શા માટે પ્રાર્થના-ઉપાસના કરવામાં આવે છે ? સાધના આંદોલન પર એક દૃષ્ટિ
March 28, 2022 Leave a comment
સૌના માટે સરળ ઉપાસના સાધના
ૐ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્ય ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ।
આ પુસ્તક ઇચ્છિત લક્ષ્યને પૂરું કરવા માટે ખૂબ જ ઉપયોગી તથા સહાયરૂપ નીવડશે એવો વિશ્વાસ છે . નવા તથા જૂના તમામ સાધકો ઉજ્જવળ ભવિષ્યની રચના માટે તથા પોતાના વ્યક્તિત્વના વિકાસ માટે યોગ્ય લાભ ઉઠાવી શકે છે .
સાધના આંદોલન પર એક દૃષ્ટિ
શા માટે પ્રાર્થના-ઉપાસના કરવામાં આવે છે ?
ભગવાને આપણને જન્મ થવાના સમયે જ દૈવી ચૈતન્યની અમૂલ્ય ભેટ આપી દીધી છે . એ હંમેશાં સૂતેલી અવસ્થામાં જ પડી રહે છે . ઉપાસના એટલા માટે કરવામાં આવે છે કે આપણું મન પવિત્ર બને , આપણા હ્રદયમાં ઉદારતાનો ભાવ પ્રગટે અને વિસ્તાર પામે , આપણે બીજાઓની સેવા કરવા માટે હંમેશાં તત્પર રહી આનંદ ઉત્સાહથી સભર રહીએ . મનુષ્યજીવનની સૌથી મોટી ચાર સિદ્ધિઓ છે . આ સિદ્ધિઓનાં શ્રેષ્ઠ પરિણામો પર જરા ધ્યાન આપો –
( ૧ ) અંદર ઉત્પન્ન થતા ગંદા વિચારો ધીરે ધીરે ઓછા થવા લાગે છે અને શરીર વડે થતાં પાપકર્મો પણ ઓછાં થતાં જાય છે .
( ૨ ) ઉચ્ચ , શ્રેષ્ઠ ભાવના અને શ્રેષ્ઠ કર્મો કરવાની ઇચ્છા વધવા લાગે છે . સ્વભાવ અને સંસ્કારો પણ શ્રેષ્ઠ બીબામાં ઢળવા લાગે છે .
( ૩ ) ભગવાન પ્રત્યે શ્રદ્ધા અને આત્મીયતાનો વિકાસ થાય છે . આથી જીવાત્મા ઉજ્જવળ બને છે અને આનંદનો અનુભવ કરે છે .
( ૪ ) સાંસારિક લાભ પણ થાય છે . ઉપાસકમાં સાત્ત્વિકતા વધે છે . આથી પોતાનાં કુટુંબીજનોમાં પણ સૌમ્યતાનો ભાવ પેદા થાય છે . બાળકોમાં આજ્ઞાંકિતતા અને અન્ય શ્રેષ્ઠ સંસ્કારોનો વિકાસ થાય છે .
આથી ભગવાનને પોતાના સૌથી મોટા શુભચિંતક અને આત્મીય માની દ ૨૨ોજ તેમની ઉપાસના કરો . સદ્ભાવના અને સત્બુદ્ધિ આપવાની પ્રાર્થના કરતા રહો . ભગવાન આવી નિર્મળ ઇચ્છાઓ અવશ્ય પૂરી કરે છે . કોઈની પણ ઉપાસના નિષ્ફળ જતી નથી , તો પછી આપની શા માટે નિષ્ફળ જાય ?
પ્રતિભાવો