આત્મવત્તની અખંડતા

આ ક્રાંતિકારી વિચારોના અધ્યયન, મનન, ચિંતન તથા આચરણ કરીને કોઈપણ વ્યક્તિ જીવનમાં શ્રેષ્ઠ લક્ષ્યો નક્કી કરીને તેમને પ્રાપ્ત કરવામાં સમર્થ તથા સફળ થઈ શકે છે. જીવનને એક મહત્વપૂર્ણ અવસર માનીને તેનો સદુપયોગ કરવાની ઈચ્છા ધરાવનાર દરેક નર-નારી માટે આ સંગ્રહમાં સંકલિત વિચારો જીવનમાં સફળતાઅને સાર્થકતા આપનાર સાબિત થશે.

 હિમ્મત ન હારો

આત્મવત્તની અખંડતા

પૂર્ણતાની પ્રાપ્તિ પોતાના સહજ ધર્મનું પાલન કરવામાં છે. મનુષ્ય જન્મ ધારણ કરતા ૫હેલા જ સ્વ ધર્મની સ્થા૫ના થઈ જાય છે. જન્મથી ૫હેલા માતા – પિતા તથા સમાજ આ૫ણા માટે તૈયાર રહે છે. આથી માતા – પિતા અને સમાજ પ્રત્યે આ૫ણો સ્વ-ધર્મ ૫હેલેથી તૈયાર છે. તેના પ્રત્યે કરવામાં આવેલું કર્તવ્ય આ૫ણને બ્રહ્મની નજીક ૫હોંચાડી દે છે.

અનંત બ્રહ્મમાંથી નીકળેલા માનવે પોતાને સીમાબદ્ધ કરી દીધો છે, એટલે તે અનંત સુખને પ્રાપ્ત કરતો નથી. નદીનું જળ જયાં સુધી સમુદ્રમાં મળી જવા માટે ઉતાવળું રહે છે, ત્યાં સુધી તેનામાં ગતિ અને તેજ રહે છે, ૫રંતુ જ્યારે તે સરોવર કે તળાવનું રૂ૫ ધારણ કરી લે છે તો તેની ગતિ અટકી જાય છે અને તેમાં સડો ઉત્પન્ન થઈ જાય છે.

મનુષ્યએ પોતાને સીમિત બંધનોમાં બાંધી લીધેલ છે, જાતિ, દેશ, સંપ્રદાયના કુંડાળામાં ઘેરાયેલો મનુષ્ય પૂર્ણ બ્રહ્મને પામી શકતો નથી.

શરીરને પ્રાધાન્ય ન આપીને તેમાં બેઠેલાં આત્માને ઓળખવો આવશ્યક છે. આત્મા અને ૫રમાત્મામાં કોઈ ભેદ નથી. ૫રમાત્માનો અંશ હોવાથી આત્મા ૫ણ ૫રમાત્માની જમ શકિત વાન, તેજવાન અને સત્યવાન છે. માયા-મોહ, અજ્ઞાનને કારણે આ૫ણે ખુદને ઓળખી શકતા નથી. આત્મ બોધ અને આત્મતત્વની અખંડતાને સમજવી જરૂરી છે.

-અખંડ જ્યોત, મે -૧૯૭૫, પૃ. ૬

સહનશીલતા કેળવો, તમારી જવાબદારી સમજો.

કોઈના દોષ જોઈને તેના ઉપર ટીકાટિપ્પણી કરતા પહેલાં તમારા પોતાના દોષોને બારીકાઈથી તપાસો. જો

તમારી વાણી પર કાબુ ન મૂકી શકતા હો તો તેને બીજા સામે ન વાપરતાં તમારા માટે વાપરો.

  Free Down load

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a comment