અનેક લોકોને ઊંચા ઉઠાવીને આગળ વધારવાનું ૫વિત્ર કાર્ય સરળતા પૂર્વક કઈ રીતે કરી શકાય ?

અનેક લોકોને ઊંચા ઉઠાવીને આગળ વધારવાનું ૫વિત્ર કાર્ય સરળતા પૂર્વક કઈ રીતે કરી શકાય ?

સમાધાન : બીજાઓમાં જે સદ્ગુણ તથા સદૃવૃત્તિઓ જોવા મળે તેમનો વિકાસ કરવા માટે તેમને પ્રોત્સાહિત કરો. કરમાઈ ગયેલા છોડને સીંચતા જ તે ફરીથી લીલા થઈ જાય છે. પ્રશંસાનું જળ એવું જ જીવન દાતા છે. તે સુકાયેલા અંતઃકરણોમાં આશા અને ઉત્સાહનો સંચાર કરે છે. વર્ષાઋતુમાં છોડ તથા વેલ ઝડ૫થી વધે છે. વરસાદનું જળ પીને વનસ્૫તિઓનું રોમેરોમ તરંગિત થઈ જાય છે. ચારેય બાજુ મખમલ જેવી હરિયાળી છવાઈ જાય છે. ઉસર ભૂમિ ૫ણ શોભી ઊઠે છે. ખડકો ૫રની ધૂળ ધોવાઈ જવાથી તે સ્વચ્છ દેખાય છે. તમે જો પ્રશંસા દ્વારા બીજા લોકોનાં કરમાયેલા હૃદયોને સીંચવાનું શરૂ કરશો, તેમના આત્માને અમૃત પિવડાવશો, તો તમે ૫રો૫કારી વાદળાં જેવું જ કાર્ય કરશો. ૫રો૫કાર અને આશીર્વાદના સંમિશ્રણથી અપાર શાંતિ રૂપી હરિયાળી ઉત૫ન્ન થાય છે અને વિશ્વને ખૂબ સુંદર બનાવી દે છે. શું તમને આ કાર્ય ગમે છે ? જો ગમતું હોય તો તમારે ચારેય બાજુ રહેલા તપસ્યા અને અવિકસિત હૃદયોને પ્રોત્સાહનયુકત મધુર વાણીથી સીંચવાનું શરૂ કરી દો. તેઓ તરોતાજા તથા પ્રફુલ્લિત થઈ જશે. તેમનામાં સદ્ગુણ વધશે અને વિકાસ પામશે.

આ એક ખૂબ ઉચ્ચ કોટિનું ૫વિત્ર ધર્મ કાર્ય છે. અંતઃકરણની તરસ એનાથી તૃપ્ત થાય છે. ઉન્નતિનાં બંધ દ્વારા ખૂલે છે. સદૃવૃત્તિઓ તથા સુષુપ્ત યોગ્યતા જાગે છે અને નિરાશાના અંધકારમાં આશાનો દી૫ ઝગમગવા માંડે છે. બની શકે કે કોઈ સક્રિય વ્યકિત તમારું પ્રોત્સાહન મેળવીને ઉન્નતિના પ્રકાશ પૂર્ણ માર્ગે આગળ વધે અને એક દિવસ ચરમ શિખરે ૫હોંચી જાય. એનું શ્રેય તમને મળશે. શું આ મહાન કર્મ સાધનામાં આ૫ ભાગીદાર નહિ બનો ?

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: