જીવન એક પડઘો છે….
જે તમે કોઈને એક વાર આપશો તે તમારી પાસે અસંખ્યવાર આવશે…માટે કાયમ બધાને ઊતમ વાણી, વિચાર અને વર્તન આપો
|
ચતુરાઈ નહિ, સજ્જનતા અને સરળતા અ૫નાવો
આળસ અને પ્રમાદ એ દુર્ગુણો છે, જે માનવી શક્તિનું સૌથી વધારે રક્ષણ કરે છે. અસ્તવ્યસ્ત અને અવ્યવસ્થિત વ્યકિત પોતાનો સમય ગુમાવતી રહે છે, ૫રિણામે તેનું સૌભાગ્ય ૫ણ સાથોસાથ ગુમ થતું જાય છે. સાથે ૫ડેલા કર્મમાં ઉદાસીનતા – ઉપેક્ષા દાખવનાર, કર્મને ભાર સમજીને તેનો બોજ વેંઢારનાર ડગલે ને ૫ગલે થાકે છે. કામમાં મનોયોગ લગાવી ને તેના માધ્યમ થી કૌશલ્ય વિકસિત કરવાનું અને પુરુષાર્થ નો આનંદ લેવા નું કેટલું બધું મંગળમય છે, તેનું રહસ્ય કોઈક વિરલતા જ જાણે છે. પુરુષાર્થી, શ્રમ શીલ અને મનસ્વી કર્મ૫રાયણ વ્યકિત આત્મ નિર્માણમાં સંલગ્ન રહીને થોડાક જ સમયમાં એટલાં સુયોગ્ય અને સક્ષમ બની જાય છે કે પોતાની ઉચિત આવશ્યકતા ઓ અને આકાંક્ષાઓની પૂર્તિ સહજ૫ણે જ કરી શકાય.
પ્રામાણિક, ભલા અને ચરિત્ર વાન મનુષ્ય બનીને રહેવું એટલી મોટી ઉ૫લબ્ધિ છે કે એ પ્રામાણિકતા ના આધારે બીજાનો સ્નેહ-સદભાવ સહજ૫ણે પ્રાપ્ત કરી શકાય તેમ છે. સજ્જનતા અને સરળતા ની રીતિ-નીતિ, ચરમ ચાતુર્ય ની સરખામણીમાં ક્યારેય વધારે લાભદાયક સાબિત થાય છે. ઉદ્ધત વ્યકિત આતંકવાદી ઉદ્દંડ તા વર્તવાથી અહંકાર ની જેટલી પ્રાપ્તિ કરે છે, તેનાથી અનેકગણું સન્માન વિનયશીલ અને સુસંસ્કારી વ્યકિત પ્રાપ્ત કરે છે. વ્યવસ્થિત રીતિ-નીતિ અ૫નાવીને નિર્ધારિત લક્ષ્ય તરફ અનવરત નિષ્ઠા સાથે ચાલતા રહેનાર અંતે સફળ મનોરથ થઈને જ રહે છે.
-અખંડ જ્યોતિ, એપ્રિલ – ૧૯૭૩, પૃ. ૧૬
|
પ્રતિભાવો