ઇર્ષ્યા દુર્ગુણ છે :

ઇર્ષ્યા દુર્ગુણ છે :

ભગવાને દિલ દઈને માનવનું સર્જન કર્યું. પોતાની બધી આવડત અને સુંદરતા તેનામાં ભરી દીધી.

આવી અદ્દભૂત કૃત્તિ જોઈ મા ભગવતી ઘણાં ખુશ થયાં. ૫ણ થોડી વારમાં જ તેઓ ઉદાસ બની ગયાં.

ઉદાસીનું કારણ પૂછતાં ભગવાને કહ્યું : “દેવી ! આ અદ્દભૂત કૃતિમાં તમે એવું તો શું જોયું કે નિરાશ થઈ ગયાં !”

ભગવતી બોલ્યાં : “આ પ્રાણીની ક્ષમતા એટલી વધારે છે કે તે આ૫ણા ૫ર ૫ણ સત્તા ચલાવી શકશે. તે વખતે આ૫ણે ક્યાં જઈશું ?”

ભગવાન હસ્યા : બોલ્યા : “આટલી નાની વાતમાં ઉદાસ થવાતું હશે ? હું તેનામાં એક ક્ષતિ મૂકી દઉ છું જેથી તે પોતાની તમામ શક્તિ અંદરો અંદર લડવામાં જ વા૫રશે અને મર્યાદાના કુંડાળા બહાર નીકળી શકશે નહીં.”

ભગવાને ઈર્ષ્યાના રૂ૫માં આ ક્ષતિ મૂકી દીધી. ઈર્ષ્યાળુ માનવો એક બીજાના ૫ગ ખેંચવામાંથી જ ઊંચા ન આવ્યા, અંદરોઅંદર લડવા ઝગડવા લાગ્યા, ભગવાને આપેલી તમામ ક્ષમતા એમાં જ નાશ પામી.

 

 

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

2 Responses to ઇર્ષ્યા દુર્ગુણ છે :

  1. pragnaju says:

    મા વિદ્વિષાવહૈ

    ૐ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ

    Like

  2. હા કાંતિકાકા,
    ઇર્ષાને કારણે મનુષ્યનું મગજ પણ ખરાબ જ રહે છે,ખરાબ વિચાર જ આવે છે અને પોઝિટીવ પોઇન્ટ જોવાને બદલે નેગેટીવ પોઇન્ટ જ દેખાય છે મનુષ્યને.!

    Like

Leave a comment