સાચું ધન કયાં છે?

સાચું ધન કયાં છે?

ધનવાન હોવું તે એક કલા છે અને મારી સમજ પ્રમાણે તેનું રહસ્ય અકિંચન બનવામાં છે. અકિંચન બનવાથી જ બધાં સુખ પ્રાપ્ત કરવાના અધિકારી બનાય છે.

આપના જીવનમાં સૌથી વધારે સુખમય અને કીમતી ક્ષણ તે જ છે કે જ્યારે આપણે ભૌતિક જગતની માયાજાળથી પોતાની જાતને તટસ્થ રાખીને આત્માની અનુભૂતિમાં પૂર્ણરૂપે લીન થઈ જઈએ. આવી ક્ષણ પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય ત્યારે જ પ્રાપ્ત થાય છે, જ્યારે આપણે દિવ્ય સૌંદયની સામે હોઈએ. ભૌતિક જગતની સંપત્તિ એને ખરીદી શકતી નથી અને સંસારની મોટામાં મોટી પરિસ્થિતિ, અધિકારો અને શક્તિ પણ તેમને પ્રાપ્ત કરવામાં અસમર્થ છે કારણ કે આ તે જ ક્ષણ છે, જ્યારે આત્મા નાના બાળક જેવી સરળતાથી પોતાના પ્રિય ભગવાનની અનુપમ સુંદરતાનું પુજન કરે છે.

મનુષ્યની અતિસુંદર એટલે કે સૌથી ઉત્તમ સુખમય ક્ષણ જ એનો સૌથી વધારે કીમતી સમય હોય છે. માનવ અનુભૂતિની ઉત્તમ કક્ષા પોતાના ભાઈઓ પર અધિકાર સ્થાપવામાં અથવા જગતની કોઈપણ ઈચ્છિત કીમતી વસ્તુ ખરીદવાની શક્તિમાં નથી. ખરી સંપત્તિ તો આત્માની અનુભૂતિથી જ પ્રાપ્ત થાય છે. સુખની વ્યાવહારિક મુદ્રા અથવા ચલણ “પ્રેમ” છે. પ્રેમની કોઈ સીમા નથી અને એના કોઈ પ્રકાર હોતા નથી.

પ્રેમ પ્રેમ છે, તે લૌકિક હોય અથવા આધ્યાત્મિક, પરંતુ જો તે પૂર્ણ અને નિસ્વાર્થ હોય તો અવશ્ય ચમત્કારી, શક્તિશાળી અને ભવબંધનથી મુક્તિ અપાવવાનું સાધન બનશે.

-અખંડજયોતિ, નવેમ્બર-1956 પેજ-16

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a comment