં આવે છે કે અમીરનાં છોકરાં પોતાના જીવનમાં નિષ્ફળ જાય છે, જ્યારે ગરીબોનાં છોકરાં આગળ વધી ચમકે છે. પ્રાચીનકાળના રાજા, જાગીરદારો પોતાના પુત્રોને અભાવગ્રસ્ત જીવન દ્વારા શિસ્ત અને કઠોરતાના પાઠ ભણાવવા માટે જ ઋષિઓના આશ્રમમાં મૂકતા હતા. મારું આ બધું કહેવાનું તાત્પર્ય એ નથી કે અમીરી કોઈ ખરાબ ચીજ છે અને તેમનાં ઘરોમાં જન્મેલા બાળકો માટે ઉન્નતિના દરવાજા બંધ થઈ જાય છે. જ્યાં સાધનસામગ્રી છે ત્યાં તો ઝડપી ઉન્નતિ થવી જોઈએ. સુથાર પાસે શ્રેષ્ઠ લાકડું તથા ઉત્તમ ઓજાર હોય તો તે ઉત્તમ ફર્નિચર તૈયાર કરે એ હકીકત જ છે. મારો કહેવાનો અર્થ એ છે કે જો “જિંદગી જીવવાની કળા” આવડતી હોય તો અભાવ, મુશ્કેલી કે વિપરીત પરિસ્થિતિ કોઈ અવરોધ ઊભો કરી શકતી નથી. ગરીબી અને મુશ્કેલીઓમાં જ્યાં સાધનોની ખોટ હોય છે ત્યાં બીજી બાજુ પ્રતિભાને ચમકાવવાનો સારો ગુણ પણ હોય છે. અમીરીમાં સાધનોની છૂટ હોઈ લાડ, પ્યાર તથા એશઆરામને લીધે પ્રતિભા રૂંધાઈ જવાનો મોટો અવગુણ પણ છે. જે જીવન જીવવાનું જાણે છે તે ચાહે અમીર હોય કે ગરીબ, પરિસ્થિતિઓ સાનુકૂળ હોય કે પ્રતિકૂળ, ગમે તેવી મુશ્કેલીઓ હોય છતાં દરેક સ્થિતિમાં તે અનુકૂળતા જ પેદા કરી શકે છે અને ઉન્નતિ, સફળતા તથા આનંદ મેળવી શકે છે. આનંદમય જીવન જીવવા ધન, વિદ્યા, સહયોગ, સ્વાથ્ય વગેરેની જરૂર છે, પણ એમ ન સમજવું જોઈએ કે આ બધાને લીધે જ આનંદમય જીવન જીવી શકાય છે. સારું સાહિત્ય લખવા કાગળ અને પેનની જરૂર છે જ, પણ આ બંને ભેગાં મળે એટલે કંઈ સાહિત્ય રચાઈ ન જાય. લેખકની બુદ્ધિપ્રતિભા જ શ્રેષ્ઠ સાહિત્ય રચનામાં મુખ્ય ભાગ ભજવે છે. કાગળ અને પેન તે ગૌણ બાબત છે. જેનામાં સાહિત્ય રચનાની શક્તિ છે તેનું કામ રોકાઈ નહિ જાય, પેન અને કાગળ તે ઘણી સરળતાથી એકત્ર કરી લેશે. આજ દિન સુધી એવો કોઈ કિસ્સો બન્યો નથી, જેમાં કોઈ લેખકે એમ કહ્યું હોય કે શું કરું, મારી પાસે કાગળનહતો. જો હોત તો મેં શ્રેષ્ઠ ગ્રંથ લખી નાખ્યો હોત, તો તેની વાત કોણ માનશે? કાગળ કે પેન એ કોઈ અપ્રાપ્ય કે દુર્લભ વસ્તુ નથી, જે કોઈ લેખકને ન મળી શકે. એક કહેવત છે, “નાચવું નહિ ત્યારે આંગણું વાંકું નાચતાં આવડતું નથી એ છુપાવવા નાચનાર કહે છે કે “શું કરું? મારે નાચવું તો ઘણું છે પણ આ આંગણું વાંકુંચૂકું છે ને!” આંગણું ગમે તેવું વાંકુંચૂકું હોય, છતાં જેને નાચવું જ હોય તેને કોઈ અડચણ નડતી નથી. આ રીતે જીવનવિદ્યા જાણે છે તેને સાધનોના અભાવ કેવિપરીત પરિસ્થિતિઓ અંગે ફરિયાદ કરવાની જરૂર હોતી નથી. સાધનો વગર પ્રગતિ થઈ જ ન શકે એવું હોતું નથી. હોશિયાર પુરુષ વિષમ સ્થિતિમાં પણ અનુકૂળતા શોધી લે છે, ઝેરને અમૃત બનાવી દે છે. સોમલ, ઝરકચોળુ, ગુગળ, હરતાલ વગેરેમાંથી પણ ધતૂરા લોકો રોગનાશક તથા તાકાત આપનારાં રસાયણો શોધી કાઢે છે. રેતીમાંથી યે ચાંદી અને કોલસામાંથી હીરા કાઢે છે, ધરતીનાં કઠણ પડોને ખોદી ઠંડું પાણી મેળવી શકે છે, ઘૂઘવતા સમુદ્રના પેટાળમાં જઈ મોતી લઈ આવે છે.દષ્ટિફેલાવી જુઓ, તમારી ચારે બાજુએ એવા કલાકારો પડેલા જણાશે કે જે તુચ્છ વસ્તુઓમાંથી મહત્ત્વની વસ્તુઓ બનાવે છે. એવા વીર પુરુષોની ખોટ નથી, જેમણે વજ જેવી કઠણ પરિસ્થિતિઓમાં ઝંપલાવી વિજયમાળા પહેરી હોય. જો આપની ઈચ્છા સહેજ બળવત્તર હોય તો આપ પણ આ કલાકારો તથા વીર પુરુષોની કક્ષામાં આજની જોડાઈને આજની વિપરીત પરિસ્થિતિઓને અનુકૂળ બનાવી શકો છો. આપની બધી ફરિયાદો, ચિંતા તથા મજબૂરી સરળતાથી સંતોષ, આશા અને સમર્થતામાં ફેરવાઈ શકે છે.
વિપત્તિ આવી પડતાં પાંચ રીતે વિચારો ગાયત્રી મહામંત્રનો ચોથો અક્ષર “તુર્ ‘ આફતોમાં અને આપત્તિઓમાં ધૈર્ય ધારણ કરવાનું શીખવે છે.
(૧) મુશ્કેલીઓ તમારાં પોતાનાં જ કર્મોનું ફળ છે અને ભોગવી લેશો તો કર્મના એક કઠોર બંધનામાંથી મુક્ત થશો. (૨) મુશ્કેલીઓ તમારા વિશ્વાસની પરીક્ષા છે. તેમનાથી ગભરાશો નહિ, તો પરમાત્માની કૃપા તમને મળશે જ. (૩) મુશ્કેલીઓ મંગળમય પરમાત્માનુંજવિધાન છે અને તેમનું વિધાન કલ્યાણકારી જ હોય છે. આ મુશ્કેલીઓમાં પણ આપનું કલ્યાણ જ રહેલું છે. (૪) મુક્લીઓના રૂપમાં જે કંઈ તમને મળ્યું છે તે એ રીતે મળવાનું હતું, નવું કંઈજ બનતું નથી. પરમાત્માનું પહેલેથી નક્કી કરેલું દશ્ય સામે આવે છે. (૫) જે શરીરને, જે નામને અને જે નામ તથા દેહના સંબંધને સાચો માની તમે મુશ્કેલીઓથી ગભરાતા હો છો, તે દેહ, નામ અને સંબંધ હતો પણ આજે તેની સાથે તમારે કોઈ લેવાદેવા નથી. આવી જ હાલત આજની સ્થિતિની છે, તો પછી વિપત્તિઓમાં ગભરાવું તે મૂર્ખતા જ છે, કારણ કે મુશ્કેલીઓની અનુભૂતિ માત્ર દેહ, નામ અને તેના સંબંધોના કારણે જ થાય છે. જીવનના બચ્યા વ્યાપારોની જેમ મુશ્કેલીઓ અને આપત્તિઓનું આવવું જવું સ્વાભાવિક છે. તેમને ખરાબ કે સારી માનવી તેનો આધાર આપણી મનોવૃત્તિ પર રહેલો છે. હકીકતમાં મોટાભાગની આપત્તિઓ માનવીને તેની ભૂલો બતાવવા અને કંઈક પાઠ શીખવવા આવે છે. એટલા માટે માનવીનું કર્તવ્ય છે કે કોઈપણ સંજોગોમાં, ગમે તેવી મોટી આફત આવે તો પણ ક્યારેય ધીરજ ન ગુમાવવી અને શાંત ચિત્તથી તેના નિવારણનો પ્રયત્ન કરવો. આમ કરવાથી આપત્તિઓ નુકસાન કરવાને બદલે એકંદરે લાભકારી સાબિત થશે.
ધૈર્ય એક મહત્ત્વનો ગુણ છે ગાયત્રી મહામંત્રનો ચોથો અક્ષર “તુર્ ‘ આફતોમાં અને આપત્તિઓમાં ધૈર્ય ધારણ કરવાનું શીખવે છે.
આ સંસારમાં તો વિપરીત પરિસ્થિતિઓ કે મુશ્કેલીઓ સ્વાભાવિક રીતે જ આવવાની. જ્યારે આપણે કોઈ મહત્ત્વનું કામ કરી રહ્યા હોઈએ ત્યારે તો અનેક મુસીબતોનો સામનો કરવો પડશે એમ અનિવાર્યપણે સમજવું જોઈએ. કેટલીયે વ્યક્તિઓ આવા જ ભયથી કોઈ ભારે કામ હાથમાં લેતી જ નથી. બનવા જોગ છે કે આમ કરવાથી તેઓ જીવનમાં મોટી આપત્તિઓથી બચી શકે, પણ તેઓ કોઈ પ્રકારની પ્રગતિ કે ઉન્નતિ પણ કરી શકતા નથી. એક તત્ત્વદર્શીની નજરે તેઓનું જીવન કીડીમંકોડા કરતાં સહેજે ય ચડિયાતું નથી.
જેણે શરીર ધારણ કર્યું છે તેણે સુખદુઃખ બંનેનો અનુભવ કરવો જ પડશે. પ્રાણીઓને કાયમ દુઃખ કે સુખ પ્રાપ્ત થતું નથી. જો આ વાત સાચી જ હોય તો દુઃખમાં વધારે ઉદ્વિગ્ન રહેવાનો અર્થ ખરો? દુઃખ સુખ શરીર સાથે જોડાયેલાં જ છે. આપણે ધીરજ રાખી સુખ અને દુ:ખ નિહાળવાં જોઈએ. જેઓ આ રહસ્યને પામ્યા છે તથા ધીરજ ધારણ કરી છે તેઓ જ આ સંસારમાં સુખી ગણાય. ધીરજની પરીક્ષા સુખ કરતાં દુઃખમાં જ વધારે થાય છે. દુઃખોની ભયંકરતા જોઈ વિહવળ બની જવું એ પ્રાણીઓનો સ્વભાવ છે, પરંતુ જેઓ આવા સમયે પણ ડગતા નથી, સ્થિતપ્રજ્ઞ રહે છે તે પુરુષસિંહ’ ધીરજવાન કહેવાય છે. આપણે અધીરા કેમ બનીએ છીએ? આનું એકમાત્ર કારણ આપણા હૃદયની નબળાઈ જ છે, બીજું કંઈ નહિ. બધાં એ હકીકત જાણે જ છે કે આ સૃષ્ટિમાં બ્રહ્માજીથી માંડીને નાનકડાં કીડી મકોડા સુધીના જીવોમાંથી કોઈપણ જીવ સંપૂર્ણ રીતે સુખી પેદા થયો નથી. બધાને કોઈ ને કોઈ પ્રકારનું દુઃખ આવે જ છે, છતાં દુઃખ આવતાં માનવી વ્યાકુળ થઈ જતો હોય તો તે તેની નબળાઈનહિતો બીજું શું છે? મહામાનવોના માથે શીંગડાં ઊગેલાં હોતાં નથી. તેઓ પણ આપણી જેમ જ બે હાથ અને બે પગવાળા સાડા પાંચ ફૂટ લાંબા માનવીઓ જ છે, છતાં તેમનાં એ વિશેષતા છે કે આપણી જેમ તેઓ દુઃખ આવી પડતાં અધીરા થતા નથી. દુઃખોને પ્રારબ્ધ સમજી ખુશીથી પ્રસન્નવદને સહન કરી લે છે. જો દુઃખોથી ડરી જાત તો પાંડવો કૌરવોના ગુલામ જ બન્યા હોત, મોરધ્વજ પુત્રના શોકમાં દુઃખી થઈ મરી ગયો હોત, હરિશ્ચંદ્ર રાજા રાજલાભમાં પોતાનાં વચનોમાંથી ફરી ગયા હોત, શ્રી રામચંદ્રજી જંગલનાં દુઃખોની ભયાનકતાથી ગભરાઈ અયોધ્યાયમાં જ રહી ગયા હોત, શિબી રાજાએ શરીરનાં અંગો કપાવવાના દુઃખથી ડરી જઈ કબૂતર બાજને હવાલે કરી દીધું હોત, તો આ બધાંના નામ અત્યાર સુધી કોણ જાણી શક્યું હોત? તેઓ પણ અસંખ્ય માનવોની જેમ કાળના પ્રવાહમાં નાશ પામ્યા હોત ! પણ તેમનાં નામ માત્ર તેમની ધીરજને લીધે આજે પણ જીવંત છે. આપણા પ્રિયજનના વિયોગથી આપણે અધીરા થઈ જઈએ છીએ કારણ કે તે આપણને છોડીને જતો રહ્યો છે. આ માટે અધીરા બનવાથી કેવી રીતે કામ ચાલશે? શું તે આપણી અધીરાઈ જોઈ પાછો આવશે? જો ન આવે તો આપણી અધીરાઈ નકામી જ છે. જેણે જન્મ ધારણ કર્યો છે તેણે એક દિવસ તો મરવાનું જ છે. સમગ્ર સૃષ્ટિના પિતા બ્રહ્માજી છે, ચરાચર સૃષ્ટિ તેમના વડે જ ઉત્પન્ન થઈ છે. તેમનું આયુષ્ય સમાપ્ત થતાં તેઓ પણ નહિ રહે, કારણ કે તેઓ ભગવાન વિષ્ણુના નાભિકમળમાંથી ઉત્પન્ન થયા છે. એટલે મહાપ્રલય વખતે તેઓ વિષ્ણુના શરીરમાં જ સમાઈ જાય છે. જન્મનારનો નાશ થાય જ છે એ અટલ સિદ્ધાંત જાણતા હોવા છતાં, આપણે પ્રિયજનના મૃત્યુ બદલ શોક શા માટે કરીએ છીએ? તે મરવાનો તો હતો જ, આજે નહિ તો કાલે, કાલે નહિ તો પરમ દિવસે. કોઈ શાશ્વત રહ્યું નથી, તો પછી પ્રિયજન ક્યાંથી શાશ્વત રહેવાનો છે? જ્યાંથી આવ્યા હતા ત્યાં ચાલ્યા ગયા. એક દિવસ તમારે પણ જવાનું જ છે, બાકી દિવસો છે તે દરમિયાન એ ગુણોના ભંડાર, કરુણાસાગરનું ચિંતન કરતાં કરતાં ધીરજથી વિતાવો. શરીરમાં બીમારી આવી પડતાં જ આપણે બાવરા થઈ જઈએ છીએ. આ રીતની વ્યાકુળતા બતાવ્ય કોઈ રોગમુક્ત થયું છે? આ શરીર દુઃખદર્દીનું ઘર છે. લિંગભેદ, ઉંમર, કર્મફળ વગેરે સાથે લઈને જ શરીર ઉત્પન્ન થયું છે. પૂર્વજન્મનાં જે કર્મફળ છે તે તો ભોગવવાં જ પડશે. દાન, પુણ્ય, જપ, તપ વગેરે અવશ્ય કરવાં જોઈએ. કર્મફળ પૂરું થવાનું કારણ આ દાન, તપ, પુણ્ય કે દવા હોઈ શકે છે. વિના કારણે કોઈ કામ થઈ શકતું નથી. તમને શી ખબર કે તમારી વ્યાધિ, તમારું દુઃખ, દૂર થવાનું કારણ શું હતું? એટલે આપણાં શાસ્ત્રોએ બતાવેલા ઉપાયો પણ કરવા જ જોઈએ. સાથે સાથે ધીરજ પણ ધરવી જોઈએ. ધીરજથી તમે વ્યાધિઓના ચક્રમાંથી સુખરૂપે છટકી શકશો. જીવનજરૂરી વસ્તુઓ જ્યારે મળતી નથી ત્યારે આપણે અધીરા થઈ જઈએ છીએ. આવતી કાલે ભોજન માટે અન્ન નથી, પત્નીની સાડી ફાટીને સાવ ચીંથરું થઈ ગઈ છે, બાળક ભયંકર બીમારીમાં પટકાયો છે, તેમ છતાં દવાદારૂની કોઈ સગવડ થઈ નથી. શું કરું? ક્યાં જાઉં? આવા વિચારોમાં વિહવળ બની જઈ રાતની રાત રડીને પૂરી કરીએ છીએ અને આપણી આંખો પણ સૂઝી જાય છે. આવું કરવાથી ન તો કાલ માટે અનાજ આવી શકે છે ન તો સ્ત્રી માટે નવી સાડી આવી શકે છે, કે બાળકની તબીયત પણ સુધરી જતી નથી. આપણે એમ ન વિચારવું જોઈએ કે માત્ર આપણા પર જ આવાં દુઃખ આવી પડે છે. આફતોનો શિકાર કોને બનવું પડ્યું નથી? ત્રણે ભુવનના નાથ ઈન્દ્ર બ્રહ્મહત્યાના ડરથી વર્ષો સુધી અંધારામાં પડ્યા રહ્યા. ચક્રવર્તી મહારાજા હરિશ્ચંદ્ર ચંડાળને ત્યાં નોકરી કરતાં સ્મશાને પડી રહ્યા, તેમની પત્ની પોતાના એના એક બાળકને અગ્નિદાહદેવા કફન પણ ન મેળવી શકી. જગતના આદિ કારણ, મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રજીને ૧૪ વર્ષ સુધી ઘોર જંગલોમાં રહેવું પડ્યું. તેઓ પોતાના પિતા ચક્રવર્તીમહારાજા દશરથને મુઠ્ઠીભર લોટનું પિંડદાન પણ ન કરી શક્યા અને જંગલી ફળોથી જ પિંડદાન કરવું પડ્યું. કોઈપણ શરીરધારી એવો નથી, જેણે મુસીબતોનાં કડવાં ફળોનો સ્વાદ ચાખ્યો ન હોય. અનિવાર્ય કર્મફળના સ્વાદથી બધા જ પરિચિત છે, તો પછી આપણે અધીરા શા માટે બનીએ છીએ? આપણી આ અધીરાઈથી આપણાં પત્ની, બાળકો પણ દુઃખી થશે. એટલે આપણે ધીરજ ધરી શા માટે તેઓને આશ્વાસન ન આપીએ? જે થવાનું છે તે થશે જ. બસ, વિવેકી અને અવિવેકીમાં આટલો જ ફરક હોય છે. વૃદ્ધત્વ, માંદગી અને મુશ્કેલીઓ બંને પ્રકારના લોકોને આવે જ છે, પણ વિવેકી તેને અનિવાર્ય માની ધીરજથી સહી લે છે અને અજ્ઞાની વિદ્વવળ બની મુશ્કેલીઓ વધાર્યા જ કરે છે. મહાત્મા કબીરજીએ આ સંદર્ભે ખૂબ જ સચોટ વાત કરી છે: જ્ઞાની કાટે જ્ઞાનસે, અજ્ઞાની કાટે સેવા મૌત, બુઢાપા, આપદા, સબ કાહૂકો હોય જે ધીરજનો સહારો નથી લેતો, તે ગરીબ થઈ જાય છે અને ઓશિયાળો બની જાય છે. આનાથી તે વધુદુઃખી થાય છે. સંસારમાં ઓશિયાળા બનવું, બીજા પાસે યાચના કરવી, આજીજી કરવી તેનાથી મોટું દુ:ખ કયું છે? એટલા માટે ધીરજ ધારણ કરવી જોઈએ અને વિપત્તિનાં મૂળ શોધી તેમનો નાશ કરવો જોઈએ. તેમ જ સગવડ વધારવાના સાચા પ્રયત્નો કરવા જોઈએ. જેટલી શક્તિ અધીર બની દુઃખી થવામાં વપરાય છે તેનાથી અડધી શક્તિ પણ પ્રયત્ન કરવામાં ખર્ચીએ તો આપણી મોટાભાગની મુશ્કેલીઓ દૂર થઈ જાય.
મુશ્કેલીઓ નિવારવાનાં કેટલાંક સોનેરી સુત્રો ગાયત્રી મહામંત્રનો ચોથો અક્ષર “તુર્ ‘ આફતોમાં અને આપત્તિઓમાં ધૈર્ય ધારણ કરવાનું શીખવે છે.
મુશ્કેલીઓથી ગભરાશો નહિ, વિપત્તિ કડવી તો હોય છે, પણ યાદ રાખો કે કરિયાતું અને લીમડા જેવી કડવી વનસ્પતિથી જ તાવનો નાશ થઈ શરીર નિર્મળ બને છે. – વિપત્તિમાં ક્યારે પણ નિરાશ ન થાઓ. યાદ રાખો, અનાજ પકવી સંસારને સુખી કરનાર વરસાદ કાળાં વાદળોમાંથી જ વરસે છે. હકીકતમાં જેઓ વિપત્તિથી ડરે છે તેને જ તે વધારે દુઃખ આપે છે. જેનું મન દઢ હોય, સંસારની અનિત્યતાનો અનુભવ કરતું હોય અને જે દરેક વાતમાં ભગવાનની દયા માનીને નીડર રહેતો હોય તેના માટે વિપત્તિ ફૂલોની પથારી સમાન છે. જેમ રસ્તામાં દૂરથી પહાડ જોઈને પથિક ગભરાઈ જાય કે હું કઈ રીતે આ પહાડ ઓળંગી શકીશ? પણ નજીક પહોંચતાં, પહાડ ઓળંગવાની શરૂઆત કરતાં તે પાર કરવો એટલો અઘરો લાગતો નથી. આ જ હાલતવિપત્તિઓની છે. માનવી દૂરથી તેમને જોઈને ગભરાઈ જાય છે અને દુઃખી થાય છે, પણ જ્યારે વિપત્તિઓ ખરેખર આવી પડે છે ત્યારે ધીરજ ધરવાથી નજીવું નુકસાન કરીને તેઓ જતી રહે છે. જેમ શિલ્પી દ્વારા ઘડાયા વિના મૂર્તિ સુંદર બની શકતી નથી તેવી રીતે વિપત્તિઓથી ઘડાયા વિના માનવીનું હૃદય સુંદર બનતું નથી. વિપત્તિ પ્રેમની કસોટી છે. વિપત્તિમાં આવી પડેલા ભાઈભાંઓ પ્રત્યે તમારો પ્રેમ વધે અને તે આપને નિરભિમાની બનાવી આદર ભાવથી તેમની સેવા કરવા મજબૂર કરી દે તો સમજજો કે તમારો પ્રેમ સાચો છે. આ રીતે તમારા પર વિપત્તિ આવી પડતાં તમારા ભાઈભાંડુ અને મિત્રોના પ્રેમની પરીક્ષા થઈ શકે છે. કાળાં વાદળોના અંધકારમાં જ વીજળીનો ચમકારો છુપાયેલો રહે છે. વિપત્તિ એટલે દુઃખ પછી સુખ, નિરાશા પછી આશા અને પાનખર પછી વસંત એ સૃષ્ટિનો નિયમ છે. યાદ રાખો કે જ્યાં સુધી સુખના એકધાર્યા રસને વિપત્તિનો ઊંડો આઘાત નથી લાગતો ત્યાં સુધી જીવનના યથાર્થ સત્યનો પરિચય થતો નથી.
મુશ્કેલીઓની ચિંતા ના કરો ગાયત્રી મહામંત્રનો ચોથો અક્ષર “તુર્ ‘ આફતોમાં અને આપત્તિઓમાં ધૈર્ય ધારણ કરવાનું શીખવે છે.
કેટલાય લોકો આપત્તિઓથી એટલા બધા ભયભીત રહે છે કે જાતજાતની સાચી-ખોટી વિટંબણાઓની કલ્પના કરી પોતાનું જીવન ત્રાસમય બનાવી દે છે. જો વિચારપૂર્વક સમજવા માગીએ તો ભૂતકાળમાં બની ગયેલી ઘટનાઓ અને ભવિષ્યના ડર કે ભય માટે વ્યાકુળ થવું નિરર્થક છે, પરંતુ આવી વ્યક્તિઓ સામાન્ય રીતે વર્તમાનને અવગણીને ભૂતકાળની ઘટનાઓનાં જ રોદણાં રોયા કરે છે અથવા ભવિષ્યમાં આવનારી મુશ્કેલીઓની કલ્પના કરીને ડર્યા કરે છે. આ પ્રકારની પ્રવૃત્તિઓ બુદ્ધિના દેવાળાનો અને ડરપોકપણાનો જ પરિચય આપે છે. જૂની કે નવી, કોઈ પણ આપત્તિ માટે ચિંતા કરવી બધી રીતે નુકસાનકરાક છે. આમાં આપણી મોટા ભાગની શક્તિ વેડફાઈ જાય છે અને આપણે આપણી સમક્ષ ઊભેલી વર્તમાન સમસ્યાઓ ઉકેલવામાં પણ નિષ્ફળ જઈએ છીએ.
મનમાં ઘર કરી ગયેલી દુઃખદ યાદો અને ડરામણા ભવિષ્યની આશંકાથી ઉત્પન, માનવમાત્રનું સત્યાનાશ વાળનાર, તેની માનસિક, શારીરિક તેમજ આધ્યાત્મિક શક્તિઓનો નાશ કરનાર દુષ્ટ મનોવિકાર, ચિંતા જ છે. એકવાર આ માનસિક રોગના રોગી બની ગયા બાદ માનવી એમાંથી ઘણી મુશ્કેલીથી છુટકારો મેળવી શકે છે, કારણ કે વધુ સમય રહેવાથી આ કલ્પનાઓ ગુપ્ત મનમાં જટિલ માનસિક ભાવનાગ્રંથિની જેમ પડી રહે છે. આ કેન્દ્રમાંથી જ આપણી શારીરિક અને માનસિક ક્રિયાઓનું સંચાલન થાય છે. ટેવ પડી જવાથી ચિંતા નિરાશાનું રૂપ ધારણ કરી લે છે. આવી વ્યક્તિ નિરાશાવાદી બની જાય છે. તેનું સંપૂર્ણ જીવન નીરસ, નિરુત્સાહી અને અસફળતાઓથી જ ભરેલું હોય છે. ચિંતાનો પ્રભાવચેપીરોગના જેવો ઝેરી હોય છે. જ્યારે આપણે ચિંતાતુર્વ્યક્તિના સંપર્કમાં રહીએ છીએ ત્યારે આપણે પણ એ નિરાશાનું તત્ત્વ ખેંચી લઈ આપણું જીવન પણ નિરુત્સાહી બનાવી દઈએ છીએ. કેટલીય વ્યક્તિઓ કહ્યા કરે છે, “ભાઈ ! હવે હું થાકી ગયો છું. કંટાળી ગયો છું. હવે પરમાત્મા મને બચાવી લે તો સારું.” તેઓ એવાં રોદણાં જ રોયા કરે છે. “હું ઘણો અભાગિયો છું, ગ્રહો અવળા છે, હું ગરીબ છું, હું તનતોડ મહેનત કરું છું, પણ ભાગ્ય સાથ આપતું નથી.” આવી ચિંતા કરનાર વ્યક્તિ એમ નથી જાણતી કે આ રીતે રોદણાં રડવાથી આપણે આપણા હાથ વડે જ ભાગ્યને નંદવી રહ્યા છીએ, ઉન્નતિ રૂપી ચાંદને કાળાં વાદળોથી ઢાંકી દઈએ છીએ. એક સુપ્રસિદ્ધ વિદ્વાનનું કથન છે, “આપના જીવનમાં અનેક પ્રકારની દુઃખદ, કડવી તથા મનને ખૂંચતી યાદો દબાઈને પડી છે. તેમાં કેટલાય પ્રકારની બેવકૂફી, અશિષ્ટતા, મૂર્ખતાભર્યા કાર્યો ભરેલાં હોય છે. આપના મનમંદિરના દરવાજા તેમના માટે બંધ કરી દો. તેમની દુઃખભરી પીડા, વેદના તથા હાહાકારનો કાળો પડછાયો વર્તમાન જીવન પર ન પડવા દો. મનના ઓરડામાં આ લાશોને, ભૂતકાળનાં મડદાંને દફનાવી દો. આવી જ રીતે મનનો એ ઓરડો પણ બંધ કરી દો, જેમાં ભવિષ્ય માટેનો ખોટો ભય, શંકાઓ તથા નિરાશાભરી કલ્પનાઓ ભરેલી છે. આ નહિ જન્મેલા ભવિષ્યને પણ મનની ઓરડીમાં દફનાવી દો. તમે માત્ર આજની ચિંતા કરો. મદમસ્ત, ઉલ્લાસપૂર્ણ “આજ આપની અમૂલ્ય સંપત્તિ છે. તે તમારી પાસે છે. તે આપનો મિત્ર છે. “આજ” ને ઓળખો, તેની સાથે ખૂબ રમો, કૂદો, મસ્ત રહો અને તેને વધુને વધુ આનંદમય બનાવો. “આજ” જીવિત ચીજ છે. “આજમાં એ શક્તિ છે, જે દુઃખદ ભૂતકાળને ધરબી દઈ ભવિષ્યના અંધકારના ખોટા ભયનો નાશ કરી શકે છે.” આ કથનનો અર્થ એવો નથી કે ભવિષ્ય માટે કોઈ યોજના જન બનાવવી કે કંઈ વિચારવું જ નહિ. અર્થ એટલો જ છે કે આવનારી કાલ માટે વ્યર્થ ચિંતા કરવાથી આપણો હેતુ સરશે નહિ, પણ પોતાની સમગ્ર બુદ્ધિ, કુશળતા, તર્ક અને ઉત્સાહથી આજના કાર્યને સર્વોત્તમ બનાવવા સંનિષ્ઠ પ્રયત્નો કરવાથી આ હેતુ પાર પડશે. જો આપણે “આજ” નું કામ કર્તવ્ય સમજી સંપૂર્ણ એકાગ્રતા અને લગનથી પૂરું કરીએ, તો આપણે “કાલ” ની ચિંતા કરવાની જરૂર નહિ રહે. આ રીતે તમે ઉજ્વળ ભવિષ્ય બનાવી શકો છો. ખ્રિસ્તી ધર્મમાં એક પ્રાર્થના આવે છે, જેનો થોડોક અંશ આ પ્રમાણે છે, “હે પ્રભુ! મને આજનું ભોજન આપો! મારી આજ સમૃદ્ધ બનાવો” યાદ રાખો કે આ પ્રાર્થનાનો સ્પષ્ટ અર્થ એ છે કે આજે મને ભોજન, આનંદ તથા સમૃદ્ધિ આપો. આમાં ન તો વીતી ગયેલ કાલ બાબતે ફરિયાદ છે કે ન તો આવનારી કાલ માટે યાચના કેડર છે. આ પ્રાર્થના “આજ”(વર્તમાન) નું મહત્ત્વ સ્પષ્ટ કરે છે. જો આપણે આજને આદર્શ બનાવીએ, તેનો વધુને વધુ આનંદ લૂંટીએ તો આપણું ભવિષ્યનું જીવન જાતે જ ઉન્નત બનશે. હજારો વર્ષ પૂર્વે એક ગરીબ તત્ત્વવેત્તા એવા વેરાન પર્વતીય પ્રદેશમાં ફરતા હતા, જ્યાં લોકોનો જીવનનિર્વાહ ઘણી મુશ્કેલીઓથી થતો હતો. એક દિવસ એમણે સ્થાનિક નિવાસીઓને એકઠા કર્યા અને નાનકડું પ્રવચન આપતાં જણાવ્યું, “કાલની ચિંતામાં રત આત્માઓ! કાલની ચિંતા, ભય અને અંધકારમાં સોનેરી વર્તમાનને શા માટે હોમી રહ્યા છો? કાલ તેની જાતે પોતાની ચિંતા કરશે. જો તમે “આજ” સર્વોત્તમ આનંદ, સંતોષ અને આદર્શ રીતે પૂરી કરશો તો તે શ્રેષ્ઠ જ છે. પરમેશ્વર જાતે તમારા ભવિષ્યને ઉજ્જવળ બનાવવાના પ્રયત્નોમાં રત છે.” મહાપુરુષ ઈસુએ કહ્યું છે, “કાલની ચિંતા ન કરો,”પરંતુ આનો વાસ્તવિક અર્થ ઘણા ઓછા લોકો જાણે છે. કાલની ચિંતા ન કરો! તમે કહેશો કે એકઈરીતે શક્ય છે? અમારે કુટુંબ છે, એમાં બાળકોનું શિક્ષણ, કપડાં, ભોજનનિર્વાહની મૂંઝવણો છે, થોડાં વર્ષોમાં બધાંને પરણાવવાનાં છે, પૈસા એકઠા કર્યા વિના કેવી રીતે કામ ચાલશે? અમારે વીમા પોલીસીમાં પૈસા રોકવા જોઈએ ! આજે નોકરી પર છીએ, કાલે તે છૂટી પણ જાય! આજે તંદુરસ્ત છીએ, કાલે બીમાર પડીએ તો કઈ રીતે કામ થાય? ઘડપણમાં અમારું શું થશે? આ પ્રકારની વાતો ઠીક છે. એક વિચારશીલ મગજમાં આવા વિચાર આવવા જોઈએ. મારો મત છે કે તમે “કાલ’ને શક્તિશાળી બનાવવા, યોગ્ય, સ્વસ્થ અને આર્થિક રીતે સંપન્ન બનવા માટે નવી યોજનાઓનો અમલ કરો. ભાવિ જીવન માટે શક્ય એટલી બધી જ તૈયારી કરો, પરિશ્રમ, વેપાર, મિલનસાર સ્વભાવ વગેરેથી સમજમાં આપનું સ્થાન બનાવો, પણ ચિંતા ન કરો. યોજના બનાવી દૂરદર્શિતાનો પરિચય આપી તેને પૂરી કરવી એ એક વાત છે અને ચિંતા કરવી એ બીજી વાત છે. ચિંતાથી હાથમાં શું આવશે? ઊલટું જે રહી સહી તાકાત અને માનસિક સ્વસ્થતા છે તે પણ નાશ પામશે. ચિંતા તમારા ઉત્સાહ, શક્તિ અને આનંદને પાંગળાં બનાવી દેશે. જે મુશ્કેલીઓ અથવા અવરોધોને તમે તમારી પોતાની શક્તિથી સરળતાથી જીતી શકતા હતા તે તમને પહાડ જેવાં મોટાં દેખાશે. ચિંતા આપની સામે એક એવો અંધકાર ઉત્પન્ન કરશે, જેનાથી પરમાત્માએ આપના અંગ પ્રત્યંગમાં છુપાવેલા ગૂઢ શક્તિ કેન્દ્રનું આપને જ્ઞાન જ નહિ થાય. યુદ્ધ, બીમારી, દેવાળું કે દુઃખદ મૃત્યુના અંધકારમય રુદનમાં, શુભચિંતન અને અશુભ ચિંતનમાં માત્ર આ જ ફરક છે, કાર્યકારણનાં ફળોને તર્કની કસોટીએ ચકાસે તે વિચાર શુભ વિચાર છે તે દૂરનું જુએ છે અને કેવા કાર્યથી ભવિષ્યમાં કેવું ફળ મળશે તેનો ક્યાસ કાઢી ભાવિ ઉન્નતિની યોજનાઓ બનાવે છે. સર્જનાત્મક વિચાર ભવિષ્યનિર્માણમાં જૂની ભૂલની સજાના કડવા અનુભવો અને સંસારની અડચણોને ધ્યાનમાં રાખીને આપની ઉન્નતિ માટે યોજનાઓ આપી શકે છે. શુભ ચિંતનમાં છુપાયેલા સાંસારિક અનુભવોના બળે ઉત્સાહ અને આશાના ફુવારા ઊડે છે. કાર્યનિષ્ઠા અને સાહસનું બળ જન્મે છે. આ જ શક્તિ અને કૌશલ્યનો પવિત્ર યોગ છે. કામથી ગભરાઈને નાસી જવાનો નહિ, પણ કોયડાઓ ઉકેલી અપૂર્વ સહનશક્તિનો પરિચય આપવાનું વિધાન છે. ખરાબ વિચારધારાની શરૂઆત જ ડર અને ગભરાટથી થાય છે. મુશ્કેલીઓ આવી રહી છે, આપણે ન કરેલું કામ કરવું પડશે, પૈસા તથા સાધનો આપણી પાસે નથી, શું કરવું? આવી ફાલતુ કપોલકલ્પનાઓ શક્તિ અને ઉત્સાહનો નાશ કરી દે છે. માનસિક સંતુલન નાશ પામે છે. ઈચ્છાશક્તિ અને મનોબળ પાછલી ભૂલોની યાદથી અને દુઃખદ અનુભવોથી નાશ પામે છે પશ્ચાત્તાપ અને આત્મગ્લાનિના અંધકારમાં આવી વ્યક્તિ પોતાની રહીસહી શક્તિ પણ ગુમાવી દે છે. આ ખરાબ કલ્પનાઓ ચિંતા જેવી રાક્ષસીનાં જ સંતાનો છે. આજકાલ પાગલો માટેના દવાખાનામાં માનસિક રોગના એવા દરદીઓ આવે છે, જેમાંના મોટાભાગના ચિતાના ભારને લીધે જ મગજ ગુમાવી બેઠા હોય છે. તેમના મનમાં વીતેલા જીવનના ભયાનક, દુર્ઘટનાપૂર્ણ ભૂતકાળનો હૃદયદ્રાવક હાહાકાર, કલ્પના અને મૂંગું રુદન હોય છે. પ્રિયજનના મૃત્યુનો આઘાત પીડાયુક્ત અને અસહ્ય વેદનાભર્યો હોય છે. હજારો લાખો રૂપિયાના નુકસાનનું દુઃખ હોય છે. સમાજ દ્વારા થયેલી માનહાનિની પીડા હોય છે. સમાજ, અધિકારીઓ, જડ રૂઢિઓ કે પોલીસ દ્વારા આચરાયેલા અત્યાચાર વિરુદ્ધનો વિદ્રોહ હોય છે. કેટલાય એવા જડતથા નિરાશાવાદી થઈ ગયા હોય છે, જાણે કે તેમના આનંદનું ઝરણું સુકાઈ ન ગયું હોય! આ અનુભવોના આધારે તેઓ ભવિષ્યના ભયથી ઉત્પન્ન દુષ્ટ પ્રવૃત્તિઓના શિકાર બને છે. પોતાની પ્રતિકૂળતાના ખરાબ વિચારો તેમના અંતઃકરણની ઉત્તમમાં ઉત્તમ યોજનાઓને ક્ષણભરમાં ધૂળમાં મેળવી દે છે. તેઓ માનવીની માનસિક શક્તિઓનો નાશ કરી ચિંતામાં ફસાવી દેનાર ભયંકર મહારાક્ષસ છે. ચિંતા એ ભયનું પ્રથમ સંતાન છે. આ યાદો અને અંધકારમય ભવિષ્યનાં ડરામણાં સ્વપ્નોનું વંદયુદ્ધ માનસિક રોગોના રૂપમાં પ્રગટ થાય છે. કોઈને ન કહેવાય અને ન સહેવાય તેવી આશંકાઓ, ખરાબ ચિંતાઓ તથા ખરાબ કલ્પનાઓ માનસિક રોગોના રૂપમાં પ્રગટ થઈને જ રહે છે.
પરમ પૂજ્ય ગુરૂદેવે નવસર્જન અભિયાનને ગતિશીલ બનાવવા, ઉજ્જ્વળ ભવિષ્યની સંરચના કરવા માટે, સુસંસ્કારી વ્યક્તિઓના નિર્માણ અને વિકાસ કરવાની અનિવાર્ય આવશ્યકતા અનેક વાર દર્શાવી છે. વ્યકિતત્વ નિર્માણના કાર્યમાં ધર્મતંત્ર દ્વારા લોકશિક્ષણના અંતર્ગત આવતી સંસ્કાર પ્રક્રિયા અસાધારણ મહત્વ ધરાવે છે. આ અભિયાનને વેગવંતુ બનાવવાનાં સૂત્રો અંગે ચર્ચા કરતાં પૂજ્ય ગુરૂદેવે કહ્યું હતું –
આવતા ચરણમાં સમાજની અંદર સંસ્કાર અભિયાન વધુ ઝડપથી ચાલશે. સમાજની આવશ્યકતા પૂરી કરવા માટે મોટી સંખ્યામાં સંસ્કાર સંપન્ન કરાવનારા પુરોહિતોની જરૂર પડશે. દૈવી ચેતનાના પ્રભાવથી વિપુલ સંખ્યામાં પ્રતિભા સંપન્નોમાં એવી ભાવનાઓ અને ઉમંગો જાગશે કે જે એમને ઓછા – વત્તા પ્રમાણમાં પુરોહિતોનું ગૌરવશાળી કાર્ય કરવા માટે બાધ્ય કરશે. તેઓ સાંસારિક વ્યસ્તતા, લોભ – મોહથી દૂર રહીને પોતાનો સમય અને શ્રમ આ કાર્યમાં લગાડશે, પરંતુ સંસ્કૃત ભાષાનું પ્રાથમિક જ્ઞાન ન હોવાથી એમને પ્રચલિત પદ્ધતિથી કર્મકાંડ કરાવવામાં મુશ્કેલી પડશે. આ મુશ્કેલીને દૂર કરવા ઉત્પન્ન થનારી માંગને અનુરૂપ મોટી સંખ્યામાં સેવાભાવી પુરોહિતોને તૈયાર કરી શકાશે. ”
ઉપરોક્ત ઉદ્દેશની પૂર્તિ માટે એમણે કર્મકાંડ માટે શ્લોકપ્રેરક મંત્રોના સ્થાને સૂત્ર મંત્રોના પ્રયોગની વિધિ ફરીથી વિકસિત કરી છે. પ્રાચીન કાળમાં સૂત્ર પદ્ધતિ અત્યંત લોકપ્રિય થઈ પડી હતી. કાળાન્તરે સમયના પ્રભાવે શ્લોક પદ્ધતિ પ્રચલિત થઈ ગઈ. હવે યુગની આવશ્યકતાને અનુરૂપ ફરીથી સૂત્ર પદ્ધતિને સ્થાપિત કરવાનું આવશ્યક બની ગયું છે. એટલે જ પૂજ્ય ગુરૂદેવે આગલાં ચરણ રૂપે દીપ-યજ્ઞ તથા સંસ્કારો માટે સૂત્ર પદ્ધતિને વિકસિત કરીને આપી છે
અસામાન્ય લોકપ્રિયતા પ્રાપ્ત કરી ચૂકી છે. હવે વિવાહ, અંત્યેષ્ટિ અને મરણોત્તર ( શ્રાદ્ધ ) સંસ્કારો સિવાય અન્ય સર્વ સંસ્કારોને, સૂત્ર મંત્રોને પ્રાધાન્ય આપીને સંક્ષેપમાં પ્રસ્તુત કરવામાં આવી રહ્યા છે. આવશ્યકતા અનુસાર ઉચિત સ્થાનોએ સુગમ શ્લોકોનો પ્રયોગ પણ વિવેકપૂર્ણ રીતે કરવામાં આવ્યો છે. પ્રયોજાયેલા શ્લોકો પણ અત્યંત લોકપ્રિય અને સુગમ છે. માટે સંસ્કૃત ન જાણનારા સુશિક્ષિત પરિજનો પણ એમને થોડાઘણા મહાવરાથી સફળતાપૂર્વક પ્રયોજી શકશે.
અત્યારે એમાં સામાન્ય પ્રકરણ તથા સંસ્કારો સાથે સંબંધિત પ્રેરણાઓ – ટિપ્પણીઓ સાંકળવામાં આવી નથી. એ આપણી પૂર્વ પ્રચલિત કર્મકાંડની પુસ્તિકાઓમાં જ છે અને પરિજનો એમનો ઉપયોગ કરે જ છે. માટે પ્રારંભમાં માત્ર વિશિષ્ટ કર્મકાંડ, આવશ્યક કાર્ય નિર્દેશો અને સૂત્ર મંત્રો સંક્ષેપમાં આપવામાં આવ્યા છે. થોડા સમય પછી યુગ યજ્ઞ પદ્ધતિની જેમ જ સામાન્ય પ્રકરણ અને ટિપ્પણીઓ સહિત યુગ સંસ્કાર પદ્ધતિ છાપવામાં આવશે.
ક્રમ વ્યવસ્થા : –
કોઇપણ સંસ્કાર કરાવવા માટે સમય અને પરિસ્થિતિને અનુરૂપ યજ્ઞ અથવા દીપયજ્ઞની સાથે આ સંસ્કાર કરાવી શકાય છે. પ્રારંભમાં અનુક્રમે : મંગલાચરણ, ષટ્કર્મ, તિલક અને રક્ષા સૂત્ર ( સૂત્ર બંધન ) પછી કળશ પૂજન, દેવપૂજન, સ્વસ્તિવાચન વગેરે કર્મકાંડ કરાવવા. ત્યાર પછી સંસ્કારનાં વિશેષ કર્મકાંડો કરાવવા. પ્રત્યેક ક્રિયા સાથે સંકળાયેલા સૂત્રો ગુજરાતીમાં સમજાવીને સંસ્કૃતમાં બોલવા, જે તે ક્રિયા સાથે નિર્ધારિત મંત્રો બોલવા. ત્યાર પછી અગ્નિસ્થાપન કરાવીને યજ્ઞ અથવા દીપયજ્ઞની આહુતિઓ આપવી. ગાયત્રી મંત્રની આહુતિઓ પછી પાંચ આહુતિઓ મહામૃત્યુંજય મંત્રની આપવી.
પૂર્ણાહુતિ પહેલાં સંસ્કાર વિશેષનો સંકલ્પ કરાવવો. પ્રત્યેક સંસ્કાર સાથે જોડાયેલ જવાબદારીઓને પૂર્ણ કરવાનું વ્રત યજમાન પરિવારના પરિજનો લઇ શકે એવી વ્યવસ્થા સંકલ્પ ક્રમમાં કરવામાં આવી છે. સંકલ્પ બોલાવીને પૂર્ણાહુતિ સંપન્ન કરાવવી. સંકલ્પોને ધારણ કર્યા વગર સંસ્કારની પ્રેરણાઓને જીવનમાં અપનાવ્યા વગર સંસ્કાર પૂર્ણ થતા નથી. માટે પૂર્ણાહુતિ તો સંકલ્પમય જ હોવી જોઈએ.
જો દીપયજ્ઞ હોય, તો સંકલ્પના અક્ષત, પુષ્પ દીપના પૂજાસ્થાન પર અર્પિત કરાવવા જો યજ્ઞ હોય તો સંકલ્પ કરાવીને એ જવાબદારીના બોધ સાથે પૂર્ણાહુતિ કરાવવી. બધા સંસ્કારોમાં આ જ પ્રકારનો ક્રમ રાખવો.
આ વિધીનો પ્રયોગ શાંતિકુંજનાં શપથ સમારોહની સાથે શરૂ કરી દેવાયો છે. સુત્રો બોલાવવાથી સંસ્કાર કરાવનારાના અંતરમાં અધિક ઉમંગો ઉદ્ભવે છે અને સિદ્ધાંતોને સમજવા યાદ રાખવામાં સુગમતા રહે છે. અમને વિશ્વાસ છે કે ગુરૂકૃપાથી સંસ્કાર મહોત્સવોમાં પ્રયુક્ત થઈને આ વિધી સંસ્કાર ક્રાંતિના ક્ષેત્રમાં અભૂતપૂર્વ સિદ્ધ થશે
ત્યાર પછી ગાયત્રી મંત્ર બોલતાં બોલતાં પ્રથમ માતાએ બાળકને પિતાના હાથમાં આપવું, પિતાએ કુટુંબના વડીલોને આપવું અને વડીલોએ ઉપસ્થિત રહેલા પાડોશી વગેરે પરિજનોને આપવું
( ૭ ) બાલપ્રબોધન :
આચાર્ય બાળકને પોતાના ખોળામાં લઈને એના કાન નજીક નીચે પ્રમાણે બોલે –
(૨) સૂત્ર : ૐ કલાં સંવેદનશીલતાં ચ વર્ધયિષ્યામિ | (બાળકમાં કલાત્મકતા અને સંવેદનશીલતાનો વિકાસ કરીશું ) ત્યાર પછી મંત્ર બોલતાં બોલતાં એ પૂજાની વેદી પર મૂકાવી દેવાં.
સૂત્ર ૐ વિદ્યાસંસાધનમહત્વં સ્વીકરિષ્યે | (વિધાવિકાસનાં સાધનોની ગરિમાનો અનુભવ કરતા રહીશું.) ત્યાર પછી સ્લેટ, પેન ક્લમ અને પુસ્તક પર મંત્રોચ્ચારણપૂર્વક મૂકાવી દેવાં.
( ૫ ) અક્ષર લેખન – પૂજન : – માતા – પિતાએ હાથમાં પેન કે કલમ લઈને બાળકનો હાથ પકડીને પહેલાં સૂત્ર બોલાવવું.
સૂત્ર : ૐ નીતિનિષ્ઠાં વર્ધયિષ્યામિ | (બાળકમાં નીતિ પ્રત્યે નિષ્ઠાની વૃધ્ધિ કરતા રહીશું.) ત્યાર પછી ગાયત્રી મંત્ર બોલતાં બોલતાં ૐ ભૂર્ભુવ : સ્વ :’ લખાવવો અને એના પર ચોખા, પુષ્પ ચડાવી દેવા,
અહીં યજ્ઞ- દીપયજ્ઞની પ્રકિયા જોડવી
(૬) સંકલ્પ અને પૂર્ણાહુતિ : – ઘરના મુખ્ય સભ્યો તથા બાળકોના (જેમના સંસ્કાર થઇ રહ્યા છે) હાથમાં ચોખા – પુષ્પ – જળ આપીને સંકલ્પ સૂત્ર બોલાવવા. ત્યાર પછી પૂર્ણાહુતિનો કમ સંપન્ન કરવો.
સૂત્ર – ૐ દ્વિશરીરં એકપ્રાણં ભવિષ્યામિ | ( અમે બે શરીર – એક પ્રાણ બનીને રહીશું
ત્યાર પછી ફૂલ, ચોખા, ધરો, હળદર અને દ્રવ્ય, આ પાંચ વસ્તુઓને પતિ – પત્નીના દુપટ્ટીમાં બાંધીને કોઈ વડીલ મહિલા કે પુરુષે ગ્રંથિ બંધન કરવું. બધા લોકોએ ગાયત્રી મંત્ર બોલવો.
(૨) પાણિગ્રહણ – પતિ – પત્ની બંનેએ પોતાના હાથમાં ચોખા – પુષ્પ લઈને સૂત્ર બોલીને એ પ્રમાણેની ભાવનાઓ કરવી.
સૂત્ર : ૐ પરસ્પરં સમ્ભાવયિષ્યામિ | (એક બીજાને સન્માન આપીને સુયોગ્ય બનાવીશું.) ત્યાર બાદ બંને મિત્રોની જેમ મંત્રોચ્ચારણમાં સૂર પૂરાવે
મર્યાદાઓનું પાલન કરો પ્રત્યેક માણસમાં એક મૌલિક ઇચ્છા કામ કરે છે અને તે છે સુખ-શાંતિની ઇચ્છા. પોતાના સુખની ઇચ્છા થવી એ માણસની મૌલિક વૃત્તિ છે. માનવજીવનમાં સુખ-પ્રાપ્તિની આ ઇચ્છા બે પ્રકારે વ્યક્ત થાય છે. એક પ્રકારના માણસો સ્વયં પોતાની જાતને કેન્દ્રમાં રાખી જે રીતે સુખ, આનંદ મેળવી શકાય એને માટે પ્રયત્ન કરે છે. જાતજાતની સામગ્રી એકત્રિત કરે છે. એશઆરામના કેટલાક માર્ગ શોધી કાઢે છે અને એમના ઉદ્દેશમાં થોડા સફળ પણ થાય છે. આ પ્રકારના લોકોની સામે કે જેઓ પોતાના જ સુખમાં કેન્દ્રિત રહે છે. બીજાઓની સ્થિતિનું કંઇ મહત્વ હોતું નથી. એમના સુખોપભોગને કારણે બીજાઓને માટે ઊભા થતા કષ્ટનું પણ એમને કોઈ મહત્ત્વ હોતું નથી.
બીજા પ્રકારના માણસો જીવનમાં ઉપલબ્ધ સુખનો બીજાઓ માટે ત્યાગ કરે છે. બીજાઓને સુખી બનાવવામાં જ એમને સુખ મળે છે, આનંદ અને સંતોષ પ્રાપ્ત થાય છે. સુખી હોવાનું આ બીજું રૂપ છે. એને માટે માણસ જીવનમાં એ આદર્શોને સ્વીકારે છે જે બધાને સારા લાગે, જેમનાથી બધાંને સુખ મળે. પોતાનું પ્રત્યેક કાર્ય, આચરણનું મૂલ્યાંકન તે વ્યક્તિગત રીતે ન કરતાં સમષ્ટિગત સ્તરે કરે છે. બીજાઓને પોતાની જેમ જુએ છે. પોતાનું મૂલ્યાંકન પણ એ રીતે જ કરે છે જેવું બીજાનું કરે છે. પોતાનું આચરણ, સ્વભાવ, વૃત્તિઓનો સુધાર પણ એવી રીતે જ કરે છે જેવું તે બીજાંઓ પાસેથી ઈચ્છે છે. આ સ્વરૂપ માણસમાં નૈતિકતા અને ધર્મવ્યવસ્થાનો મૂલાધાર છે, જેમાં જીવનનો આધાર વ્યક્તિગત નહીં, પરંતુ સમષ્ટિગત હોય છે. આ જ સમાજ વ્યવસ્થાની આધારશિલા છે. આ સહયોગ સહ- અસ્તિત્વ, સંગઠન, આત્મીયતા માનવતાના વિકાસનું કેન્દ્રબિંદુ છે. એનાથી ઉલટું, વ્યક્તિગત લાભનો અનુચિત સ્વાર્થભાવ જ અનૈતિકતા અને અધાર્મિકતા છે અને મનુષ્ય તથા સમાજના વિકાસની ગતિનો અવરોધક છે. મનુષ્યના પોતાના જીવનમાં રોગ, શોક, કલેશનું કારણ પણ તે છે. મનુષ્યની નૈતિક સીમાઓ એની સફળતાની સીમાઓ છે. એ એટલું સ્પષ્ટ સત્ય છે કે કોઈ વ્યક્તિના નૈતિક સ્તરને જાણીને એની સફળતા અથવા અસફળતાનું સાચેસાચું પરિણામ એવી રીતે બનાવી શકાય જેમ ગણિતના સિદ્ધાંતોને આધારે કોઇ સવાલનો જવાબ આપી શકાય છે, જેવી રીતે આકાશમાં ફેંકેલી વસ્તુનું જમીન પર પાછા આવવું એ સત્ય છે તેમ સારું કે ખોટું કર્મ પણ પાછું વળીને કર્તા પર આવે છે. પ્રત્યેક અનૈતિક કાર્ય પરાજય, અસફળતા, લક્ષ્યથી જવામાં પરિણમે છે. એનાથી ઊલટું પ્રત્યેક નૈતિક કાર્ય, સમૃદ્ધિ, સફળતા અને લક્ષ્યપ્રાપ્તિના સુંદર ભવનનું નિર્માણ કરે છે. કોઇ પણ વ્યક્તિ, પરિવાર, સમાજ કે રાષ્ટ્રનું ઉત્થાન એની નૈતિક શક્તિ અને જ્ઞાનના વિકાસથી જ થાય છે. એનાથી ઊલટું, નૈતિક પતન જ પરાભવનું પતનનું મુખ્ય કારણ છ. અનૈતિકતા એ જ વિનાશનું બીજું નામ છે. નૈતિકતા સર્વત્ર નિર્માત્રી, ધાત્રીનું કામ કરે છે. કોઈ પણ ખરાબ કામ કરતી વખતે માણસનું હૃદય ધક્-ધક્ કરવા લાગે છે. રક્તસંચાર વધી જાય છે. એના પગ લથડવા લાગે છે. શરીરમાં પસીનો છૂટી જાય છે. એવું લાગે છે કે જાણે કોઇ રોકી રહ્યું છે. કોઈ પણ ખરાબ કામ કરતાં આત્મા ધિક્કારવા લાગે છે. મનુષ્યનું મન આત્મગ્લાનિ, પાશ્ચાત્તાપમાં ડૂબી જાય છે. આ બધુ નૈતિકભાવોને કારણે જ થાય છે જે એની અંદર અંતઃકરણમાં રહેલા છે. આ નૈતિકતાનો ભાવ મનુષ્યના બાહ્મમનની વસ્તુ નથી. નૈતિકતાના અવાજને તર્ક, બુદ્ધિ, ચાતુર્ય શાંત કરી શકતાં નથી. નૈતિકતા માણસની ચેતનાનું અંગ છે, જે કોઇ કૃત્રિમ પ્રયત્નનું પરિણામ નહીં, પરંતુ જીવાત્માના એક લાંબા સમયનો સંસ્કાર, અભ્યાસ અને સૃષ્ટિમાં કામ કરી રહેવા દૈવી વિધાનનો વ્યાપક નિયમ છે. નૈતિકતાની અવહેલના કરવાથી સામાજિક અથવા રાજનૈતિક ન્યાય વ્યવસ્થા અનુસાર માણસને વિભિન્ન રુપોમાં દંડ મળે છે. સરકાર અને સમાજના દંડથી માસ કોઈક રીતે બચી શકે છે, પરંતુ નિયતિના વિધાનથી બચી શકતો નથી. એનો નિર્ણાયક ક્યાંય બહાર નથી, સ્વયં મનુષ્યની અંદર વિધમાન હોય છે. એની ચારેય બાજુ અને સર્વત્ર હોય છે. આંતરિક અથવા બાહ્ય પરિસ્થિતિની ગૂંચો-વિપરીતતાઓમાં જે ક્લેશ, કષ્ટ તેમજ દુ:ખદ અનુભૂતિઓ થાય છે તે ઉપર કહેલા બંને પ્રકારના બાહ્ય દંડોથી પણ વધુ કષ્ટદાયક છે. નૈતિકભાવ, અંતરાત્માના અવાજની વિરુદ્ધ આચરણ કરવાથી માણસને આત્મા વિચારવા લાગે છે જેનાથી માનસિક શક્તિઓ, ઇચ્છાશક્તિ નિર્બળ થવા લાગે છે અને માણસ ગરીબ બની જાય છે. આંતરિક જીવનની જ છાયા, માણસના બાહ્યજીવન ઉપર પડે છે. આ રીતે આંતર-બાહ્ય બધી રીતે માણસ દીનહીન બની જાય છે. માણસ પોતાની ચાલાકી, શબ્દચાતુર્ય અને વિવિધ પ્રયત્નો દ્વારા પોતાનાં અનૈતિક કાર્યોને છુપાવવાનો અસફળ પ્રયાસ કરે છે. બાહ્ય જગતમાં તે સફળ થાય પણ ખરો, પરંતુ પરમાત્માને છેતરી શકતો નથી. કેટલીક વાર માણસ પોતાની ધર્મ-બુદ્ધિ, નૈતિક અવાજને દબાવવા, પાપને ભૂલવા માટે મનગમતા તર્ક અને વિચારોનું અવલંબન લે છે અને પોતાના આચરણોના ઔચિત્યને સિદ્ધ કરીને મનમાં સંતુષ્ટ થવાનો પ્રયત્ન કરે છે, પરંતુ નિયતિનો નિયમ બીજી જ રીતે પાપનો દંડ અને એના પ્રકાશિત થવાનો માર્ગ ઊભો કરે છે. સૂક્ષ્મ દૃષ્ટિથી જોતાં દુ:ખ, શોક, હાનિ, પીડા, ક્લેશની આડમાં માણસનાં અનૈતિક કાર્યોનું પરિણામ મળે છે. બીજાંઓની ઊંધ હરામ કરનાર ચેનથી સૂઇ શકતા નથી. ચોર, લૂંટારા, ઝૂંડા તસ્કરને ઘેર વસાવીને સુખ શાંતિનું જીવન પસાર કરતા જોયા નથી. આજે નહીં તો કાલે, મોડું વહેલું અનૈતિકતાનું પરિણામ દુ:ખદાયી અને વિનાશકારી જ હોય છે. વ્યક્તિત્વનો આધારસ્તંભ નૈતિકતા છે. એના સહારે જ સમૃદ્ધિ આવે છે. નૈતિક આદર્શોની પ્રાપ્તિ જ સમૃદ્ધિ, વિકાસયુક્ત જીવનના સત્યની પ્રાપ્તિ છે. એના દ્વારા જ મનુષ્ય આનંદ, સ્વાતંત્ર્ય, શક્તિ, સાહસ પ્રાપ્ત કરે છે. જો માણસ નૈતિક સિદ્ધાંતો અનુસાર કાર્ય કરતો રહે તો જીવનમાં આવનારી અનિશ્ચિત ઘટનાઓ, તોફાન, ગૂંચવણ ભરેલી સમસ્યાઓમાં પણ સંપૂર્ણ સુરક્ષા, શાંતિ, વિશ્વાસની સાથે જીવનમાં સમૃદ્ધિ, વિકાસ, પ્રાપ્ત કરી શકે છે. રેલગાડીના એંજિનમાં વિશેષ શક્તિ હોય છે. એ એના માર્ગમાંથી ઉથલી પડે તો અનર્થ ઉત્પન્ન થઇ શકે છે. એથી જમીન ઉપર બે પાટા નાખવામાં આવે છે અને એંજિનને એની પર ચાલતા રહેવાની વ્યવસ્થા બનાવવામાં આવી છે. વીજળીમાં બહુ શક્તિ હોય છે. એ શક્તિ આમ તેમ વિખરાઈ જાય નહીં તે માટે એનું નિયંત્રણ રાખવું આવશ્યક છે. આ ઉદ્દેશની પૂર્તિ માટે એવો પ્રબંધ કરાયો છે કે વિજળી તારમાં થઈને જ પ્રવાહિત થાય અને એ તાર પણ ઉપરથી ઢંકાયેલા રહે. નહેરમાં પાણીની તેજ ધારા વહે છે. એ પાણીને નિયંત્રણમાં રાખવામાં આવે નહીં તો ગામના ગામ ડૂબી શકે છે. આ ખતરાની સુરક્ષા માટે નહેરના બંને કિનારા ખાસ્સા પહોળા અને મજબૂત બનાવવામાં આવે છે. દરેક શક્તિશાળી તત્ત્વ ઉપર નિયંત્રણ આવશ્યક બને છે. અનિયંત્રિત રહેવા દેવાથી શક્તિશાળી વસ્તુઓ અનર્થ જ પેદા કરે છે. મનુષ્યને જો પરમાત્માએ અનિયંત્રિત રાખ્યો હોત, એની ઉપર ધર્મ, ર્કાવ્યોનું ઉત્તરદાયિત્વ રાખ્યું હોત નહીં તો ચોક્કસ માનવ પ્રાણી આ સૃષ્ટિનું સૌથી ભયંકર, બધાં કરતાં અનર્થકારી પ્રાણી સિદ્ધ થયું હોત. અશકત અથવા સ્વલ્પ શક્તિવાળા પદાર્થ કે જીવ અનિયંત્રિત રહી શકે છે. કેમકે એમના દ્વારા હાનિની સંભાવના બહુ ઓછી રહે છે. જેમને તેઓ હાનિ કરી શકે છે. તેમને એમની સુરક્ષા માટે આવશ્યક શક્તિ મળી હોય છે તેથી એ સ્વચ્છંદતામાં નિયંત્રણ અને સમતુલાનો એક નિયમ કામ કરતો રહે છે. કીડી, મંકોડા, માખી, મચ્છર, કુતરું, બિલાડી વગેરે નાના જીવો પર કોઈ બંધન હોતાં નથી. પરંતુ બળદ, ઘોડો, ઊંટ, હાથી વગેરે જાનવરોને નાકની નાથ, લગામ, અકુંશ વગેરેને આધારે નિયંત્રણમાં રાખવામાં આવે છે. જો એ પ્રતિબંધ હોય નહીં તો તે શક્તિશાળી જાનવર લાભકારક થવાને બદલે હાનિજનક બને છે. અનિયંત્રિત માણસ કેટલો ધાતક હોઈ શકે છે એની ક્લ્પના માત્રથી જ કંપારી છૂટે છે. જે અસુરો, દાનવો, દસ્યુઓ, દુરાત્માઓનાં કુકૃત્યોથી માનવ સભ્યતા કલંક્તિ થતી રહી છે. તે ચહેરાથી તો મનુષ્ય જ હતા, પરંતુ એમણે સ્વેચ્છાચાર અપનાવ્યો, મર્યાદાઓને તોડી ધર્મનો વિચાર ન કર્યો કે કર્તવ્યનો વિચાર ન કર્યો. શક્તિઓના મદમાં એમને જે સૂઝ્યું, જેમાં લાભ જોયો તે જ કરતા રહ્યા. પરિણામે એમનું જીવન બધી રીતે ધૃણિત અને નિકૃષ્ટ બન્યું. એમનાથી અસંખ્યોને નુકસાન થયું અને સમાજની શાંતિ વ્યવસ્થામાં ભારે હલચલ થતી રહી. અસુરતાનો અર્થ જ ઉચ્છૃંખલતા છે. મર્યાદાઓનું ઉલ્લંધન કરવાની ઘટનાઓ દુર્ધટનાઓ કહેવાય છે. એને પરિણામે સર્વત્ર શોભ જ ઉત્પન્ન થાય છે. સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, પૃથ્વી બધાં એમની નિયત કક્ષામાં અને ધરી પર ફરે છે. એક બીજાની સાથે આકર્ષણ શક્તિમાં બંધાયેલાં રહે છે અને એક નિયત વ્યવસ્થાને અનુરુપ પોતાનો કાર્યક્રમ નિયત રીતે કર્યા કરે છે. જો તેઓ નિયત નિયંત્રણને તોડીને સ્વેચ્છાચાર વર્તવાની ચેષ્ટા કરે તો એનું પરિણામ પ્રલય જ હોઈ શકે છે. આ ગ્રહો માર્ગમાંથી ભટકી જાય તો એક બીજા સાથે ટકરાઈને વિનાશ સર્જી દે. માણસ પણ પોતાના કર્તવ્યમાર્ગથી ચલિત થાય તો પોતાનો જ નહીં, બીજા અનેકોનો નાશ કરે છે. પરમાત્માએ દરેક મનુષ્યને અંતરાત્મામાં એક માર્ગદર્શક ચેતનાની પ્રતિષ્ઠા કરી છે જે એને ઉચિત કર્મ કરવાની પ્રેરણા અને અનુચિત કર્મ કરતાં ધિક્કારતી રહે છે. કર્તવ્યપાલનનાં કાર્ય તે ધર્મ અથવા પુણ્ય કહેવાય છે, જે કર્તાને તત્ક્ષણ પ્રસન્નતા અને શાંતિનો અનુભવ કરાવે છે. એનાથી ઊલટું, જો સ્વેચ્છાચારે વર્તવામાં આવે, ધર્મ-મર્યાદાઓને તોડવામાં આવે, સ્વાર્થ માટે અનીતિનું આચરણ કરવામાં આવે, તો અંતરાત્મામાં લજજા, સંકોચ, પશ્ચાત્તાપ, ભય અને ગ્લાનિનો ભાવ ઉત્પન્ન થશે. અંદર ને અંદર અશાતિ રહેશે અને એવું લાગશે જાણે પોતાનો અંતરાત્મા જ એને ધિક્કારી રહ્યો છે. આ આત્મવંચના પીડાને ભુલાવવા માટે અપરાધી પ્રવૃતિવાળા લોકો નશાબાજીનો આશ્રય લે છે. છતાં પણ ચેન ક્યાંથી ? પાપવૃત્તિઓ સળગતા અગ્નિ જેવી છે, જયાં એમને જગા મળે ત્યાં પહેલાં બળતરા જન્માવે છે. શરીરમાં ક્ષય, દમ, કોઢ, લક્વો વગેરે રોગ થઈ જવાથી સ્વાસ્થ્ય શિથીલ થઈ જાય છે. અશાંતિ અને બેચેની થાય છે. રોગી શરીર વડે માણસ કંઈ કરી શકતો નથી. ઘરવાળાં હેરાન થાય છે, આર્થિક સ્થિતિ બગડે છે અને જો રોગોની સ્થિતિ સુધરે નહીં તો જીવન ભારરૂપ થઈ જાય છે. શરીરની જેમ જ મનમાં પણ કેટલાક રોગો ઉત્પન્ન થાય છે. અને તે માનસિક સ્વસ્થતાને શિથિલ કરી નાખે છે. આત્મવંચના સૌથી મોટો માનસિક વ્યાધિ છે. જેનું મન એનાં દુષ્કર્મો માટે પોતાને ધિક્કારતું રહેશે તે ક્યારેય આંતરિક દૃષ્ટિથી સશકત રહી શકશે નહીં અને અનેક માનસિક દોષ દુર્ગુણ તેને ઘેરી લેશે અને ધીરે ધીરે અનેક મનોવિકારોથી ગ્રસ્ત થઇ જશે. અનિદ્રા, દુઃસ્વપ્ન, ચિડિયાપણું, આવેશ, ઉત્તેજના, ક્રોધ, ચિંતા, ઈર્ષ્યા, આશંકા, સંશય, અવિશ્વાસ, આળસ, નિરાશા વગેરે કેટલાક માનસિક રોગ આત્મવંચનાની વ્યથાથી પીડિત માણસને થાય છે. પાપ કર્મોને માટે પોતાનો અંતરાત્મા જેને ધિક્કારે છે તે માણસ સૂતાં જાગતાં ક્યારેય ચેન મેળવી શકતો નથી. દમ અને પીડાકારી રોગોની જેમ પાપીને પણ રાતમાં કે દિવસમાં ક્યારેય ચેન પડતું નથી. અંદર અને અંદર પોતે જ પોતાની શાતિને ઓછી કરતો રહે છે. મર્યાદાઓનું ઉલ્લંધન કરીને લોકો તાત્કાલિક માટે થોડો લાભ ઊઠાવી લે છે. દૂરગામી પરિણામોનો વિચાર્યા વગર લોકો તરતના લાભને જ વિચારે છે. કુટિલતાથી ધન કમાવું, દંભથી અહંકાર વધારવો, અને અનુપયુક્ત ભોગો ભોગવવા વડે જે ક્ષણિક સુખ મળે છે તે પરિણામે દુ:ખ બનીને સામે આવે છે. માનસિક સ્વાસ્થ્યનો નાશ કરવામાં અને આધ્યાત્મિક વિશેષતાઓનો અંત લાવવામાં સૌથી મોટું કારણ આત્મવંચના છે. કરા પડવાથી જેવી રીતે ખેતી-પાકનો નાશ થઈ જાય છે. તેવી રીતે આત્મવંચનાના આઘાતો લાગતા રહેવાથી મન અને અંત:કરણનાં બધાં જ શ્રેષ્ઠ તત્વો નાશ પામે છે અને એવો માણસ પ્રેત-પિશાચો જેવી સ્મશાન મનોભૂમિ લઇને નિરંતર વિક્ષુબ્ધ બની ફરતો રહે છે. ધર્મ કર્તવ્યોની મર્યાદાઓને તોડનાર ઉચ્છૃંખલ, કુમાર્ગગામી માણસની ગતિવિધિઓને રોક્વાને માટે એમને શિક્ષા કરવા સમાજ અને શાસન તરફથી જે પ્રતિરોધાત્મક વ્યવસ્થા થઈ છે એનાથી સર્વથા બચવું સંભવ નથી. ધૂર્તતાના બળે આજે કેટલાક અપરાધી પ્રવૃત્તિ આચસ્નારા લોકો સામાજિક ધિક્કારથી અને કાનૂની દંડથી બચી જવામાં સફળ થતા રહે છે, પરંતુ આ ચાલ હંમેશાં સફળ જ થશે એવું નથી. અસત્યનું આવરણ અંતે તો ફાટે જ છે અને અનીતિને અપનાવનારની સામે નીં તો પાછળથી તો નિંદા થાય જ છે. જનમાનસમાં વ્યાપ્ત ઘૃણાનો સૂક્ષ્મ પ્રભાવ એ માણસ પર અદ્રશ્ય રૂપે પડે છે જેને કારણે અહિતકર પરિણામો જ આવે છે. રાજદંડથી બચવા માટે આવા લોકો લાંચરુશ્વતમાં ખર્ચ કરે છે. નિરંતર ડરેલા અને દબાયેલા રહે છે. એમને કોઈ સાચો મિત્ર હોતો નથી. જે લોકો એમનાથી લાભ મેળવે છે તેઓ અંદરથી તો ધૃણા કરે છે અને સમય આવ્યે શત્રુ બની જાય છે. જેને આત્મા ધિક્કારે એને વહેલા મોડા સૌ કોઈ ધિક્કારનાર બની જાય છે. આવા ધિકકારો એકત્રિત કરીને જો કોઇ મનુષ્ય જીવિત રહ્યો તો એનું જીવવું ન જીવવા બરાબર જ છે. નિયંત્રણમાં રહેવું આવશ્યક છે. મનુષ્ય માટે એ જ ચિત છે કે એ ઇશ્વરીય મર્યાદાઓનું પાલન કરે, પોતાના ઉત્તરદાયિત્વને સમજે અને કર્તવ્યો નિભાવે. નીતિ, સદાચાર અને ધર્મનું પાલન કરતાં સીમિત લાભમાં સંતોષ માનવો પડે છે, ગરીબી અને સાદાઈથી જીવન વિતાવવું પડે છે પણ એમાં ચેન વધુ છે. અનીતિ અપનાવીને વધુ ધન એકત્રિત કરી લેવાનું સંભવ છે પણ એવું ધન પોતાની સાથે એટલા ઉપદ્રવ લઈને આવે છે કે એને પહોંચી વળવાનું ભારે ત્રાસદાયક સિદ્ધ થાય છે. દંભ અને અહંકારનું પ્રદર્શન કરીને લોકો ઉપર જે રોફ જમાવવામાં આવે છે એનાથી આતંક અને કુતુહલ થાય પણ શ્રદ્ધા અને પ્રતિષ્ઠાનું દર્શન દુર્લભ રહે છે. વિલાસિતા અને વાસનાનો અયોગ્ય રીતે ભોગ ભોગવનારું આપણુ શરીર માનસિક અને સામાજિક સમતુલા નષ્ટ કરીને ખોખલું જ બની જાય છે. પરલોક અને પુનર્જન્મને અંધકારમય બનાવી, આત્માને અસંતુષ્ટ અને પરમાત્માને અપ્રસન્ન રાખીને ક્ષણિક સુખ માટે અનીતિનો માર્ગ અપનાવવાને કોઈ પણ દૃષ્ટિએ દૂરદર્શિતા શ્રી શકાય નહીં. બુદ્ધિમત્તા એમાં જ છે કે આપણે ધર્મ-કર્તવ્ય પાલનનું મહત્વ સમજી સદાચારની મર્યાદાઓનું ઉલ્લંધન કરીએ નહીં. સ્વયં શાંતિપૂર્વક જીવો અને બીજાને સુખપૂર્વક જીવવા દો. આ સઘળું નિયંત્રણની નીતિને અપનાવવાથી જ સંભવિત થઈ શકે છે. કર્તવ્ય અને ધર્મનો અંકુશ પરમાત્માએ આપણા પર એટલા માટે મૂક્યો છે કે સન્માર્ગથી ભટકીએ નહીં. આ નિયંત્રણોને તોડવાની ચેષ્ટાની આપણા માટે અને બીજા માટે મોટી આપત્તિને આમંત્રિત કરવાની મૂર્ખતામાં જ ગણના થશે.
પ્રતિભાવો