શ્રીરામ શર્મા આચાર્ય ;આકાંમા
April 6, 2023 Leave a comment
સફળતાના ત્રણ ઉપાય
માનવ માનવ વચ્ચે વિચિત્ર અંતર છે. એક માનવી પ્રખર વિદ્વાન છે તો બીજો સાત અભણ, એક રાજા છે તો બીજો ભિખારી, એક કરોડપતિ છે તો બીજાને મૂઠી અનાજ માટે ફાંફાં છે, એક ઉચ્ચ આત્મા છે તો બીજો નર્કનો કીડો છે, એક સંસારના ઉજજવળ રત્ન સમાન મહાપુરુષ ગણાય છે તો બીજાને પોતાની જીવનયાત્રા પૂરી કરવી પણ દુષ્કર લાગે છે, એક એશઆરામથી સ્વર્ગીય સુખનો આનંદ લૂંટી રહ્યો છે તો બીજો દુ:ખ અને બેકારીના ખપ્પરમાં ફસાયો છે, એકના હોઠ ચોવીસે કલાક મલક્તા રહે છે તો બીજાનો પીડા, વેદનાથી ઘડીભર છુટકારો થતો નથી, એક નિરંતર આનંદ, ઉલ્લાસ અને ઉન્નતિ તરફ ધસતો જાય છે. બીજાનું પ્રત્યેક કદમ ઘસાતો દુ:ખ, અંધકાર, પતન અને અધોગતિના ખાડા તરફ ધસતું જાય છે….આવી આશ્ચર્યજનક વિષમતા માનવ-માનવ વચ્ચે આપણી ચારે બાજુએ ફેલાયેલી આપણે જોઇએ છીએ.
સામાન્ય રીતે દરેક જીવને પરમાત્માએ એક સરખી પરિસ્થિતિ આપેલી છે. રીંછ, સિંહ, વાઘ વગેરે શિકારી પશુ, ધોડો, હાથી, ગધેડું, ઊંટ વગેરે ભારવાહક પશુ; ગાય, ભેંસ, બકરી, ઘેટું વગેરે દૂધ આપતાં પશુઓ; હરણ, શિયાળ, વાંદરો વગેરે જંગલોમાં વિચરણ કરતાં પશુ લગભગ એક જ સ્થિતિનાં હોય છે. રંગ, રૂપ કે તાકાતનો ઓછોવનો ફરક તો બધાંમાં હોય જ છે. છતાં માનવ માનવમાં જોવા મળે છે એવો ફરક તો નથી જ. એક રીંછ બીજા રીંછ કરતાં બે માનવોની જેમ તુચ્છ કે મહાન હોતું નથી. બકરી–બકરીમાં, હાથી-હાથીમાં, ગધેડા-ગધેડામાં, ઊંટ–ઊંટમાં બે માનવો વચ્ચે જોવા મળતું અંતર હોતું નથી. પક્ષીઓની વાત કરીએ તો કબૂતર, મોર, પોપટ, મેના, કોયલ, કાગડો, પતંગિયું, કીડી-મંકોડા વગેરે પોતોપોતાની જાતમાં આટલાં બધાં તુચ્છ કે મહાન હોતાં નથી. પ્રાકૃતિક સાંદર્ય જાળવવા જરૂરી છે, તેના કરતાં વધુ વિષમતા પરમાત્માએ જીવજંતુઓમાં રાખી નથી. આ રીતે જોઇએ તો માનવ–માનવ વચ્ચેનું અંતર પણ વધારે નથી. પ્રત્યેક માનવના શરીરમાં એક જ પ્રકારના અવયવો હોય છે. જો બહારની ચામડી ઉતારી હજારો માનવીઓના શરીરતંત્રને જોઇએ તો કોઇ ખાસ ફરક દેખાશે નહીં. બીજી રીતે પણ જોઇએ તો ખોરાક, ઊંઘના કલાક, કામ કરવાની શક્તિ, ઇન્દ્રિયોના ગમા-અણગમા લગભગ બધા માનવોમાં સરખા છે. ન્યાયપ્રિય પરમાત્માએ આ બધું આપેલું છે, એટલે જ સમાન અવસ્થા છે. કોઇકને ઓછું, કોઇકને વધારે આપી તે પોતે શા માટે પક્ષપાતી તથા અન્યાયી બને ? હકીકતે માનવીને પરમાત્મા તરફથી એક સરખી માનસિક અને શારીરિક સંપત્તિ મળેલી છે. માતાના ગર્ભમાં ઉત્પન્ન થયા બાદ એક બાળકની શારીરિક અને માનસિક સ્થિતિ બીજાં બાળકોના જેવી જ હોય છે. વજન, લંબાઈ, જ્ઞાન, ચેનચાળા, ગમો–અણગમો કે તાકાત બધાં બાળકોમાં લગભગ સરખાં હોય છે. તો પછી જે આશ્ચર્યજનક અસમાનતા માનવ-માનવ વચ્ચે દેખાય છે તે ક્યાંથી આવી ? કઈ રીતે ઉદ્ભવી? કોણે તે ઉત્પન્ન કરી ? આ પ્રશ્નો વિચાર માગી લે છે.
આ પ્રશ્ન પર અધ્યાત્મવિદોએ ખૂબ ગહન ચિંતન-મનન કર્યું છે. ઘણી મથામણ બાદ તેઓ એક નિષ્કર્ષ પર પહોંચ્યા છે કે “આકાંક્ષા” જ એક એવું તત્ત્વ છે જે દ્વારા આ સંસારમાં અનેક પ્રકારની સંપત્તિ, સામર્થ્ય, યોગ્યતા તથા સુવિધાઓ પ્રાપ્ત થઇ છે. “અખો બ્રહ્મ જિજ્ઞાસા” સૂત્રમાં સિદ્ધિપ્રાપ્તિના સર્વ પ્રથમ આધાર તરીકે ‘જિજ્ઞાસા’ને માનવામાં આવી છે. જો જિજ્ઞાસા ન હોય તો આગળ સહેજ પણ પ્રગતિ થઇ શકતી નથી. આ સંસારમાં જેણે કંઇક પણ મેળવ્યું છે તે ઇચ્છાશક્તિથી, જિજ્ઞાસાથી કે આકાંક્ષાથી જ મેળવ્યું છે. રામાયણ કહે છે
જેહિ કર જેહિ કર સત્ય સનેહૂ !
સો તેહિ મિલત ન કછુ સહેલું !!
આ સાચો સ્નેહ–ઇચ્છા જ એ તત્ત્વ છે જેને લીધે કોઇ પણ વસ્તુની પ્રાપ્તિ માટે કોઇ જ શંકા રહેતી નથી. ભગવદ્ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણે કેટલીય જગ્યાએ કહ્યું છે, “અનન્ય ભાવથી ચિંતન કરનારાને હું તેના ઇચ્છિત વિષયમાં સફળતા આપ્યા કરું છું.”
મનુષ્ય જેવો વિચાર કરે છે, જેવી ઇચ્છા કરે છે તેવી જ પરિસ્થિતિઓ તેની સમક્ષ ઊભી થાય છે. ઇચ્છા એક પ્રકારનું આકર્ષક બળ છે, જેના આકર્ષણથી અનુકૂળ પરિસ્થિતિઓ ખેંચાતી ચાલી આવે છે. જ્યાં ખાડો હોય છે ત્યાં ચારે બાજુએથી વરસાદનું પાણી એકઠું થાય છે અને તે ખાડો પાણીથી ભરાઈ જાય છે, પણ જ્યાં ટેકરો છે ત્યાં સખત વરસાદ પડવા છતાં પાણી રોકાતું નથી. ઇચ્છા એક પ્રકારનો ખાડો છે જ્યાં બધી બાજુએથી અનુકૂળ પરિસ્થિતિઓ ખેંચાઇ એકઠી થવા માંડે છે, જ્યાં ઇચ્છા નથી ત્યાં અનુકૂળતા હોવા છતાં કોઇ મહત્ત્વપૂર્ણ સફળતા મેળવી શકાતી નથી.
સામાન્ય રીતે ધનવાનોના છોકરા નાલાયક પાકતા જોવા મળે છે અને ગરીબોના છોકરા ઘણી ઉન્નતિ કરી આગળ ધપે છે. સમગ્ર સંસારના ઇતિહાસનાં પાનાં ઉથલાવશો તો જાણવા મળશે કે મોટા ભાગના મહાપુરુષો ગરીબને ઘેર જ પેદા થયા હતા, કારણ એ છે કે એશઆરામની ભરપૂર સગવડો સરળતાથી મળવાથી અમીરોનાં છોકરાને સુખોપભોગ તથા ભોગ-વિલાસમાં જ રુચિ હોય છે. કોઇ પણ ક્ષેત્રે અગત્યની સફળતા મેળવવાની તીવ્ર ઉત્કંઠા તેઓને થતી નથી. ઉત્કંઠા વિના પૌરુષ જાગૃત થતું નથી અને પુરુષાર્થ વિના કોઇ અગત્યના કામમાં સફળતા મેળવવી મુશ્કેલ છે. ગરીબોનાં છોકરા અભાવગ્રસ્ત સ્થિતિમાં જન્મ્યાં હોય છે. પોતાની દીનતા, હીનતા અને બીજાની ઉન્નતિ જોઇ તેમના મનમાં એક આઘાત લાગે છે. આ આઘાતને કારણે તેમના મનમાં એક હલચલ, બેચેની, ઉત્કંઠા જાગે છે અને આ ઉત્કંઠા શાંત કરવા તેઓ ઉન્નત અવસ્થાએ પહોંચવાની આકાંક્ષા રાખે છે. આ આકાંક્ષા જ મહત્ત્વપૂર્ણ સફળતાઓ મેળવી આપનાર માર્ગ પર તેને દોડાવે છે.
સાધન, સગવડો તથા સંપત્તિની દૃષ્ટિએ અમીરોનાં છોકરાં સારી સ્થિતિમાં હોય છે. પૈસા અને સલાહકારોનો સહયોગ ઘણો હોય છે. જેનાથી તેઓ ઇચ્છે તો ઘણી ઝડપી પ્રગતિ કરી શકે છે. તેઓની ઉન્નતિનો માર્ગ ખૂબ જ સરળ અને ચોક્કસ છે, છતાં પણ મોટા ભાગના અમીરોનાં છોકરાં આવારા, નાલાયક પાકે છે તેનું કારણ એ છે કે લાડકોડ, એશઆરામના વાતાવરણમાં તેઓને કોઇ વસ્તુની ખોટ જણાતી નથી અને એટલે જ એમનામાં કોઇ આકાંક્ષા જાગૃત થતી નથી. જે ઊણપને લીધે અમીરોનાં છોકરાં ઉન્નતિ સાંધી શકતાં નથી, તે ઊણપ આકાંક્ષા”ની જ છે. આ ઊણપ ગરીબોના છોકરામાં હોતી નથી એટલે સાધન, સગવડોના સંપૂર્ણ અભાવ વચ્ચે ઊછરતાં હોવા છતાં ગરીબને ઘેર જન્મેલાં છોકરાં જુદી જુદી દિશાઓમાં મહત્ત્વપૂર્ણ પ્રગતિ કરે છે અને મહાપુરુષોની વચ્ચે પોતાનું સ્થાન જમાવે છે.
ઉપરોક્ત લખાણનો અર્થ હું ગરીબી કે અમીરીની સાથે પ્રગતિ કે અધોગતિને જોડવામાં ધટાવતો નથી, મારું માત્ર એટલું કહેવું છે કે જે વાતાવરણમાં ઇચ્છા-આકાંક્ષાની ઊણપ હોય ત્યાં સિદ્ધિ મળી શકે નહીં. જ્યાં ઇચ્છા હશે, પસંદગી હશે ત્યાં પૈસા, સાધન, મદદની ખોટ ભલે હોય, છતાં પણ ધીમે ધીમે અનુકૂળ વાતાવરણ સર્જાતું જશે અને ગૌરવપ્રદ સિદ્ધિ મળશે. જો કોઇ પૈસેટકે સુખી ઘરની વ્યક્તિને કોઇ તીવ્ર ઉત્કંઠા જાગે તો તો સોનામાં સુગંધ ભળ્યા સમાન થાય. ગરીબોએ પ્રગતિ માટે સાધનો મેળવવા જે પરિશ્રમ કરવો પડે છે, તે તો અમીરોને અનાયાસે જ મળેલા હોય છે એટલે તેઓ માટે પ્રગતિનાં દ્વાર મોકળાં છે.
મનમાં જે ઇચ્છા જાગે છે તે પૂરી કરવા શરીરની સમગ્ર શક્તિ કામમાં લાગી જાય છે. નિર્ણય, અવલોકન, સંશોધન, આકર્ષણ, ચિંતન, કલ્પના વગેરે મનની અસંખ્ય શક્તિઓ એ દિશામાં પોતાના પ્રયત્નો આરંભી દે છે. આ શક્તિઓ જ્યારે સુષુપ્ત પડેલી હોય છે અથવા જાદી જુદી દિશાઓમાં વેરવિખેર થયેલી હોય છે ત્યારે માનવીની સ્થિતિ અસ્તવ્યસ્ત અને મામૂલી બની જાય છે, પણ જ્યારે આ સમગ્ર શક્તિઓ એક જ દિશામાં કામ કરવાનું શરૂ કરે છે ત્યારે એક જીવંત ચુંબક ઉત્પન્ન થાય છે. ચુંબકને કચરાના ઢગલામાં ફેરવવામાં આવે તો પણ લોખંડના વેરવિખેર ટુકડા, કરચો, ચૂંકો, એ બધાં જ ચુંબક સાથે ચોંટી જાય છે. આ રીતે વિશેષ આકાંક્ષાઓ ધરાવતી વ્યક્તિ પોતાની આકર્ષણશક્તિથી નજીવા કણોમાં વેરવિખેર તત્ત્વોને ગમે ત્યાંથી શોધી કાઢશે.
તમને તમારા પાડોશીના ઘરની વાતોનો બહુ ખ્યાલ નહીં હોય, પણ તેના ધરમાં કેટલી મિલકત કયા રૂપમાં પડી છે તેની સંપૂર્ણ જાણકારી માઇલો દૂર રહેનાર ચોરને હોય છે. કારણ માત્ર એટલું જ છે કે ચોર હંમેશાં એ શોધમાં જ હોય છે કે લોકોનાં ઘરેણાં, પૈસા, કીમતી વસ્તુઓ ક્યાં મૂકી હોય છે, કેટલી કિંમતની છે અને કેટલા જથ્થામાં છે. આ શોધની ઇચ્છા તેને એવી એવી કડીઓ ભેગી કરી આપે છે કે જેનાથી તે ગૂઢ ભેદ પણ પારખી શકે છે અને એક દિવસ તે એ ઘરમાં પ્રવેશી સફળતાપૂર્વક ચોરી કરે છે. જુગારી જુગારીઓને, દારૂડિયો અન્ય દારૂડિયાને સરળતાથી શોધી કાઢે છે. દારૂડિયાની ટોળકી બનતાં વાર લાગતી નથી. સાધુનો સાધુ સાથે, વિદ્વાનનો વિદ્વાનો સાથે મિલાપ થતો રહે છે. લંપટ, વ્યભિચારી, ઠગ, ખિસ્સાકાતરુ પોતાની પસંદગીના વાતાવરણમાં સરળતાથી ઘૂસી શકે છે. પ્રત્યેક પ્રકારની રુચિવાળા લોકો આ દુનિયામાં હયાત છે અને એક સરખા વિચારવાળાની સોબત કરવી એ મનુષ્યનો સ્વભાવ છે. માંસાહારી અને માંસ વેચનારનો અરસપરસ સંબંધ સરળતાથી બંધાય છે, ભિખારી દાતાને શોધી લે છે અથવા દાતા ભિખારીને શોધી લે છે. ધન અને ઋણ, આકર્ષણ અને અપાકર્ષણ એક બીજાના અભાવની પૂર્તિ માટે, સરળતાથી ભેગાં મળે છે. આ રીતે અમુક પ્રકારની ઇચ્છા રાખનાર વ્યક્તિને પોતાની ઇચ્છાનુસાર વાતાવરણ, પરિસ્થિતિ, મિત્રો, સહાનુભૂતિ, માર્ગદર્શન તથા મદદ મળી જ જાય છે. પોતાના કેટલાય લોકોનો સહયોગ મદદકર્તાના રૂપમાં મળે છે. શ્રી રામચંદ્ર ભગવાન જ્યારે એકલા ધોર આફતોવાળા સૂમસામ જંગલોમાં ભટકી રહ્યા હતા, ત્યારે પણ તેઓને ગીધ, રીંછ, વાનરો વગેરેનો સહયોગ મળ્યો જ હતો.
એક કાગડો તરસથી વ્યાકુળ બની આમ તેમ ઊડી રહ્યો હતો. ઘણી શોધ પછી તેણે એક ઘડામાં થોડું પાણી જોયું. કાગડો ધડાના કાંઠા પર બેસી પાણી પીવા ચાંચ લંબાવતો હતો, છતાં પાણી મેળવી શકતો ન હતો. નિષ્ફળ પ્રયત્નો પછી કાગડાએ એક ઉપાય શોધી કાઢ્યો. આજુબાજુથી નાના નાના કાંકરા વીણી લાવી ઘડામાં નાખવા લાગ્યો. કાંકરા પડવાથી ઘડાનું પાણી ઉપર આવ્યું અને કાગડે તરસ છીપાવી. જ્યારે કોઇ વાતની તીવ્ર ઇચ્છા થાય છે ત્યારે તે ઇચ્છા બર લાવવા સાધનોની શોધ શરૂ થાય છે અને કોઇને કોઈ વૈકલ્પિક સાધન મળી પણ આવે છે. જરૂરિયાત સંશોધનની જનેતા છે. જ્યાં ઇચ્છા હોય ત્યાં રસ્તો મળે છે. અંગ્રેજીમાં એક કહેવત છે, “A WILL WILL FIND ITS WAY” પ્રબળ ઇચ્છાશક્તિ રસ્તો શોધી કાઢશે. ઇચ્છિત વસ્તુ મેળવવા લોકો આકાશમાં રસ્તા બનાવે છે, મરજીવા સમુદ્રના તળિયે ડૂબકી લગાવી મોતી વીણી લાવે છે. રેતીની ટેકરીઓમાંથી સોના-ચાંદીની ખાણો શોધી કાઢે છે, કોલસાની ખાણો ખોદીખોદી હીરાની શોધ કરી લાવે છે. શોધ હકીકતે મહત્ત્વની પ્રેરકશક્તિ છે, જેનાથી માનવીએ એવરેસ્ટની ટોચ, સમુદ્રનું તળિયું, ધ્રુવ પ્રદેશોની ભૂમિ તથા આકાશની દુર્ગમતા પાર કરી છે. કુદરતના પેટાળમાં ધરબાયેલા અસંખ્ય રહસ્યો શોધી કાઢીને એકએકને પાછા પાડી દે તેવાં સંશોધનો કર્યાં છે. ઇચ્છાથી પ્રેરિત થઇ માનવી જ્યારે ધ્યેયપ્રાપ્તિ માટે દૃઢતાથી આગળ વધે છે ત્યારે તે એક શક્તિશાળી ભીમકાય યુદ્ધ-ટેંકનું રૌદ્ર રૂપ ધારણ કરે છે. પર્વતો ખીણો ઓળંગતો, ઓળંગતો રસ્તાની ઝાડી, ઝાંખરાં, પથરા વગેરે અવરોધોને દૂર કરતો તે પોતાના લક્ષ્ય તરફ ઝડપી ગતિએ આગળ વધે છે.
આ સમગ્ર વિશ્વમાં જે કંઇ હિલચાલ થઇ રહી છે તે બધો ઇચ્છાશક્તિનો જ ખેલ છે. પરમાત્માને ઇચ્છા થઇ કે હું એકમાંથી અનેક થાઉં.” એના પરિણામે આ વિશ્વની રચના થઇ. તેની ઇચ્છા અને જીવોની જરૂરિયાતના લીધે ઋતુઓની રચના થઇ. સજીવ પ્રાણીઓ ન રહે તો આ વિશ્વની સમગ્ર હિલચાલ સમાપ્ત થઇ જાય. જીવશાસ્રીઓ જાણે છે કે વનસ્પતિ અને પશુપંખી જેવા સજીવ પદાર્થોના રૂપરંગમાં, આકાર પ્રકારમાં જે પરિવર્તન થયું છે કે થઇ રહ્યું છે તેનું એકમાત્ર કારણ એ જીવોની ઇચ્છા છે. આદિમાનવથી આગળ વધીને માનવીએ જે કંઇ વિકાસ પોતાના શરીરમાં કર્યાં છે તે માત્ર તેની ઇચ્છાશક્તિનો જ ચમત્કાર છે.
માનવ માનવ વચ્ચે વિચિત્ર અંતર છે. એક માનવી પ્રખર વિદ્વાન છે તો બીજો સાત અભણ, એક રાજા છે તો બીજો ભિખારી, એક કરોડપતિ છે તો બીજાને મૂઠી અનાજ માટે ફાંફાં છે, એક ઉચ્ચ આત્મા છે તો બીજો નર્કનો કીડો છે, એક સંસારના ઉજજવળ રત્ન સમાન મહાપુરુષ ગણાય છે તો બીજાને પોતાની જીવનયાત્રા પૂરી કરવી પણ દુષ્કર લાગે છે, એક એશઆરામથી સ્વર્ગીય સુખનો આનંદ લૂંટી રહ્યો છે તો બીજો દુ:ખ અને બેકારીના ખપ્પરમાં ફસાયો છે, એકના હોઠ ચોવીસે કલાક મલક્તા રહે છે તો બીજાનો પીડા, વેદનાથી ઘડીભર છુટકારો થતો નથી, એક નિરંતર આનંદ, ઉલ્લાસ અને ઉન્નતિ તરફ ધસતો જાય છે. બીજાનું પ્રત્યેક કદમ ઘસાતો દુ:ખ, અંધકાર, પતન અને અધોગતિના ખાડા તરફ ધસતું જાય છે….આવી આશ્ચર્યજનક વિષમતા માનવ-માનવ વચ્ચે આપણી ચારે બાજુએ ફેલાયેલી આપણે જોઇએ છીએ.
સામાન્ય રીતે દરેક જીવને પરમાત્માએ એક સરખી પરિસ્થિતિ આપેલી છે. રીંછ, સિંહ, વાઘ વગેરે શિકારી પશુ, ધોડો, હાથી, ગધેડું, ઊંટ વગેરે ભારવાહક પશુ; ગાય, ભેંસ, બકરી, ઘેટું વગેરે દૂધ આપતાં પશુઓ; હરણ, શિયાળ, વાંદરો વગેરે જંગલોમાં વિચરણ કરતાં પશુ લગભગ એક જ સ્થિતિનાં હોય છે. રંગ, રૂપ કે તાકાતનો ઓછોવનો ફરક તો બધાંમાં હોય જ છે. છતાં માનવ માનવમાં જોવા મળે છે એવો ફરક તો નથી જ. એક રીંછ બીજા રીંછ કરતાં બે માનવોની જેમ તુચ્છ કે મહાન હોતું નથી. બકરી–બકરીમાં, હાથી-હાથીમાં, ગધેડા-ગધેડામાં, ઊંટ–ઊંટમાં બે માનવો વચ્ચે જોવા મળતું અંતર હોતું નથી. પક્ષીઓની વાત કરીએ તો કબૂતર, મોર, પોપટ, મેના, કોયલ, કાગડો, પતંગિયું, કીડી-મંકોડા વગેરે પોતોપોતાની જાતમાં આટલાં બધાં તુચ્છ કે મહાન હોતાં નથી. પ્રાકૃતિક સાંદર્ય જાળવવા જરૂરી છે, તેના કરતાં વધુ વિષમતા પરમાત્માએ જીવજંતુઓમાં રાખી નથી. આ રીતે જોઇએ તો માનવ–માનવ વચ્ચેનું અંતર પણ વધારે નથી. પ્રત્યેક માનવના શરીરમાં એક જ પ્રકારના અવયવો હોય છે. જો બહારની ચામડી ઉતારી હજારો માનવીઓના શરીરતંત્રને જોઇએ તો કોઇ ખાસ ફરક દેખાશે નહીં. બીજી રીતે પણ જોઇએ તો ખોરાક, ઊંઘના કલાક, કામ કરવાની શક્તિ, ઇન્દ્રિયોના ગમા-અણગમા લગભગ બધા માનવોમાં સરખા છે. ન્યાયપ્રિય પરમાત્માએ આ બધું આપેલું છે, એટલે જ સમાન અવસ્થા છે. કોઇકને ઓછું, કોઇકને વધારે આપી તે પોતે શા માટે પક્ષપાતી તથા અન્યાયી બને ? હકીકતે માનવીને પરમાત્મા તરફથી એક સરખી માનસિક અને શારીરિક સંપત્તિ મળેલી છે. માતાના ગર્ભમાં ઉત્પન્ન થયા બાદ એક બાળકની શારીરિક અને માનસિક સ્થિતિ બીજાં બાળકોના જેવી જ હોય છે. વજન, લંબાઈ, જ્ઞાન, ચેનચાળા, ગમો–અણગમો કે તાકાત બધાં બાળકોમાં લગભગ સરખાં હોય છે. તો પછી જે આશ્ચર્યજનક અસમાનતા માનવ-માનવ વચ્ચે દેખાય છે તે ક્યાંથી આવી ? કઈ રીતે ઉદ્ભવી? કોણે તે ઉત્પન્ન કરી ? આ પ્રશ્નો વિચાર માગી લે છે.
આ પ્રશ્ન પર અધ્યાત્મવિદોએ ખૂબ ગહન ચિંતન-મનન કર્યું છે. ઘણી મથામણ બાદ તેઓ એક નિષ્કર્ષ પર પહોંચ્યા છે કે “આકાંક્ષા” જ એક એવું તત્ત્વ છે જે દ્વારા આ સંસારમાં અનેક પ્રકારની સંપત્તિ, સામર્થ્ય, યોગ્યતા તથા સુવિધાઓ પ્રાપ્ત થઇ છે. “અખો બ્રહ્મ જિજ્ઞાસા” સૂત્રમાં સિદ્ધિપ્રાપ્તિના સર્વ પ્રથમ આધાર તરીકે ‘જિજ્ઞાસા’ને માનવામાં આવી છે. જો જિજ્ઞાસા ન હોય તો આગળ સહેજ પણ પ્રગતિ થઇ શકતી નથી. આ સંસારમાં જેણે કંઇક પણ મેળવ્યું છે તે ઇચ્છાશક્તિથી, જિજ્ઞાસાથી કે આકાંક્ષાથી જ મેળવ્યું છે. રામાયણ કહે છે
જેહિ કર જેહિ કર સત્ય સનેહૂ !
સો તેહિ મિલત ન કછુ સહેલું !!
આ સાચો સ્નેહ–ઇચ્છા જ એ તત્ત્વ છે જેને લીધે કોઇ પણ વસ્તુની પ્રાપ્તિ માટે કોઇ જ શંકા રહેતી નથી. ભગવદ્ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણે કેટલીય જગ્યાએ કહ્યું છે, “અનન્ય ભાવથી ચિંતન કરનારાને હું તેના ઇચ્છિત વિષયમાં સફળતા આપ્યા કરું છું.”
મનુષ્ય જેવો વિચાર કરે છે, જેવી ઇચ્છા કરે છે તેવી જ પરિસ્થિતિઓ તેની સમક્ષ ઊભી થાય છે. ઇચ્છા એક પ્રકારનું આકર્ષક બળ છે, જેના આકર્ષણથી અનુકૂળ પરિસ્થિતિઓ ખેંચાતી ચાલી આવે છે. જ્યાં ખાડો હોય છે ત્યાં ચારે બાજુએથી વરસાદનું પાણી એકઠું થાય છે અને તે ખાડો પાણીથી ભરાઈ જાય છે, પણ જ્યાં ટેકરો છે ત્યાં સખત વરસાદ પડવા છતાં પાણી રોકાતું નથી. ઇચ્છા એક પ્રકારનો ખાડો છે જ્યાં બધી બાજુએથી અનુકૂળ પરિસ્થિતિઓ ખેંચાઇ એકઠી થવા માંડે છે, જ્યાં ઇચ્છા નથી ત્યાં અનુકૂળતા હોવા છતાં કોઇ મહત્ત્વપૂર્ણ સફળતા મેળવી શકાતી નથી.
સામાન્ય રીતે ધનવાનોના છોકરા નાલાયક પાકતા જોવા મળે છે અને ગરીબોના છોકરા ઘણી ઉન્નતિ કરી આગળ ધપે છે. સમગ્ર સંસારના ઇતિહાસનાં પાનાં ઉથલાવશો તો જાણવા મળશે કે મોટા ભાગના મહાપુરુષો ગરીબને ઘેર જ પેદા થયા હતા, કારણ એ છે કે એશઆરામની ભરપૂર સગવડો સરળતાથી મળવાથી અમીરોનાં છોકરાને સુખોપભોગ તથા ભોગ-વિલાસમાં જ રુચિ હોય છે. કોઇ પણ ક્ષેત્રે અગત્યની સફળતા મેળવવાની તીવ્ર ઉત્કંઠા તેઓને થતી નથી. ઉત્કંઠા વિના પૌરુષ જાગૃત થતું નથી અને પુરુષાર્થ વિના કોઇ અગત્યના કામમાં સફળતા મેળવવી મુશ્કેલ છે. ગરીબોનાં છોકરા અભાવગ્રસ્ત સ્થિતિમાં જન્મ્યાં હોય છે. પોતાની દીનતા, હીનતા અને બીજાની ઉન્નતિ જોઇ તેમના મનમાં એક આઘાત લાગે છે. આ આઘાતને કારણે તેમના મનમાં એક હલચલ, બેચેની, ઉત્કંઠા જાગે છે અને આ ઉત્કંઠા શાંત કરવા તેઓ ઉન્નત અવસ્થાએ પહોંચવાની આકાંક્ષા રાખે છે. આ આકાંક્ષા જ મહત્ત્વપૂર્ણ સફળતાઓ મેળવી આપનાર માર્ગ પર તેને દોડાવે છે.
સાધન, સગવડો તથા સંપત્તિની દૃષ્ટિએ અમીરોનાં છોકરાં સારી સ્થિતિમાં હોય છે. પૈસા અને સલાહકારોનો સહયોગ ઘણો હોય છે. જેનાથી તેઓ ઇચ્છે તો ઘણી ઝડપી પ્રગતિ કરી શકે છે. તેઓની ઉન્નતિનો માર્ગ ખૂબ જ સરળ અને ચોક્કસ છે, છતાં પણ મોટા ભાગના અમીરોનાં છોકરાં આવારા, નાલાયક પાકે છે તેનું કારણ એ છે કે લાડકોડ, એશઆરામના વાતાવરણમાં તેઓને કોઇ વસ્તુની ખોટ જણાતી નથી અને એટલે જ એમનામાં કોઇ આકાંક્ષા જાગૃત થતી નથી. જે ઊણપને લીધે અમીરોનાં છોકરાં ઉન્નતિ સાંધી શકતાં નથી, તે ઊણપ આકાંક્ષા”ની જ છે. આ ઊણપ ગરીબોના છોકરામાં હોતી નથી એટલે સાધન, સગવડોના સંપૂર્ણ અભાવ વચ્ચે ઊછરતાં હોવા છતાં ગરીબને ઘેર જન્મેલાં છોકરાં જુદી જુદી દિશાઓમાં મહત્ત્વપૂર્ણ પ્રગતિ કરે છે અને મહાપુરુષોની વચ્ચે પોતાનું સ્થાન જમાવે છે.
ઉપરોક્ત લખાણનો અર્થ હું ગરીબી કે અમીરીની સાથે પ્રગતિ કે અધોગતિને જોડવામાં ધટાવતો નથી, મારું માત્ર એટલું કહેવું છે કે જે વાતાવરણમાં ઇચ્છા-આકાંક્ષાની ઊણપ હોય ત્યાં સિદ્ધિ મળી શકે નહીં. જ્યાં ઇચ્છા હશે, પસંદગી હશે ત્યાં પૈસા, સાધન, મદદની ખોટ ભલે હોય, છતાં પણ ધીમે ધીમે અનુકૂળ વાતાવરણ સર્જાતું જશે અને ગૌરવપ્રદ સિદ્ધિ મળશે. જો કોઇ પૈસેટકે સુખી ઘરની વ્યક્તિને કોઇ તીવ્ર ઉત્કંઠા જાગે તો તો સોનામાં સુગંધ ભળ્યા સમાન થાય. ગરીબોએ પ્રગતિ માટે સાધનો મેળવવા જે પરિશ્રમ કરવો પડે છે, તે તો અમીરોને અનાયાસે જ મળેલા હોય છે એટલે તેઓ માટે પ્રગતિનાં દ્વાર મોકળાં છે.
મનમાં જે ઇચ્છા જાગે છે તે પૂરી કરવા શરીરની સમગ્ર શક્તિ કામમાં લાગી જાય છે. નિર્ણય, અવલોકન, સંશોધન, આકર્ષણ, ચિંતન, કલ્પના વગેરે મનની અસંખ્ય શક્તિઓ એ દિશામાં પોતાના પ્રયત્નો આરંભી દે છે. આ શક્તિઓ જ્યારે સુષુપ્ત પડેલી હોય છે અથવા જાદી જુદી દિશાઓમાં વેરવિખેર થયેલી હોય છે ત્યારે માનવીની સ્થિતિ અસ્તવ્યસ્ત અને મામૂલી બની જાય છે, પણ જ્યારે આ સમગ્ર શક્તિઓ એક જ દિશામાં કામ કરવાનું શરૂ કરે છે ત્યારે એક જીવંત ચુંબક ઉત્પન્ન થાય છે. ચુંબકને કચરાના ઢગલામાં ફેરવવામાં આવે તો પણ લોખંડના વેરવિખેર ટુકડા, કરચો, ચૂંકો, એ બધાં જ ચુંબક સાથે ચોંટી જાય છે. આ રીતે વિશેષ આકાંક્ષાઓ ધરાવતી વ્યક્તિ પોતાની આકર્ષણશક્તિથી નજીવા કણોમાં વેરવિખેર તત્ત્વોને ગમે ત્યાંથી શોધી કાઢશે.
તમને તમારા પાડોશીના ઘરની વાતોનો બહુ ખ્યાલ નહીં હોય, પણ તેના ધરમાં કેટલી મિલકત કયા રૂપમાં પડી છે તેની સંપૂર્ણ જાણકારી માઇલો દૂર રહેનાર ચોરને હોય છે. કારણ માત્ર એટલું જ છે કે ચોર હંમેશાં એ શોધમાં જ હોય છે કે લોકોનાં ઘરેણાં, પૈસા, કીમતી વસ્તુઓ ક્યાં મૂકી હોય છે, કેટલી કિંમતની છે અને કેટલા જથ્થામાં છે. આ શોધની ઇચ્છા તેને એવી એવી કડીઓ ભેગી કરી આપે છે કે જેનાથી તે ગૂઢ ભેદ પણ પારખી શકે છે અને એક દિવસ તે એ ઘરમાં પ્રવેશી સફળતાપૂર્વક ચોરી કરે છે. જુગારી જુગારીઓને, દારૂડિયો અન્ય દારૂડિયાને સરળતાથી શોધી કાઢે છે. દારૂડિયાની ટોળકી બનતાં વાર લાગતી નથી. સાધુનો સાધુ સાથે, વિદ્વાનનો વિદ્વાનો સાથે મિલાપ થતો રહે છે. લંપટ, વ્યભિચારી, ઠગ, ખિસ્સાકાતરુ પોતાની પસંદગીના વાતાવરણમાં સરળતાથી ઘૂસી શકે છે. પ્રત્યેક પ્રકારની રુચિવાળા લોકો આ દુનિયામાં હયાત છે અને એક સરખા વિચારવાળાની સોબત કરવી એ મનુષ્યનો સ્વભાવ છે. માંસાહારી અને માંસ વેચનારનો અરસપરસ સંબંધ સરળતાથી બંધાય છે, ભિખારી દાતાને શોધી લે છે અથવા દાતા ભિખારીને શોધી લે છે. ધન અને ઋણ, આકર્ષણ અને અપાકર્ષણ એક બીજાના અભાવની પૂર્તિ માટે, સરળતાથી ભેગાં મળે છે. આ રીતે અમુક પ્રકારની ઇચ્છા રાખનાર વ્યક્તિને પોતાની ઇચ્છાનુસાર વાતાવરણ, પરિસ્થિતિ, મિત્રો, સહાનુભૂતિ, માર્ગદર્શન તથા મદદ મળી જ જાય છે. પોતાના કેટલાય લોકોનો સહયોગ મદદકર્તાના રૂપમાં મળે છે. શ્રી રામચંદ્ર ભગવાન જ્યારે એકલા ધોર આફતોવાળા સૂમસામ જંગલોમાં ભટકી રહ્યા હતા, ત્યારે પણ તેઓને ગીધ, રીંછ, વાનરો વગેરેનો સહયોગ મળ્યો જ હતો.
એક કાગડો તરસથી વ્યાકુળ બની આમ તેમ ઊડી રહ્યો હતો. ઘણી શોધ પછી તેણે એક ઘડામાં થોડું પાણી જોયું. કાગડો ધડાના કાંઠા પર બેસી પાણી પીવા ચાંચ લંબાવતો હતો, છતાં પાણી મેળવી શકતો ન હતો. નિષ્ફળ પ્રયત્નો પછી કાગડાએ એક ઉપાય શોધી કાઢ્યો. આજુબાજુથી નાના નાના કાંકરા વીણી લાવી ઘડામાં નાખવા લાગ્યો. કાંકરા પડવાથી ઘડાનું પાણી ઉપર આવ્યું અને કાગડે તરસ છીપાવી. જ્યારે કોઇ વાતની તીવ્ર ઇચ્છા થાય છે ત્યારે તે ઇચ્છા બર લાવવા સાધનોની શોધ શરૂ થાય છે અને કોઇને કોઈ વૈકલ્પિક સાધન મળી પણ આવે છે. જરૂરિયાત સંશોધનની જનેતા છે. જ્યાં ઇચ્છા હોય ત્યાં રસ્તો મળે છે. અંગ્રેજીમાં એક કહેવત છે, “A WILL WILL FIND ITS WAY” પ્રબળ ઇચ્છાશક્તિ રસ્તો શોધી કાઢશે. ઇચ્છિત વસ્તુ મેળવવા લોકો આકાશમાં રસ્તા બનાવે છે, મરજીવા સમુદ્રના તળિયે ડૂબકી લગાવી મોતી વીણી લાવે છે. રેતીની ટેકરીઓમાંથી સોના-ચાંદીની ખાણો શોધી કાઢે છે, કોલસાની ખાણો ખોદીખોદી હીરાની શોધ કરી લાવે છે. શોધ હકીકતે મહત્ત્વની પ્રેરકશક્તિ છે, જેનાથી માનવીએ એવરેસ્ટની ટોચ, સમુદ્રનું તળિયું, ધ્રુવ પ્રદેશોની ભૂમિ તથા આકાશની દુર્ગમતા પાર કરી છે. કુદરતના પેટાળમાં ધરબાયેલા અસંખ્ય રહસ્યો શોધી કાઢીને એકએકને પાછા પાડી દે તેવાં સંશોધનો કર્યાં છે. ઇચ્છાથી પ્રેરિત થઇ માનવી જ્યારે ધ્યેયપ્રાપ્તિ માટે દૃઢતાથી આગળ વધે છે ત્યારે તે એક શક્તિશાળી ભીમકાય યુદ્ધ-ટેંકનું રૌદ્ર રૂપ ધારણ કરે છે. પર્વતો ખીણો ઓળંગતો, ઓળંગતો રસ્તાની ઝાડી, ઝાંખરાં, પથરા વગેરે અવરોધોને દૂર કરતો તે પોતાના લક્ષ્ય તરફ ઝડપી ગતિએ આગળ વધે છે.
આ સમગ્ર વિશ્વમાં જે કંઇ હિલચાલ થઇ રહી છે તે બધો ઇચ્છાશક્તિનો જ ખેલ છે. પરમાત્માને ઇચ્છા થઇ કે હું એકમાંથી અનેક થાઉં.” એના પરિણામે આ વિશ્વની રચના થઇ. તેની ઇચ્છા અને જીવોની જરૂરિયાતના લીધે ઋતુઓની રચના થઇ. સજીવ પ્રાણીઓ ન રહે તો આ વિશ્વની સમગ્ર હિલચાલ સમાપ્ત થઇ જાય. જીવશાસ્રીઓ જાણે છે કે વનસ્પતિ અને પશુપંખી જેવા સજીવ પદાર્થોના રૂપરંગમાં, આકાર પ્રકારમાં જે પરિવર્તન થયું છે કે થઇ રહ્યું છે તેનું એકમાત્ર કારણ એ જીવોની ઇચ્છા છે. આદિમાનવથી આગળ વધીને માનવીએ જે કંઇ વિકાસ પોતાના શરીરમાં કર્યાં છે તે માત્ર તેની ઇચ્છાશક્તિનો જ ચમત્કાર છે.
આ બધી વાતો પર વિચાર કરતાં શારીરિક દૃષ્ટિએ સમાન હોવા છતાં માનવમાનવ વચ્ચેની અદ્ભુત અસમાનતા શા માટે હશે તે રહસ્યનો તાગ મેળવી શકાય છે. ઇચ્છાશક્તિના મહાન શસ્ત્રનો જે વ્યક્તિ સુયોગ્ય ઉપયોગ કરે છે તેને પ્રગતિ માટે સાધનો મળતાં જાય છે અને થોડા સમયમાં તે સમૃદ્ધ અને સંપન્ન બની શકે છે, પરંતુ જે લોકો આ શસ્ત્રનો ઉપયોગ કરતા નથી તેમનું ચેતનાતંત્ર અર્ધમૂર્છિત અવસ્થામાં પડ્યું રહે છે. તેઓ જીવનનો ભાર વેંઢાર્યાં કરે છે. જેમ તેમ જિંદગી પૂરી કરી લે છે, ભોજન કરે છે, મહેનત કરે છે અને રાત્રે સૂઈ જાય છે. મિનિટ, કલાક, દિવસ, માસ, વર્ષ, વીતતાં જાય છે. જીવનનું ચક્ર ફરતું રહે છે, આયુષ્ય પૂરું થવા આવે છે, પણ તેઓ એવા ને એવા જ રહે છે. માતાના ગર્ભમાંથી નીકળી મોતની ઘડી સુધી તેઓ માત્ર જિંદગીના દિવસો કð રીતે પૂરા કરવા તે જ શીખી શકે છે.
આ દુનિયામાં સાચે જ ઘણા લોકો અભાગિયા છે. જીવન જેવા બહુમૂલ્ય પદાર્થમાં કેટલો બધો આનંદ ઓતપ્રોત છે તે જાણી શકતા નથી. હંમેશાં તેઓએ બીજાના ઓશિયાળા રહેવું પડે છે. પરિસ્થિતઓ જ્યાં લઇ જાય ત્યાં જવા લાચાર થવું પડે છે, બિચારા રોટલા પાણીની ચિંતામાં રાતદિવસ રઘવાયા બની રખડતા રહે છે. એક ઊંટ કે એક બળદના કાર્યક્રમ સાથે સરખાવીએ તો આવા લોકો અને આ પ્રાણીઓમાં કોઇ ખાસ તફાવત હોતો નથી. કેટલાય લોકો અજ્ઞાનના અંધકારમાં જ ગોથાં ખાયા કરે છે. જીવનજરૂરી ચીજવસ્તુઓ સુદ્ધાં મળતી નથી, સમાજમાં માનપાન મળતાં નથી, કોઈ પદ કે હોદ્દો મળતાં નથી. યશ, પ્રશંસા, પ્રતિષ્ઠા પણ એમના તરસ્યા હ્રદયને ક્યારેય મળતાં નથી. અપમાન, જાકારો, તુચ્છકારો, અભાવ, ચિંતા, નિંદા, પીડા, ભય, આશંકા સદાય તેઓને ભૂત-ચૂડેલની જેમ ઘેરી રહે છે. આ તે કાંઈ જીવન છે?…. છતાંય અસંખ્ય લોકો આવું જીવન જીવે છે.
આવો, આપણે વિચાર કરીએ કે કોણે આ લોકોને આવી દુ:ખદાયી સ્થિતિમાં પડ્યા રહેવા લાચાર બનાવ્યા છે. શું પરમાત્માની, શું ભાગ્યની, વિધાતાની ભૂલ કે કોપને લીધે આમ થયું છે ? શું કોઇ ગ્રહ, નક્ષત્ર, દેવ, દાનવ કે ભૂતપિશાચ આ સ્થિતિ માટે જવાબદાર છે? ના, કદાપિ નહીં. માનવીના દુર્ભાગ્ય માટે આમાંનું કોઇ જવાબદાર નથી. પરમ દયાળુ, ન્યાયી પરમાત્મા પોતાના પરમપ્રિય પુત્રને આવી દયનીય સ્થિતિમાં ફસાવી દેવાની ભૂલ કરે જ નહીં. વિધાતા તો ઘણો દયાળુ છે, તે શા માટે કોઇના છઠ્ઠીના લેખ ખરાબ લખે? દેવતા તો બધાં પર દયા કરે છે તે શા માટે કોઈને અકારણ દુ:ખ આપે? કોઈ માણસ બીજાને દુ:ખ આપી શકે નહિ. માનવી પોતે જ પોતાના માટે આ પરિસ્થિતિઓ ઊભી કરે છે, તે પોતે જ પોતાનો ભાગ્ય વિધાતા છે. તુલસીકૃત રામાયણ કહે છે
કાલુ ન કોઉ સુખ દુ:ખ કર દાતા ।
નિજ નિજ કર્મ ભોગ સબ ભ્રાતા ॥
ભગવદગીતાનો પણ આવો જ મત છે. ભગવાન કહે છે,
પ્રતિભાવો