અહોભાગ્ય છે કે મનુષ્ય શરીર મળ્યું, અમૃત કળશ ભાગ-૨

અહોભાગ્ય છે કે મનુષ્ય શરીર મળ્યું, અમૃત કળશ ભાગ-૨

મનુષ્યને અન્ય પ્રાણીઓ કરતાં ભગવાનની અનેક કૃપા પ્રાપ્ત થઈ છે. સામાન્ય પ્રાણીઓ બે કામ કરી શકે છે. એક તો પોતાનું પેટ ભરી લે છે અને બીજું કામ તેઓ બચ્ચા પેદા કરી લે છે. આ બે સિવાય કોઈ પુરુષાર્થ આવાં પ્રાણીઓ કરતાં નથી. જ્યારે બીજી બાજુ મનુષ્યને કેટલી બધી શાનદાર કૃપા મળી છે ? અન્ય પ્રાણીઓ તો એક નાની સરખી કલ્પના જ રાખે છે. જે સ્વપ્ન રૂપે દિમાગ માં માત્ર એક સીમા સુધી જ કામમાં આવે છે અને માત્ર શરીરની જરૂરિયાતો ને પૂરી કરે છે. તેમાંથી વધારે તેમને બીજી કોઈ જ ચિંતા રહેતી નથી. આવાં પ્રાણીઓમાં વિચારવાની એટલી જ મર્યાદા હોય છે કે જેનાથી શરીરની જરૂરિયાતો પૂરી કરી શકાય, ચારો એકઠો કરી શકાય, ઘાસ ખાઈ શકે, દોડી શકે અને બચ્ચાં પેદા કરી શકે. તેનાથી વધારે વિચારવાની તેઓમાં ચેતના હોતી નથી.

મનુષ્યને અન્ય પ્રાણીઓની તુલનામાં શું શું મળ્યું છે ? મનુષ્યને તો એવું શાનદાર શરીર મળ્યું છે કે જાણે એવું લાગે કે એ કલાકારે પોતાની સઘળી કલા આ મનુષ્ય કૃતિને બનાવવામાં  ખર્ચી નાખી છે. આ૫ણા હાથ એટલા બધા શાનદાર બનાવ્યા  છે કે જેથી લાગે કે પ્રકૃતિ એ ઘણું સમજી વિચારીને મન લગાવીને તે ઘડ્યા છે. તે કેટલી બધી જગ્યાએથી વળી શકે છે, ફરી શકે છે અને કેટલા પ્રકારના કાર્યોમાં કામમાં આવે છે. આ૫ણા જેવા હાથ કોઈ અન્ય પ્રાણીને મળ્યા નથી.

મગજની બાબતમાં તો કહેવું જ શું ? આંખો વિશે શું કહી શકાય ? પ્રત્યેક ઈન્દ્રિય માટે કંઈ જ કહી શકાય એમ નથી, કેટલું અનોખું અદ્દભુત  પ્રાણી છે, આ મનુષ્ય – ભગવાને હાડ-માંસના આ પિંજરામાં એક એવી ચેતના ભરી દીધી છે જેનાથી આ મનુષ્યકૃતિ કેટલી અનોખી લાગે છે !

આ૫ણે કેટલા બધા ભાગ્યશાળી છીએ કે આ દેવોને દુર્લભ એવું મનુષ્યનું શરીર ધારણ કરી શક્યા છીએ.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a comment