સુવિચાર : હિમ્મત ન હારો
March 23, 2009 Leave a comment
અસ્ત વ્યસ્ત જીવન જીવવું, ઉતાવળ કરવી, રાત-દિવસ વ્યસ્ત રહેવું અને હરપળે કામકાજમાં ખૂંચી રહેવું-આવી બાબતો પણ મનમાં ભારે તાણ પેદા કરે છે. આથી એ પણ જરૂરી બની જાય છે કે તમારી જીવનશૈલીને અને દિનચર્યાને વિવેકપૂર્ણ બનાવીને ચાલો. ઈમાનદારી, સંયમશીલતા, સજ્જનતા, નિયમિતતા અને સુવ્યવસ્થાથી ભરપૂર સરળ સાદું જીવન જીવવાથી જ મનોબળનો સદુપયોગ થાય છે અને ઈશ્વરે આપણામાં ભરેલી ક્ષમતાનો ઉચિત લાભ મેળવવાનો સુયોગ સાંપડે છે.
પ્રતિભાવો