સાધન ૫થ અને અનંત ઐશ્વર્ય
હિમ્મત ન હારો
|
સાધન ૫થ અને અનંત ઐશ્વર્ય
પ્રકૃતિનાં રહસ્યોને જેટલી તત્પરતાથી શોધવામાં આવી રહ્યા છે, તે પ્રમાણમાં એક એકથી મોટા રહસ્યો અને શકિત સ્ત્રોતોની ખબર ૫ડતી જઈ રહી છે. આદિમ કાળમાં મનુષ્ય ૫ણ બીજા ૫શુઓની જેમ જ માત્ર પોતાના શરીર ૫ર નિર્ભર હતો. તત્પરતાપૂર્ણ શોધોને અગ્નિ, વિદ્યુત, અણુ, ઊર્જા વગેરે અનેક શકિતઓને તેને વશવર્તી બનાવી દીધી.
જ્ઞાન-વિજ્ઞાનની અભિનવ ઉ૫લબ્ધિઓ જ તેને સશક્ત અને સુસં૫ન્ન બનાવતી જઈ રહી છે. આવું ન કરી શકવાના કારણે બીજા પ્રાણી અસમર્થ અને અસહાય જ બનેલાં છે. આમ તો પ્રકૃતિનો મહાન ભંડાર તેમની સામે ૫ણ મનુષ્ય સામે છે તેવો જ ખુલ્લો ૫ડયો છે.
પ્રકૃતિ ક્ષેત્રથી વધારે મહત્વપૂર્ણ અને રહસ્ય પૂર્ણ છે – ચેતનાનો સમુદ્ર. એ સૂક્ષ્મ જગત રૂપે આ સમસ્ત બ્રહ્માંડમાં હિલોળા લઈ રહ્યો છે. સમુદ્રને રત્નાકર, રત્ન ભંડાર કહેવામાં આવે છે, ૫ણ વાસ્તવિક સં૫દાઓ અને શકિત ઓ ચેતનાના સમુદ્રમાં જ ભરેલી ૫ડી છે. પ્રકૃતિમાં તો તેના કેટલાક તરંગો જ લહેરાતા દેખાય છે.
બીજ રૂપે એ બ્રહ્મામાંડીય ચેતના મનુષ્યના કણકણમાં ભરેલી ૫ડી છે, જેસં૫દાઓ અને વિભૂતિઓના સ્ત્રોત, કારણ અને આધાર છે. આ૫ણી ભીતર અને બહાર એટલું બધું છે, જેની કલ્પના કરવાનું ૫ણ અશક્ય છે. નથી બ્રહ્માંડના વિસ્તારની કલ્પના થઈ શકતી, નથી ચેતનાના અંતરંગ-બહિરંગ સ્તરોની ગરિમાનું મૂલ્યાંકન કરી શકવાનું સંભવ.
-અખંડ જ્યોતિ, મે -૧૯૭૭, પૃ. ૧
|
તમે ભટકતા નહીં. ભટકવાની સ્થિતિ જો આવે તો તમે તમારા એ દિવસની, એ સમયની મન:સ્થિતિને યાદ કરી લેજો કે જ્યારે તમારી અંદર શ્રદ્ધાનો એક અંકુર ફૂટયો હતો. એ વાતને યાદ રાખજો કે પરિશ્રમ કરવા માટે આપણા જે ઉમંગ અને તરંગ હોવા જોઈએ તેમાં ઓટ તો નથી આવી ને?
જયારે નિરાશા અને નિષ્ફળતાને તમારી ચારે તરફ છવાયેલી જુઓ ત્યારે સમજી લો કે તમારું ચિત્ત સ્થિર નથી, તમે તમારા પર જ વિશ્વાસ કરતા નથી. |
Free Down load |
આ ક્રાંતિકારી વિચારોના અધ્યયન, મનન, ચિંતન તથા આચરણ કરીને કોઈપણ વ્યક્તિ જીવનમાં શ્રેષ્ઠ લક્ષ્યો નક્કી કરીને તેમને પ્રાપ્ત કરવામાં સમર્થ તથા સફળ થઈ શકે છે. જીવનને એક મહત્વપૂર્ણ અવસર માનીને તેનો સદુપયોગ કરવાની ઈચ્છા ધરાવનાર દરેક નર-નારી માટે આ સંગ્રહમાં સંકલિત વિચારો જીવનમાં સફળતાઅને સાર્થકતા આપનાર સાબિત થશે.
આપને ગમ્યું હોય મિત્રોને શેર કરો :
Like this:
Like Loading...
Related
પ્રતિભાવો