શ્રી ગાયત્રી ચાલીસા પાઠનો
September 16, 2008 6 Comments
શ્રી ગાયત્રી ચાલીસા પાઠનોમહિમા :–
ગાયત્રી દિવ્ય શક્તિઓનો એક મોટો ખજાનો છે, એમાં કેટલીએ શક્તિઓ સમાયેલી છે, તે આજ સુધી કોઈ જાણી શક્યું નથી. પ્રાચિન ઋષિ-મુનિઓએ પોત-પોતાના સાધનાત્મક અનુભવોના આધારે એનો મહિમા ગાયો છે.
ગાયત્રીની વિભિન્ન શક્તિઓ અને એની ઉપાસનાથી મળતાં લાભના વિષયમાં દરેક ઉપાસકે જાણવું જોઈએ. દરેક શિક્ષિત-અભણ પરિજન માતા ગાયત્રીનું માહાત્મય સમજી જાણી શકે એ માટે આપણાં પ.પૂજય ગુરુદેવ શ્રીરામ શર્મા આચાર્યજીએ ગાયત્રી ચાલીસાનું સર્જન કર્યું છે. ગાયત્રી ચાલીસાનો નિયમિત પાઠ કરવાથી ગાયત્રીની શક્તિઓમાં શી શી વિશેષતાઓ રહેલી છે તેનો આપણને ખ્યાલ આવતો જાય છે. જે રીતે આપણે કોઈ ઔષધિના ગુણ ધર્મ જાણ્યાં પછી જ એનો લાભ ઉઠાવી શકીએ છીએ. એ રીતે માતા ગાયત્રીનો મહિમા અને એની શક્તિઓ તથા એનું મહત્વ નહિ સમજીએ ત્યાં સુધી આપણે એનો લાભ લઈ શકીશું નહિ.
ગાયત્રીમાં કેવી કેવી શક્તિઓ છે અને એની પ્રાપ્તિ દ્વારા આપણે કયા કયા લાભ મેળવી શકીએ એ અંગેનો ગાયત્રી ચાલિસા ભાવાર્થ સાથે અહીંથી મળશે. એનો દરરોજ પાઠ કરવાથી ગાયત્રીની મર્યાદા, પ્રકૃતિ, તેની શક્તિઓ વગેરેની પૂર્ણ જાણકારી મળે છે. આ ગાયત્રી ઉપાસનાનું પહેલું પગથીયું છે. સાચું જ છે કે કોઈ વસ્તુની વિશેષતા જાણ્યા પછી જ એ તરફ આપણું લક્ષ દોરાય છે. ગાયત્રી ચાલીસાનો પાઠ કરવાથી આપણને એ વાત બરાબર સમજાઈ જાય છે કે ગાયત્રી વેદમાતા છે, જગતની માતા છે, દેવોની માતા છે. આમ થવાથી આપણી શ્રદ્ધા ભક્તિ પ્રગટે છે અને દ્રઢ બને છે.
જેને પારસમણિના ગુણોનો ખ્યાલ હોય છે તે જ વ્યક્તિ તેની શોધ કરે છે, તેને મેળવવાનો પ્રયત્ન કરે છે અને તે મળી ગયા પછી તેને સાચવે છે અને એનો ઉપયોગ કરીને ઈચ્છિત લાભ મેળવે છે. પરંતુ જેને પારસમણિના ગુણોનો ખ્યાલ જ ન હોય તેને મનતો તે એક સામાન્ય પથ્થરના ટૂકડા જેવો જ લાગે છે અને હાથમાં આવેલ હોવા છતાં પણ અજ્ઞાનપણાના કારણે પારસમણિથી લાભ ઉઠાવી શકાતો નથી.
આથી જ સમસ્ત ગાયત્રી ઉપાસકોને ગાયત્રી ચાલિસા નો પાઠ્જ શ્રદ્ધાપૂર્વક કરવાનું કહેવામાં આવે છે. આવો ! આપણે પણ ‘ગાયત્રી ચાલિસા” નો શ્રદ્ધાપૂર્વક કરીએ અને એમાં વર્ણવામાં આવેલ મહિમાનું ગુનગાન કરતાં કરતા તેના સ્વરૂપો જોતાં જોતાં માતા ગાયત્રીનો કૃપા પ્રસાદ ગ્રહન કરીએ.
વાચકોને વીનંતી કે, જો તમે આપ આમાંની કોઈ ફાઈલ ડાઉનલોડ કરો તો અહીં નીચે કોમેન્ટ માટેની બારીમાં આપનો અભિપ્રાય અવશ્ય લખશો…..
very nice about gayatri chalisa
LikeLike
Kubaj aaloukik che. jena chintan thij apnu mind sara vicharo thi bhari jay che
LikeLike
i really like information about the gayatri chalisa. i like to know more about gayatri.
LikeLike
I Like This Information Of Gayatri Chalisa,
I alo required more gayatri letreature of gayatri deve please Send M On My Email
LikeLike
hu gayatri mata ma boj vishvas karu chu. mane emna vise vadhare jankari nai hati pan uprokt lakhela lekh ne karane mane ghani mahiti prapt thai che ane hu bo khus chu. aap amne avi mahiti vadhu apo avi mane asha che. thank you gayatri parivar
LikeLike
I like to know the meaning of the Gayatri chalisha.
LikeLike