ગૌરક્ષાનો નક્કર ઉપાય

ગૌરક્ષાનો નક્કર ઉપાય

ગૌપાલનનું મહત્ત્વ આપણે બધાં માનીએ છીએ અને તેની સાથે જોડાયેલી ધર્મભાવનાને પણ

ખરા મનથી સમર્થન આપીએ છીએ. તેનુ રક્ષણ તથા વૃદ્ધિ માટે દરેકને મન થાય છે, પરંતુ તેના મટે શું કર્વું જોઈએ. એનો અસર્કરક ઉપાય ન સૂઝવાથી આપણે જેટલું ધારીએ છીએ એટલું કામ થઈ શકતું નથી.

બજારમાં દરેક જગ્યાએ ભેંસના દૂધની માંગ છે, કારણ કે તેમાં ચીકાશ વધારે હોવાથી સ્વાદિષ્ટ લાગે છે અને ઘી તેમજ માવો વધારે પ્રમાણમાં મળે છે તેથી લાભાયક પણ છે. ગાયનું દૂધ પાતળું હોય છે. તેથી કોઈવાર લોકો ભેંસના દૂધમાં મેળવીને કોઈ પણ રીતે વેચે છે અથવા તો ઓછી કિંમતે વેચી દે છે. બંને દશામાં ગાય પાળવાવાળાને ખોટ જ થતી રહે છે. જેટલી મહેનત ગાય માટે કરવી પડે છે એટલી જ ભેંસ માટે કરવી પડે છે. તે ચારો ઓછો જ ખાય છે પરંતુ એને રહેવા માટે જગ્યા તથા બીજાં એને માટેનાં કાર્યો એકસરખાં જ કરવાં પડે છે. તેથી જ ગૌપાલનનો રિવાજ ઘટતો જાય છે અને તેનું સ્થાન ભેંસે લેવા માડયું છે.

દુનિયામાં સર્વત્ર ગૌપાલનનો રિવાજ છે. તેના દૂધની આરોગ્યવર્ધક વિશિષ્ટતાઓથી દરેક વ્યક્તિ પરિચિત છે. ભેંસના દૂધને એ કક્ષાએ તેલ જેવું ગણવામાં આવે છે. પીવા માટે દરેક જણ ગાયના દૂધનો જ ઉપયોગ કરે છે. એ લોકોને ત્યાં ગાય માટે માતૃભાવના કે ગાયનો વધ ન કરવાની મનાઈ નથી. તે છતાં વિશ્વમાં સર્વત્ર ગાયોની સંખ્યા તથા ગુણવત્તા વધારવાનો સામર્થ્યપૂર્વકનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. એનું એ જ મુખ્ય કારણ છે કે તે એક દિવસમાં ત્રીસ કિલો દૂધ આપે છે. દિવસમાં ત્રણ વખત મશીનથી દોહવામાં આવે છે. આ લાભ થતો હોવાથી તેને કાપી નાખવાની વાત કોઈ જ વિચારતું નથી. આપણે જો સાચેસાચ

ભાવનાશીલ છીએ અને ગાયની રક્ષા તથા વૃદ્ધિની આશા રાખીએ છીએ તો સૂત્રો પોકા૨વાને બદલે અસરકારક પગલાં લેવાં પડશે.

ગાંધીજીએ ખાદીનું મહત્ત્વ સમજાવવા માટે પ્રબળ આંદોલન કર્યું હતું અને જાડી અને મોંઘી ખાદીનાં દૂરગામી પરિણામોની જાણકારી કરાવીને આ વાત લોકોના ગળે ઉતારી હતી. તે સાથે ખાદીના ઉત્પાદન માટે અસરકારક તંત્ર ઊભું કર્યું હતું. ત્યારે ખાદીએ પકડ જમાવી હતી. આજથી સો વર્ષ પહેલાં ચાના વેપારીઓએ ચાનો પ્રચાર કરવા માટે ઘરે ઘરે જઈને બનાવેલી તૈયાર ચા એક પૈસામાં વેચી તથા એક પકેટ ચા મફત આપવાનો કાર્યક્રમ ચલાવ્યો હતો. એ પ્રચારે આગળ વધતાં વધતાં ચાને જનજીવનનું એક અભિન્ન અંગ બનાવી દીધી છે.

આજે જે લોકો ગાયનું દૂધ તથા ઘી લેવું ઇચ્છે છે, તે લોકોને શુદ્ધ વસ્તુ પૂરતા પ્રમાણમાં મળી શકે એવી કોઈ જ વ્યવસ્થા નથી. દૂધ વેચનારાઓ ભેંસના દૂધમાં પાણી ભેળવીને એને ગાયના દૂધમાં ખપાવે છે. શુદ્ધતાની ખાતરી ન રહેવાથી ખરીદનાર પણ મન મારીને બેસી રહે છે, અને આર્થિક લાભની દૃષ્ટિએ નુકસાન થવાના કારણે ગાય પાળનાર પણ આની અગણના કરે છે. ફળસ્વરૂપ ગૌધન ઘટતું જાય છે. કતલખાનાંઓમાં ગાયની સંખ્યા વધવાનું કારણ પણ એ છે કે ગાયના દૂધ કરતાં તેનું માંસ અને ચામડું વધારે લાભદાયક બન્યું છે.

ગાયની રક્ષા કરવાનું કામ ભારત જેવા કૃષિપ્રધાન અને દૂર ગામડાંઓ સુધી ફેલાયેલા ભારત દેશ માટે અત્યંત જરૂરી છે. અહીં નાનાં ખેતરો બળદો વડે જ ખેડવામાં, વાવવામાં અને સિંચવામાં આવે છે. બળદો જ નહીં રહે તો આ દેશના ગરીબ ખેડૂતો ખેતીકામથી વંચિત રહી જશે અને પેટ પૂરવા માટે ફાફા પડી જશે. ભેંસનું બચ્ચું ખેતીનું કામ નહીં કરી શકે.

એનિ સાથે વિકાશની દિશા માં પગલાં ભરતાં હવે પછીના દિવસોમાં પરિવહનનુ કામ પણ વીસતૂત કરવુ પડશે. શહેરોમાં, કસ્બાઓ સાથે ગામડાંઓની આવ-જાની કડી મજબૂત બનાવવાથી જ ચીજવસ્તુઓને અહીંથી લાવી ત્યાં પહોંચાડવાનું શક્ય બનશે જે કામ રેલ્વે અથવા તો ટ્રકથી નહીં થાય એ કામ બળદગાડાઓથી જ શકય થશે. પહેલાંની જેમ સ્ત્રીઓ અને બાળકોનું નજીકનાં સગાંસંબંધીઓને ત્યાં આવવા જવા માટેની સગવડતા બળદગાડાઓથી જ શક્ય બને છે. હવે એની ધરી અને પૈડાંઓમાં સુધારો થવાથી અને સરકારનો ઈરાદો ગામડાંઓમાં સારી સડકો બનાવવાનો હોવાથી ચોક્કસ બળદગાડાઓનો ધંધો વધશે. ખેતીના કામમાં તો પરિસ્થિતિ જોતાં બળદની ચોક્કસપણે જરૂરિયાત છે જ.

બાળમરણ તથા અપૂરતા પોષણથી બચવા અને રોગીઓના યોગ્ય આઘર માટે ગાયના દૂધનો જ ઉપયોગ થાય છે. આ કામ માટે ભેંસના દૂધની જરૂર નથી. તેથી જ તંદુરસ્તીનું મહત્ત્વ સમજનાર સમજુ વર્ગમાંથી દરેક વ્યક્તિએ દરેક જણને સમજાવવું પડશે કે ગાયનું દૂધ ઉપરોક્ત ઉદ્દેશની પૂર્તિ કરે છે. જાડું અને ચીક્કું દૂધ જોઈએ તો મગફ્ળી, તલ, સોયાબીન જેવી ચીજો પાણીમાં પીસીને તૈયા૨ ક૨વાથી ભેંસના દૂધ કરતાં સસ્તું પડે છે. એના તેલમાંથી મિષ્ટાન્ન પણ બની શકે છે. પછી ચીકાશના લોભમાં ભેંસના દૂધને પ્રાધાન્ય આપવામાં આવે એનો શો અર્થ ? સમગ્ર વિશ્વ દૂધની જરૂરિયાત ગાયના દૂધથી પૂરી કરે છે. માંસાહારીઓ પણ ગાયના દૂધને મહત્ત્વ આપે છે. તો પછી આપણે જ એવા કમભાગી કેમ રહીએ કે ગાય માતાની જય બોલીએ અને ઘી, દૂધ ભેંસનાં વાપરીએ.

જનસાધારણને ગાયના દૂધ અને ઘીની મહત્તા સમજાવવામાં આવે. ખેડૂતોને કહેવામાં આવે કે એ લોકો બળદો વગર ખેતી અને આવન-જાવન અને પરિવહનની સમસ્યા હલ નહીં કરી શકે. એટલે જ ગાયનો યોગ્ય ઉછેર ખેડૂત માટે જીવનમરણનો પ્રશ્ન છે. એને શ્રદ્ધાથી જ નહીં સાવધાનીથી અર્થવ્યવસ્થાને ધ્યાનમાં રાખીને નવેસરથી રસપૂર્વક અપનાવવો જોઈએ અને તે અનુસાર જ પશુપાલનની કોઈ નવી નીતિ થંડવી જોઈએ.

ગાયનું ચોખ્ખું દૂધ અને ઘી દરેક જણને મળી શકે તે માટે પ્રમાણિક ડેરીઓ ખોલવી જોઈએ. આ નવા ઉદ્યોગની વ્યાપકતાની હવે

: આ દેશમાં આગળ વધવાની શક્યતા છે. ઢગલાબંધ વિચારશીલ લોકો એવા છે જે ગાયનું જ દૂધ પસંદ કરે છે. માખણ, ઘી, દૂધ પણ ગાયનું જ લેશે. એટલા માટે જ ચોખ્ખી વસ્તુ મળી ૨હે અને નજીકના જ વિસ્તારમાંથી મળી રહે એવી વ્યવસ્થા હોવી જોઈએ. એ વગર શ્રદ્ધાળુ અને વિચારશીલ લોકો પોતાને અસહાય અનુભવશે અને ભેંસનું દૂધ અને વનસ્પતિ ધી જેવો અત્યાર સુધી વપરાશ થતો હતો એવી જ રીતે આગળ જતાં પણ કરશે. માત્ર ધર્મની શ્રદ્ધા જ સર્વસ્વ નથી હોતી એને સજીવ રાખવા માટેનું વ્યાવહારિક સ્વરૂપ પણ બનાવવું જોઈએ. નહીં તો ફક્ત લ્પનાના ઘોડા દોડાવવાથી કોઈ સમાધાનકારક ઉકેલ નહીં આવી શકે.

સારી ગુણવત્તાવાળું અને પ્રમાણમાં વધારે દૂધ અને ઘી તેમજ તંદુરસ્ત બળદો આપી શકવાવાળી સમર્થ ગાયોની દરેક જગ્યાએ ડેરીઓ બનાવવામાં આવે. એનું દૂધ અને ઘી ચોખ્ખું મળે અને ગ્રાહકોને પોતાના રહેઠાણની નજીક જ મળી રહે એવી વ્યવસ્થા હોય. અત્યારે પણ દૂધનો પુરવઠો શહેરો અને ઉપનગરોમાં સાઈકલવાળા ફેરિયા જ પૂરો પાડે છે. એ લોકો જે રીતે દૂધ આપવા આવે છે એમાં નવું કંઈ જ કરવાનું નથી. લોકો પાસે પૈસા પણ છે. નવા ઉદ્યોગો શરૂ કરવા માટેની તપાસ પણ લોકો કરતા રહે છે. સહ્કારી સમિતિઓને પણ સરકાર તરફથી ઘણું જ પ્રોત્સાહન મળતું રહ્યું છે. ધાર્મિક અને વિચારશીલ વર્ગ ગૌરસ માગે પણ છે. ભલે એ થોડો મોંધો કેમ ન હોય ખેડૂતોને તો તંદુરસ્ત બળદો જોઈએ. સંગઠિત ડેરીઓ દ્વારા આ સઘળી બાબતો શક્ય થઈ શકે છે અને એ લોકો જ જનતાની એક મહત્ત્વની જરૂરિયાત પૂર્ણ કરી શકે છે.

જરૂરી નથી કે આ કાર્ય કાયમ ડેરીઓમાં જ થાય તેની વ્યવસ્થા, સગવડ અને લાભદાયક પદ્ધતિ સમજી શક્યા પછી દરેક ખેડૂત એક વ્યવસાય સ્વીકારી લેશે.

જે મહેનત તેને ભેંસ માટે કરવી પડે છે કદાચ તેટલી જ મહેનત કરવાથી એટલો જ લાભ મળતો હોય તો દરેક જણ પસંદ કરશે કે ભેંસની જગ્યાએ ગાય પાળીને પોતાના દેશને ખરા અર્થમાં ગોવાળોનો દેશ બનાવી શકાય.

ગાયોનું સંરક્ષણ-સમયની મહત્ત્વની જરૂરિયાત

ગાયોનું સંરક્ષણ-સમયની મહત્ત્વની જરૂરિયાત

બળતણ પણ ખોરાક જેટલું જ જરૂરી છે. અનાજની અછત વખતે શાક્ભાજી ઉગાડવા અને તેના પર નિર્ભર રહેવાની ટેવ પાડવી પડે છે. પરંતુ તેને રાંધવું તો પડશે, ઉકાળવું પડશે. દૂધ, ચા, ગરમ કરવા માટે પણ બળતણની જરૂર પડે જ છે. તેથી તેને પણ ખોરાક જેટલું જ મહત્ત્વ આપવામાં આવે છે.

દેશમાં ગરીબાઈ જોતાં મોંધું બળતણ તો ઉપયોગમાં લઈ નહીં શકાય. દરેક ઘરોમાં વીજળી અથવા તો ગેસથી ખાવાનું રાંધી શકાય એટલું તો એનું ઉત્પાદન પણ નથી, અને ન તો ગ્રાહકોની એવી આર્થિક સ્થિતિ છે કે તેઓ વધારે કિંમત આપીને મેળવી શકે. કેરોસીન કે પથ્થરિયો કોલસો બળતણ માટે કામ આવે છે. પરંતુ ગામડાઓમાં અને દેશનાં કેટલાંય છૂટાછવાયાં ગામોમાં, દરેક ખૂણે એ પહોંચાડી શકાતું નથી. અને તેમ છતાં એ એટલા પૂરતા જથ્થામાં મળી શકતું નથી કે દરેક જણની આવશ્યકતાની પૂર્તિ કરી શકાય.

– આવી પરિસ્થિતિમાં બળતણની જરૂરિયાત પૂરી કરવા માટે ઘણા ખરા લોકો લાકડાં અને છાણાં પર આધાર રાખે છે. મોટાં શહેરોમાં લાકડાંનું બળતણ વેપારીઓ પાસેથી મળી રહે છે. પરંતુ ગામડાના લોકો તેને નજીકનાં જંગલોમાંથી મેળવે છે. ખાનગી ધોરણે બળતણ માટે ઝાડ ઉગાડનાર તો કોઈક જ વ્યક્તિ હોય છે. લગભગ, તો એ સરકારી જંગલોમાંથી જ મેળવી શકાય છે. તેને ઘણા લોકો તો વનવિભાગમાંથી ખરીદી લે છે, પરંતુ લગભગ તો આ જરૂરિયાતની પૂર્તિ ચોરી-છૂપીથી ઝડ કાપીને જ કરવામાં આવે છે. જ્યારે આ રીતની વ્યવસ્થા પણ નથી થતી તો છાણમાંથી છાણાં બનાવીને બળતણ તરીકે વપરાય છે. આ રીતે કોઈને કોઈ પ્રકારે ચૂલા સળગાવવામાં આવે છે.

જંગલો ઝડપથી કપાઈ અને ઘટી રહ્યાં છે. વાયુ પ્રદૂષણનું નિરાકરણ કરવાનું સાધન જ વૃક્ષો છે. તે કાર્બન શ્વાસમાં લે છે અને ઑક્સિજન છોડે છે. શ્વાસ લેવા માટે ચોખ્ખી હવા ત્યારે જ મળી શકે છે જ્યારે હરિયાળી પૂરતા પ્રમાણમાં હોય જો જંગલો કપાવા અને ઘટવા માંડ્યા તો વાયુની અશુદ્ધિ વધતી જશે. વૃક્ષો કપાવાથી વાયુની અશુદ્ધિ ઘટશે નહીં ઉપરથી વધશે. અશુદ્ધ વાયુમાં શ્વાસ લેવો એટલે ઝેરી ખોરાક ખાવો અને વિષાક્ત પાણી પીવું જંગલોનો વિનાશ એટલે સીધા અર્થમાં સાર્વજનિક સ્વાસ્થ્યની બરબાદી સાર્વજનિક એટલે કહી શકાશે કે અનાજની જેમ વાયુ દરેક વ્યક્તિ પોત-પોતાના માટે સાચવીને નથી રાખી શકતી. એના વ્યાપક ભંડારમાંથી દરેક અમીર કે ગરીબ શ્વાસ લે છે. તળાવનું પાણી ઝેરી હોવાથી તેમાં પાળવામાં આવતી બધી જ માછલીઓ મુશ્કેલીમાં મૂકાઈ જાય છે. વાયુના પ્રદૂષણથી દરેકનું સ્વાસ્થ્ય બગડે છે. આપણા દેશમાં મુખ્ય જરૂરિયાત કરતાં કેટલીય ઓછી સંખ્યામાં જંગલો બચ્યાં છે. જો એ પણ આવી રીતે કપાતાં રહ્યાં તો એનું ભયંકર પરિણામ દરેક રીતે ભોગવવું પડશે. જેમાં વાયુ પ્રદૂષણને કારણે દરેક મનુષ્યની સ્વાસ્થ્યની બરબાદી મુખ્ય છે.

વૃક્ષો આકાશમાંથી વાદળોને ખેંચીને ધરતી પર વરસાવે છે. જે વિસ્તારોમાં વૃક્ષોનો નાશ કરવામાં આવે છે ત્યાં વરસાદ પડતો નથી. ત્યાં દુકાળ પડે છે અને જમીન રણ જેવી સૂકી થતી જાય છે. ઝાડનાં મૂળિયાં ફળદ્રુપ જમીનના પડને મજબૂત રીતે પકડી રાખે છે અને ફળદ્રુપતા કાયમ રહે છે. સાથે જ જમીનમાં ભેજ રહેવાથી છોડ, વૃક્ષનું પોષણ પણ કરે છે. વરસાદનું પાણી જમીન ધીમે ધીમે શોષી લે છે તેથી રેલ પણ નથી આવતી. નહીં તો વરસાદ આવતાં જ પાણી સીધું નદીમાં વહી જાય છે અને નદીઓમાં પૂર આવે છે. આજુબાજુના વિસ્તારોને ડૂબાડી દે છે અને તેની સાથે માટી ધસડી જાય છે, આનાથી નદીની ઊંડાઈ ઘટી જવાથી પૂર આવવાનો ક્રમ વધી જાય છે. ખેતરોની ફળદ્રુપતા ઘટી જાય છે. છેવટે ખેતરો રેતાળ, ખાાં અને નકામાં થઈ જાય છે. આમ આપણે ઈમારતી કામોમાં ખાસ કરીને બળતણની જરૂરિયાત પૂરી કરતા જંગલોના વિનાશનો શાપ આમંત્રિત કરીએ છીએ.

છાણમાંથી છાણાં બનાવીને બાળવાં એ પણ આ રીતનું હાનિકારક પગલું જ છે. જે છાણમાંથી ખાતર બનાવીને અનાજ વધારે ઉગાડવા અને ખાતરનો પ્રશ્ન હલ કરવા માટે લાભકારક બનાવી શકાય છે, તેને જો બળતણના કામમાં લેવામાં આવે તો પછી સમજી લેવું જોઇએ કે અનાજ બાળીને બળતણ ની જરુરિયાત પુરી કરવામા આવી છે.

બીજા દેશોમાં બળતણ માટેના બીજા કેટલાય ઉપાયો પૂરતા પ્રમાણમાં મળી આવે છે. ત્યાં વીજળી, કોલસા, તેલનું ઉત્પાદન પણ ખૂબ જ વધ્યું છે, પરંતુ ભારત તો એ ક્ષેત્રે પણ હજુ પછાત જ રહ્યું છે. અહીં આ બધી વસ્તુનું ઉત્પાદન બહુ જ ઓછું છે. ગેસના ઉત્પાદનમાં પણ ભારત બીજા સમર્થ દેશોની તુલનામાં ઘણું જ પછાત છે. જેટલા પ્રમાણમાં ઉત્પાદન થાય છે એનો મોટો હિસ્સો શહેરોમાં અને કસબાઓમાં જ ખપી જાય છે. બાકી બે તૃતીયાંશ ભારત તો નાનાં ગામડાંઓમાં વહેંચાયેલું છે, ત્યાં સુધી તો આવનજાવનની સવલત ન હોવાથી આ બધાં ઉત્પાદનો પહોંચાડી જ શકાતાં નથી. ત્યારબાદ એ ખરીદવા માટે રોકડા નાણાં પણ જોઈએ, એની પણ ખોટ પડતી હોય છે. પરિણામે સરળતાથી મળતા છાણાં લાકડા પર જ આધાર રાખવો પડે છે. એટલા પર પણ ભારતીય રીત-રિવાજ પ્રમાણે રોટલી અને ચપાટી બનાવવાનો રિવાજ છે. ઘણીખરી રસોઈ આ પ્રકારે જ બને છે. એમાં બળતણ પણ ખૂબ વપરાય છે.

આવી દશામાં એક જ ઉપાય બાકી રહે છે, તે એ કે ‘ગોબર ગેસ’ના નાના મોટા પ્લાન્ટ બનાવવામાં આવે તેમાંથી નીકળતા ગેસ વડે રસોડાની જરૂરિયાત પૂરી થઈ શકે છે. સાથેસાથે વપરાશ ઉપરાંત બાકી રહેલું ગોબર નકામું નથી જતું, ઊલટાનું વધારે ફ્ળદ્રુપ બને છે. ચીન દેશે પોતાની બળતણની સમસ્યા આ આધારે જ પૂરી કરી છે.

માલસામાનની હેરફેરથી માંડીને ખેતર ખેડવાનાં નાનાં કામોમાં પણ શક્તિની જરૂર પડે છે. એને ટ્રેક્ટરો વડે પૂરી કરવાની વાત વિચારાઈ રહી છે. રેલ્વે, મોટરો વગેરે તો વહન કરવા સુધીનું જ કામ કરી શકે છે, પરંતુ ખેતર ખેડવાનું, કૂવામાંથી પાણી કાઢવાનું પાણી સિંચવાનું કામ કરવામાં તો બળતણ જ કામ આવે છે. ગૌસંવર્ધનનો લાભ ફક્ત દૂધ મેળવવા જ નથી કરાતો પરંતુ વાછરડાઓના ઉત્પાદનથી ઉર્જાની અનન્ય આવશ્યકતાની પૂર્તિ પણ થઈ શકે છે, જે મશીનો નથી કરી શકતાં.

ભારતમાં ખેતી માટે જેટલા બળદોની જરૂરિયાત છે તેના કરતાં અડધા જ જોવા મળે છે. આ કારણથી જ જમીનનો એક મોટો ભાગ ખેડ્યા વગર અને સિંચાઈ કર્યા વગરનો રહી જાય છે.

ખેતીના સંદર્ભમાં ભારવહન માટે આઠ કરોડ બળદોની જરૂર છે. એની જગ્યાએ ૬૭ લાખ ટ્રેકટરોની જરૂર પડશે જ્યારે દેશમાં એટલા લાખ ટ્રેકટરો મળી શકે એમ નથી.

ગૌવંશ ઉપર કુપોષણની સમસ્યાના સમાધાનનો આધાર રહેલો છે અને ખેતીના ઉત્પાદનની વૃદ્ધિ પણ અનાજ અને દૂધ માટે અપણે બધી જ રીતે ગાય ઉપર નિર્ભર છીએ. તેની અવગણના કરીને ન તો સ્વાસ્થ્યનું સમતોલન જાળવી શકાશે અને ન તો નાનાં નાનાં ખેતરોમાં થતી ખેતી માટે વાવણી અને સિંચાઈ જેવી મૂળભૂત જરૂરિયાતો પૂ. થઈ શકશે.

માલની હેરાફેરીનું કામ ગામડાની ખેતીના વ્યવસાય માટે અતિ આવશ્યક કાર્ય છે. બળદો વડે એ કામ પણ સહેલાઈથી થઈ શકે છે. ભેંસ તો એમાંથી એક પણ કામ નહીં કરી શકે, તેમની ઝડપ અને ક્ષમતા બહુ જ ઓછી હોય છે.

ખેતીપ્રધાન ભારત તથા ગૌપાલન

ખેતીપ્રધાન ભારત તથા ગૌપાલન

પશુઓએ માનવીની પ્રગતિમાં મહત્ત્વપૂર્ણ સહયોગ આપ્યો છે. અનાજ, કપડાં, આવનજાવન તથા બીજી અનેક સગવડો માટે મનુષ્યએ પશુઓનો સારો લીધો છે. અલગ-અલગ દેશોએ હવાપાણી અનુસાર પ્રાણીઓનો ઉપયોગ કર્યો છે. આરબવાસીઓએ જેવી રીતે ઊંટને પોતાનું હવાઈજહાજ માન્યું છે એવી જ રીતે ભારતવાસીઓ ગાયને પોતાની મા સમાન માને છે અને એની પૂજા કરે છે. ગાય આપણી સભ્યતાના મેરુદંડ સમાન છે. આપણી આર્થિક વ્યવસ્થાના આધારરૂપ રહી છે.

ભારત ખેતીપ્રધાન દેશ છે. આપણી અર્થવ્યવસ્થા આજે પણ ખેતી પર નિર્ભર છે. સોમાંથી બ્યાંસી વ્યક્તિઓ પ્રત્યક્ષ અથવા પરોક્ષરૂપે ખેતીના વ્યવસાય પર જ નિર્ભર છે. આપણે આપણી અર્થવ્યવસ્થાના આધારે જોઈએ તો આ પ્રશ્ન આપણી સામે ઉપસ્થિત થાય છે કે ભારતીય ખેતીની પ્રગતિની કઈ દિશા હોઈ શકે ? આખા વિશ્વની ખેતીલાયક જમીનનો ચૌદમો ભાગ આપણી પાસે છે જ્યારે એ ખેતી પર અવલંબિત જનસંખ્યા વિશ્વની સમગ્ર જનસંખ્યાનો પાંચમો ભાગ છે. આ હકીકતથી સ્પષ્ટ થઈ જાય છે કે આપણા દેશમાં વિસ્તૃત ખેતી નહીં થઈ શકે, ગહન ખેતી થઈ શકે છે. ગહન ખેતીનો અર્થ છે, ઓછી જમીનમાં વધારે પાક લેવો થોડી જમીનમાં અધિક પાક લેવા માટે ખાતરની જરૂરિયાત હોય છે, એની પૂર્તિ ગૌપાલન અને સંવર્ધનથી જ શક્ય થઈ શકે છે.

સમગ્ર દેશના ગ્રામીણ પરિવારોમાંનાં અધિકાંશ પરિવારો એવાં છે કે જેઓની પાસે એક એકરથી પણ ઓછી જમીન છે. આ પ્રકારનાં પરિવારો, જે આપણી જનસંખ્યાનો બહુ જ મોટો હિસ્સો છે,જો ગૌપાલનને આપણી ખેતીના સાયક ઉદ્યોગના રૂપમાં અપનાવવામાં આવે તો એ લોકોની આર્થિક સમૃદ્ધિ નક્કી જ છે.

ભારતીય ખેડૂત વર્ષના બાર મહિનાઓમાંથી આઠ મહિના જ ખેતી કરે છે. બાકીના ચાર મહિના બેકાર જ બેસી રહે છે. કેટલાક મોટા ખેડૂતોને બાદ કરતાં બીજા સામાન્ય ખેડૂતોની આર્થિક સ્થિતિ ઠીક ન રહેવાનું આ એક કારણ છે. આ ચાર મહિનાઓમાં એ પોતાની આર્થિક સ્થિતિ મજબૂત કરવામાં લાગી જાય. પોતાના ઘર પાસે એક સુંદર ગૌશાળા બનાવે અને પોતાની શક્તિ અનુસાર ગાયો રાખે. અડધા ખેતરમાં એ લોકોને ખવડાવવા માટે ધાસ અથવા ચારો વાવે અને અડધા ખેતરમાં શાકભાજી ઉગાડે. થોડા જ દિવસોમાં એ લોકોને ખવડાવવા માટે પૂરતો ધાસચારો એમાંથી ઉગવા માંડશે આ પ્રકારે આખા ઘર માટે શુદ્ધ તાજા અને સ્વાસ્થ્યવર્ધક દૂધ અને ઘી જ નહીં મળે, પરંતુ દૂધ વેચીને એ પૈસા પણ મેળવી શકશે અને દેશમાં દૂધ-ધીનું ઉત્પાદન પણ વધશે.

ભેંસની જગ્યાએ ગાયને પ્રાધાન્ય આપવું આવશ્યક છે. ભેંસનું દૂધ બધા જ પચાવી નથી શક્તા ભેંસ પાળવાનું સાધારણ ખેડૂતનું ગજું નથી હોતું. ગાય પાળવી સાધારણ ખેડૂત માટે સુગમ પણ હોય છે. એક ભેંસ ગાય કરતાં ચાર ગણું ધાસ અને ખડ ખાય છે.

ગાયોની સંખ્યા ભેંસથી પણ વધારે છે છતાં એને બદલે ભેંસને વધારે મહત્ત્વ આપવામાં આવે છે. ગાયો ઉપેક્ષાનો શિકાર બની રહી છે. ગાયની જાતિની આ અવગણના જ આપણી આર્થિક વ્યવસ્થાને હચમચાવી નાખે છે. ગાયના દૂધ આપવાના આધારે એને જે ખોરાક આપવામાં આવે છે તે પૂરતો નથી. એનામાં સંવેદનાશકિત હોય છે. ગાયની સેવા, લાડ તથા એની સારસંભાળ પર તેના દૂધના પ્રમાણનો આધાર રહેલો છે.

કેટલાય પશ્ચિમના દેશોએ આ સત્ય હકીક્તને જાણીને તેનો લાભ ઉઠાવ્યો છે. તે લોકો ગાયની જાતિમાં સુધારો લાવવા પર પણ ધ્યાન રાખે છે. સંયુક્ત રાજ્ય અમેરિકા, સ્વીડન તથા ડેનમાર્કમાં ગાયોની દૂધ આપવાની ક્ષમતા આશ્ચર્યજનક છે. એક સામાન્ય ગાય એક સમયે વીસ કિલો દૂધ આપે છે. આટલું બધું દૂધ દોહવા માટે મશીનનો ઉપયોગ કરવામાં આવે છે. આ મશીનો વડે દિવસમાં બે કે ત્રણ વખત દૂધ દોહવાય છે. આ રીતે એક સામાન્ય ગાય દિવસમાં ત્રીસથી ચાળીસ કિલો દૂધ આપે છે. વિશિષ્ટ ગાયોનું તો શું કહેવું ?

એનું પરિણામ છે કે ન્યુઝીલૅન્ડમાં દરરોજ દરેક વ્યકિત એક ક્લિો સાતસો ગ્રામ, ઓસ્ટ્રેલિયામાં એક કિલો ચારસો ગ્રામ, નોર્વેમાં એક કિલો ત્રણસો પચાસ ગ્રામ, ડેનમાર્કમાં સવા કિલો, ઈંગ્લૅન્ડમાં એક કિલો બસો પચ્ચીસ ગ્રામ, કેનેડા, જર્મની, હોલેન્ડ તથા બેલ્જિયમમાં એક કિલો બેલ્જિયમમાં એક કિલો પંચોતેર ગ્રામ, સંયુક્ત રાજ્ય અમેરિકામાં એક કિલો પચ્ચીસ ગ્રામ, ફ્રાંસમાં નવસો પચ્ચીસ ગ્રામ, સ્વિટ્ઝર્લૅન્ડમાં નવસો પચ્ચીસ ગ્રામ તથા પોલેન્ડમાં સાતસો ગ્રામ ગાયનું દૂધ વપરાતું થયું છે. કેટલીક વ્યક્તિ તો આથી વધારે પ્રમાણમાં ગાયનું દૂધ પીએ છે. આ ત્યારે શક્ય બન્યું છે, જ્યારે કે એ લોકોએ ગાયોને વધારે દૂધ આપી શવા યોગ્ય બનાવી છે, એની એવી જ દેખભાળ કરી છે. ભેંસનું દૂધ આ રીતે વધારી જ નથી શકાતું, આ જ કાણથી એ લોકો ભેંસ પાળવાનું પસંદ નથી કરતા.

આપણા દેશવાસીઓનું આ જ કમનસીબ છે કે આપણે ગાયને બદલે ભેંસને વધારે મહત્ત્વ આપીએ છીએ. આપણાં ધર્મશાસ્ત્રો તથા સંસ્કૃતિમાં ગાયને ખૂબ જ મહત્ત્વ આપ્યું છે. પરંતુ આ ઉપેક્ષાને લીધે તથા આર્થિક બાબતને ભૂલી જવાથી એને માંસ અને ચામડાંને માટે કાપી નાંખવામાં આવે છે. જો એનું મહત્ત્વ દૂધ, ઘી, છાણ વગેરે પાર્થોને લીધે હોત તો આજે આ સ્થિતિ જ ન આવત.

ખેતી એક એવો વ્યવસાય છે જેમાં નિશ્ચિતતા નથી. આપણી ખેતીને અર્થશાસ્ત્રીઓએ જુગાર જેવી માની છે. ખેડૂતનું પોતાનું ઊંટ કેવી રીતે કઈ દિશામાં બેસશે, એ કહી શકાતું નથી. જ્યાં સુધી પાક વાઈને ઘરમાં ન આવે ત્યાં સુધી કાચા તાંતણે બંધાયેલી તલવાર એના માથે લટકતી હોય છે. કાનો વરસાદ, ઝાકળ જેવા જરા અમસ્તા ધાથી એના સ્વથા દેશની સમૃદ્ધિનો મહેલ તૂટી શકે છે. કાનો વરસાદ, ઝાકળ જેવા જરા અમસ્તા ધાથી એના સ્વથા દેશની સમૃદ્ધિનો મહેલ તૂટી શકે છે.

જ્યારે ભારત દેશમાં આખા વર્ષમાં ફક્ત સાડાત્રણ મહિના જ વરસાદ પડે છે. એનું પ્રમાણ તથા સમય બિલકુલ અનિયમિત હોય છે. પાકને પાણી જોઈતું હોય ત્યારે વરસાદ પડે જ નહીં અને જ્યારે પાણી ન જોઈતું હોય ત્યારે મૂશળધાર વરસાદ પડે ; આવી જ અનિયમિતતા હોય છે. એવી જ રીતે કરાનું અને ઝાળનું કોઈ જ ઠેકાણું નથી હોતું. આ અનિશ્ચિત ભવિષ્યમાં ખેડૂતને માટે જો કોઈ સારો શોધવા જઈએ તો ક્ત એ એક જ છે કે તે ગાયની વૃદ્ધિ કરવાના કાર્યને પોતાનો પૂરક વ્યવસાય બનાવી દે જ્યારે પણ કોઈ વખત કુદરતનો કોપ તેના ઉપર ઊતરે તો ગાય-માતા તેને સહાય કરશે. તેને માટે જ નીં, આખા દેશને માટે ભોજનસામગ્રીની જે સમસ્યા તે વખતે ઉપસ્થિત થશે.

તો એનું નિરાકરણ પણ પોતાના દૂધ વડે કરી દેશે. આપણા દેશમાં પણ હવે મશીનોનો પ્રચાર વધ્યો છે અને રાસાયણિક ખાતરનો ઉપયોગ પણ વધ્યો છે. એનો અર્થ એવો નથી કે હવે બળદોની અને ગાયોની જરૂર જ નથી. જો એવું હોત તો બળદો અને ગાયોની કિંમત આટલી બધી વધી ન હોત આપણાં નાનાં નાનાં ખેતરોમાં મશીનો કામ નથી કરી શક્યાં. મશીનોનો ઉપયોગ ફક્ત ૧૨% મોટા ખેડૂતો જ કરી શકે છે. બાકી, નાના ખેડૂતો જે કુલ ખેડૂતોના ૭૨% છે તથા એ લોકોની પાસે દેશની કુલ ખેતીલાયક જમીન ૬૫% જ બાકી છે તથા ૩૮% ખેતરમાં કામ કરતો મજૂર જેની પાસે આખા દેશની પાંચ ટકા જ જમીન છે, એ બિચારા આ મશીનોથી કેવી રીતે કામ કરી શકશે. મશીન માટે ડીઝલ જોઈએ, જે એ લોકોના ખેતરમાં ઊગતું નથી અને એ છાણ પણ આપતું નથી કે જે તેમનાં ખેતરોમાં ખાતરનું કામ આપે. તેના માટે તો બળદો જ યોગ્ય છે.

ખેતી સાથે ગાય પાળવા માટે બીજો કોઈ વધારાનો ખર્ચ કરવો પડતો નથી. ખેતરમાં કાપણી વખતે જે ડૂંડા-ક્સસલાં ઉખાડવામાં આવે છે એને ધોઈને એનાં ડૂંડા કાપીને ગાયોને અને બળદોને ખવડાવવામાં આવે તો ઘાસચારાની બચત થાય છે. મૂળાનાં પાકાં પાન, સખત પાકેલા મૂળા સરગવાનાં પાન, શેરડીનાં પાન, શક્કરિયા કંદની વધારાની વેલ વગેરે ગાયો બહુ જ પ્રસન્નતાથી ખાઈને ઉત્તમ દૂધ તો આપે જ છે, અને એને છાણના ઉત્તમ ખાતરમાં બદલી નાંખે છે. એવી કુદરતી દેન જેવી જીવતી જાગતી મશીનને રાખવી સરળ અને સુગમ છે.

વિશ્વમાં સૌથી વધુ પશુઓ ભારતમાં જ છે પરંતુ ઉત્પાદનની દૃષ્ટિએ ભારત સૌથી પાછળ છે. આપણાં આ પ્રાણીઓ કેટલું દૂધ આપે છે એનું અનુમાન તો એનાથી જ લગાવી શકાય છે કે ભારતમાં દરેક વ્યક્તિ દીઠ દૂધનો ઉપયોગ ફક્ત બસો ગ્રામ છે. ઘેટાં-બકરાં તો તેમને માટે પાળવામાં આવે છે. દૂધને તંદુરસ્તીને માટે યોગ્ય તથા ભેંસને વધારે દૂધ આપવાની માન્યતાથી ગાયને ઉપેક્ષિત રાખવામાં આવી. જ્યારે મનુષ્ય માટે ગાયનું દૂધ અમૃત સમાન છે તથા ભેંસનું દૂધ અપાચ્ય તથા બિનજરૂરી ચરબી વધારનાર છે. ગૌપાલન ખેડૂતોની ખોચક, ધન તથા ખાતરની જ સમસ્યા હલ નહીં કરે પરંતુ ખેતીમાં કામ કરવા માટે ઉત્તમ કોટિના બળદો પણ આપશે. નાનાં-નાનાં તથા છૂટા-છવાયાં ખેતરો હોવાને લીધે દરેક ખેડૂત માટે મશીનનો તથા ઉપયોગ કરવો અશક્ય છે. બળદો હળ જોડવા, વાવણી માટે સિંચાઈ કરવા, ખોદવા માટેના પાકને ખેતરમાંથી ઘરે લઈ જવા ધરેથી ખેતરમાં લઈ જવા સુધીના દરેક કામમાં ઉપયોગી થાય છે. ગાયની જગ્યાએ બળદ પાળવામાં આવે તો ખેડૂતનો આ ઉદ્દેશ્ય પૂરો નથી થતો. બળદ જેટલું વધારે કામ કરે છે અને જેટલો મહેનતુ હોય છે એટલો પાડો નથી હોતો. બળદોને વેચવા જઈએ તો પાડાથી બે-ત્રણ ગણી વધારે કિંમતે વેચાય છે. જરૂરિયાતથી વધારે બળદો હોય તો એમને વેચવામાં આવે છે. આજની પ્રગતિની દોડમાં આપણો દેશ ત્યારે જ દોડી શકશે જ્યારે આપણા દેશના ખેડૂતોની આર્થિક સ્થિતિ મજબૂત હશે. તેમની પાસે જ્યારે ઉત્તમ પ્રકારનું બિયારણ ખરીદવા પૂરતા પૈસા હશે, થોડી જમીનમાં વધારે અન્ન ઉગાડવા માટે પૂરતું ખાતર હશે, તનતોડ મહેનત કરવા માટે તેમને સ્વાસ્થ્યવર્ધક ખોરાક મળશે, ત્યારે એ લોકો વધતી જતી જનસંખ્યાનો ભાર ઉઠાવી શક્શે. આ બધાની પૂર્તિને માટે ખેડૂતભાઈઓ ગૌપાલન અને ગૌસંવર્ધન પૂરક વ્યવસાયના રૂપમાં અપનાવશે તો જ તે લોકો આ પ્રકારના પ્રશ્નોથી બચવા સમર્થ થશે.

ગૌરક્ષા એક અનિવાર્ય રાષ્ટ્રીય કર્તવ્ય

ગૌરક્ષા એક અનિવાર્ય રાષ્ટ્રીય કર્તવ્ય

ઋષિમુનિઓના સમયના મહાપુરુષોએ ગાયને માતાના સંબોધનથી સંબોધી છે. “ગાય સર્વશ્રેષ્ઠ પૂજનીય તથા સંસારનું સર્વોત્તમ પ્રાણી છે.” સામાન્ય રીતે ભારતીય સમાજમાં ગાયને સર્વાધિક માન્યતા આપવાનું કારણ આ જ જણાય છે કે એનાથી ખેતીના કામ માટે જરૂરી વાછરાં, બળદ તથા ઉચ્ચ પ્રકારનું ખાતર વગેરે મળે છે, પરંતુ એ જ કારણ પૂરતું નથી. એક અન્ય કારણ પણ એ છે કે એના દૂધમાં જે વિશેષતા જોવા મળે છે, તે એટલી અદ્ભુત છે કે બીજા કોઈ પણ પ્રાણીના દૂધમાં એવી વિશેષતા જોવા મળતી નથી. માના દૂધનો એક માત્ર વિકલ્પ ગાયનું દૂધ છે. નવજાત બાળકો કાદાચ કોઈ કારણવશ માનું દૂધ પી નથી શક્તા તો તેમને માટે ગાયનું દૂધ સર્વશ્રેષ્ઠ છે.

પ્રસિદ્ધ જીવવિજ્ઞાની ડૉ. એસ. એ. પીપલ્સે પોતાના લાંબા ગાળાના સંશોધન પ્રયોગો અને પરીક્ષણો કર્યા પછી શોધ્યું છે કે મનુષ્યના શારીરિક બંધારણ માટે ગાયનું દૂધ સૌથી આરોગ્યપ્રદ, પૌષ્ટિક અને સંપૂર્ણ આહાર છે અને તેમાં સર્વ પ્રકારનાં જીવનપોષક તત્ત્વો મળે છે. જો કોઈ બીજો આહાર ન લેવામાં આવે અને ફક્ત ગાયના દૂધનું જ સેવન કરવામાં આવે તો મનુષ્ય ફક્ત સ્વસ્થ જ નહીં, બળવાન તથા સશક્ત જીવન પસાર કરી શકે છે અને તેનો સ્વભાવ પણ સાત્ત્વિક માનવોચિત ગુણોથી ઓતપ્રોત થઈ શકે છે.

ડૉ. પીપલ્સે ગાયના દૂધ પર કરેલાં નિરીક્ષણોમાં એ પણ જોયું છે કે કાદાચ ગાય કોઈ ઝેરી પાર્થ પણ ખાઈ ગઈ હોય તો પણ તેની અસર તેના દૂધમાં થતી નથી તેના શરીરમાં સામાન્ય ઝેરને પચાવવાની અદ્ભુત શક્તિ છે. બીજાં સ્તનધારી પશુઓ કદાચ કોઈ ઝેરી વસ્તુ ખાઈ જાય છે તો તેમના શરીરમાં એ ઝેર પચી જાય છે અને તેને કારણે મૃત્યુ થાય છે. વધારે પ્રમાણમાં ખવાઈ જાય તો એક જ વારમાં પશુ મરી જાય છે. ન્યૂયોર્કની વિજ્ઞાન એકેડેમીની એક બેઠકમાં બીજા વૈજ્ઞાનિકોએ પણ ડૉ. પીપલ્સના આ મતનું અનુમોદન આપ્યું. સામાન્ય રીતે એમ માનવામાં આવે છે કે જે દૂધ જેટલું વધારે ચીકાશવાળું હોય, તેટલું જ એ શ્રેષ્ઠ હોય છે. ખરેખર તો દૂધનું મહત્ત્વ ચીકાશથી નહીં, પરંતુ એમાંથી મળી આવતા પ્રોટીન અને ક્ષારને લીધે હોય છે. ગાયના દૂધમાં પ્રોટીન, ક્ષારો, વિટામિનો અને બીજાં પોષક તત્ત્વો બીજાં પશુઓના દૂધની સરખામણીમાં સૌથી વધુ તથા સંપૂર્ણ સમતોલ હોય છે. આ કારણે જ ગાયને પ્રાધાન્ય મળ્યું છે અને તેનો ઉછેર ધાર્મિક તથા આર્થિક દૃષ્ટિએ ખૂબ મહત્ત્વપૂર્ણ ગણાય છે.

ભેંસના દૂધમાંથી મળતું પ્રોટીન પચવામાં બહુ જ ભારે હોય છે, જ્યારે ગાયના દૂધમાંથી મળતું પ્રોટીન પચવામાં હલકું હોય છે. તેમાં વિટામિન એ, બી અને ડી ખૂબ પ્રમાણમાં હોય છે. શરીરમાં સતત ઉત્પન્ન થતાં ટોક્સિન્સ અને રોગયુક્ત ઝેરી પદાર્થોને દૂર ક૨વાવાળા જે એનાઇમ્સ ગાયના દૂધમાં હોય છે એ ભેંસના દૂધમાં નથી હોતાં.

પોષણ અને સ્વાસ્થ્યની દૃષ્ટિએ ગાયનું દૂધ અજોડ હોવાને લીધે ગાયનું મહત્ત્વ અસાધારણ તો છે જ, તેની સાથે આર્થિક દૃષ્ટિએ પણ તે ઓછી ઉપયોગી નથી. જો ગાયના વંશનું રક્ષણ કરવામાં નહીં આવે તો બળદો વગર આપણા ખેતીપ્રધાન દેશમાં ખેતી કેવી રીતે થઈ શકશે ? બળદોને બદલે ટ્રંકટ૨ વડે ભારતનો ગરીબ ખેડૂત પોતાનાં નાનાં નાનાં ખેતરોની ખેતી કેવી રીતે કરી શકશે ? તેને માટેના પૈસા એ ક્યાંથી લાવશે ! ત્યારબાદ નાનાં ગામડાંઓમાં તેને ચલાવવા માટે ડ્રાઇવર અને સમારકામ કરવા માટે કારીગર ક્યાંથી મળશે ? બીજું એ ટ્રેકટરો માટે આજની મોંઘવારીની પરિસ્થિતિમાં ડીઝલ ક્યાંથી મળશે ? તે ટ્રૅક્ટરો છાણ તો આપશે નહીં તો ખાતર ક્યાંથી મળશે ? આ બધી જ બાબતોને ધ્યાનમાં રાખીને એ નિષ્કર્ષ પર પહોંચાય છે કે ખેતી, આર્થિક વ્યવસ્થા, સ્વાસ્થ્ય અને ધાર્મિક, દરેક રીતે ગાયોને રક્ષણ મળવું જ જોઈએ.

ગૌરક્ષા અને ઉછેર એક રાષ્ટ્રીય કર્તવ્ય-ગાયનો મહિમા

પ્રસ્તાવના :   ગાયનો મહિમા ગાવામાં આવે છે અને મહત્ત્વ સમજાય છે. એનું કારણ એ નથી કે બીજાં પ્રાણીઓની અવગણના કે ઉપેક્ષા કરવામાં આવી છે. બધાં પ્રાણીઓ પોતાના સ્થાન પર પોતપોતાની યોગ્યતા વડે ઉપયોગી થાય છે. આ બધાં પ્રાણીઓને ઉપયોગિતાની દૃષ્ટિએ જ પાળવામાં આવે છે. જે કોઈ પ્રાણી પોતાની કસોટીમાંથી પાર નથી ઊતરતું તેને જંગલમાં છોડી દેવામાં આવે છે, જેથી તે શાંતિથી જીવી શકે. સૌથી પહેલાં ગાયને પાળવાની શરૂઆત થઈ. તેના મહિમાનાં ગુણગાન વેદશાસ્ત્રોમાં પણ ગાવામાં આવ્યાં છે. ગાયના દાનનું મહાત્મ્ય ખૂબ જ ભારપૂર્વક બતાવવામાં આવ્યું છે. તેને અનિંદનીય અને પૂજા કરવા યોગ્ય કહેવામાં આવી છે. ગાયનું દૂધ, તેનાં વાછરડાંઓનો શ્રમ, તેના શરીરનું ચામડું કેટલાય કામમાં આવી શકે છે. મૃત્યુ બાદ પણ તેના શરીરના બધા અવયવો ખાતર વગેરેના કામમાં આવે છે. ગાયનું છાણ અને ગૌમૂત્રનો પણ જુદી જુદી રીતે ઉપયોગ થાય છે. આવાં અનેક કારણોને ધ્યાનમાં રાખીને ગૌપાલન, ગૌસંવર્ધન, વૃષોત્સર્ગને પુણ્યનું કાર્ય માનવામાં આવ્યું છે.

ઉપયોગિતાવાદના આ યુગમાં ગાયની અવગણના કરીને ભેંસને અધિક મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે. દૂધનાં પૈસા ઊપજાવવા જ જેમની દૃષ્ટિ સીમિત છે, તેવા લોકો ભેંસ પાળવાનું જ પસંદ કરે છે, કારણ કે તે દૂધ વધારે પ્રમાણમાં આપે છે અને તેના દૂધમાં ચીકાશ પણ વધારે પ્રમાણમાં હોય છે. પરંતુ વિચારણાનો આ દૃષ્ટિકોણ બહુ જ સંકુચિત છે. કદાચ અલગ અલગ દૃષ્ટિકોણથી વિચારવામાં આવે તો ભેંસ ગાયની બરોબર કરી શકે જ નહીં.

ગૌવધની વાત આવતાં કેટલાક લોકો પોતાનો ખોટો સ્વાર્થ છુપાવવા માટે એવું કહેવા માંડે છે કે જો એનો વધ ન કરવામાં આવે તો થોડાક જ દિવસોમાં એની સંખ્યા એટલી બધી વધી જશે કે એને માટે ઘાસચારાની અને રહેવાની વ્યવસ્થા કરવાનું મુશ્કેલ થઈ જશે.

જનસંખ્યા વધી જવાને કારણે મનુષ્યોનું જ પેટ ભરવું મુશ્કેલ છે, તો પછી આ ફાલતુ ગાય-બળદો માટે ઘાસચારો ક્યાંથી આવશે ? સાચી વાત તો એ છે કે આ રીતે ગૌવધનું બહાનું કાઢનાર અને ગાય પ્રત્યે પ્રેમ દર્શાવનાર બંને જણા ભ્રમમાં છે

ગાય અને બીજાઓને પણ ભ્રમમાં રાખવાનો પ્રયત્ન કરે છે.

કેટલીયે વાર છાપાંઓમાં વાંચવા મળે છે કે -બળદોથી ભરેલી ટ્રકો પકડવામાં આવી કહેવાય છે કે આ બધાં પશુઓને કતલખાનામાં મોકલવામાં આવતાં હતાં. કતલખાનામાં માલિકો આમ તો લગભગ મુસલમાનભાઈઓ જ હોય છે. આને આધારે જ ગૌવધને સાંપ્રદાયિક રૂપરંગ પણ આપવામાં આવે છે. આ સંબંધમાં એક મુસલમાન સજ્જનનાં આ ઉદ્ગાર વાક્યો વિચાર કરવા યોગ્ય છે “ગૌવધ માટે મુસલમાનો, કસાઈઓ અને ચામડાંના કારખાના- વાળાઓને દોષ દઈએ, એના પહેલાં આપણે આપણી જવાબદારીનો વિચાર કેમ ન કરીએ ? જો ગાય માટે આપણી સાચી શ્રદ્ધા હોત તો શું માંસ, ચામડું કે કોઈ પણ વસ્તુ માટે પણ ગાય ક્તલખાને ન જાત

વાસ્તવિકતા તો એ છે કે ના તો હિન્દુભાઈઓના મનમાં ગાયમાતાને માટે પહેલાં જેવી શ્રદ્ધા છે અને ના તો આપણા આખા ભારતીય હિન્દુ, મુસલમાન, ખ્રિસ્તી સમાજને ગાયની ઉપયોગિતાની પૂરેપૂરી જાણકારી છે. યુરોપ અને અમેરિકાવાસીઓ ગાયને જેટલું માન-સન્માન આપે છે, એ જોતાં તો આપણા દેશવાસીઓની અજ્ઞાનતા અને મૂર્ખતા પર બહુ જ દુઃખ અને પીડા થાય છે.

ગામની જાતિ માટે નિરંતર વધતી જતી અવગણનાનો ભાવ આજે એક ચિંતાનું કારણ બની ગયું છે. આપણા પૂર્વજોએ ગાયને માતાનો દરજ્જો ગમે તેમ આપ્યો ન હતો. ગાય એક અતિશય સંવેદનશીલ અને ખૂબ જ ઉપયોગી પ્રાણી છે. તેની આ બંને જાતની વિશેષતાઓને આપણા પૂર્વજોએ સમજીને તેને માટે પોતાની લાગણી દર્શાવી હતી. એના બદલામાં ગાયની જાતિએ આ દેશમાં દૂધ દર્દીની નદીઓ વહેવડાવી અને આખી પૃથ્વીને હરિયાળીથી ભરી દીધી.

આપણે આજે આપણા પૂર્વજોથી ઉપયોગિતાવાદી દીર્ઘદૃષ્ટિને ભૂલી ગયા છીએ અને પોતાના દેખીતા સ્વાર્થના ઘેરાવામાં કેદ થઈને પોતાના હાથે જ પોતાના પગ પર કુઘડી મારવા તૈયાર થઈ ગયા છીએ. જો આ જ પરિસ્થિતિ કાયમ માટે રહી તી આગલી પેઢીઓ માટે દુઃખદાયક પરિસ્થિતિનો પાયો નંખાઈ જશે.

આપણે તેથી જરૂરી છે કે ગાયનું મહત્ત્વ અને ઉપયોગિતાને વગ૨ વિલંબે સમજીએ અને સમજાવીએ. આ કાર્યમાં પંથ, સંપ્રદાય, ધર્મને રસ્તાનો પથ્થર ન બનવા દઈએ. આપણા પૂર્વજોની દીર્ઘદૃષ્ટિને સમજીએ અને તે સાથે જ યુરોપ અને અમેરિકાવાસીઓ પાસેથી પણ પ્રેરણા મેળવીએ.

ગાયની જાતિની ઉપયોગિતા, મહત્ત્વ, જરૂરિયાત વગેરેને ધ્યાનમાં રાખીને આ સંકલનમાં થોડા લેખોનો સંગ્રહ કરવામાં આવ્યો છે. એનો જેટલો વધારે પ્રચાર અને પ્રસાર થશે એટલું જ આપણે માટે હિતકર હશે.

સદગુરુને પ્રાર્થના : એક તુમ્હી આધાર સદગુરુ

સદગુરુ પ્રાર્થના :
એક તુમ્હી આધાર સદગુરુ । જબ તક મિલો ન તુમ જીવનમે શાંતિ કહા મિલ સક્તી મન મેં ||
ખોજ ફિરા સ’સાર સદગુરુ  || એક તુમ્હી આધાર સદગુરુ
કૈસા ભી હો તૈરન હારા । મિલે ન જબ તક શરણ સહારા ।।
હો ન સકા ઉસ પાર સદગુરુ || એક તુમ્હી આધાર સદગુરુ
હે પ્રભુ તુમ્હી વિવિધ રૂપા મેં | હમ બચાતે ભવ કૂપોં સે |
એસે પરમ ઉદાર સદગુરુ | એક તુમ્હી આધાર સદગુરુ
હમ આયે હૈ દ્વાર તુમ્હારે । અબ ઉદ્ધાર કરો દુઃખહારે ॥
સુન દાસ પુકાર સદગુરૂ | એક તુમ્હી આધારે સદગુરુ ॥

સદગુરુને પ્રાર્થના : Sadguru ke Prathna, એક તુમ્હી આધાર સદગુરુ, Ek tumhi Aadhar Sadguru

“ઋષિ ચિંતન”યુ ટ્યુબ ચેનલમાંથી મળી રહેશે એવી આશા રાખું છુ. ઋષિ ચિંતન ચેનલ – યુ ટ્યૂબ માં જોડાવવા ક્લિક ક્લિક કરો https://bit.ly/3sHAnZr … 

સજલ શ્રદ્ધા – પ્રખર પ્રજ્ઞા દર્શન કરીએ

સજલ શ્રદ્ધા – પ્રખર પ્રજ્ઞા દર્શન કરીએ

ગાયત્રી-જપના લાભ, ગાયત્રી મહાવિજ્ઞાન–૨

ગાયત્રી-જપના લાભ, ગાયત્રી મહાવિજ્ઞાન–૨

ગાયત્રીનો જપ કરવાથી કેટલો બધો લાભ થાય છે એ વાતનો થોડોક ખ્યાલ આપણને નીચેનાં કેટલાંક પ્રમાણો દ્વારા આવી શકશે. બ્રાહ્મણ ને માટે તો આ જપને ખાસ જરૂરી ગણ્યો છે કારણ કે બ્રાહ્મણત્વનો બધો જ આધાર સદ્બુદ્ધિ પર જ છે અને એ સદ્બુદ્ધિ ગાયત્રીના બતાવ્યા મુજબના માર્ગે ચાલવાથી જ મળે છે.

સર્વેષાં વેદાનાં ગુહ્યોપનિષત્સારભૂતાં તતો ગાયત્રી જપેત્  | છાંદોગ્ય પરિશિષ્ટમ્

ગાયત્રી સમસ્ત વેદોનો અને ગુહ્ય ઉપનિષદોનો સાર છે. એથી ગાયત્રી મંત્રનો નિત્ય જપ કરવો જોઈએ.

સર્વ વેદ સારભૂતા ગાયત્ર્યાસ્તુ સમર્ચના | બ્રહ્માદયોડપિ સન્ધ્યાયાં તાં ધ્યાયાન્તિ જપન્તિ ચ ||  

દેવી ભાગવત સ્ક. ૧૬ અ. ૧૬/૧૫

ગાયત્રી મંત્રની આરાધના સર્વવેદોનો સાર છે. બ્રહ્મા વગેરે દેવતાઓ પણ સંધ્યાકાળ દરમ્યાન ગાયત્રીનું ધ્યાન અને જપ કરે છે.

ગાયત્રી માત્ર નિષ્ણાતો દ્વિજો મોક્ષમવાપ્નુયાત્  ||

દેવી ભાગવત સ્ક. ૧૨ અ. ૮/૯૦

માત્ર ગાયત્રીની જ ઉપાસના કરનાર બ્રાહ્મણ મોક્ષને પ્રાપ્ત કરે છે.

એહિકામુષ્મિકં સર્વ ગાયત્રી જપતો ભવેત્  |  અગ્નિ પુરાણ

ગાયત્રીનો જપ કરનારને લૌકિક તેમજ પારલૌકિક બધાં જ સુખ પ્રાપ્ત થાય છે.

યોડધીમેડહન્યનયેતાં ત્રીણિ વર્ષાણ્યતન્દ્રિતઃ | સ બ્રહ્મ પરમધ્યેતિ વાયુભૂતઃ સ્વમૂર્તિમાન્ | મનુસ્મૃતિ

જે પુરુષ તત્પરતાપૂર્વક ત્રણ વર્ષ સુધી પ્રતિદિન ગાયત્રીનો જપ કરે છે તે અવશ્ય વાયુરૂપ થઈને તથા આકાશરૂપ બનીને બ્રહ્મને પ્રાપ્ત કરે છે.

કુર્યાદન્યન્ન વા કુર્યાત્ ઇતિ પ્રાહ  મનુ: સ્વયમ્ | અક્ષયમોક્ષમવાપ્નોતિ ગાયત્રી માત્ર જાપનાત્ |  શૌનકઃ

મનુ ભગવાને જાતે જ એમ કહ્યું છે કે બીજું કંઈ કરે કે ન કરે, માત્ર ગાયત્રી જપથી જ બ્રાહ્મણ અક્ષય મોક્ષને પ્રાપ્ત કરે છે.

ત્રિભ્ય એવ તુ વેદેભ્ય પાદં પાદમદૂહત્  | તદિત્યૃચોડસ્:યા સાવિત્ર્યા: પરમેષ્ઠી પ્રજાપતિઃ ||

પરમેષ્ઠી પિતામહ બ્રહ્માજીએ એક-એક વેદથી સાવિત્રીના એક-એક પદની રચના કરીને ત્રણ પદોની રચના કરી છે.

એતયા જ્ઞાતયા સર્વ વાડ્ડયં વિદિતં ભવેત્ | ઉપાસિતં ભવેત્તેન વિશ્વં ભુવનસપ્તકમ્ ||  યોગી યાજ્ઞવલ્કય

ગાયત્રીને યોગ્ય રીતે જાણી લીધાથી મનુષ્ય સમસ્ત વિદ્યાઓનો જ્ઞાતા બને છે તેણે ફક્ત ગાયત્રીની જ ઉપાસના કરી નથી, પણ સાતે લોકોની ઉપાસના કરી લીધી છે એમ ગણાય.

ઓંકારપૂર્વકાસ્તિસો ગાયત્રીં યશ્ચ વિન્દતિ | ચરિતબ્રહ્મચર્યશ્ચ સ વૈ શ્રોત્રિય ઉચ્યતે |  યોગી યાજ્ઞવલ્કય

જે બ્રહ્મચર્યપૂર્વક ૐકાર તેમજ મહાવ્યાહૂતિઓ સહિત ગાયત્રી મંત્રનો જપ કરે છે તે શ્રોત્રિય છે.

ઓંકારસહિતાં જપન્ તાં ચ વ્યાહૃતિપૂર્વકમ્ | સન્ધ્યયોર્વેદવિદ્વિપ્રો વેદ-પુણ્યન મુચ્યતે ||  મનું સ્મૃતિ અ ૨/૭૮

જે બ્રાહ્મણ બંને સંધ્યા સમયે પ્રણવ અને વ્યાહૃતિપૂર્વક ગાયત્રી મંત્રનો જપ કરે છે તેને વેદપાઠનું ફળ પ્રાપ્ત થાય છે.

ગાયત્રીં જપતે યસ્તુ દ્વિકાલં બ્રાહ્મણઃ સદા | અસ્ત્પતિગૃહીતોડપિ સ યાતિ પરમાં ગતિમ્ | અગ્નિપુરાણ

જે બ્રાહ્મણ હંમેશા સંધ્યાકાળે અને પ્રાત:કાળમાં ગાયત્રીનો જપ કરે છે તે બ્રાહ્મણ અયોગ્ય દાન લેવા છતાં પણ પરમ ગતિને પામે છે.

સકૃદપિ જપેદ્વિદ્વાન્ ગાયત્રીં પરમાક્ષરીમ્ | તત્ક્ષણા ત્ સંભવેત્સિદ્ધિબ્રહ્મ  સાયુજ્યમાપ્નયાત્ ||  ગાયત્રી પુરશ્ચરણ ૨૮

શ્રેષ્ઠ અક્ષરોવાળી ગાયત્રીનો એકવાર પણ વિદ્વાન જપ કરે તો તે જ ક્ષણે તેને સિદ્ધિ પ્રાપ્ત થાય છે. અને બ્રહ્મનું સાયુજ્ય મેળવે છે.

જપ્યેનૈવ તુ સંસિદ્ ધ્યેત્ બ્રાહ્મણો નાત્ર સંશય: | કુર્યાદન્યન્ન વા કુર્યામૈત્રો બ્રાહ્મણ ઉચ્યતે ||  મનું. ૯૭

જપથી બ્રાહ્મણ સિદ્ધિને પામે છે, એમાં સંશય નથી. તે બીજું કંઈ કરે ન કરે તો પણ તે મૈત્ર (સૂર્યોપાસક) કહેવાય છે.

કુર્યાદન્યન વા કુર્યાદનુષ્ઠાનાદિકં યથા | ગાયત્રી માત્ર નિષ્ઠસ્તુ કૃતકૃત્યો ભવેત્ દ્વિજઃ || ગાયત્રી તંત્ર ૮

બીજા પ્રકારનાં અનુષ્ઠાનો વગેરે કરે કે ન કરે તો પણ માત્ર ગાયત્રીની ઉપાસના કરવાવાળો દ્વિજ કૃતકૃત્ય (ધન્ય) બની જાય છે.

સંધ્યાસુ ચાદર્યદાન ચ ગાયત્રી જયમેવ ચ | સહસ્રત્રિતયં કુર્વન્ સુરૈ: પૂજ્યો ભવેન્મુને ||   ગાયત્રી મંત્ર શ્લોક

હે મુનિ ! સંધ્યાકાળ દરમિયાન નિત્ય અર્ધ્યદાન અને ત્રણ હજાર ગાયત્રી જપ માત્રથી પુરુષ દેવોનો પણ પૂજ્ય બની જાય છે.

યદક્ષરૈકસંસિદ્ધઃ સ્પર્ધતે બ્રાહ્મણોત્તમઃ | હરિશંકરકંજોત્થ સૂર્યચન્દ્રહુતાશનૈઃ ||  ગાયત્રી પુર. ૧૧

ગાયત્રીના માત્ર એક અક્ષરની સિદ્ધિથી હરિ, શંકર, બ્રહ્મા, સૂર્ય, ચંદ્ર, અગ્નિ વગેરે દેવતાઓ પણ, સાધક એવા ઉત્તમ બ્રાહ્મણની સ્પર્ધા કરવા લાગે છે.

દશ સહસ્ત્રમભ્યસ્તા ગાયત્રી શોધની પરા |  લઘુ અત્રિસંહિતા

દશ હજાર ગાયત્રીનો જપ પરમ શુદ્ધિ કરવાવાળો ગણાય છે.

સર્વેષાગ્ચૈવ પાપાનાં સંકરે સમુપસ્થિતે | દશસહસ્ત્રકાભ્યાસો ગાયત્યાઃ શોધનં પરમ્ ||  

સર્વ પ્રકારનાં પાપ ભેગાં થઈ ગયાં હોય ત્યારે દસ હજાર ગાયત્રીનો જપ પરમ શુદ્ધિકારક ગણાય છે.

ગાયત્રીમેવ યો જ્ઞાત્વા સમ્યગુચ્ચરતે પુનઃ | ઈહામુત્ર ચ પૂજ્યોડસૌ બ્રહ્મલોકમવાપ્નુયાત્  || વ્યાસ

ગાયત્રીને યોગ્ય રીતે જાણીને જે તેનું ઉચ્ચારણ કરે છે તે આ લોક અને પરલોકમાં બ્રહ્મના સાયુજ્યને પ્રાપ્ત કરે છે.

મોક્ષાય ચ મુમુક્ષૂણાં શ્રી કામાનાં શ્રિયે તદા | વિજયાય યુયુત્સૂનાં વ્યાધિતા નામરોગકૃત્ ||  ગાયત્રી પંચાગ ૧

ગાયત્રીની સાધનાથી મોક્ષાર્થીઓને મોક્ષ, લક્ષ્મીની ઇચ્છાવાળાઓને લક્ષ્મી, યુદ્ધની ઇચ્છાવાળાઓને વિજય તથા વ્યાધિથી પીડિતોને નીરોગતા પ્રાપ્ત થાય છે.

વશ્યાય વશ્ય કામાનાં વિદ્યાયૈ વેદકામિનામ્ | દ્રવિણાય દરિદ્રાણાં પાપિનાં પાપશાન્તયે ||

વશ કરવાની ઇચ્છાવાળાઓને વશીકરણ પ્રાપ્ત થાય છે, વેદના જ્ઞાનની ઇચ્છાવાળાઓને વિદ્યા મળે છે, દરિદ્ર લોકોને દ્રવ્ય મળે છે અને પાપીઓનાં પાપ શાંત થાય છે.

વાદિનાં વાદ-વિજયે કવીનાં કવિતાપ્રદમ | અન્નાય ક્ષુધિતાનાં ચ સ્વર્ગાય નાકમિચ્છતામ્ ||  

વાદવિવાદ કરનારને વાદવિવાદમાં વિજય મળે છે, કવિઓને કાવ્યની પ્રાપ્તિ થાય છે, ભૂખ્યાને અન્ન મળે છે અને સ્વર્ગની ઇચ્છાવાળાઓને સ્વર્ગ મળે છે.

પશુભ્યઃ પશુકામાનાં પુત્રેભ્યઃ પુત્રકામિનીનામ્ |  કલેશિતાં શોક-શાન્ત્યર્થ નૃણાં શત્રુભયાય ચ |

પશુઓની ઇચ્છાવાળાઓને પશુ, પુત્રની ઈચ્છાવાળાઓને પુત્ર, કલેશ પીડિતોને શોકની શાંતિ અને શત્રુની ભયથી પીડાતા મનુષ્યોને અભય પ્રાપ્ત થાય છે.

અષ્ટાદશસુ વિદ્યાસુ મીમાંસાહસ્તિ ગરીયસી | તતોડપિ તર્કશાસ્ત્રાણિ પુરાણે તેભ્ય એવ ચ ||

અઢાર વિદ્યાઓમાં મીમાંસા શ્રેષ્ઠ છે તેનાથી પણ તર્કશાસ્ત્રો ચઢિયાતા છે અને તેમનાથી પણ પુરાણ ચઢિયાતા છે.

તતોડપિ ધર્મશાસ્ત્રાણિ તેલ્યો ગુર્વી શ્રુતિનૃપ | તતો હ્યુપનિષત્ શ્રેષ્ઠા ગાયત્રી ચ તતોધિકા ||  

તેથી પણ (પુરાણોથી પણ) ધર્મશાસ્ત્રો ચઢિયાતા હે રાજન ! તેથી ચઢિયાતી શ્રુતિ (વેદ) છે અને તેનાં કરતાં ઉપનિષદો શ્રેષ્ઠ છે અને ઉપનિષદો કરતાં પણ ગાયત્રી અધિક શ્રેષ્ઠ છે.

તાં દેવીમુપતિષ્ઠન્તે બ્રાહ્મણઃ યે જિતેન્દ્રિયાઃ | તે પ્રયાન્તિ સૂર્ય લોકં ક્રમાન્મુકિતગ્ચ પાર્થિવ ||  પદ્મ પુરાણ

રાજા ! જે જિતેન્દ્રિય બ્રાહ્મણો ગાયત્રીની ઉપાસના કરે છે, તે જરૂર સૂર્યલોકમાં જાય છે અને ક્રમે ક્રમે મુક્તિ પણ મેળવે છે.

સાવિત્રી સાર માત્રોડપિ વરં વિપ્રઃ સુમન્ત્રિતઃ |

ચારે વેદોની સારરૂપ એવી સાવિત્રી (ગાયત્રી)ને વિધિ સહિત જાણનારો બ્રાહ્મણ શ્રેષ્ઠ છે.

ગાયત્રી યસ્તુ જયતિ ત્રિકાલ બ્રાહ્મણ: સદાઃ | અર્થી પ્રતિગ્રહી વાપિ સ યચ્છેત્  પરમાં ગતિમ્ | ૩ |

જે બ્રાહ્મણ ત્રણે કાળમાં ગાયત્રીના જપ કરે છે તે ભિક્ષા માગનારો કે દાન લેનારો હોય તો પણ પરમ ગતિ પ્રાપ્ત કરે છે

ગાયત્રી યસ્તુ જપતિ કલ્યમુત્થાય યો દ્વિજઃ | સ લિમ્પતિ ન પાપેન પદ્મ-પત્રમિવાંભસા ||  

જે બ્રાહ્મણ ઊઠીને ગાયત્રીનો જપ કરે છે તે જળમાં કમળપત્રની માફક પાપથી લેપાતો નથી.

અર્થોડયં બ્રહ્મ સૂત્રાણાં ભારતાર્થો વિનિર્ણયઃ | ગાયત્રી ભાષ્ય રૂપોડસૌ વેદાર્થ: પરિબૃંહિતઃ | મત્સ્ય પુરાણ

ગાયત્રીનો અર્થ “બ્રહ્મસૂત્ર’ છે. ગાયત્રીનો નિર્ણય મહાભારત છે. ગાયત્રીના અર્થ વેદોમાં કરવામાં આવ્યા છે.

જપન્ હિ પાવનીં દેવીં ગાયત્રીં વેદમાતરમ્ | તપસો ભાવિતો દેવ્યા બ્રાહ્મણઃ પૂતકિલ્વિષઃ ||  કૂર્મ પુરાણ

વેદજનની પવિત્ર ગાયત્રીને જપતો બ્રાહ્મણ અનેક પાપોથી મુક્ત બની જાય છે.

ગાયત્રી ધ્યાનપૂતસ્ય કલાં નાર્હતિ ષોડશીમ્ | એવં કિલ્વિષયુક્તસ્ય વિનિર્દહતિ પાતકમ્ | – કૂર્મ પુરાણ

ગાયત્રીના ધ્યાનથી પવિત્ર બનેલાની સોળમી કળાને (ફક્ત એક કળાને) પણ કોઈ પહોંચી શકતું નથી. આ રીતે ગાયત્રી પાપીનાં પાપોને જલદી જ બાળી મૂકે છે.

ઉભે સન્ધ્યે  હ્યુપાસીતાતસ્તાન્નિત્યં દ્વિજોત્તમ | છદસ્તસ્યાસ્તુ ગાયન્તં ગાયત્રીત્યુચ્યતે તતઃ | મત્સ્ય પુરાણ

હે દ્વિજ શ્રેષ્ઠ ! ગાયત્રીનું તેના છંદ અનુસાર બંને સંધ્યાકાળમાં ધ્યાન કરવું જોઈએ. ગાન કરનારનો તે ઉદ્ધાર કરે છે તેથી તેને ગાયત્રી કહી છે.

ગાયન્તં ત્રાયતે યસ્માતું ગાયત્રી તુ તતઃ સ્મૃતા |  મારીચ ! કારણાત્તસ્માત્ ગાયત્રી કીર્તિતા મયા ||

લંકેશ તંત્ર

હે મારીચ ! ગાન કરનારનો તે ઉદ્ધાર કરે છે તેથી જ તે ગાયત્રી કહેવાઈ છે અને તે જ કારણે મેં એ ગાયત્રીનાં ગુણગાન કર્યા છે.

તતઃ બુદ્ધિમત્તાં શ્રેષ્ઠ નિત્ય સર્વેષુ કર્મસુ | સવ્યાહૃતિં સપ્રણવાં ગાયત્રીં શિરસા સહ ||

જપન્તિ યે સદા તેષાં ન ભયં વિદ્યતે ક્વચિત્ ||  દશકૃત્વઃ પ્રજપ્યા સા રાત્ર્યહનાપિ કૃતં લઘુ ||

હે બુદ્ધિમાનોમાં શ્રેષ્ઠ ! પોતાનાં નિત્ય નિયમિત બધાં કાર્યો કરતાં કરતાં ત્રણ વ્યાહૃતિઓ તથા પ્રાણવાન ઉચ્ચારણ સહિત જે પુરુષ હંમેશાં ગાયત્રીનો જપ કરે છે તેને ક્યાંય ભય રહેતો નથી. ગાયત્રીનો દસ વાર જપ કરવાથી રાત્રિ અને દિવસનાં લઘુ (નાના) પાપો નષ્ટ થઈ જાય છે.

કામુકો લભેત્ કામાન્ ગતિકામશ્ચ સદ્ગતિમ્ | અકામઃ સમવાપ્નોતિ તદ્વિષ્ણો: પરમં પદમ્ |

કામની ઇચ્છાવાળાને કામની પ્રાપ્તિ થાય છે અને જેઓ મોક્ષની ઇચ્છાવાળા છે તેમને સદ્ગતિ મળે છે. જેઓ નિષ્કામ ભાવનાથી ગાયત્રીની ઉપાસના કરે છે, તેમને વિષ્ણુ પરમ પદ મળે

એતદક્ષરમેકાં ચ જપત્ વ્યાહૃતિપૂર્વકમ્ | સધ્યયોર્વેદવિદ્વિપ્રો વેદ-પુણ્યન યુજ્યતે ||

વ્યાહૃતિપૂર્વક આ ગાયત્રીનો બંને સંધ્યાકાળમાં જપ કરનાર બ્રાહ્મણ વેદપાઠનું પુણ્ય મેળવે છે.

ઇયન્તુ સવ્યાહૃતિકા દ્વારં બ્રહ્મંપદાપ્તયે |  તસ્માપ્રતિદિનં વિપ્રરધ્યેતવ્યા ત્યૈવ સા ||

આ ગાયત્રી બ્રહ્મપદની પ્રાપ્તિનું દ્વાર છે. તેથી બ્રાહ્મણે વ્યાહૃતિપૂર્વક આનું નિત્ય અધ્યયન (મનન) કરવું જોઈએ.

યોડધીતેડંહન્યહન્તેતાં  ત્રીણિ વર્ષાણ્યતન્દ્રિત: | સ બ્રહ્મ પદમધ્યેતિ વાયુભૂતઃ સ મૂર્તિમાનું ||

          જે તંદ્રા રહિત થઈને (આળસ છોડીને) ત્રણ વર્ષ સુધી નિયમિત રૂપે આ ગાયત્રીનો જપ કરે છે તે વાયુરૂપ બનીને તથા આકાશ રૂપ થઈને નિઃસંદેહ બ્રહ્મને પામે છે.

તત્પામં પ્રણુદયાશુ નાત્ર કાર્યા વિચારણા | શતં જપ્ત્વા તુ સા દેવી પાપૌધશમની સ્મૃતા ||  

એ વાતમાં જરા પણ સંદેહ રાખવાની જરૂર નથી કે આ ગાયત્રી એકદમ પાપોનો નાશ કરે છે. સો વાર જપ કરવાથી આ ગાયત્રી પાપોના સમૂહનો વિનાશ કરે છે.

વિધિના નિયતં ધ્યાયેત્ પ્રાપ્નોતિ પરમ પદમ્ | યથા કથગ્ચિજજપિતા ગાયત્રી પાપહારિણી || સર્વ કામપ્રદા પ્રોક્તા પૃથકકર્મ્મસુ નિષ્ઠિતા |

વિધિપૂર્વક નિયમિત રીતે ધ્યાન કરવાથી પરમ પદની પ્રાપ્તિ થાય છે. (અરે !) ગમે તેવી રીતે જપવાથી પણ ગાયત્રી પાપોનો વિનાશ કરે છે. ભિન્ન ભિન્ન કાર્યોના ઉદ્દેશથી કરવામાં આવતો જપ પણ અપેક્ષિત સિદ્ધિ આપે છે.

ગાયત્રી – માહાત્મ્ય,  ગાયત્રી મહાવિજ્ઞાન – ૨

ગાયત્રી – માહાત્મ્ય,  ગાયત્રી મહાવિજ્ઞાન – ૨

ગાયત્રીના આટલાં બધા મોટા લાભોના મૂળમાં એવા ક્યાં ક્યાં કારણો હશે જેથી આપણને આટલી બધી નવાઈ લાગે છે ? આ બાબતનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરવું એ તો મનુષ્યને માટે ઘણું મુશ્કેલ છે. પરંતુ એ મહાન કારણોમાંનું એક કારણ એ પણ છે કે આ ગાયત્રીની પાછળ અનેક મનસ્વી સાધકોનું ઝગમગતું સાધના બળ કામ કરી રહ્યું છે. સૃષ્ટિની રચના કરનાર બ્રહ્માથી માંડીને આધુનિક સમય સુધી સર્વ ઋષિ-મુનિઓએ, સાધુ-મહાત્માઓએ તેમજ શ્રેય માર્ગના પથિકોએ ગાયત્રી મંત્રનો આશ્રય લીધો છે. આ બધાઓએ જેટલાં સાધના, જપ, અનુષ્ઠાન વગેરે ગાયત્રી મંત્રનાં કર્યાં છે, તેટલાં અન્ય કોઈ મંત્રાદિનાં કર્યા નથી. તેમણે પોતાની અત્યંત ઉચ્ચ ભાવનાઓને અધિકાધિક એકાગ્રતા અને તન્મયતાપૂર્વક ગાયત્રી મંત્રમાં જ લગાડી છે. અનેક યુગોથી આ ક્રમ ચાલતો આવ્યો છે. આ રીતે આ એક જ મંત્રની પાછળ ઉચ્ચ કોટિની આત્માની વીજળી શક્તિ એટલી બધી ભળી છે કે જેને કારણે બધા સૂક્ષ્મ લોકમાં એનો એક ભવ્ય શક્તિપુંજ એકત્ર થઈને ફેલાઈ ગયો છે.

વિજ્ઞાન કહે છે કે કોઈ શબ્દ અથવા વિચારનો કદી નાશ થતો નથી. જે શબ્દ બોલાય છે કે જે વિચારો રજૂ થાય છે તે મોજાંઓના રૂપમાં આકાશમાં ફેલાઈ જાય છે અને અનંતકાળ સુધી સૃષ્ટિના વાતાવરણમાં કોઈને કોઈ રૂપમાં હયાત રહેશે. વળી, જે મોજાં વિશેષ બળવાન હોય છે તે તો વધારે ઝળહળતાં રહે છે. મહાભારતના યુદ્ધનાં સ્મરણો અને તાનસેનનાં ગીતોનાં મોજાંઓને સૂક્ષ્મ આકાશમાંથી ઝીલીને તેમની રેકોર્ડો ઉતારવાનો પ્રયત્ન વૈજ્ઞાનિકો કરી રહ્યા છે. જો તેઓ સફળ થાય તો પ્રાચીન સમયની અનેક મહત્ત્વની વાતોને તેમના અસલી સ્વરૂપમાં આબેહૂબ રીતે આપણે સાંભળવા ભાગ્યશાળી થઈએ. એમ બને તો તો ભગવાન શ્રીકૃષ્ણના મુખમાંથી નીકળેલી ગીતાને આપણે એના મૂળ સ્વરૂપમાં જ સીધી જ સાંભળી શકીએ. એ શબ્દોને અને વિચારોને સૂક્ષ્મ સ્વરૂપમાંથી સ્થળ બનાવવાનું કાર્ય હજી ઘણા સમય સુધી કદાચ મુશ્કેલ રહેશે. તેમ છતાં એટલું તો નિશ્ચિત છે કે એ બધાનું અસ્તિત્વ નષ્ટ થતું નથી. આજ સુધી જે અસંખ્ય મહાન વ્યક્તિઓ દ્વારા ગાયત્રી પ્રત્યેની શ્રદ્ધા અને સાધના કરવામાં આવી છે તેનો નાશ થયો, પરંતુ સૂક્ષ્મ જગતમાં નથી તેનું પ્રબળ અસ્તિત્વ આજ સુધી પણ છે. “એક જ પ્રકારના પદાર્થો એક જ જગ્યાએ એકત્ર થાય છે’ — એ સિદ્ધાંત મુજબ એ બધી જ સાધનાઓની શ્રદ્ધાઓ, ભાવનાઓ. તપશ્ચર્યાઓ અને વિધિઓ વગેરે બધું જ એક સ્થળે એકત્ર થઈને એક બળવાન ચૈતન્ય યુક્ત આધ્યાત્મિક વિધુત ભંડાર એકઠો થયો છે.

જેઓને વિચાર-વિજ્ઞાન (વિચારને લગતું શાસ્ત્ર) નો થોડો પણ ખ્યાલ હશે તેઓને ખબર હશે કે મનુષ્ય જેવો વિચાર કરે છે તેવા જ પ્રકારનું એક આકર્ષણ, એક ચુંબકીય તત્ત્વ તેના મગજમાં ઉત્પન્ન થાય છે. આ ચુંબકત્વ સમગ્ર આકાશમાં ઉડનારા એવા જ પ્રકારના બીજા વિચારને આકર્ષિત કરીને પોતાની નજીક ખેંચી લાવે છે અને બહુ થોડા જ વખતમાં તેની પાસે એ પ્રકારના વિચારોનો મોટો જથ્થો ભેગો થઈ જાય છે. સજ્જનતાના ગણોનો વિચાર કરનાર માણસો દિવસે દિવસે સજ્જનતાના વિચારો, ગુણ, કર્મો અને સ્વભાવોવાળા બનતા જાય છે. એ જ રીતે દુષ્ટતા તેમજ પાપના વિચારો કરનારનું મગજ એ દિશામાં વધારે ને વધારે હોશિયારીવાળું બનતું જાય છે. આ બધું વિચારોના આકર્ષણ અંગેના વિજ્ઞાનના સિદ્ધાંતો મુજબ બને છે. આ જ વિચાર વિજ્ઞાન મુજબ આ જગતના આરંભથી માંડીને આજ સુધીના મહાન પુરુષોએ જે વિચારો અવકાશમાં વહેતા કર્યા છે તે વિચારોની સાથે ગાયત્રીના સાધકોની વિચાર સાંકળો ભેગી થઈને એક બને છે. ઊંચી દીવાલ પર કોઈ વ્યક્તિ સાધનો વગર મહામહેનતે ચઢી શકે પણ દીવાલની સાથે કોઈ અનુકૂળ દાદર ગોઠવી આપે તો તેને આધારે માણસ સરળતાથી ભીંત પર ચઢી શકે. ભૂતકાળમાં થઈ ગયેલા સાધકોના બનાવેલા દાદર પર આપણે ગાયત્રી તત્ત્વ સુધી સરળતાપૂર્વક પહોંચી જઈ શકીએ અને એ સ્થાનમાં પ્રાપ્ત થતી બધી જ સમૃદ્ધિઓને સરળ રીતે ઓછા પ્રયત્ન પ્રાપ્ત કરી શકીએ.

ગાયત્રી સાધનામાં આપણે જેટલો શ્રમ કરવો પડે છે તેના કરતાં અનેક ગણી સહાયતા આપણને અગાઉ થઈ ગયેલા મહાન ઉપાસકોએ ફેલાવેલી મહાન સંપત્તિ દ્વારા મળે છે અને આપણે થોડા પ્રયત્ન દ્વારા જ એ લાભો મેળવી શકીએ છીએ જેના માટે વર્ષો પૂર્વે આવા લાભો મેળવવા અનહદ શ્રમ કરવો પડતો હશે. આજે તો સૂક્ષ્મ જગતની એવી સૂક્ષ્મ વ્યવસ્થા આપણે માટે તૈયાર જ છે. એના આધારે આપણે આ દિશામાં ઝડપથી આગળ વધી શકીએ છીએ. પાણીનું ટીપું સમુદ્રમાં પડીને સમુદ્ર બની જાય છે, એક સિપાઈ સેનામાં દાખલ થઈને સેનાનું એક અંગ જ બની જાય છે. એક નાગરિકના ખંભા ઉપર એની સરકારની સમગ્ર તાકાત હોય છે. એ જ પ્રમાણે એક સાધક જે પેલાં અનાયાસે પ્રાપ્ત થતા ગાયત્રી શક્તિના સમૂહની સાથે પોતાનો સંબંધ બાંધી લે છે, તેને એ શક્તિનો સંપૂર્ણ લાભ મેળવી લેવાની સંપૂર્ણ તક મળી જાય છે. જેટલો પ્રકાશમય શક્તિ સમૂહ ગાયત્રી મંત્રની પાછળ રહેલો છે, એટલો શક્તિ સમૂહ બીજા કોઈ વેદમંત્રની પાછળ નથી. આથી જ ગાયત્રીની સાધના વડે સાધક થોડાક જ શ્રમથી અધિકાધિક લાભ મેળવી શકે છે.

આમ હોવા છતાં આપણે જોઈએ છીએ કે ઘણા માણસો ગાયત્રીના આવા મહિમાને જાણવા છતાં તેનો લાભ લેતા નથી. કોઈની તદ્દન નજીક, તેના ખિસ્સામાં પુષ્કળ ધન હોય અને તે તેનો ઉપયોગ કરીને આનંદ પ્રાપ્ત ન કરે તો એ એનું દુર્ભાગ્ય જ ગણાય ને ? ગાયત્રી એક દેવી વિદ્યા છે. પરમાત્માએ આપણા માટે એને અત્યંત સુલભ બનાવી છે. ઋષિ-મુનિઓએ પદે-પદે આપણને આ ગાયત્રી સાધના દ્વારા લાભ મેળવાનો આદેશ આપ્યો છે. આમ છતાંય જો આપણે તે દ્વારા લાભ ન ઉઠાવીએ ગાયત્રી સાધના ન કરીએ તો એને આપણા દુર્ભાગ્ય સિવાય બીજું શું કહી શકાય

અથર્વવેદ મુજબ ગાયત્રી માહાત્મ્ય : ગાયત્રીના મહિમાનું વર્ણન વેદ, શાસ્ત્ર, પુરાણ વગેરે બધા જ ગ્રંથોમાં કરવામાં આવ્યું છે. અથર્વવેદમાં ગાયત્રીની સ્તુતિ કરવામાં આવી છે. એમાં ગાયત્રીને આયુષ્ય, પ્રાણ, શક્તિ, પશુ, ધન અને બ્રહ્મતેજને આપનારી કહેવામાં આવી છે.

સ્તુતા મયા વરદા વેદમાતા પ્રચોદયન્તાં પાવમાની દ્વિજાનામ્ | આયુઃ પ્રાણં પ્રજાં પશું કીર્તિ દ્રવિણં બ્રહ્મવર્ચસમ્ . || અથર્વવેદ ૧૯-૧૭-૧

અથર્વવેદમાં સ્વયં વેદ ભગવાન કહે છે, : મારા દ્વારા સ્તુતિ કરવામાં આવેલી, દ્વિજોને પવિત્ર કરનાર વેદમાતા તેમને આયુષ્ય, પ્રાણશક્તિ, પશુ, કીર્તિ, ધન તેમજ બ્રહ્મતેજ પ્રદાન કરે છે.

યથા મધુ વ પુષ્પભ્યો ધૃતં દુગ્ધાદ્રસાત્પયઃ | એવં હિ સર્વવેદાનાં ગાયત્રી સાર ઉચ્યતે ||

બૃહદ્ યોગિયાજ્ઞવલ્કયસ્મૃતિ ૪-૧૬

જેમ પુષ્પોનો સાર મધ, દૂધનો સાર ઘી અને રસોનો સાર દૂધ છે તે પ્રમાણે ગાયત્રી મંત્ર સમસ્ત વેદોનો સાર છે.

તદિત્યૃચઃ સમો નાસ્તિ મન્ત્રો વેદચતુષ્ટયે | સર્વે વેદાશ્ચ યજ્ઞાશ્ચ દાનાનિ ચ તપાંસિ ચ | સમાનિ કલયા પ્રાદુર્મુનયો ન તદિત્યૃચઃ ||  વિશ્વામિત્ર

ગાયત્રી મંત્રના સમાન બીજો મંત્ર ચારે વેદોમાં નથી. સંપૂર્ણ વેદ, યજ્ઞ, દાન, તપ વગેરે ગાયત્રી મંત્રની એક કલા સમાન પણ નથી. એવું મુનિઓએ કહ્યું છે.

ગાયત્રી છન્દમાં માતેતિ |  મહાનારાયણોપનિષદ્ ૧૫-૧

ગાયત્રી વેદોની માતા અર્થાત આદિ કારણ છે.

ત્રિભ્યઃ એવ તુ વેકેભ્યઃ પાદમ્પાદમદૂદુહત્ | તદિત્યૃચોડસ્યાઃ સાવિત્ર્યા: પરમેષ્ઠી પ્રજાપતિ || 

પરમેષ્ઠી પ્રજાપતિ બ્રહ્માએ ત્રણ ઋચાઓવાળી ગાયત્રીનાં ચરણોને ત્રણે વેદોનાં સાર રૂપે કાઢ્યાં છે.

ગાયત્યાસ્તુ પરનાસ્તિ શોધનં પાપકર્મણામ્ | મહાવ્યાહ્રતિસંયુક્તા પ્રણવેન ચ સંજપેત્ ||

-સંવર્ત સ્મૃતિ. શ્લો. ૨૧૮

પાપોનો નાશ કરવામાં સમર્થ એવો ગાયત્રી સમાન અન્ય કોઈ મંત્ર નથી. તેથી પ્રણવ અને મહાવ્યાતિઓ સહિત ગાયત્રીનો જપ કરવો જોઈએ.

નાન્નતોય સમં દાનં ન ચાહિંસા પરં તપઃ | ન ગાયત્રી સમં જાપ્યં ન વ્યાહ્રતિ સમં હુતમ્ || 

સૂત સંહિતા યજ્ઞ વૈભવ ખંડ અ. ૬/૩૦

અન્ન અને જળ સમાન કોઈ પણ દાન નથી, અહિંસા સમાન કોઈ તપ નથી, ગાયત્રી સમાન કોઈ જપ નથી, તેમજ વ્યાહ્રતિના સમાન કોઈ અગ્નિહોત્ર નથી.

હસ્તત્રાણપ્રદા દેવી પતતાં નરકાર્ણવે | તસ્મત્તામભ્યસેન્નિત્યં બ્રાહ્મણો હૃદયે શુચિઃ |

નરકરૂપી સમુદ્રમાં પડનારને હાથ પકડી બચાવનાર ગાયત્રી છે. આથી દ્વિજે નિત્ય પવિત્ર હ્રદયથી ગાયત્રીનો અભ્યાસ કરવો જોઈએ અર્થાત્ જપ કરવો જોઈએ.

ગાયત્રી ચૈવ વેદાશ્ચ તુલયા સમતોલયત્ | વેદા એકત્ર સાંગાસ્તુ ગાયત્રી ચૈકતઃ સ્થિતા ||

યોગી યાજ્ઞવલ્કય

ગાયત્રી તેમજ સમસ્ત વેદોને ત્રાજવામાં તોલવામાં આવ્યા. છ અંગો સહિત વેદો એક બાજુ મુકાયા અને ગાયત્રી બીજુ બાજુ મુકાઈ.

સારભૂતાસ્તુ વેંદાનાં ગુહ્યોપનિષદો મતાઃ | તાભ્યઃ સારસ્ત ગાયત્રી તિસો વ્યાહ્રતયસ્તથા || – યોગી યાજ્ઞવલ્કય

વેદોનો ગુહ્ય સાર ઉપનિષદો છે અને ઉપનિષદોનો સાર ગાયત્રી અને ત્રણ મહાવ્યાહૃતિઓ છે.

ગાયત્રી વેદજનની ગાયત્રી પાપનાશિની | ગાયત્ર્યાસ્તુ પરન્નાસ્તિ દિવિ ચેહ ચ પાવનમ્ ||

ગાયત્રી વેદોની જનની છે. ગાયત્રી પાપોનો નાશ કરનારી છે. ગાયત્રી સિવાય અન્ય કોઈ પવિત્ર કરનાર મંત્ર સ્વર્ગમાં કે પૃથ્વી પર નથી.

યદ્યથાગ્નિર્દેવાનાં, બ્રાહ્મણો મનુષ્યાણામ્ | વસન્ત ઋતુનામિયં ગાયત્રી ચાસ્તિ છન્દસામ્ || – ગોપથ બ્રાહ્મણ

જેમ દેવતાઓમાં અગ્નિ, મનુષ્યોમાં બ્રાહ્મણ, ઋતુઓમાં વસંત શ્રેષ્ઠ છે, એ જ પ્રમાણે સમસ્ત છંદોમાં ગાયત્રી શ્રેષ્ઠ છે.

અષ્ટાદશશુ વિદ્યાસુ મીમાંસાતિ ગરીયસી | તતોડપિ તર્કશાસ્ત્રાણિ પુરાણં તેભ્ય એવ ચ || 

તતોડપિ ધર્મશાસ્ત્રાણિ તેભ્યો ગુર્વી શ્રુતિઃ દ્વિજ ! |  તોડપ્યુપનિષચ્છેઠા ગાયત્રી ચ તતોડધિકા || 

દુર્લભા સર્વતન્ત્રેષુ ગાયત્રી પ્રણવાન્વિતા | વૃ..સં.ભા.

અઢારે વિદ્યાઓમાં મીમાંસા અત્યંત શ્રેષ્ઠ છે. મીમાંસા કરતાં તર્કશાસ્ત્ર શ્રેષ્ઠ છે અને તર્કશાસ્ત્ર કરતાં પુરાણ ગ્રંથો શ્રેષ્ઠ છે.

પુરાણો કરતાં પણ ધર્મશાસ્ત્ર શ્રેષ્ઠ છે. તે દ્વિજ, ધર્મશાસ્ત્રો કરતાં વેદ શ્રેષ્ઠ છે અને વેદો કરતાં ઉપનિષદો શ્રેષ્ઠ છે. ઉપનિષદો કરતાં પણ ગાયત્રી મંત્ર અત્યંત ઉત્તમ છે. પ્રણવયુક્ત આ ગાયત્રી સમસ્ત વેદોમાં દુર્લભ છે.

નાસ્તિ ગંગા સમં તીર્થ ન દેવઃ કેશવાત્પરઃ | ગાયત્ર્યાસ્તુ પરં જાપ્યં ન ભૂતં ન ભવિષ્યતિ || વૃ.યો.યાજ્ઞ. અ. ૧૦૨/૭૯

ગંગા જેવું કોઈ તીર્થ નથી. કેશવ કરતાં ચડિયાતો કોઈ દેવ નથી. ગાયત્રી મંત્રથી ચડિયાતો આજ સુધી કોઈ જપ થયો નથી ને થવાનો નથી.

સર્વેષાં જપ સૂક્તાનામૃચશ્ચ યજુષાં  તથા | સામ્નાં ચૈકક્ષરાદીનાં ગાયત્રી પરમો જપઃ | વૃ. પારાશર સ્મૃતિ અ. ૪/૪

સમસ્ત જપ સૂક્તોમાં, ઋગ્વેદ, યજુ અને સામ વગેરે વેદોમાં તથા એકાક્ષરી મંત્રોમાં ગાયત્રી મંત્રનો જપ સર્વશ્રેષ્ઠ છે.

એકાક્ષરં પરં બ્રહ્મ પ્રાણાયામાઃ પરન્તપાઃ | સાવિત્ર્યાસ્તુ પરન્નાસ્તિ પાવનં  પરમં સ્મૃતમ્ ||  મનુસ્મૃતિ અ. ૨/૮૩

એકાક્ષર અર્થાત્ “ૐ” પરબ્રહ્મ છે. પ્રાણાયામ મોટું તપ છે અને ગાયત્રી મંત્રથી અધિક પવિત્ર કરનાર કોઈ પણ મંત્ર નથી.

ગાયત્ર્યા: પરમં નાસ્તિ દિવિ ચેહ ચ પાવનમ્ | હસ્તત્રાણપ્રદા દેવી પતતાં નરકાર્ણવે || શંખ સ્મૃતિ અ. ૨/૮૩

નરક રૂપી સમુદ્રમાં પડેલાને હાથ પકડીને બચાવી લેનાર ગાયત્રીના જેવી પાવન બીજી કોઈ વસ્તુ (કે મંત્ર) આ પૃથ્વી પર કે સ્વર્ગમાં ક્યાંય નથી.

ગાયત્રી ચૈવ વેદાશ્ચ બ્રાહ્મણા તોલિતા પુરા | વેદેભ્યશ્ચ ચરુભ્યોંડપિ ગાયત્ર્યતિગરીયસી || વૃ. પારાશર સ્મૃતિ અ. ૫/૧૬

પ્રાચીનકાળમાં બ્રહ્માએ ગાયત્રી અને વેદોને તોલી જોયા. પરંતુ ચારેય વેદોવાળા પલ્લા કરતાં ગાયત્રીવાળું પલ્લું ભારે (નીચે) જ રહ્યું

સોમાદિત્યાન્વયાઃ સર્વે રાઘવાઃ કુરવસ્તથા | પઠન્તિ શુચયો નિત્યં સાવિત્રીં પરમાં ગતિમ્ ||  મહાભારત અનુ. પર્વ અ. ૧૫/૭૮

હે યુધિષ્ઠિર ! સંપૂર્ણ ચંદ્રવંશી, સૂર્યવંશી, રઘુવંશી તથા કુરુવંશી રાજાઓ નિત્ય પવિત્ર થઈને પરમગતિને આપનાર આ ગાયત્રી મંત્રનો જપ કરે છે.

બહુના કિમિહોક્તેન યથાવત્ સાધુ સાધિતા | દ્વિજન્માનામિયં વિદ્યા સિદ્ધિ કામદુધા સ્મૃતા ||

અધિક કહેવાની શી જરૂર સારી રીતે સિદ્ધ કરવામાં આવેલી આ ગાયત્રી વિદ્યા દ્વિજાતિઓ માટે કામધેનું કહેવાઈ છે.

સર્વ વેદોદ્ધાઃ સારો મન્ત્રોડયં સમુદાહૃતઃ | બ્રહ્માદેવાદિ ગાયત્રી પરમાત્મા સમીરિત: || 

આ ગાયત્રી મંત્ર સમસ્ત વેદોનો સાર ગણાય છે. ગાયત્રી જ બ્રહ્મ વગેરે દેવતાઓ છે. ગાયત્રી જ પરમાત્મા કહેવાઈ છે.

યા નિત્યા બ્રહ્મગાયત્રી સૈવ ગંગા ન સંશય:  સર્વ તીર્થમયી ગંગા તેન ગંગા પ્રકીર્તિતા || ગાયત્રી તંત્ર

ગંગા સર્વ તીર્થમય છે, તેથી જ તે ગંગા કહેવાઈ છે. તે ગંગા બ્રહ્મ ગાયત્રીનું જ રૂપ છે.

સર્વશાસ્ત્રમયી ગીતા ગાયત્રી સૈવા નિશ્ચિતા | ગયાતીર્થ ચ ગોલોકં ગાયત્રી રુપમદ્દભુતમ્ || ગાયત્રી મંત્ર

ગીતામાં બધાં શાસ્ત્રો સમાયેલાં છે. તે ગીતા ચોક્કસ ગાયત્રી રૂપ જ છે. ગાય, તીર્થ અને ગોલોક પણ ગાયત્રીનાં જ રૂપો છે.

અશુચિ શુચિર્વાપિ ગચ્છન્તિષ્ઠન્ યથા તથા |  ગાયત્રી પ્રજપેદ્ધીમાન્ જપાતું પાપાન્નિવર્તતે ||

ગાયત્રી મંત્ર અપવિત્ર હોય કે પવિત્ર હોય, ચાલતો હોય કે બેઠેલો હોય, અથવા ગમે તે સ્થિતિમાં હોય, બુદ્ધિમાન મનુષ્ય ગાયત્રીનો જપ કરતા રહેવું જોઈએ. આ જપથી પાપોમાંથી મુક્તિ મળે છે.

મનનાત્ પાપતસ્ત્રાતિ મનનાત્ સ્વર્ગમશ્રુતે | મનનાત્ મોક્ષમાપ્નોતિ ચતુવર્ગમયો ભવેત્ ||

ગાયત્રી તંત્ર ગાયત્રીનું મનન કરવાથી પાપો દૂર થઈ જાય છે સ્વર્ગ મળે છે અને મુક્તિ મળે છે. ચર્તુવર્ગ પણ (ધર્મ, અર્થ, કામ, મોક્ષ) એનાથી સિદ્ધ થાય છે.

ગાયત્રીં તુ પરિત્યજ્ય અન્યમન્ત્રાનુપાસતે | ‘ ત્યકત્વા સિદ્ધાન્નમન્યત્ર ભિક્ષામટતિ દુર્મતિઃ || 

જે ગાયત્રીને છોડીને અન્ય મંત્રીની ઉપાસના કરે છે તે દુર્બુદ્ધિ મનુષ્ય (તૈયાર) અન્ન છોડીને ભિક્ષા માટે રખડનાર મનુષ્યના જેવો જ ગણાય.

નિત્ય નૈમિત્તિકે કામ્યે તૃતીયે તપો વર્ધને | ગાયત્ર્યાસ્તુ પરં નાસ્તિ ઈહ લોકે પરત્ર ચ || 

નિત્ય જપ માટે, નૈમિત્તિક જપ માટે, કાર્યની સફળતા માટેના જપની દષ્ટિએ કે તપની વૃદ્ધિ માટેના જપની દૃષ્ટિએ, આ લોકમાં કે પરલોકમાં ગાયત્રીથી ચઢિયાતો બીજો કોઈ મંત્ર નથી.

સાવિત્રી જાપતો નિત્યં સ્વર્ગમાપ્નોતિ માનવઃ | તસ્માત્ સર્વપ્રયત્નેન સ્નાતઃ પ્રયતમાનસઃ ||  ગાયત્રીં તુ  જપેતુ ભકત્યા સર્વપાપપ્રણાશિનીમ્ ||  – શંખ સ્મૃતિ

નિત્ય ગાયત્રીનો જપ કરનાર મનુષ્ય સ્વર્ગ મેળવે છે. આથી જ સ્નાન કરીને સર્વ રીતે સ્થિર ચિત્તવાળા બની સર્વ પાપોનો નાશ કરનાર ગાયત્રીનો જપ કરવો જોઈએ.

ગાયત્રી મહાવિજ્ઞાનની ભૂમિકા, ગાયત્રી મહાવિજ્ઞાન બીજો ભાગ

ગાયત્રી ના વિષયમાં અમારા પ્રાચીન ગ્રંથોમાં સુવિસ્તૃત વર્ણન કરેલું છે. અનેક ગ્રંથોમાં ગાયત્રીનું વિવેચન, ઇતિહાસ, વિવરણ, સાધન તથા માહત્મ્ય ના વિષયમાં ઘણું જ સારું લખેલું છે. ગત વીસ વર્ષોમાં ગાયત્રી સંબંધી શોધ માટે અમે આશરે બે હજાર ગ્રંથ વાંચ્યા છે. એમાંથી અમુક પ્રકરણ તો ઘણાંજ ગૂઢ છે જેને સમજવા આ માર્ગ ના જાણકારો માટે જ શક્ય છે, પરંતુ આમ જાણકારો માટે પણ આ સાહિત્ય નો ઉપયોગ એટલે સારો છે કે એને વાંચવા અને સમજવાની ઉપયોગિતા ઓછી નથી.

ગાયત્રી વિદ્યાનું સવિશેષ પ્રાચીન સાહિત્યનું સંકરણ આ પુસ્તકમાં જણાવવામાં આવ્યું છે. અર્થાત્ અમારા સંકલિત સાહિત્યના અંશ માત્ર જ છે, છતાં પણ આનાથી એટલું તો જાણવા મળે જ છે ગાયત્રી વિદ્યાનું મહત્વ કેટલું વધારે છે. સારા સંજોગો ઉભા થશે તો બીજા સાહિત્ય પણ પ્રકાશિત કરીશું.

ગાયત્રી મંત્ર એકલો જ એટલો સારગર્ભિત છે કે તેને સમજવામાં ઘણાં જન્મો લાગી શકે છે. સાથે સાથે એના ગર્ભમાં એ બધા તત્ત્વજ્ઞાન ભરેલા છે, કે જેની વ્યાખ્યા માટે વેદ, શાસ્ત્ર, પુરાણ, ઇતિહાસ, દર્શન, ઉપનિષદ, બ્રાહ્મણ, આરણ્યક, સ્મૃતિ, નીતિ, સંહિતા તથા સૂત્ર ગ્રંથની રચના કરેલી છે. આ પુસ્તકમાં વર્ણન કરેલા ગાયત્રી વિશેના લઘુ સંગ્રહો થી વાંચનાર એટલું તો અનુમાન લગાવી શકે છે. ગાયત્રી વિદ્યા કેટલી શક્તિમાન છે.

આ પુસ્તકના પ્રથમ ભાગમાં ગાયત્રી સંબંધી આવશ્યક જાણકારી તથા સર્વસાધારણ લોકો માટે ઉપયોગી સાધન-વિધાનનો વિસ્તારપૂર્વક ઉલ્લેખ કરી ચૂક્યા છીએ, જો કોઈપણ વાત સમજી ના શકાય તો પત્ર દ્વારા પૂછી શકાય છે. વામમાર્ગી તાંત્રિક સાધનાઓ માટે પૂછવું નિરર્થક છે, કારમે આ વિદ્વાન કેવળ સુપરીક્ષીત, અધિકારી તથા ઉપયુક્ત મનોદશાવાળા લોકો માટે જ સીમિત તથા સુરક્ષિત છે.

અમારો દૃઢ વિશ્વાસ છે કે મનુષ્ય માટે ગાયત્રી થી વધારે કોઈ તત્ત્વજ્ઞાન તથા જીવનક્રમ ના હોઈ શકે. આ મહાવિદ્યા ના પ્રચાર માટે આ પુસ્તક સહાયક સિદ્ધ થશે, એ અમારો વિશ્વાસ છે.

શ્રી શ્રીરામ શર્મા આચાર્યજી

%d bloggers like this: