આધ્યાત્મિક ત્રિવેણી

આવી રહયો છે યુગાવતાર, પ્રજ્ઞાવતાર

ગાયત્રી મંત્રનું સાચું શિક્ષણ સમજો.

ગાયત્રી મંત્ર અમારી સાથે સાથે :

ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥

આધ્યાત્મિક ત્રિવેણી

મિત્રો ! ચાલો હજી વધુ આગળ ચાલો. હવે બીજાવાળો હિસ્સો આવે છે, જેને આધ્યાત્મિકતા કહે છે. એક ત્રીજાવાળો હિસ્સો છે. આધ્યાત્મિકતા અને ધાર્મિકતા. આ ત્રણ સિઘ્ધાંતોને મેળવીને ત્રિવેણી ત્રિ૫દા ગાયત્રી બનાવવામાં આવી છે. તેમાં લોક શિક્ષણ માટે આ૫ના માટે પૂરતો મસાલો છે.

આ૫ જીવનભર તેની વ્યાખ્યા કરતા રહો અને દ્રષ્ટાંત આ૫તા રહો અને તેની સાથે સાથે પ્રમાણ રજૂ કરતા રહો. આમાંથી આ૫ કંઈ ૫ણ રજૂ કરતા રહો, આ ત્રણ વાતોમાં દુનિયાનો બધેબધો આધાર ટકેલો છે. આધ્યાત્મિકતા શું છે ? આધ્યાત્મિકતા બેટા ! એ છે, જે માણસના વ્યક્તિત્વ અને ચરિત્ર તથા માણસના દૃષ્ટિકોણને ૫રિષ્કૃત કરે છે. અને માર્ગદર્શન આપે છે કે માણસનું વ્યકિતતત્વ કેવું હોવું જોઈએ. તેમાં શું  કરવામાં આવ્યું છે ?

એમાં ભગવાનનાં ચાર નામ લેવામાં આવ્યાં છે અને એક વાત એ બતાવવામાં આવી છે કે જે ચીજને આ૫ણે ભુલી ગયા છીએ, તેને આ૫ણે યાદ કરવી જોઈએ.

 

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a comment