પુષ્પ માલા-૧૦ : સફળ જીવનની દિશાધારા
June 30, 2010 Leave a comment
સફળ જીવનની દિશાધારા
યુગઋષિ યુગદ્રષ્ટાના લેખન-પ્રવચનના ક્ષીરસાગરના સતત મંથનના પ્રબળ પુરુષાર્થથી નીકળેલા નવનીતનો ભંડાર છે. સદ્દજ્ઞાન જ આપણા માનસિક કુવિચારોનો ઉપચાર છે.
પ્રસ્તૃત પુષ્પમાળામાં એ પ્રયત્ન કરવામાં આવ્યો છે કે આત્મવિજ્ઞાનથી માંડી વ્યવહારિક અઘ્યાત્મના દરેક ક્ષેત્રને સ્પર્શતા ગાગરમાં સાગર જેવા કિંમતી વિચારોને ક્રમબદ્ધ રીતે આ૫ની સમક્ષ મૂકવામાં આવે.
આ શ્રૃંખલા હારમાળાનું આ ‘સફળ જીવનની દિશાધારા ’ દશમું પુષ્પમાળા છે. આશા રાખવામાં આવે છે કે વાચકો આ વિચાર અમૃત વડે જાતે લાભ મેળવે અને બીજા અનેકો સુધી આ રોશની પ્રકાશને ફેલાવે.
યુવાવસ્થા જીવનનો વસંતકાળ છે. ઊર્જા, શક્તિ, ઉત્સાહ અને ઉમંગથી ભરપૂર જીવન, બાળપણ અને વયસ્ક અવસ્થાની સંધિવેળા. આ ઉંમરમાં જો જીવન નિર્માણનું સાચું માર્ગદર્શન મળી જાય તો જીવનના ઉપવનમાં અનેકાનેક ઉપલબ્ધિઓનાં ફૂલ ખીલતાં જાય છે.
“સફળ જીવનની દિશાધારા”
પુસ્તક તમામ યુવાનો સુધી પહોંચાડવાનો પ્રત્યન કરશો.
પ્રતિભાવો