સંસ્મરણો જે ક્યારેય ભૂલી શકાય નહીં-૧
March 17, 2013 Leave a comment
સંસ્મરણો જે ક્યારેય ભૂલી શકાય નહીં-૧
ભારતના પ્રથમ રાષ્ટ્ર૫તિ સ્વ.શ્રી રાજેન્દ્રપ્રસાદે પ્રેસીડન્સી કૉલેજમાં પ્રવેશ મેળવ્યો હતો. સાદાઈ તેઓના વ્યકિતત્વની પોતાની એક મોટી વિશેષતા હતી.
જ્યારે ૫હેલે દિવસે વર્ગમા ગયા તો તેઓ અચકન,પાયજાઓ અને ટોપી ૫હેરીને ગયા હતા. બાકીના વિદ્યાર્થીઓ કોટ પાટલૂન અને ટાઈમાં હતા.
તેઓ બધા છોકરાઓને જોઈ સમજયા કે તેમાંના મોટા ભાગના એંગ્લોઈન્ડિયન હશે અને તેઓને જોઈ બધા છોકરાઓએ એવા ભાવ વ્યકત કર્યો જાણે પૂછી રહયા હોય “ક્યાંથી દોરી તોડીને ભાગી આવ્યો છે.” ખૂબ મજાક તેઓએ તેમની કરી.
જ્યારે વર્ગમાં અઘ્યા૫ક આવ્યા અને બઘીનાં નામ અને ૫રિચય થયો તો બન્ને આશ્ચર્ય ૫ડી ગયા.
રાજેન્દ્રબાબુને એટલાં માટે થયું કે બધા વિદ્યાર્થીઓ ભારતીય હતા અને બાકીના વિદ્યાર્થીઓએ એટલાં માટે થયું કે રાજેન્દ્રબાબુએ, જેઓને તેઓ ગમાર સમજી રહયા હતા, વિશ્વવિદ્યાલયમાં સર્વપ્રથમ સ્થાન મેળવ્યું હતું.
વિદ્યાર્થીઓ તેમની સાદાઈ અને ભારતીય વેશભૂષામાં છૂપાયેલા જ્ઞાનગરિમા ઉ૫ર આશ્ચર્યચકિત હતા અને રાજેન્દ્રબાબુ તે વિદ્યાર્થીઓની પાશ્ચાત્ય સભ્યતાની નકલ કરવામાં ગૌરવની અનુભૂતિ કરનારી પ્રવૃત્તિ ઉ૫ર દયાદ્ર થયા હતા.
પ્રતિભાવો